પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયામાં ત્રણ દાયકાથી પણ વધુ વિવિધ ક્ષેત્રના રિપોર્ટીગ અને ડેસ્કનો અનુભવ. ગુજરાતના રાજકારણ, ગુજરાત વિધાનસભા, મહાનગરપાલિકા, રાજકીય પક્ષો, સચિવાલય, કેન્દ્રીય તપાસ એજન્સી, બિઝનેસ સહિત અનેક ક્ષેત્રે ત્રણ દશકના રિપોર્ટિંગનો અનુભવ. ગુજરાતી ડિજિટલ મીડિયામાં કન્ટેન્ટ એડીટર તરીકેની કામગીરી.
Breaking News : 3 જુલાઈથી PF ખાતાઓમાં જમા થશે 8.25 % વ્યાજ, કેટલું વ્યાજ આવ્યું છે તે કયાંથી, કેવી રીતે જાણી શકો
આવતીકાલ 3 જુલાઈથી, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન PF ખાતાઓમાં 8.25 % લેખે વ્યાજ જમા કરવાની પ્રક્રિયા શરૂ કરશે. આગામી 15 દિવસમાં આશરે 7 કરોડ સક્રિય પ્રોવિડન્ડ ફંડ ધારકોના ખાતાઓમાં વ્યાજ જમા કરવામાં આવશે. ખાતાધારકો કેટલું વ્યાજ મળ્યું છે તે કેવી રીતે અને ક્યાથી જોઈ કે જાણી શકે તે આ અહેવાલ થકી જાણો.
- Bipin Prajapati
- Updated on: Jul 2, 2026
- 8:33 pm
ભાવ જ ના વધ્યા હોય તો ઘટવાની વાત જ કેવી ? પેટ્રોલ-ડીઝલના ભાવ પર બોલ્યા પ્રધાન હરદીપસિંહ પુરી
ક્રુડ ઓઈલના ભાવમાં ઘટાડાનો ફાયદો તાત્કાલિક નથી મળતો. આંતરરાષ્ટ્રીય બજારમાં નીચા ભાવની અસર ભારત સુધી પહોંચવામાં અને કંપનીઓના ખર્ચમાં પ્રતિબિંબિત થવામાં સમય લાગે છે.
- Bipin Prajapati
- Updated on: Jul 2, 2026
- 7:10 pm
અમરનાથ યાત્રાને નિશાન બનાવવાનું પાકિસ્તાનનુ કાવતરુ, એજન્સી એલર્ટ
અમરનાથ યાત્રાને નિશાન બનાવવા માટે પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓના આકાઓએ, સાંબા અને કઠુઆ સેકટરમાં ડ્રોનથી શસ્ત્રો પહોચાડવાનું કાવતરું ઘડવામાં આવ્યું હોવાની માહિતી ગુપ્તચર એજન્સીને મળી છે. જેના આધારે સુરક્ષા વ્યવસ્થામાં જોડાયેલ વિવિધ એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. આજે 2 જુલાઈના રોજથી અમરનાથની યાત્રાએ જવા માટે યાત્રીકો રવાના થયા છે. યાત્રાનો પ્રારંભ 3 જુલાઈથી થશે.
- Bipin Prajapati
- Updated on: Jul 2, 2026
- 2:47 pm
સજા પુરી કરી ચૂકેલા 188 ભારતીયોને જેલ મુક્ત કરવા પાકિસ્તાનને સોંપાઈ યાદી, મોટાભાગના ગુજરાતી માછીમારો
કાશ્મીરના પહેલગામના બૈસરન ઘાટીમાં ગયા વર્ષે પાકિસ્તાનના મુસ્લિમ આતંકીઓએ હિન્દુ પ્રવાસીઓ પર કરેલા હિચકારા હુમલા બાદ, ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો સાવ વણસ્યા છે. ભારતે કેટલાક પગલાંઓ લઈને પાકિસ્તાનને પાઠ ભણાવવાનુ શરૂ કર્યું છે. હવે ભારતે, પાકિસ્તાનમાં સજા પૂરી કરી ચૂકેલા 188 ભારતીયોને તાકીદે જેલ મુક્ત કરવા માટે એક યાદી સોંપી છે.
