AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પંજાબ કિંગ્સ

પંજાબ કિંગ્સ

આઈપીએલમાં પંજાબ કિંગ્સના કેપ્ટન શિખર ધવન છે, જ્યારે માલિક પ્રીતિ ઝિન્ટા, નેસ વાડિયા, કરણ પોલ, મોહિત બર્મન છે. બોલિવુડ અભિનેત્રી પંજાબ કિંગ્સની મેચમાં હંમેશા ટીમને સપોર્ટ કરતી જોવા મળે છે. કોચ બેલિસ છે. 2008માં કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP) તરીકે સ્થપાયેલ, ફ્રેન્ચાઇઝી સંયુક્ત રીતે મોહિત બર્મન, નેસ વાડિયા, પ્રીતિ ઝિન્ટા અને કરણ પોલની માલિકીની છે. ફેબ્રુઆરી 2021માં ટીમનું નામ કિંગ્સ ઈલેવન પંજાબ બદલીને પંજાબ કિંગ્સ કરવામાં આવ્યું હતું. 2014 સીઝનમાં આ ટીમ લીગ સ્ટેજમાં ટોચ પર રહી અને રનર અપ બની. આ સિવાય 13 સીઝનમાં માત્ર એક જ વખત પ્લેઓફમાં પહોંચી હતી. ટીમની કો-ઓનર અને લોકપ્રિય બોલિવુડ અભિનેત્રી પ્રીતિ ઝિંટા પંજાબ કિંગ્સની બ્રાન્ડ એમ્બેસેડર પણ છે.

આઈપીએલ 2021 સીઝન સુધી કેએલ રાહુલ પંજાબ કિંગ્સનો કેપ્ટન હતો. ત્યારબાદ મયંક અગ્રવાલ, શિખર ધવન અને 2023માં સૈમ કુરન ટીમનો કેપ્ટન હતો.

 

 

Read More

શુભમન ગિલને લાગશે ઝટકો! શ્રેયસ અય્યર બનશે ટીમ ઈન્ડિયાનો નવો કેપ્ટન?

IPL 2025માં પંજાબ કિંગ્સને ફાઈનલમાં પહોંચાડનાર શ્રેયસ અય્યરને ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવવાની સતત માંગ થઈ રહી છે. હાલમાં, ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન નિશ્ચિત છે, પરંતુ આગામી સમયમાં ફેરફારની સ્થિતિમાં અય્યર એક મોટા દાવેદાર તરીકે ઉભરી આવ્યો છે. જે શુભમન ગિલ માટે કદાચ સારા સમાચાર નથી.

IPL બાદ ક્યાં ગાયબ થઈ જાય છે પંજાબની માલકીન Preity Zinta ? 13,000 કિમી દૂર આ દેશમાં કોણ છે, જુઓ Photos

IPL 2025 પછી, પ્રિટી ઝિન્ટા પોતાની લાઈમલાઈટમાં ગાયબ થઈ ગઈ છે. તેના ચાહકો તેના એબસન્સના કારણે ચિંતિત છે. અને મૂંઝવણમાં મુકાયા છે કે આખરે IPL પૂરી થયા બાદ તેણી ગાયબ કયા થઈ જાય છે.

શ્રેયસ અય્યરને પતિ માનતી Bigg Boss 18 ફેમ અભિનેત્રી એડન રોઝ કયા ધર્મની છે?

શ્રેયસ અય્યર હાલમાં હેડલાઈન્સમાં છે અને તેને પ્રેમ કરનારા લોકોની કોઈ કમી નથી. આ દરમિયાન, એક અભિનેત્રી એડન રોઝે તો ત્યાં સુધી કહ્યું છે કે તેણે શ્રેયસ અય્યરને તેના પતિ તરીકે સ્વીકારી લીધો છે. જાણો કોણ છે એડન રોઝ અને તે કયા ધર્મની છે?

IPL ફાઈનલ હાર્યા બાદ પ્રીતિ ઝિન્ટાએ પહેલીવાર પોતાનું મૌન તોડ્યું, જાણો પંજાબ કિંગ્સની ક્વિને શું કહ્યું?

IPL 2025ની ફાઈનલમાં પંજાબ કિંગ્સ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે હારી ગઈ હતી. આ હારના ત્રણ દિવસ પછી, પ્રીતિ ઝિન્ટાએ પહેલીવાર પોતાની પ્રતિક્રિયા આપી છે. જાણો આ અભિનેત્રીએ પોતાની ટીમની હાર પર શું કહ્યું?

IPLમાંથી 52 કરોડ કમાયા, KKRને ચેમ્પિયન બનાવ્યું, જાણો પિયુષ ચાવલાની કુલ સંપત્તિ કેટલી છે

ટીમ ઈન્ડિયાના સ્પિનર ​​પીયૂષ ચાવલાએ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. બે વર્લ્ડ કપ ટાઈટલ જીતનારી ટીમનો ભાગ રહેલા પીયૂષ ચાવલાએ IPLમાં પણ ખૂબ ધૂમ મચાવી છે. તે 2008 થી 2024 સુધી IPLમાં રમી ચૂક્યો છે, જે દરમિયાન તેણે ચાર ટીમો વતી ભાગ લીધો છે. જાણો તેની નેટવર્થ કેટલી છે.

Bigg Boss કન્ટેસ્ટન્ટ થઈ શ્રેયસ અય્યરના પ્રેમમાં ક્લીન બોલ્ડ, સપનામાં કરી લીધા લગ્ન

તાજેતરમાં, બિગ બોસ 18 ની સ્પર્ધક એડન રોઝે ખુલાસો કર્યો કે તે શ્રેયસની મોટી ચાહક છે અને તેના પર તેનો ભારે ક્રશ છે. એક ઈન્ટરવ્યુમાં, એડને શ્રેયસ પ્રત્યેની પોતાની લાગણીઓ વ્યક્ત કરી. તેણીએ કહ્યું કે શ્રેયસ અય્યર તેનો અલ્ટિમેટ લવ (પ્રેમ) છે.

