ગાંધીનગર
ગુજરાત રાજ્યનાં રાજકારણનું પાટનગર એટલે ગાંધીનગર. ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગર શહેર એ ગાંધીનગર જિલ્લાનું મુખ્ય મથક પણ છે. ગાંધીનગર જિલ્લા હેઠળ ચાર તાલુકાનો સમાવેશ થાય છે. માણસા, કલોલ, દેહગામ અને ગાંધીનગર. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં, સરકારના તમામ વિભાગોની મુખ્ય કચેરીઓ, તમામ વિભાગોના સચિવાલય, મંત્રીઓનું કાર્યાલય, મંત્રીઓનું નિવાસ સ્થાન, વિધાનસભા મકાન, ગવર્નરનું નિવાસ, ગવર્નરનું કાર્યાલય સહીત રાજ્ય અને કેન્દ્ર સરકારની તમામ મહત્વપૂર્ણ કચેરીઓ અને ઇમારત સામેલ છે.
અમદાવાદ અને સુરત પછી ઝડપી વિકસતા શહેર તરીકે ગાંધીનગર ઉભરી રહ્યું છે. ગીફ્ટ સિટી ઉપરાંત અમદાવાદ-ગાંધીનગર મેટ્રો કોરિડોર પ્રોજેક્ટ અને અન્ય કેટલાક મહત્વના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ દેશમાં ગાંધીનગરના ઔદ્યોગિક અને વ્યાપારી વિકાસને આગળ વધારવાની ધારણા છે.
ગાંધીનગર જિલ્લાની અર્થવ્યવસ્થામાં કૃષિ એક આવશ્યક રીત છે. શહેર તેના નાના અને મધ્યમ કદના ઉદ્યોગો માટે જાણીતું છે. ગાંધીનગરમાં લગભગ આઠ હજાર નાના અને લઘુ ઉદ્યોગો (એસએસઆઈ) છે, જે આશરે 40,000 લોકોને રોજગારી પૂરી પાડે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ એ એક બીજું ક્ષેત્ર છે, જેણે ગાંધીનગરમાં રોકાણ અને રોજગારી માટે નવી તકો ખોલી છે. આઇટી અને આઇટીઇએસ ક્ષેત્રે રોકાણના તાજેતરના ઘસારા સાથે, ગાંધીનગર જીલ્લો વધુને વધુ આઇટી અને આઇટીઇએસ કંપનીઓ માટે એક આકર્ષક સ્થળ બનશે.
Read Moreગુજરાત બનશે ક્વોન્ટમ ટેક્નોલોજીનું હબ! ગાંધીનગરમાં ₹25 કરોડના સેન્ટરની સ્થાપના
PDEUમાં યોજાયેલા SEQUENCE-2026 કાર્યક્રમ દરમિયાન યુનિવર્સિટીની Quantum Technologies Labનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાતના વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ PDEU ખાતે અલગ Centre of Excellence on Climate સ્થાપવાની રાજ્યની યોજના અંગે પણ માહિતી આપી હતી.
- Devankashi rana
- Updated on: Aug 25, 2026
- 4:13 pm
Breaking News : ધારાસભ્ય ચૈતર વસાવાને HC મોટો ઝટકો આપ્યો, જેલવાસ લંબાયો, જુઓ Video
ગુજરાત હાઈકોર્ટમાં ડેડિયાપાડામાં વનકર્મીઓ પર હુમલો અને ખંડણીના કેસને લઈને મહત્વની સુનાવણી થઈ હતી. આ કેસમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ કરેલી અરજી પર રાજ્ય સરકારે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. રાજ્ય સરકારે કોર્ટ સમક્ષ ચૈતર વસાવા સામે નોંધાયેલા ગુનાઓનું વિગતવાર લિસ્ટ રજૂ કર્યું હતું.
