AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Incometax

Incometax

આવકવેરો (ઈન્કમ ટેક્સ) એ કોઈપણ વ્યક્તિ અથવા સંસ્થા દ્વારા કરાયેલી કમાણી અથવા નફા પર લાદવામાં આવતો કર છે. સામાન્ય રીતે, આવકવેરાની ગણતરી આવકના આધારે બદલાય છે.

જુદા જુદા કરદાતાઓ માટે અલગ અલગ કર હોય છે. આ કરનો દર તેમની આવક પર આધાર રાખે છે. આ માટે સરકાર દ્વારા સ્લેબ નક્કી કરવામાં આવ્યા છે. કરપાત્ર આવકમાં વધારો થતાં ટેક્સનો દર વધી શકે છે.

કંપનીઓ પર લાદવામાં આવતા ટેક્સને કોર્પોરેટ ટેક્સ તરીકે ઓળખવામાં આવે છે. આવકવેરો સરકાર માટે આવકનો મોટો સ્ત્રોત છે. તેનો ઉપયોગ જાહેર સેવાઓને ભંડોળ આપવા, સરકારી જવાબદારીઓ માટે ચૂકવણી કરવા અને નાગરિકો માટે સામાન પૂરો પાડવા માટે થાય છે. કેન્દ્ર સરકાર ઉપરાંત, ઘણા રાજ્ય અને સ્થાનિક અધિકારક્ષેત્રો પણ વેરો લાદે છે.

Read More

Tax On Stock: શેર ખરીદીને 5 વર્ષ સુધી રાખ્યા છે તો તેના પર કેટલો લાગશે ટેક્સ? જાણો અહીં

જો ઇક્વિટી શેર અથવા ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ એક વર્ષથી વધુ સમય માટે રાખવામાં આવે છે, તો તેમાંથી મેળવેલો નફો લોન્ગ ટર્મ શ્રેણીમાં આવે છે. અહીં હોલ્ડિંગ સમયગાળો પાંચ વર્ષ હોવાથી, તે સંપૂર્ણપણે LTCG દ્વારા આવરી લેવામાં આવશે.

દેશમાં કરોડપતિ કરદાતાની સંખ્યા વધી, મોખરે રહેલ ગુજરાતમાં કેટલા છે કરોડપતિ કરદાતા ? જાણો

ભારતમાં કરોડપતિ કરદાતાઓની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે, જો કે આવકવેરા રિટર્ન ભરનારાઓની કુલ સંખ્યામાં તેની સરખામણીએ નજીવો વધારો થયો છે. કરોડપતિ કરદાતા એ, ઉચ્ચ વર્ગમાં વધતી જતી મજબૂત આવક અને સુધારેલા કર પ્રણાલીનુ પ્રતિબિંબ છે. ચાલો આને વિગતવાર સમજીએ.

Income Tax Portal : હવે આવકવેરો ભરવો બનશે એક દમ સરળ, ઈ-પોર્ટલ પર આવ્યું મોટું અપડેટ

આવકવેરા વિભાગે ITR પોર્ટલ પર નવી સુવિધા શરૂ કરી છે. હવે કરદાતાઓ ટ્રાન્સફર પ્રાઇસિંગ (TP), DRP અને રિવિઝન ઓર્ડરમાં થયેલી ભૂલો સુધારવા માટે સીધી ઓનલાઈન અરજી કરી શકશે.

ઇન્કમ ટેક્સનો મેસેજ જોઈ ગભરાશો નહીં: જાણો કયા કિસ્સામાં નોટિસને અવગણી શકાય અને ક્યારે રિપ્લાય આપવો જરૂરી

ઇન્કમ ટેક્સ વિભાગની નોટિસ મળતાં જ ઘણા કરદાતાઓ ગભરાઈ ગયા છે. દંડ કે તપાસની ભીતિ વચ્ચે હવે વિભાગે જાતે સ્પષ્ટતા કરી છે. CBDTએ જણાવ્યું છે કે આવી ઇમેઇલ્સ અને SMS કોઈ કાર્યવાહી માટે નહીં, પરંતુ માત્ર ચેતવણીરૂપ સલાહ છે. તો આ નોટિસ કેમ આવે છે, શું કરવું જોઈએ અને ક્યારે અવગણવી સુરક્ષિત છે? જાણો સંપૂર્ણ વિગતો…

Deadline Alert: 31 ડિસેમ્બર સુધીમાં પતાવી દેજો આ મહત્વના કામો, નહીંતર પસ્તાવો

ડિસેમ્બર 2025 એ વર્ષનો છેલ્લો મહિનો જ નહીં, પણ ઘણી મહત્વપૂર્ણ ટેક્સ ડેડલાઇન માટે છેલ્લી તક પણ છે. 31 ડિસેમ્બરની ડેડલાઇન ધરાવતા બે નાણાકીય કાર્યો વિશે જાણો. આ કાર્યો સમયસર પૂર્ણ કરવા ખૂબ જ મહત્વપૂર્ણ છે જેથી પાછળથી પસ્તાવાની કોઈ જગ્યા ન રહે.

Breaking News : બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના મુંબઈ સ્થિત ઘરમાં Income Tax ના દરોડા

બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના મુંબઈ નિવાસસ્થાને આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે. આ કાર્યવાહી રાજ કુંદ્રા સાથે સંકળાયેલા બાસ્ટિયન રેસ્ટોરન્ટના નાણાકીય વ્યવહારો અને કથિત ટેક્સ ગેરરીતિઓની તપાસ માટે થઈ છે.

ટેક્સ સિસ્ટમમાં થશે ‘એક ખાસ સુધારો’! 8 લાખ રૂપિયા સુધીની ‘ટેક્સ છૂટ’? શું Budget 2026 માં મધ્યમ વર્ગને મળશે મોટી રાહત?

