
નિર્મલા સીતારમણ
નિર્મલા સીતારમણ વર્ષ 2019 થી ભારત સરકારના નાણા મંત્રી છે. આ સાથે, તેઓ ભારતીય સંસદના ઉપલા ગૃહ રાજ્યસભાના સભ્ય છે.
નિર્મલા સીતારમણ 2016 થી કર્ણાટકનું પ્રતિનિધિત્વ કરે છે, અગાઉ 2014 થી 2016 સુધી આંધ્ર પ્રદેશનું પ્રતિનિધિત્વ કર્યુ હતું. નાણા મંત્રાલય પહેલા, નિર્મલા 2017 થી 2019 સુધી દેશના 28માં રક્ષા મંત્રી તરીકે સેવા આપી હતી.
તેમણે 2014 અને 2017 વચ્ચે મોદી સરકારના મંત્રાલયમાં રાજ્યકક્ષાના મંત્રી તરીકે સેવા આપી હતી. 2022 માટે ફોર્બ્સની વિશ્વની 100 સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં નિર્મલા સીતારમણનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને તે 36મા ક્રમે હતી. ફોર્ચ્યુને તેને ભારતની સૌથી શક્તિશાળી મહિલા તરીકે ઓળખાવી હતી.
નિર્મલા સીતારમણ 2008માં ભાજપમાં જોડાયા હતા. તેઓ 2014 સુધી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા રહ્યાં હતા. 2014 માં, તેમને નરેન્દ્ર મોદીની કેબિનેટમાં રાજ્યકક્ષાના મંત્રી તરીકે સામેલ કરવામાં આવ્યા હતા અને તે જ વર્ષે જૂનમાં આંધ્ર પ્રદેશમાંથી રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા.
8th Pay Commission : કેન્દ્રીય સરકારી કર્મચારીઓના પગારમાં 20થી 30 ટકાનો થશે વધારો, જાણો DA કેટલુ વધશે અને કેટલી સેલેરી પર શું લાભ મળશે
આઠમું પગાર પંચ : કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. જેની તેઓ ઘણા સમયથી રાહ જોતા હતા તે આઠમાં પગાર પંચનું કામ ટુંક સમયમાં જ શરુ થઇ જશે. વ8મા પગાર પંચ હેઠળ 50 લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરોને પગાર વધારાનો લાભ મળશે. આ ક્યારે અમલમાં આવશે? તે અંગેની વિગત અમે તમને જણાવીશું.
- Tanvi Soni
- Updated on: Mar 22, 2025
- 9:57 am
New Income Tax Bill : મોદી કેબિનેટે નવા આવકવેરા બિલને મંજૂરી આપી, સમજો કરદાતાઓ પર તેની કેવી થશે અસર
કરદાતાઓ માટે મોટા સમાચાર છે. વાસ્તવમાં, કેન્દ્રીય કેબિનેટે શુક્રવારે (7 ફેબ્રુઆરી, 2025) નવા આવકવેરા બિલને મંજૂરી આપી હતી. આ બિલ છ દાયકા જૂના IT એક્ટનું સ્થાન લેશે.
- Dhinal Chavda
- Updated on: Feb 8, 2025
- 2:33 pm
શું ખરેખર આવકવેરાની જૂની કર વ્યવસ્થાનો અંત આવશે ? બજેટમાં સરકારે આપ્યા સંકેત !
બજેટ 2025-2026 માં, સરકારે જૂની કર વ્યવસ્થા અંગે એક મોટો સંકેત આપ્યો છે, જેના કારણે એવું માનવામાં આવે છે કે સરકાર હવે નવી અને જૂની કર વ્યવસ્થામાંથી કોઈ એક જ વ્યવસ્થા ચાલુ રાખવા માંગે છે. જો કે સરકારનું ધ્યાન નવી કર વ્યવસ્થા પર વધુ રહેશે.
- TV9 Gujarati
- Updated on: Feb 2, 2025
- 2:37 pm
12 લાખની કરમુક્તિનો લાભ દેશમાં કેટલા લોકોને મળશે ? નિર્મલા સિતારમણે જણાવ્યું કેવી રીતે ગણાશે વેરો
કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું છે કે, નવી કર વ્યવસ્થાના સ્લેબમાં ફેરફાર કરવાથી વધુ 1 કરોડ લોકોને કર રાહત મળશે. સરકારે નવી કર વ્યવસ્થા 7 લાખ રૂપિયાથી વધારીને 12 લાખ રૂપિયા કરી દીધી છે. સરકારના આ નિર્ણયને, મધ્યમ વર્ગના લોકો સાથે સીધી અસર માનવામાં આવી રહ્યી છે.