- TV9 Gujarati
- Updated on: Aug 24, 2026
- 1:24 pm
ગુજરાત માટે ‘મોટા સમાચાર’! JP Morgan ગિફ્ટ સિટીમાં પોતાની હાજરી વધુ મજબૂત કરશે, CM સાથે યોજાઈ બેઠક – જુઓ Video
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમેરિકાના ન્યુયોર્કમાં જેપી મોર્ગનના ગ્લોબલ હેડ મેક્સ ન્યુકિર્ચન સાથે મુલાકાત કરી. આ બેઠકમાં ગિફ્ટ સિટીને વૈશ્વિક ફાઇનાન્સ અને ફિનટેક હબ તરીકે વિકસાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. જેપી મોર્ગને ગિફ્ટ સિટી પ્રત્યે મજબૂત પ્રતિબદ્ધતા વ્યક્ત કરી અને તેમાં પોતાની હાજરી વધુ મજબૂત કરવાની યોજના અંગે ચર્ચા કરી.
- Ravi Prajapati
- Updated on: Aug 22, 2026
- 5:20 pm
Breaking News : ગિફ્ટ સિટી ક્લબમાં બે જાણીતા CA વચ્ચે મારામારી, ચૂંટણીમાં મદદ ન કરવાના મુદ્દે જૂની અદાવત હોવાનો આક્ષેપ
ગાંધીનગર ગિફ્ટ સિટીમાં CA કોન્ફરન્સ દરમિયાન અમદાવાદના બે જાણીતા CA, બિશન શાહ અને પુરુષોત્તમ ખંડેલવાલ વચ્ચે જૂની ચૂંટણી અદાવતને લઈને મારામારી થઈ.
- Sagar Solanki
- Updated on: Aug 21, 2026
- 4:13 pm
અમેરિકાની ધરતી પર CM ભૂપેન્દ્ર પટેલનો કૂલ ‘લૂક’! વોશિંગ્ટનથી ન્યૂયોર્ક ટ્રેન સફરનો અનોખો અંદાજ વાયરલ
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ સંદર્ભે અમેરિકા અને કેનેડાના પ્રવાસે છે. મુખ્યમંત્રીએ આ દરમિયાન અમેરિકાના વોશિંગ્ટનથી ન્યૂયોર્ક સુધી ટ્રેનમાં મુસાફરી કરી અને સાથે સાથે સંવાદ પણ કર્યો છે.
- Dhruval Shah
- Updated on: Aug 20, 2026
- 10:06 am
તલાટીઓ માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: મહેસૂલ અને પંચાયત તલાટીની કામગીરીની સ્પષ્ટ વહેંચણી, જાહેર થયો સંયુક્ત GR
રાજ્ય સરકારે મહેસૂલ તલાટી અને તલાટી-કમ-મંત્રીની જવાબદારીઓની સ્પષ્ટ વહેંચણી કરી છે. તલાટી-કમ-મંત્રીને 70 અને મહેસૂલ તલાટીને 45 પ્રકારની કામગીરી સોંપાઈ છે.
- TV9 Gujarati
- Updated on: Aug 17, 2026
- 8:40 pm
ભેળસેળિયા તત્વો સામ લાલ આંખ, ફૂડ અને ડ્રગ વિભાગે ₹35 લાખથી વધુનું શંકાસ્પદ ઘી અને ભેળસેળયુક્ત તેલનો જથ્થો જપ્ત
ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ભેળસેળિયાઓ સામે મેગા એક્શન હાથ ધરી છે. સુરત, ડીસા અને કામરેજમાં દરોડા પાડી ₹35 લાખથી વધુનો શંકાસ્પદ નકલી ઘી અને ભેળસેળયુક્ત તેલનો જથ્થો જપ્ત કર્યો છે. કામરેજમાં નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ, જ્યારે ડીસામાંથી 987 લિટર શંકાસ્પદ ઘી મળ્યું.
- TV9 Gujarati
- Updated on: Aug 15, 2026
- 9:14 pm
Gandhinagar Breaking : કલોલના દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગનો પર્દાફાશ, 258 સિલિન્ડર સાથે 6ની અટકાયત
દંતાલી વિસ્તારમાં પોલીસ દ્વારા ગેરકાયદે ગેસ રિફિલિંગના મોટા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. બાતમીના આધારે પોલીસે રહેણાંક અને ખેતી વિસ્તાર નજીક આવેલા એક શેડમાં દરોડો પાડી ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરતા લોકોને ઝડપી પાડ્યા હતા.
- Devankashi rana
- Updated on: Aug 14, 2026
- 1:48 pm
Gandhinagar Breaking : કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
ONGC પ્લાન્ટમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. પ્લાન્ટમાં બોઈલર ફાટવાના કારણે આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવાયો છે.
