મધ્ય પ્રદેશ

મધ્ય પ્રદેશ

મધ્યપ્રદેશ દેશના 28 રાજ્યોમાંનું એક છે. રાજ્યનું પાટનગર ભોપાલ છે. મધ્ય પ્રદેશ રાજ્યની કમાન ભારતીય જનતા પાર્ટીના ડૉકટર મોહન યાદવના હાથમાં છે.

230 બેઠકોવાળી વિધાનસભામાં શિવરાજ સિંહ ચૌહાણ છેલ્લા બે દાયકામાં મોટાભાગ સમયે મુખ્યપ્રધાન રહ્યાં હતા. રાજ્યમાં લોકસભાની 29 બેઠકો છે. જ્યારે રાજ્યસભામાં 11 બેઠકો છે.

2011ની વસ્તી ગણતરી મુજબ મધ્ય પ્રદેશ રાજ્યની વસ્તી 7 કરોડ 26 લાખ આસપાસ હતી. ભોપાલ, ઈન્દોર, ઉજ્જૈન, જબલપુર, ગ્વાલિયર એ મધ્યપ્રદેશ રાજ્યના મુખ્ય શહેરો છે.

Read More

7 મેના રોજ 93 બેઠકો પર મતદાન, અમિત શાહ, સિંધિયા, શિવરાજ સહિત અનેક દિગ્ગજોની શાખ દાવ પર

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં 10 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોની 94 બેઠકો પર મતદાન થશે. આ તબક્કામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ સહિત અનેક હસ્તીઓની શાખ દાવ પર છે.

ત્રીજા તબક્કાની ચૂંટણીના પ્રચારના પડઘમ આજે થશે શાંત, 7 મેના રોજ ગુજરાતની 25 સહીત 12 રાજ્ય-કેન્દ્ર શાસિત પ્રદેશની 93 બેઠકો પર મતદાન

આજે 5 મેની સાંજે ત્રીજા તબક્કાના ચૂંટણી પ્રચારના પડઘમ બંધ થઈ જશે. તમામ ઉમેદવારો અને રાજકીય પક્ષો પૂરા જોશ સાથે ચૂંટણી પ્રચારમાં લાગી ગયા હતા. ચૂંટણી પંચ, લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનની તૈયારીમાં વ્યસ્ત થઈ ગયું છે. લોકસભાની ચૂંટણીના બાકીના ચાર તબક્કાની ચૂંટણી પૂર્ણ થયા બાદ પરિણામ આગામી 4 જૂને જાહેર થશે.

સુરત જેવી જ ઘટના બની ઈન્દોરમાં, કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પાછું ખેચી લઈને ભાજપના ભરતી મેળામાં જોડાયા

મધ્યપ્રદેશમાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. આજે ઈન્દોરમાં કોંગ્રેસના ઉમેદવાર અક્ષય બમે પોતાનું ઉમેદવારી પત્ર પાછું ખેંચી લીધું છે. ઉમેદવારી પાછી ખેંચી લીધા બાદ અક્ષય બમ ભાજપમાં જોડાઈ ગયા હતા. આ અગાઉ સુરતમાં પણ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારોને કારણે ઉમેદવારી જ રદ થવા પામી હતી. અને કોંગ્રેસને આવો જ ઝટકો લાગ્યો હતો.

ગુજરાતમાં પ્રવાસીઓ માટે વધુ એક આકર્ષણ ઉમેરાશે, સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ

ગુજરાતમાં આગામી સમયમાં પ્રવાસી ક્ષેત્રે વધુ એક આકર્ષણ ઉમેરાવા જઈ રહ્યું છે. આગામી સમયમાં ગુજરાત અને મધ્ય પ્રદેશ વચ્ચે ક્રુઝ સેવા શરુ કરવામાં આવશે. જેના પગલે મધ્યપ્રદેશ ટુરિઝમ અને ગુજરાત સરકાર સાથે કરાર થયા છે.

દેશના આ 5 રાજ્યમાં ભારે પવન સાથે છૂટો છવાયો વરસાદની આગાહી

હવામાન ક્ષેત્રની ખાનગી સંસ્થા સ્કાય મેટ દ્વારા એપ્રિલ મહિનામાં દેશભરમાં કેવુ વાતાવરણ રહેશે તેના પર આગાહી કરી છે. સ્કાય મેટના અહેવાલમાં જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સમુદ્ર સપાટીથી લગભગ 5.8 કિમી ઉપર મધ્ય-ઉષ્ણકટિબંધીય પવનોમાં એક ટ્રફ બનાવે છે. જેના પગલે કેટલાક રાજ્યોમાં વરસાદ વરસી શકે છે.

ભારતના આ 3 રાજ્યમાં પવન સાથે હિમવર્ષાની આગાહી, જાણો ક્યા કેટલો પડશે વરસાદ

હવામાન ક્ષેત્રની ખાનગી સંસ્થા સ્કાય મેટ દ્વારા એપ્રિલ મહિનામાં દેશભરમાં કેવુ વાતાવરણ રહેશે તેના પર આગાહી કરી છે. સ્કાય મેટના જણાવ્યા અનુસાર ભારતના કેટલાક રાજ્યોમાં હિમવર્ષાની આગાહી કરી છે.

ભારતના આ રાજ્યોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી

હવામાન ક્ષેત્રની ખાનગી સંસ્થા સ્કાય મેટ દ્વારા એપ્રિલ મહિનામાં દેશભરમાં કેવુ વાતાવરણ રહેશે તેના પર આગાહી કરી છે. સ્કાય મેટના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એ તેની ધરી સાથે મધ્ય-ઉષ્ણકટિબંધીય પશ્ચિમી પવનોમાં એક ટ્રફ છે.

