AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railway : ભારતની સૌથી ધીમી ટ્રેન, છતાં દુનિયાભરના પ્રવાસીઓની પસંદ, જાણો નામ

આજના ઝડપી યુગમાં પણ ભારતની એક એવી ટ્રેન છે, જેની ગતિ સાયકલ કરતાં પણ ઓછી છે. છતાં, તેની આ ધીમી સફર લોકોના દિલમાં વિશેષ સ્થાન બનાવે છે. મનમોહક દ્રશ્યો અને શાંત અનુભવના કારણે આ ટ્રેન દેશની સૌથી આકર્ષક ટ્રેનોમાં ગણાય છે. એ જ કારણથી દર વર્ષે દેશ અને વિદેશમાંથી પ્રવાસીઓ ખાસ કરીને આ અનોખી મુસાફરીનો આનંદ લેવા આવે છે.

| Updated on: Dec 22, 2025 | 5:26 PM
Share
આધુનિક સમયમાં વંદે ભારત જેવી ઝડપી ટ્રેનો દોડતી જોવા મળે છે, ત્યારે પણ એક એવી ટ્રેન છે જે આપણને ભૂતકાળની શાંત યાદોમાં લઈ જાય છે. તેની ગતિ એટલી ધીમી છે કે રસ્તે ચાલતો સાયકલ સવાર પણ ઘણીવાર તેને પાછળ છોડી દે. અમે અહીં મેટ્ટુપલયમથી ઊટી સુધી દોડતી નીલગિરિ પેસેન્જર ટ્રેનની વાત કરી રહ્યા છીએ, જે પોતાની અનોખી સફર માટે વિશ્વભરમાં જાણીતી છે. ( Credits: Getty Images )

આધુનિક સમયમાં વંદે ભારત જેવી ઝડપી ટ્રેનો દોડતી જોવા મળે છે, ત્યારે પણ એક એવી ટ્રેન છે જે આપણને ભૂતકાળની શાંત યાદોમાં લઈ જાય છે. તેની ગતિ એટલી ધીમી છે કે રસ્તે ચાલતો સાયકલ સવાર પણ ઘણીવાર તેને પાછળ છોડી દે. અમે અહીં મેટ્ટુપલયમથી ઊટી સુધી દોડતી નીલગિરિ પેસેન્જર ટ્રેનની વાત કરી રહ્યા છીએ, જે પોતાની અનોખી સફર માટે વિશ્વભરમાં જાણીતી છે. ( Credits: Getty Images )

1 / 7
આ ટ્રેન એક કલાકમાં માત્ર આશરે 9 કિલોમીટર જ આગળ વધે છે. પરિણામે, 46 કિલોમીટરનું અંતર પૂરું કરવામાં તેને લગભગ 5 કલાકનો સમય લાગે છે. છતાં પણ, તેની આ ધીમી અને શાંત સફર જ તેને ભારતની સૌથી લોકપ્રિય અને રોમેન્ટિક ટ્રેનોમાં સ્થાન અપાવે છે. આ અનોખો અનુભવ માત્ર ભારતીય મુસાફરો નહીં, પરંતુ દુનિયાભરના પ્રવાસીઓને પણ ખૂબ આકર્ષે છે. ( Credits: Getty Images )

આ ટ્રેન એક કલાકમાં માત્ર આશરે 9 કિલોમીટર જ આગળ વધે છે. પરિણામે, 46 કિલોમીટરનું અંતર પૂરું કરવામાં તેને લગભગ 5 કલાકનો સમય લાગે છે. છતાં પણ, તેની આ ધીમી અને શાંત સફર જ તેને ભારતની સૌથી લોકપ્રિય અને રોમેન્ટિક ટ્રેનોમાં સ્થાન અપાવે છે. આ અનોખો અનુભવ માત્ર ભારતીય મુસાફરો નહીં, પરંતુ દુનિયાભરના પ્રવાસીઓને પણ ખૂબ આકર્ષે છે. ( Credits: Getty Images )

2 / 7
તમિલનાડુમાં ચાલતી મેટ્ટુપલયમથી ઊટી સુધીની ટોય ટ્રેનને ભારતની સૌથી ધીમી પેસેન્જર ટ્રેનોમાં ગણવામાં આવે છે. મુસાફરીનું કુલ અંતર માત્ર 46 કિલોમીટરનું હોવા છતાં, આ સફરને પૂર્ણ કરવામાં આશરે 5 કલાકનો સમય લાગી જાય છે, એટલે તેની સરેરાશ ગતિ લગભગ 9 કિમી પ્રતિ કલાક જેટલી છે. આજના સમયમાં જ્યાં 200 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડતી ટ્રેનો ચર્ચામાં છે, ત્યાં આ ટ્રેન પર્વતીય ઢાળ પર ધીમે ધીમે આગળ વધે છે. તેની આ શાંત ગતિ જ તેની અસલ આકર્ષણ છે. સફર દરમિયાન બારીમાંથી સરકતા વાદળો, જંગલ વચ્ચે અચાનક દેખાતી ટનલ અને રસ્તામાં આવતા નાનકડા ઝરણાં, આ બધું મળીને આ યાત્રાને સામાન્ય મુસાફરી નહીં પરંતુ એક યાદગાર અનુભવ બનાવી દે છે. ( Credits: Getty Images )