- Bipin Prajapati
- Updated on: Jul 2, 2026
- 1:54 pm
ગુજરાત સરકારની અનોખી પહેલ, રાજ્યમાં 18 વર્ષ સુધીના દરેક બાળકનો બનશે ‘હેલ્થ પાસપોર્ટ’
ગુજરાત સરકાર, જન્મથી લઈને 18 વર્ષ સુધીના દરેકના સ્વાસ્થયને લગતો હેલ્થ પાસપોર્ટ તૈયાર કરશે. આ હેલ્થ પાસપોર્ટમાં દર વર્ષે લગભગ 1.89 કરોડ બાળકોનું હેલ્થ ચેકઅપ કરીને તેનો રિપોર્ટ નોંધવામાં આવશે. સ્ક્રીનિંગ અને ડિજિટલ પ્લેટફોર્મ પર ડેટા એન્ટ્રી બાદ બાળકોને આ હેલ્થ પાસપોર્ટ સ્થળ પર જ આપવામાં આવશે. આ હેલ્થ પાસપોર્ટના આધારે પાસપોર્ટ ધારકના આરોગ્યની તમામે તમામ વિગતો એક જ ક્લિકના આધારે જાણી શકાશે.
- Bipin Prajapati
- Updated on: Jul 1, 2026
- 4:09 pm
સૌરાષ્ટ્ર-મધ્ય ગુજરાત સુધી પહોચ્યું નૈઋત્યનુ ચોમાસુ, 3 જુલાઈએ બનશે લો-પ્રેશર સિસ્ટમ, દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી 3 જુલાઈ, 2026 આસપાસ ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીમાં લો-પ્રેશર સિસ્ટમ આકાર પામે તેવી શક્યતા છે. તેલો-પ્રેશર સિસ્ટમના પ્રભાવથી દેશના મધ્ય વિસ્તારોમાં આગામી 5થી 6 દિવસ દરમિયાન ચોમાસું સક્રિય રહેશે અને વરસાદની તીવ્રતા વધવાની સંભાવના છે. સાથોસાથ ચોમાસુ દેશના બાકીના પ્રદેશમાં પણ આગળ વધે તેવી સંભાવના છે.
- Bipin Prajapati
- Updated on: Jul 1, 2026
- 2:34 pm
યુરોપમાં 40 ડિગ્રી તાપમાનમાં રસ્તા તુટી જાય છે, જ્યારે ભારતમાં 45 ડિગ્રી ગરમીમાં પણ રસ્તા કેમ એવાને એવા જ રહે છે ?
આ વર્ષે યુરોપમાં ભારે ગરમી પડી રહી છે. ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચતા જ અનેક સમસ્યાઓ સર્જાઈ છે. જો કે, આ વર્ષે ભીષણ ગરમીમાં રસ્તાઓ પરનો ડામર પીગળી ગયાના વીડિયો વાયરલ થયા છે. આવા સંજોગોમાં ભારતમાં રહેનારા સૌ કોઈને એ પ્રશ્ન થાય કે ભારતમાં ઉનાળામાં પડતી 45 ડિગ્રી ગરમીમાં રોડ પરનો ડામર ઓગળતો નથી અને યુરોપમાં કેમ 40 ડિગ્રી ગરમીમાં રસ્તા પરનો ડામર પીગળવા લાગે છે ?
- Bipin Prajapati
- Updated on: Jul 1, 2026
- 2:04 pm
Breaking News : કાશ્મીરી પંડિત સરલા ભટ્ટના પરિવારજનોને 36 વર્ષ બાદ ન્યાય મળવાની જાગી આશા, ચાર્જશીટમાં આતંકી યાસીન મલિકનું નામ
કાશ્મીરમાં 1990ના સમયગાળામાં પંડિતો અને હિન્દુઓ વિરુદ્ધ ફાટી નીકળેલ હિંસા સમયે, શ્રીનગરની સરકારી હોસ્પિટલની નર્સ સરલા ભટ્ટનું અપહરણ, બળાત્કાર અને હત્યા કરવાના કેસમાં આતંકી યાસિન મલિકનુ નામ ચાર્જશીટમાં દાખલ કરવામાં આવ્યું છે. આ ઘટનાને પગલે, સરલા ભટ્ટના પરિવારજનોને 36 વર્ષ બાદ ન્યાય મળવાની આશા જાગી છે.
