AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Incometax

Incometax

આવકવેરો (ઈન્કમ ટેક્સ) એ કોઈપણ વ્યક્તિ અથવા સંસ્થા દ્વારા કરાયેલી કમાણી અથવા નફા પર લાદવામાં આવતો કર છે. સામાન્ય રીતે, આવકવેરાની ગણતરી આવકના આધારે બદલાય છે.

જુદા જુદા કરદાતાઓ માટે અલગ અલગ કર હોય છે. આ કરનો દર તેમની આવક પર આધાર રાખે છે. આ માટે સરકાર દ્વારા સ્લેબ નક્કી કરવામાં આવ્યા છે. કરપાત્ર આવકમાં વધારો થતાં ટેક્સનો દર વધી શકે છે.

કંપનીઓ પર લાદવામાં આવતા ટેક્સને કોર્પોરેટ ટેક્સ તરીકે ઓળખવામાં આવે છે. આવકવેરો સરકાર માટે આવકનો મોટો સ્ત્રોત છે. તેનો ઉપયોગ જાહેર સેવાઓને ભંડોળ આપવા, સરકારી જવાબદારીઓ માટે ચૂકવણી કરવા અને નાગરિકો માટે સામાન પૂરો પાડવા માટે થાય છે. કેન્દ્ર સરકાર ઉપરાંત, ઘણા રાજ્ય અને સ્થાનિક અધિકારક્ષેત્રો પણ વેરો લાદે છે.

Read More

ITR ફાઇલિંગ પહેલાં તૈયાર કરી લો આ ‘જરૂરી દસ્તાવેજો’, નહીં તો રિફંડ મેળવવામાં થઈ શકે છે ‘વિલંબ’

ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ભરવાની પ્રક્રિયાને સરળ અને ઝડપી બનાવવા માટે પૂર્વ તૈયારી ખૂબ જ જરૂરી છે. જો તમે પહેલાથી જ આટલી વિગતો તૈયાર રાખો છો, તો ભૂલો થવાની શક્યતા ઘટી જાય છે અને ટેક્સમાં મળતી છૂટનો પૂરો લાભ લઈ શકાય છે.

Breaking News: ₹50 લાખથી વધુ કિંમતની પ્રોપટી પર હવે નહીં લાગે TDS, ITAT મોટો નિર્ણય

ITAT, અમદાવાદે કર વિભાગના નિર્ણયને ઉલટાવી દીધો અને ખરીદનારની તરફેણમાં ચુકાદો આપ્યો. ટ્રિબ્યુનલે જણાવ્યું હતું કે સંબંધિત આકારણી વર્ષ (AY 2015-16) માટે પ્રતિ વિક્રેતા ₹50 લાખની મર્યાદા ધ્યાનમાં લેવી જોઈએ

New Tax Regime: ₹20 લાખની કમાણી પર ZERO ટેક્સ, જાણો નવી ટેક્સ રેજીમમાં IT બચાવવાનો ફોર્મ્યુલા

નવી ટેક્સ રેજીમ હેઠળ ટેક્સ દર ઓછા છે, પરંતુ ડિડક્શન મર્યાદિત છે. છતાં યોગ્ય પ્લાનિંગથી ₹20 લાખ સુધીની આવક પર ટેક્સનો ભાર ઘટાડવો શક્ય છે.

  • Nishat
  • Updated on: Apr 20, 2026
  • 8:13 am

વર્ષે 15 લાખની સેલરી હશે તો પણ લાગશે 0 ટેક્સ ! આ રીત અપનાવી બચાવી શકો છો હજારો રુપિયા

જો તમારો વર્ષે પગાર ₹15.85 લાખ પગાર પર કર જવાબદારી શૂન્ય સુધી ઘટાડી શકાય છે; જોકે, આ માટે ચોક્કસ ચોક્કસ શરતો પૂરી કરવાની જરૂર છે.

હવે એક પણ ભૂલ વગર ભરાશે ‘રિટર્ન’ ! આવી ગયો છે ઇન્કમ ટેક્સનો ‘જાદુઈ સાથી’, જે તમારી દરેક મુશ્કેલી મિનિટોમાં ઉકેલશે

ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ભરવું એ હંમેશાથી એક માથાકૂટભર્યું કામ રહ્યું છે. વારંવાર બદલાતા નિયમો અને અઘરા ફોર્મ્સને કારણે સામાન્ય માણસ હંમેશા મુંઝવણમાં રહે છે કે, ક્યાંક કોઈ ભૂલ તો નહીં થઈ જાય ને? જો કે, હવે ટેક્સપેયર્સના આ ટેન્શનનો કાયમી ઉકેલ આવી ગયો છે.

