મહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર દેશના 28 રાજ્યોમાંનું એક છે. તેનુ પાટનગર મુંબઈ છે. મહારાષ્ટ્ર રાજ્યની વસ્તી 11 કરોડથી વધુ છે. રાજ્યમાં લોકસભાની કુલ 48 બેઠકો છે, જ્યારે રાજ્યસભાની 19 બેઠકો છે. મહારાષ્ટ્ર રાજ્યમાં વિધાનસભાની સાથે વિધાન પરિષદ પણ અસ્તિત્વમાં છે. રાજ્યમાં વિધાનસભાની 289 બેઠકો છે. જ્યારે વિધાન પરિષદમાં 78 બેઠકો છે. મહારાષ્ટ્ર રાજ્યની સત્તાવાર ભાષા મરાઠી છે. મહારાષ્ટ્રની ગણતરી દેશના અગ્રણી રાજ્યોમાં થાય છે. મહારાષ્ટ્ર રાજ્યની સ્થાપના 1960માં 1લી મેના રોજ થઈ હતી. એ પહેલા ગુજરાતની સાથે મહારાષ્ટ્ર જોડાયેલ હતું.

Read More

ભારતમાં નવી બીમારીની દસ્તક ! 15 દિવસમાં 139 લોકો થયા ટકલા, જાણો શું છે આ વાળ ખરવાની બીમારી

મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં રહસ્યમય બીમારીનો મામલો સામે આવ્યો છે. દિલ્લી અને ચેન્નઈની ICMRની ટીમ આજે બુલઢાણામાં પહોંચી છે. એકાએક વાળ ખરવાના કેસમાં ICMRની ટીમ તપાસ કરશે.  બુલઢાણાના 12થી વધુ ગામમાં વાળ ખરવાની બીમારીનો ભરડો લીધો છે. 15 દિવસમાં 139 લોકો ટકલા થયાનું સામે આવ્યું. 

‘ખરા રૂપિયા તો ગુજરાતીઓ પાસે જ છે’ ઝેરોધાના નીતિન કામથે કેમ આમ કહ્યું ?

અબજોપતિ બિઝનેશમેન નીતિન કામથે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર દેશમાં ઇક્વિટી ડિલિવરી ટ્રેડ્સ સંબંધિત ચોંકાવનારા આંકડા શેર કર્યા છે. આ આંકડાઓ શેર કરતી વખતે નીતિન કામથે લખ્યું છે કે દેશમાં ખરા પૈસા તો ગુજ્જુઓ એટલે કે ગુજરાતીઓ પાસે જ છે.

બાબા સિદ્દીકીની હત્યા કેસમાં મુંબઈ પોલીસે રજૂ કરી 4590 પાનાની ચાર્જશીટ, હત્યા માટે ત્રણ કારણો જણાવ્યા

બાબા સિદ્દીક કેસઃ લગભગ 4590 પેજની ચાર્જશીટમાં મુંબઈ પોલીસે હત્યાનું કારણ પણ જણાવ્યું છે. પોલીસ તપાસ મુજબ, હત્યાના ત્રણ મુખ્ય કારણો હોઈ શકે છે, જેમાં સલમાન ખાન સાથેની નિકટતા, અનુજ થપ્પનની આત્મહત્યાનો બદલો અને બિશ્નોઈ ગેંગનું વર્ચસ્વ સ્થાપિત કરવા મુંબઈમાં તેનો ડર વધારવા જેવા કારણો સામેલ છે.

મુસ્લિમ પુરૂષો એક કરતાં વધુ લગ્નની નોંધણી કરી શકશે નહીં, સુપ્રીમ કોર્ટે ફગાવી અરજી

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, મુસ્લિમ પુરુષોને એકથી વધુ લગ્ન રજીસ્ટર કરવાનો અધિકાર નથી. બોમ્બે હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી, જેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી.

