આવક વેરો

આવક વેરો

આવકવેરો (ઈન્કમ ટેક્સ) એ કોઈપણ વ્યક્તિ અથવા સંસ્થા દ્વારા કરાયેલી કમાણી અથવા નફા પર લાદવામાં આવતો કર છે. સામાન્ય રીતે, આવકવેરાની ગણતરી આવકના આધારે બદલાય છે.

જુદા જુદા કરદાતાઓ માટે અલગ અલગ કર હોય છે. આ કરનો દર તેમની આવક પર આધાર રાખે છે. આ માટે સરકાર દ્વારા સ્લેબ નક્કી કરવામાં આવ્યા છે. કરપાત્ર આવકમાં વધારો થતાં ટેક્સનો દર વધી શકે છે.

કંપનીઓ પર લાદવામાં આવતા ટેક્સને કોર્પોરેટ ટેક્સ તરીકે ઓળખવામાં આવે છે. આવકવેરો સરકાર માટે આવકનો મોટો સ્ત્રોત છે. તેનો ઉપયોગ જાહેર સેવાઓને ભંડોળ આપવા, સરકારી જવાબદારીઓ માટે ચૂકવણી કરવા અને નાગરિકો માટે સામાન પૂરો પાડવા માટે થાય છે. કેન્દ્ર સરકાર ઉપરાંત, ઘણા રાજ્ય અને સ્થાનિક અધિકારક્ષેત્રો પણ વેરો લાદે છે.

Read More

Income Tax Calendar May 2024 : મે મહિના માટે કરી લેજો આ મહત્વના કામ, ચેક કરો મહત્વની તારીખો

Income Tax Calendar May 2024 : મે મહિના માટે આવકવેરાનું કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. આમાં ઘણી તારીખો ખૂબ જ મહત્વપૂર્ણ છે. આમાં પહેલાથી જ ડિડક્ટ કરેલા અને કલેક્ટ કરેલા ટેક્ષને જમા કરાવવા જેવી બાબતોનો સમાવેશ થાય છે.

How To File ITR : હવે જાતે જ ફાઇલ કરી શકશો ઈન્કમ ટેક્સ રિટર્ન, જાણો તેને ફાઇલ કરવાના ઇઝી સ્ટેપ્સ

Income tax filing process : જો તમારી ફાઈનાન્સ બાબતો વધુ કોમ્પ્લિકેટેડ નથી અને તમને આવકવેરા સંબંધિત કેટલાક નિયમોની મૂળભૂત જાણકારી છે, તો તમે તમારું ITR જાતે ભરી શકો છો. અહીં અમે તમને ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવાની સ્ટેપ બાય સ્ટેપ રીત જણાવી રહ્યા છીએ, જેની મદદથી તમે તમારું ITR જાતે ભરી શકો છો.

એપ્રિલમાં ભૂલથી પણ આ ભૂલ ન કરો, નહીંતર ચૂકવવો પડશે વધારે ટેક્સ

આ વર્ષે એપ્રિલમાં થયેલી એક ભૂલ તમને જીવનભર મોંઘી પડી શકે છે અને તમને વધુ ઈન્કમટેક્સ ચૂકવવા માટે દબાણ કરી શકે છે. આવો જાણીએ શું છે આ મામલો...

Income Tax Return : ITR ફાઇલ કરતા પહેલા, જાણો કયું ફોર્મ તમારા માટે યોગ્ય ? ક્યાંથી ભરશો ફોર્મ અને છેલ્લી તારીખ જાણો અહીં

વર્ષ 2024-25 માટે ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ છે. આવી સ્થિતિમાં કરદાતાઓ પાસે હજુ ઘણો સમય છે. જે લોકો પહેલીવાર આવકવેરા રિટર્ન ફાઈલ કરવા જઈ રહ્યા છે, તો તેમને ITR ફોર્મ વિશે સંપૂર્ણ જાણકારી હોવી જોઈએ. આવકવેરા દ્વારા કુલ 6 પ્રકારના ITR ફોર્મ ભરવામાં આવે છે.

ચાલુ શનિ અને રવિવારે બેંક, LIC ઓફિસ અને ઈન્કમ ટેક્સ ઓફિસ ખુલશે, શું આ દિવસે પ્રજાના કામ થશે?

