સંસદ
સંસદ પ્રજાસત્તાક ભારતમાં કાયદા ઘડનારી સર્વોચ્ચ સભા છે. માત્ર સંસદ જ કાયદા ઘડવા અંગે સર્વોપરીતા ધરાવે છે અને તેથી ભારતમાં તમામ રાજકીય માળખા પર તેની અંતિમ સત્તા રહેલી છે. સંસદમાં ઉપલું ગૃહ રાજ્યસભા અને નીચલું ગૃહ લોકસભા સાથે બે ગૃહો છે. બંને ગૃહો નવી દિલ્હીમાં સંસદ ભવનમાં જુદાં જુદાં ખંડોમાં મળે છે. બંને ગૃહના સભ્ય સામાન્ય રીતે સંસદ સભ્ય, સાંસદ કે MP તરીકે ઓળખાય છે. લોકસભાના સંસદ સભ્યો સીધી ચૂંટણી દ્વારા ચૂંટાય છે અને રાજ્યસભાના સંસદ સભ્યો રાજ્ય વિધાનસભાઓના સભ્યો દ્વારા મતદાનથી ચૂંટાય છે.
Read Moreભારતીય ઘરોમાં છુપાયેલું છે અબજોનું સોનું ! કયા રાજ્યના લોકો ખરીદે છે સૌથી વધુ ગોલ્ડ?
ભારત ઘરગથ્થુ સોનાના સંગ્રહમાં વિશ્વમાં મોખરે છે. ભારતીય પરિવારો પાસે આશરે 5 ટ્રિલિયન ડોલરનું સોનું હોવાનો અંદાજ છે. જાણો દેશમાં સૌથી વધુ સોનું કયા રાજ્યના લોકો ખરીદે છે અને RBI પાસે કેટલો સ્ટોક છે.
- Sachin Agrawal
- Updated on: Aug 12, 2026
- 4:08 pm
સંસદીય કાર્યવાહીમાં સતત વિક્ષેપ પર અમિત શાહનું નિવેદન, વિપક્ષ ચર્ચા માટે સામે આવે, હું દરેક પ્રશ્નનો જવાબ આપીશ
અમિત શાહે એવુ પણ કહ્યું કે, સરકાર પ્રશ્નકાળ સ્થગિત કરવા તૈયાર છે. વિપક્ષ દ્વારા, "ગુમ" અથવા "ભાગી ગયા" જેવી ભાષાના ઉપયોગની શાહે ટીકા કરી, તે અયોગ્ય હોવાનું જણાવ્યું. તેમણે ભાર મૂક્યો કે ચર્ચા માટે સમય નક્કી થવો જોઈએ, ચર્ચા માટે સરકારની તૈયારીનો પુનરોચ્ચાર કર્યો.
- Bipin Prajapati
- Updated on: Aug 12, 2026
- 1:12 pm
જન્મ અને મરણ નોંધણીની પ્રક્રિયા બદલાઈ, જાણો હવે કેવી રીતે બનશે સર્ટિફિકેટ, મોડું થશે તો કોર્ટના ચક્કર કાપવા પડશે
જન્મ અને મરણ પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. સંસદમાં 'જન્મ અને મરણ નોંધણી (સુધારા) વિધેયક 2026' પસાર થતાં જ જૂના કાયદાના નિયમો બદલાઈ ગયા છે.
- Sachin Agrawal
- Updated on: Aug 6, 2026
- 4:39 pm
દેશની 1 લાખથી વધુ શાળાઓ માત્ર એક જ શિક્ષકના સહારે! શું આ છે નવી શિક્ષણ વ્યવસ્થા?
દેશમાં પેપરલીક, ભરતી અને શિક્ષણ સુધારાની ચર્ચા વચ્ચે એક એવો મુદ્દો સામે આવ્યો છે, જે લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે સીધો જોડાયેલો છે. સંસદમાં શિક્ષણ મંત્રાલયે આપેલી માહિતી મુજબ દેશમાં 1,00,843 શાળાઓ એવી છે જ્યાં માત્ર એક જ શિક્ષકના સહારે આખી શાળા ચાલી રહી છે. બીજી તરફ અનેક રાજ્યોમાં લાખો શિક્ષકોની જગ્યાઓ હજુ પણ ખાલી છે. એટલું જ નહીં, હજારો શાળાઓ એવી પણ છે જ્યાં શિક્ષક તો છે, પરંતુ એકપણ વિદ્યાર્થી નથી. ત્યારે સૌથી મોટો સવાલ એ પણ છે કે શું ગુણવત્તાયુક્ત શિક્ષણના દાવા આ હકીકત સામે ટકી શકશે?
- Mina Pandya
- Updated on: Aug 6, 2026
- 3:47 pm
લોકસભા અધ્યક્ષે કહ્યું- યુવા, વિદ્યાર્થીઓ, પરીક્ષાર્થીનું બિલ છે, અને વિપક્ષ માની ગયું – મંગળવારે સંસદમાં કરાશે ચર્ચા
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાની પહેલને પગલે જાહેર પરીક્ષા (Prevention of Unfair Means) બિલ પર સંસદીય ગતિરોધનો ઉકેલ આવ્યો છે. આ મહત્વપૂર્ણ બિલ પર ચર્ચા હવે આવતીકાલ મંગળવારે સંસદમાં થવાની છે.
