AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નિર્મલા સીતારમણ

નિર્મલા સીતારમણ

નિર્મલા સીતારમણ વર્ષ 2019 થી ભારત સરકારના નાણા મંત્રી છે. આ સાથે, તેઓ ભારતીય સંસદના ઉપલા ગૃહ રાજ્યસભાના સભ્ય છે.

નિર્મલા સીતારમણ 2016 થી કર્ણાટકનું પ્રતિનિધિત્વ કરે છે, અગાઉ 2014 થી 2016 સુધી આંધ્ર પ્રદેશનું પ્રતિનિધિત્વ કર્યુ હતું. નાણા મંત્રાલય પહેલા, નિર્મલા 2017 થી 2019 સુધી દેશના 28માં રક્ષા મંત્રી તરીકે સેવા આપી હતી.

તેમણે 2014 અને 2017 વચ્ચે મોદી સરકારના મંત્રાલયમાં રાજ્યકક્ષાના મંત્રી તરીકે સેવા આપી હતી. 2022 માટે ફોર્બ્સની વિશ્વની 100 સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં નિર્મલા સીતારમણનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને તે 36મા ક્રમે હતી. ફોર્ચ્યુને તેને ભારતની સૌથી શક્તિશાળી મહિલા તરીકે ઓળખાવી હતી.

નિર્મલા સીતારમણ 2008માં ભાજપમાં જોડાયા હતા. તેઓ 2014 સુધી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા રહ્યાં હતા. 2014 માં, તેમને નરેન્દ્ર મોદીની કેબિનેટમાં રાજ્યકક્ષાના મંત્રી તરીકે સામેલ કરવામાં આવ્યા હતા અને તે જ વર્ષે જૂનમાં આંધ્ર પ્રદેશમાંથી રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા.

Read More

GST Bachat Mahotsav : ઇલેક્ટ્રોનિક્સ અને ઓટો સેક્ટરમાં 23 ટકાના વધારા સાથે રેકોર્ડ વેચાણ

ધનતેરસ પર્વના શુભ પ્રસંગે, નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ અને માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે એક મહત્વપૂર્ણ સંયુક્ત પત્રકાર પરિષદ સંબોધી હતી. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, જીએસટીના દર ઘટાડ્યા બાદ, ટેલિવિઝન, રેફ્રિજરેટર અને એર કંડિશનર જેવી વસ્તુઓની માંગ એટલી વધી ગઈ છે કે ઘણી જગ્યાએ સ્ટોક ખતમ થઈ ગયો છે.

અનક્લેમ્ડ ફંડ્સ નાગરિકો સુધી પહોંચશે! કેન્દ્ર સરકારનું નવું અભિયાન ‘આપકી પૂંજી, આપકા અધિકાર’ ગાંધીનગરથી શરૂ

કેન્દ્રીય ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારામને શનિવાર, 4 ઓક્ટોબરના રોજ જણાવ્યું હતું કે, બેંકો અને નાણાકીય નિયમનકારો પાસે ₹1.84 લાખ કરોડની 'અનક્લેમ્ડ સંપત્તિ' છે.

GST Collection : દેશમા GST દર ઘટ્યા, પણ સરકારની તિજોરી રૂપિયા 1.89 લાખ કરોડની આવકથી છલકાઈ ગઈ

GST Collection : સપ્ટેમ્બર મહિનામાં દેશમાંથી GST કલેક્શન ઝડપથી વધ્યુ હતું. સરકારના નાણા મંત્રાલયે આજે બુધવારે અહેવાલ આપ્યો કે, સપ્ટેમ્બર મહિનામાં GST કલેક્શન રૂપિયા 1.89 લાખ કરોડનું રહ્યું હતું. જે ગયા વર્ષના સમાન મહિનામાં રૂપિયા 1.73 લાખ કરોડ હતું. ઓગસ્ટ 2025માં GST કલેક્શન પણ રૂપિયા 1.85 લાખ કરોડને વટાવી ગયું.

Petrol Diesel Price : શું GST દર ઘટાડા પછી પેટ્રોલ અને દારૂ સસ્તા થયા ? તમે નહીં જાણતા હોવ આ વાત

GST સુધારા બાદ, 22 સપ્ટેમ્બરથી 375 ઉત્પાદનો પરના કર ઘટાડવામાં આવ્યા છે. આનાથી ભાવ પર પણ અસર પડશે. શું તમે જાણો છો કે આનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવ પર અસર થશે કે નહીં ? 

Video : 22 તારીખ થી શું થશે સસ્તું ? નવો GST મધ્યમ વર્ગના લોકો માટે લાવશે મોટી રાહત! જાણો

નાણામંત્રી નિર્મલા સીતારમણે વિશાખાપટ્ટનમમાં જણાવ્યું હતું કે GST ફેરફારોથી સામાન્ય લોકોના ખિસ્સામાં લગભગ ₹2 લાખ કરોડ સીધા આવશે. મોટાભાગની આવશ્યક ચીજવસ્તુઓ પરનો કર હવે ઘટાડીને 5% કરવામાં આવ્યો છે. બ્રેડ, દૂધ અને ચીઝ જેવી મૂળભૂત વસ્તુઓ પરનો કર સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવ્યો છે. આનાથી ખાસ કરીને મધ્યમ વર્ગ અને ગરીબોને ફાયદો થશે.

Breaking News : GST ઘટાડા બાદ ગુજરાતમાં દૂધના ભાવમાં ફેરફાર અંગે અમૂલના MD નું સૌથી મોટું નિવેદન, જાણો

અમુલના MD નું નિવેદન સામે આવ્યું છે કે, અમુલ પેકેજ્ડ પાઉચ દૂધના ભાવમાં કોઈ ફેરફાર નહીં કરે. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) ના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતાએ ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા કહ્યું છે કે તાજા પાઉચ દૂધના ભાવમાં કોઈ ફેરફાર પ્રસ્તાવિત નથી. આ સાથે તેમણે કારણ પણ જણાવ્યું હતું.

