AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મધ્ય પ્રદેશ

મધ્ય પ્રદેશ

મધ્યપ્રદેશ દેશના 28 રાજ્યોમાંનું એક છે. રાજ્યનું પાટનગર ભોપાલ છે. મધ્ય પ્રદેશ રાજ્યની કમાન ભારતીય જનતા પાર્ટીના ડૉકટર મોહન યાદવના હાથમાં છે.

230 બેઠકોવાળી વિધાનસભામાં શિવરાજ સિંહ ચૌહાણ છેલ્લા બે દાયકામાં મોટાભાગ સમયે મુખ્યપ્રધાન રહ્યાં હતા. રાજ્યમાં લોકસભાની 29 બેઠકો છે. જ્યારે રાજ્યસભામાં 11 બેઠકો છે.

2011ની વસ્તી ગણતરી મુજબ મધ્ય પ્રદેશ રાજ્યની વસ્તી 7 કરોડ 26 લાખ આસપાસ હતી. ભોપાલ, ઈન્દોર, ઉજ્જૈન, જબલપુર, ગ્વાલિયર એ મધ્યપ્રદેશ રાજ્યના મુખ્ય શહેરો છે.

Read More

Breaking News : ચાંદીના નામે નકલી સિક્કા ! શું આ રેલ કર્મચારીઓનું સન્માન કે પછી અપમાન?

ભારતીય રેલવેમાં રિટાયરમેન્ટ લેવા પર તમને બુકે, પૈસા અને ચાંદીના સિક્કા પણ મળે છે. જો કે, જીવનના આવા મહત્વપૂર્ણ દિવસે જ રેલવેના નિવૃત્ત કર્મચારીઓને આઘાત લાગ્યો છે.

પાણીથી વધતાં રોગચાળાથી બચવા માટે- અપનાવો આ ઘરેલું નુસ્ખાઓ!

ઈન્દોર અને ગુજરાતમાં વધી રહેલા રોગચાળાને ધ્યાનમાં રાખીને, તમારા પરિવાર અને ખાસ કરીને બાળકોને સ્વસ્થ રાખવા માટે પાણી અંગે સાવચેતી જરૂરી છે. બોરના પાણીનો સંગ્રહ કરતી વખતે ખાસ ધ્યાન રાખો. હંમેશા સ્ટીલ અથવા કાચના વાસણમાં જ પાણી ભરો, કારણ કે આવા વાસણોમાં ગંદકી થતી નથી અને પાણી સુરક્ષિત રહે છે.

તમે રોજ મુખવાસમાં જે વરિયાળી ખાઓ છો એ અસલી છે કે નકલી, શરીર માટે બની જશે ઝેર- આ રીતે ચકાસો

ભોજન પછી વરિયાળી-ખાંડવાળી કેન્ડી અથવા ફક્ત વરિયાળી ખાવી એ ભારતીય ઘરગથ્થુ ખાદ્ય સંસ્કૃતિનો એક ભાગ બની ગઈ છે. તે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે, પરંતુ જો આ જ વરિયાળી આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે તો શું? આ લેખ સમજાવશે કે શા માટે.

CWCની બેઠકમાં દિગ્વિજય સિંહે કહ્યું-કોંગ્રેસ પક્ષમાં અનેક સ્લીપર સેલ છે, ખડગેએ તેમને ટોક્યા

કોંગ્રેસના વરિષ્ઠ રાષ્ટ્રીય નેતા દિગ્વિજય સિંહે સોશિયલ મીડિયા એક્સ પર, લાલકૃષ્ણ અડવાણી અને નરેન્દ્ર મોદીનો એક ફોટો શેર કરીને સંગઠન અંગે ભાજપ અને RSS પાસેથી શીખવાની વાત લખી છે.