- TV9 Gujarati
- Updated on: Aug 13, 2026
- 1:29 pm
નર્મદા નિગમના આળસુ અધિકારીઓના પાપે ખેડૂતોએ જાતે સાફ કરવી પડી કેનાલ, ફોન ઉપાડવાની પણ તસ્દી ન લીધી – જુઓ Video
ગાંધીનગરના ગમીજ, કનીપુર અને બૈયલના ખેડૂતો નર્મદા નિગમની બેદરકારીથી પરેશાન છે. માઇનોર કેનાલની સફાઈ ન થતાં પાણીની અછત સર્જાઈ છે. અનેક રજૂઆતો છતાં કાર્યવાહી ન થતાં ખેડૂતો જીવના જોખમે જાતે જ કેનાલ સાફ કરવા મજબૂર બન્યા છે. પાણીની વહેલી સુલભતા માટે સંપૂર્ણ સફાઈની માંગ કરાઈ છે.
- Ravi Prajapati
- Updated on: Aug 10, 2026
- 4:14 pm
ગાંધીનગરમાં 17 વર્ષિય સગીરા પર દુષ્કર્મ બાદ અતિશય રક્તસ્ત્રાવને કારણે નિપજ્યુ મોત, નરાધમની ધરપકડ- Video
રાજ્યના પાટનગરમાંથી એક અતિશય હચમચાવનારી ઘટના સામે આવી છે. જ્યા 17 વર્ષની સગીરાને ગેસ્ટ હાઉસમાં લઈ જઈ નરાધમે દુષ્કર્મ આચર્યુ હોવાનો આક્ષેપ થયો છે. જે બાદ અતિશય રક્તસ્ત્રાવ થવાને કારણે સગીરાનું મૃત્યુ નિપજ્યુ છે. મૃતકના પિતાની ફરિયાદ બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
- TV9 Gujarati
- Updated on: Aug 9, 2026
- 9:46 pm
દેશભરમાં નક્લી પનીરના દરોડા વચ્ચે ગાંધીનગરના ગલુદણમાંથી ઝડપાયુ ભેળસેળયુક્ત નક્લી ઘી- Video
ગાંધીનગરમાં ભેળસેળયુક્ત ઘી બનાવતી ફેક્ટરી પર ફૂડ વિભાગ, FSL અને પોલીસની સંયુક્ત ટીમે દરોડા પાડી કાર્યવાહી કરી છે. ફેક્ટરીમાંથી ત્રણ અલગ-અલગ બ્રાન્ડના નામે નકલી ઘી અને મોટા પાયે પેકિંગ સામગ્રી જપ્ત કરવામાં આવી છે.
- TV9 Gujarati
- Updated on: Aug 8, 2026
- 2:07 pm
બ્રાન્ડેડ નામે બનાવટી ઘીનું ઉત્પાદન, ગાંધીનગરમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગનો પર્દાફાશ
ગાંધીનગરના ગલુદણ ગામમાં બ્રાન્ડેડ કંપનીઓના નામે નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. ગાંધીનગર રેન્જ IG સ્ક્વોડ અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગે સંયુક્ત કાર્યવાહી કરી હતી.
- Sagar Solanki
- Updated on: Aug 7, 2026
- 10:09 pm
Breaking News : એનાલોગ પનીર પર ગુજરાત સરકારનો સત્તાવાર આદેશ, કડક અમલ માટે ટાસ્ક ફોર્સની રચના
ગુજરાત સરકારે એનાલોગ પનીરના ઉત્પાદન, વેચાણ, સંગ્રહ અને પરિવહન પર સત્તાવાર પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધ એક વર્ષ સુધી અથવા FSSAI નવા ધોરણો જાહેર ન કરે ત્યાં સુધી અમલમાં રહેશે.
- Sagar Solanki
- Updated on: Aug 6, 2026
- 8:24 pm
Breaking News : ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ, લોકોના સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ નિર્ણય
ગુજરાત સરકારે લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આવતીકાલથી રાજ્યમાં એનાલોગ પનીર, ચીઝ અને બટરના વેચાણ, ઉત્પાદન, ઉપયોગ અને પરિવહન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવાયો છે.
- Sagar Solanki
- Updated on: Aug 5, 2026
- 8:36 pm