- Bipin Prajapati
- Updated on: Jul 27, 2026
- 7:59 pm
સરકાર ચર્ચા માટે તૈયાર, રાહુલ રાજીનામા પર અડગ, ધરણા સ્થળેથી એક પછી એક સાંસદોને દિલ્હી પોલીસ ઉઠાવી ગઈ
ચોમાસુ સત્રના બીજા દિવસે, વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે સહિત અનેક વરિષ્ઠ નેતાઓએ વડા પ્રધાનના નિવાસસ્થાન બહાર ધરણા કર્યા છે. કોંગ્રેસના નેતાઓ સાંસદો શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી રહ્યા છે. આ બાબતે બોલતા, રાહુલ ગાંધીએ ટિપ્પણી કરી કે દેશના યુવાનો માટે હવે કોઈ તક બાકી નથી અને તેમના માટે બધા રસ્તા બંધ થઈ ગયા છે. તેમણે નોંધ્યું કે સ્પર્ધાત્મક પરીક્ષાઓનો માર્ગ એક સમયે ખુલ્લો હતો, પરંતુ તે વ્યવસ્થા પણ બરબાદ થઈ ગઈ છે.
- Bipin Prajapati
- Updated on: Jul 21, 2026
- 7:01 pm
Parliament Security : ભારતમાં સંસદની સુરક્ષા કોણ કરે છે ? મુખ્ય ગેટથી લઈને અંદર સુધી જાણો આખી Security સિસ્ટમ
ભારતીય સંસદની સુરક્ષા વ્યવસ્થા અત્યંત સુદ્રઢ છે, જે 2001ના હુમલા બાદ આધુનિક બની છે. PSS, CISF, દિલ્હી પોલીસ જેવી એજન્સીઓ બાયોમેટ્રિક્સ, CCTV અને X-રે સ્કેનર જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરી બહુસ્તરીય સુરક્ષા પૂરી પાડે છે.
- Sagar Solanki
- Updated on: Jul 20, 2026
- 7:36 pm
Breaking News: રાષ્ટ્રીય ગીતનું અપમાન કર્યું તો સીધા જેલ ભેગા થશો, ચોમાસુ સત્રમાં અમિત શાહ રજૂ કરશે ‘વંદે માતરમ્’ બિલ
20 જુલાઈથી શરૂ થઈ રહેલા સંસદના ચોમાસુ સત્ર દરમિયાન સરકાર એક મહત્વપૂર્ણ બિલ રજૂ કરવા જઈ રહી છે. આ બિલનો મુખ્ય ઉદ્દેશ્ય આપણા રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્’ ના સન્માનને જાળવી રાખવાનો છે. નવા પ્રસ્તાવ મુજબ, જો કોઈ વ્યક્તિ વંદે માતરમ્ ગાવામાં અડચણ ઊભી કરશે કે તેનું અપમાન કરશે, તો તેને કાયદાકીય રીતે ગુનો ગણીને સજા આપવામાં આવશે.
- Ravi Prajapati
- Updated on: Jul 17, 2026
- 6:59 pm
Breaking News: પેપર લીક અને રામ મંદિરના મુદ્દે સંસદમાં જામશે ‘અસલી જંગ’? જાણો ક્યારથી શરૂ થઈ રહ્યું છે ‘ચોમાસુ સત્ર’
દેશના વિકાસ અને મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે સંસદનું ચોમાસુ સત્ર ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે. રાષ્ટ્રપતિની મંજૂરી બાદ યોજાનારું આ સત્ર આ વખતે ખૂબ જ રસપ્રદ રહેશે, કારણ કે આમાં સરકાર કેટલાક મહત્વના બિલ રજૂ કરી શકે છે. બીજી તરફ, બદલાયેલા રાજકીય સમીકરણો વચ્ચે વિપક્ષ પણ હોબાળો મચાવવા તૈયાર છે.
- Ravi Prajapati
- Updated on: Jul 4, 2026
- 5:18 pm
Moonsoon Session: શું PM કે CM કે મંત્રીઓ 30 દિવસ જેલમાં રહેશે તો પદ ગુમાવશે? સરકાર લાવી રહી છે બિલ
Moonsoon Session: જો PM-CM ને જેલ થાય અને 1 મહિનો જેલમાં રહે તો તેમને હોદ્દા પરથી રાજીનામું આપવુ પડશે. સંસદના ચોમાસુ સત્રમાં સરકાર આ અંગે બિલ લાવવાની તૈયારીમાં છે. પહેલા આ બિલને JPC ને મોકલવામા આવ્યુ છે. 17 જુલાઈએ JPC તેને હરી ઝંડી આપે તેવી સંભાવના જોવાઈ રહી છે.
