ગાંધીનગર
ગુજરાત રાજ્યનાં રાજકારણનું પાટનગર એટલે ગાંધીનગર. ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગર શહેર એ ગાંધીનગર જિલ્લાનું મુખ્ય મથક પણ છે. ગાંધીનગર જિલ્લા હેઠળ ચાર તાલુકાનો સમાવેશ થાય છે. માણસા, કલોલ, દેહગામ અને ગાંધીનગર. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં, સરકારના તમામ વિભાગોની મુખ્ય કચેરીઓ, તમામ વિભાગોના સચિવાલય, મંત્રીઓનું કાર્યાલય, મંત્રીઓનું નિવાસ સ્થાન, વિધાનસભા મકાન, ગવર્નરનું નિવાસ, ગવર્નરનું કાર્યાલય સહીત રાજ્ય અને કેન્દ્ર સરકારની તમામ મહત્વપૂર્ણ કચેરીઓ અને ઇમારત સામેલ છે.
અમદાવાદ અને સુરત પછી ઝડપી વિકસતા શહેર તરીકે ગાંધીનગર ઉભરી રહ્યું છે. ગીફ્ટ સિટી ઉપરાંત અમદાવાદ-ગાંધીનગર મેટ્રો કોરિડોર પ્રોજેક્ટ અને અન્ય કેટલાક મહત્વના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ દેશમાં ગાંધીનગરના ઔદ્યોગિક અને વ્યાપારી વિકાસને આગળ વધારવાની ધારણા છે.
ગાંધીનગર જિલ્લાની અર્થવ્યવસ્થામાં કૃષિ એક આવશ્યક રીત છે. શહેર તેના નાના અને મધ્યમ કદના ઉદ્યોગો માટે જાણીતું છે. ગાંધીનગરમાં લગભગ આઠ હજાર નાના અને લઘુ ઉદ્યોગો (એસએસઆઈ) છે, જે આશરે 40,000 લોકોને રોજગારી પૂરી પાડે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ એ એક બીજું ક્ષેત્ર છે, જેણે ગાંધીનગરમાં રોકાણ અને રોજગારી માટે નવી તકો ખોલી છે. આઇટી અને આઇટીઇએસ ક્ષેત્રે રોકાણના તાજેતરના ઘસારા સાથે, ગાંધીનગર જીલ્લો વધુને વધુ આઇટી અને આઇટીઇએસ કંપનીઓ માટે એક આકર્ષક સ્થળ બનશે.
Breaking News : સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર પદેથી રાજેન્દ્ર પટેલની હકાલપટ્ટી !
ઈડીના દરોડાના 24 કલાક પૂર્ણ થતા જ ગુજરાતમાં ઓપરેશન ગંગાજળ હાથ ધરનાર ભૂપેન્દ્ર પટેલ સરકારે, રાતોરાત સુરેન્દ્રનગરના જિલ્લા કલેકટરને ખાતા વિહોણા કરી નાખ્યા છે. સુરેન્દ્રનગરના જિલ્લા કલેકટર રાજેન્દ્ર પટેલને તાકીદે કલેકટર પદેથી હટાવીને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા છે.
- TV9 Gujarati
- Updated on: Dec 24, 2025
- 9:00 pm
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ગુજરાત સરકારે ક્યારેય ખનનની મંજૂરી આપી નથી ને આપશે પણ નહીંઃ અર્જુન મોઢવાડિયા
અરવલ્લીની પર્વતમાળાઓને લઈને હાલમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે ગુજરાતના વન અને પર્યાવરણ પ્રધાન અર્જુન મોઢવાડિયાએ સ્પષ્ટતા કરતા કહ્યું છે કે, ગુજરાત સરકારે ક્યારેય અરવલ્લીની પર્વતમાળાઓ કે તેના જંગલ વિસ્તારમાં ખનન પ્રવૃતિ માટે મંજૂરી આપી નથી અને ભવિષ્યમાં પણ મંજૂરી આપશે નહીં. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે આપેલ વ્યાખ્યાનો ગુજરાત સરકાર અભ્યાસ કરી રહી છે.
- TV9 Gujarati
- Updated on: Dec 24, 2025
- 6:59 pm
History of city name : મહુડીના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા
મહુડી ગુજરાતના ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં, સાબરમતી નદીના કિનારે આવેલું એક પ્રખ્યાત ધાર્મિક સ્થળ છે. આ સ્થળ મુખ્યત્વે જૈન ધર્મના દાદા ગુરુદેવ, શ્રી ઘંટાકર્ણ મહાવીર માટે જાણીતી છે.
