
સંસદ
સંસદ પ્રજાસત્તાક ભારતમાં કાયદા ઘડનારી સર્વોચ્ચ સભા છે. માત્ર સંસદ જ કાયદા ઘડવા અંગે સર્વોપરીતા ધરાવે છે અને તેથી ભારતમાં તમામ રાજકીય માળખા પર તેની અંતિમ સત્તા રહેલી છે. સંસદમાં ઉપલું ગૃહ રાજ્યસભા અને નીચલું ગૃહ લોકસભા સાથે બે ગૃહો છે. બંને ગૃહો નવી દિલ્હીમાં સંસદ ભવનમાં જુદાં જુદાં ખંડોમાં મળે છે. બંને ગૃહના સભ્ય સામાન્ય રીતે સંસદ સભ્ય, સાંસદ કે MP તરીકે ઓળખાય છે. લોકસભાના સંસદ સભ્યો સીધી ચૂંટણી દ્વારા ચૂંટાય છે અને રાજ્યસભાના સંસદ સભ્યો રાજ્ય વિધાનસભાઓના સભ્યો દ્વારા મતદાનથી ચૂંટાય છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાજ્યસભા માટે 4 દિગ્ગજોને નામાંકિત કર્યા: જાણો તેમના નામ અને યોગદાન
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતની સંસદમાં ચાર હસ્તીઓને નામાંકિત કર્યા છે, જેમણે પોતપોતાના ક્ષેત્રમાં ઉત્તમ કાર્ય કર્યું છે. રાજ્યસભામાં નામાંકિત સભ્ય વકીલ ઉજ્જવલ નિકમે મુંબઈ હુમલા સહિત અનેક ફોજદારી કેસોમાં ન્યાય પૂરો પાડ્યો છે. દેશ-વિદેશમાં ભારતનું નામ રોશન કરનારા ભૂતપૂર્વ વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા, સામાજિક કાર્ય માટે હંમેશા સમર્પિત સદાનંદન માસ્ટર અને શિક્ષણ ક્ષેત્રે નિપુણ મીનાક્ષી જૈનને રાજ્યસભાના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
- Manish Gangani
- Updated on: Jul 13, 2025
- 3:50 pm
Breaking News : ન્યાયાધીશ યશવંત વર્માની મુશ્કેલીઓ વધી, વિપક્ષીઓએ તેમને પદ પરથી હટાવવાના પ્રસ્તાવને આપી મંજૂરી
કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે વિપક્ષી પક્ષોએ અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ યશવંત વર્માને હટાવવાના પ્રસ્તાવને સમર્થન આપ્યું છે. સાંસદોના હસ્તાક્ષર એકત્રિત કરવાની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થઈ શકે છે. સરકારે હજુ સુધી નિર્ણય લીધો નથી કે આ પ્રસ્તાવ લોકસભામાં લાવવામાં આવશે કે રાજ્યસભામાં. ચોમાસુ સત્ર 21 જુલાઈથી શરૂ થશે અને 21 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે.
- Dhinal Chavda
- Updated on: Jul 4, 2025
- 5:11 pm
Operation Sindoor : પાકિસ્તાનનું આ ઠેકાણું Air Strike દરમ્યાન હતું મુખ્ય ટાર્ગેટ ! જાણો ભારતીય સેનાએ મુરીદકે પર કેમ કર્યો હુમલો ?
લશ્કર અને તેના મુખિયા સંગઠન જમાત-ઉદ-દાવાનું નેટવર્ક એટલું વિશાળ છે કે તેની પાસે સમગ્ર પાકિસ્તાનમાં 2500 થી વધુ ઓફિસો અને ડઝનબંધ મદરેસા છે.
- Sagar Solanki
- Updated on: May 7, 2025
- 6:51 pm
કેવા હતા આંબેડકર અને નહેરૂ વચ્ચેના સંબંધો? કેમ પંડિતજીને આંખના કણાની માફક ખૂંચતા હતા બાબા સાહેબ- વાંચો
ભારતના બંધારણના નિર્માતા ડૉ. ભીમરાવ આંબેડકરની દેશ 134મી જન્મ જયંતી ઉજવી રહ્યો છે. આજે બાબા સાહેબના નામે તમામ રાજકીય પાર્ટી જશ લેવાનું ચૂકતી નથી ત્યારે એક સમય એવો પણ હતો કે બાબા સાહેબને એ સન્માન પણ આપવામાં ન આવ્યુ જેના તેઓ ખરા હક્કદાર હતા. પંડિત નહેરૂ સહિત કોંગ્રેસ પર પહેલેથી એવા આક્ષેપો થતા આવ્યા છે કે તેમણે આંબેડકરના યોગદાનને ભૂલાવવાનો પ્રયાસ કર્યો. ત્યારે આ આક્ષેપોમાં કેટલુ તથ્ય છે તે જાણીએ.
