Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મધ્ય પ્રદેશ

મધ્ય પ્રદેશ

મધ્યપ્રદેશ દેશના 28 રાજ્યોમાંનું એક છે. રાજ્યનું પાટનગર ભોપાલ છે. મધ્ય પ્રદેશ રાજ્યની કમાન ભારતીય જનતા પાર્ટીના ડૉકટર મોહન યાદવના હાથમાં છે.

230 બેઠકોવાળી વિધાનસભામાં શિવરાજ સિંહ ચૌહાણ છેલ્લા બે દાયકામાં મોટાભાગ સમયે મુખ્યપ્રધાન રહ્યાં હતા. રાજ્યમાં લોકસભાની 29 બેઠકો છે. જ્યારે રાજ્યસભામાં 11 બેઠકો છે.

2011ની વસ્તી ગણતરી મુજબ મધ્ય પ્રદેશ રાજ્યની વસ્તી 7 કરોડ 26 લાખ આસપાસ હતી. ભોપાલ, ઈન્દોર, ઉજ્જૈન, જબલપુર, ગ્વાલિયર એ મધ્યપ્રદેશ રાજ્યના મુખ્ય શહેરો છે.

Read More

Video : ચેમ્પિયન્સ ટ્રોફીની ઉજવણી દરમિયાન ભડકી હિંસા, મહુમાં બે પક્ષો વચ્ચે અથડામણ, આગચંપી અને પથ્થરમારો

ચેમ્પિયન્સ ટ્રોફીની ઉજવણી દરમિયાન બે પક્ષો વચ્ચે અથડામણ, ઘરો, દુકાનો અને વાહનોને આગ ચાંપી દેવામાં આવી, ઘટના બાદ એક પક્ષે રસ્તા પર હનુમાન ચાલીસાનો પાઠ કર્યો

આ ગામમાં અડધી રાત્રે સોનાના સિક્કા શોધવા ઉમટ્યા ટોળા ! બાળકો પણ જમીન ખોદવા લાગ્યા, જુઓ Video

મધ્યપ્રદેશના બુરહાનપુર જિલ્લાના અસીરગઢ ગામમાં મુઘલ કાળીન સોનાના સિક્કા મળ્યાની અફવા ફેલાતા ભારે ચકચાર મચી ગઈ. અફવા મુજબ, ગામના એક ખેતરમાં જૂના કાળના સિક્કા મળી આવ્યા હતા, જેના કારણે મોડી રાત્રે મોટી સંખ્યામાં ગ્રામજનો ત્યાં દોડી આવ્યા. ઓજારો સાથે લોકો ખોદકામ કરવા લાગ્યા અને આસપાસના વિસ્તારોમાંથી પણ લોકો ઉમટી પડ્યા.

Video : ગૌહત્યાના ગુનેગારોએ પોલીસને માન્યા બાપ, સરઘસ કાઢી એવો હાલ કર્યો કે.. કરવા લાગ્યા આવા સૂત્રોચ્ચાર

ઉજ્જૈનમાં ગૌહત્યાના ત્રણ આરોપીઓની ધરપકડ બાદ પોલીસે તેમનું જાહેર સરઘસ કાઢ્યું, જેમાં આરોપીઓએ "ગાય આપણી માતા છે અને પોલીસ અમારા બાપ છે" જેવા સૂત્રોચ્ચાર કર્યા. આ ઘટના બાદ બજરંગ દળ અને VHPએ પોલીસનું સન્માન કર્યું.

મધ્યપ્રદેશમાં નાસ્તો, બિહારમાં લંચ અને આસામમાં ડિનર…જાણો PM મોદીની 3 મુલાકાતોની ખાસ વાતો

સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક જ દિવસમાં ત્રણ રાજ્યોની મુલાકાત લીધી. સૌ પ્રથમ પીએમ મોદી મધ્યપ્રદેશ પહોંચ્યા. પછી બિહાર અને આસામ. પીએમ મોદી આજે રાત્રે આસામમાં રહેશે. તેમણે કહ્યું, હું આસામના કાઝીરંગામાં રોકાઈને દુનિયાને તેની જૈવવિવિધતા વિશે જણાવનાર પહેલો પ્રધાનમંત્રી છું. ચાલો જાણીએ પીએમની ત્રણ મુલાકાતો વિશે ખાસ વાતો.

Gujarat CM vs MP CM salary : રાજ્ય મોટું પણ પગાર ઓછો, જાણો ગુજરાત કે મધ્ય પ્રદેશ કયા CM નો પગાર વધુ ?