- TV9 Gujarati
- Updated on: Feb 2, 2025
- 10:13 am
Budget 2025 : MSME ક્ષેત્રને આત્મનિર્ભર બનાવવાનો સરકારનો ઉદ્દેશ્ય, કરી મોટી જાહેરાત
બજેટ 2025 માં MSME (માઈક્રો, સ્મોલ અને મેડિયમ એન્ટરપ્રાઈઝ) ક્ષેત્ર માટે કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે, જે નાના અને મધ્યમ ધંધાઓ માટે વિકાસની નવી દિશા ખોલે છે.
- Smit Chauhan
- Updated on: Feb 1, 2025
- 10:09 pm
Budget 2025 : AI એજ્યુકેશનમાં નવી ક્રાંતિ, સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના ભારતને વૈશ્વિક AI હબ બનાવશે
બજેટ 2025માં ભારત સરકારે AI શિક્ષણ માટે સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના કરવાની જાહેરાત કરી. આ પહેલનો ઉદ્દેશ્ય AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) સંબંધિત શિક્ષણ, સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપવાનો છે. આ સેન્ટર વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકોને AI ક્ષેત્રમાં અત્યાધુનિક કૌશલ્યો પ્રદાન કરશે અને ઉદ્યોગોમાં તેની ઉપયોગિતાને પ્રોત્સાહન આપશે.
- Smit Chauhan
- Updated on: Feb 1, 2025
- 5:40 pm
NRI માટે મોદી સરકારની નવી યોજના, જાણો ?
જો બિન-નિવાસી કંપનીઓ ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન સુવિધાઓ સ્થાપી રહી હોય અથવા તેનું સંચાલન કરી રહી હોય, તો તેમના માટે એક ખાસ પ્રિજમ્પટીવ ટેક્સેશન સ્કીમ લાગુ પડશે.
- TV9 Gujarati
- Updated on: Feb 1, 2025
- 5:09 pm
Budget 2025: ટનાજ ટેક્સ સ્કીમમાં સરકાર લેશે મોટો નિર્ણય, હવે યોજના માત્ર સમુદ્રી જહાજો પુરતી નહીં રહે સિમિત- જાણો શું છે સમગ્ર યોજના- Photos
Budget 2025: Tonnage Tax Scheme for Inland Vessels આ યોજના હવે સમુદ્રી જહાજો પુરતી સિમિત નહીં રહે, પરંતુ નદીઓ અને આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર ચાલનારા જહાજોને પણ તેમા સામેલ કરવામાં આવશે, તેનાથી ભારતના આંતરરાષ્ટ્રીય જળ પરિવહનને પ્રોત્સાહન મળશે અને પરિવહનનો ખર્ચ પણ ઘટશે.
- Mina Pandya
- Updated on: Feb 1, 2025
- 5:54 pm
Budget 2025: ગિગ વર્કર્સને મળી મોટી ભેટ, સરકાર ઓળખ સાથે આરોગ્ય સેવાઓ પણ આપશે, જાણો ગિગ વર્કર્સ કોણ છે
નાણામંત્રી નિર્મલા સીતારમણે તેમના બજેટ ભાષણમાં જાહેરાત કરી હતી કે ગિગ વર્કર્સની નોંધણી માટે એક પ્લેટફોર્મ શરૂ કરવામાં આવશે. ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી કરાવ્યા પછી, આવા કર્મચારીઓને માન્યતા મળશે. આ સાથે, સરકાર દ્વારા આ કર્મચારીઓને આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે પણ ઘણા પ્રયાસો કરવામાં આવશે.
