AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Incometax

Incometax

આવકવેરો (ઈન્કમ ટેક્સ) એ કોઈપણ વ્યક્તિ અથવા સંસ્થા દ્વારા કરાયેલી કમાણી અથવા નફા પર લાદવામાં આવતો કર છે. સામાન્ય રીતે, આવકવેરાની ગણતરી આવકના આધારે બદલાય છે.

જુદા જુદા કરદાતાઓ માટે અલગ અલગ કર હોય છે. આ કરનો દર તેમની આવક પર આધાર રાખે છે. આ માટે સરકાર દ્વારા સ્લેબ નક્કી કરવામાં આવ્યા છે. કરપાત્ર આવકમાં વધારો થતાં ટેક્સનો દર વધી શકે છે.

કંપનીઓ પર લાદવામાં આવતા ટેક્સને કોર્પોરેટ ટેક્સ તરીકે ઓળખવામાં આવે છે. આવકવેરો સરકાર માટે આવકનો મોટો સ્ત્રોત છે. તેનો ઉપયોગ જાહેર સેવાઓને ભંડોળ આપવા, સરકારી જવાબદારીઓ માટે ચૂકવણી કરવા અને નાગરિકો માટે સામાન પૂરો પાડવા માટે થાય છે. કેન્દ્ર સરકાર ઉપરાંત, ઘણા રાજ્ય અને સ્થાનિક અધિકારક્ષેત્રો પણ વેરો લાદે છે.

Read More

Breaking News: સુરતમાં IT વિભાગનો સપાટો! સટ્ટાકિંગના ઠેકાણે દરોડા, કરોડોના હવાલા અને રોકડ વ્યવહારોના પર્દાફાશની આશંકા – જુઓ Video

સુરતમાં આવકવેરા વિભાગ દ્વારા લક્ષ્મી ગ્રુપ પર હાથ ધરવામાં આવેલી તપાસ હજુ પણ યથાવત છે. આ સર્ચ ઓપરેશનમાં શહેરના પોશ વિસ્તારમાં થયેલી એક મોટી રિયલ એસ્ટેટ ડીલ તપાસનું મુખ્ય કેન્દ્ર બની છે.

Breaking News: ટેક્સપેયર્સ માટે ‘ગુડ ન્યૂઝ’! સરકાર નાના કરદાતાઓનો બોજ ઘટાડવા લાવશે ‘નવો પ્રસ્તાવ’

નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલ બજેટ 2026-27માં ઇન્કમ ટેક્સ ક્ષેત્રે મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે, જેમાં જૂના કાયદાના સ્થાને નવો 'ઇન્કમ ટેક્સ એક્ટ 2025' 1 એપ્રિલ 2026થી લાગુ થશે અને ટેક્સ ફોર્મ્સને સરળ બનાવવામાં આવશે.

Budget 2026 Nirmala Sitharaman Speech LIVE: અંબાજી ગબ્બર 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં 5,01,398 શ્રદ્ધાળુએ મુલાકાત લીધી

Budget Session 2026 Parliament LIVE: દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ આગામી થોડા કલાકોમાં બજેટ રજૂ કરવાના છે. રોકાણકારો તેમની જાહેરાતો પર ઉત્સુકતાથી નજર રાખશે, પરંતુ તેમને શેરબજાર પાસેથી પણ ઘણી અપેક્ષાઓ છે. 2017 થી, બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવી રહ્યું છે. આ પરંપરા 2026 માં 10 વર્ષ પૂર્ણ કરશે.

Budget 2026 : શું Old Tax Regime કાયમ માટે સમાપ્ત થશે ? જાણો ડેટા શું સૂચવે છે

બજેટ 2026 પહેલા, કરદાતાઓના મનમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે, શું જૂની કર વ્યવસ્થા (Old Tax Regime) નાબૂદ કરવામાં આવશે ? સરકાર સતત નવી કર વ્યવસ્થાને વધુ આકર્ષક બનાવી રહી છે અને તેને જૂની કર વ્યવસ્થાનો વિકલ્પ પણ બનાવી દીધી છે.

Budget 2026 : ટેક્સનો ભાર થશે ‘હળવો’? શું નોકરીયાત વર્ગને ટેક્સમાં મળશે ‘મોટી રાહત’? ઇન્કમ ટેક્સના આ 10 ખાસ મુદ્દા પર લોકોની નજર

કેન્દ્ર સરકાર રવિવાર, 1 ફેબ્રુઆરી 2026 ના રોજ સવારે 11 કલાકે સંસદમાં કેન્દ્રીય બજેટ 2026 રજૂ કરશે. આ બજેટથી નોકરીયાત વર્ગના (Salary Class) લોકોને ઘણી આશાઓ છે.

Gold tax Rules : સોના અને ચાંદીમાંથી કમાણી કરી રહ્યા હોવ તો સાવધાન, આ ભૂલ કરશો તો લાગશે Tax, જાણો

સોના-ચાંદીના રોકાણ પર કર લાગુ પડે છે, જે રોકાણના પ્રકાર અને હોલ્ડિંગ અવધિ પર આધાર રાખે છે. આટલા સમય થી વધુ સમય રાખેલ રોકાણ પર લાંબા ગાળાનો મૂડી લાભ (LTCG) કર લાગે છે

Breaking News : વહેલી સવારથી IT અધિકારીઓના અમદાવાદમાં ધામા, 33 સ્થળોએ મેગા ઑપરેશન શરુ, જુઓ Video

ગુજરાતમાં ફરી એક વખત વહેલી સવારથી આવકવેરા વિભાગનું મેગા સર્ચ ઓપરેશન ધમધમી રહ્યું છે. અનેક કંપનીના માલિકો અને ઓફિસમાં દરોડા પાડવામાં આવ્યા છે.

લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પાસે આવેલ કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ વિભાગે દરોડા પાડ્યા છે. સામાન્ય રીતે ઈન્કમટેક્સ વિભાગ, કોઈના ઘરે, ઓફિસે, ગોડાઉન પર, ફેકટરી ટુંકમાં વ્યવસાયના સ્થળે દરોડા પાડતું હોય છે. પરંતુ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં તો આવકવેરા વિભાગે ટોલ પ્લાઝા પર તવાઈ બોલાવી છે.

Tax On Stock: શેર ખરીદીને 5 વર્ષ સુધી રાખ્યા છે તો તેના પર કેટલો લાગશે ટેક્સ? જાણો અહીં

જો ઇક્વિટી શેર અથવા ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ એક વર્ષથી વધુ સમય માટે રાખવામાં આવે છે, તો તેમાંથી મેળવેલો નફો લોન્ગ ટર્મ શ્રેણીમાં આવે છે. અહીં હોલ્ડિંગ સમયગાળો પાંચ વર્ષ હોવાથી, તે સંપૂર્ણપણે LTCG દ્વારા આવરી લેવામાં આવશે.

દેશમાં કરોડપતિ કરદાતાની સંખ્યા વધી, મોખરે રહેલ ગુજરાતમાં કેટલા છે કરોડપતિ કરદાતા ? જાણો

ભારતમાં કરોડપતિ કરદાતાઓની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે, જો કે આવકવેરા રિટર્ન ભરનારાઓની કુલ સંખ્યામાં તેની સરખામણીએ નજીવો વધારો થયો છે. કરોડપતિ કરદાતા એ, ઉચ્ચ વર્ગમાં વધતી જતી મજબૂત આવક અને સુધારેલા કર પ્રણાલીનુ પ્રતિબિંબ છે. ચાલો આને વિગતવાર સમજીએ.

Income Tax Portal : હવે આવકવેરો ભરવો બનશે એક દમ સરળ, ઈ-પોર્ટલ પર આવ્યું મોટું અપડેટ

આવકવેરા વિભાગે ITR પોર્ટલ પર નવી સુવિધા શરૂ કરી છે. હવે કરદાતાઓ ટ્રાન્સફર પ્રાઇસિંગ (TP), DRP અને રિવિઝન ઓર્ડરમાં થયેલી ભૂલો સુધારવા માટે સીધી ઓનલાઈન અરજી કરી શકશે.

ઇન્કમ ટેક્સનો મેસેજ જોઈ ગભરાશો નહીં: જાણો કયા કિસ્સામાં નોટિસને અવગણી શકાય અને ક્યારે રિપ્લાય આપવો જરૂરી

ઇન્કમ ટેક્સ વિભાગની નોટિસ મળતાં જ ઘણા કરદાતાઓ ગભરાઈ ગયા છે. દંડ કે તપાસની ભીતિ વચ્ચે હવે વિભાગે જાતે સ્પષ્ટતા કરી છે. CBDTએ જણાવ્યું છે કે આવી ઇમેઇલ્સ અને SMS કોઈ કાર્યવાહી માટે નહીં, પરંતુ માત્ર ચેતવણીરૂપ સલાહ છે. તો આ નોટિસ કેમ આવે છે, શું કરવું જોઈએ અને ક્યારે અવગણવી સુરક્ષિત છે? જાણો સંપૂર્ણ વિગતો…

Deadline Alert: 31 ડિસેમ્બર સુધીમાં પતાવી દેજો આ મહત્વના કામો, નહીંતર પસ્તાવો

ડિસેમ્બર 2025 એ વર્ષનો છેલ્લો મહિનો જ નહીં, પણ ઘણી મહત્વપૂર્ણ ટેક્સ ડેડલાઇન માટે છેલ્લી તક પણ છે. 31 ડિસેમ્બરની ડેડલાઇન ધરાવતા બે નાણાકીય કાર્યો વિશે જાણો. આ કાર્યો સમયસર પૂર્ણ કરવા ખૂબ જ મહત્વપૂર્ણ છે જેથી પાછળથી પસ્તાવાની કોઈ જગ્યા ન રહે.

Breaking News : બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના મુંબઈ સ્થિત ઘરમાં Income Tax ના દરોડા

બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના મુંબઈ નિવાસસ્થાને આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે. આ કાર્યવાહી રાજ કુંદ્રા સાથે સંકળાયેલા બાસ્ટિયન રેસ્ટોરન્ટના નાણાકીય વ્યવહારો અને કથિત ટેક્સ ગેરરીતિઓની તપાસ માટે થઈ છે.

ટેક્સ સિસ્ટમમાં થશે ‘એક ખાસ સુધારો’! 8 લાખ રૂપિયા સુધીની ‘ટેક્સ છૂટ’? શું Budget 2026 માં મધ્યમ વર્ગને મળશે મોટી રાહત?

Budget 2026 માં મધ્યમ વર્ગને મોટી રાહત મળવાની સંભાવના છે. આ વ્યવસ્થાથી પરિવારોને 6 થી 8 લાખ રૂપિયા સુધીની ટેક્સ છૂટ મળી શકે છે. આનાથી માસિક ખર્ચ અને વધતી જતી મોંઘવારીના દબાણમાં ઘટાડો થઈ શકે છે.

g clip-path="url(#clip0_868_265)">