- Mina Pandya
- Updated on: Jul 3, 2026
- 3:59 pm
Breaking News : રાહુલ ગાંધીએ જણાવ્યો મહિલા અનામત બિલ પાછળ ભાજપનો છુપો એજન્ડા
મહિલા અનામત બિલ અંગે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ આજે લોકસભામાં કહ્યું કે, આ બિલ થકી ભાજપના બે ઉદ્દેશ્યો છે. ચૂંટણી નકશામાં ફેરફાર કરવો અને મહિલાઓનો વિશ્વાસ જીતવો. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે, સરકાર સંપૂર્ણપણે જાણે છે કે આ બિલ, સર્વાનુમતે કે વિના વિરોધે તો પસાર નહીં જ થાય. રાહુલ ગાંધીએ એવો આક્ષેપ […]
- TV9 Gujarati
- Updated on: Apr 17, 2026
- 4:17 pm
Breaking News : લોકતંત્રને ખતમ કરવાની કોઈનામાં તાકાત નથી, જેમણે ખતમ કરવાનો પ્રયાસ કર્યો તેમને જનતાએ ખતમ કરી નાખ્યાઃ અમિત શાહ
વિપક્ષ દ્વારા રજૂ કરાયેલા એક સંશયનો ઉત્તર આપતા અમિત શાહે કહ્યું કે, દેશમાં જાતિ જણગણના કરવાનો નિર્ણય મોદી કેબિનેટ કર્યો છે. આગામી વસ્તી ગણતરી જાતિ વસ્તી ગણતરી જ થશે. સૌ કોઈ જાણે છે કે, વસ્તી ગણતરી બે ચરણમાં થાય છે. હાલમાં પહેલો તબક્કો ચાલી રહ્યો છે. જેમાં પહેલા બિલ્ડીગની ગણતરી થાય છે. ઈમારતોની અત્યાર સુધીમાં કોઈ જાતિ નક્કી કરવામાં આવી નથી. જો બિલ્ડીગની જાતિ નક્કી કરાશે તો અમે બિલ્ડીગની પણ જાતિ ગણતરી કરીશું.
- TV9 Gujarati
- Updated on: Apr 16, 2026
- 6:44 pm
Breaking News : વિપક્ષને પીએમ મોદીની ઓફર, લોકસભામાં 33 ટકા મહિલા અનામત બિલને પસાર કરીને ક્રેડિટ મેળવો, સરકારી ખર્ચે છાપામાં ફોટા છપાવો
લોકસભાના આજથી શરુ થયેલા ત્રિદિવસીય વિશેષ સત્રમાં પહેલા દિવસે, મોદી સરકાર દ્વારા મહિલાઓને 33 ટકા અનામત આપતું બિલ લોકસભામા રજૂ કરવામાં આવ્યુમં હતું. આ બિલ પરની ચર્ચામાં ભાગ લેતા વડાપ્રધાન મોદીએ, વિપક્ષને અપીલ કરી હતી કે, મહિલાઓને 33 ટકા અનામત આપતા બિલને પસાર કરવામાં મદદ કરે.
- TV9 Gujarati
- Updated on: Apr 16, 2026
- 5:11 pm
મતવિસ્તારનું નવું સીમાંકન : જાણો ગુજરાત-મહારાષ્ટ્ર-રાજસ્થાન સહીત કયાં રાજ્યમાં કેટલી બેઠકો વધી શકે છે ?
કેન્દ્રની મોદી સરકારે આજે 16મી એપ્રિલથી ત્રણ દિવસનું સંસદનુ વિશેષ સત્ર બોલાવ્યું છે. આ સત્ર બોલાવવા પાછળનો મુખ્ય હેતુ બંધારણમાં 131મો સુધારો કરવાનો છે. જો કે તેની સાથે સાથે લોકસભા મતવિસ્તારોનું નવા સીમાકંન ( ડિલિમિટેશન) પણ હાથ ધરવા માટેનો એજન્ડા પણ છે. આના કારણે ગુજરાત સહીત સમગ્ર દેશમાં લોકસભાની બેઠકોમાં ખાસ્સો વધારો થવાની સંભાવના છે.
- TV9 Gujarati
- Updated on: Apr 16, 2026
- 2:25 pm
બંધારણીય સુધારો કરીને મહિલા અનામતની સાથેસાથે સરકાર લોકસભાની વધારશે બેઠકો ?
કેન્દ્ર સરકારે મહિલા અનામતના અમલીકરણ માટેની તૈયારીઓ ઝડપી બનાવી છે. બેઠકોની નવી ફાળવણી લાંબા સમયથી અટકેલી હતી. આ બિલ તે મુદત ઉઠાવી લેશે, જેનાથી સીમાંકન પંચ નવા ચૂંટણી મતવિસ્તારોનું સીમાંકન કરી શકશે. વધુમાં, બિલમાં અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) ની મહિલાઓ માટે બેઠકો અનામત રાખવા માટેની જોગવાઈઓ શામેલ છે. આ અનામત બેઠકો વિવિધ મતવિસ્તારોમાં વારાફરતી નક્કી કરવામાં આવશે.
- TV9 Gujarati
- Updated on: Apr 14, 2026
- 6:24 pm