વડોદરા

વડોદરા

વડોદરા એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલું અને વિશ્વામિત્રી નદીને કિનારે વસેલું નગર છે. તેનું જૂનું નામ વટપદ્ર છે. વડોદરાનું નામ સંસ્કૃત ‘વટસ્ય ઉદરે’ ઉપરથી ઉતરી આવ્યું હોવાનું માનવામાં આવે છે. વિશ્વામિત્રી નદીને કિનારે ઘણા વડના ઝાડ હોવાથી, વડ હેઠળ વિકસેલું શહેર ‘વટસ્ય ઉદરે’ કળક્રમે અપભ્રંશ થતાં વડોદરા થઈ ગયું. આ નદીનું નામ મહાન ઋષી વિશ્વામિત્રના નામ પરથી આવ્યું હોવાનું પણ મનાય રહ્યું છે. મરાઠા ગાયકવાડે આ પ્રદેશમાં પ્રવેશ કર્યો અને તેમનું પ્રતિષ્ઠિત શાસન શરૂ કર્યું.

તેમણે વડોદરાને તેમની રાજધાની બનાવી અને ગાયકવાડનો ભવ્ય ઇતિહાસ શરૂ થયો. વર્ષ 1875 માં, મહારાજા સયાજીરાવ ત્રીજાના શાસન દરમિયાન, તેને ગોલ્ડન પીરિયડ તરીકે ગણવામાં આવ્યું હતું, કારણ કે તે મહાન પ્રગતિ અને બધા ક્ષેત્રોમાં સિદ્ધિઓનો યુગ હતો. મહારાજા સયાજીરાવએ વર્ષ 1875 થી 1 9 3 9 સુધી શાસન કર્યું, અને વડોદરા (બરોડા) ને પુનર્જીવિત કરવા અને સુધારણા માટે ફાળો આપ્યો, જેમ કે, ફરજીયાત પ્રાથમિક શિક્ષણની સ્થાપના કરવી, લાઇબ્રેરી સિસ્ટમ , વિશ્વવિદ્યાલય , કાપડ અને ટાઇલ ફેક્ટરીઝ , ગ્રેટ મ્યુઝિયમ ,કલા અને સ્થાપત્યને ઉજાગર કર્યુ. વડોદરા ગુજરાત રાજ્યનું મહત્વનું ઔદ્યોગિક કેન્દ્ર પણ છે જેમાં પેટ્રોકેમિકલ્સ, રાસાયણિક, ટેક્સટાઇલ્સ તથા ઇજનેરી ઉદ્યોગોનો સમાવેશ થાય છે.

વડોદરાને ભારતની ‘સંસ્કાર નગરી’ તરીકે પણ ઓળખવામાં આવે છે. શહેરમાં 33 જેટલા જોવા લાયક સ્થળ છે કે જેમાં લક્ષ્મી વિલાસ મહેલ, મોતીબાગ મેદાન, મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય, મધ્યવર્તિ પુસ્તકાલય, સયાજી બાગ (કમાટી બાગ), સરદાર પટેલ પ્લેનેટેરીયમ, કિર્તિ મંદિરનો સમાવેશ થાય છે.

Read More

Vadodara Video : જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને નુકસાન

વડોદરાના જરોદ પોલીસ સ્ટેશન નજીક ઘાસના પૂડામાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. પોલીસે ડિટેઈન કરેલા વાહનો આગની ચપેટમાં આવ્યા છે. પોલીસે ડિટેઈન કરેલા 25 થી 30 વાહનને આગમાં નુકસાન થયુ છે. જો કે હજી આગ લાગવાનું કારણ અકબંધ છે.

અહીંયાથી શરુ થાય છે ગોવા જવા માટે ટ્રેન, પણ અમદાવાદ નહીં વડોદરા-સુરત લેશે સ્ટોપેજ

વેકેશન દરમિયાન લોકો નવી નવી જગ્યાઓ પર ફરવા જતા હોય છે. તેમાં પણ ગોવા ગુજરાતના લોકોનું ફેવરિટ સ્થળ રહ્યું છે. મોટાભાગે લોકો અહીંયા ફરવા આવત-જતા હોય છે. તો આજે અમે તમને એક એવી ટ્રેન વિશે જણાવશું કે જે દિલ્હીથી ઉપડે છે પણ અમદાવાદની બદલે સુરત-વડોદરા સ્ટોપેજ લે છે.

