કેનેડા
કેનેડા ઉત્તર અમેરિકાનો એક દેશ છે. કેનેડામાં દસ પ્રાંત અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશો છે. તેનો કુલ વિસ્તાર 99.8 લાખ ચોરસ કિલોમીટર છે અને કેનેડા કુલ ક્ષેત્રફળની દ્રષ્ટિએ વિશ્વનો બીજો સૌથી મોટો દેશ છે. તેની આંતરરાષ્ટ્રીય સરહદ અમેરિકા સાથે છે અને આ સરહદ વિશ્વની સૌથી મોટી જમીન સરહદ છે. કેનેડા એક વિકસિત દેશ છે અને તેના કાયદા અને સારા શિક્ષણને કારણે ઘણા લોકો અહીં આવવાનું પસંદ કરે છે. કેનેડાને કેનેડા કહેવા પાછળ એક રસપ્રદ બાબત એ છે કે તેનું નામ સેન્ટ લોરેન્સ ઇરોક્વોઅન શબ્દ કનાટા પરથી પડ્યું છે, જેનો અર્થ થાય છે વસાહત. 1545 થી, આ પ્રદેશને યુરોપિયન પુસ્તકો અને નકશાઓમાં કેનેડા તરીકે બતાવવામાં આવ્યો. કેનેડા પશ્ચિમ ગોળાર્ધમાં સૌથી મોટો દેશ છે. આ સિવાય કેનેડા વિશ્વમાં સૌથી વધુ સરોવરો ધરાવતો દેશ છે. કેનેડામાં બે સૌથી વધુ બોલાતી ભાષાઓ ફ્રેન્ચ અને અંગ્રેજી છે. આ બે ભાષાઓ સિવાય દેશભરમાં ઘણી મૂળ ભાષાઓ બોલાય છે. કેનેડા વિશ્વના સૌથી ઠંડા દેશોમાંનો એક છે અને કેટલીકવાર અસામાન્ય રીતે નીચું તાપમાન નોંધાય છે. દર વર્ષે ભારતમાંથી 30,000 થી વધુ લોકો કેનેડામાં સ્થળાંતર કરે છે. આવી સ્થિતિમાં કેનેડાને મિની ઈન્ડિયા કહેવું ખોટું નથી. કેનેડાનો પાસપોર્ટ વિશ્વના 10 સૌથી શક્તિશાળી પાસપોર્ટની યાદીમાં આવે છે.
Read MoreBreaking News: યુવરાજ સિંહની લીગમાં ઝહીર ખાને ખરીદી ટીમ, મેદાન બાદ હવે બિઝનેસમાં ધૂમ મચાવશે આ જોડી
કેનેડા સુપર 60ની બીજી સીઝન પહેલા ભારતીય ક્રિકેટના બે દિગ્ગજ ફરી એકસાથે આવ્યા છે. ઝહીર ખાન વાનકુવર એન્કર્સ ફ્રેન્ચાઇઝીનો સહ-માલિક બન્યો છે, જ્યારે યુવરાજ સિંહ સમગ્ર લીગનો સહ-માલિક છે. હવે બંને દિગ્ગજ ક્રિકેટના મેદાન બાદ ટીમ માલિક તરીકે કેનેડામાં નવી ઇનિંગ શરૂ કરશે.
- Smit Chauhan
- Updated on: Sep 11, 2026
- 8:54 pm
Breaking News : કેનેડામાં ભારતીયો માટે સારા સમાચાર, સ્ટડી પરમિટ વિના કરી શકશે અભ્યાસ, જાણો નવો નિયમ
કેનેડાએ વિદેશી કામદારો માટે નવી ઈમિગ્રેશન નીતિ જાહેર કરી છે. હવે માન્ય વર્ક પરમિટ ધારકો ચોક્કસ શરતો હેઠળ અલગ સ્ટડી પરમિટ વિના અભ્યાસ કરી શકશે, જેનાથી ભારતીયોને ખાસ ફાયદો થશે.
- Sagar Solanki
- Updated on: Sep 11, 2026
- 5:18 pm
Breaking News: યુદ્ધના ચક્કરમાં 50 ટન સોનું વેચ્યું ! આખા એશિયાની ડિમાન્ડ પૂરી થઈ, માર્કેટમાં રમાઈ ગોલ્ડની ‘મોટી રમત’
શું તમે જાણો છો કે, વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલનો દબદબો ધરાવતો એક શક્તિશાળી દેશ હવે ગોલ્ડ એક્સપોર્ટ (સોનાની નિકાસ) ના ક્ષેત્રે પણ ધમાલ મચાવી રહ્યો છે? પશ્ચિમી દેશોના કડક પ્રતિબંધો અને યુદ્ધના વધતા આર્થિક બોજ વચ્ચે આ દેશે રાતોરાત પોતાનો મોટો વેપાર એશિયાઈ બજારો તરફ વાળીને સોનું વેચવામાં એક નવો જ ઈતિહાસ રચ્યો છે.
