પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયામાં ત્રણ દાયકાથી પણ વધુ વિવિધ ક્ષેત્રના રિપોર્ટીગ અને ડેસ્કનો અનુભવ. ગુજરાતના રાજકારણ, ગુજરાત વિધાનસભા, મહાનગરપાલિકા, રાજકીય પક્ષો, સચિવાલય, કેન્દ્રીય તપાસ એજન્સી, બિઝનેસ સહિત અનેક ક્ષેત્રે ત્રણ દશકના રિપોર્ટિંગનો અનુભવ. ગુજરાતી ડિજિટલ મીડિયામાં કન્ટેન્ટ એડીટર તરીકેની કામગીરી.
સરકારી કાર્યક્રમ, બેઠક, પરિષદમાં સમોસા, વડાપાંઉ, પકોડાને બદલે પૌષ્ટીક નાસ્તો આપવાનો મહારાષ્ટ્રે કર્યો નિર્ણય
મહારાષ્ટ્ર સરકારે, તેમની સત્તાવાર બેઠકો, મીટીગ, પરિષદ અને સંમેલનમાં પિરસવામાં આવતા નાસ્તામાં ફેરફાર કર્યો છે. ન્ટીનના મેનુમાં નોંધપાત્ર ફેરફાર કરીને સરકારી કાર્યક્રમ દરમિયાન ફળો, પૌંવા, બાફેલા ઈંડા અને ઈડલી-સાંભાર જેવા સ્વસ્થપ્રદ નાસ્તાના વિકલ્પો હવે તળેલા નાસ્તાનું સ્થાન લેશે.
- Bipin Prajapati
- Updated on: Sep 2, 2026
- 5:05 pm
Breaking News : અમરેલીનો ચર્ચાસ્પદ પાયલ ગોટી લેટરકાંડ : ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે રૂ. 7.5 લાખ ચુકવવા માનવ અધિકાર પંચનો સરકારને આદેશ
પાયલ ગોટી લેટરકાંડ પ્રકરણમાં પોલીસે કરેલી કાર્યવાહી સામે અનેક સવાલો ઉઠ્યા હતા. ખાસ કરીને ગેરકાયદે ધરપકડ અને પરેડ કરાવવાના આક્ષેપોને લઈને રાષ્ટ્રીય માનવાધિકાર આયોગમાં ફરિયાદ કરવામાં આવી હતી. આ ફરિયાદના આધારે આયોગ દ્વારા મામલાની સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
- Bipin Prajapati
- Updated on: Sep 2, 2026
- 3:29 pm
રાજકોટ લોકમેળાનો આજથી પ્રારંભ, પરંતુ રાઇડ્સને હજુ સુધી મંજૂરી નહીં મળતા મેળો ફિક્કો રહેશે
મેળામાં રાઇડ્સ શરૂ કરવા માટે રાજકોટ સિટી રાઇડ્સ એન્ડ સેફ્ટી કમિટી દ્વારા મંજૂરી આપવામાં આવે છે. આ કમિટીમાં વિવિધ વિભાગોના 13 જેટલા સભ્યોનો સમાવેશ થાય છે. રાજકોટના લોકમેળામાં કુલ 34 રાઇડ્સ માટે 11 જેટલા સંચાલકોએ અરજી કરી છે. જોકે, અત્યાર સુધી કમિટી દ્વારા એકપણ રાઇડ માટે મંજૂરી આપવામાં આવી નથી. જેના કારણે પોલીસ વિભાગ દ્વારા પણ રાઇડ્સ શરૂ કરવા માટે અંતિમ મંજૂરી આપવામાં આવી નથી.
- Bipin Prajapati
- Updated on: Sep 2, 2026
- 2:41 pm
OBC અનામતઃ મા-બાપની આવક વધુ હોય તો તેમના બાળકને અનામતના લાભથી વંચિત ના રાખી શકાય, કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટ તરફથી કોઈ રાહત ના મળી
કેન્દ્ર સરકારે 11 માર્ચે જાહેર કરેલા આદેશની સ્પષ્ટતા માટે વિનંતી કરીને OBC ક્રીમી લેયર કેસ અંગે સુપ્રીમ કોર્ટ પાસેથી તાત્કાલિક રાહત માંગી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે કેન્દ્રની વિનંતીને ફગાવી દીધી હતી. આ કેસમાં હવે વધુ સુનાવણી આગામી 17 સપ્ટેમ્બરે હાથ ધરાશે.
- Bipin Prajapati
- Updated on: Sep 2, 2026
- 2:16 pm
અમદાવાદમાં સ્વાઈન ફ્લૂ, ડેન્ગ્યુ-મલેરિયાના કેસમાં મોટો ઉછાળો, 30 દિવસમાં સ્વાઈન ફ્લૂના 200 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરાયા
Ahmedabad Swine Flu Cases : શહેરમાં સ્વાઈન ફ્લૂના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 30 દિવસમાં સ્વાઈન ફ્લૂના 200 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમાંથી 140 દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી છે, જ્યારે હજુ 60 દર્દીઓ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.