ભારતમાં ઘણી ઓફિસો શનિવાર અને રવિવારે ખુલ્લી રહેશે. તેમાં LIC સહિત તમામ વીમા કંપનીઓની ઓફિસનો સમાવેશ થાય છે. બેંકો અને આવકવેરા વિભાગની કચેરીઓ પણ આ શ્રેણીમાં આવે છે પરંતુ આનું કારણ શું છે?

શું કોંગ્રેસે નથી ચૂકવ્યો ટેક્સ? ઈન્કમ ટેક્સ વિભાગે 1700 કરોડ રિકવર કરવા માટે મોકલી નોટિસ

આ પહેલા ગુરૂવારે જ દિલ્હી હાઈકોર્ટે પણ કોંગ્રેસને રાહત આપવાથી ઈનકાર કરી દીધો. આ નોટિસ ત્યારબાદ મોકલવામાં આવી છે. દિલ્હી હાઈકોર્ટમાં કોંગ્રેસે એક અરજી દાખલ કરી 2017-18થી લઈ 2020-21 સુધીનો ટેકસ વસૂલવાને લઈ નોટિસ મોકલવાનો વિરોધ કર્યો હતો.

Explainer :1લી એપ્રિલથી બદલી જશે ટેક્સના આ નિયમ, જાણો શું આવશે નવો બદલાવ

આ વર્ષે નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશનું વચગાળાનું બજેટ રજૂ કર્યું. ચૂંટણી પછી જુલાઈ મહિનામાં સંપૂર્ણ બજેટ આવવાનું છે. જુલાઇ પછી પણ દેશના ટેક્સ નિયમોમાં ઘણા ફેરફાર થવાની સંભાવના છે, અત્યારે તમારે વર્તમાન ફેરફારો જાણી લેવા જોઈએ.

Ahmedabad :ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા, જુઓ Video

અમદાવાદમાં ડેરી અને હોટલ ઉદ્યોગ ગ્રૂપના 20 સ્થાનો પર આવકવેરા વિભાગ દ્વારા કરવામાં આવેલા દરોડામાં બિન હિસાબી વ્યવહારો મળી આવ્યા છે. અમદાવાદની જાણીતી ગોપાલ ડેરી અને રીવર વ્યુ હોટલ પર IT વિભાગ દ્વારા સર્ચ કરવામાં આવ્યુ હતુ. જેમાં નિષ્ણાંતોની મદદ પણ લેવામાં આવી હતી.

31 March Last Date : 10 દિવસમાં નિપટાવીલો આ 5 કામ નહીંતર મુશ્કેલીમાં મુકાઈ જશો

31 માર્ચ પહેલા તમારે ફાસ્ટેગ કેવાયસી, અપડેટેડ આઈટીઆર, ટીડીએસ ફાઇલિંગ, જીએસટી કમ્પોઝિશન માટે અરજી કરવા જેવી મહત્વપૂર્ણ બાબતો કરવી પડશે. જો તમે આવું ન કરો તો તમારે નુકસાન સહન કરવું પડી શકે છે.

ઈન્કમટેક્સે કોંગ્રેસને 100 કરોડનો ટેક્સ ભરવા ફટકારી નોટીસ, કોંગ્રેસે નોટીસને હાઈકોર્ટમાં પડકારી

કોંગ્રેસે આવકવેરા વિભાગ સામે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે. કોંગ્રેસે હાઈકોર્ટમાં અરજી કરીને ઈન્કમટેક્સ વિભાગને એક કેસમાં પડકાર ફેંક્યો છે, જેમાં તેની સામે ચાર વર્ષ જૂના પુન:મૂલ્યાંકનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ગયા અઠવાડિયે જ કોંગ્રેસને રૂ. 100 કરોડથી વધુના બાકી ટેક્સની વસૂલાત માટે ઈન્કમટેક્સ વિભાગે નોટિસ ફટકારી હતી.

