AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગાંધીનગર

ગાંધીનગર

ગુજરાત રાજ્યનાં રાજકારણનું પાટનગર એટલે ગાંધીનગર. ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગર શહેર એ ગાંધીનગર જિલ્લાનું મુખ્ય મથક પણ છે.  ગાંધીનગર જિલ્લા હેઠળ ચાર તાલુકાનો સમાવેશ થાય છે. માણસા, કલોલ, દેહગામ અને ગાંધીનગર. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં, સરકારના તમામ વિભાગોની મુખ્ય કચેરીઓ, તમામ વિભાગોના સચિવાલય, મંત્રીઓનું કાર્યાલય, મંત્રીઓનું નિવાસ સ્થાન, વિધાનસભા મકાન, ગવર્નરનું નિવાસ, ગવર્નરનું કાર્યાલય સહીત રાજ્ય અને કેન્દ્ર સરકારની તમામ મહત્વપૂર્ણ કચેરીઓ અને ઇમારત સામેલ છે.

અમદાવાદ અને સુરત પછી ઝડપી વિકસતા શહેર તરીકે ગાંધીનગર ઉભરી રહ્યું છે. ગીફ્ટ સિટી ઉપરાંત અમદાવાદ-ગાંધીનગર મેટ્રો કોરિડોર પ્રોજેક્ટ અને અન્ય કેટલાક મહત્વના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ દેશમાં ગાંધીનગરના ઔદ્યોગિક અને વ્યાપારી વિકાસને આગળ વધારવાની ધારણા છે.

ગાંધીનગર જિલ્લાની અર્થવ્યવસ્થામાં કૃષિ એક આવશ્યક રીત છે. શહેર તેના નાના અને મધ્યમ કદના ઉદ્યોગો માટે જાણીતું છે. ગાંધીનગરમાં લગભગ આઠ હજાર નાના અને લઘુ ઉદ્યોગો (એસએસઆઈ) છે, જે આશરે 40,000 લોકોને રોજગારી પૂરી પાડે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ એ એક બીજું ક્ષેત્ર છે, જેણે ગાંધીનગરમાં રોકાણ અને રોજગારી માટે નવી તકો ખોલી છે. આઇટી અને આઇટીઇએસ ક્ષેત્રે રોકાણના તાજેતરના ઘસારા સાથે, ગાંધીનગર જીલ્લો વધુને વધુ આઇટી અને આઇટીઇએસ કંપનીઓ માટે એક આકર્ષક સ્થળ બનશે.

Read More

ગુજરાતની ધરતી પરથી ભારતની સ્વાસ્થ્ય સુરક્ષા અને બાયો સેફ્ટી ક્ષેત્રના વિકાસના નવા યુગની શરૂઆત: અમિત શાહ

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે, આજે ગાંધીનગર ખાતે, રૂપિયા 362 કરોડના ખર્ચે બનનાર અદ્યતન બાયો-કન્ટેઈનમેન્ટ ફેસિલિટી “બાયો સેફ્ટી લેવલ-4” લેબનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે અમિત શાહે કહ્યું કે, આ લેબ જીવલેણ વાયરસ સામે લડવા માટે ભારતનું અભેદ સુરક્ષા કવચ અને જૈવ સુવિધાનો મજબૂત કિલ્લો પૂરવાર થશે.

સનાતન ધર્મ, ભારતીય સંસ્કૃતિ, ભારતના લોકોની આસ્થા મિટાવી સહેલી નથી, સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છેઃ અમિત શાહ

અમિત શાહે કહ્યું કે, અલ્લાઉદીન ખીલજી, અહેમદ શાહ, મદમંદ બેગડો, ઔરગંઝેબ વગેરેએ સતત હુમલાઓ કરીને સોમનાથ મંદિર તોડતા ગયા, આપણે નવું મંદિર બનાવતા ગયા. તોડવા વાળાને તોડવામાં વિશ્વાસ હતો. બનાવવા વાળાને નવું મદિર બનાવવામાં વિશ્વાસ હતો. તોડનારા ખોવાઈ ગયા, મંદિર આજે પણ ત્યા ઊભુ છે.