68 કરોડ ઇમેઇલ આઈડી અને પાસવર્ડ લીક થયા ? મધ્યપ્રદેશ સાયબર પોલીસે જાહેર કરી એડવાઈઝરી

મધ્યપ્રદેશ સાયબર પોલીસે 68 કરોડ ઇમેઇલ અને પાસવર્ડ લીક થવાની સંભાવના અંગે ચેતવણી જાહેર કરી છે. લોકોને તેમના પાસવર્ડ બદલવા, 2 સ્ટેપ વેરિફીકેશન સક્ષમ કરવા, વિવિધ મજબૂત પાસવર્ડનો ઉપયોગ કરવા અને શંકાસ્પદ લિંક્સ ટાળવાની સલાહ આપવામાં આવી છે.

દુર્ગાવતી ટાઇગર રિઝર્વમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરીને NHAIએ હાઇ-ટેક હાઇવે તૈયાર કર્યો

જબલપુર-ભોપાલ હાઇવેનું દુર્ગાવતી ટાઇગર રિઝર્વ વિસ્તારમાં વન્યજીવ અકસ્માતોને રોકવા માટે, NHAI એ નવી ટેકનોલોજી લાગુ કરી છે. 2 કિલોમીટરના અકસ્માત-સંભવિત વિસ્તારમાં લાલ ટેબલ-ટોપ માર્કિંગ અને સફેદ પટ્ટાઓ બનાવવામાં આવ્યા છે.

30 વર્ષ પહેલા મેચ દરમિયાન એવી ઘટના બની કે આખો દેશ સ્તબ્ધ થઈ ગયો

તમે એવા સમાચાર તો સાંભળ્યું જ હશે કે મેચ દરમિયાન કોઈ હાદસો થઈ ગયો કે કોઈ વયક્તિને સારવારની જરૂર પડી હોયે, ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં ભારત-ન્યુઝીલેન્ડ મેચ દરમિયાન એક એવી ઘટના બની હતી જેનાથી લોકો ગભરાઈ ગયા હતા.

Stock Market : એક ખેડૂતના દીકરાએ શેરબજારમાં ઇતિહાસ રચ્યો ! બ્લોકબસ્ટર લિસ્ટિંગ પછી થોડા જ દિવસોમાં અબજોપતિ બની ગયો

ભારતના સ્ટાર્ટઅપ જગતમાં એક નવી સફળતાની વાર્તા બહાર આવી છે, જ્યાં સામાન્ય પરિવારના એક વ્યક્તિએ શેરબજારમાં ઇતિહાસ રચી કાઢ્યો છે.

ચાલતી ટ્રેનમાં ધમકીભર્યો ફોન: દિલ્હી જતી શ્રીધામ એક્સપ્રેસમાં બોમ્બ હોવાની ધમકી, મુસાફરોમાં ગભરાટ

જબલપુર-નિઝામુદ્દીન જતી શ્રીધામ એક્સપ્રેસમાં બોમ્બ હોવાની ધમકી મળતાં ગભરાટ ફેલાયો. સુરક્ષા દળોએ ડોગ સ્ક્વોડ સાથે મળીને ટ્રેનની સઘન તપાસ હાથ ધરી.

વૈભવી જીવનને ઠુકરાવીને ગરીબ બાળકોના હૃદયને બચાવતી પલક મુછલની પ્રેરણાદાયી કહાની, ગિનિસ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું

પ્રખ્યાત પ્લેબેક સિંગર પલક મુછલને તેમના વ્યાપક માનવતાવાદી પ્રયત્નો માટે વૈશ્વિક સ્તરે માન્યતા મળી છે. તેમના ફાઉન્ડેશન મારફતે, તેમણે અત્યાર સુધીમાં 3,800થી વધુ વંચિત બાળકો માટે જીવનરક્ષક હૃદય સર્જરીઓ માટે ભંડોળ પૂરૂં પાડ્યું છે. પલકનું આ અદ્દભુત સમર્પણ તેમના બાળપણના વચન અને સહાનુભૂતિની ઊંડી લાગણીમાંથી જન્મેલું છે. તેમના આ કાર્યને કારણે હવે તેમને ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે.

