
ગાંધીનગર
ગુજરાત રાજ્યનાં રાજકારણનું પાટનગર એટલે ગાંધીનગર. ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગર શહેર એ ગાંધીનગર જિલ્લાનું મુખ્ય મથક પણ છે. ગાંધીનગર જિલ્લા હેઠળ ચાર તાલુકાનો સમાવેશ થાય છે. માણસા, કલોલ, દેહગામ અને ગાંધીનગર. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં, સરકારના તમામ વિભાગોની મુખ્ય કચેરીઓ, તમામ વિભાગોના સચિવાલય, મંત્રીઓનું કાર્યાલય, મંત્રીઓનું નિવાસ સ્થાન, વિધાનસભા મકાન, ગવર્નરનું નિવાસ, ગવર્નરનું કાર્યાલય સહીત રાજ્ય અને કેન્દ્ર સરકારની તમામ મહત્વપૂર્ણ કચેરીઓ અને ઇમારત સામેલ છે.
અમદાવાદ અને સુરત પછી ઝડપી વિકસતા શહેર તરીકે ગાંધીનગર ઉભરી રહ્યું છે. ગીફ્ટ સિટી ઉપરાંત અમદાવાદ-ગાંધીનગર મેટ્રો કોરિડોર પ્રોજેક્ટ અને અન્ય કેટલાક મહત્વના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ દેશમાં ગાંધીનગરના ઔદ્યોગિક અને વ્યાપારી વિકાસને આગળ વધારવાની ધારણા છે.
ગાંધીનગર જિલ્લાની અર્થવ્યવસ્થામાં કૃષિ એક આવશ્યક રીત છે. શહેર તેના નાના અને મધ્યમ કદના ઉદ્યોગો માટે જાણીતું છે. ગાંધીનગરમાં લગભગ આઠ હજાર નાના અને લઘુ ઉદ્યોગો (એસએસઆઈ) છે, જે આશરે 40,000 લોકોને રોજગારી પૂરી પાડે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ એ એક બીજું ક્ષેત્ર છે, જેણે ગાંધીનગરમાં રોકાણ અને રોજગારી માટે નવી તકો ખોલી છે. આઇટી અને આઇટીઇએસ ક્ષેત્રે રોકાણના તાજેતરના ઘસારા સાથે, ગાંધીનગર જીલ્લો વધુને વધુ આઇટી અને આઇટીઇએસ કંપનીઓ માટે એક આકર્ષક સ્થળ બનશે.
રાજ્ય સરકારે ભર્યું એક મોટું પગલું, જેના કારણે અચાનક વધશે પ્રોપર્ટીના ભાવ
ગુજરાત સરકારે પ્રોપર્ટીના જંત્રીમાં અનેકગણો વધારો કર્યો છે.ગુજરાત સરકારે કરેલી જાહેરાત મુજબ જંત્રીના નવા દર 1 એપ્રિલ 2025થી લાગુ થશે.શું આનાથી બચવાનો કોઇ રસ્તો છે ?
- Dhinal Chavda
- Updated on: Mar 25, 2025
- 4:58 pm
મેટ્રો રેલ ટૂંક સમયમાં દોડશે ગાંધીનગર સચિવાલય સુધી, સેકટર 1થી સચિવાલય સુધીની ટ્રાયલ શરૂ
અમદાવાદમાં ઉતર-દક્ષિણમાં મોટેરાથી એપીએમસી માર્કેટ અને પૂર્વ-પશ્ચિમમાં વસ્ત્રાલથી થલતેજ ગામ સુધીના વિસ્તારોને સફળતાપૂર્વક આવરી લીધા બાદ, હવે મેટ્રો રેલ અમદાવાદ-ગાંઘીનગર ફેઝ 2માં આવતા તમામ સ્ટેશનોને આવરી લેવા માટે તૈયાર છે. ફેઝ-2માં ગાંધીનગર સેકટર 1 સુધી દોડતી મેટ્રો રેલ આગામી થોડાક દિવસોમાં જ સચિવાલય સુધી દોડતી જોવા મળશે. હાલ ગાંધીનગર સેકટર 1થી સચિવાલય સુધી મેટ્રો રેલની ટ્રાયલ રન યોજાઈ રહી છે.