- Sagar Solanki
- Updated on: Feb 1, 2025
- 4:41 pm
Budget 2025 : સરકારે રમતગમતને પ્રોત્સાહન આપવા માટે ખોલી તિજોરી, ખેલો ઈન્ડિયાનું બજેટ વધાર્યું
ભારત સરકાર વતી નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવાર 1 ફેબ્રુઆરીએ સંસદમાં બજેટ રજૂ કર્યું. આ દરમિયાન તેમણે 'ખેલો ઈન્ડિયા'ના બજેટમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. નાણામંત્રીએ આ યોજના માટે રૂ.1000 કરોડ ફાળવ્યા છે, જેમાં ગયા વર્ષની સરખામણીએ રૂ.100 કરોડનો વધારો થયો છે.
- Smit Chauhan
- Updated on: Feb 1, 2025
- 4:26 pm
Cotton Sector Budget 2025 : કાપડ ઉદ્યોગને લઈ નિર્મલા સીતારમણની મોટી જાહેરાત, જાણો વિગત
Budget 2025 : કેન્દ્ર સરકારે કપાસ ઉત્પાદન વધારવા માટે 5 વર્ષનું મિશન શરૂ કર્યું છે. આ મિશન દ્વારા કપાસની ઉત્પાદકતા અને ગુણવત્તામાં સુધારો કરવામાં આવશે.
- Sagar Solanki
- Updated on: Feb 1, 2025
- 5:11 pm
Budget 2025: બજેટમાં ટેક્સ પેયર્સને રિટર્ન ફાઈલ કરવામાં મળશે મોટી છૂટ, અપડેટેડ રિટર્ન ભરવાની સમયસીમા લંબાવાઈ- Photos
બજેટ 2025-26 માં અપડેટેડ રિટર્ન ફાઇલ કરવાની સમય મર્યાદા વધારવામાં આવી છે. નાણાં મંત્રી નિર્મલા સીતારામણ દ્વારા બજેટ 2025-26 માં આયકર (Income Tax) અધિનિયમ હેઠળ અપડેટેડ રિટર્ન ફાઇલ કરવાની સમય મર્યાદા 24 મહિનાથી વધારી 48 મહિના (4 વર્ષ) કરવામાં આવી છે.
- Mina Pandya
- Updated on: Feb 1, 2025
- 3:53 pm
PPP Model in Budget 2025 : બજેટમાં Public-Private Partnership મોડેલ સંબંધિત મુખ્ય જાહેરાતો શું છે ? જાણી લો
નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના બજેટ ભાષણમાં જાહેરાત કરી હતી કે દરેક મંત્રાલય સંપત્તિ મુદ્રીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરીને જાહેર-ખાનગી ભાગીદારી (PPP) પ્રોજેક્ટ્સની 3-વર્ષીય પાઇપલાઇન વિકસાવશે.
- Sagar Solanki
- Updated on: Feb 1, 2025
- 3:45 pm
PM Gati Shakti in Budget 2025 : દેશના ઇન્ફ્રાસ્ટ્રકચરને મળશે વેગ, જાણો PM ગતિ શક્તિ યોજના સંબંધિત બજેટની જાહેરાતો
Budget 2025 : નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી હતી કે પીએમ ગતિ શક્તિ ડેટા ખાનગી ક્ષેત્ર માટે સુલભ બનાવવામાં આવશે, જેનાથી માળખાગત વિકાસ માટે નવી તકો ખુલશે.
- Sagar Solanki
- Updated on: Feb 1, 2025
- 3:39 pm
મોદી સરકાર-03ના બજેટમાં નાણાપ્રધાન નિર્મલા સિતારમણે ગુજરાતને શું આપ્યું ?
કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સિતારમણે આજે નાણાંકીય વર્ષ 2025-2026 માટેનું અંદાજપત્ર સંસદમાં રજૂ કર્યુ. આ અંદાજપત્રમાં દેશના આર્થિક વિકાસ માટે અનેકવિધ યોજનાઓ અને વિકાસલક્ષી કાર્યો માટે નાણાંની ફાળવણી કરવામાં આવી છે. આ અંદાજપત્રમાં ગુજરાત રાજ્યને ઘણી યોજનાઓ અને નીતિગત નિર્ણયોનો સીધો લાભ મળશે. ખાસ કરીને આમાં માળખાગત સુવિધાઓ, લોજિસ્ટિક્સ, ઔદ્યોગિક વિકાસ અને વેપાર પ્રોત્સાહન સંબંધિત પહેલોનો સમાવેશ થાય છે.
- TV9 Gujarati
- Updated on: Feb 1, 2025
- 3:13 pm