ગાંધીનગર
ગુજરાત રાજ્યનાં રાજકારણનું પાટનગર એટલે ગાંધીનગર. ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગર શહેર એ ગાંધીનગર જિલ્લાનું મુખ્ય મથક પણ છે. ગાંધીનગર જિલ્લા હેઠળ ચાર તાલુકાનો સમાવેશ થાય છે. માણસા, કલોલ, દેહગામ અને ગાંધીનગર. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં, સરકારના તમામ વિભાગોની મુખ્ય કચેરીઓ, તમામ વિભાગોના સચિવાલય, મંત્રીઓનું કાર્યાલય, મંત્રીઓનું નિવાસ સ્થાન, વિધાનસભા મકાન, ગવર્નરનું નિવાસ, ગવર્નરનું કાર્યાલય સહીત રાજ્ય અને કેન્દ્ર સરકારની તમામ મહત્વપૂર્ણ કચેરીઓ અને ઇમારત સામેલ છે.
અમદાવાદ અને સુરત પછી ઝડપી વિકસતા શહેર તરીકે ગાંધીનગર ઉભરી રહ્યું છે. ગીફ્ટ સિટી ઉપરાંત અમદાવાદ-ગાંધીનગર મેટ્રો કોરિડોર પ્રોજેક્ટ અને અન્ય કેટલાક મહત્વના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ દેશમાં ગાંધીનગરના ઔદ્યોગિક અને વ્યાપારી વિકાસને આગળ વધારવાની ધારણા છે.
ગાંધીનગર જિલ્લાની અર્થવ્યવસ્થામાં કૃષિ એક આવશ્યક રીત છે. શહેર તેના નાના અને મધ્યમ કદના ઉદ્યોગો માટે જાણીતું છે. ગાંધીનગરમાં લગભગ આઠ હજાર નાના અને લઘુ ઉદ્યોગો (એસએસઆઈ) છે, જે આશરે 40,000 લોકોને રોજગારી પૂરી પાડે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ એ એક બીજું ક્ષેત્ર છે, જેણે ગાંધીનગરમાં રોકાણ અને રોજગારી માટે નવી તકો ખોલી છે. આઇટી અને આઇટીઇએસ ક્ષેત્રે રોકાણના તાજેતરના ઘસારા સાથે, ગાંધીનગર જીલ્લો વધુને વધુ આઇટી અને આઇટીઇએસ કંપનીઓ માટે એક આકર્ષક સ્થળ બનશે.
વસ્તી ગણતરીમાં તમારે ઘરે બેઠા બેઠા જ જાતે ઓનલાઈન વિગતો ભરવી હોય, તો આટલા સ્ટેપ ફોલો કરો, ગુજરાત માટે નક્કી કરાઈ છે આ તારીખ
India Census 2027 : ભારતની 16મી વસ્તી ગણતરી 1 એપ્રિલ, 2026 ના રોજથી શરૂ થઈ ચૂકી છે. 2027 ની વસ્તી ગણતરીમાં પ્રથમ વખત જ ડિજિટલ માધ્યમથી હાથ ધરવામાં આવી રહી છે. આ ઉપરાંત નાગરિકોને 'સ્વ-ગણતરી' ની સુવિધા પણ પૂરી પાડવામાં આવશે.
- TV9 Gujarati
- Updated on: Apr 3, 2026
- 2:11 pm
Breaking News: પનીર અસલી કે એનાલોગ? હવે આ અંગે હોટલ-રેસ્ટોરન્ટે ફરજિયાત લગાવવું પડશે બોર્ડ, સરકારનો મોટો નિર્ણય
જો તમે પણ હોટલમાં કે રેસ્ટોરન્ટમાં પનીરની વાનગીઓ મંગાવો છો પણ તે પનીર અસલી છે કે નકલી એટલે કે એનાલોગ તેને લઈને આપણાને કોઈ જાણ હોતી નથી. જેના લીધે ઘણી જગ્યાએ નકલી પનીર પીરસવામાં આવે છે. ત્યારે હવે અંગે હવે સકારે મોટો નિર્ણય લીધો છે.
- TV9 Gujarati
- Updated on: Apr 3, 2026
- 12:26 pm
Breaking News : કચ્છમાં 10 વર્ષ બાદ જન્મ્યું આ પક્ષીનું બચ્ચુ, સુરક્ષા માટે વન વિભાગે ખાસ ટુકડીઓ તહેનાત કરી
લગભગ દાયકાઓ બાદ કચ્છમાં ઘોરાડના બચ્ચાનો જન્મ થયો છે, જે વન્યજીવ સંરક્ષણ માટે મોટી સફળતા માનવામાં આવી રહી છે અને લુપ્ત થતી આ પ્રજાતિ માટે નવી આશા જગાવી છે.
