પુણ્યશ્લોકા દેવી અહલ્યાબાઈ હોલકર ત્રિશતાબ્દી સમારોહ સમિતિ તથા સોમનાથ ટ્રસ્ટ દ્વારા યુવા સંમેલનનું આયોજન, જુઓ Photos
પુણ્ય શ્લોકા દેવી અહલ્યાબાઈ હોલકરની 300મી જન્મ જયંતી નિમિત્તે સોમનાથ મુકામે, 12-01-2025, રવિવારે સવારે, જ્યોતિર્લિંગોમાંના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પુણ્ય શ્લોકા દેવી અહલ્યાબાઈ હોલકર ત્રિશતાબ્દી સમારોહ સમિતિ તથા સોમનાથ ટ્રસ્ટ દ્વારા યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ યુવા સંમેલનમાં સમગ્ર ભારત વર્ષમાં થી 500 જેટલા યુવાનો અને યુવતીઓ કે જેઓ પોતપોતાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ઠ કામ કરી રહ્યા છે, તેઓને નિમંત્રિત કરવામાં આવ્યા હતા. આ યુવાનો અને યુવતીઓ રમત ગમત, ઉદ્યોગ, પ્રાકૃતિક ખેતી શિક્ષણ, વિજ્ઞાન, રક્ષા વગેરે ક્ષેત્રોમાંથી અપેક્ષિત હતા.

કાર્યક્રમ દરમિયાન સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી પુણ્ય શ્લોકા દેવી અહલ્યાબાઈ હોલકરની ડોક્યુમેન્ટરી દર્શન તથા વક્તાઓ દ્વારા દેવી અહલ્યાબાઈના જીવન વિશેની વાત કરવામાં આવી હતી.

મુખ્ય વક્તા ભાગ્યેશ જહાએ (અધ્યક્ષ, ગુજરાત સાહિત્ય અકાદમી, નિવૃત IAS) પુણ્ય શ્લોકા દેવી અહલ્યાબાઈના ગુણોનું વર્ણન અને અત્યારના આધુનિક સમયમાં એની પ્રાસંગિકતા વિશે વાત કરી.

કાર્યક્રમના અંતે બધા જ વક્તાઓ દ્વારા ઉપસ્થિત યુવાશક્તિને સાંપ્રત સમયમાં મૂંઝવતા પ્રશ્નો બાબતે ચર્ચા કરવામાં આવી.

કાર્યક્રમ સ્થાન પર ગૌ આધારિત વસ્તુઓનો વિતરણનો સ્ટોલ, સાહિત્યનો સ્ટોલ રાખવામાં આવ્યા હતા. સેલ્ફી પોઇન્ટ, પ્રદર્શનની વગેરેની ગોઠવણ થઈ હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનોએ ભાગ લીધો હતો.






































