Budget 2026 માં મધ્યમ વર્ગને મોટી રાહત મળવાની સંભાવના છે. આ વ્યવસ્થાથી પરિવારોને 6 થી 8 લાખ રૂપિયા સુધીની ટેક્સ છૂટ મળી શકે છે. આનાથી માસિક ખર્ચ અને વધતી જતી મોંઘવારીના દબાણમાં ઘટાડો થઈ શકે છે.

ઇન્કમ ટેક્સ વિભાગ એક્શન મોડમાં! નકલી ડિડક્શન અને છૂટ સામે હવે લાલ આંખ કરાશે, તમારી હોશિયારી તમને જ ભારે પડશે

ઇન્કમ ટેક્સ વિભાગે છેતરપિંડી કપાત અને મુક્તિનો દાવો કરનારા તમામ કરદાતાઓને ચેતવણી જારી કરી છે. આ માટે, વિભાગે છેતરપિંડી કરનારા કરદાતાઓને ઓળખવા માટે સમર્પિત NUDGE ઝુંબેશ શરૂ કરી છે.

અમદાવાદમાં 35 સ્થળો પર ITનું સર્ચ ઓપરેશન,ગુલમહોર ક્લબ ખાતે ITની તપાસમાં મોટી માત્રામાં બેનામી વ્યવહારો સામે આવે તેવી શક્યતા

અમદાવાદમાં આઇટી વિભાગ દ્વારા ચાલી રહેલું સર્ચ ઓપરેશન યથાવત છે. આઇટી ટીમો ગુલમહોર ગ્રીન્સ ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ ખાતે પણ સઘન તપાસ કરી રહી છે. પ્રાથમિક તબક્કે કુલ 35 જેટલા સ્થળો પર આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું,

Year Ender 2025 : તમારા માટે આ છેલ્લી તક ! 31 ડિસેમ્બર પહેલા આટલા અગત્યના કામ જરૂરથી પૂર્ણ કરો

ડિસેમ્બરની શરૂઆત સાથે જ ટેક્સ, બેંકિંગ અને સરકારી દસ્તાવેજો સંબંધિત કાર્યોની Deadline નજીક આવી રહી છે. એવામાં ચાલો સમજીએ કે, 31 ડિસેમ્બર પહેલાં તમારે કયા કયા કામ પૂર્ણ કરવાના રહેશે.

કાર ડીલર પાસેથી મેળવો તમારા હક્કના રૂપિયા! 10 લાખ રૂપિયાથી વધુ કિંમતની કાર ખરીદવા પર ₹10,000 નું રિફંડ મળશે, આવું કેવી રીતે શક્ય છે?

જો તમે તાજેતરમાં 10 લાખ રૂપિયાથી વધુ કિંમતની કાર ખરીદી છે, તો તમારા માટે એક સારા સમાચાર બહાર આવ્યા છે. વાત એમ છે કે, હવે તમે તમારા હકના રૂપિયા કાર ડીલર પાસેથી મેળવી શકો છો. બસ આ માટે તમારે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવાની છે.

‘ટેક્સપેયર્સ’ ધ્યાન રાખો ! 1 કે 2 નહીં… 8 પ્રકારની હોય છે ‘ઇન્કમ ટેક્સ’ નોટિસ, શું તમને દરેકનો અર્થ ખબર છે?

જો તમે ITR ફાઇલ કરતી વખતે આવક છુપાવી હોય, ટેક્સ બચતવાળા રોકાણનો પુરાવો ન આપ્યો હોય, ક્રેડિટ કાર્ડ પર વધારે ખર્ચ કર્યો હોય અથવા કોઈ નાણાકીય વ્યવહાર કર્યો હોય, જે વિભાગના રેકોર્ડ સાથે મેળ ખાતો ન હોય, તો ઇન્કમ ટેક્સ નોટિસ ચોક્કસપણે તમારા ઘરે આવશે.

Income Tax : ટેક્સપેયર્સ માટે ખાસ ! ડિસેમ્બરની આ 4 તારીખો અત્યંત મહત્વપૂર્ણ, આ તક ભૂલથી પણ ના ચુકતા

ડિસેમ્બર મહિનો 'ટેક્સપેયર્સ' માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. વર્ષ 2025 ના છેલ્લા મહિનામાં કરદાતાઓએ ચાર ખૂબ જ મહત્વપૂર્ણ તારીખો પર નજર રાખવાની જરૂર છે.

માતા-પિતાના મૃત્યુ પછી જોઇન્ટ બેંક એકાઉન્ટમાંથી મળેલી રકમ પર ‘ટેક્સ’ લાગશે કે નહીં? શું તમને આવકવેરા વિભાગના આ નિયમ વિશે ખબર છે?

ઘણા લોકો મૂંઝવણમાં હોય છે કે, શું માતા-પિતાના મૃત્યુ પછી તેમના જોઇન્ટ બેંક એકાઉન્ટમાંથી આપણા નામે ટ્રાન્સફર થયેલી રકમ પર ઈન્કમ ટેક્સ ચૂકવવો પડશે કે નહીં?

ITR Refund Status: શું તમને હજુ સુધી ITR રિફંડ મળ્યું નથી? આ રીતે સ્ટેટ્સ ચેક કરો, તરત ખબર પડી જશે

દર વર્ષની જેમ આ વર્ષે પણ લાખો કરદાતાઓએ ITR ફાઇલ કર્યું છે. આમાંના મોટાભાગના કરદાતાઓને રિફંડ મળી ગયેલ છે પરંતુ લાખો લોકો હજુ પણ રિફંડની રાહ જોઈ રહ્યા છે.

g clip-path="url(#clip0_868_265)">