Ambani School Fees : આખરે કેટલી છે ધીરુભાઈ અંબાણી સ્કૂલની ફી ? સામાન્ય લોકો માટે કેટલી મોંઘી જાણો અહીં

Dhirubhai Ambani International School Fees: સ્થિત ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં મોટાભાગે સેલિબ્રિટિના બાળકો અભ્યાસ કરતા હોય છે, ત્યારે આ શાળામાં તમારા બાળકોને ભણાવવા છે તો જાણો કેટલી છે ત્યાની ફી?

ગુજરાતના દરિયાકાંઠેથી 232 કિલો ડ્રગ્સ સાથે ઝડપાયેલા 8 પાકિસ્તાનીને 20 વર્ષની જેલ

ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે, વર્ષ 2015માં, ગુજરાતના દરિયાકાંઠેથી, રૂપિયા 7 કરોડની કિંમતના 232 કિલો હેરોઈન સાથે ઝડપેલા 8 પાકિસ્તાનીઓને વિષેશ અદાલતે 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. સાથોસાથ પ્રત્યેક પાકિસ્તાની નાગરિકને રૂપિયા 2-2 લાખનો દંડ પણ ફટકાર્યો છે.

Stock Market Holiday : વર્ષ 2025માં કેટલા દિવસ બંધ રહેશે શેર માર્કેટ ? 1 જાન્યુઆરીએ માર્કેટ બંધ રહેશે કે ચાલુ ?

વર્ષ 2024 સમાપ્ત થવામાં હવે ગણતરીના કલાકો જ બાકી છે. સરકારે વાર્ષિક રજાઓને લઈને પરિપત્ર બહાર પાડ્યો છે. ત્યારે BSE અને NSE એ પણ વર્ષ 2025માં સ્ટોક માર્કેટ માટે રજાઓની યાદી જાહેર કરી છે. ત્યારે આ લેખમાં જાણીશું કે વર્ષ 2025માં માર્કેટ કેટલા દિવસ રહેશે બંધ.

અદાણી એ તેમના ડ્રીમ પ્રોજેક્ટ ધારાવી અંગે કહ્યુ, “નિવૃતિ પહેલા એવુ કામ કરવાની ઈચ્છા છે કે 10 લાખ લોકોને આગામી 50 વર્ષ સુધી યાદ રહે”

ગૌતમ અદાણીએ વર્ક લાઈફ બેલેન્સ અને તેમના ધારાવી પુનર્વિકાસ પ્રોજેક્ટ પર વાત કરી. તેમણે પરિવાર સાથે ઓછામાં ઓછા ચાર કલાક ગાળવાની સલાહ આપી અને પોતાના કામને પ્રેમ કરવા પર ભાર મૂક્યો. ધારાવી પ્રોજેક્ટને તેમનો ડ્રીમ પ્રોજેક્ટ ગણાવીને, અદાણીએ કહ્યું કે તેઓ ઈચ્છે છે કે આ પ્રોજેક્ટ આગામી 50 વર્ષ સુધી 10 લાખ લોકોને યાદ રહે. તેમણે 25 રાજ્યોમાં કામ કરવાનો પણ ઉલ્લેખ કર્યો.

મુંબઈવાસીઓ સાવધાન ! હવાની ગુણવત્તા બગડી, કેટલાક વિસ્તારમાં ઝીરો વિઝિબિલિટી

છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈ સહિત ઉપનગરો અને આસપાસના વિસ્તારોમાં હવાની ગુણવત્તા બગડી છે. મુંબઈની હવા અત્યંત ભયજનક બની ગઈ છે. તેથી મુંબઈમાં હાલ આંશિક વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેના કારણે હવે મુંબઈમાં હવાની ગુણવત્તા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ભારત તેના નિર્ણયો પર અન્ય લોકોને ‘વીટો’ લગાવવા દેશે નહીં : જયશંકર

મુંબઈમાં વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે, ભારત તેના નિર્ણયો પર અન્ય લોકોને 'વીટો' લગાવવા દેશે નહીં. તેમણે કહ્યું કે જે પણ યોગ્ય હશે તે ભારતના રાષ્ટ્રીય હિતમાં કોઈપણ ડરની ચિંતા કર્યા વિના કરવામાં આવશે. જયશંકરે કહ્યું કે જ્યારે ભારત વૈશ્વિક ચેતનામાં વધુ ઊંડાણપૂર્વક જોડાય છે, ત્યારે તેના પરિણામો ખરેખર ગહન હોય છે.

