AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પંજાબ કિંગ્સ

પંજાબ કિંગ્સ

આઈપીએલમાં પંજાબ કિંગ્સના કેપ્ટન શિખર ધવન છે, જ્યારે માલિક પ્રીતિ ઝિન્ટા, નેસ વાડિયા, કરણ પોલ, મોહિત બર્મન છે. બોલિવુડ અભિનેત્રી પંજાબ કિંગ્સની મેચમાં હંમેશા ટીમને સપોર્ટ કરતી જોવા મળે છે. કોચ બેલિસ છે. 2008માં કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP) તરીકે સ્થપાયેલ, ફ્રેન્ચાઇઝી સંયુક્ત રીતે મોહિત બર્મન, નેસ વાડિયા, પ્રીતિ ઝિન્ટા અને કરણ પોલની માલિકીની છે. ફેબ્રુઆરી 2021માં ટીમનું નામ કિંગ્સ ઈલેવન પંજાબ બદલીને પંજાબ કિંગ્સ કરવામાં આવ્યું હતું. 2014 સીઝનમાં આ ટીમ લીગ સ્ટેજમાં ટોચ પર રહી અને રનર અપ બની. આ સિવાય 13 સીઝનમાં માત્ર એક જ વખત પ્લેઓફમાં પહોંચી હતી. ટીમની કો-ઓનર અને લોકપ્રિય બોલિવુડ અભિનેત્રી પ્રીતિ ઝિંટા પંજાબ કિંગ્સની બ્રાન્ડ એમ્બેસેડર પણ છે.

આઈપીએલ 2021 સીઝન સુધી કેએલ રાહુલ પંજાબ કિંગ્સનો કેપ્ટન હતો. ત્યારબાદ મયંક અગ્રવાલ, શિખર ધવન અને 2023માં સૈમ કુરન ટીમનો કેપ્ટન હતો.

 

 

Read More

Breaking News: કોલકાતા નાઈટ રાઈડર્સે ટોસ જીતી બેટિંગ પસંદ કરી, પંજાબ કિંગ્સ પહેલા કરશે બોલિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11

IPL ની 19 મી સિઝનની બારમી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સની ટક્કર થઈ રહી છે. કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં મેચ પહેલા ટોસ યોજાયો હતો, જેમાં કોલકાતા નાઈટ રાઈડર્સે ટોસ જીતી બેટિંગ પસંદ કરી હતી, એટલે આજની મેચમાં પંજાબ કિંગ્સ પહેલા બોલિંગ કરશે.

Breaking News: જો KKR vs PBKS મેચમાં વરસાદ પડે, તો વિજેતા કેવી રીતે નક્કી થશે? જાણો નિયમ

IPL 2026માં આજે કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મહત્વપૂર્ણ મુકાબલો રમાવાનો છે, પરંતુ હવામાન મોટી ભૂમિકા ભજવી શકે છે. કોલકાતામાં વરસાદ અને વીજળીની શક્યતા હોવાથી મેચમાં વિક્ષેપ આવી શકે છે. આવી સ્થિતિમાં મેચનું પરિણામ કેવી રીતે નક્કી થશે તે મુદ્દે ચાહકોમાં ઉત્સુકતા વધતી જોવા મળી રહી છે.

Breaking News: IPL ઈતિહાસમાં ચેન્નાઈ સુપર કિંગ્સને સૌથી વધુ વખત ઓલઆઉટ કરનાર ટોપ 5 ટીમ કઈ છે?

પાંચ વખતની IPL ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સને ઓલઆઉટ કરવું એ પોતાનામાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. IPL 2026માં 5 એપ્રિલના રોજ RCB એ CSKને ઓલઆઉટ પણ કર્યું અને હરાવ્યું પણ. ચાલો જાણીએ IPL ઈતિહાસમાં ચેન્નાઈ સુપર કિંગ્સને સૌથી વધુ વખત ઓલઆઉટ કરનાર ટોપ 5 ટીમો કઈ છે.

KKR મેનેજમેન્ટના આંધળા પ્રયોગો! હીરા જેવા ખેલાડીઓ બહાર અને ફ્લોપ પ્લેયર્સ અંદર, શું પંજાબ આનો ફાયદો ઉઠાવશે?