રાજકારણમાં સેવા આપતા લોકો જેમાં પણ ખાસ કરીને ઉચ્ચ હોદ્દા પર રહેલા લોકોને નિશ્ચિત પગાર ચૂકવવામાં આવતો હોય છે. ત્યારે આજે આપણે CM ના પગાર વિશે જાણીશું. અને તેમાં પણ ગુજરાતના CM અને MP ના CM ના પગારમાં કેટલો તફાવત છે તેના વિશે જાણીશું.

ટ્રેન.. કે બસ જ નહીં, હવે ટાટાના વિમાનમાં પણ તૂટેલી સીટ ! કૃષિ મંત્રી શિવરાજ સિંહને થયો કડવો અનુભવ, જાણો શું હતી ઘટના

Air India ની મુસાફરી દરમ્યાન શિવરાજસિંહ ચૌહાણને પાફએલી મુશ્કેલીઓ અંગે તેમણે ટ્વિટર પર પોસ્ટ કરી છે. શિવરાજસિંહ ચૌહાણની આ પોસ્ટ પછી એર ઈન્ડિયાની સર્વિસ પર ફરીવાર પ્રશ્નો ઊઠવા લાગ્યા છે.

Vadodara : ડોકટર બન્યા દેવદૂત ! મધ્યપ્રદેશના 1 વર્ષના બાળકની અન્નનળીમાં શિંગોડાની છાલ ફસાઈ, જુઓ Video

મધ્ય પ્રદેશમાં વાલીઓ માટે ચેતાવણીરુપ કિસ્સો સામે આવ્યો છે. બાળકના અન્નનળીમાં શિંગોડાની છાલ ચોંટી ગઈ હોવાનું સામે આવ્યું છે. ત્યારે વડોદરાની સયાજી હોસ્પિટલમાં બાળકના ગળાની સફળ સર્જરી કરવામાં આવી છે.

મરાઠા સામ્રાજ્યનો એ વીર યોદ્ધા જે 41 યુદ્ધો લડ્યો અને જીત્યો, પરંતુ પ્રેમમાં માત ખાઈ ગયો, વિરહ- વિયોગ અને સંઘર્ષથી ભરેલી રહી બાજીરાવની પ્રેમકહાની

આજે વાત કરશુ 300 વર્ષ જૂની એક એવા યોદ્ધની પ્રેમ કહાનીની જેના નામની સાથે જ તેની પ્રિયતમાનું નામ ન લઈએ તો તે તેની તૌહિન ગણાશે. બાજીરાવ મસ્તાની જે ઈતિહાસના પન્ના પર અંકિત થયેલી અમર પ્રેમ કહાનીઓમાની એક. મહાપરાક્રમી આ યોદ્ધાએ અનેક મુઘલ સમ્રાટોને ધૂળ ચાટતા કર્યા પરંતુ પોતાનાઓ સામેની લડાઈમાં જ ન ટકી શક્યા. આજે વાત કરશુ બાજીરાવ મસ્તાની એ અદ્દભૂત પ્રેમકથાની જે સદેહે તો પૃથ્વી પર માત્ર થોડા વર્ષો જ સાથે રહી શક્યા પરંતુ તેમનો પ્રેમ અમર થઈ ગયો.

કાનુની સવાલ: શું સાસુ-સસરાની મિલકત પર જમાઈનો અધિકાર હોય છે? હાઈકોર્ટે પોતાનો ચુકાદો આપ્યો, જાણી લો બધા જમાઈ

મધ્યપ્રદેશ હાઈકોર્ટે એક કેસની સુનાવણી કરતી વખતે જમાઈના પોતાના સાસુ-સસરાની મિલકત પરના અધિકારો અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. એક વૃદ્ધ વ્યક્તિએ પોતાના જમાઈ વિરુદ્ધ પોતાના ઘર પર કબજો કરવા બદલ કેસ દાખલ કર્યો હતો. હવે આ અંગે આ નિર્ણય આપવામાં આવ્યો છે.

ભારતનો સર્વોચ્ચ પદ્મશ્રી એવોર્ડ મેળવનાર અમેરિકાની મહિલા સેલી હોલ્કર કોણ છે ? ભારતમાં એવુ તો શું કર્યું છે તેણે ?

