શું ખરેખર આવકવેરાની જૂની કર વ્યવસ્થાનો અંત આવશે ? બજેટમાં સરકારે આપ્યા સંકેત !
બજેટ 2025-2026 માં, સરકારે જૂની કર વ્યવસ્થા અંગે એક મોટો સંકેત આપ્યો છે, જેના કારણે એવું માનવામાં આવે છે કે સરકાર હવે નવી અને જૂની કર વ્યવસ્થામાંથી કોઈ એક જ વ્યવસ્થા ચાલુ રાખવા માંગે છે. જો કે સરકારનું ધ્યાન નવી કર વ્યવસ્થા પર વધુ રહેશે.


જ્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2025માં નવી કર વ્યવસ્થા હેઠળના લોકો માટે 12 લાખ રૂપિયા સુધીની આવક પર કરમુક્તિની જાહેરાત કરી, ત્યારે નવી કર વ્યવસ્થા હેઠળના કરદાતાઓ ખૂબ જ ખુશ થઈ ગયા.

બીજી તરફ, સરકારે જૂની કર વ્યવસ્થા વિશે કશું કહ્યું નથી કે નથી તેમાં કોઈ છૂટછાટ આપી. તેથી લોકોને લાગી રહ્યું છે કે સરકારે જૂની કર વ્યવસ્થાને સંપૂર્ણપણે અવગણી છે.

પરંતુ આ સંપૂર્ણપણે સાચું નથી, સરકારે જૂની કર વ્યવસ્થા જાળવી રાખવાનો સંકેત અંદાજપત્રમાં આપ્યો છે.

હકીકતમાં, બજેટમાં, નાણામંત્રી નિર્મલા સીતારમણે NPS વાત્સલ્ય યોજનામાં કરવામાં આવેલા રોકાણ પર કર કપાતના દાવાનો લાભ આપવાની વાત કરીને આડકતરો સંકેત આપ્યો છે.

હવે જેઓ NPS વાત્સલ્ય યોજનામાં રોકાણ કરશે. તે આવકવેરા કાયદાની કલમ 80CCD(1B) હેઠળ કર મુક્તિ મેળવી શકે છે.

આનાથી સ્પષ્ટ થાય છે કે, સરકાર હાલમાં જૂની કર વ્યવસ્થાને નાબૂદ કરવાનો કોઈ ઇરાદો ધરાવતી નથી. જોકે, તેનો ઉદ્દેશ્ય નવી કર વ્યવસ્થાને પ્રોત્સાહન આપવાનો છે.
આવકવેરાને લગતા તમામ સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.






































