- Ashvin Patel
- Updated on: Dec 24, 2025
- 6:39 pm
આકાશમાં પણ મજબૂત થશે ગુજરાત, સ્પેસ ઈકોનોમીમાં અગ્રણી રાજ્ય બનવા ગુજરાતે 6 MOU સાઈન કર્યા
ભારતના વિકસતા સ્પેસ ઈકોનોમી ક્ષેત્રે પણ અગ્રણી બનવા ગુજરાતે એક મહત્વપૂર્ણ ડગ માંડ્યું છે. "Gujarat SpaceTech Round Table" નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતે સાયન્સ ટેકનોલોજી અને ઈકોનોમીના નવા ઊભરતા ક્ષેત્ર, સ્પેસ સેક્ટરમાં વૃદ્ધિ અને ઈનોવેશનમાં પ્રોત્સાહન માટે વ્યૂહાત્મક પહેલ કરી છે. જેના ભાગરૂપે સ્પેસ ઈકોનોમી ક્ષેત્રની અગ્રણી કંપનીઓ સાથે MOU સાઈન કર્યા હતા.
- Bipin Prajapati
- Updated on: Dec 24, 2025
- 5:41 pm
ગુજરાતમાંથી ટાઈપ-1 ડાયાબિટીસ નાબૂદ માટે સરકાર મક્કમ, રાજ્યવ્યાપી અભિયાનનો આજથી પ્રારંભ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે, ટાઈપ-1 ડાયાબિટીસ- જુવેનાઈલ ડાયાબિટીસ સારવાર-નિયંત્રણ કાર્યક્રમનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે સંબોધન કરતા મુખ્યપ્રધાને કહ્યું કે, ટાઈપ-1 ડાયાબિટીસ ગ્રસ્ત એક પણ બાળક સારવાર-સુવિધાથી વંચિત ન રહી જાય તે માટેની સઘન વ્યવસ્થા કરવામાં આવી છે. આ રોગ ધરાવતા તમામ બાળકોને સારવારથી આવરી લેવાય તેવા આરોગ્ય સેવાલક્ષી અભિગમથી આ રાજ્યવ્યાપી અભિયાન શરૂ કરી રહ્યા છીએ તેમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.
- Bipin Prajapati
- Updated on: Dec 24, 2025
- 4:27 pm
પોલીસ દળની ભરતીમાં ઉત્તીર્ણ થયેલા 11607 ઉમેદવારોને પસંદગીપત્ર એનાયત કરાયા, પસંદગીના જિલ્લામાં નિમણૂક કરાશે
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ, આજે ગાંધીનગરમાં, ગુજરાત પોલીસમાં નવનિયુક્ત 11607 લોકરક્ષકોને પસંદગીપત્ર એનાયત કર્યા હતા. આ પ્રસંગે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે, નિમણૂંક પામેલા લોકરક્ષકોને જણાવ્યું કે, પસંદગીપત્ર માત્ર સરકારી નોકરીનો એપોઇન્ટમેન્ટ લેટર નથી, જવાબદારી, શિસ્ત પાલન અને રાષ્ટ્ર સેવાનો સંકલ્પ લેવાનો અવસર છે. નાગરિક દેવો ભવ:ના સૂત્રને સાર્થક કરવાનો અવસર હવે તમારી પાસે હોવાનુ જણાવ્યું હતું.
- TV9 Gujarati
- Updated on: Dec 23, 2025
- 8:33 pm
Breaking News : રાજ્ય સરકારના IAS અધિકારીઓની મોટાપાયે ફેરબદલ, 26 અધિકારીઓની બદલીનો આદેશ જાહેર, જુઓ List
રાજ્ય સરકારે 26 IAS અધિકારીઓની મોટાપાયે બદલી કરી છે, જે વહીવટમાં મહત્વપૂર્ણ ફેરબદલ દર્શાવે છે. મુખ્યમંત્રી કાર્યાલયમાં સંજીવ કુમાર મુખ્ય સચિવ બન્યા છે, જ્યારે અવંતિકા સિંઘને GSPCના MD બનાવાયા છે.
- Kinjal Mishra
- Updated on: Dec 23, 2025
- 7:48 pm
Alcohol Permit : હવે પરમિટ વગર પણ દારૂ મળશે, ગિફ્ટ સિટીમાં મળેલી છૂટછાટ કોને લાગુ પડશે ? જુઓ Video
ગાંધીનગરના GIFT City માં દારૂબંધીના નિયમોમાં મોટો ફેરફાર થયો છે. હવે ગુજરાત બહારના અને વિદેશી નાગરિકો પરમિટ વગર નિર્ધારિત સ્થળોએ દારૂનું સેવન કરી શકશે. GIFT City ને વૈશ્વિક હબ બનાવવા સરકારે લીધેલું આ પગલું, વ્યવસાયિક માહોલને પ્રોત્સાહન આપવા માટે છે.