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ, 26 જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ વર્ષ 2025 માટે પદ્મ પુરસ્કાર વિજેતાઓના નામની યાદી જાહેર કરી છે. આ વખતે કુલ 30 લોકોને દેશના પ્રતિષ્ઠિત નાગરિક સન્માન પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મશ્રીથી નવાજવામાં આવશે. આ સન્માન મેળવનારાઓની યાદીમાં અમેરિકાની સેલી હોલ્કરનું નામ પણ સામેલ છે, જે એક ઉદ્યોગપતિ છે જેનો જન્મ અમેરિકામાં થયો હતો, પરંતુ તેમણે ભારતની ધરતી પર મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

Saif Ali Khanને લાગી શકે છે મોટો ઝટકો, શું સરકાર પટૌડી પરિવારની 15,000 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરશે?

સરકાર ભોપાલમાં સૈફ અલી ખાનના પટૌડી પરિવારની 15,000 કરોડ રૂપિયાની સંપત્તિ શત્રુ સંપત્તિ કાયદા હેઠળ નિયંત્રણ લઈ શકે છે. તો ચાલો જાણીએ શું છે શત્રુ સંપત્તિ

ભારતનું એક ગામ જ્યાં ભાડે મળે છે પત્ની, માત્ર 10 રૂપિયામાં થાય છે કોન્ટ્રાક્ટ, જાણો

હવે આપણે 21મી સદીમાં છીએ, પરંતુ હજુ પણ કેટલાક વિચિત્ર રિવાજો છે જે આપણને છોડ્યા નથી. આવી જ એક પ્રથાના ભાગ રૂપે, આ ​​ગામમાં ઘણીવાર મહિલાઓની હરાજી કરવામાં આવે છે.

MPમાં BJP નેતાના ઘરેથી IT રેડ દરમિયાન મળ્યા 4 મગરમચ્છ, ઘરમાં ચારે તરફ હરણની ખોપડીઓ, વાઘની ખાલ જોઈ દંગ રહી ગયા અધિકારીઓ

મધ્ય પ્રદેશના સાગર જિલ્લામાં એક ભાજપ નેતાના ઘરે ઈનકમટેક્સની રેડ દરમિયાન બેનામી સંપતિની સહિત 4 મગરમચ્છ મળી આવતા આવકવેરા વિભાગના અધિકારીઓ પણ બે ઘડી ચોંકી ગયા હતા. પૂર્વ ધારાસભ્ય હરવંશસિંહ રાઠૌરના ઘરે દરોડા દરમિયાન ચાર મગરમચ્છ મળ્યા. આ સાથે જ અન્ય અનેક બેનામી સંપત્તિનો ખૂલાસો થયો છે. ગર્ભશ્રીમંત પરિવારમાંથી આવતા હરવંશસિંહ રાઠૌરના ઘરની દિવાલો પર ચારે તરફ હરણની ખોપડીથી શોભા વધારવામાં આવી છે. રાઠૌર બંડાથી એકવાર ધારાસભ્ય રહી ચુક્યા છે.

Bhopal : પરિવહન વિભાગના પૂર્વ અધિકારીને ત્યાં દરોડામાં ઘરમાંથી મળી 40 કિલો ચાંદી, રોકડ ગણવા તો મશીન મગાવવુ પડ્યુ, જુઓ Video

ભોપાલમાં આવકવેરા વિભાગે કરેલા દરોડામાં પૂર્વ પરિવહન વિભાગના અધિકારીના ઘરેથી 40 કિલો ચાંદી અને મોટી રકમ રોકડા મળ્યા છે. આ પહેલાં, સૌરભ શર્માના ખાસ મનાતા ચંદન સિંહના કારમાંથી 52 કિલો સોનું અને 10 કરોડ રૂપિયા મળી આવ્યા હતા. કુલ મળીને 50 કરોડથી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. તપાસ ચાલુ છે.

કુંભના કૂલ કેટલા પ્રકારો છે? શું હોય છે મહા કુંભ,પૂર્ણ કુંભ અને અર્ધ કુંભ- જાણો કુંભ મેળાને લગતી તમામ રોચક જાણકારી- Photos

13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી પ્રયાગરાજમાં મહાકુંભ 2025નું આયોજન કરવામાં આવ્યુ છે. આ મહાકુંભ દરમિયાન કુલ છ શાહી સ્નાન થશે. મહાકુંભ એ વિશ્વનો સૌથી મોટો ધાર્મિક મેળો છે. 30-45 દિવસ સુધી ચાલનારા મહાકુંભનું હિન્દુઓ માટે ઘ ણું મહત્વ છે. 144 વર્ષ બાદ ફરી મહાકુંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે આ મહાકુંભમાં દેશ-વિદેશમાંથી 40 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ ભાગ લેશે.

g clip-path="url(#clip0_868_265)">