AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગાંધીનગર

ગાંધીનગર

ગુજરાત રાજ્યનાં રાજકારણનું પાટનગર એટલે ગાંધીનગર. ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગર શહેર એ ગાંધીનગર જિલ્લાનું મુખ્ય મથક પણ છે.  ગાંધીનગર જિલ્લા હેઠળ ચાર તાલુકાનો સમાવેશ થાય છે. માણસા, કલોલ, દેહગામ અને ગાંધીનગર. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં, સરકારના તમામ વિભાગોની મુખ્ય કચેરીઓ, તમામ વિભાગોના સચિવાલય, મંત્રીઓનું કાર્યાલય, મંત્રીઓનું નિવાસ સ્થાન, વિધાનસભા મકાન, ગવર્નરનું નિવાસ, ગવર્નરનું કાર્યાલય સહીત રાજ્ય અને કેન્દ્ર સરકારની તમામ મહત્વપૂર્ણ કચેરીઓ અને ઇમારત સામેલ છે.

અમદાવાદ અને સુરત પછી ઝડપી વિકસતા શહેર તરીકે ગાંધીનગર ઉભરી રહ્યું છે. ગીફ્ટ સિટી ઉપરાંત અમદાવાદ-ગાંધીનગર મેટ્રો કોરિડોર પ્રોજેક્ટ અને અન્ય કેટલાક મહત્વના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ દેશમાં ગાંધીનગરના ઔદ્યોગિક અને વ્યાપારી વિકાસને આગળ વધારવાની ધારણા છે.

ગાંધીનગર જિલ્લાની અર્થવ્યવસ્થામાં કૃષિ એક આવશ્યક રીત છે. શહેર તેના નાના અને મધ્યમ કદના ઉદ્યોગો માટે જાણીતું છે. ગાંધીનગરમાં લગભગ આઠ હજાર નાના અને લઘુ ઉદ્યોગો (એસએસઆઈ) છે, જે આશરે 40,000 લોકોને રોજગારી પૂરી પાડે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ એ એક બીજું ક્ષેત્ર છે, જેણે ગાંધીનગરમાં રોકાણ અને રોજગારી માટે નવી તકો ખોલી છે. આઇટી અને આઇટીઇએસ ક્ષેત્રે રોકાણના તાજેતરના ઘસારા સાથે, ગાંધીનગર જીલ્લો વધુને વધુ આઇટી અને આઇટીઇએસ કંપનીઓ માટે એક આકર્ષક સ્થળ બનશે.

Read More

Breaking News : ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ, લોકોના સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ નિર્ણય

ગુજરાત સરકારે લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આવતીકાલથી રાજ્યમાં એનાલોગ પનીર, ચીઝ અને બટરના વેચાણ, ઉત્પાદન, ઉપયોગ અને પરિવહન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવાયો છે.

Breaking News: Vibrant Gujarat 2027: CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી જશે વિદેશ પ્રવાસે, 26 સભ્યોની ખાસ કોર કમિટીની રચના

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના આયોજનને અનુલક્ષીને રાજ્ય સરકાર દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. CM ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી સહિતના નેતાઓ રોડ શો માટે વિદેશ પ્રવાસે જશે.

Gujarat Rain Breaking News: ગુજરાતમાં ભારે વરસાદનું હાઈ એલર્ટ : અધિકારીઓની રજા રદ્દ, હેડક્વાર્ટર નહીં છોડવાનો આદેશ, NDRF-SDRF તહેનાત

રેસ્ક્યુ અને રાહત કામગીરી માટે રાજ્યમાં NDRF અને SDRFની ટીમોને વ્યૂહાત્મક સ્થળોએ તહેનાત કરવામાં આવી છે. ઉપરાંત, જરૂરિયાત ઊભી થાય તો બચાવ કામગીરી ઝડપી બની રહે તે માટે એરફોર્સના હેલિકોપ્ટરો સ્ટેન્ડબાય પર રાખવામાં આવ્યા છે અને આર્મીની કોલમને પણ તૈયાર રાખવામાં આવી છે.

Breaking News: ગાંધીનગરમાં ચાંદીપુરા વાયરસના લક્ષણોવાળા વધુ એક બાળકનું મોત, રાજ્યમાં ચિંતા વધી

ગાંધીનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો વધુ એક કેસ સામે આવ્યો છે. માણસા તાલુકાના ચરાડા ગામના 4 વર્ષીય બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. બાળકની તબિયત બગડતા તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં વેન્ટિલેટર પર તેની સારવાર ચાલી રહી હતી.

ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી, 27% OBC અનામતનું નવું રોટેશન જાહેર

ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી પહેલા 27% OBC અનામતનું નવું રોટેશન રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયું છે. આ નિર્ણયથી ભાજપના અનેક દિગ્ગજોના રાજકીય સમીકરણો બદલાશે અને તેમના વોર્ડ પણ બદલાવાની શક્યતા છે.

SPG ના લાલજી પટેલે અનામત હટાવો ઝુંબેશનું કર્યુ સમર્થન, કહ્યુ જ્ઞાતિના આધારે નહીં આર્થિક સ્થિતિના આધારે મળવુ જોઈએ ‘રિઝર્વેશન’-Video

NEET પેપરલીક મુદ્દે શિક્ષણમંત્રીના રાજીનામા બાદ સોશિયલ મીડિયા પર હવે 'અનામત હટાવો' (REMOVE RESERVATION) ઝુંબેશ શરૂ થઈ છે. ત્યારે SPG ના લાલજી પટેલે આ ઝુંબેશનું સમર્થન કર્યુ છે. તેમણે જણાવ્યુ છે કે મારુ સ્પષ્ટ માનવુ છે કે દેશમાં જ્ઞાતિ આધારિત નહીં પરંતુ આર્થિક સ્થિતિના આધારે અનામત હોવી જોઈએ.