Breaking News : ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું ! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ

ખેડા જિલ્લામાં ઈન્કમટેક્સ વિભાગની કાર્યવાહીથી એક અનોખો અને ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. મૂર્તિઓ વેચીને રોજગાર ચલાવતા એક સામાન્ય ફેરિયાને વિભાગ તરફથી લગભગ 19.84 કરોડ રૂપિયાની આવક સંબંધિત નોટિસ પાઠવવામાં આવી છે. આ ઘટનાએ સ્થાનિક સ્તરે ચકચાર મચાવી છે, કારણ કે એટલી મોટી રકમની નોટિસ એક સામાન્ય જીવન જીવતા વ્યક્તિને મળવી અસામાન્ય માનવામાં આવી રહી છે.

Breaking News : ફોર્મ 15G-15H રદ, કરદાતા અને વરિષ્ઠ નાગરિકો માટે આજથી બદલાયા નિયમ

આવકવેરા વિભાગે આજે 1 એપ્રિલ, 2026 થી ફોર્મ 15G અને 15H નાબૂદ કર્યા છે. આના સ્થાને એક નવું ફોર્મ 121 રજૂ કર્યું છે. બેંક વ્યાજ, PF ઉપાડ, પેન્શન, મકાન કે દુકાનનુ ભાડુ, વીમા કમિશન, મ્યુચ્યુઅલ ફંડની આવક અને સ્ટોક ડિવિડન્ડની આવક હવેથી આ એક જ ફોર્મમાં દર્શાવવી પડશે. આ ફોર્મ 121, આવકવેરો ના ભરવો પડે એટલી આવક મેળવનાર માટે છે.

31 March Deadline: આજે છેલ્લો મોકો ! ટેક્સથી લઈને રોકાણ સુધી.. પહેલા જ પતાવી દેજો આ 5 કામ, નહીં તો થશે દંડ

આવતીકાલથી એપ્રિલ મહિનો શરૂ થઈ રહ્યો છે - જેમાં ઘણા મોટા નાણાકીય ફેરફારો થશે. જો કે, તે પહેલાં, નોંધ લો કે આ અંતિમ દિવસ - 31 માર્ચ - ઘણા મહત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવાની છેલ્લી તક છે. જો તમે આ સમયમર્યાદા ચૂકી જાઓ છો, તો તમને દંડ ભરવો પડી શકે છે

Breaking news: નોકરીયાત ટેક્સપેયર્સ માટે નવી ટેક્સ સિસ્ટમ, Form 16ની જગ્યાએ આવશે નવો દસ્તાવેજ, 1 એપ્રિલથી બદલાશે નિયમ

1 એપ્રિલ, 2026 થી, નવી કર પ્રણાલીમાં ફોર્મ 16 ને ફોર્મ 130 દ્વારા બદલવામાં આવશે. જેમાં વધુ માહિતી હશે. આ ઉપરાંત, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નિર્દેશ મુજબ, ડિજિટલ ચુકવણી માટે ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન ફરજિયાત રહેશે.

Tax-Free Income: આ સરકારી યોજનામાં રોકાણ કર્યું તો નહીં લાગે 1 પણ રુપિયા ટેક્સ, જાણો ડિટેઈલ્સ

રોકાણકારે ફક્ત નાણાકીય લક્ષ્યો પ્રાપ્ત કરવાના ઉદ્દેશ્યથી જ નહીં, પરંતુ ટેક્સથી બચાવવાની પદ્ધતિઓ પર પણ ધ્યાન આપવું જોઈએ. અહીં, આપણે ઘણી સરકારી યોજનાઓનું વિશે જાણીશું જે માત્ર નોંધપાત્ર વળતર જ નહીં આપે પણ ટેક્સ બચાવવામાં સહાય પૂરી પાડે છે.

શું બેંક લોકરમાં રાખેલું ‘સોનું’ વેચવા પર પણ ટેક્સ લાગે છે? જાણો ઇન્કમ ટેક્સના એ નિયમો, જે કદાચ તમને ખબર નથી

આપણે બધા સુરક્ષા માટે 'સોનું' બેંક લોકરમાં તો મૂકી દઈએ છીએ પણ શું તમે જાણો છો કે, ઇન્કમ ટેક્સ વિભાગની નજર તમારા લોકર પર પણ હોઈ શકે છે? એવામાં એક મોટો સવાલ એ છે કે, શું લોકરમાં રાખેલા સોના પર પણ ટેક્સ ભરવો પડે?

