કેનેડામાં સરળતાથી મળશે PR, આ નોકરી કરવાથી વધી જશે Permanent Resident મળવાનો ચાન્સ, જુઓ List
કેનેડામાં PR મેળવવું એ ઘણા ભારતીયોનું સ્વપ્ન છે. કેનેડામાં PR મેળવ્યા પછી, અહીં રહેવું અને નોકરી મેળવવી ખૂબ જ સરળ બની જાય છે. PRને કારણે, કેનેડા જવા માટે વિઝાની જરૂર નથી. આ જ કારણ છે કે ભારતીયો દર વર્ષે PR માટે અરજી કરે છે.


કેનેડામાં પ્રવેશવા માટે તમારે વિઝાની જરૂર નથી. જે વિદ્યાર્થીઓ કેનેડામાં અભ્યાસ કરવા જાય છે તેઓ પહેલા અહીં સ્ટડી વિઝા પર અભ્યાસ કરે છે અને પછી ડિગ્રી મેળવ્યા પછી, તેઓ પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ (PGWP) મેળવીને કામ કરવાનું શરૂ કરે છે.

કેનેડામાં વર્ક વિઝા પર કામ કરતા લોકોને 'ટેમ્પરરી ફોરેન વર્કર્સ' (TFWs) કહેવામાં આવે છે. કેનેડામાં લાખો ભારતીયો TFW તરીકે કામ કરી રહ્યા છે. ભારતીયો આઇટીથી લઈને આરોગ્યસંભાળ અને નાણાંથી લઈને બાંધકામ સુધીના ક્ષેત્રોમાં કામ કરી રહ્યા છે. જોકે, હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે આ લોકોને પીઆર કેવી રીતે મળશે. કેનેડામાં કામદારને પીઆર આપતા પહેલા, એ પણ ધ્યાનમાં લેવામાં આવે છે કે તે જે કામ કરી રહ્યો છે તે ભવિષ્યમાં જરૂરી છે કે નહીં. એટલા માટે ચોક્કસ નોકરી કરતા લોકોને સરળતાથી PR મળે છે.

સ્ટેટિસ્ટિકા કેનેડાના એક અહેવાલ મુજબ, હેલ્થ અને સોશિયલ સર્વિસ ક્ષેત્રોમાં કામ કરતા 'ટેમ્પરરી ફોરેન વર્કર્સ' (TFWs) ને કાયમી નિવાસ (PR) મેળવવાની સૌથી વધુ તક હોય છે. આવી સ્થિતિમાં, ચાલો આપણે એવા ક્ષેત્રો વિશે જાણીએ જ્યાં કામ કરતા લોકોને PR મળવાની સૌથી વધુ શક્યતા છે.

હેલ્થ અને સોશિયલ સર્વિસ, ફાઇનાન્સ અને ઇન્સ્યુરન્સ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, પરિવહન અને વેરહાઉસિંગ, ઉત્પાદન, બાંધકામ, આ કામ કરનાર લોકોના કેનેડાના PR મળવાના ચાંસ વધી જાય છે.

જો તમે પણ કેનેડામાં કામ કરવા જઈ રહ્યા છો, તો આ ક્ષેત્રોમાં નોકરી મેળવવાનો પ્રયાસ કરો. આનાથી તમારા માટે કાયમી રહેઠાણ મેળવવાનું સરળ બનશે. કેનેડામાં હાલમાં આ ક્ષેત્રોમાં લોકોની માંગ છે. આ કારણે, લોકોને પીઆર આપવામાં આવી રહી છે. ભારતીય વિદ્યાર્થીઓ પણ આ ક્ષેત્રોને લગતા અભ્યાસક્રમોનો અભ્યાસ કરી રહ્યા છે, જેથી તેમના પીઆરની શક્યતાઓ પણ વધે છે.
કેનેડા એક વિકસિત દેશ છે અને તેના કાયદા અને સારા શિક્ષણને કારણે ઘણા લોકો અહીં આવવાનું પસંદ કરે છે. કેનેડાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..






































































