AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નિર્મલા સીતારમણ

નિર્મલા સીતારમણ

નિર્મલા સીતારમણ વર્ષ 2019 થી ભારત સરકારના નાણા મંત્રી છે. આ સાથે, તેઓ ભારતીય સંસદના ઉપલા ગૃહ રાજ્યસભાના સભ્ય છે.

નિર્મલા સીતારમણ 2016 થી કર્ણાટકનું પ્રતિનિધિત્વ કરે છે, અગાઉ 2014 થી 2016 સુધી આંધ્ર પ્રદેશનું પ્રતિનિધિત્વ કર્યુ હતું. નાણા મંત્રાલય પહેલા, નિર્મલા 2017 થી 2019 સુધી દેશના 28માં રક્ષા મંત્રી તરીકે સેવા આપી હતી.

તેમણે 2014 અને 2017 વચ્ચે મોદી સરકારના મંત્રાલયમાં રાજ્યકક્ષાના મંત્રી તરીકે સેવા આપી હતી. 2022 માટે ફોર્બ્સની વિશ્વની 100 સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં નિર્મલા સીતારમણનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને તે 36મા ક્રમે હતી. ફોર્ચ્યુને તેને ભારતની સૌથી શક્તિશાળી મહિલા તરીકે ઓળખાવી હતી.

નિર્મલા સીતારમણ 2008માં ભાજપમાં જોડાયા હતા. તેઓ 2014 સુધી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા રહ્યાં હતા. 2014 માં, તેમને નરેન્દ્ર મોદીની કેબિનેટમાં રાજ્યકક્ષાના મંત્રી તરીકે સામેલ કરવામાં આવ્યા હતા અને તે જ વર્ષે જૂનમાં આંધ્ર પ્રદેશમાંથી રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા.

Read More

Breaking News : મોંઘવારીને માત આપવા યોજના તૈયાર, Middle East સંકટ વચ્ચે ભારતની મોટી તૈયારી, જાણો

કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે વર્તમાન વૈશ્વિક કટોકટી વચ્ચે ભારતને કેટલીક બાબતો પર ધ્યાન રાખવા જણાવ્યું છે. જેના થકી આપણે આ વૈશ્વિક અસ્થિર પરિસ્થિતિ સામે લડી સક્ષમ બની શકીએ.

PAN CARD કઢાવવા હવેથી જન્મનું પ્રમાણપત્ર આપવું પડશે !

કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સિતારમણે 1 ફેબ્રુઆરીના રોજ રજૂ કરેલ અંદાજપત્રમાં આવકવેરાના કેટલાક નિયમોમાં ફેરફાર કર્યા છે. આ ફેરફારો આગામી 1 એપ્રિલ 2026થી અમલમાં આવશે. જો કે આવકવેરા વિભાગે નિયમોમાં થનારા ફેરફાર અંગે ડ્રાફ્ટ જાહેર કર્યો છે. જે અનુસાર, હવે પછી 1 ઓક્ટોબર 2023ના રોજ કે ત્યાર બાદ જન્મેલાનું પાન કાર્ડ કઢાવવું હશે તો અરજી સાથે જન્મનું પ્રમાણપત્ર પણ આપવું પડશે.

‘બજેટ 2026’ માત્ર આંકડા નહીં ‘વિકસિત ભારત’નો આખો નકશો બદલી નાખશે, મેન્યુફેક્ચરિંગ, AI અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર મોટો દાવ

કેન્દ્રીય બજેટ 2026 ને નિર્મલા સીતારમણ દ્વારા ભારતની ભૂતકાળની સિદ્ધિઓને ભવિષ્યની આકાંક્ષાઓ સાથે જોડતા એક "પોલિસી બ્રિજ" (નીતિગત સેતુ) તરીકે રજૂ કરવામાં આવેલ છે.

બજેટ બાદ સોનાના ભાવમાં રૂપિયા 13,000 અને ચાંદીના ભાવમાં રૂપિયા 26000 કેમ ઘટ્યા ? સોના-ચાંદીના રોકાણ પર હવે કેટલો લાગશે ટેક્સ ?

સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા એક વર્ષમાં રેકોર્ડબ્રેક વધારો જોવા મળ્યો છે. તેથી, આ વખતે બધાનું ધ્યાન નિર્મલા સિતારમણ દ્વારા રજૂ કરાનારા બજેટ પર કેન્દ્રિત હતું. બજેટ રજૂ થાય તે પહેલાં, સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. બજેટ પછી સોનાના ભાવ પણ નીચા ગયા હતા. ચાંદીના ભાવમાં પણ ભારે ઘટાડો ચાલુ રહ્યો છે.

યુરોપિયન યુનિયન અને ભારતની ટ્રેડ ડીલથી બાંગ્લાદેશ ચિંતામાં, મોહમ્મદ યુનુસે EU ને કરી આ વિનંતિ

ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચેનો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ બાંગ્લાદેશના કાપડ ઉદ્યોગ માટે ચિંતાનો વિષય બન્યો છે. યુરોપિયન બજારમાં ડ્યુટી-ફ્રી ઍક્સેસ ગુમાવવાના ભયથી બાંગ્લાદેશ EU સાથે વહેલી તકે FTA કરવા અપીલ કરી રહ્યું છે. ભારતના વધતા કાપડ ક્ષેત્ર અને સપ્લાય ચેઇનથી બાંગ્લાદેશની મોનોપોલી ખતમ થઈ જશે, જે તેના અર્થતંત્ર માટે મોટો પડકાર છે.

Breaking News: Budget 2026 અનુસાર ઈન્કમટેક્સ ચોરી કરનારાઓને હવે નહીં થાય જેલ, સરકારે કરી આ મોટી જાહેરાત

Budget 2026: સામાન્ય કરદાતાઓને બજેટમાં નોંધપાત્ર રાહત મળી છે. ઈન્કમટેક્સ કે ગેરરીતિ છુપાવવાથી હવે જેલની સજા નહીં થાય; તેના બદલે, દંડ ભરીને કેસનો ઉકેલ લાવી શકાશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે વિદેશ યાત્રા પર TCS પણ ઘટાડીને 2% કર્યો છે, જેનાથી મુસાફરી સસ્તી થઈ ગઈ છે. વધુમાં, 1 એપ્રિલ, 2026 થી એક નવો અને સરળ આવકવેરા કાયદો અમલમાં આવશે.

ભારત રિફોર્મ એક્સપ્રેસ ઉપર સવાર… પીએમ મોદીએ કહ્યું, “એક એવું બજેટ જે વર્તમાનના સપનાઓને પૂર્ણ કરે છે”

નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે, 1 ફેબ્રુઆરીને રવિવારે સંસદમાં નાણાકીય વર્ષ 2026-2027 માટેનુ કેન્દ્રીય બજેટ રજૂ કર્યું. પીએમ મોદીએ બજેટને ઐતિહાસિક ગણાવ્યું અને નાણામંત્રીને અભિનંદન આપ્યા. તેમણે કહ્યું, "આ બજેટ વર્તમાનના સપનાઓને પૂર્ણ કરે છે. આજે, ભારત રિફોર્મ એક્સપ્રેસ ઉપર સવાર છે."

માછલી ઉગાડો અને કમાણી વધારો, Budget 2026 માં સરકારે ખોલી નાખ્યો ખજાનો, જાણો

નાણાકીય વર્ષ 2026-27ના બજેટમાં માછીમારી અને મત્સ્યપાલન ક્ષેત્રે મોટી જાહેરાતો થઈ છે. ખેડૂતો માટે KCC લોનની મર્યાદા ₹3 લાખથી વધારીને ₹5 લાખ કરવામાં આવી છે.

Breaking News : Union Budget 2026-27: ગ્રામીણ ભારત માટે આશાનું કિરણ, મહાત્મા ગાંધી ગ્રામ સ્વરાજ અને હેન્ડલૂમ યોજનાની જાહેરાત

વર્ષ 2026-27 ના બજેટમાં સરકારે મહાત્મા ગાંધી હેન્ડલૂમ અને ગ્રામ સ્વરાજ યોજના હેઠળ ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવા મોટી જાહેરાતો કરી છે. હેન્ડલૂમ કારીગરો માટે વચેટિયા પ્રથા દૂર કરી સીધા ખાતામાં સહાય અને નિકાસ પ્રોત્સાહન આપવામાં આવશે જ્યારે ગ્રામ સ્વરાજ પહેલ હેઠળ ગામડાઓને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્ટાર્ટ અપ ઈન્ડિયા સાથે જોડીને આત્મનિર્ભર બનાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.