- RajSingh Sisodiya
- Updated on: Apr 2, 2026
- 3:01 pm
Breaking News: સરકારનો મોટો નિર્ણય….ખેડૂતોને રાહત, કોન્ટ્રાક્ટરોને આફત ! જમીન અને રસ્તાઓ મામલે મુખ્યમંત્રીનો ઐતિહાસિક નિર્ણય
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે રાજ્યના વિકાસ અને ખેડૂતોની સુવિધા માટે બે અત્યંત મહત્વના નિર્ણયો લીધા છે. એક તરફ, જમીન વેચવાના કાયદામાં મોટો ફેરફાર કરીને હવે 10 ગુંઠા જેવી નાની જમીન ધરાવતા ખેડૂતો માટે પણ ખરીદ-વેચાણના દ્વાર ખોલી દીધા છે, જેનાથી હજારો લોકોને સીધો ફાયદો થશે.
- Ravi Prajapati
- Updated on: Apr 1, 2026
- 8:31 pm
Breaking News : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ થઈ જાહેર, 26 એપ્રિલના રોજ યોજાશે મતદાન, જાણો ક્યારે આવશે પરિણામ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે. ચૂંટણીની તારીખ જાહેર થતાં કાઉન્ટડાઉન શરૂ થયું છે. મતદાન માટે 26 એપ્રિલ, 2026, રવિવારનો દિવસ નક્કી કરવામાં આવ્યો છે.
- Sagar Solanki
- Updated on: Apr 1, 2026
- 6:02 pm
Breaking News : PM નરેન્દ્ર મોદીએ કોબામાં સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલયનું લોકાર્પણ કર્યું, કહ્યુ- ભારતની વિવધતામાં એકતાએ સૌથી મોટી એકતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે. રાજ્યને કરોડોના વિકાસ કાર્યની ભેટ આપી છે. કોબા ખાતે સમ્રાટ સંપત્તિ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું છે.મ્યુઝિયમને 7 અલગ-અલગ વિભાગમાં વહેંચીને 7 ગેલેરી તૈયાર કરવામાં આવી છે.
- TV9 Gujarati
- Updated on: Mar 31, 2026
- 1:46 pm
Breaking News : ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરમાં હોટલોમાં દારૂ વેચાણને મંજૂરી, પ્રવાસનને મળશે નવી દિશા, જુઓ Video
પોરબંદરની જાણીતી હોટલોને હવે લીકર (દારુ) શોપ ચલાવવાની મંજૂરી મળી છે. રાજ્ય સરકારે પ્રવાસનને વેગ આપવા અને પ્રવાસીઓ તેમજ પરમિટ ધારકોને જૂનાગઢ કે જામનગર જેવા શહેરોમાં ધક્કા ન ખાવા પડે તે હેતુથી આ નિર્ણય લીધો છે. પોરબંદરમાં આશરે 1500 પરમિટ ધારકોને આનાથી સુવિધા મળશે.
- Hasmukh Ramani
- Updated on: Mar 31, 2026
- 12:03 pm
હવે ઇન્ટરનેટ દોડશે નહીં, ઉડશે! હવે ઇન્ટરનેટ દોડશે નહીં, ઉડશે! રિલાયન્સ જિયોની અમદાવાદ-ગાંધીનગરમાં સ્પીડની ‘હાઈ-ટેક ક્રાંતિ’
અમદાવાદ અને ગાંધીનગરના રહેવાસીઓ માટે ડિજિટલ દુનિયા હવે વધુ સરળ અને ઝડપી બનવા જઈ રહી છે. રિલાયન્સ જિયોએ આ બંને મહત્વના શહેરોમાં પોતાના નેટવર્ક અને ડાઉનલોડ સ્પીડમાં નોંધપાત્ર સુધારો કરીને એક નવું સીમાચિહ્ન સ્થાપિત કર્યું છે.
- TV9 Gujarati
- Updated on: Mar 30, 2026
- 4:46 pm
Breaking News : ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણી 2026નું રણશિંગુ! એપ્રિલના અંતમાં મહાસંગ્રામની તૈયારી, જાણો સત્તાના સમીકરણોનું સચોટ વિશ્લેષણ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની સત્તાવાર જાહેરાત 1 એપ્રિલ સાંજે અથવા 2 એપ્રિલે થઈ શકે છે. 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે ચૂંટણી યોજાશે. ચૂંટણી પંચે તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પ્રચાર શરૂ કરી દીધો છે.
- Hasmukh Ramani
- Updated on: Mar 30, 2026
- 1:09 pm
શું યુદ્ધને કારણે ગુજરાતમાં સર્જાશે ઈંધણની અછત ? જાણો CM અને હર્ષ સંઘવીની બેઠકમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણયો વિશે જે તમારી ચિંતા કરી દેશે દૂર!
