પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયામાં ત્રણ દાયકાથી પણ વધુ વિવિધ ક્ષેત્રના રિપોર્ટીગ અને ડેસ્કનો અનુભવ. ગુજરાતના રાજકારણ, ગુજરાત વિધાનસભા, મહાનગરપાલિકા, રાજકીય પક્ષો, સચિવાલય, કેન્દ્રીય તપાસ એજન્સી, બિઝનેસ સહિત અનેક ક્ષેત્રે ત્રણ દશકના રિપોર્ટિંગનો અનુભવ. ગુજરાતી ડિજિટલ મીડિયામાં કન્ટેન્ટ એડીટર તરીકેની કામગીરી.
સંસદીય કાર્યવાહીમાં સતત વિક્ષેપ પર અમિત શાહનું નિવેદન, વિપક્ષ ચર્ચા માટે સામે આવે, હું દરેક પ્રશ્નનો જવાબ આપીશ
અમિત શાહે એવુ પણ કહ્યું કે, સરકાર પ્રશ્નકાળ સ્થગિત કરવા તૈયાર છે. વિપક્ષ દ્વારા, "ગુમ" અથવા "ભાગી ગયા" જેવી ભાષાના ઉપયોગની શાહે ટીકા કરી, તે અયોગ્ય હોવાનું જણાવ્યું. તેમણે ભાર મૂક્યો કે ચર્ચા માટે સમય નક્કી થવો જોઈએ, ચર્ચા માટે સરકારની તૈયારીનો પુનરોચ્ચાર કર્યો.
- Bipin Prajapati
- Updated on: Aug 12, 2026
- 1:12 pm
ગુજરાતમાં વરસાદનો ધમાકેદાર ત્રીજો રાઉન્ડ, મધ્ય ગુજરાતમાં મેઘો મન મૂકીને વરસ્યો
છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના કુલ 119 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં 28 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે, જ્યારે 9 તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
- Bipin Prajapati
- Updated on: Aug 12, 2026
- 12:29 pm
Breaking News : આનંદનગર દુષ્કર્મ કેસ બાદ ગુજરાતની તમામ સિક્યુરિટી એજન્સીઓની તપાસ કરવા DGPએ આપ્યો આદેશ
જે સિક્યુરિટી એજન્સીઓના લાયસન્સ રિન્યુ કરવામાં આવ્યા નથી અથવા નિયમોનું પાલન કરવામાં આવતું નથી, તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત સિક્યુરિટી ગાર્ડનું પોલીસ વેરિફિકેશન કરવામાં આવ્યું છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવશે.
- Bipin Prajapati
- Updated on: Aug 12, 2026
- 11:12 am
કચ્છના ભૂકંપ જેવા જ આવેલા ધરતીકંપથી કોલંબિયામાં 1,600થી વધુ ઇમારતો ધરાશાયી, 7000ની વસ્તી ધરાવતુ એલ કૈરો શહેર તબાહ, મૃત્યુઆંક 254 પર પહોંચ્યો, ત્રણ હજાર લોકો ગુમ
ગત સોમવારે લેટિન અમેરિકન દેશ કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ આવ્યો હતો. ભૂકંપને કારણે 7,000 ની વસ્તી ધરાવતું એલ કૈરો શહેર તબાહ થઈ ચૂક્યું છે. ભૂકંપને પગલે અત્યાર સુધીમાં 254 લોકો માર્યા ગયા હોવાનું સામે આવ્યું છે અને 600 થી વધુ ઈજાગ્રસ્ત થયા છે. બચાવ અને રાહત કામગીરી વધુ ઝડપી બનતા, મૃતકો અને ઈજાગ્રસ્તોની સંખ્યામાં વધારો થતો રહ્યો છે. એવી આશંકા સેવાઈ રહી છે કે, કચ્છના ભૂકંપની જેમ જ ઈમારતોના કાટમાળમાં મોટી સંખ્યામાં લોકો ફસાયેલા-દબાયેલા છે.
- Bipin Prajapati
- Updated on: Aug 12, 2026
- 10:04 am
12 ઓગસ્ટના મહત્વના સમાચાર : સુરત મનપાના કમિશનર બાદ DCP નકુમની મુશ્કેલીમાં વધારો, આરોપીને જાહેરમાં માર મારવા બદલ એક્શન
Gujarat Live Updates આજ 12 ઓગસ્ટના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
- Bipin Prajapati
- Updated on: Aug 12, 2026
- 10:03 pm
મધ્યપ્રદેશમાં અતિશય વરસાદની સિસ્ટમ સક્રીય ! ભોપાલથી માંડલા-ડિંડોરી સુધી જળમગ્નની સ્થિતિ, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી
મધ્યપ્રદેશમાં એક શક્તિશાળી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે ભોપાલ, વિદિશા, રાયસેન, સિહોર, શાજાપુર, અગર-માલવા, મંડલા અને ડિંડોરી સહિત અનેક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. મધ્યપ્રદેશમાં વરસી રહેલા વરસાદથી વિવિધ વિસ્તારોની નદીઓ અને જળાશયો છલકાઈ રહ્યા છે. આ વરસાદના પાણી, ગુજરાતના નર્મદા જિલ્લામાં આવેલ સરદાર સરોવર બંધમાં આવશે, જેના કારણે ડેમની જળસપાટીમાં નોધપાત્ર વધારો થવાની સંભાવના છે.