- TV9 Gujarati
- Updated on: Mar 19, 2025
- 6:21 pm
એન્વાયર્મેન્ટલ મેનેજમેન્ટ ક્ષેત્રે ISO 14001 સર્ટિફિકેશન મેળવતું ગિફ્ટ સિટી
ગિફ્ટ સિટી વૈશ્વિક નાણાંકીય સંસ્થાઓ, ફિનટેક કંપનીઓ અને મલ્ટીનેશનલ કંપનીઓ માટે પસંદગીના સ્થળ તરીકે વેગ પકડી રહી છે. ISO 14001 સર્ટિફિકેશન રોકાણકારોના વિશ્વાસમાં હજુ વધારો કરશે.
- TV9 Gujarati
- Updated on: Mar 19, 2025
- 4:34 pm
અમદાવાદ અને ગાંધીનગરની 28 હોટલોને દારૂ વેચવાની મંજૂરી: ગુજરાત સરકાર
રાજ્ય સરકારે જણાવ્યું કે ફેબ્રુઆરી 2023 થી જાન્યુઆરી 2024 સુધી દારૂ વેચાણમાંથી 14.45 કરોડ રૂપિયાની આવક થઇ હતી.
- Dhinal Chavda
- Updated on: Mar 18, 2025
- 6:06 pm
ક્રિકેટર રવીન્દ્ર જાડેજાની જેમ પત્ની રિવાબાએ પણ જીતી મેચ, સ્વર્ણિમ ગુજરાત MLA ક્રિકેટ લીગમાં ટીમનું શાનદાર પ્રદર્શન, જુઓ Photos
ગુજરાત વિધાનસભા દ્વારા આયોજિત સ્વર્ણિમ ગુજરાત MLA ક્રિકેટ લીગ 2.0 ની આજે શાનદાર શરૂઆત થઈ. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ હાજર રહ્યા હતા.
- Ronak Varma
- Updated on: Mar 17, 2025
- 10:14 pm
ગુજરાતમાં ‘દાદા’ સરકારની વાતો કરનાર ગૃહપ્રધાન હર્ષ સંઘવી રાજીનામુ આપેઃ કોંગ્રેસ
અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપની ભૂપેન્દ્ર પટેલની નહીં, પરંતુ અસામાજીક તત્વોની સરકાર ચાલતી હોય તે રીતે અસામાજીક તત્વો લોકો પર હથિયારો સાથે ઘાતક હુમલા કરી રહ્યાં છે. ચારે તરફ અસામાજીક તત્વોનું રાજ હોય તેવુ લાગી રહ્યું છે. દિવસે દિવસે, ગુજરાત હવે કાયદો અને વ્યવસ્થાના મુદ્દે ઉત્તર પ્રદેશ અને બિહાર જેવુ થઈ રહ્યું છે.
- TV9 Gujarati
- Updated on: Mar 17, 2025
- 4:56 pm
Video : RTE હેઠળ બાળકોના શિક્ષણ માટે ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, આવક મર્યાદામાં કરાયો વધારો, જાણો અન્ય વિગત
ગુજરાત સરકાર દ્વારા આરટીઈ (રાઈટ ટુ એજ્યુકેશન) હેઠળ પ્રવેશ માટે આવક મર્યાદા વધારીને ₹6 લાખ કરવામાં આવી છે, જેથી વધુ વિદ્યાર્થીઓને લાભ મળી શકે. ઓનલાઈન અરજીની અંતિમ તારીખ 15 એપ્રિલ સુધી લંબાવવામાં આવી છે.
- Narendra Rathod
- Updated on: Mar 15, 2025
- 8:04 pm
RTEને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આવક મર્યાદા વધારીને 6 લાખ રૂપિયા કરાઈ, આ તારીખ સુધી કરી શકાશે ઓનલાઈન અરજી
ગુજરાત સરકારે આરટીઈ અધિનિયમ હેઠળ મહત્વનો નિર્ણય લીધો છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માટે આવક મર્યાદા વધારીને 6 લાખ રૂપિયા કરવામાં આવી છે. આ સાથે, ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ લંબાવવામાં આવી છે.
- Sagar Solanki
- Updated on: Mar 15, 2025
- 7:53 pm
History of city name : જાણો ગાંધીનગરનો ઇતિહાસ, તેનું જૂનું નામ શું હતું અને તે ગુજરાત રાજ્યનું પાટનગર કેવી રીતે બન્યું?