- Mina Pandya
- Updated on: Apr 14, 2025
- 9:03 pm
વિમાનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી… 2024 સૌથી ખરાબ રહ્યું વર્ષ
નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે લોકસભામાં જણાવ્યું હતું કે, 2024 માં વિવિધ એરલાઇન્સને વિમાનમાં બોમ્બ મુકાયાની ધમકીના નકલી કોલ કરવા બદલ 13 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જાણો શા માટે 2024નું વર્ષ બોમ્બ ધમકીઓ માટે સૌથી ખરાબ રહ્યું હતું.
- TV9 Gujarati
- Updated on: Apr 4, 2025
- 11:30 pm
Waqf Amendment Bill : શું વકફ બોર્ડની કોઈ જમીન વેચી શકાય ? જાણો આ પ્રોપર્ટીનો ક્યાં ઉપયોગ થાય છે
વકફ સુધારા બિલ 2025માં મહિલાઓ અને વિધવાઓની કાળજી લેવામાં આવી છે. હવે કોઈપણ મુસ્લિમ વ્યક્તિ વકફ કરે તે પહેલા મહિલાઓ અને વિધવાઓએ તેમનો હિસ્સો આપવો પડશે. પોતાની સંપત્તિ કોઈને દાન કરતા પહેલા તેના માટે પાંચ વર્ષથી ઇસ્લામનું પાલન કરવું જરૂરી રહેશે. આ ઉપરાંત આદિવાસી અને ASIની જમીન પણ વકફ કરવામાં આવશે નહીં.
- Dhinal Chavda
- Updated on: Apr 3, 2025
- 4:08 pm
શું છે વક્ફ? ભારતમાં તેની શરૂઆત ક્યારે થઈ? અકબર, મોહમ્મદ ઘોરી અને કુતુબદ્દીન ઐબક સાથે જોડાયેલો છે ઈતિહાસ- વાંચો
વકફ ભારતમાં ઇસ્લામના આગમન સાથે ભારતમાં આવ્યો હોવાનું માની શકાય છે, જો કે તેની શરૂઆત કયા સમયગાળામાં થઈ તે વિશે ઇતિહાસ બહુ સ્પષ્ટ નથી. આવી સ્થિતિમાં, વકફને ઔપચારિક રીતે અમલમાં મૂકનાર 'પ્રથમ શાસક' કોણ હશે તે નક્કી કરવું ઇતિહાસ માટે મુશ્કેલ છે. આ પ્રશ્ન 'દાનની પરંપરા કેવી રીતે શરૂ થઈ' તે જાણવાનો પ્રયાસ કરવા જેવો છે.
- Mina Pandya
- Updated on: Apr 2, 2025
- 9:07 pm
મુઘલ કાળથી લઈને બ્રિટીશ કાળ અને આજ સુધી વક્ફમાં થતી રહી છે સુધારાની માગ
ભારતમાં બ્રિટિશ સંસ્થાનવાદી શાસન દરમિયાન વકફ વ્યવસ્થાપનમાં સુધારાની જરૂરિયાત ઊંડે અનુભવાઈ હતી. આ સમયગાળા દરમિયાન, સર સૈયદ અહેમદ ખાન જેવી અગ્રણી હસ્તીઓ સુધારા માટે અગ્રણી અવાજ તરીકે ઉભરી આવી. એક પ્રભાવશાળી વિદ્વાન અને સુધારક તરીકે, સર સૈયદે માન્યતા આપી હતી કે વકફ મિલકતોનું સંચાલન કરવામાં અસમર્થતા સામાજિક લાભ માટેની સંભવિતતાને અવરોધે છે.
- Mina Pandya
- Updated on: Apr 2, 2025
- 8:38 pm
PM-GKAY હેઠળ ગુજરાતના 14 કરોડ લોકોને લાભ, 1329 કરોડની ફૂડ સબસિડી પ્રાપ્ત
PM-GKAY હેઠળ, ગુજરાત માટે કેન્દ્ર સરકારે કુલ રૂ. 9,69,614.09 કરોડનું ભંડોળ ફાળવ્યું છે. કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્યાન્ન અને જાહેર વિતરણ રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાએ જણાવ્યું હતું કે, FCI દ્વારા 81.35 કરોડ લોકોને મફત અનાજ પુરુ પાડવામાં આવે છે અને આ યોજના હેઠળ 80.56 કરોડ લાભાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
- TV9 Gujarati
- Updated on: Mar 26, 2025
- 9:07 pm
Breaking News : લોકસભામાં કિરેન રિજિજુ સામે વિશેષાધિકાર ભંગની નોટિસ, શું છે આરોપ?