તમિલનાડુમાં ચાલતી મેટ્ટુપલયમથી ઊટી સુધીની ટોય ટ્રેનને ભારતની સૌથી ધીમી પેસેન્જર ટ્રેનોમાં ગણવામાં આવે છે. મુસાફરીનું કુલ અંતર માત્ર 46 કિલોમીટરનું હોવા છતાં, આ સફરને પૂર્ણ કરવામાં આશરે 5 કલાકનો સમય લાગી જાય છે, એટલે તેની સરેરાશ ગતિ લગભગ 9 કિમી પ્રતિ કલાક જેટલી છે. આજના સમયમાં જ્યાં 200 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડતી ટ્રેનો ચર્ચામાં છે, ત્યાં આ ટ્રેન પર્વતીય ઢાળ પર ધીમે ધીમે આગળ વધે છે. તેની આ શાંત ગતિ જ તેની અસલ આકર્ષણ છે. સફર દરમિયાન બારીમાંથી સરકતા વાદળો, જંગલ વચ્ચે અચાનક દેખાતી ટનલ અને રસ્તામાં આવતા નાનકડા ઝરણાં, આ બધું મળીને આ યાત્રાને સામાન્ય મુસાફરી નહીં પરંતુ એક યાદગાર અનુભવ બનાવી દે છે. ( Credits: Getty Images )

3 / 7
આ રેલવે લાઇનનો વિચાર સૌપ્રથમ 1854માં સામે આવ્યો હતો, પરંતુ પર્વતીય પ્રદેશમાં પાટા પાથરવાનું કામ સહેલું નહોતું. તે સમયના ઇજનેરો માટે આ એક મોટો તકનિકી પડકાર હતો, જેના કારણે બાંધકામ શરૂ થવામાં લાંબો સમય લાગી ગયો. આખરે 1891માં નિર્માણ કાર્ય શરૂ થયું અને , 1908માં સમગ્ર માર્ગ પૂર્ણ થયો. આશ્ચર્યની વાત એ છે કે એક સદીથી પણ વધુ સમય પહેલા પર્વતોને કાપીને આવી અદ્ભુત રેલવે લાઇન ઊભી કરવામાં આવી હતી. આ અનોખી સિદ્ધિને કારણે તેને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનું સન્માન મળ્યું છે અને તે ભારતની ત્રણ પ્રસિદ્ધ પર્વતીય રેલવે લાઇનોમાંની એક છે જે વિશ્વભરમાં ઓળખાય છે. (Credits: - Wikipedia)

આ રેલવે લાઇનનો વિચાર સૌપ્રથમ 1854માં સામે આવ્યો હતો, પરંતુ પર્વતીય પ્રદેશમાં પાટા પાથરવાનું કામ સહેલું નહોતું. તે સમયના ઇજનેરો માટે આ એક મોટો તકનિકી પડકાર હતો, જેના કારણે બાંધકામ શરૂ થવામાં લાંબો સમય લાગી ગયો. આખરે 1891માં નિર્માણ કાર્ય શરૂ થયું અને , 1908માં સમગ્ર માર્ગ પૂર્ણ થયો. આશ્ચર્યની વાત એ છે કે એક સદીથી પણ વધુ સમય પહેલા પર્વતોને કાપીને આવી અદ્ભુત રેલવે લાઇન ઊભી કરવામાં આવી હતી. આ અનોખી સિદ્ધિને કારણે તેને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનું સન્માન મળ્યું છે અને તે ભારતની ત્રણ પ્રસિદ્ધ પર્વતીય રેલવે લાઇનોમાંની એક છે જે વિશ્વભરમાં ઓળખાય છે. (Credits: - Wikipedia)

4 / 7
આ ટ્રેન સમતલ ભૂમિ પરથી પોતાની યાત્રા શરૂ કરીને ધીમે ધીમે ઊંચાઈ તરફ આગળ વધે છે. સફર દરમિયાન તે 208 વળાંકો, 250 પુલો અને 16 ટનલ પાર કરે છે. દરેક ક્ષણે મુસાફરોને કંઈક નવું અને મનોહર દૃશ્ય જોવા મળે છે. તેથી જ અનેક પ્રવાસીઓ આ યાત્રાને “પર્વતોમાં ફરતું જીવંત સંગ્રહાલય” કહે છે, કારણ કે કોચની રચના અને ગિયર સિસ્ટમનો સતત સંભળાતો અવાજ આ મુસાફરીને એક અનોખો અને યાદગાર અનુભવ બનાવી દે છે. ( Credits: Getty Images )