અમદાવાદમાં પણ સુરતના ધારાધોરણ મુજબ વરસાદથી થયેલા નુકસાન અંગે રાહત આપવા સરકારનો નિર્ણય

તાજેતરમાં સુરતમાં આવેલા વરસાદી પૂરના કારણે થયેલા નુકસાન સામે રહાત આપવા સરકારે અપનાવવામાં આવેલા ઠરાવના આધારે હવે અમદાવાદમાં પણ વરસાદથી અસરગ્રસ્ત નાના વેપારીઓ અને લારી-ગલ્લા ધારકોને સહાય આપવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવશે.

Breaking News: ધોરણ 1માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલ નું સર્ટિફિકેટ ફરજિયાત નહીં, રાજ્ય શિક્ષણ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય

Gandhinagar: રાજ્ય શિક્ષણ વિભાગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવેથી ધોરણ 1માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલનું સર્ટિફિકેટ રજૂ કરવુ ફરજિયાત નથી. આ અંગેનો મહત્વપૂર્ણ પરિપત્ર રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીને મોકલી દેવાયો છે

Breaking News : ગુજરાતમાં ભારે વરસાદની તારાજી વચ્ચે કેબિનેટ બેઠકને લઈ મોટો નિર્ણય, મંત્રીઓને મેદાનમાં ઉતરવા મુખ્યમંત્રીનું સૂચન

ગુજરાતમાં આગામી 48 કલાક દરમિયાન ભારે વરસાદની આગાહીને પગલે રાજ્ય સરકારે પોતાની કેબિનેટ બેઠક બુધવારને બદલે મંગળવારે યોજવાનો નિર્ણય લીધો છે.

Breaking News: ગુજરાતની શાંતિ ડોહળવાનો કારસો! બસ સ્ટેન્ડ સળગાવવા અને પથ્થરમારો કરવાની ઓડિયો ક્લિપ વાયરલ – જુઓ Video

ગાંધીનગરમાં બ્રિજરાજ નામના યુવકની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જેમાં ‘હાર્દિક પટેલ પાર્ટ 2’ અને મોટાપાયે તોડફોડની વાતચીત સામે આવી છે. આ ક્લિપમાં બસ સ્ટોપ સળગાવવા અને અરાજકતા ફેલાવવાનો ઉલ્લેખ છે.

ગુજરાતમાં ભારે વરસાદને લઈને બચાવ કામગીરી અંતિમ તબક્કામાં, હજુ 3-4 દિવસ ભારે વરસાદનું એલર્ટ

ભારે વરસાદ બાદ બંધ થયેલા માર્ગોમાંથી અત્યાર સુધીમાં 365 માર્ગો ફરી શરૂ કરવામાં આવ્યા છે. માર્ગોની મરામત અને કાટમાળ દૂર કરવા માટે 225 JCB, 1,500થી વધુ મશીનરી અને 1,500 કર્મચારીઓ સતત કાર્યરત છે.

રાજ્યમાં અતિ ભારે વરસાદની સ્થિતિને લઈને રાજ્ય સરકાર એલર્ટ, PM મોદીએ મુખ્યમંત્રી સાથે વાત કરી સ્થિતિનો તાગ મેળવ્યો

ગુજરાતમાં હાલ ભારે વરસાદની સ્થિતિ છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા તોફાની બેટીંગ કરી રહ્યા છે. નવસારી, વલસાડની સ્થિતિ વધુ વિકટ બની છે. આ સ્થિતિમાં વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાાથે ટેલિફોનિક વાતચીત કરી સ્થિતિની જાણકારી મેળવી હતી.

Breaking News : અમદાવાદ, સુરત, ગાંધીનગરમાં સ્કૂલોમાં આવતીકાલે 24 જુલાઈ રજા જાહેર, જુઓ Video

ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા તંત્રએ મહત્વનો નિર્ણય લીધો છે.ભારે વરસાદના કારણે રાજ્યના અનેક જિલ્લા સ્કુલ અને કોલેજમાં રજા જાહેર કરવામાં આવી છે. ગાંધીનગર જિલ્લામાં 24 જુલાઈએ તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા રહેશે.

Breaking News : ચાંદીપુરા વાયરસને લઈને ગુજરાત એલર્ટ! આરોગ્ય મંત્રીની હાજરીમાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક, જુઓ

ગુજરાતના આરોગ્ય પ્રધાનની અધ્યક્ષતામાં ચાંદીપુરા વાયરસને લઈને ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વાયરસની સ્થિતિ, દેખરેખ અને હોસ્પિટલોની તૈયારીઓ પર ચર્ચા થઈ.

Breaking News : અમિત શાહની અધ્યક્ષતામાં ભાજપની મહત્વપૂર્ણ બેઠક, ચૂંટણીની રણનીતિ માટે નેતાઓના લીધા ક્લાસ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ભાજપની ગુજરાતમાં મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત પક્ષના અગ્રણી નેતાઓ હાજર રહ્યા.

g clip-path="url(#clip0_868_265)">