IPL 2025 ફાઈનલ હાર્યા બાદ પંજાબ કિંગ્સનો કેપ્ટન શ્રેયસ અય્યર નવી ટીમ સાથે જોડાયો

શ્રેયસ અય્યરે IPL 2025માં પંજાબ કિંગ્સ ટીમનું નેતૃત્વ કર્યું હતું. તેની કેપ્ટનશીપ હેઠળ પંજાબ કિંગ્સે ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. જોકે, પંજાબને ફાઈનલમાં RCB સામે હારનો સામનો કરવો પડ્યો હતો. IPL 2025 ફાઈનલ હાર્યા બાદ હવે પંજાબ કિંગ્સનો કેપ્ટન શ્રેયસ અય્યર નવી ટીમ સાથે જોડાયો છે.

IPL 2025 : RJ મહવશે તોડ્યું મૌન, યુઝવેન્દ્ર ચહલ વિશે કર્યો મોટો ખુલાસો

IPL 2025ના અંત પછી, RJ મહવશે યુઝવેન્દ્ર ચહલ વિશે એક મોટો ખુલાસો કર્યો છે. ચહલ સાથે કંઈક એવું બન્યું, જેના પછી તે પીડામાં હતો, પરંતુ તેણે હાર ન માની અને અંત સુધી અડગ રહ્યો. ચાલો જાણીએ મહેશે તેના વિશે શું કહ્યું.

RCB vs PBKS : 10 મી ઓવરના ચોથા બોલે કેપ્ટન શ્રેયસ ઐયરની એક ભૂલ.. અને IPL ફાઇનલનો કપ થઈ ગયો RCB ને નામ

IPL 2025ની ફાઇનલમાં RCB અને પંજાબ કિંગ્સ વચ્ચે રોમાંચક મુકાબલો જોવા મળ્યો. શ્રેયસ ઐયરે ક્વોલિફાયરમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ ફાઇનલમાં પણ પંજાબની આશા હતી. પરંતુ કેપ્ટનની એક ભૂલને કારણે પંજાબે હારનો સામનો કરવો પડ્યો..

IPL Final : ઐતિહાસિક જીત બાદ ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગ્યો વિરાટ કોહલી, જમીન પર ઘૂંટણિયે બેસી ગયો

IPL 2025ની ફાઈનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ પંજાબ કિંગ્સને હરાવ્યું. RCBની આ ઐતિહાસિક જીત પછી વિરાટ કોહલી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. પહેલીવાર વિરાટ કોહલીની આંખોમાં આંસુ જોવા મળ્યા.

IPL Final : પહેલા ભૂલ કરી… હાથ જોડીને માફી માંગી, પછી RCBનો ખેલાડી આવી રીતે બન્યો હીરો, જુઓ

IPL 2025 ની ફાઇનલમાં પંજાબ કિંગ્સ સામે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પહેલા બેટિંગ કરી અને 190 રન બનાવ્યા, જે શ્રેયસ ઐયરની મજબૂત ટીમ માટે બહુ મોટો નહોતો લાગતો. પરંતુ તેમ છતાં, તેને રોકવા માટે, બેંગ્લોરે સારી બોલિંગની સાથે સાથે સારી ફિલ્ડિંગની પણ જરૂર હતી.

Breaking News : રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ IPL 2025 ચેમ્પિયન, કિંગ કોહલીનું સપનું થયું સાકાર

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની 17 વર્ષની લાંબી રાહનો અંત આવ્યો છે. છેલ્લા 17 વર્ષથી ઘણી વખત હાર અને મજાકનો સામનો કરનાર રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ આખરે પહેલીવાર ઈન્ડિયન પ્રીમિયર લીગનો ખિતાબ જીત્યો છે.

RCB vs PBKS : વિરાટ કોહલીએ IPL ફાઈનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ, શિખર ધવનને પાછળ છોડી બન્યો નંબર 1

IPL 2025ની સિઝન વિરાટ કોહલી માટે સારી રહી અને તેણે ફરી એકવાર 600થી વધુ રન બનાવ્યા. ઉપરાંત દર વખતની જેમ, આ વખતે પણ તેણે ઘણા રેકોર્ડ તોડ્યા. તે ફાઈનલમાં કંઈ ખાસ કરી શક્યો નહીં, પરંતુ આ સિઝનના અંત સુધીમાં તેણે બીજો મોટો રેકોર્ડ બનાવ્યો.

IPL 2025 : ફાઈનલમાં ગુંજ્યું ઓપરેશન સિંદૂર, ક્લોઝિંગ સેરેમનીમાં ભારતીય સેનાને ખાસ સલામી આપવામાં આવી

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL 2025ની ક્લોઝિંગ સેરેમની ભવ્ય રીતે ઉજવવામાં આવી હતી. આ દરમિયાન બોલિવૂડ ગાયક શંકર મહાદેવને દેશભક્તિના ગીતો ગાઈને બધાને ઉત્સાહથી ભરી દીધા. આ દરમિયાન આખા સ્ટેડિયમમાં એક અલગ જ પ્રકારનો માહોલ જોવા મળ્યો હતો.

Breaking News : IPL ફાઈનલમાં પંજાબે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, RCB પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11

IPL 2025ની ફાઈનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સની ટક્કર પહેલા અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સ્ટેડિયમ ખાતે બંને ટીમના કેપ્ટન વચ્ચે ટોસ યોજાયો હતો, જેમાં પંજાબના કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીત્યો હતો અને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

g clip-path="url(#clip0_868_265)">