આ ભૂલ ભારે પડી, ઘઉંમાં રાખેલી સલ્ફરની ગોળીઓ એ બે જીવ લીધા !

ઘઉને જંતુઓથી બચાવવા માટે નાખવામાં આવેલ જંતુનાશક દવાએ, એક પરિવારને હોસ્પિટલ ભેગો કર્યો. જેમાંથી 2ના મોત થયા છે. આજકાલ સૌ કોઈ અનાજને સડી જતુ બચાવવા માટે જંતુનાશકનો ઉપયોગ કરે છે, પરંતુ આ કેટલુ જોખમી અને ખતરનાક હોય છે તે જાણો આ કિસ્સા પરથી.

History of city name : ખરગોનના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા

ખરગોન જિલ્લો, જે ઇતિહાસમાં પશ્ચિમ નિમાર તરીકે ઓળખાતો હતો, તે આજના મધ્ય પ્રદેશ રાજ્યનો એક મહત્વપૂર્ણ જિલ્લો છે. આ વિસ્તાર નિમાર ક્ષેત્રના અંતર્ગત આવે છે અને ઇન્દોરનો ભાગ ગણાય છે. જિલ્લાના વહીવટી મુખ્યાલય ખરગોન શહેરમાં સ્થિત છે, જે ઇન્દોર મહાનગરથી દક્ષિણ દિશામાં આવેલું છે.

રેલવેએ આપી મોટી ખુશખબરી! આ રૂટ પર ટૂંક સમયમાં 4 નવી વંદે ભારત ટ્રેન દોડશે; જુઓ યાદી

ભારતીય રેલવેએ 4 નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને મંજૂરી આપી દીધી છે. વધુ સુરક્ષા, આરામદાયક મુસાફરી અને ઝડપી કનેક્ટિવિટી સાથે દેશમાં વંદે ભારત એક્સપ્રેસ સેવાની કુલ સંખ્યા હવે 164 પર પહોંચી જશે.

Breaking News : મધ્યપ્રદેશના ઇન્દોરમાં 28 ટ્રાન્સજેન્ડરે કર્યો સામુહિક આપઘાતનો પ્રયાસ, જાણો શું છે વિવાદ

મધ્યપ્રદેશના ઇન્દોરમાં આશરે 28 ટ્રાન્સજેન્ડર લોકોએ સામૂહિક રીતે ફિનાઇલ પીને  આપઘાતનો પ્રયાસ કર્યો છે. આ ઘટનાથી ચકચાર ફેલાઈ ગઇ છે. ઇન્દોરના પધરીનાથ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બુધવારે આ ઘટના બાદ તમામની તબિયત અચાનક બગડ્યા બાદ, તેમને તાત્કાલિક MY હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં તેઓ સારવાર હેઠળ છે.

ઝેરી કફ સિરપ વેચનાર કંપનીના માલિકની અડધી રાત્રે ધરપકડ, 22 મોત બાદ કાર્યવાહી

તમિલનાડુ સ્થિત ફાર્માસ્યુટિકલ કંપની શ્રીસેન ફાર્મા દ્વારા ઉત્પાદિત ઝેરી કોલ્ડ્રિફ કફ સીરપથી મધ્યપ્રદેશમાં લગભગ 22 બાળકોના મોત થયા છે. આ ભયાનક દુર્ઘટના બાદ, કંપનીના માલિક રંગનાથનની મધ્યપ્રદેશ પોલીસે ચેન્નાઈમાં ધરપકડ કરી છે. ઘણા રાજ્યોમાં આ સીરપથી બાળકોના મૃત્યુના અહેવાલો સામે આવ્યા છે, જેનાથી આરોગ્ય અને નિયમનકારી પ્રણાલીઓ પર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.

g clip-path="url(#clip0_868_265)">