IPL 2026 માં અત્યારે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) માટે કંઈ પણ બરાબર નથી ચાલી રહ્યું. KKR માટે આ સમય ખરેખર 'બેડ ફેઝ' સમાન છે, જ્યાં ટીમની રણનીતિ અને ખેલાડીઓના સિલેક્શન પર સતત સવાલો ઊઠી રહ્યા છે. આવા કપરા સમયે તેમનો સામનો શાનદાર ફોર્મમાં ચાલી રહેલી પંજાબ કિંગ્સ સામે છે.

IPL 2026 Breaking News: શ્રેયસ ઐયરને મળી ડબલ સજા, ‘પ્લેયર ઓફ ધ મેચ’ પર પણ ફાઇન

IPL 2026માં પંજાબ કિંગ્સે જીતનો સિલસિલો ચાલુ રાખ્યો, પરંતુ સ્લો ઓવર રેટના કારણે કેપ્ટન શ્રેયસ ઐયર અને ટીમ પર ફરી દંડ ફટકારાયો છે.

  • Nishat
  • Updated on: Apr 4, 2026
  • 10:00 am

IPL 2026 Points Table: પંજાબ કિંગ્સે પોઈન્ટ્સ ટેબલમાં મચાવી ઉથલપાથલ, 4 ટીમોને પાછળ મૂકી બની નંબર-1

IPL 2026ની શરૂઆતમાં જ પંજાબ કિંગ્સે શાનદાર પ્રદર્શન કરીને પોઈન્ટ્સ ટેબલમાં ટોચ મેળવી છે, જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સ સતત બે હાર બાદ છેલ્લે સ્થાન પર પહોંચી ગઈ છે.

  • Nishat
  • Updated on: Apr 4, 2026
  • 8:07 am

Breaking News: પંજાબ કિંગ્સે ફરી એકવાર ચેપોકના કિલ્લા પર કબજો જમાવ્યો, CSKએ IPL ઈતિહાસમાં પહેલીવાર આવો દિવસ જોયો

IPL 2026 ની સાતમી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ આમને-સામને હતા. આ મેચમાં, પંજાબ કિંગ્સે 200+ રનના લક્ષ્યનો પીછો કરીને ઐતિહાસિક જીત મેળવી. IPL 2026 માં ચેન્નાઈ સુપર કિંગ્સની આ બીજી હાર છે.

Breaking News: પિતાની સામે જ નાના ભાઈની ટીમના બોલરોની મોટા ભાઈએ કરી દીધી જોરદાર ધુલાઈ

ચેન્નાઈ સુપર કિંગ્સના યુવા બેટ્સમેન સરફરાઝ ખાને પંજાબ કિંગ્સ સામે મહત્વપૂર્ણ અને વિસ્ફોટક ઇનિંગ રમી હતી. તેના પિતા પણ MA ચિદમ્બરમ સ્ટેડિયમમાં હાજર હતા અને તેનો ભાઈ વિરોધી ટીમ એટલે કે પંજાબ કિંગ્સનો ભાગ છે. મોટા ભાઈએ નાના ભાઈની ટીમના બોલરો ને પિતાની હાજરીમાં ધોઈ નાખ્યા હતા.

Breaking News: 4 ચોગ્ગા, 4 છગ્ગા… 18 વર્ષના ખેલાડીની રેકોર્ડબ્રેક અડધી સદી, IPL ઈતિહાસમાં પહેલીવાર થયો આ કમાલ

ચેન્નાઈ સુપર કિંગ્સના 18 વર્ષના યુવા બેટ્સમેને પંજાબ કિંગ્સ સામે રેકોર્ડબ્રેક ઇનિંગ રમી. તેણે અડધી સદી ફટકારી અને એક ખાસ યાદીમાં ટોચ પર પહોંચી ગયો. માત્ર 18 વર્ષની ઉંમરે વૈભવ સૂર્યવંશીના આ મિત્રએ CSK ને મુશ્કેલ પરીસ્થિતિ માંથી ભાર કાઢ્યું.

