
પંજાબ કિંગ્સ
આઈપીએલમાં પંજાબ કિંગ્સના કેપ્ટન શિખર ધવન છે, જ્યારે માલિક પ્રીતિ ઝિન્ટા, નેસ વાડિયા, કરણ પોલ, મોહિત બર્મન છે. બોલિવુડ અભિનેત્રી પંજાબ કિંગ્સની મેચમાં હંમેશા ટીમને સપોર્ટ કરતી જોવા મળે છે. કોચ બેલિસ છે. 2008માં કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP) તરીકે સ્થપાયેલ, ફ્રેન્ચાઇઝી સંયુક્ત રીતે મોહિત બર્મન, નેસ વાડિયા, પ્રીતિ ઝિન્ટા અને કરણ પોલની માલિકીની છે. ફેબ્રુઆરી 2021માં ટીમનું નામ કિંગ્સ ઈલેવન પંજાબ બદલીને પંજાબ કિંગ્સ કરવામાં આવ્યું હતું. 2014 સીઝનમાં આ ટીમ લીગ સ્ટેજમાં ટોચ પર રહી અને રનર અપ બની. આ સિવાય 13 સીઝનમાં માત્ર એક જ વખત પ્લેઓફમાં પહોંચી હતી. ટીમની કો-ઓનર અને લોકપ્રિય બોલિવુડ અભિનેત્રી પ્રીતિ ઝિંટા પંજાબ કિંગ્સની બ્રાન્ડ એમ્બેસેડર પણ છે.
આઈપીએલ 2021 સીઝન સુધી કેએલ રાહુલ પંજાબ કિંગ્સનો કેપ્ટન હતો. ત્યારબાદ મયંક અગ્રવાલ, શિખર ધવન અને 2023માં સૈમ કુરન ટીમનો કેપ્ટન હતો.
Orange Cap : આ ટીમનો કેપ્ટન પણ છે ઓરેન્જ કેપની રેસમાં, જાણો કોણ છે સૌથી આગળ
આઈપીએલમાં સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેનને સીઝનના અંતે ઓરેન્જ કેપ આપવામાં આવે છે. તો ચાલો જાણીએ 18મી સીઝનમાં કોણ કોણ ઓરેન્જ કેપની રેસમાં સૌથી આગળ છે. IPLની 18મી સિઝનમાં કયા બેટ્સમેન રનની રેસમાં આગળ છે?
- Nirupa Duva
- Updated on: Mar 26, 2025
- 11:42 am
IPL 2025 : આઈપીએલની 10 ટીમે એક-એક મેચ રમી લીધી, જાણો કઈ ટીમ ક્યાં સ્થાને છે, જુઓ ફોટો
IPL 2025 Points Table : આઈપીએલની 18મી સીઝનમાં 10 ટીમે પોતાની પ્રથમ મેચ રમી લીધી છે, પંજાબ કિંગ્સે હાઈ સ્કોરિંગ મેચ જીતી ત્રીજું સ્થાન મેળવ્યું છે. તો ચાલો જોઈએ સૌથી ટોચ પર કઈ ટીમ છે.
- Nirupa Duva
- Updated on: Mar 26, 2025
- 11:41 am
GT vs PBKS : શ્રેયસ અય્યરે ટીમ માટે પોતાની સદીનું બલિદાન આપ્યું, 97 રન બનાવીને અણનમ રહ્યો
શ્રેયસ અય્યરે ગુજરાત ટાઈટન્સ સામે શાનદાર બેટિંગ કરીને ચાહકોના દિલ જીતી લીધા હતા. પંજાબ કિંગ્સ માટે પહેલી જ મેચમાં શ્રેયસ અય્યરે છગ્ગાનો વરસાદ કર્યો હતો. તેણે માત્ર 27 બોલમાં અડધી સદી પણ ફટકારી હતી. પરંતુ શ્રેયસ અય્યર 97 રન બનાવીને અણનમ રહ્યો અને પોતાની સદી પૂર્ણ કરી શક્યો નહીં.
- Smit Chauhan
- Updated on: Mar 25, 2025
- 10:05 pm
IPL 2025: પ્રીટિ ઝિન્ટાના ખેલાડીઓએ ગુજરાતને આપ્યો 244 રનનો લક્ષ્યાંક, શ્રેયસ ઐયરે બનાવ્યો તેનો શ્રેષ્ઠ IPL સ્કોર
IPL 2025: ગુજરાત ટાઇટન્સ સામે રમાઈ રહેલી મેચમાં, પંજાબ કિંગ્સની ટીમે અમદાવાદમાં 243 રનનો લક્ષ્યાંક રાખ્યો છે. હવે યજમાન ટીમને જીતવા માટે 244 રન બનાવવા પડશે.