ગુજરાત રાજ્યનું પાટનગર ગાંધીનગરનું નામ ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના માનમાં રાખવામાં આવ્યું છે. અમદાવાદની વધતી જતી વસ્તી અને વહીવટી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ શહેરનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
- Ashvin Patel
- Updated on: Mar 14, 2025
- 8:44 pm
રાજ્યમાં અટકવાનો નામ નથી લઈ રહ્યો રફ્તારનો કેર, નશાખોર નબીરાના પાપે નિર્દોષો ગુમાવી રહ્યા છે જીવ- Video
રાજ્ય અને દેશભરમાં "રફ્તાર"નો કહેર બંધ થવાનું નામ નથી લઈ રહ્યો. અને નશાખોર નબીરાઓના પાપે નિર્દોષોને ભોગ બનવાનો વારો આવી રહ્યો છે. ગાંધીનગર અને વડોદરાથી લઈ ચંડીગઢ સુધી ખૂબ જ હચમચાવનારા દ્રશ્યો સામે આવી રહ્યા છે.
- TV9 Gujarati
- Updated on: Mar 14, 2025
- 8:31 pm
ગાંધીનગરમાં સ્ટંટબાજ બેફામ, ચાલુ કારે નબીરાએ કર્યો ડાન્સ, ટ્રાફિક નિયમોનો કર્યો ઉલાળિયો- Video
ગાંધીનગરમાં નબીરાના બેફામ સ્ટંટ સામે આવ્યા છે. સેક્ટર-7 પોલીસ સ્ટેશન વિસ્તાર નજીક ભર બપોરે વીઆઈપી રોડ પર કારમાં સવાર નબીરાએ જોખમી સ્ટંટ કરતા નજરે પડ્યા. કાર પર ઊભા થઈને ડાન્સ કરતા આ નબીરાઓને પોતાના જીવની પરવા હોય કે ન હોય પરંતુ બીજા વાહનચાલકોના જીવ પણ જોખમમાં મુખ્યા હતા.
- TV9 Gujarati
- Updated on: Mar 14, 2025
- 8:11 pm
હોળીની જ્વાળાની દિશા જોઈ અંબાલાલે આપ્યો સમગ્ર વર્ષનો વરતારો- જુઓ Video
આજે રાજ્યભરમાં હોળીના પર્વની ઉજવણી કરવામાં આવી. જેમા પાટનગર ગાંધીનગરના પાલજમાં ગુજરાતની સૌથી મોટા હોળી પ્રગટાવવામાં આવી. આ હોળી દહનની ઉંચાઈ 35 ફુટ રાખવામાં આવી છે. મોટી સંખ્યામાં લોકો દર્શન માટે પહોંચ્યા હતા. હજારો લોકોએ ગુજરાતની આ સૌથી મોટા હોલિકા દહનના દર્શન કર્યા હતા.
- TV9 Gujarati
- Updated on: Mar 13, 2025
- 9:18 pm
Video : ગાંધીનગરમાં ગુજરાતનું સૌથી ઊંચું અને ભવ્ય હોળીકા દહન, ભક્તોનું ઉમટ્યું ઘોડાપૂર
રાજ્યભરમાં હોળીની ઉજવણીનો આનંદ છવાયો છે. ગાંધીનગરના પાલજ ગામમાં 35 ફૂટ ઉંચી ભવ્ય હોળી પ્રગટાવવામાં આવી. 700 વર્ષથી ચાલતી આ પરંપરામાં હજારો લોકો ભાગ લે છે.
- Harin Matravadia
- Updated on: Mar 13, 2025
- 11:41 pm
Holi Celebration : ગુજરાતના સૌથી મોટા હોળી દહનની તસવીરો આવી સામે, ભક્તોનું ઘોડાપૂર, જુઓ તસવીરો
પાલજ ગામમાં 700 વર્ષથી ઉજવાતી 35 ફૂટ ઉંચી ભવ્ય હોળી ગુજરાતમાં પ્રખ્યાત છે. હજારો ભક્તો હોળીના દર્શન માટે ઉમટી પડે છે. મહાકાળી માતાના પૂજન સાથે હોળી પ્રગટાવાય છે અને ગ્રામજનો અંગારા પર ચાલે છે.
- Sagar Solanki
- Updated on: Mar 13, 2025
- 9:43 pm
Gandhinagar : કલોલમાં મસાલાની દુકાનમાં લાગી ભીષણ આગ, આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ, જુઓ Video
ગુજરાતમાં ઉનાળો આવતાની સાથે જ આગની ઘટનાઓમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે કલોલમાં મસાલાની દુકાનમાં આગ લાગી છે. જેમાં તેલ, ગોળ, મરચાં, હળદર સહિત મરી મસાલા બળીને ખાખ થઈ ગયો છે. રહેણાંક વિસ્તારમાં આગ લાગી હોવાથી આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો છે.
- TV9 Gujarati
- Updated on: Mar 11, 2025
- 2:11 pm