ગાંધીનગર
ગુજરાત રાજ્યનાં રાજકારણનું પાટનગર એટલે ગાંધીનગર. ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગર શહેર એ ગાંધીનગર જિલ્લાનું મુખ્ય મથક પણ છે. ગાંધીનગર જિલ્લા હેઠળ ચાર તાલુકાનો સમાવેશ થાય છે. માણસા, કલોલ, દેહગામ અને ગાંધીનગર. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં, સરકારના તમામ વિભાગોની મુખ્ય કચેરીઓ, તમામ વિભાગોના સચિવાલય, મંત્રીઓનું કાર્યાલય, મંત્રીઓનું નિવાસ સ્થાન, વિધાનસભા મકાન, ગવર્નરનું નિવાસ, ગવર્નરનું કાર્યાલય સહીત રાજ્ય અને કેન્દ્ર સરકારની તમામ મહત્વપૂર્ણ કચેરીઓ અને ઇમારત સામેલ છે.
અમદાવાદ અને સુરત પછી ઝડપી વિકસતા શહેર તરીકે ગાંધીનગર ઉભરી રહ્યું છે. ગીફ્ટ સિટી ઉપરાંત અમદાવાદ-ગાંધીનગર મેટ્રો કોરિડોર પ્રોજેક્ટ અને અન્ય કેટલાક મહત્વના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ દેશમાં ગાંધીનગરના ઔદ્યોગિક અને વ્યાપારી વિકાસને આગળ વધારવાની ધારણા છે.
ગાંધીનગર જિલ્લાની અર્થવ્યવસ્થામાં કૃષિ એક આવશ્યક રીત છે. શહેર તેના નાના અને મધ્યમ કદના ઉદ્યોગો માટે જાણીતું છે. ગાંધીનગરમાં લગભગ આઠ હજાર નાના અને લઘુ ઉદ્યોગો (એસએસઆઈ) છે, જે આશરે 40,000 લોકોને રોજગારી પૂરી પાડે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ એ એક બીજું ક્ષેત્ર છે, જેણે ગાંધીનગરમાં રોકાણ અને રોજગારી માટે નવી તકો ખોલી છે. આઇટી અને આઇટીઇએસ ક્ષેત્રે રોકાણના તાજેતરના ઘસારા સાથે, ગાંધીનગર જીલ્લો વધુને વધુ આઇટી અને આઇટીઇએસ કંપનીઓ માટે એક આકર્ષક સ્થળ બનશે.
Breaking News : ભવનાથના શિવરાત્રી મેળા માટે તડામાર તૈયારીઓ, ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ, જુઓ Video
જૂનાગઢના ભવનાથ મહાશિવરાત્રી મેળાના આયોજન માટે ગાંધીનગરમાં નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ. પવિત્ર યાત્રાધામ બોર્ડ, સાંસ્કૃતિક વિભાગના અધિકારીઓ, જિલ્લાના વહીવટી અધિકારીઓ અને અખાડાના સંતો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. મેળાને વધુ ભવ્ય બનાવવા અને સુચારુ વ્યવસ્થા અંગે ચર્ચા કરવામાં આવી, તેમજ વિશેષ ગીતનું લોન્ચિંગ પણ કરાયું.
- Hasmukh Ramani
- Updated on: Jan 30, 2026
- 12:37 pm
Breaking News : વિક્રમ ઠાકોરે સમાજના બંધારણમાં DJના નિયંત્રણને લઈને ગેનીબેનને રજુઆત કરી, ફરી વિચાર કરવા અપીલ કરી, જુઓ Video
ગાંધીનગરમાં ઠાકોર સમાજનું ઐતિહાસિક અભ્યુદય સંમેલન યોજાયું હતુ.વિક્રમ ઠાકોરે સમાજના આગેવાનોને રજૂઆત કરી કે, DJ વાળા મિત્રોના ફોન આવ્યા એટલે આપને વિનંતી કરું છું કે DJના નિયમ અંગે ફરી વિચાર કરો.
- TV9 Gujarati
- Updated on: Jan 27, 2026
- 2:03 pm
Breaking News : “સમાજનો ભૂવો હું બન્યો છું, નાળિયેર કઈ બાજુ ફેંકવું હું જાણું છું”, ઠાકોર સમાજના સંમેલનમાં બોલ્યા અલ્પેશ ઠાકોર, જુઓ Video
ગાંધીનગરમાં યોજાયેલા ઠાકોર સમાજના અભ્યુદય સંમેલનમાં હજારો લોકો ઉમટી પડ્યા. અલ્પેશ ઠાકોર, ગેનીબેન ઠાકોર સહિતના નેતાઓએ સમાજમાંથી દારૂ જેવા કુરિવાજો દૂર કરવા, શિક્ષણને પ્રોત્સાહન આપવા અને આર્થિક સશક્તિકરણ માટે એકતા સાધવાનો હાકલ કર્યો. સમાજના વિકાસ માટે સત્તા અને સંસ્થાની આવશ્યકતા પર પણ ભાર મુકાયો.
