Chahal-Dhanashree Divorce : યુઝવેન્દ્ર ચહલ છૂટાછેડા માટે ધનશ્રીને જેટલા પૈસા આપશે, તે IPLમાંથી કલાકમાં જ કમાઈ જશે
22 માર્ચથી આઈપીએલની શરુઆત થઈ રહી છે. તો 25 માર્ચના રોજ પંજાબ કિંગ્સ પોતાની પ્રથમ મેચ રમવા માટે મેદાનમાં ઉતરશે. આ દરમિયાન સીઝનમાં પંજાબ માટે રમનાર યુઝવેન્દ્ર ચહલ પણ નજર આવી શકે છે. 20 માર્ચ આજે છૂટાછેડા પર અંતિમ નિર્ણય લેવામાં આવશે.

ગ્લેમરસની દુનિયાની લવ સ્ટોરીઝ હવે દમ તોડી રહી છે. સોશિયલ મીડિયા પર એકબીજાને પ્રેમનો ઈઝહાર કરતા સ્ટાર્સ હવે એકબીજાથી ક્યારે અલગ થઈ જશે તે અંગે કંઈ કહી શકાય તેમ નથી. પ્રેમમાં પડવું, લગ્ન કરવા અને પછી થોડા વર્ષો પછી છૂટાછેડા લઈ લેવા તો ઢીંગલા-ઢીંગલીનો ખેલ બની ગયો છે. હવે તાજેતરમાં ધનશ્રી વર્મા અને યુઝવેન્દ્ર ચહલના છૂટાછેડાના કેસ પર નિર્ણય આવ્યો છે.

યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માની લવ સ્ટોરી કોવિડ 19 લોકડાઉન દરમિયાન શરૂ થઈ હતી. ખરેખર, 2019 માં, બંને એક કોમન ફ્રેન્ડ દ્વારા મળ્યા હતા. ધનશ્રી વર્મા એક પ્રશિક્ષિત ડૉક્ટર હતી, જે પાછળથી કોરિયોગ્રાફર બની હતી. કોરિયોગ્રાફર બન્યા પછી, તેણે સોશિયલ મીડિયા પર તેના ડાન્સ વીડિયો પોસ્ટ કરવાનું પણ શરૂ કર્યું અને કોવિડ યુગ દરમિયાન તે વાયરલ ગર્લ બની. યુઝવેન્દ્ર ચહલનું ધ્યાન પણ તેની સોશિયલ મીડિયા પોસ્ટ પર ગયું. ધનશ્રી વર્માની સુંદરતા જોઈને યુઝવેન્દ્ર ચહલે દિલ ખોલી નાખ્યું. પછી તેણે ધનશ્રી વર્મા સાથેની નિકટતા વધારવાનું નક્કી કર્યું અને નક્કી કર્યું કે તે તેની પાસેથી ડાન્સની તાલીમ લેશે. યુઝવેન્દ્રએ ધનશ્રીને બે મહિના સુધી ડાન્સ શીખવવા માટે મનાવી. યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા શિક્ષક અને વિદ્યાર્થી તરીકે સાથે આવ્યા હતા, પરંતુ તેમના સંબંધો પ્રેમમાં બદલાઈ ગયા હતા.

ચહલ આઈપીએલ 2024માં પંજાબ કિંગ્સ તરફથી રમશે. પંજાબની ટીમે મેગા ઓક્શનમાં તેને 18 કરોડ રુપિયામાં ખરીદ્યો હતો. એટલે કે,દરેક મેચ માટે સરેરાશ 1.29 કરોડ રૂપિયા મળશે. આ રીતે, તે ફક્ત 4 મેચમાં છૂટાછેડાના પૈસા એકત્રિત કરી લેશે.

દર મેચ અંદાજે 3 કલાકની હોય છે. આ રીતે જોઈએ તો તે માત્ર 12 કલાક રમી ચહલ આટલા પૈસા કમાય લેશે. આ સીઝનમાં તેની સેલેરીનો સમય ફ્રેન્ચાઈઝી પર નિર્ભર કરે છે. કેટલીક વખત ખેલાડીઓને ટૂર્નામેન્ટ શરુ થતાં અડધી સેલેરી આપી દે છે.

ત્યારબાદ વધેલા પૈસા ટૂર્નામેન્ટ પૂર્ણ થયા બાદ આપવામાં આવે છે. જો આ હિસાબથી આપણે જોઈએ તો, પ્રથમ મેચ રમવાથી તેને 9 કરોડ રુપિયા મળશે. આ રીતે છૂટાછેડા માટે આપનાર પૈસા ચહલ માત્ર 3 કલાકમાં કમાય લેશે. આ સિવાય તેને દરેક મેચ માટે 7.5 લાખ રુપિયા અલગથી મેચ ફી તરીકે મળશે.

ત્યારબાદ વધેલા પૈસા ટૂર્નામેન્ટ પૂર્ણ થયા બાદ આપવામાં આવે છે. જો આ હિસાબથી આપણે જોઈએ તો, પ્રથમ મેચ રમવાથી તેને 9 કરોડ રુપિયા મળશે. આ રીતે છૂટાછેડા માટે આપનાર પૈસા ચહલ માત્ર 3 કલાકમાં કમાય લેશે. આ સિવાય તેને દરેક મેચ માટે 7.5 લાખ રુપિયા અલગથી મેચ ફી તરીકે મળશે.

તમને જણાવી દઈએ કે, કોરોના મહામારી દરમિયાન ડાન્સ ક્લાસમાં બંન્નેની વાતચીત શરુ થઈ હતી. 22 ડિસેમ્બર 2020ના રોજ ચહલ અને ધનશ્રીએ લગ્ન કર્યા હતા. આ સંબંધ અંદાજે 2 વર્ષ સુધી ચાલ્યો હતો.
હાલમાં યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છુટાછેડાની વાત ચાલી રહી છે. તો ધનશ્રી વર્માની પર્સનલ લાઈફ, પ્રોફેશનલ લાઈફ તેમજ તેના પરિવાર વિશે વધુ જાણવા માટે અહિ ક્લિક કરો