Poicha Nilakantha Dham : પોરબંદરથી મહારાષ્ટ્ર જવા નીકળે છે આ ટ્રેન, પોઈચા નિલકંઠ મંદિર જવા માટે બેસ્ટ ઓપ્શન

ગુજરાતમાં ઘણા ફરવાના સ્થળો આવેલા છે. આ સ્થળો વિશે ઘણી વાર આપણને ખબર નથી હોતી કે સસ્તામાં ટ્રીપ કેવી રીતે પુરી શકાય. અમે તમને આજે વડોદરાની બાજુમાં આવેલા નિલકંઠ ધામ (પોઈચા) ટ્રેન દ્વારા કંઈ રીતે પહોંચવું એ જણાવશું.

Vadodara : વાઘોડિયાની ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત, જુઓ Video

વડોદરામાં વાઘોડિયા રોડ પર આવેલા ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી જીવાત મળી આવી છે. સેવ ટામેટાના શાકમાંથી જીવાત નીકળી છે. રેસ્ટોરન્ટના માલિક દ્વારા ગ્રાહકો સાથે ચેડા કરવાનો આરોપ છે.

ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રીએ વડોદરાના નેતાઓની કાઢી ઝાટકણી, કહ્યું- જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, જુઓ-video

બી.એલ સંતોષે ભાજપના જિલ્લા અને શહેરના ભાજપના નેતાઓને તેમની કામગીરીને લઈને ખખડાવ્યા હતા. તેમણે આ દરમિયાન નેતાઓને કહ્યું કે તમે મતદારોને મળ્યા જ નથી, માત્ર જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે.આ સાથે રાષ્ટ્રીય સંગઠન મહામંત્રીએ કહ્યું કે તમારી કામગીરીથી હું સંતુષ્ટ નથી અને બધુ જ જાણું છું

Vadodara : સાવલી ગામ પાસેના અકસ્માતમાં વધુ 2ના મોત, મોતનો આંકડો વધી 7 પર પહોંચ્યો, જુઓ Video

વડોદરામાં સાંકરદા ભાદરવા રોડ પર ટેમ્પો અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં વધુ 2ના મોત થયા છે. સારવાર દરમિયાન વધુ બે લોકોના મોત નિપજ્યા છે. અકસ્માતમાં મોતનો આંકડો 7 પર પહોંચ્યો છે

ગુજરાતમાંથી પસાર થશે ઉજ્જૈન, દરભંગા, ગાંધીધામ, વેરાવળ-સાલારપુરની સ્પેશિયલ ટ્રેનો, જાણો ટાઈમટેબલ

Indian Railway : પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારીએ નવી 4 ટ્રેનની જાહેરાત કરી છે. આ ટ્રેનો ગુજરાતના લગભગ મોટાં ભાગના શહેરોને એકબીજા સાથે જોડે છે.

પાદરા ગામે ક્ષત્રિયોએ ભાજપ ઉમેદવારને પ્રચાર માટે ગામમાં આવતા અટકાવ્યા, કાળા વાવટા ફરકાવી કર્યો વિરોધ, જુઓ VIDEO

વડોદરાના પાદરા ગામે પરશોત્તમ રૂપાલાના નિવેદનનો ઉગ્ર વિરોધ ચાલી રહ્યો છે. પાદરાના જાસપુર ગામે ક્ષત્રિય યુવકોએ ભાજપના કાર્યકરોને પ્રચાર માટે ગામમા આવતા પહેલા ગામ બહાર રોકી લીધા હતા

વડોદરામાં ચૂંટણી પ્રચાર દરમ્યાન રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ, જુઓ Video

સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં સભાઓ ઘમરોળ્યા બાદ અમિત શાહે મધ્ય ગુજરાતમાં પ્રચંડ પ્રચાર કર્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વડોદરામાં ઝંઝાવાતી પ્રચાર કર્યો. લોકસભા ચૂંટણીમાં હેટ્રિક સાથે 400 પારના લક્ષ્યાંકને પાર પાડવા. અમિત શાહ ભાજપ ઉમેદવારોના સમર્થનમાં રોડ શો થકી પ્રચાર કર્યો. આ દરમ્યાન તેમણે નિવેદનમાં કહ્યું રૂપાલા એકવખત માફી માગી ચૂક્યા છે, હવે ક્ષત્રિય સમાજે વિચારવાનું છે કે શું કરવું.