કોંગ્રેસના સાંસદ મણિકમ ટાગોરે, લોકસભામાં સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ પર ખોટી માહિતી આપવાનો અને સંસદ ગૃહને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે વિશેષાધિકાર ભંગની નોટિસ પાઠવી છે. કોંગ્રેસે રિજિજુ સામે વિશેષાધિકાર અંતર્ગત કાર્યવાહી હાથ ધરવાની માંગ કરી છે.
- TV9 Gujarati
- Updated on: Mar 25, 2025
- 3:45 pm
Breaking News : સરકારે સાંસદોને આપી મોટી ભેટ, પગાર, પેન્શન અને DA માં કરાયો આટલો વધારો
સાંસદોનો માસિક પગાર પહેલા રૂ. 1,00,000 હતો જે વધારીને રૂ. 1,24,000 પ્રતિ માસ કરવામાં આવ્યો છે. તે જ સમયે, દૈનિક ભથ્થું 2,000 રૂપિયાથી વધારીને 2,500 રૂપિયા કરવામાં આવ્યું છે. ભૂતપૂર્વ સાંસદોનું માસિક પેન્શન પણ 25,000 રૂપિયાથી વધારીને 31,000 રૂપિયા કરવામાં આવ્યું છે.
- Kinjal Mishra
- Updated on: Mar 24, 2025
- 5:25 pm
8th Pay Commission: આઠમાં પગાર પંચ પર આખરે સરકારે કરી લીધો નિર્ણય, જાણો કેટલા સરકારી કર્મચારીઓને મળશે લાભ
8th Pay Commission Update: 8મા પગાર પંચમાં એક નવું અપડેટ આવ્યું છે. હવે સરકારે સંસદમાં પૂછાયેલા પ્રશ્નોના સત્તાવાર રીતે જવાબ આપ્યા છે જેમાં તેમણે 8મા પગાર પંચ વિશે માહિતી આપી છે. નાણા મંત્રાલયે લોકસભામાં પગાર પંચ, તેના લાભો, સરકાર પર નાણાકીય બોજ અને સંબંધિત મુદ્દાઓ પર પોતાનો જવાબ આપ્યો છે.
- Tanvi Soni
- Updated on: Mar 20, 2025
- 2:48 pm
ભારતીયોને હથકડી સાથે પરત મોકલવા મુદ્દે સંસદમાં હંગામો, વિપક્ષે સરકારને ઘેરી, પ્રિયંકાએ કહ્યુ મોદી ટ્રમ્પ સારા મિત્રો તો આવુ કેમ?
અમેરિકાએ ભારતીયોને પરત મોકલ્યા તેનાથી વધુ જે પ્રકારે તેઓને મોકલ્યા, તે ચિંતાનો વિષય છે. જાણે કે આ ભારતીયો કોઈ આતંકવાદીઓ હોય તેમ પગમાં અને હાથમાં સાંકળ બાંધીને તેઓને યાતના આપતા હોય તે પ્રકારે ભારત મોકલાયા છે. પરત આવેલા લોકો એવા ઘવાયા છે કે આ ટ્રોમા તેઓ ક્યારેય નહી ભૂલી શકે. આ મામલે હવે વિપક્ષ સરકારને ઘેરી રહી છે તો સરકારનું કહેવું છે કે વર્ષોથી અમેરિકા ગેરકાયદે લોકોને પરત મોકલી રહી છે, આ કોઈ પહેલીવાર નથી
- TV9 Gujarati
- Updated on: Feb 6, 2025
- 8:49 pm
શું ખરેખર આવકવેરાની જૂની કર વ્યવસ્થાનો અંત આવશે ? બજેટમાં સરકારે આપ્યા સંકેત !
બજેટ 2025-2026 માં, સરકારે જૂની કર વ્યવસ્થા અંગે એક મોટો સંકેત આપ્યો છે, જેના કારણે એવું માનવામાં આવે છે કે સરકાર હવે નવી અને જૂની કર વ્યવસ્થામાંથી કોઈ એક જ વ્યવસ્થા ચાલુ રાખવા માંગે છે. જો કે સરકારનું ધ્યાન નવી કર વ્યવસ્થા પર વધુ રહેશે.
- TV9 Gujarati
- Updated on: Feb 2, 2025
- 2:37 pm
12 લાખની કરમુક્તિનો લાભ દેશમાં કેટલા લોકોને મળશે ? નિર્મલા સિતારમણે જણાવ્યું કેવી રીતે ગણાશે વેરો
કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું છે કે, નવી કર વ્યવસ્થાના સ્લેબમાં ફેરફાર કરવાથી વધુ 1 કરોડ લોકોને કર રાહત મળશે. સરકારે નવી કર વ્યવસ્થા 7 લાખ રૂપિયાથી વધારીને 12 લાખ રૂપિયા કરી દીધી છે. સરકારના આ નિર્ણયને, મધ્યમ વર્ગના લોકો સાથે સીધી અસર માનવામાં આવી રહ્યી છે.
- TV9 Gujarati
- Updated on: Feb 2, 2025
- 10:13 am