- Hasmukh Ramani
- Updated on: Jan 27, 2026
- 11:44 am
Breaking News : ગાંધીનગર મહાનગરપાલિકાની મોટી યોજના, તમામ 9 મેટ્રો સ્ટેશનો પર કરાશે પાર્કિંગ સુવિધા
ગાંધીનગરમાં તમામ મેટ્રો સ્ટેશન પર પાર્કિંગની સુવિધા કરાશે. 9 મેટ્રો સ્ટેશનો પર તબ્બકાવાર પાર્કિંગ સુવિધા ઊભી કરાશે..મેટ્રોમાં મુસાફરી કરનારા મુસાફરોને પાર્કિંગ માટે સરળતા રહેશે. 19 જેટલા સ્થળો પર પાર્કિંગનું આયોજન કરવામાં આવશે.2 હજાર કરતાં વધુ વાહનો પાર્ક થઈ શકે તે માટેનું આયોજન.
- Ashvin Patel
- Updated on: Jan 25, 2026
- 4:19 pm
Breaking News : Alpesh Thakor ના આક્રમક તેવર, 26 જાન્યુઆરીએ નવાજૂનીનાં એંધાણ, જુઓ Video
અલ્પેશ ઠાકોર 26 જાન્યુઆરીએ ગાંધીનગરમાં અભ્યુદય કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છે. ઠાકોર સમાજને સામાજિક અને શૈક્ષણિક રીતે જાગૃત કરવા, બદીઓ અને કુરિવાજોથી મુક્ત કરવા આ કાર્યક્રમ યોજાશે. 7 હજાર ગામડાઓથી લોકો જોડાવાનો દાવો છે, જેમાં રાજ્ય સરકારના સહયોગથી અડાલજ ખાતે સરસ્વતીધામ સંકુલ બનશે.
- Hasmukh Ramani
- Updated on: Jan 24, 2026
- 1:54 pm
સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલની બદલી
ગુજરાત સરકારે આજે 22મી જાન્યુઆરીના રોજ બે સનદી અધિકારીઓની બદલી કરી છે. જેમાં ધ્યાન ખેંચે તેવી એક બદલી સુરતના મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલની છે. સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલને સુરતથી ગાંધીનગર બોલાવાયા છે. શાલિની અગ્રવાલને, ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL) ના MD બનાવાયા છે.
- TV9 Gujarati
- Updated on: Jan 22, 2026
- 7:55 pm
વહીવટીતંત્ર ભાજપ સરકારનુ વાજિંત્ર બન્યુ હોવાનો કોંગ્રેસનો આક્ષેપ, SIR માં ગેરરીતિ સામે કલેકટર કચેરી ઘેરાવ કરાશે, સુપ્રીમ કોર્ટમાં પડકારાશે
ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ, આજે SIR કામગીરીમાં ફોર્મ 7 ના દુરુપયોગ અંગે વહીવટીતંત્રને આડે હાથે લેતા ચિંમકી ઉચ્ચારી છે કે, જો ચૂંટણી પંચ દ્વારા કોંગ્રેસને ફોર્મ 7 અંગેના પુરાવાઓ પુરા પાડવામાં નહીં આવે તો, કોંગ્રેસ આગામી દિવસોમાં કલેકટર કચેરીનો ધેરાવ કાર્યક્રમ યોજશે, તેમજ સુપ્રીમ કોર્ટમાં તેમની કામગીરીને પણ પડકારવમાં આવશે.
- TV9 Gujarati
- Updated on: Jan 21, 2026
- 4:33 pm
સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પહેલા સરકારનુ નાક દબાવવા પ્રયાસ ! EWS રાજકીય અનામતની માંગ
ગુજરાતમાં SIRની કામગીરી સંપન્ન થયા બાદ, નવી મતદારયાદી બહાર પડશે. આ મતદાર યાદી જાહેર થયા બાદ, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે. જો કે, ગુજરાતમાં ફરીએકવાર આર્થિક રીતે નબળા વર્ગની અનામત માટેની માગ બળવતર બની છે.
- TV9 Gujarati
- Updated on: Jan 20, 2026
- 2:40 pm
CCTV Breaking News : એસ જી હાઈવે વૈષ્ણોદેવી બ્રિજ ઉપર કાર એસટી વચ્ચે અકસ્માત, 1નુ મોત, યુવતી ગંભીર
અમદાવાદના સૌથી વ્યસ્ત માર્ગ એવા સરખેજ ગાંધીનગર હાઈવે પર આજે રવિવારના રોજ સવારે, એસટી બસ અને કાર વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં કાર ચાલકનું મોત થયું છે. જ્યારે તેની સાથે સવાર યુવતી જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે.