- Bipin Prajapati
- Updated on: Aug 11, 2026
- 12:36 pm
Breaking News : સરદાર સરોવર ડેમની જળસપાટીમાં સતત વધારો, 133.39 મીટરે પહોંચી સપાટી, હજુ પણ વધશે જળરાશિ
હાલમાં સરદાર સરોવર ડેમ તેની મહત્તમ ક્ષમતાની સરખામણીએ 82.58 ટકા જળસ્તર ધરાવે છે. છેલ્લા કેટલાક સમયથી ઉપરવાસમાં થઈ રહેલા વરસાદના કારણે નર્મદા નદીમાં પાણીની આવક વધી રહી છે, જેના પરિણામે સરદાર સરોવર ડેમની જળસપાટીમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે.
- Bipin Prajapati
- Updated on: Aug 11, 2026
- 11:21 am
ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગનું એલર્ટ, અમદાવાદ સહિત 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
અમદાવાદ શહેરમાં સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. શહેરમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છવાયું છે અને અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
- Bipin Prajapati
- Updated on: Aug 11, 2026
- 9:46 am
Breaking News : અમેરિકાથી અદાણી ગ્રુપ માટે આવ્યા સારા સમાચાર ! ગૌતમ અદાણીએ કહ્યુ, “સત્યનો વિજય થયો છે”
અબજોપતિ ગૌતમ અદાણી સામે અમેરિકામાં લાગેલા ફોજદારી આરોપો અંગેના કેસમાં મોટી રાહત મળી છે. અમેરિકાના એક ન્યાયાધીશે અદાણી અને તેમની કંપનીના અધિકારીઓ સામે દાખલ કરાયેલા આરોપોને ફગાવી દીધા છે.
- Bipin Prajapati
- Updated on: Aug 11, 2026
- 9:10 am
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાના ભૂકંપથી અત્યાર સુધીમાં 132ના મોત, પત્તાની માફક ઢળી પડેલી ઈમારતોનો ઠેર ઠેર કાટમાળ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપે, એક જ ક્ષણમાં સેંકડો ઈમારતોને તબાહ કરી દીધી છે. પત્તાના ઘરની માફક જ એક પછી એક ઈમારતો ઢળી હતી. જેના પગલે ભયાનક વિનાશનું દ્રશ્ય સામે આવ્યું છે. મૃત્યુઆંક 132 પર પહોંચી ગયો છે.
- Bipin Prajapati
- Updated on: Aug 11, 2026
- 8:16 am
સુરત સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટરના આપઘાત મામલે મોટો ખુલાસો, 4 સિનિયર સામે કાર્યવાહી
ચારેય વિદ્યાર્થીઓને હોસ્પિટલ, નવી સિવિલ હોસ્ટેલ તેમજ તમામ પ્રકારની ટીચિંગ એક્ટિવિટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રેસિડેન્ટ ડોક્ટરના આપઘાત બાદ કરવામાં આવેલી તપાસમાં રેગિંગનું પાસું સામે આવતા હોસ્પિટલ તંત્ર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.
- Bipin Prajapati
- Updated on: Aug 10, 2026
- 11:17 am
બેન્જામિન નેતન્યાહૂએ અમેરિકાના ગાઝા શાંતિ પ્લાનને નકાર્યો, પેલેસ્ટાઈનના પચાવી પાડેલા વિસ્તારમાંથી સૈન્ય પાછુ ખેંચવા કર્યો ઈન્કાર
ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ, અમેરિકા દ્વારા પ્રસ્તાવિત 15 મુદ્દાની ગાઝા શાંતિ યોજનાને નકારી કાઢી છે. નેતન્યાહૂનું કહેવું છે કે, જ્યા સુધી હમાસને સંપૂર્ણપણે નિઃશસ્ત્ર ના કરવામાં આવે ત્યાં સુધી IDF ને પાછું ખેંચવામાં નહીં આવે.
- Bipin Prajapati
- Updated on: Aug 10, 2026
- 8:49 am