વૈશ્વિક યુદ્ધની સ્થિતિ વચ્ચે ગુજરાતમાં જીવનજરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો જાળવી રાખવા Dy.Cm અને CM એ ગાંધીનગરમાં હાઈ-લેવલ બેઠક યોજી હતી. રાજ્યમાં PNG કનેક્શન આપવાની કામગીરી યુદ્ધના ધોરણે તેજ કરવામાં આવી છે અને ખાતર તેમજ અનાજનો પૂરતો સ્ટોક હોવાની ખાતરી આપવામાં આવી છે.
- TV9 Gujarati
- Updated on: Mar 28, 2026
- 4:39 pm
ગુજરાતના ઉંદરો બની ગયા ચરસી, પોલીસે જપ્ત કરેલું ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, વિધાનસભામાં રજૂ થયેલા રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા CAG ના રિપોર્ટમાં ચોંકાવનાર ખૂલાસો થયો છે. પોલીસની કસ્ટડીમાંથી 2332.68 કિલો માદક પદાર્થ ગાયબ થયો હોવાનો ખૂલાસો થયો છે અને આ ડ્રગ્સ ગાયબ થવા મામલે ગૃહવિભાગ દ્વારા કેગને જે ત્રણ કારણો આપવામાં આવ્યા છે તે તો સૌથી વધુ ચોંકવનારા છે.
- TV9 Gujarati
- Updated on: Mar 26, 2026
- 7:42 pm
Breaking News: ગુજરાતમાં હવે ‘અશાંત વિસ્તાર’ કહેવાશે ‘નિર્દિષ્ટ વિસ્તાર’; વિધાનસભામાં બહુમતીથી અશાંતધારા ‘સુધારા બીલ’ પસાર
ગુજરાત વિધાનસભામાં અશાંતધારા સુધારા વિધેયક-2026 બહુમતીથી પસાર કરવામાં આવ્યું છે. નવા નિયમો મુજબ હવે અશાંત વિસ્તાર 'નિર્દિષ્ટ વિસ્તાર' તરીકે ઓળખાશે. કલેક્ટરને 'સુઓ મોટો' તપાસની સત્તા આપવામાં આવી છે.
- TV9 Gujarati
- Updated on: Mar 25, 2026
- 8:44 pm
Breaking news: ગુજરાતનું દેવું વધ્યું! Rs 3.80 લાખ કરોડ પાર, CAG રિપોર્ટમાં ખુલાસો
ગુજરાત પર દેવું વધ્યું છે. રાજ્ય સરકારની બજાર લોનનો હિસ્સો સૌથી વધુ છે. હાલ બજાર લોન ₹3.11 લાખ કરોડ સુધી પહોંચી ગઈ છે, જેમાં આ વર્ષે જ ₹16 હજાર કરોડનો વધારો થયો છે. આ દર્શાવે છે કે સરકાર વિકાસ અને ખર્ચ માટે મોટા પ્રમાણમાં ઉધાર પર નિર્ભર બની રહી છે.
- TV9 Gujarati
- Updated on: Mar 25, 2026
- 2:22 pm
Breaking News : સાડા સાત કલાકની ચર્ચા બાદ વિધાનસભા ગૃહમાં UCC બિલ બહુમતીથી પસાર, કોંગ્રેસનો વોકઆઉટ
ગુજરાત વિધાનસભામાં લગભગ 7.30 કલાકની ચર્ચા બાદ UCC બિલ પસાર થયું. પક્ષ-વિપક્ષે મુદ્દા રજૂ કર્યા બાદ મુખ્યમંત્રીએ સર્વસંમતિથી આગળ વધવાની અપીલ કરી. અને ગૃહમાં બીલ પસાર થયું.
- Kinjal Mishra
- Updated on: Mar 24, 2026
- 11:11 pm
“આદિવાસી સમાજને ચૂંટણીને કારણે UCC માંથી બાકાત રખાયો”- Tv9 સાથેની ખાસ વાતચીતમાં ચૈતર વસાવાએ સરકારની નિયત સામે ઉઠાવ્યા સવાલ
ગુજરાત વિધાનસભામાં આજે UCC બિલ રજૂ થવા જઈ રહ્યુ છે ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યો આ બિલનો વિરોધ કરી રહ્યા છે. વિધાનસભામાં બિલ રજૂ થાય એ પહેલા આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ Tv9 ગુજરાતી સાથે ખાસ વાતચીત કરી અને સરકાર ચૂંટણી પહેલા વર્ગ વિગ્રહ માટે UCC બિલ લાવી રહી હોવાનો આક્ષેપ કર્યો.
- TV9 Gujarati
- Updated on: Mar 24, 2026
- 4:05 pm