અમેરિકા-યુરોપમાં મંદીના માહોલ વચ્ચે ભારતમાં તેજીનો તોખાર, ઈન્કમટેક્સના ડેટા પણ આપે છે સાબિતી

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ગઈકાલ મંગળવારે જાહેર કરેલા માર્ચ મહિનાના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ભારત 8 ટકાનો જીડીપી વૃદ્ધિ દર જાળવી શકે છે અથવા તેને પણ વટાવી શકે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા અર્થતંત્રની સ્થિતિ પર બહાર પાડેલ માર્ચના બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે, દેશનું અનુકૂળ આર્થિક વાતાવરણ વિકાસ દરને વધુ વધારવાનો આધાર બની શકે છે. આરબીઆઈ દ્વારા કરાયેલા ઉલ્લેખને ગઈકાલે જ સીબીડીટીએ જાહેર કરેલા આવકવેરાના આંકડા પણ સમર્થન આપી રહ્યાં છે. પાછલા વર્ષની સરખામણીએ ચાલુ નાણાકીય વર્ષમાં આવકવેરાની આવકમાં 20 ટકા જેટલો વધારો થવા પામ્યો છે.

શનિવાર-રવિવારે પણ ખુલ્લી રહેશે ઈન્કમ ટેક્સ ઓફિસ, નહીં અટકે તમારૂ કામ

માર્ચના છેલ્લા અઠવાડિયામાં લોન્ગ વીકેન્ડ છે. સરકારી ઓફિસ અને બેન્ક બંધ રહેશે પણ તમને જણાવી દઈએ કે ઈન્કમ ટેક્સ ઓફિસ અને આવકવેરા સેવા કેન્દ્રની રજાઓ હોવા છતાં ખુલ્લા રહેશે.

આવકવેરાની વિક્રમી આવક, ગયા વર્ષની સરખામણીએ 3.13 લાખ કરોડ એટલે કે 20 ટકાનો થયો વધારો

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ મંગળવારે જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ચાલુ નાણાકીય વર્ષમાં 17 માર્ચ સુધી સરકારને ડાયરેક્ટ ટેક્સ તરીકે 18,90,259 કરોડ રૂપિયા મળ્યા છે. જ્યારે નાણાકીય વર્ષ 2022-23માં આ રકમ 15,76,776 કરોડ રૂપિયા હતી. આ રીતે સરકારના ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં 3.13 લાખ કરોડ રૂપિયાનો વધારો થવા પામ્યો છે.

પગારમાંથી કપાઈ ગયો છે ઈન્કમટેક્સ ? હજુ પણ સમય છે, આમ કરીને રિફંડ મેળવી લો

નાણાકીય વર્ષ 2023-24માં આવકવેરામાં છૂટ મેળવવા માટે માત્ર 31 માર્ચ સુધીનો જ સમય છે. નિયમો અનુસાર, જો તમે નાણાકીય વર્ષ 2023-24 માટે આવકવેરામાં છૂટ મેળવવા માંગતા હો, તો તમે કોઈપણ ચિંતા વિના 31 માર્ચ સુધી કરમુક્ત રોકાણ કરીને તેનો લાભ મેળવી શકો છો.

Tax Saving Tips : ટેક્સ બચાવવા કયો વિકલ્પ શ્રેષ્ઠ છે? જાણો અહેવાલ દ્વારા

નાણાકીય વર્ષ 2023-24 પૂરા થવામાં હવે થોડા દિવસો જ બાકી છે. ઘણા લોકો ટેક્સ બચાવવા માટે છેલ્લી ઘડીના રોકાણ માટે દોડી રહ્યા છે. ઇક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ (ELSS) અને પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એટલે કે PPF ટેક્સ બચતના સારા વિકલ્પોમાંના એક છે. આ અહેવાલમાં આ બે પૈકી કયો વિકલ્પ શ્રેષ્ઠ છે તે જાણવા પ્રયત્ન કરીએ...

ધોરણ 12નું પરિણામ આવતા વિદ્યાર્થીઓ ગરબે ઘૂમ્યા, જુઓ Video
ધોરણ 12નું પરિણામ આવતા વિદ્યાર્થીઓ ગરબે ઘૂમ્યા, જુઓ Video
કૃષિ યુનિવર્સિટીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ
કૃષિ યુનિવર્સિટીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ
આ રાશિના જાતકો આજે આજે અચાનક ધનલાભની સંભાવના
આ રાશિના જાતકો આજે આજે અચાનક ધનલાભની સંભાવના
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
g clip-path="url(#clip0_868_265)">