મહારાષ્ટ્રમાં મંત્રીઓને ખાતાની વહેંચણી, ફડણવીસને મળ્યું ગૃહ વિભાગ, જાણો શિંદે-અજિતને શું મળ્યું?

મહારાષ્ટ્રમાં કેબિનેટનું વિસ્તરણ 15 ડિસેમ્બરે થયું હતું. આ પછી હવે મંત્રીઓના પોર્ટફોલિયોની વહેંચણી કરવામાં આવી છે. ચંદ્રશેખર બાવનકુલેને મહેસૂલ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. બાવનકુલે મહારાષ્ટ્ર ભાજપના પ્રમુખ છે. હસન મુશ્રીફને મેડિકલ એજ્યુકેશન વિભાગની કમાન સોંપવામાં આવી છે.

Travel Tips : વીકએન્ડમાં ફરવા માટે બેસ્ટ છે એલિફન્ટાની સુંદર ગુફાઓ, જાણો કઈ રીતે પ્લાન બનાવવો

જો તમે મુંબઈ ફરવાનું વિચારી રહ્યા છો, તો એલિફન્ટાની ગુફાઓ જવાનું ભૂલશો નહીં.જો તમારે અહીં જવું હોય તો અમે તમને જણાવી દઈએ કે આ ગુફાઓ સુધી પહોંચવા માટે તમારે ગેટવે ઓફ ઈન્ડિયાથી બોટની સવારી કરવી પડશે. તો ચાલો જાણીએ તમે કેવી રીતે એલિફન્ટની ગુફાની મુલાકાત લઈ શકો છો.

બેટિંગની એપ Magicwinનું છે પાકિસ્તાન કનેક્શન, ફિલ્મ સ્ટાર્સની પણ કરાશે પૂછપરછ

કેન્દ્રીય તપાસ એજન્સી EDએ MagicWin બેટિંગ એપને લઈને મોટો ખુલાસો કર્યો છે. ED અનુસાર આ એપના સ્થાપક પાકિસ્તાની છે અને તે દુબઈમાં બેઠેલા કેટલાક ભારતીય નાગરિકો દ્વારા ચલાવવામાં આવે છે. હાલમાં જ EDએ આ એપ સાથે જોડાયેલા લોકોના 21 સ્થળો પર પણ દરોડા પાડ્યા છે.

Mumbai Boat Accident : ‘ખબર જ હતી કે નેવીની સ્પીડ બોટ ટકરાશે’… દરિયામાં સ્પીડ જોઈને મુસાફરો ડરી ગયા, આંખે જોયેલું વાંચો

Mumbai Boat Accident : 'નીલકમલ' બોટમાં સવાર હૈદરાબાદના રહેવાસી પેસેન્જર ગણેશે જણાવ્યું કે, નેવીની સ્પીડ બોટ અરબી સમુદ્રમાં ચક્કર મારી રહી હતી. અચાનક તે અમારી બોટની આસપાસ ચક્કર લગાવવા લાગી. આ જોઈને તેમને ડર હતો કે સ્પીડ બોટ કદાચ અમારી બોટ સાથે અથડાઈ જશે અને બીજી જ ક્ષણે તે અમારી બોટ સાથે અથડાઈ ગઈ.

Mumbai : ગેટવે ઓફ ઈન્ડિયા પાસે મોટો અકસ્માત, મુસાફરોથી ભરેલી બોટ દરિયામાં પલટી, 13 લોકોના મોત

મુંબઈમાં ગેટવે ઓફ ઈન્ડિયા પાસે મુસાફરોથી ભરેલી બોટ દરિયામાં પલટી ગઈ હતી. આ ઘટનામાં બોટમાં સવાર મુસાફરો ડૂબી ગયા હતા. માહિતી મળતાની સાથે જ રાહત ટુકડીઓ સ્થળ પર પહોંચી અને રાહત કાર્ય શરૂ કર્યું. જો કે હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે બોટમાં કેટલા લોકો હતા.

g clip-path="url(#clip0_868_265)">