- Sagar Solanki
- Updated on: Mar 25, 2025
- 9:40 pm
IPL 2025 : GT vs PBKS મેચમાં બીજી ઓવરના ચોથા બોલ પર ગુજરાતના બે ફિલ્ડરની મોટી ભૂલ આખી ટીમને પડી ભારે
IPL 2025 ની ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચમાં બીજી ઓવરનો ચોથો બોલ ગુજરાત માટે ટર્નિંગ પોઈન્ટ બની ગયો. રાશિદ અને અરશદ વચ્ચે મૂંઝવણને કારણે કેચ છૂટ્યો.
- Sagar Solanki
- Updated on: Mar 25, 2025
- 9:35 pm
IPL 2025 : પ્રીતિ ઝિન્ટાની ટીમનો છોકરો તોફાન મચાવવા તૈયાર, ચોગ્ગા કરતા વધુ ફટકારે છે છગ્ગા
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ એકબીજા સામે ટકરાશે. આ બંને ટીમો માટે IPL 2025ની પહેલી મેચ છે અને આ મેચમાં બધાની નજર પંજાબ કિંગ્સના યુવા ઓલરાઉન્ડર સૂર્યાંશ શેડગે પર રહેશે. આ યુવા ઓલરાઉન્ડરથી ગુજરાતની ટીમે સાવધાન રહેવું પડશે, અને જો આ તે ચાલી ગયો તો પછી પ્રીતિ ઝિન્ટાની ટીમની જીત નિશ્ચિત છે. જાણો કોણ છે આ ખેલાડી.
- Smit Chauhan
- Updated on: Mar 25, 2025
- 6:06 pm
Chahal-Dhanashree Divorce : યુઝવેન્દ્ર ચહલ છૂટાછેડા માટે ધનશ્રીને જેટલા પૈસા આપશે, તે IPLમાંથી કલાકમાં જ કમાઈ જશે
22 માર્ચથી આઈપીએલની શરુઆત થઈ રહી છે. તો 25 માર્ચના રોજ પંજાબ કિંગ્સ પોતાની પ્રથમ મેચ રમવા માટે મેદાનમાં ઉતરશે. આ દરમિયાન સીઝનમાં પંજાબ માટે રમનાર યુઝવેન્દ્ર ચહલ પણ નજર આવી શકે છે. 20 માર્ચ આજે છૂટાછેડા પર અંતિમ નિર્ણય લેવામાં આવશે.
- Nirupa Duva
- Updated on: Mar 20, 2025
- 11:10 am
Yuzvendra Chahal and Dhanashree Divorce : યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડા અંગે મોટા સમાચાર… મુંબઈ કોર્ટમાં આવતીકાલે આવશે નિર્ણય
ચહલ અને ધનશ્રીએ 5 ફેબ્રુઆરીએ છૂટાછેડાની અરજી કરી હતી, પરંતુ ફેમિલી કોર્ટે 6 મહિનાના કૂલિંગ ઑફ પીરિયડ માફ કરવાનો ઇનકાર કર્યો હતો. બંનેએ હાઇકોર્ટમાં આ નિર્ણયને પડકાર્યો હતો. જસ્ટિસ માધવ જામદારની બેન્ચે અઢી વર્ષથી અલગ રહેલા ચહલ અને ધનશ્રી વચ્ચે મધ્યસ્થી દરમિયાન થયેલા સમજૂતીને ધ્યાને લઈ કૂલિંગ પિરિયડ માફ કર્યો.
- Sagar Solanki
- Updated on: Mar 19, 2025
- 4:32 pm
મારા વિરુદ્ધ ખોટી અફવાઓ ફેલાવવામાં આવી … IPL 2025 પહેલા શ્રેયસ અય્યરનું મોટું નિવેદન
તાજેતરમાં ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિજેતા બનાવવામાં શ્રેયસ અય્યરે મોટી ભૂમિકા ભજવી હતી છે. ગયા વર્ષે તેણે પોતાની કેપ્ટનશીપમાં KKRને IPL ચેમ્પિયન પણ બનાવ્યું હતું. હવે ફરી શ્રેયસ અય્યર IPL 2025માં ધમાલ મચાવવા તૈયાર છે, જોકે આ વખતે તે કોલકાતા નહીં પણ પંજાબ કિંગ્સનો કેપ્ટન હશે. જો કે IPL સિઝન શરૂ થતા પહેલા તેને મોટું નિવેદન આપ્યું છે, જેની ખૂબ ચર્ચા થઈ રહી છે.