- Kinjal Mishra
- Updated on: Dec 23, 2025
- 4:43 pm
GIFT City Liquor New Rules : ગુજરાતમાં દારૂબંધી વચ્ચે ઐતિહાસિક છૂટછાટ, આ લોકોને વગર પરમિટે મળશે દારૂ
ગુજરાતના GIFT સિટીમાં દારૂબંધીના નિયમોમાં મોટી છૂટછાટ અપાઈ છે. હવે, નિયુક્ત હોટલો અને રેસ્ટોરન્ટમાં દારૂ પીવા માટે પરમિટની જરૂર રહેશે નહીં, માત્ર માન્ય ID પૂરતું છે.
- Sagar Solanki
- Updated on: Dec 23, 2025
- 10:22 am
Breaking News : ગાંધીનગર સેક્ટર 24માં બાળકી પર દુષ્કર્મ કેસમાં રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપી ભાગવા જતાં મારી ગોળી
ગાંધીનગર સેક્ટર 24માં બાળકી ઉપર દુષ્કર્મના ગંભીર કેસમાં મોટી અપડેટ સામે આવી છે. કેસના મુખ્ય આરોપીને પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન દરમિયાન ગોળી વાગી હોવાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને પોલીસની કાર્યવાહી ચર્ચાનો વિષય બની છે.
- Kinjal Mishra
- Updated on: Dec 20, 2025
- 8:12 pm
SIRની કામગીરી બાદ ગુજરાતમાં 4.34 કરોડ મતદાર નોંધાયા, ડ્રાફ્ટ મતદારયાદીમાં 73.73 લાખ મતદારના નામ કમી કરાયા
ડ્રાફ્ટ મતદારયાદી પ્રસિધ્ધ થયાં બાદ, ગુજરાત રાજ્યના કુલ મતદારોની સંખ્યા 4,34,70,109 રહેવા પામી છે. SIRની ઝંબેશ દરમિયાન કુલ 73,73,327 મતદારોના નામ ડ્રાફ્ટ મતદારયાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે.
- TV9 Gujarati
- Updated on: Dec 19, 2025
- 7:19 pm
ગાંધીનગર: પેથાપુર-રાંધેજા રોડની બાજુમાં આવેલી ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં પેથાપુર-રાંધેજા રોડની બાજુમાં આવેલી નડતરરૂપ દરગાહ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યુ છે. મહાનગરપાલિકા દ્વારા અગાઉ આ જગ્યાના આધાર પૂરાવા રજૂ કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. જે બાદ આજે દરગાહ તોડી પાડવાની કામગીરી કરવામાં આવી છે.
- TV9 Gujarati
- Updated on: Dec 18, 2025
- 5:46 pm
ગુજરાતની ડ્રાફ્ટ મતદારયાદી 19 ડિસેમ્બરે થશે જાહેર, નામ ના હોય તો કેવી રીતે મતદારયાદીમાં દાખલ કરાવશો ?
ગુજરાતના 18 લાખથી વધુ મતદારો મૃત્યુ પામેલા હતા છતા તેમના નામ મતદારયાદીમાં સામેલ જણાયા હતા. જ્યારે 40 લાખથી વધુ મતદારો તેમના નોંધાયેલા સરનામેથી કાયમી સ્થળાંતર કર્યું હોવાનું સામે આવ્યું છે.
- TV9 Gujarati
- Updated on: Dec 18, 2025
- 2:06 pm
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, ઇમેઇલમાં ખાલિસ્તાની મૂવમેન્ટ, અમિત શાહ, લોરેન્સ બિશ્નોઇનો ઉલ્લેખ
અમદાવાદ બાદ હવે ગાંધીનગરની પણ કેટલીક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ તમામ શાળાઓ ખૂબ જ ખ્યાતનામ હોવાનું સામે આવ્યુ છે. ગાંધીનગરની અનેક શાળાઓને બોમ્બ બ્લાસ્ટની ધમકી ભરેલો ઈ-મેઈલ મળતા હલચલ મચી ગઈ છે.
- TV9 Gujarati
- Updated on: Dec 17, 2025
- 1:30 pm
ખાખી પર કલંક! અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી, CID ક્રાઇમના PI અને કોન્સ્ટેબલ લાંચ લેતા રંગે હાથ ઝડપાયા – જુઓ Video
અમદાવાદમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં CID ક્રાઇમ વિભાગના એક પોલીસ ઇન્સ્પેક્ટર અને એક કોન્સ્ટેબલને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે.
- TV9 Gujarati
- Updated on: Dec 16, 2025
- 12:21 pm