- TV9 Gujarati
- Updated on: Jan 18, 2026
- 11:49 am
ગુજરાતની ધરતી પરથી ભારતની સ્વાસ્થ્ય સુરક્ષા અને બાયો સેફ્ટી ક્ષેત્રના વિકાસના નવા યુગની શરૂઆત: અમિત શાહ
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે, આજે ગાંધીનગર ખાતે, રૂપિયા 362 કરોડના ખર્ચે બનનાર અદ્યતન બાયો-કન્ટેઈનમેન્ટ ફેસિલિટી “બાયો સેફ્ટી લેવલ-4” લેબનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે અમિત શાહે કહ્યું કે, આ લેબ જીવલેણ વાયરસ સામે લડવા માટે ભારતનું અભેદ સુરક્ષા કવચ અને જૈવ સુવિધાનો મજબૂત કિલ્લો પૂરવાર થશે.
- TV9 Gujarati
- Updated on: Jan 13, 2026
- 7:09 pm
સનાતન ધર્મ, ભારતીય સંસ્કૃતિ, ભારતના લોકોની આસ્થા મિટાવી સહેલી નથી, સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છેઃ અમિત શાહ
અમિત શાહે કહ્યું કે, અલ્લાઉદીન ખીલજી, અહેમદ શાહ, મદમંદ બેગડો, ઔરગંઝેબ વગેરેએ સતત હુમલાઓ કરીને સોમનાથ મંદિર તોડતા ગયા, આપણે નવું મંદિર બનાવતા ગયા. તોડવા વાળાને તોડવામાં વિશ્વાસ હતો. બનાવવા વાળાને નવું મદિર બનાવવામાં વિશ્વાસ હતો. તોડનારા ખોવાઈ ગયા, મંદિર આજે પણ ત્યા ઊભુ છે.
- TV9 Gujarati
- Updated on: Jan 13, 2026
- 5:53 pm
Breaking News : ભાજપને ગાંધીજી પ્રત્યે ભારે સૂગ, ગાંધી વિચારો ખતમ કરવા મનરેગાનું G RAM G કર્યું, કોંગ્રેસ વિધાનસભા ઘેરાવ કરશે : અમિત ચાવડા
કેન્દ્રની મોદી સરકાર દ્વારા મનરેગાનું નામ બદલીને G RAM G ( જી રામ જી) કરવા સામે કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો છે. આ મુદ્દાને લઈને કોંગ્રેસ દેશભરમાં ભાજપ સરકાર સામે આંદોલન કરી રહી છે. ગુજરાત કોંગ્રેસે જી રામ જીને લઈને વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ જાહેર કર્યો છે.
- TV9 Gujarati
- Updated on: Jan 13, 2026
- 4:38 pm
પાણીથી વધતાં રોગચાળાથી બચવા માટે- અપનાવો આ ઘરેલું નુસ્ખાઓ!
ઈન્દોર અને ગુજરાતમાં વધી રહેલા રોગચાળાને ધ્યાનમાં રાખીને, તમારા પરિવાર અને ખાસ કરીને બાળકોને સ્વસ્થ રાખવા માટે પાણી અંગે સાવચેતી જરૂરી છે. બોરના પાણીનો સંગ્રહ કરતી વખતે ખાસ ધ્યાન રાખો. હંમેશા સ્ટીલ અથવા કાચના વાસણમાં જ પાણી ભરો, કારણ કે આવા વાસણોમાં ગંદકી થતી નથી અને પાણી સુરક્ષિત રહે છે.
- Sachin Agrawal
- Updated on: Jan 12, 2026
- 6:10 pm
Breaking News: હવે અમદાવાદથી સીધા જઇ શકાશે અક્ષરધામ અને મહાત્મા મંદિર, ગાંધીનગરમાં PM મોદીએ નવા મેટ્રો સ્ટેશનનું કર્યુ લોકાર્પણ – જુઓ Video
ગાંધીનગરમાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું. મેટ્રો ફેઝ-2 અંતર્ગત મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનનું ઉદ્ઘાટન થયું છે.
- TV9 Gujarati
- Updated on: Jan 11, 2026
- 7:39 pm
Breaking News: અમિતાભ બચ્ચનની ગાંધીનગરમાં ખરીદેલી જમીનની કિંમત 30 ગણી વધી ગઈ, 2011માં ₹7 કરોડમાં ખરીદેલી, અત્યારે ₹210 કરોડ કિંમત
ગુજરાતના ગાંધીનગરના શાહપુર ગામમાં બોલિવૂડના દિગ્ગજ અમિતાભ બચ્ચનની જમીન જાન્યુઆરી 2026માં ચર્ચાનો વિષય બની હતી. અહેવાલો દર્શાવે છે કે જમીનની કિંમત 30 ગણી વધી ગઈ છે અને તેનું મૂલ્યાંકન હવે આશરે ₹210 કરોડ આંકવામાં આવ્યું છે.
- Meera Kansagara
- Updated on: Jan 11, 2026
- 10:06 am