AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ખેડૂતો માટે ‘ખુશખબર’! ડુંગળીના બજાર અને અન્નદાતાઓને લઈને સરકારની ‘મોટી જાહેરાત’

ડુંગળી પકવતા ખેડૂતો અને બજારના હિતને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નવી સિઝનમાં બફર સ્ટોક માટે ડુંગળીની ખરીદી પ્રક્રિયાને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્યથી સરકારી ખરીદ નીતિમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે, જેની સીધી અસર આગામી સમયમાં બજાર પર જોવા મળી શકે છે.

| Updated on: Jul 04, 2026 | 6:21 PM
Share
સરકારે બફર સ્ટોક માટે ડુંગળીની ખરીદીના ભાવમાં 13 ટકાનો વધારો કર્યો છે. હવે ખેડૂતો પાસેથી ડુંગળી 2,125 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદવામાં આવશે. અગાઉ આ કિંમત 1,875 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતી. સરકારના જણાવ્યા અનુસાર, નવો દર 4 જુલાઈ 2026 થી લાગુ થઈ ગયો છે. આ સીઝનમાં પાંચમી વખત છે, જ્યારે ડુંગળીનો ખરીદ ભાવ વધારવામાં આવ્યો છે. સરકારનું કહેવું છે કે, આ નિર્ણયનો હેતુ ડુંગળીની ખરીદી વધારવાનો અને ખેડૂતોને સારા ભાવ અપાવવાનો છે. હાલમાં બફર સ્ટોક માટે ખરીદીની ઝડપ ધીમી જોવા મળી રહી છે.

સરકારે બફર સ્ટોક માટે ડુંગળીની ખરીદીના ભાવમાં 13 ટકાનો વધારો કર્યો છે. હવે ખેડૂતો પાસેથી ડુંગળી 2,125 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદવામાં આવશે. અગાઉ આ કિંમત 1,875 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતી. સરકારના જણાવ્યા અનુસાર, નવો દર 4 જુલાઈ 2026 થી લાગુ થઈ ગયો છે. આ સીઝનમાં પાંચમી વખત છે, જ્યારે ડુંગળીનો ખરીદ ભાવ વધારવામાં આવ્યો છે. સરકારનું કહેવું છે કે, આ નિર્ણયનો હેતુ ડુંગળીની ખરીદી વધારવાનો અને ખેડૂતોને સારા ભાવ અપાવવાનો છે. હાલમાં બફર સ્ટોક માટે ખરીદીની ઝડપ ધીમી જોવા મળી રહી છે.

1 / 6
સરકારે ડુંગળીનો ખરીદ ભાવ 1,875 રૂપિયા પ્રતિ ક્વિન્ટલથી વધારીને 2,125 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કર્યો છે. આ નવો દર 4 જુલાઈ 2026 થી અમલમાં આવ્યો છે. સરકારે જણાવ્યું કે, આ સીઝનમાં ડુંગળીના ખરીદ ભાવમાં આ પાંચમો વધારો છે. ખરીદ ભાવ અગાઉ 12.70 રૂપિયા પ્રતિ કિલો હતો. ત્યારબાદ 22 મેના રોજ 15.80 રૂપિયા પ્રતિ કિલો, 13 જૂનના રોજ 16.50  રૂપિયા પ્રતિ કિલો, 20 જૂનના રોજ 17.30 રૂપિયા પ્રતિ કિલો, પછી 18.75 રૂપિયા પ્રતિ કિલો અને હવે 21.25 રૂપિયા પ્રતિ કિલો એટલે કે 2,125 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરી દેવામાં આવ્યો છે.

સરકારે ડુંગળીનો ખરીદ ભાવ 1,875 રૂપિયા પ્રતિ ક્વિન્ટલથી વધારીને 2,125 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કર્યો છે. આ નવો દર 4 જુલાઈ 2026 થી અમલમાં આવ્યો છે. સરકારે જણાવ્યું કે, આ સીઝનમાં ડુંગળીના ખરીદ ભાવમાં આ પાંચમો વધારો છે. ખરીદ ભાવ અગાઉ 12.70 રૂપિયા પ્રતિ કિલો હતો. ત્યારબાદ 22 મેના રોજ 15.80 રૂપિયા પ્રતિ કિલો, 13 જૂનના રોજ 16.50 રૂપિયા પ્રતિ કિલો, 20 જૂનના રોજ 17.30 રૂપિયા પ્રતિ કિલો, પછી 18.75 રૂપિયા પ્રતિ કિલો અને હવે 21.25 રૂપિયા પ્રતિ કિલો એટલે કે 2,125 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરી દેવામાં આવ્યો છે.

