સંસદ
સંસદ પ્રજાસત્તાક ભારતમાં કાયદા ઘડનારી સર્વોચ્ચ સભા છે. માત્ર સંસદ જ કાયદા ઘડવા અંગે સર્વોપરીતા ધરાવે છે અને તેથી ભારતમાં તમામ રાજકીય માળખા પર તેની અંતિમ સત્તા રહેલી છે. સંસદમાં ઉપલું ગૃહ રાજ્યસભા અને નીચલું ગૃહ લોકસભા સાથે બે ગૃહો છે. બંને ગૃહો નવી દિલ્હીમાં સંસદ ભવનમાં જુદાં જુદાં ખંડોમાં મળે છે. બંને ગૃહના સભ્ય સામાન્ય રીતે સંસદ સભ્ય, સાંસદ કે MP તરીકે ઓળખાય છે. લોકસભાના સંસદ સભ્યો સીધી ચૂંટણી દ્વારા ચૂંટાય છે અને રાજ્યસભાના સંસદ સભ્યો રાજ્ય વિધાનસભાઓના સભ્યો દ્વારા મતદાનથી ચૂંટાય છે.
EPFO Pension : પ્રાઇવેટ કર્મચારીઓને રૂપિયા 7,500 પેન્શન આપવાની ચર્ચા.. સરકારે સંસદમાં આપી દીધો જવાબ
ખાનગી ક્ષેત્રના EPS-95 પેન્શનરો માટે નિરાશાજનક સમાચાર: સરકારે સંસદમાં સ્પષ્ટ કર્યું કે હાલ ₹7,500 લઘુત્તમ પેન્શન વધારવાનો કોઈ પ્રસ્તાવ વિચારાધીન નથી. જોકે આ પ્રશ્ન કયા કારણ સર સામે આવ્યો તે જાણીએ.
- Sagar Solanki
- Updated on: Dec 3, 2025
- 9:05 pm
EPFOમાં મોટા ફેરફારોની તૈયારી, શું પગારની લિમિટ વધશે? જાણો સંસદમાં શું વાત થઈ..
દેશમાં PF વેતન મર્યાદા ₹15,000 થી ₹30,000 વધારવાની વાત સંસદમાં ઉઠી છે. સરકાર આ મુદ્દે વિચારણા કરી રહી છે, પરંતુ કર્મચારીઓના ટેક-હોમ પગાર અને નોકરીદાતાઓ પરના બોજને ધ્યાનમાં લેશે.
- Sagar Solanki
- Updated on: Dec 2, 2025
- 8:36 pm
Parliament Winter Session : 1 થી 19 ડિસેમ્બર સુધી 15 દિવસમાં 10 બિલ રજૂ કરવામાં આવશે, સરકારનું ધ્યાન ‘રિફોર્મ’ પર
સરકાર 1 થી 19 ડિસેમ્બર દરમિયાન યોજાનાર સંસદના શિયાળુ સત્ર દરમિયાન 10 નવા બિલ રજૂ કરવાની અને બે મહત્વપૂર્ણ બિલને મંજૂરી માટે ફરીથી રજૂ કરવાની તૈયારી કરી રહી છે.
- Ravi Prajapati
- Updated on: Nov 24, 2025
- 8:59 pm
જયંત ચૌધરીએ ક્રિપ્ટોકરન્સીમાં કર્યું રોકાણ, મોદી કેબિનેટમાં આવું કરનાર પ્રથમ મંત્રી
રાજ્યસભાના સભ્ય અને રાષ્ટ્રીય લોક દળ (RLD) ના રાષ્ટ્રીય અધ્યક્ષ જયંત ચૌધરી જૂન 2024 માં મોદી સરકારમાં જોડાયા. તેમની પાસે શિક્ષણ મંત્રાલયમાં રાજ્યમંત્રીનો હવાલો પણ છે.
- Meera Kansagara
- Updated on: Sep 10, 2025
- 2:24 pm
Breaking News: સીપી રાધાકૃષ્ણન દેશના નવા ‘ઉપરાષ્ટ્રપતિ’ બન્યા, રેડ્ડીને હારનો સામનો કરવો પડ્યો
સીપી રાધાકૃષ્ણન ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી જીતી ગયા છે. તેઓ દેશના 17મા ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. જણાવી દઈએ કે, ચૂંટણીમાં તેમને 452 મત મળ્યા.
