
મધ્ય પ્રદેશ
મધ્યપ્રદેશ દેશના 28 રાજ્યોમાંનું એક છે. રાજ્યનું પાટનગર ભોપાલ છે. મધ્ય પ્રદેશ રાજ્યની કમાન ભારતીય જનતા પાર્ટીના ડૉકટર મોહન યાદવના હાથમાં છે.
230 બેઠકોવાળી વિધાનસભામાં શિવરાજ સિંહ ચૌહાણ છેલ્લા બે દાયકામાં મોટાભાગ સમયે મુખ્યપ્રધાન રહ્યાં હતા. રાજ્યમાં લોકસભાની 29 બેઠકો છે. જ્યારે રાજ્યસભામાં 11 બેઠકો છે.
2011ની વસ્તી ગણતરી મુજબ મધ્ય પ્રદેશ રાજ્યની વસ્તી 7 કરોડ 26 લાખ આસપાસ હતી. ભોપાલ, ઈન્દોર, ઉજ્જૈન, જબલપુર, ગ્વાલિયર એ મધ્યપ્રદેશ રાજ્યના મુખ્ય શહેરો છે.
કેટલો દુખી હશે આ ભાઈ ! દહેજ કેસમાં ફસાયેલા યુવકે સાસરિયામાં ખોલી ચાની દુકાન, નામ રાખ્યું – ‘498A ટી કાફે’, જાણો કારણ
દહેજ ઉત્પીડનના આરોપો સામે અંતામાં એક યુવકનો અનોખો વિરોધ સામે આવ્યો છે. પોતાના સાસરિયાના ઘરમાં ચાની દુકાન ખોલી. હાથકડી પહેરીને ચા પીરસે છે.
- Sagar Solanki
- Updated on: Jun 13, 2025
- 10:34 pm
Breaking News: રાજ સોનમને કહેતો હતો દીદી ! તો કઈ ત્રીજી વ્યક્તિ માટે સોનમે કરી પતિની હત્યા? રાજા રઘુવંશી કેસ મિસ્ટ્રી મેનની એન્ટ્રી
અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે રાજ આ સમગ્ર કેસનો અસલી કાવતરાખોર છે. તેને સોનમનો બોયફ્રેન્ડ તરીકે વર્ણવવામાં આવી રહ્યો હતો. અહેવાલમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે આ કેસમાં કોઈ મોટી રમત ખુલી શકે છે. પોલીસને શંકા છે કે સોનમ કોઈ ત્રીજા વ્યક્તિ સાથે ભાગી જવાનો પ્રયાસ કરી રહી હતી.
- Devankashi rana
- Updated on: Jun 12, 2025
- 10:02 am
Honeymoon શબ્દ ક્યાંથી આવ્યો, ભારતમાં કેવી રીતે થયો લોકપ્રિય? રાજા હત્યાકાંડ બાદ શરુ થઈ ચર્ચા
રાજા રઘુવંશીના મર્ડરની દેશવ્યાપી ચર્ચા વચ્ચે, એક પ્રશ્ન પણ ઉભો થયો છે કે હનીમૂન શબ્દ ક્યાંથી આવ્યો? ભારતમાં તે કેવી રીતે લોકપ્રિય થયો? ચાલો આ પ્રશ્નોના જવાબ શોધવાનો પ્રયાસ કરીએ.
- Devankashi rana
- Updated on: Jun 10, 2025
- 2:48 pm
સોનમે તેના પતિ રાજા રઘુવંશીનું જીવન કેટલા પૈસામાં વેચ્યું? આ કાવતરા માટે કેટલી એડવાન્સ રકમ આપી હતી?
રાજા રઘુવંશી હત્યા કેસમાં સતત નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે આ ઘટનામાં આરોપી સોનમ રઘુવંશી પર પૈસાની લાલચ આપીને હત્યા કરાવવાનો આરોપ લાગ્યો છે.
- Ravi Prajapati
- Updated on: Jun 10, 2025
- 2:42 pm
Breaking News: સોનમ બેવફા ! લગ્નના 5 દિવસ પછી જ બનાવ્યો પતિની હત્યાનો પ્લાન, બોયફ્રેન્ડને આપ્યું વિધવા બની લગ્ન કરવાનું વચન
ઇન્દોરના ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશીના હત્યા કેસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. સોનમે લગ્નના 5 દિવસ પછી જ તેના પતિ રાજાની હત્યાનું આયોજન કર્યું હતું. પ્રેમી રાજ કુશવાહાએ સોનમને આ યોજનાને પાર પાડવામાં ઘણી મદદ કરી હતી.