Breaking News : ભાજપને ગાંધીજી પ્રત્યે ભારે સૂગ, ગાંધી વિચારો ખતમ કરવા મનરેગાનું G RAM G કર્યું, કોંગ્રેસ વિધાનસભા ઘેરાવ કરશે : અમિત ચાવડા

કેન્દ્રની મોદી સરકાર દ્વારા મનરેગાનું નામ બદલીને G RAM G ( જી રામ જી) કરવા સામે કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો છે. આ મુદ્દાને લઈને કોંગ્રેસ દેશભરમાં ભાજપ સરકાર સામે આંદોલન કરી રહી છે. ગુજરાત કોંગ્રેસે જી રામ જીને લઈને વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ જાહેર કર્યો છે.

પાણીથી વધતાં રોગચાળાથી બચવા માટે- અપનાવો આ ઘરેલું નુસ્ખાઓ!

ઈન્દોર અને ગુજરાતમાં વધી રહેલા રોગચાળાને ધ્યાનમાં રાખીને, તમારા પરિવાર અને ખાસ કરીને બાળકોને સ્વસ્થ રાખવા માટે પાણી અંગે સાવચેતી જરૂરી છે. બોરના પાણીનો સંગ્રહ કરતી વખતે ખાસ ધ્યાન રાખો. હંમેશા સ્ટીલ અથવા કાચના વાસણમાં જ પાણી ભરો, કારણ કે આવા વાસણોમાં ગંદકી થતી નથી અને પાણી સુરક્ષિત રહે છે.

Breaking News: હવે અમદાવાદથી સીધા જઇ શકાશે અક્ષરધામ અને મહાત્મા મંદિર, ગાંધીનગરમાં PM મોદીએ નવા મેટ્રો સ્ટેશનનું કર્યુ લોકાર્પણ – જુઓ Video

ગાંધીનગરમાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું. મેટ્રો ફેઝ-2 અંતર્ગત મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનનું ઉદ્ઘાટન થયું છે.

Breaking News: અમિતાભ બચ્ચનની ગાંધીનગરમાં ખરીદેલી જમીનની કિંમત 30 ગણી વધી ગઈ, 2011માં ₹7 કરોડમાં ખરીદેલી, અત્યારે ₹210 કરોડ કિંમત

ગુજરાતના ગાંધીનગરના શાહપુર ગામમાં બોલિવૂડના દિગ્ગજ અમિતાભ બચ્ચનની જમીન જાન્યુઆરી 2026માં ચર્ચાનો વિષય બની હતી. અહેવાલો દર્શાવે છે કે જમીનની કિંમત 30 ગણી વધી ગઈ છે અને તેનું મૂલ્યાંકન હવે આશરે ₹210 કરોડ આંકવામાં આવ્યું છે.

Breaking News : ગાંધીનગરમાં ટાઈફોઈડ બાદ કોંગો ફીવરનો શંકાસ્પદ કેસ સામે આવ્યો, 25 દિવસ પહેલા યુવક રાજસ્થાનથી પશુઓ લાવ્યો હતો

ગાંધીનગરમાં ટાઈફોઈડ બાદ કોંગો ફીવરનો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. કોંગો ફીવરનો શંકાસ્પદ કેસ સામે આવતા પશુપાલન વિભાગ અને આરોગ્ય તંત્ર એલર્ટ થયું છે. યુવાનના સેમ્પલ લઈને પુના મોકલવામાં આવ્યા છે.ભયનો માહોલ સર્જનારો કોંગો ફિવર આખરે છે શું? જાણો

Breaking News : ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસમાં વધારો, NHRCએ લીધી ગંભીર નોંધ, મુખ્ય સચિવને નોટિસ ફટકારી, જુઓ Video

ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસ સતત વધતા જઈ રહ્યા છે. જેની નોંધ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ દ્વારા લેવામાં આવી છે. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે વધતા ટાઇફોઇડના કેસ મામલે હવે રાજ્યના મુખ્ય સચિવને નોટિસ ફટકારી છે અને એક સપ્તાહમાં જવાબ રજુ કરવા જણાવ્યુ છે.