2 / 6
સરકારના જણાવ્યા અનુસાર, 1 જૂનથી અત્યાર સુધીમાં માત્ર અંદાજે 2,000 ટન ડુંગળીની જ ખરીદી થઈ શકી છે. આ જ કારણે ખરીદ ભાવમાં સતત વધારો કરવામાં આવ્યો છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના બીજા આગોતરા અંદાજ મુજબ, વર્ષ 2025-26માં ડુંગળીનું ઉત્પાદન 307.37 લાખ ટન રહેવાનો અંદાજ છે. આ વર્ષ 2024-25ના 307.67 લાખ ટનની લગભગ બરાબર છે. ગ્રાહક બાબતોના મંત્રાલયે જણાવ્યું કે, હાલમાં ડુંગળીની ઉપલબ્ધતાને લઈને કોઈ ચિંતા નથી. જો કે, સામાન્ય મોસમી વલણ મુજબ કિંમતોમાં થોડો વધારો થઈ શકે છે.

સરકારના જણાવ્યા અનુસાર, 1 જૂનથી અત્યાર સુધીમાં માત્ર અંદાજે 2,000 ટન ડુંગળીની જ ખરીદી થઈ શકી છે. આ જ કારણે ખરીદ ભાવમાં સતત વધારો કરવામાં આવ્યો છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના બીજા આગોતરા અંદાજ મુજબ, વર્ષ 2025-26માં ડુંગળીનું ઉત્પાદન 307.37 લાખ ટન રહેવાનો અંદાજ છે. આ વર્ષ 2024-25ના 307.67 લાખ ટનની લગભગ બરાબર છે. ગ્રાહક બાબતોના મંત્રાલયે જણાવ્યું કે, હાલમાં ડુંગળીની ઉપલબ્ધતાને લઈને કોઈ ચિંતા નથી. જો કે, સામાન્ય મોસમી વલણ મુજબ કિંમતોમાં થોડો વધારો થઈ શકે છે.

3 / 6
મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં ડુંગળીનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. દેશભરની મંડીમાં દરરોજ 50,000 ટનથી વધુ ડુંગળીની આવક થઈ રહી છે. આમાં એકલા મહારાષ્ટ્રમાંથી 30,000 ટનથી વધુ આવક થઈ રહી છે. ટૂંકમાં, ત્યાં સરેરાશ મોડલ કિંમત અંદાજે 18 રૂપિયા પ્રતિ કિલો છે. દેશમાં ડુંગળીની સરેરાશ છૂટક કિંમત 31 રૂપિયા પ્રતિ કિલો છે.

મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં ડુંગળીનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. દેશભરની મંડીમાં દરરોજ 50,000 ટનથી વધુ ડુંગળીની આવક થઈ રહી છે. આમાં એકલા મહારાષ્ટ્રમાંથી 30,000 ટનથી વધુ આવક થઈ રહી છે. ટૂંકમાં, ત્યાં સરેરાશ મોડલ કિંમત અંદાજે 18 રૂપિયા પ્રતિ કિલો છે. દેશમાં ડુંગળીની સરેરાશ છૂટક કિંમત 31 રૂપિયા પ્રતિ કિલો છે.

4 / 6
અહેવાલ મુજબ, કેટલાક વિસ્તારોમાં ચોમાસામાં વિલંબ અને સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાને કારણે કેટલાક વેપારીઓએ સટ્ટાકીય ખરીદી શરૂ કરી છે. નાસિક અને મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં પણ આવી પ્રવૃત્તિઓ જોવા મળી રહી છે. જૂનમાં અંદાજે 1.50 લાખ ટન ડુંગળીની નિકાસ થઈ હતી.

અહેવાલ મુજબ, કેટલાક વિસ્તારોમાં ચોમાસામાં વિલંબ અને સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાને કારણે કેટલાક વેપારીઓએ સટ્ટાકીય ખરીદી શરૂ કરી છે. નાસિક અને મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં પણ આવી પ્રવૃત્તિઓ જોવા મળી રહી છે. જૂનમાં અંદાજે 1.50 લાખ ટન ડુંગળીની નિકાસ થઈ હતી.