- Smit Chauhan
- Updated on: Mar 18, 2025
- 6:09 pm
IPL 2025માં આ ટીમનું શેડ્યૂલ સૌથી વધુ થકવી નાખનારું, જાણો કોને મળશે સૌથી વધુ આરામ
ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી સિઝન 22 માર્ચથી શરૂ થશે. આ દરમિયાન બધી ટીમો લીગ તબક્કામાં 14-14 મેચ રમશે, જેના માટે તેમને 8 અલગ અલગ સ્ટેડિયમમાં જવું પડશે. આવી સ્થિતિમાં, બધી ટીમોને ઘણી મુસાફરી કરવી પડશે.
- Smit Chauhan
- Updated on: Mar 15, 2025
- 4:20 pm
IPL 2025ની તમામ 10 ટીમોના કેપ્ટન નક્કી, 5 નવા ખેલાડીઓને મળી કમાન 9 ભારતીય અને 1 વિદેશી
ક્રિકેટનો રોમાંચ શરુ થવાને હવે ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ પહેલા દિલ્હી કેપિટલ્સે પણ પોતાના કેપ્ટનની જાહેરાત કરી દીધી છે. તો હવે આઈપીએલ 2025માં તમામ ટીમના કેપ્ટનના નામ સામે આવી ચૂક્યા છે. તો ચાલો જાણીએ આઈપીએલમાં કઈ ટીમનો કેપ્ટન કોણ છે.
- Nirupa Duva
- Updated on: Mar 21, 2025
- 2:07 pm
‘મને ઓળખ ન મળી’… ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ શ્રેયસ અય્યરે વ્યક્ત કર્યું પોતાનું દુઃખ
ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન શ્રેયસ અય્યરે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું અને દિલની વાત હવે જીભ પર આવી ગઈ હતી. શ્રેયસ અય્યરે કહ્યું છે કે ઘણું બધું કરવા છતાં તેને ઓળખ મળી નથી. જાણો ટીમ ઈન્ડિયાના આ ડેશિંગ બેટ્સમેને આવું કેમ કહ્યું?
- Smit Chauhan
- Updated on: Mar 11, 2025
- 9:51 pm
IPL 2025 : પંજાબ કિંગ્સે નવા કેપ્ટનની જાહેરાત કરી, આ ખેલાડીને સોંપવામાં આવી જવાબદારી
આઈપીએલ 2025 પહેલા પંજાબ કિંગ્સે પોતાના નવા કેપ્ટનની જાહેરાત કરી છે. શ્રેયસ અય્યરને પંજાબ કિંગ્સની કમાન સોંપવામાં આવી છે. ગત્ત સીઝનમાં પંજાબ કિંગ્સનો કેપ્ટન શિખર ધવન હતો. હવે તે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ ચૂક્યો છે.
- Nirupa Duva
- Updated on: Jan 13, 2025
- 10:18 am
‘Sorry Shreyas’… પ્રીટિ ઝિન્ટાએ શ્રેયસ અય્યરને પોતાની ટીમમાં લીધા બાદ કહ્યું સોરી, આ હતું કારણ, જુઓ Video
પંજાબ કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને ચેમ્પિયન બનાવનાર સુકાની શ્રેયસ અય્યરને ખરીદવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો હતો અને અંતે તેને 26.75 કરોડની આશ્ચર્યજનક બોલી લગાવીને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. પંજાબ ટૂંક સમયમાં તેની કેપ્ટન તરીકે નિમણૂકની જાહેરાત કરી શકે છે.
- Sagar Solanki
- Updated on: Nov 30, 2024
- 9:15 am
IPL 2025માં અર્શદીપ સિંહનો એક બોલ ફેંકવાના લાખો રુપિયા લેશે, આટલામાં તો એક કાર આવી જાય
ડાબા હાથના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને પંજાબ કિંગ્સે RTMનો ઉપયોગ કરીને ટીમમાં સામેલ કર્યો છે. અર્શદીપ સિંહને ખરીદવા માટે 18 કરોડ રુપિયા ખર્ચ કર્યા છે. આટલા મોંઘા બોલરની એક બોલની કિંમત શું છે ચાલો જાણીએ.
- Nirupa Duva
- Updated on: Nov 28, 2024
- 2:21 pm