Tax ની નવી ઇનિંગ… 1 એપ્રિલથી લાગુ થતાં 10 મોટા ફેરફારો તમારા બજેટને કરશે અસર, ટૂંકમાં સમજો

દેશમાં ટેક્સ સિસ્ટમને સરળ અને પારદર્શક બનાવવા માટે 1 એપ્રિલ, 2026 થી નવા ઇન્કમ ટેક્સ નિયમો લાગુ પડશે. આ નવા નિયમો ડિજિટલ કંપનીઓ, શેરબજારના ટ્રાન્ઝેક્શન્સ અને કર્મચારીઓના ભથ્થાં સહિત 10 મોટા ક્ષેત્રોમાં નોંધપાત્ર ફેરફારો લાવશે.

Gold Rules : ઘરમાં વધારેમાં વધારે કેટલું સોનું રાખી શકાય? પરણિત અને અપરણિત મહિલા માટે પણ છે અલગ અલગ નિયમ, જાણો

ભારતમાં સોનાને માત્ર એક રોકાણ જ નહીં પરંતુ એક મૂલ્યવાન સંપત્તિ માનવામાં આવે છે જે પેઢીઓથી પસાર થાય છે, લગ્નોમાં ભેટમાં આપવામાં આવે છે અને સમય જતાં ધીમે ધીમે એકઠા થાય છે. જો કે, જ્યારે સોના સંબંધિત આવકવેરા નિયમોની વાત આવે છે, ત્યારે ઘણા લોકોના મનમાં પ્રશ્નો હોય છે. શું સોનું રાખવા પર કોઈ મર્યાદા છે? અને જો તમે તેને ઓળંગી જાઓ તો શું થાય છે?

100% નહીં ડાયરેક્ટ 200% દંડ ! કમાણીની એક નાનકડી ભૂલ તમને કંગાળ કરી શકે છે, આ ‘સિક્રેટ’ વિગત ITR માં ક્યારેય ના છુપાવતા

જો તમે નિયમિત રીતે ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ભરો છો, તો આ માહિતી તમારા માટે ખૂબ જ કામની છે. ઘણીવાર આપણે અજાણતા કેટલીક નાની ભૂલો કરી બેસતા હોઈએ છીએ. જો કે, ટેક્સના નિયમો મુજબ એક નાનકડી ચૂક પણ આપણને ભારે પડી શકે છે.

New Income Tax Rule: 1 એપ્રિલથી બદલાઈ જશે ઈન્કમ ટે્કસનો આ નિયમ, ટેક્સપેયર્સ માટે જાણવું જરુરી

taxpayers સરકારના મતે, આ નવા નિયમો નાણાકીય વર્ષ 2026-27 થી અમલમાં આવશે, એટલે કે તેમની અસર આકારણી વર્ષ 2027-28 થી પ્રતિબિંબિત થશે. નિયમો વિવિધ ફોર્મ્યુલા અને થ્રેશોલ્ડ સ્થાપિત કરે છે જેનો ઉપયોગ કર સત્તાવાળાઓ કર્મચારીને મળતા લાભો અથવા લાભોના કરપાત્ર મૂલ્ય નક્કી કરવા માટે કરશે.

જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
ગુજરાતના આદિવાસી પટ્ટામાં ભારે ગરમી વચ્ચે ઊંચુ મતદાન
ગુજરાતના આદિવાસી પટ્ટામાં ભારે ગરમી વચ્ચે ઊંચુ મતદાન
ચૂંટણીઓ ક્યારેય ધર્મ આધારિત ન હોઈ શકે... હર્ષ સંઘવીએ આવું કેમ કહ્યું?
ચૂંટણીઓ ક્યારેય ધર્મ આધારિત ન હોઈ શકે... હર્ષ સંઘવીએ આવું કેમ કહ્યું?
અમરેલીમાં ચૂંટણી સમયે ભાજપ અને AAP કાર્યકરો વચ્ચે ઘર્ષણ, જુઓ Video
અમરેલીમાં ચૂંટણી સમયે ભાજપ અને AAP કાર્યકરો વચ્ચે ઘર્ષણ, જુઓ Video
1.5 ટનનું AC એક રાતમાં કેટલી વીજળી વાપરે છે? જાણો અહીં
1.5 ટનનું AC એક રાતમાં કેટલી વીજળી વાપરે છે? જાણો અહીં
g clip-path="url(#clip0_868_265)">