- Bipin Prajapati
- Updated on: Jun 29, 2026
- 4:05 pm
હવેથી જી રામ જી, ગ્રામ્ય વિસ્તારના લોકોને આપશે રોજગારી, બે દાયકા બાદ મનરેગાનો યુગ થયો સમાપ્ત
લગભગ બે દાયકાથી દેશના ગ્રામીણ વિસ્તારોમાં સેવા આપતો ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદો, મનરેગા ૧ જુલાઈએ સમાપ્ત થવાનો છે. તેને 'VB-G RAM G' દ્વારા બદલવામાં આવશે. નબળા ચોમાસા વચ્ચે નવી યોજના કઠોર કસોટીનો સામનો કરશે.
- Bipin Prajapati
- Updated on: Jun 29, 2026
- 1:35 pm
8th Pay Commission : ફિટમેન્ટ ફેક્ટરમાં ફેરફાર સાથે સરકારી કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે ? ગણિત સમજો
કેન્દ્રીય સરકારી કર્મચારીઓ 8મા પગાર પંચ સંબંધિત સારા સમાચારની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પગાર પંચની નવા પગાર માટેની ભલામણમાં 'ફિટમેન્ટ ફેક્ટર' મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે, કારણ કે તે નવા બેઝિક પગાર અને હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA) નક્કી કરે છે. જો આ ફિટમેન્ટ ફેક્ટર 2 થી 3 ગણો વધે છે, તો કર્મચારીઓને તેમના પગારમાં નોંધપાત્ર વધારો જોવા મળશે. ચાલો સમજીએ કે બેઝિક પગારમાં વધારા સાથે કર્મચારીઓના પગાર ભથ્થામાં પણ કેવી રીતે વધારો થશે.
- Bipin Prajapati
- Updated on: Jun 28, 2026
- 2:48 pm
સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક દલા તલવાડીની માફક સરકારી જમીનના પ્લોટ પાડીને વહેંચી લેનારા ઉચ્ચ અધિકારીઓના બાંધકામ પર દાદાનુ બૂલડોઝર ચાલ્યું, જુઓ વીડિયો
સરકારી જમીન, સરકારી જમીનના પ્લોટ પાડનાર સરકારી અધિકારી અને પ્લોટ ખરીદનારા પણ સરકારી બાબુઓ જ. દલા તલવાડીની માફક નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક મોકાની જગ્યાએ આવેલ સરકારી જમીનના પ્લોટ પાડીને ખરીદી લઈને બંગ્લા બાંધનારા સરકારી બાબુઓ પર સરકારની તવાઈ આવી છે. 11 અધિકારીઓ પૈકી 5 અધિકારીઓના બંગ્લા ઉપર દાદાનું બૂલડોઝર ખુબ જ ઝડપથી ચાલી રહ્યું છે.
- Bipin Prajapati
- Updated on: Jun 28, 2026
- 12:26 pm
અફઘાનિસ્તાનમાં જોરદાર ભૂકંપ, ભારતના અનેક શહેરોમાં અનુભવાયા આંચકા, જુઓ વીડિયો
અફઘાનિસ્તાનમાં આવેલા શક્તિશાળી ભૂકંપની અસર ભારતના અનેક શહેરમાં પણ અનુભવાઈ હતી. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.2 નોંધાઈ હતી. અફઘાનિસ્કાનમાં આવેલા ભૂકંપની અસર ભારતના જમ્મુ અને કાશ્મીર અને ગુરુગ્રામ સહિત વિવિધ શહેરોમાં ઉચી ઇમારતોમાં રહેતા અનેક લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા.
- Bipin Prajapati
- Updated on: Jun 28, 2026
- 9:35 am