આ ટ્રેન સમતલ ભૂમિ પરથી પોતાની યાત્રા શરૂ કરીને ધીમે ધીમે ઊંચાઈ તરફ આગળ વધે છે. સફર દરમિયાન તે 208 વળાંકો, 250 પુલો અને 16 ટનલ પાર કરે છે. દરેક ક્ષણે મુસાફરોને કંઈક નવું અને મનોહર દૃશ્ય જોવા મળે છે. તેથી જ અનેક પ્રવાસીઓ આ યાત્રાને “પર્વતોમાં ફરતું જીવંત સંગ્રહાલય” કહે છે, કારણ કે કોચની રચના અને ગિયર સિસ્ટમનો સતત સંભળાતો અવાજ આ મુસાફરીને એક અનોખો અને યાદગાર અનુભવ બનાવી દે છે. ( Credits: Getty Images )

5 / 7
આ ટોય ટ્રેન કલ્લર, કુન્નુર, વેલિંગ્ટન અને લવડેલ જેવા આકર્ષક સ્ટેશનોમાંથી પસાર થતી અંતે ઊટી સુધી પહોંચે છે. કઠિન ચઢાણને સરળતાથી પાર કરવા માટે તેમાં ખાસ રેક-એન્ડ-પિનિયન તકનીક વપરાયેલી છે, જે ટ્રેનને લપસતા અટકાવે છે, આ પ્રાચીન પરંતુ અદભુત ઇજનેરી કળાનું ઉત્તમ ઉદાહરણ છે. જો તમે આ અનોખી મુસાફરીનો અનુભવ લેવા ઇચ્છો, તો ટ્રેન સવારે 7-10 વાગ્યે મેટ્ટુપલયમથી રવાના થાય છે અને બપોર સુધીમાં ઊટી પહોંચે છે. પરત સફરમાં, તે બપોરે 2-00 વાગ્યે ઊટીથી છૂટે છે અને સાંજે 5:35 વાગ્યે મેટ્ટુપલયમ પર પહોંચે છે. ( Credits: Getty Images )

આ ટોય ટ્રેન કલ્લર, કુન્નુર, વેલિંગ્ટન અને લવડેલ જેવા આકર્ષક સ્ટેશનોમાંથી પસાર થતી અંતે ઊટી સુધી પહોંચે છે. કઠિન ચઢાણને સરળતાથી પાર કરવા માટે તેમાં ખાસ રેક-એન્ડ-પિનિયન તકનીક વપરાયેલી છે, જે ટ્રેનને લપસતા અટકાવે છે, આ પ્રાચીન પરંતુ અદભુત ઇજનેરી કળાનું ઉત્તમ ઉદાહરણ છે. જો તમે આ અનોખી મુસાફરીનો અનુભવ લેવા ઇચ્છો, તો ટ્રેન સવારે 7-10 વાગ્યે મેટ્ટુપલયમથી રવાના થાય છે અને બપોર સુધીમાં ઊટી પહોંચે છે. પરત સફરમાં, તે બપોરે 2-00 વાગ્યે ઊટીથી છૂટે છે અને સાંજે 5:35 વાગ્યે મેટ્ટુપલયમ પર પહોંચે છે. ( Credits: Getty Images )

6 / 7
આ ઐતિહાસિક સફર માટેના ટિકિટ દરો સામાન્ય મુસાફરો માટે પણ સુલભ છે. ફર્સ્ટ ક્લાસની ટિકિટનો ખર્ચ આશરે ₹600 જેટલો છે, જ્યારે સેકન્ડ ક્લાસની ટિકિટ લગભગ તેની અડધી કિંમતમાં મળી જાય છે. એટલા માટે જ આ યાત્રા માત્ર એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવાની વ્યવસ્થા નથી રહેતી, પરંતુ જાણે સમયને પછાડી શાંત ગતિએ પ્રકૃતિની નજીક પહોંચવાનો એક અનોખો અને યાદગાર અનુભવ બની જાય છે. ( નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેન પરથી લેવામાં આવી છે, જે ફક્ત તમારી જાણકારી માટે છે.)  (Credits: - Wikipedia)

આ ઐતિહાસિક સફર માટેના ટિકિટ દરો સામાન્ય મુસાફરો માટે પણ સુલભ છે. ફર્સ્ટ ક્લાસની ટિકિટનો ખર્ચ આશરે ₹600 જેટલો છે, જ્યારે સેકન્ડ ક્લાસની ટિકિટ લગભગ તેની અડધી કિંમતમાં મળી જાય છે. એટલા માટે જ આ યાત્રા માત્ર એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવાની વ્યવસ્થા નથી રહેતી, પરંતુ જાણે સમયને પછાડી શાંત ગતિએ પ્રકૃતિની નજીક પહોંચવાનો એક અનોખો અને યાદગાર અનુભવ બની જાય છે. ( નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેન પરથી લેવામાં આવી છે, જે ફક્ત તમારી જાણકારી માટે છે.) (Credits: - Wikipedia)

7 / 7

જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજની સારી સમજ હોવી જરૂરી છે, કારણ કે તે તમને વિશ્વની ઘટનાઓથી અપડેટ રાખે છે. અહીંયા દરરોજ અવનવી બાબતોની સ્ટોરી તમને જાણવા મળશે. તમારૂ નોલેજ વધારવા માટે જનરલ નોલેજના ટોપિકને ફોલો કરતા રહો.

Follow Us
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
g clip-path="url(#clip0_868_265)">