- Ravi Prajapati
- Updated on: Sep 13, 2026
- 5:30 pm
Breaking News : કેનેડાથી ભારતીય પરિવારનું ડિપોર્ટેશન, 8 વર્ષ બાદ બે બાળકો સાથે ભારત પરત ફરવું પડ્યું, જાણો કારણ
કેનેડાના ક્વિબેકમાંથી એક ભારતીય પરિવારને 8 વર્ષની કાનૂની લડત બાદ ભારત પરત ફરવું પડ્યું છે. શરણાર્થી અને માનવતાના આધારે કેનેડામાં રહેવાની તેમની માંગ ફગાવી દેવાઈ હતી.
- Sagar Solanki
- Updated on: Sep 9, 2026
- 9:53 pm
કેનેડામાં આ કોર્સની કરી રહ્યા છો સ્ટડી ? PR મેળવવાની તક વધી શકે છે, જાણો સંપૂર્ણ પ્રક્રિયા
કેનેડા ઉચ્ચ શિક્ષણ માટે ભારતીય વિદ્યાર્થીઓ સહિત વિશ્વભરના વિદ્યાર્થીઓની પસંદગીનું મહત્વપૂર્ણ સ્થળ છે. તેની લોકપ્રિયતા પાછળનું એક મોટું કારણ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ કેનેડામાં નોકરી કરવાની અને આગળ જતાં પરમેનન્ટ રેસિડન્સી (PR) મેળવવાની શક્યતા છે. જોકે, દરેક કોર્સ કર્યા પછી PR મળવી નક્કી નથી. યોગ્ય સ્ટડી પ્રોગ્રામ અને માંગ ધરાવતા ક્ષેત્રની પસંદગી કરવાથી કેનેડામાં સ્થાયી થવાની શક્યતા વધી શકે છે.
- Sagar Solanki
- Updated on: Sep 8, 2026
- 6:56 pm
Trending Video : કેનેડામાં સુખ-સગવડ છતાં અધૂરાપણું કેમ? મહિલાએ જણાવી દિલને સ્પર્શી જાય એવી વાત
કેનેડામાં રહેતી ભારતીય મહિલા માન્યાએ એક વાયરલ વીડિયોમાં વિદેશમાં વસતા લોકોના દિલની લાગણી વ્યક્ત કરી છે. તેણે જણાવ્યું કે વિદેશમાં રહીને તેને કોઈ ખાસ દેશ કે સ્થળની નહીં, પરંતુ પોતાના પરિવાર, માતાની રસોઈ, પિતાની સાથે વિતાવેલી પળો અને ઘરની નાની-નાની યાદોની ખોટ સાલે છે. તેની આ વાત સોશિયલ મીડિયા પર ઘણા લોકોના દિલને સ્પર્શી ગઈ અને અનેક પ્રવાસીઓએ પોતાના અનુભવો પણ શેર કર્યા.
- Dhruval Shah
- Updated on: Sep 8, 2026
- 11:43 am
Breaking News : કેનેડામાં ભારતીય કુશળ કામદારોને PR મેળવવાનો રસ્તો ખૂલ્યો! આ સેક્ટરમાં મોટી તક, જાણો
કેનેડામાં કુશળ કામદારોની અછતને પહોંચી વળવા, સરકાર એક્સપ્રેસ એન્ટ્રી દ્વારા વિદેશી વ્યાવસાયિકોને કાયમી નિવાસ (PR) આપે છે. આરોગ્યસંભાળ, STEM, શિક્ષણ અને પરિવહન જેવા ક્ષેત્રોમાં અનુભવી ઉમેદવારોને કેટેગરી-આધારિત પસંદગીમાં પ્રાથમિકતા મળે છે.
- Sagar Solanki
- Updated on: Aug 29, 2026
- 3:06 pm
Breaking News : કેનેડા 1000 લોકોને આપી રહ્યું છે PR, શું ભારતીય વર્કરોનું શું? જાણો IRCC નું અપડેટ
કેનેડાએ CEC હેઠળ ભારતીયો માટે PR મેળવવાની તક ખોલી છે. તાજેતરમાં IRCC દ્વારા 1,000 ITA અપાયા, જેમાં ન્યૂનતમ CRS સ્કોર 523 રહ્યો. કેનેડામાં અભ્યાસ કરતા અથવા કામ કરતા ભારતીય વિદ્યાર્થીઓ અને કામદારો માટે આ એક સુવર્ણ તક છે.