Breaking News: સાણંદની બે ખાનગી કંપનીમાં ભીષણ આગ, ભારે જહેમત બાદ પણ નથી મેળવાયો કાબુ-Video

સાણંદ પાસેના ચાંગોદર નજીક બે ખાનગી કંપનીમાં આગની ઘટના સામે આવી છે. પતરાના શેડસમાં ચાલતી શ્રીહરિ પેપર અને પિન્ગાઝ કંપનીમાં વિકરાળ આગ લાગી હતી. ઘટનાને પગલે ભારે અફરાતફરીનો માહોલ પણ જોવા મળ્યો હતો.

ગાંધીનગરમાં ટાઈફોઈડના વધુ 9 કેસ નોંધાયા, કુલ આંકડો 144 પર

ગાંધીનગરમાં ટાઈફોઈડના વધુ 9 કેસ નોંધાતા કુલ આંકડો 144 પર પહોંચ્યો છે. હાલ 85 દર્દીઓ સારવાર હેઠળ છે જ્યારે 59 દર્દીઓને રજા આપવામાં આવી છે. તંત્ર દ્વારા એક હજારથી વધુ પાણીના નમૂના લઈ તપાસ શરૂ કરવામાં આવી છે.

Breaking News : ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં વકર્યો ટાઇફોઇડ, અત્યાર સુધીમાં કુલ 144 કેસ નોંધાયા, 85 ટીમોને સર્વે માટે ઉતારવામાં આવી

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ટાઈફોઈડના વધતા કેસોથી આરોગ્ય તંત્રમાં ચિંતા ફેલાઈ છે. સરકારી આંકડા મુજબ તાજેતરમાં વધુ 11 નવા કેસ નોંધાયા છે, જેથી અત્યાર સુધીમાં કુલ કેસોની સંખ્યા 144 પર પહોંચી છે. હાલમાં 85 દર્દીઓ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે 59 દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી છે.

Breaking News : ગાંધીનગર નજીક 15 થી 20 ફૂટ ઊંડા ખાળકૂવામાં બાળક પડતાં મોત, જુઓ Video

ગાંધીનગર નજીક 6 વર્ષનું બાળક ખાળકૂવામાં પડતાં મોત. ફાયર વિભાગે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી પરંતુ બાળકનો જીવ બચી શક્યો નહીં..

ગાંધીનગર : વધતા ટાઈફોઈડના કેસને લઈ રાજકારણ ગરમાયું, શહેર કોંગ્રેસે મનપા કચેરી ખાતે કર્યો વિરોધ, જુઓ-Video

ગાંધીનગરના અસરગ્રસ્ત વિસ્તારમાંથી વધુ 20 કેસ નોંધાતા આરોગ્ય વિભાગની ચિંતા વધી છે. તેવામાં શહેર કોંગ્રેસ મેદાને ઉતરી છે અને મનપા કચેરીએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.

કાનુની સવાલ : મ્યુચ્યુઅલ ડિવોર્સમાં રાહ નહીં, રાહત મળશે, કૂલિંગ ઓફ પિરિયડ ફરજિયાત નથી, ગુજરાત હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો

કાનુની સવાલ: ગુજરાત હાઈકોર્ટએ ફેમિલી કોર્ટ દ્વારા મ્યુચ્યુઅલ ડિવોર્સ અરજી ફગાવવાના આદેશને રદ કરી દીધો છે અને સમગ્ર મામલો ફરીથી ફેમિલી કોર્ટમાં મોકલવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટનો આ ચુકાદો એવા દંપતિઓ માટે માર્ગદર્શક સાબિત થશે, જે લાંબા સમયથી અલગ રહેતા હોવા છતાં કાનૂની પ્રક્રિયામાં અટવાયેલા હોય.

બગદાણા ધામના સેવકને માર મારવાના મુદ્દે ભાજપ, કોંગ્રેસ અને AAP એક થયું; 15 ધારાસભ્ય અને 3 સાંસદે CM સાથે ઉચ્ચ સ્તરીય બેઠક કરી – જુઓ Video

બગદાણા યુવકને માર મારવાના મુદ્દે ઉગ્રતા વધતા હવે આ મામલો આહીર અને કોળી સમાજ વચ્ચે રાજકીય ચર્ચાનો વિષય બની ગયો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીના નિવાસસ્થાને બેઠક યોજાઈ.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
g clip-path="url(#clip0_868_265)">