SBIના રિપોર્ટમાં ખુલાસો : GSTમાં રાહત મળતા હવે મોંઘવારીથી છુટકારો મળશે

દેશની સૌથી મોટી સરકારી બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ, અંદાજ લગાવ્યો છે કે, GST માં વેરા ઘટાડા બાદ લોકોને પણ મોંઘવારીથી રાહત મળી શકે છે. દેશમાં નવા GST દર આગામી 22 સપ્ટેમ્બરથી અમલમાં આવશે.

GST દર ધટાડા અંગે PM મોદીએ કહ્યું- તહેવારો પહેલા ખુશીની ભેટ, જીવન સરળ બનાવશે

પીએમ મોદીએ કહ્યું કે, આ વખતે ધનતેરસ વધુ ઉત્સાહથી ભરપુર રહેશે કારણ કે ડઝનબંધ વસ્તુઓ પરનો ટેક્સ હવે ઘણો ઘટાડી દેવામાં આવ્યો છે. કોંગ્રેસના સમયમાં 100 રૂપિયા પર 25 રૂપિયાનો ટેક્સ હતો. કોંગ્રેસના સમયમાં ઘર બનાવવું મુશ્કેલ હતું. દેશના દરેક પરિવારને નવા GST સુધારાથી ઘણો ફાયદો થશે.

નવા GST દરથી ટ્રકથી લઈને ઈ-રિક્ષા સુધીના વાહનો આટલા સસ્તા થશે

સરકારે પરિવહન ક્ષેત્રમાં મોટો ફેરફાર કર્યો છે અને ઘણા વાહનો અને ઓટો પાર્ટ્સ પર GST દર 28 ટકાથી ઘટાડીને 18 ટકા કર્યો છે. જ્યારે, ફેક્ટરીમાંથી આવતી તમામ જરૂરી મેડિકલ ફિટિંગ સાથેની એમ્બ્યુલન્સ પર પણ ટેક્સ ઘટાડી દેવામાં આવ્યો છે.

GST સુધારાની જાહેરાત.. શું સસ્તું થશે અને શું મોંઘું થશે, અહીં જુઓ આખું List

GST કાઉન્સિલની 56મી બેઠકમાં પરોક્ષ કર વસૂલાત પ્રણાલીમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. કાઉન્સિલે 12% અને 28% કર દરો નાબૂદ કર્યા છે. આનાથી ઘણી વસ્તુઓ સસ્તી થઈ છે.

Breaking News : GSTમાં હવે માત્ર 3 જ સ્લેબ, 22 સપ્ટેમ્બરથી નવા દરો લાગુ થશે, GST કાઉન્સિલની બેઠકમાં લેવાયો મોટો નિર્ણય

GST કાઉન્સિલમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે GSTના ફક્ત 3 જ પ્રકારના દર લાગુ થશે. આમાંથી એક 5%, બીજો 18 ટકા અને એક ખાસ સ્લેબ હશે.

GST 2025 changes : સસ્તા થશે બુટ-ચંપલ અને કપડાં ! GSTમાં થઈ શકે છે મોટી જાહેરાત 

દેશમાં 2,500 રૂપિયા સુધીના બુટ, ચંપલ અને કપડાં પણ સસ્તા થશે. GST કાઉન્સિલની બેઠકમાં, તેમને 12 ટકાના સ્લેબમાંથી દૂર કરીને 5 ટકાના સ્લેબમાં મૂકી શકાય છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ ગુરુવારે આ જાહેરાત કરી શકે છે.

આવી ગઈ તારીખ, બજેટ 2026 ની તૈયારી આ દિવસથી થશે શરૂ, આ ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરાશે..

નાણા મંત્રાલય 9 ઓક્ટોબરથી 2026-27 માટે બજેટ તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરશે. વૈશ્વિક અનિશ્ચિતતાઓ અને ભારતીય માલ પર 50 ટકા યુએસ ડ્યુટી વચ્ચે બજેટની તૈયારીઓ શરૂ થવા જઈ રહી છે. આગામી વર્ષના બજેટમાં માંગ વધારવા, રોજગાર સર્જન કરવા અને અર્થતંત્રને આઠ ટકાથી વધુ ટકાઉ વિકાસ દર પર લાવવાના મુદ્દાઓ પર ધ્યાન આપવું પડશે.

Breaking News : મધ્યમ વર્ગના લોકોને મોટી રાહત; GoM એ GSTમાં 12% અને 28% સ્લેબ નાબૂદ કરવાનો પ્રસ્તાવ સ્વીકાર્યો

સરકારે કર પ્રણાલીને સરળ બનાવવા તરફ એક મોટું પગલું ભર્યું છે. કેન્દ્ર સરકારના 12% અને 28% ના GST સ્લેબ નાબૂદ કરવાના પ્રસ્તાવને હવે GoM દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આનો અર્થ એ થયો કે હવે આ બંને સ્લેબ નાબૂદ થશે.

Fact Check : નિર્મલા સીતારમણે કહ્યું, ’21 હજાર રૂપિયાનું રોકાણ અને દર મહિને મળશે 20 લાખ રૂપિયા’ – જાણો આની પાછળની હકીકત

યુનિયન ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણના નામે એક 'વીડિયો' સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે, માત્ર 21 હજાર રૂપિયાનું રોકાણ કરીને દર મહિને 20 લાખ રૂપિયા સુધીની આવક મેળવી શકાય છે.

SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">