- Sagar Solanki
- Updated on: Aug 20, 2026
- 5:08 pm
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ માટે CM ભૂપેન્દ્ર પટેલ, પ્રતિનિધિ મંડળ સાથે અમેરિકા અને કેનેડાના પ્રવાસે
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, આજે વહેલી સવારે, અમદાવાદના આંતરરાષ્ટ્રીય હવાઈ મથકેથી, પ્રતિનિધિ મંડળ સાથે અમેરિકા કેનેડાના પ્રવાસે રવાના થયા છે. અમેરિકા અને કેનેડામાં ભૂપેન્દ્ર પટેલ, આગામી 2027માં યોજાનાર વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ માટે રોડ શો કરશે.
- Bipin Prajapati
- Updated on: Aug 16, 2026
- 10:08 am
Breaking News : કેનેડામાં વર્ક પરમિટના નિયમો વધુ કડક, IRCCએ જાહેર કર્યા નવા નિયમો
કેનેડાના C20 વર્ક પરમિટ નિયમોમાં IRCC દ્વારા મહત્વપૂર્ણ ફેરફારો જાહેર કરાયા છે. હવે આ પરમિટ માત્ર એવા વિદેશી કર્મચારીઓને મળશે જેઓ વિદેશમાં સમાન કંપનીમાં કામ કરતા હોય અને કેનેડામાં ટ્રાન્સફર થાય.
- Sagar Solanki
- Updated on: Aug 2, 2026
- 6:44 pm
Breaking News : કેનેડામાં પાર્ટ-ટાઇમ નોકરી કરતા વિદ્યાર્થીઓ માટે IRCCની મહત્વપૂર્ણ એડવાઇઝરી, જાણો હવે કોણ કરી શકશે કામ
કેનેડામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ માટે IRCCએ પાર્ટ-ટાઇમ કામ અંગે મહત્વપૂર્ણ એડવાઇઝરી જાહેર કરી છે. સ્ટડી પરમિટની શરતોનું પાલન કરવું અનિવાર્ય છે.
- Sagar Solanki
- Updated on: Jul 29, 2026
- 2:56 pm
કેનેડામાં સ્ટડી પરમિટ અને PGWP અંગે નવી માર્ગદર્શિકા જાહેર, ભારતીય વિદ્યાર્થીઓ માટે શું બદલાયું? જાણો
IRCC એ કેનેડામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ માટે સ્ટડી પરમિટ અને PGWP માર્ગદર્શિકા સુધારી છે. હવે અભ્યાસ પૂર્ણ થયાના 90 દિવસમાં સ્ટડી પરમિટ અમાન્ય થશે.
- Sagar Solanki
- Updated on: Jul 29, 2026
- 2:53 pm
જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત…, કેનેડામાં કેબ ડ્રાઈવરની મહિલા પ્રવાસીને ખુલ્લી ધમકી ! જુઓ Video
કેનેડામાં એક મહિલા મુસાફરીનો વીડીયો વાયરલ થઈ રહ્યો છે. પાકિસ્તાની મૂળના હોવાનું કહેવાતા કેબ ડ્રાઇવર વચ્ચે થયેલી વાતચીતનો આ વીડિયો છે. જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
- Dhruval Shah
- Updated on: Jul 15, 2026
- 2:01 pm
Breaking News : ODI ક્રિકેટ અને આ બે ટીમોને લઈને ICCનો મોટો નિર્ણય
ICCએ એડિનબર્ગમાં 4 દિવસ સુધી ચાલેલી કોન્ફરન્સમાં 4 મોટા નિર્ણય લીધા છે. આ નિર્ણય વનડે ,WTC અને કેટલીક ટીમોના ભવિષ્ય સાથે જોડાયેલ છે. ICCની કોન્ફરન્સ 8 થી 11 જુલાઈ વચ્ચે થઈ હતી.
- Nirupa Duva
- Updated on: Jul 13, 2026
- 8:09 am
ઓછી ધૂપ અને ખરાબ વાતાવરણમાં પણ બનશે સોલાર પેનલથી વીજળી! કંપનીએ શોધ્યો અનોખો જુગાડ
કેનેડાના એક નવા સ્ટાર્ટઅપે એવી અદભુત ટેકનિક વિકસાવી છે, જે સોલાર પેનલની ક્ષમતા વધાર્યા વગર જ અંદાજે 20% વધુ વીજળી પેદા કરી શકે છે. જેનાથી સવાર-સાંજની ઓછી ધૂપ અને વાદળછાયા વાતાવરણમાં પણ પેનલ પૂરી ક્ષમતાથી કામ કરે છે.
- Sachin Agrawal
- Updated on: Jul 11, 2026
- 8:58 pm