Breaking News: હવે પીવાનું થયુ મોંઘુ, પીવાના શોખીનોને બજેટમાં મળ્યો ઝટકો, નવા બજેટમાં દારુ થયો મોંઘો

Budget 2026: આ બજેટમાં પીવાના શોખીનોને ઝટકો લાગી શકે છે. આ બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે દારૂના ભાવને લઈને મોટો નિર્ણય કર્યો છે. જેના કારણે પીનારાઓને મોટો બોજો પડી શકે છે. સિગારેટ અને તમાકુ ઉત્પાદનો પણ વધુ મોંઘા થયા છે.

Breaking News : નાણાંપ્રધાન નિર્મલા સિતારમણના નવમાં બજેટમાં ગુજરાતને થશે આટલો ફાયદો, જાણો

કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સિતારમણે, આજે રવિવારને 1 ફેબ્રુઆરીના રોજ, નાણાકીય વર્ષ 2026-2027 માટેનુ અંદાજપત્ર સંસદમાં રજૂ કર્યું હતું. નિર્મલા સિતારમણે રજૂ કરેલ અંદાજપત્રમાં કેટલીક એવી જાહેરાતો કરી હતી જેનો સીધો કે આડકતરો લાભ ગુજરાતને પણ થવાનો છે. ખાસ કરીને, ગુજરાતના MSME, ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગ, ઔદ્યોગિક અને મેન્યુફેક્ચરિંગ અને પ્રવાસન ક્ષેત્ર સાથે સંકળાયેલા વર્ગને આ બજેટનો લાભ મળશે.

Breaking News : કેન્સર સહિત કઈ બીમારીની દવાઓ સસ્તી થઈ? જાણો

બજેટ 2026-27ના બજેટમાં કેન્સરની બીમારી અને દુર્લભ બીમારીઓથી ઝઝુમી રહેલા પરિવાર માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે.કેન્સરની દવાઓ સહિત 17 દવાઓને કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિમળી છે.

Breaking News: ડ્રેગનને ટક્કર! ચીનની મોનોપોલીને તોડવા ભારતનો ‘માસ્ટરપ્લાન’ તૈયાર, ₹10,000 કરોડની મોટી જાહેરાત કરી

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રવિવારે Union Budget 2026-27 રજૂ કરતા કન્ટેનર મેન્યુફેક્ચરિંગ (ઉત્પાદન) માટે 10,000 કરોડ રૂપિયા ફાળવવાની જાહેરાત કરી છે.

Budget 2026 Breaking : AIને લઇને બજેટમાં મોટી જાહેરાત, ભારત બનશે AI ડેટા સેન્ટર હબ, 2047 સુધી કર મુક્તિ

નાણાંમંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2026માં AIને લઇને મોટી જાહેરાત કરી છે.  સરકારે AI અને ક્લાઉડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ભારતમાં લાવવા તરફ એક મોટું પગલું ભર્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી હતી કે ભારતમાં ડેટા સેન્ટરોમાંથી વૈશ્વિક ક્લાઉડ સેવાઓ પૂરી પાડતી વિદેશી કંપનીઓને 2047 સુધી કર મુક્તિ મળશે.

Breaking News : યુનિયન બજેટમાં સુરતને મોટો લાભ, ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરથી ગુજરાતને કાર્ગો અને શિપિંગમાં નવા અવસર

કેન્દ્રીય બજેટ 2024માં પર્યાવરણને અનુકૂળ લોજિસ્ટિક્સ માટે મહત્ત્વપૂર્ણ પ્રસ્તાવો રજૂ કરાયા છે. દેશભરમાં ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર અને 20 નવા નેશનલ વોટરવેઝ કાર્યરત કરવાની જાહેરાત કરાઈ છે. મહત્વનું છે કે આ જાહેરાતમાં સુરતને પણ મોટો લાભ થવાનો છે.

g clip-path="url(#clip0_868_265)">