વડોદરાના સાવલી ગામ નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ

વડોદરાના સાવલી ગામ નજીકથી 40થી વધુ લોકો ટેમ્પામાં બેસીને બાધા પૂરી કરવા જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં આઈસર સાથે અકસ્માત થતા 30 વધુ લોકો ઘાયલ થયા હતા. જે ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં અફડાતફડી મચી ગઈ હતી અને તમામ ઘાયલોને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

સાળંગપુરથી રિટર્ન અમદાવાદ-સુરત બાજુ આવવા માટે ચાલે છે આ ‘મહુવા’ ટ્રેન

લોકો સાળંગપુર દાદાના દર્શને કે બોટાદ બાજુ ફરવા માટે જતા હોય છે. તો તેમના માટે પાછા આવવા માટે પણ એક સારી ટ્રેન ચાલે છે. જે તમને રાજુલા, દામનગર, અમદાવાદ થઈને સુરત પહોંચાડે છે.

હૈદરાબાદ ફરવા માટે સૌરાષ્ટ્રથી ઉપડે છે આ ટ્રેન, તો 12થી વધુ ગુજરાતના સ્ટેશન પર કરે છે સ્ટોપેજ

Rjt Sc Sup Exp : હૈદરાબાદ ફરવાના શોખીનો માટે આ ટ્રેન બેસ્ટ છે. આ ટ્રેન ગુજરાતના 12થી વધુ મોટા શહેરોમાંથી પસાર થાય છે. બિઝનેસ મિટિંગમાં જવા માટે પણ આ ટ્રેન બેસ્ટ ઓપ્શન છે.

અમદાવાદથી ઉપડતી આ સૌથી સારી ટ્રેન, ગુજરાતને જોડે છે સુંદર 4 રાજ્યો સાથે

Super Fast Express Train : તમારે વેકેશન દરમિયાન કે બિઝનેસ ટ્રિપ દરમિયાન સાઉથના તેલંગણા કે આંધ્રપ્રદેશમાં જવાનું થાય તો તમારા માટે આ ટ્રેન સૌથી ઉત્તમ છે.

સાઉથ ગુજરાત ફરવા માટે આ ટ્રેન છે બેસ્ટ, ‘ગુજરાત ક્વિન’ સાઉથના ઘણા જીલ્લાને કરે છે કવર

જ્યારે પણ ગુજરાત ફરવાની વાત આવે અને તેમાં પણ સાઉથ ગુજરાતમાં, ત્યારે સસ્તામાં આ ટ્રેનમાં મુસાફરી કરી શકો છો. આ ટ્રેન તમને અમદાવાદથી વલસાડ સુધી સફર કરાવે છે.

વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, કાર ચાલકે વાલ્વ તોડી નાખતા સર્જાઈ મોટી સમસ્યા- Video

આજવા નિમેટા વચ્ચે ચંપાલીયપુરા પાસે ફીડરનો વાલ્વ તૂટતા હવે પીવાનું પાણી નહી મળી શકે . મળતી માહિતી મુજબ કારચાલકે વાલ્વ તોડી નાંખતા વડોદરાના લોકોને પીવાનું પાણી નહિ મળી શકે. ત્યારે હવે પુરવઠા વિભાગે યુદ્ધના ધોરણે કામગીરી શરુ કરી છે.

જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
સત્યની લડાઈમાં સહકાર આપવા બદલ આભાર - ગેનીબેન
સત્યની લડાઈમાં સહકાર આપવા બદલ આભાર - ગેનીબેન
આ વર્ષે ભૂજ-અમદાવાદમાં અત્યાર સુધીની સૌથી વધુ ગરમી નોંધાઈ
આ વર્ષે ભૂજ-અમદાવાદમાં અત્યાર સુધીની સૌથી વધુ ગરમી નોંધાઈ
રુપાલાએ કહ્યુ, હું ફરી વાર માતૃ શક્તિની પણ માફી માગુ છુ, જુઓ Video
રુપાલાએ કહ્યુ, હું ફરી વાર માતૃ શક્તિની પણ માફી માગુ છુ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">