Breaking News: RCB માટે પ્લેઓફના દરવાજા બંધ ! ઈંગ્લેન્ડના સ્ટાર પ્લેયરે પ્લેઓફ માટે આ 4 ટીમ પર લગાવ્યો દાવ

IPL 2026 નો રોમાંચ હજુ તો શરૂ થયો છે ત્યાં જ પ્લેઓફની રેસને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ઈંગ્લેન્ડના પૂર્વ સ્ટાર બેટ્સમેન રહી ચૂકેલા ખેલાડીએ પ્લેઓફમાં પહોંચનારી 4 સંભવિત ટીમના નામ જાહેર કરીને સૌને ચોંકાવી દીધા છે.

Breaking News: પંજાબ કિંગ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, ચેન્નાઈ સુપર કિંગ્સ પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11

IPL ની 19 મી સિઝનની સાતમી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સની ટક્કર થઈ રહી છે. એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં મેચ પહેલા ટોસ યોજાયો હતો, જેમાં પંજાબ કિંગ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી, એટલે આજની મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ પહેલા બેટિંગ કરશે.

Breaking News: પંજાબ કિંગ્સ સામેની મેચમાં રમશે MS ધોની ? CSK vs PBKS મેચ પહેલા ‘થાલા’એ શરુ કરી પ્રેક્ટિસ

આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચમાં એમએસ ધોની રમશે કે નહીં તે અંગે થોડી અનિશ્ચિતતા છે. ટુર્નામેન્ટની શરૂઆતમાં ધોની બે અઠવાડિયા માટે નહીં રમે એવું CSK દ્વારા જણાવવામાં આવ્યું હતું. જોકે પંજાબ સામેની મેચ પહેલા ધોની પ્રેક્ટિસ સેશનમાં દેખાતા તેના રમવા અંગે અચાનક ચર્ચા શરુ થઈ છે.

Breaking News : CSK vs PBKS મેચમાં બોલરો કરશે કમાલ કે બેટ્સમેનો મચાવશે ધમાલ ? જાણો કેવી છે ચેપોકની પિચ

IPL 2026ની સાતમી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ટક્કર થશે. બંને ટીમો માટે આ મુકાબલો મહત્વપૂર્ણ છે, અને પિચનો સ્વભાવ મેચનું પરિણામ નક્કી કરવામાં મોટી ભૂમિકા ભજવી શકે છે.

Breaking News : ચેપોકમાં આજે ‘કિંગ્સ’ટકરાશે, શું ચેન્નાઈ પંજાબને હરાવી 2 વર્ષની રાહનો લાવશે અંત?

ચેન્નઈ સુપર કિંગ્સને પહેલી મેચમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. તેમની બેટિંગ અને બોલિંગ ખૂબ જ કહાર્બ રહી હતી. બીજી તરફ, પંજાબ કિંગ્સે પહેલી મેચ જીતી હતી. હવે બંને કિંગ્સ વચ્ચે ચેપોકમાં ટક્કર થશે. જેમાં ચેન્નાઈ પર જીત મેળવવાનું દબાણ હશે. CSK બે વર્ષથી PBKS સામે ચાલતો હારનો સિલસિલો અટકાવવા પ્રયાસ કરશે.

Breaking News: પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યરની ઈજા અંગે મોટી અપડેટ, ચેન્નાઈ સુપર કિંગ્સ સામે નહીં રમે?

IPL 2026 દરમિયાન પંજાબ કિંગ્સ માટે ચિંતાજનક ક્ષણ ત્યારે આવી જ્યારે ટીમનો કેપ્ટન શ્રેયસ અય્યર ઈજાગ્રસ્ત થયો. ગુજરાત ટાઈટન્સ સામેની મેચ દરમિયાન તેના હાથમાં થયેલી ઈજાએ ચાહકોમાં ચિંતા ફેલાવી હતી. હવે તેની તાજેતરની મેડિકલ રિપોર્ટ સામે આવતા તે ચેન્નઈ સુપર કિંગ્સ સામે રમશે કે નહીં તે અંગે સ્પષ્ટતા મળી ગઈ છે.

g clip-path="url(#clip0_868_265)">