- Bipin Prajapati
- Updated on: Sep 1, 2026
- 6:28 pm
AMCના આદેશને પગલે, અમદાવાદમાં ફરસાણની દુકાનો – રેસ્ટોરન્ટમાં TPC કીટ અને CCTV લગાવાયા, જુઓ Video
ફરસાણ યુનિટોમાં માત્ર તેલની ગુણવત્તા ચકાસવાની વ્યવસ્થા જ નહીં, પરંતુ જ્યાં ખાદ્યપદાર્થો બનાવવામાં આવે છે તે સ્થળે CCTV કેમેરા લગાવવાનું પણ ફરજિયાત કરવામાં આવ્યું છે. કેટલાક ફરસાણ એકમોએ રસોડામાં CCTV કેમેરા લગાવીને આ નિયમનું પાલન શરૂ કરી દીધું છે.
- Bipin Prajapati
- Updated on: Sep 1, 2026
- 2:52 pm
ગુજરાતમાં વરસાદી સિસ્ટમ ખરી પરંતુ વરસાદ માટેની સ્થિતિ નહીં, રાજ્યમાં 14 ટકા વરસાદની ઘટ
Gujarat Weather Forecast : હવામાન વિભાગના 1 સપ્ટેમ્બર, 2026ના બુલેટિન મુજબ, ગંગાના પશ્ચિમ બંગાળ અને આસપાસના વિસ્તારોમાં સર્જાયેલું વેલ-માર્ક લો પ્રેશર એરિયા હાલમાં ગંગાના પશ્ચિમ બંગાળ ક્ષેત્ર તથા ઉત્તર ઓડિશા, ઝારખંડ અને ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીના આસપાસના વિસ્તારોમાં સક્રિય છે. આ સિસ્ટમ આગામી 48 કલાક દરમિયાન ઉત્તર ઓડિશા અને ઝારખંડ તરફથી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધે તેવી શક્યતા છે.
- Bipin Prajapati
- Updated on: Sep 1, 2026
- 2:45 pm
SCO સમિટમાં PM મોદીએ શાહબાઝ શરીફની કરી અવગણના, પાકિસ્તાનનું નામ લીધા વિના કહ્યું, આતંકવાદની ઇકોસિસ્ટમને ખતમ કરો
SCO સમિટને સંબોધન કરતા PM મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, આતંકવાદ અને તેને મળતા ભંડોળને લઈને સમગ્ર ઇકોસિસ્ટમને નાબૂદ કરવી જોઈએ. વડાપ્રધાન મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે, આતંકવાદનો સામનો કરતી વખતે બેવડા ધોરણો માટે કોઈ જગ્યા નથી.
- Bipin Prajapati
- Updated on: Sep 1, 2026
- 1:45 pm
રાહુલ ગાંધી સામે SC/ST કાયદા હેઠળ નોંધાયેલ કેસમાં લગાવેલ ધારાઓ કેટલી ખતરનાક છે ?
રાહુલ ગાંધી વિરુદ્ધ હલ્દવાની કોતવાલી પોલીસ સ્ટેશનમાં, ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 196 અને 299 અને SC/ST કાયદાની કલમ 3 (1) (q) હેઠળ FIR નોંધવામાં આવી છે. આ બધી ધારાઓ બિનજામીનપાત્ર ગુના માટેની છે.
- Bipin Prajapati
- Updated on: Aug 31, 2026
- 2:06 pm
દેવળિયા સફારી પાર્ક પાસેના ગેરકાયદેસર હોટલ-રિસોર્ટ પર ફરી વળ્યું બુલડોઝર, ગીર સોમનાથ-જૂનાગઢ બોર્ડર પર તંત્રની મોટી કાર્યવાહી
દેવળીયા સફારી પાર્ક નજીક ઈકો સેન્સિટિવ ઝોનમાં ડિમોલિશન શરૂ કરાયું છે. રેવન્યુ-પોલીસ-વનવિભાગની સંયુક્ત કાર્યવાહીથી ગેરકાયદે બાંધી દિધેલા રિસોર્ટ અને હોટલના સંચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
- Bipin Prajapati
- Updated on: Aug 31, 2026
- 1:38 pm
વરાછાને શું જોઈએ તે કતારગામના કોર્પોરેટરે નક્કી કરવાનું નથી, MLA કુમાર કાનાણીએ મેયરને લખ્યો પત્ર
કતારગામના કોર્પોરેટર દ્વારા બ્રિજના વિરોધ બાદ રાજકારણ ગરમાયું છે. ધારાસભ્ય કુમાર કાનાણીએ કહ્યું- 'વરાછાના લોકોને શું જોઈએ તે કતારગામના કોર્પોરેટરે નક્કી કરવાની જરૂર નથી'
- Bipin Prajapati
- Updated on: Aug 31, 2026
- 11:32 am
હરિયાણાના ગાયક અંકિત બાલિયનની હત્યામાં સંડોવાયેલા 2 હત્યારાઓનું શામલીમાં એન્કાઉન્ટર, 2 પોલીસ ઈજાગ્રસ્ત
અંકિત બાલિયન હત્યા: હરિયાણામાં ગાયક અંકિત બાલિયનની હત્યાની તપાસમાં પોલીસે અનેક મહત્વપૂર્ણ કડીઓ શોધી કાઢી છે. તેઓ હવે હત્યા પાછળના હેતુ, હુમલાખોરોના નેટવર્ક અને ઘટનામાં સામેલ અન્ય લોકોની ભૂમિકાની તપાસ કરી રહ્યા છે.
- Bipin Prajapati
- Updated on: Aug 31, 2026
- 9:08 am