- Devankashi rana
- Updated on: Jun 10, 2025
- 1:36 pm
રાજા રઘુવંશીની હત્યાની સોપારી તેના જ રૂપિયાથી અપાઈ હતી ! સોનમે હનીમૂનના નામે રાજા પાસેથી લીધા હતા 9 લાખ રૂપિયા
રાજા રઘુવંશીની પત્ની સોનમે તેને હનીમૂન પર જવા માટે 9 લાખ રૂપિયાનો વ્યવહાર કરાવ્યો હતો. આ રકમનો મોટો ભાગ રાજાની હત્યા માટે કોન્ટ્રાક્ટ કિલરને આપવામાં આવ્યો હોવાનો આરોપ છે. એટલે કે, સોનમે રાજાના મૃત્યુનો કોન્ટ્રાક્ટ પણ તેના જ રૂપિયાથી આપ્યો હતો.
- TV9 Gujarati
- Updated on: Jun 9, 2025
- 9:58 pm
મેઘાલય હનીમૂન હત્યા કેસ : 3 રાજ્યની પોલીસ સોનમનુ સત્ય લાવશે બહાર, રાજાની હત્યા પરથી ઉંચકશે પડદો
ઇન્દોરના રાજા રઘુવંશીની હત્યા કેસમાં પોલીસે અત્યાર સુધીમાં સોનમ સહિત 5 આરોપીની ધરપકડ કરી છે. શિલોંગ પોલીસે દાવો કર્યો છે કે, સોનમ જ રાજા રધુવંશીની હત્યાની માસ્ટરમાઇન્ડ છે. જોકે, આ કેસમાં સોનમે કહેલી સ્ટોરી કંઈક બીજું જ કહી રહી છે.
- TV9 Gujarati
- Updated on: Jun 9, 2025
- 8:14 pm
કાશીમાં બની રહ્યુ છે શિવ થીમ પર ભવ્ય ક્રિકેટ સ્ટેડિયમ, આધુનિકતાની સાથે સનાતન ધર્મની દેખાશે ઝલક
વારાણસીમાં દેશનું સૌથી પહેલું એવુ સ્ટેડિયમ બની રહ્યું છે. જ્યાં આધુનિકતાની સાથે સનાતનની ઝલક પણ જોવા મળશે. આ સ્ટેડિયમ ભગવાન શિવની થીમ પર બનાવવામાં આવી રહ્યું છએ. આ સ્ટેડિયમ ત્રિશૂળ આકારની ફ્લડ લાઈટ્સ બનાવવામાં આવશે
- Disha Thakar
- Updated on: Jun 9, 2025
- 11:25 am
Breaking News: મેઘાલયમાં ઈન્દોરના કપલની ટ્રીપ, કેવી રીતે બની મોતની સફર? અહીં સમજો ટાઈમલાઈન
Indore Couple case Update: ઇન્દોર રાજા રઘુવંશી હત્યા કેસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસે રાજા રઘુવંશીની હત્યાનું કાવતરું ઘડવાના આરોપમાં તેમની પત્ની સોનમ સહિત ચાર લોકોની ધરપકડ કરી છે. જાણો સમગ્ર કેસની સમયરેખા શું છે અને સોનમ કેવી રીતે પકડાઈ?
- Meera Kansagara
- Updated on: Jun 9, 2025
- 10:02 am
ભારતના આ શહેરમાં વિશ્વનું સૌથી મોટું જૈન તીર્થ મંદિર બનશે, 216 ફૂટ ઊંચું અને 324 મૂર્તિઓ સ્થાપિત કરાશે!
આવનારા 5 વર્ષમાં, ભારતના આ શહેરમાં વિશ્વનું સૌથી મોટું જૈન તીર્થ મંદિર બનાવવામાં આવશે. મંદિર નિર્માણ સમિતિનો દાવો છે કે, આટલું મોટું અને ભવ્ય મંદિર અત્યાર સુધી વિશ્વમાં ક્યાંય બનાવવામાં આવ્યું નથી.