- Ravi Prajapati
- Updated on: Sep 9, 2025
- 8:32 pm
Breaking News : લોકસભામાં ઓનલાઈન ગેમિંગ બિલ પાસ, જાણો પૈસાના લોભ માટે ઓનલાઈન ગેમ રમનારાઓ માટે શું સજા હશે ?
કેન્દ્ર સરકારે બુધવારે ઓનલાઈન ગેમિંગ પ્રમોશન અને રેગ્યુલેશન બિલ રજૂ કર્યું જે લોકસભામાં પસાર થઈ ગયું છે. આ બિલ ઈ-સ્પોર્ટ્સ અને સોશિયલ ગેમ્સને પ્રોત્સાહન આપશે જ્યારે ઓનલાઈન મની ગેમ્સ પર પ્રતિબંધ મૂકશે. પીડિતો માટે કોઈ સજા નથી પરંતુ સર્વિસ પ્રોવાઇડર્સ, જાહેરાતકર્તાઓ અને પ્રમોટરો પર કડક દંડ અને સજાની જોગવાઈ છે.
- Sagar Solanki
- Updated on: Aug 20, 2025
- 7:05 pm
હવે પ્રધાન, મુખ્ય પ્રધાન, વડાપ્રધાન 30 દિવસ જેલમાં રહે તો, ખુરશી ખાલી કરવી પડશે, આજે સંસદમાં રજૂ થશે નવો કાયદો
જો કોઈ મંત્રી ગંભીર ગુનાના આરોપસર સતત 30 દિવસ સુધી જેલમાં રહેશે, તો રાષ્ટ્રપતિ અને વડા પ્રધાનની સલાહ બાદ તેમણે તેમના પદ પરથી દૂર કરવામાં આવશે. જો વડા પ્રધાન પોતે ફણ આવા કોઈ પણ આરોપસર 30 દિવસ જેલમાં રહે તો તેમણે 31મા દિવસે રાજીનામું આપવું પડશે. આ બિલ લોકસભામાં આજે રજૂ થાય ત્યારે તેના પર હોબાળો થવાની પૂરેપૂરી શક્યતા છે.
- TV9 Gujarati
- Updated on: Aug 20, 2025
- 10:13 am
નકલી નોટો અંગે સરકારનો મોટો ખુલાસો, પકડાઈ આટલી 500 ની નકલી નોટો
સરકારે નકલી નોટો અંગે મોટો ખુલાસો કર્યો. સરકારે જણાવ્યું કે નાણાકીય વર્ષ 2025 દરમિયાન કેટલી નકલી નોટો પકડાઈ છે, જોકે આ આંકડો પાછલા નાણાકીય વર્ષ કરતા થોડો ઓછો છે. જાણો આ વર્ષે નકલી નોટોમાં કઈ નોટ સૌથી વધુ પકડાઈ છે.
- Sagar Solanki
- Updated on: Aug 11, 2025
- 7:59 pm
સંસદમાં New Income Tax Bill થયું રજૂ, સામાન્ય માણસ પર શું અસર થશે ? જાણી લો
નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે, 11 ઓગસ્ટ 2025 ના રોજ સંસદમાં નવું આવકવેરા બિલ 2025 રજૂ કર્યું છે. નાણામંત્રી દ્વારા લોકસભામાં નવો આવકવેરા કાયદો રજૂ કરવામાં આવ્યો છે.
- Sagar Solanki
- Updated on: Aug 11, 2025
- 5:03 pm
આ તો હદ છે.. સાંસદ સાથે ચેઇન સ્નેચિંગની ઘટના, અમિત શાહને પત્ર લખી કહ્યું, ‘હું આઘાતમાં છું’
દિલ્હીમાં કોંગ્રેસ સાંસદ આર. સુધા પર ચેઇન સ્નેચિંગનો હુમલો થયો છે. સવારે ચાલતી વખતે અજાણ્યા શખ્સે તેમની સોનાની ચેઇન સ્નેચિંગ કરી છે.
- Sagar Solanki
- Updated on: Aug 4, 2025
- 7:01 pm
Breaking News: ઓપરેશન સિંદૂર પર PM મોદીએ ટ્રમ્પના સિઝફાયરને લઈને સદનમાં આપ્યુ સૌથી મોટુ નિવેદન, કર્યો આ મોટો ખૂલાસો
દુનિયાના કોઈપણ નેતાએ ભારતને ઓપરેશન રોકવા માટે નથી કહ્યુ, એ જ દરમિયાન 9 મે એ રાત્રે અમેરિકાના વાઈસ પ્રેસિડેન્ટ જેડી વેન્સે મારી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો. તેઓ અનેક કલાકોથી કોશિશ કરી રહ્યા હતા પરંતુ મારી સેના સાથે મિટીંગ ચાલી રહી હતી એટલે વાત ન થઈ શકી.