Youtube female gamer : દેશની યુટ્યુબ મહિલા ગેમર પાયલ ધારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી, ભિલાઈથી શિક્ષણ કર્યું પૂર્ણ

તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેટલાક ભારતીય ઓનલાઈન ગેમર્સને મળ્યા હતા. પાયલ ધારે પણ ઓનલાઈન ગેમર્સમાં સામેલ છે જેઓ વડાપ્રધાનને મળ્યા હતા. તે મૂળ મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લાના નાના ગામ ઉમરાનાલાની રહેવાસી છે. હાલ મુંબઈમાં રહે છે. ઈન્સ્ટાગ્રામ પર પાયલ ધારે ફોલોઅર્સની સંખ્યા 31 લાખ છે.

દેશમાં માવઠાનો માર ! વીજળીના કડાકા ભડાકા સાથે આ રાજ્યોમાં પડશે કરા અને વરસાદ

સ્કાય મેટના વેધર રિપોર્ટ અનુસાર દેશના મધ્ય ભાગોમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી થઈ છે. જેમાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશનો મોટો ભાગમાં જોવા મળે છે. જ્યારે ઓડિશા અને છત્તીસગઢ રાજ્યોમાં હળવો અને છૂટાછવાયો વરસાદ પડી શકે છે.

ઉજ્જૈનના મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં લાગેલી આગમાં એક સેવકનું મોત, 5 લોકો હજુ સારવાર હેઠળ

Mahakal Temple : મધ્યપ્રદેશના ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં આ વર્ષે હોળીના દિવસે ગર્ભગૃહમાં આગ લાગવાથી સેવક સત્યનારાયણ સોની દાઝી ગયા હતા. 25 માર્ચની સવારે મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી કરવામાં આવી રહી હતી, ત્યારે સવારે 5:49 વાગ્યે ગર્ભગૃહમાં આ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં પૂજારી સહિત 14 લોકો દાઝી ગયા હતા.

Dahod Video : લો બોલો….. હજી તો ગુજરાત અને મધ્ય પ્રદેશને જોડતા બ્રિજનું લોકાર્પણ કર્યુ છે, ત્યાં તો બે કલાકમાં જ પુલ પર પ્રવેશબંધીના બેરિકેડ લગાવ્યા

લોકસભાની ચૂંટણી પહેલા ઉમેદવારો મતદારોને રિઝવવા માટે તેમની સાથે ગરબા અને ક્રિકેટ રમે છે. પરંતુ દાહોદમાં તો નેતાઓએ એવા બ્રિજનું લોકાર્પણ કર્યુ કે આ બ્રિજને ગણતરીના કલાકોમાં જ પ્રવેશ બંધીના બેરિકેડ લગાવા પડ્યા.

4 દિવસ-7 રાજ્યો, PM મોદીની આજથી જંગી રેલીઓ-રોડ શો, ભાજપે જીતનો રોડ મેપ બનાવ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે પીલીભીતમાં ડ્રમન્ડ ગવર્નમેન્ટ ઈન્ટર કોલેજમાં ચૂંટણી રેલીમાં ભાગ લેશે. અહીં તેઓ ભાજપના ઉમેદવાર અને ઉત્તર પ્રદેશ સરકારના જાહેર બાંધકામ મંત્રી જિતિન પ્રસાદના સમર્થનમાં પીલીભીતમાં લોકોને સંબોધિત કરશે.

ગુજરાત – મધ્યપ્રદેશ બોર્ડર પર પોલીસની કાર્યવાહી, ખાનગી ટ્રાવેલ્સ બસમાંથી ઝડપાઇ બિનવારસી હાલતમાં રોકડ અને ચાંદી, જુઓ વીડિયો

ખાનગી ટ્રાવેલ્સ બસમાં બિનવારસી હાલતમાં  રોકડ અને ચાંદી ઝડપાઈ છે. ઇન્દોરથી ગુજરાત આવતી બસમાં તપાસ સમયે ચાંદી અને રોકડ મળી આવી હતી. મધ્યપ્રદેશની પીટોલ બોર્ડર પર પોલીસ અને SITએ સઘન ચેકિંગની કાર્યવાહિ હાથ ધરી હતી .

Ujjain Train Waiting List : મહાકાલના દર્શને જવા માટે ‘શાંતિ એક્સપ્રેસ’ ટ્રેનનું આ છે વેઈટિંગ લિસ્ટ, જુઓ એપ્રિલ મહિનાનું લિસ્ટ

April month waiting list: થોડા દિવસ પહેલા આપણે જોયું હતું કે ગાંધીનગરથી ઉજ્જૈન જવા માટે ટ્રેન નંબર-19309 ચાલે છે. આ શાંતિ એક્સપ્રેસ ટ્રેન અઠવાડિયાના દરેક વારે દોડે છે.

સુપ્રીમ કોર્ટે ધાર ભોજશાળામાં ખોદકામ કરવા પર પ્રતિબંધ મૂક્યો, ASI સર્વે ચાલુ રહેશે

સર્વોચ્ચ અદાલતે ધાર ભોજશાળામાં વૈજ્ઞાનિક સર્વેક્ષણ પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે કહ્યું કે જ્ઞાનવાપીમાં જેમ થયું તેમ સર્વે કરવામાં આવશે, પરંતુ ધાર ભોજશાળામાં ખોદાણ કરવામાં નહીં આવે. કોર્ટે કેન્દ્ર સરકાર, ASI અને મધ્યપ્રદેશ સરકારને નોટિસ પાઠવી છે.

અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
g clip-path="url(#clip0_868_265)">