Mahisagar : લુણાવાડામાં મેળા બહાર આવેલા વીજ પોલ પર લાગી આગ, સમગ્ર વિસ્તારમાં છવાયો અંધારપટ, જુઓ Video
રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. ત્યારે મહીસાગર જિલ્લાના લુણાવાડામાં વીજ પોલ પર આગ લાગવાની ઘટના બની છે. લુણાવાડા ઈન્દિરા મેદાનમાં ફન ફેર બહાર જ આગ લાગવાની ઘટના બની હતી. આગની ઘટનાથી મેળામાં અંધારપટ છવાયો હતો.
રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. ત્યારે મહીસાગર જિલ્લાના લુણાવાડામાં વીજ પોલ પર આગ લાગવાની ઘટના બની છે. લુણાવાડા ઈન્દિરા મેદાનમાં ફન ફેર બહાર જ આગ લાગવાની ઘટના બની હતી. આગની ઘટનાથી મેળામાં અંધારપટ છવાયો હતો.
ફન ફેરમાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા ત્યારે વીજ પોલ પર આગ લાગવાની ઘટના બની હતી. અંધારપટ છવાતા અફરાતફરી જેવો માહોલ સર્જાયો હતો. સદનસીબે કોઈ દુર્ઘટના બની ન હતી. શોર્ટ સર્કિટના કારણે વીજપોલ પર આગ લાગવાની સંભાવના છે. લુણાવાડા ફાયરની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવાયો છે.
સુરતમાં ચપ્પલના ગોડાઉનમાં લાગી આગ
બીજી તરફ સુરતમાં ઝાંપા બજારમાં આવેલા ગોડાઉનમાં આગ લાગી હતી. મોડી રાત્રે ચપ્પલના બંધ ગોડાઉનમાં આગ લાગતા આગે વિકરાળ સ્વરુપ ધારણ કર્યું છે. ફાયર વિભાગ દ્વારા 2 કલાક બાદ આગ પર કાબૂ મેળવાયો છે. ભીષણ આગ લાગતા ગોડાઉનમાં ભારે નુકસાન થયું છે.

રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા

આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન

પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન

પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