- Mina Pandya
- Updated on: Jul 29, 2025
- 7:27 pm
શું ભારતમાં બંધ થઈ જશે McDonald’s ના આઉટલેટ્સ? સંસદમાં દીપેન્દ્ર હુડ્ડાએ પણ કરી McDને બંધ કરવાની માગ
કોંગ્રેસ પાર્ટીના સાંસદ દીપેન્દ્ર સિંહ હુડ્ડાને સોમવારે કહ્યુ કે ડોનાલ્ડ ટ્રમ્પને ચુપ કરાવો નહીં તો અમેરિકાની કંપની McDonald's ને દેશમાં બંધ કરી દો. ત્યારથી દેશમાં મેકડોનાલ્ડ્સની ખૂબ ચર્ચા થઈ રહી છે. આવો જાણીએ કેટલા લાખ કરોડનો છે મેકડોનાલ્ડ્સનો કારોબાર
- Mina Pandya
- Updated on: Jul 29, 2025
- 4:06 pm
” ભારતના વિદેશમંત્રીની વાતમાં ભરોસો નથી અને બીજા દેશ પર ભરોસો છે”- જયશંકરના બચાવમાં ગર્જ્યા અમિત શાહ
સંસદમાં મોનસુન સત્ર ચાલી રહ્યુ છે અને બંને ગૃહોમાં ઓપરેશન સિંદૂર પર મેરેથોન ચર્ચા ચાલી રહી છે ત્યારે ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષ પર વરસી પડ્યા અને કહ્યુ કે હું સમજી શકુ છુ કે તમારી પાર્ટીમાં વિદેશના નિવેદનોનું કેટલુ મહત્વ છે. તમે પથ લીધેલા ભારતના વિદેશમંત્રી પર ભરોસો ન કર્યો અને સદન પર પોતાના વિચારો થોપવાનો પ્રયાસ કર્યો.
- Mina Pandya
- Updated on: Jul 28, 2025
- 7:49 pm
જસ્ટિસ વર્મા વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ…ભારતના ન્યાય તંત્રની સૌથી કડક કાર્યવાહી, શું પદ ગુમાવશે કે બચી જશે જજ?
આપણે અવારનવાર સાંભળીએ ચીએ કે કોઈ હોદ્દા પર બેસેલા વ્યક્તિને હટાવી દેવામાં આવ્યો, અથવા તેને બરતરફ કરી દેવામાં આવ્યા. પરંતુ શું તમે વિચાર્યુ છે કે ભારતમાં સુપ્રીમ કોર્ટ-હાઈકોર્ટના જજને હટાવવા માટે શું કાર્યવાહી કરવાની હોય છે. તેના માટે દેશમાં ક્યાં નિયમ-કાયદા છે. આખરે તેમને કોણ બરતરફ કરી શકે અથવા તો હટાવી શકે. આવો જાણીએ સમગ્ર પ્રક્રિયા
- Mina Pandya
- Updated on: Jul 22, 2025
- 9:37 pm
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાજ્યસભા માટે 4 દિગ્ગજોને નામાંકિત કર્યા: જાણો તેમના નામ અને યોગદાન
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતની સંસદમાં ચાર હસ્તીઓને નામાંકિત કર્યા છે, જેમણે પોતપોતાના ક્ષેત્રમાં ઉત્તમ કાર્ય કર્યું છે. રાજ્યસભામાં નામાંકિત સભ્ય વકીલ ઉજ્જવલ નિકમે મુંબઈ હુમલા સહિત અનેક ફોજદારી કેસોમાં ન્યાય પૂરો પાડ્યો છે. દેશ-વિદેશમાં ભારતનું નામ રોશન કરનારા ભૂતપૂર્વ વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા, સામાજિક કાર્ય માટે હંમેશા સમર્પિત સદાનંદન માસ્ટર અને શિક્ષણ ક્ષેત્રે નિપુણ મીનાક્ષી જૈનને રાજ્યસભાના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
- Manish Gangani
- Updated on: Jul 13, 2025
- 3:50 pm