5 / 6
એવામાં વેપારીઓનું માનવું છે કે, આગામી સમયમાં નિકાસની ગતિ ધીમી પડી શકે છે; કારણ કે પાકિસ્તાન અને ચીનના સસ્તા નવા પાક અખાતી દેશો, શ્રીલંકા અને દૂર પૂર્વના બજારોમાં ભારતીય ડુંગળી કરતા ઓછી કિંમતે ઉપલબ્ધ છે. અહેવાલ અનુસાર, મહારાષ્ટ્રના નાસિક વિસ્તારમાં ખરીફ પાકની વાવણી અંદાજે 15 દિવસ મોડી ચાલી રહી છે, જ્યારે કર્ણાટકના ચિત્રદુર્ગ અને ચલ્લકેરે વિસ્તારમાં વાવણીની પ્રગતિ સામાન્યના અંદાજે 60 ટકા જેટલી છે.

એવામાં વેપારીઓનું માનવું છે કે, આગામી સમયમાં નિકાસની ગતિ ધીમી પડી શકે છે; કારણ કે પાકિસ્તાન અને ચીનના સસ્તા નવા પાક અખાતી દેશો, શ્રીલંકા અને દૂર પૂર્વના બજારોમાં ભારતીય ડુંગળી કરતા ઓછી કિંમતે ઉપલબ્ધ છે. અહેવાલ અનુસાર, મહારાષ્ટ્રના નાસિક વિસ્તારમાં ખરીફ પાકની વાવણી અંદાજે 15 દિવસ મોડી ચાલી રહી છે, જ્યારે કર્ણાટકના ચિત્રદુર્ગ અને ચલ્લકેરે વિસ્તારમાં વાવણીની પ્રગતિ સામાન્યના અંદાજે 60 ટકા જેટલી છે.

6 / 6

Breaking News: પેપર લીક અને રામ મંદિરના મુદ્દે સંસદમાં જામશે ‘અસલી જંગ’? જાણો ક્યારથી શરૂ થઈ રહ્યું છે ‘ચોમાસુ સત્ર’

Follow Us
માંગરોળ પંથકમાં આભ ફાટતાં મુશ્કેલી, તંત્ર દ્વારા કામગીરી શરૂ
માંગરોળ પંથકમાં આભ ફાટતાં મુશ્કેલી, તંત્ર દ્વારા કામગીરી શરૂ
સુત્રાપાડામાં દોરડા બાંધી બાળકોને શાળાએ મૂકવા જતા વાલીઓ !
સુત્રાપાડામાં દોરડા બાંધી બાળકોને શાળાએ મૂકવા જતા વાલીઓ !
ગુજરાતના જળાશયોમાં પાણીની 'ભારે આવક', આ મુખ્ય ડેમ Alert પર
ગુજરાતના જળાશયોમાં પાણીની 'ભારે આવક', આ મુખ્ય ડેમ Alert પર
માળિયા હાટીમાં વરસાદનો કહેર ! પાણીના પ્રવાહમાં ફસાઈ ST બસ
માળિયા હાટીમાં વરસાદનો કહેર ! પાણીના પ્રવાહમાં ફસાઈ ST બસ
સુરતમાં રહેણાંક મકાનમાં ચાલતું જુગારધામ ઝડપાયું, જુઓ વીડિયો
સુરતમાં રહેણાંક મકાનમાં ચાલતું જુગારધામ ઝડપાયું, જુઓ વીડિયો
નવસારીમાં જળબંબાકારની સ્થિતિ ! 42 જેટલા રસ્તા કરાયા બંધ, જુઓ-Video
નવસારીમાં જળબંબાકારની સ્થિતિ ! 42 જેટલા રસ્તા કરાયા બંધ, જુઓ-Video
Morbi Breaking News: મોરબી ખેડૂતોનું આંદોલન 17મા દિવસે પણ યથાવત
Morbi Breaking News: મોરબી ખેડૂતોનું આંદોલન 17મા દિવસે પણ યથાવત
રાજકોટના લાઠ ગામમાં બે કલાકમાં 7 ઈંચ વરસાદ, ગામ સંપર્કવિહોણું
રાજકોટના લાઠ ગામમાં બે કલાકમાં 7 ઈંચ વરસાદ, ગામ સંપર્કવિહોણું
દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ભુક્કા બોલાવશે
દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ભુક્કા બોલાવશે
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ
g clip-path="url(#clip0_868_265)">