Western train : અમદાવાદથી ગાંધીનગર આ ટ્રેનો કરાઈ છે સ્થળાંતરિત, જાણો કઈ ટ્રેનનો થાય છે સમાવેશ
અમદાવાદનું રેલવે સ્ટેશન નવું બની રહ્યું છે એટલે અમુક ટ્રેનોના ટર્મિનલને ગાંધીનગર કેપિટલમાં ખસેડવામાં આવ્યા છે. તે મુજબ આ ટ્રેનોના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે.

અમદાવાદ સ્ટેશનને નવજીવન આપવામાં આવી રહ્યું છે અને તેને વર્લ્ડ ક્લાસ સ્ટેશન તરીકે ફરીથી રિનોવેશન કરવામાં આવશે. જેના કારણે અમદાવાદ રેલવે સ્ટેશનથી ઉપડતી કેટલીક ટ્રેનોના ટર્મિનલને ગાંધીનગર કેપિટલ ખસેડવામાં આવી રહી છે.

ટ્રેન નંબર 22957 અમદાવાદ-વેરાવળ સુપરફાસ્ટ એક્સપ્રેસનું ટર્મિનલ 02 એપ્રિલ, 2024થી ગાંધીનગર કેપિટલમાં ખસેડવામાં આવશે અને આ ટ્રેન ગાંધીનગર કેપિટલ સ્ટેશનથી 21:55 કલાકે ઉપડશે. આ ટ્રેનનું ચાંદલોડિયા સ્ટેશન (B) પર વધારાનું સ્ટોપેજ છે અને આ ટ્રેનનો આગમન/પ્રસ્થાનનો સમય 22:18/22:20 કલાકનો રહેશે.

તેવી જ રીતે ટ્રેન નંબર 22958 વેરાવળ-અમદાવાદ સુપરફાસ્ટ એક્સપ્રેસ 01 એપ્રિલ, 2024 થી ગાંધીનગર કેપિટલ છેલ્લું સ્ટેશન થશે અને ગાંધીનગર કેપિટલ સ્ટેશને 05:55 કલાકે પહોંચશે. આ ટ્રેનને ચાંદલોડિયા સ્ટેશન (B) પર વધારાનું સ્ટોપેજ હશે અને આ ટ્રેનના આગમન/પ્રસ્થાનનો સમય 05:10/05:12 કલાકનો રહેશે.

ટ્રેન નંબર 19223 અમદાવાદ - જમ્મુ તવી એક્સપ્રેસનું ટર્મિનલ 02 એપ્રિલ, 2024થી ગાંધીનગર કેપિટલમાં ખસેડવામાં આવશે અને આ ટ્રેન ગાંધીનગર કેપિટલ સ્ટેશનથી 11:20 કલાકે ઉપડશે. આ ટ્રેન સાબરમતી સ્ટેશને નહીં જાય.

એ જ રીતે ટ્રેન નંબર 19224 જમ્મુ તવી-અમદાવાદ એક્સપ્રેસ 01 એપ્રિલ 2024થી ગાંધીનગર કેપિટલ ખાતે છેલ્લું સ્ટોપેજ આપેલું છે અને ગાંધીનગર કેપિટલ સ્ટેશને 13:30 કલાકે પહોંચશે. આ ટ્રેન પણ સાબરમતી સ્ટેશને નહીં જાય.

































