- Ravi Prajapati
- Updated on: Jun 2, 2025
- 5:02 pm
38 વખત કરડ્યો સાપ, મળ્યું 1 કરોડ 52 લાખ રુપિયા વળતર, મધ્યપ્રદેશમાં સામે આવ્યું સાપ કૌભાંડ
Snake scam : મધ્યપ્રદેશના સિવનીમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. જેમાં એક વ્યક્તિની 38 વખત સાપ કરડ્યો અને દરેક વખતે 4-4 લાખ રૂપિયા વળતર મળ્યુ. PCC ચીફ જીતુ પટવારીએ મધ્યપ્રદેશમાં સાપ કૌભાંડનો આરોપ લગાવતો એક વીડિયો શેર કર્યો છે.
- Dhinal Chavda
- Updated on: May 22, 2025
- 4:06 pm
મધ્યપ્રદેશની ભાજપની સરકાર અને પ્રધાનને સુપ્રીમ કોર્ટની ફટકાર, વિજય શાહની માફી નહીં, કાયદા મુજબ થશે કામ, તપાસ કરવા SITની રચના
મધ્યપ્રદેશની ભાજપની સરકારના પ્રધાન વિજય શાહ દ્વારા કર્નલ સોફિયા પર ઉચ્ચારેલા વિવાદાસ્પદ નિવેદન અંગે સુપ્રીમ કોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટે, વિજય શાહની માફી નકારી કાઢી છે અને SIT ને તપાસનો આદેશ આપ્યો છે, જેમાં એક મહિલા સહીત ત્રણ વરિષ્ઠ IPS અધિકારીઓનો સમાવેશ કરાશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, વિજય શાહે બેજવાબદાર નિવેદન આપ્યું છે, જેનાથી સમગ્ર રાષ્ટ્રને દુઃખ થયું છે. વિજય શાહની હાલમાં ધરપકડ કરવા સામે મનાઈ ફરમાવી છે.
- TV9 Gujarati
- Updated on: May 19, 2025
- 3:10 pm
એક્ટિંગથી વધારે તો તેના અવાજે બનાવી મોટી ઓળખ, કરોડોની કમાણી કરનાર અભિનેતાનો આવો છે પરિવાર
શરદ કેલકરે પોતાની કારકિર્દીમાં અનેક હિટ ફિલ્મો અને સિરિયલોમાં કામ કર્યું છે. હવે શરદ 8 વર્ષ પછી નાના પડદા પર પાછા ફરવા માટે તૈયાર છે. એટલું જ નહીં, શરદ હવે ટીવીનો સૌથી મોંઘો અભિનેતા પણ બની ગયો છે.તો આજે આપણે શરદ કેલકરેના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વાત કરીએ.
- Nirupa Duva
- Updated on: May 10, 2025
- 7:26 am
20 વર્ષ બાદ થયા છૂટાછેડા, ફ્લોપ ફિલ્મથી બોલિવુડમાં ડેબ્યુ કરનાર 4 બાળકોના પિતાનો આવો છે પરિવાર
અર્જુન રામપાલનો જન્મ 26 નવેમ્બર 1972 ના રોજ મધ્યપ્રદેશના જબલપુર શહેરમાં થયો હતો. તે આર્મી પરિવારમાંથી આવે છે.અર્જુનને કોમલ રામપાલ નામની એક નાની બહેન છે. તો આજે અર્જુન રામપાલના પરિવાર વિશે જાણો
- Nirupa Duva
- Updated on: May 9, 2025
- 7:34 am
“તમારા બાળકોને એટલા કટ્ટર બનાવો કે તેઓ અન્ય ધર્મના પ્રભાવમાં ન આવે”- પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી
પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ આરોપ લગાવ્યો છે કે કેટલાક મુસ્લિમો દેશને ગઝવા-એ-હિંદ બનાવવાનુ ષડયંત્ર રચી રહ્યા છે. તેમણે દરેક મુસ્લિમો નહીં પરંતુ કેટલાક મુસ્લિમો આવુ કાવતરુ કરી રહ્યા છે. વિદેશોમાં તેમના આકા બેસેલા છે જે તેઓને ફન્ડીંગ કરી રહ્યા છે. તેઓ ઈચ્છે છે કે હિંદુઓ ડરી જાય, ભાગી જાય પરંતુ હિંદુઓ આ નથી સમજી રહ્યા. તેઓ જાતિ-જ્ઞાતિમાં જ ફસાયેલા છે.
- Mina Pandya
- Updated on: May 5, 2025
- 5:26 pm