Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર દેશના 28 રાજ્યોમાંનું એક છે. તેનુ પાટનગર મુંબઈ છે. મહારાષ્ટ્ર રાજ્યની વસ્તી 11 કરોડથી વધુ છે. રાજ્યમાં લોકસભાની કુલ 48 બેઠકો છે, જ્યારે રાજ્યસભાની 19 બેઠકો છે. મહારાષ્ટ્ર રાજ્યમાં વિધાનસભાની સાથે વિધાન પરિષદ પણ અસ્તિત્વમાં છે. રાજ્યમાં વિધાનસભાની 289 બેઠકો છે. જ્યારે વિધાન પરિષદમાં 78 બેઠકો છે. મહારાષ્ટ્ર રાજ્યની સત્તાવાર ભાષા મરાઠી છે. મહારાષ્ટ્રની ગણતરી દેશના અગ્રણી રાજ્યોમાં થાય છે. મહારાષ્ટ્ર રાજ્યની સ્થાપના 1960માં 1લી મેના રોજ થઈ હતી. એ પહેલા ગુજરાતની સાથે મહારાષ્ટ્ર જોડાયેલ હતું.

Read More

કાનુની સવાલ: મહિલા સહકર્મીના વાળ પર કમેન્ટ્સ કરવી કે તેના વિશે ગીતો ગાવા એ જાતીય સતામણી છે? કોર્ટનો નિર્ણય જાણો

કાનુની સવાલ: જાતીય સતામણીના એક કેસમાં બોમ્બે હાઈકોર્ટે મોટો નિર્ણય આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે કાર્યસ્થળ પર મહિલા સહકર્મીના વાળ પર કમેન્ટ્સ કરવી અથવા તેને જોતી વખતે ગીતો ગાવા એ જાતીય સતામણી નથી.

કરોડો હિંદુઓ પર અત્યાચાર કરનારા ક્રુર મુગલ શાસક ઔરંગઝેબ વિશે પાકિસ્તાનમાં બાળકોને શું ભણાવવામાં આવે છે?- વાંચો

જે પાકિસ્તાન મુગલ બાદશાહ અકબરને નફરતથી જુએ છે એ જ પાકિસ્તાન ઔરંગઝેબ વિશે તેમના બાળકોને શું ભણાવે છે તે જાણવુ પણ એટલુ જ જરૂરી છે. ભારતમાં કરોડો હિંદુઓ પર અત્યાચાર કરનારા ઔરંગઝેબને પણ શું અકબરની જેમ પાકિસ્તાનમાં નફરતભરી નજરથી જોવામાં આવે છે? કે સન્માન કરવામાં આવે છે? વાંચો

ઔરંગઝેબ મુદ્દે નાગપુરમાં તોફાન બાદ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે આપ્યું મોટું નિવેદન

હાલ સમગ્ર દેશમાં ઔરંગઝેબને લઈને ભારે વિવાદ ચાલી રહ્યો છે. આ દરમિયાન, મુઘલ બાદશાહની કબર અંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું સત્તાવાર નિવેદન સામે આવ્યું છે. એક પ્રેસ કોન્ફરન્સમાં, અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકરને પૂછવામાં આવ્યું કે શું ઔરંગઝેબ આજે પણ પ્રાસંગિક છે ? તો આના પર તેમણે જવાબ આપ્યો હતો.

ગુજરાતી પરિવારની આ હિરોઈને, પોતાનાથી 13 વર્ષ મોટા, છૂટાછેડા લીધેલા, વિધર્મી હિરો સાથે 1982માં પ્રેમલગ્ન કર્યા ત્યારે ખળભળાટ મચી ગયો હતો

બોલિવૂડમાં એવા ઘણા યુગલો છે, જેમણે એક સંપૂર્ણ દંપતીના ઉદાહરણો સેટ કર્યા છે. આખી જિંદગી તેઓ પતિ પત્ની તરીકે જીવ્યા ત્યાં સુધી રહ્યાં તો કેટલાક એવા પણ યુગલ છે જેઓ લગ્ને લગ્ને કુંવારા કહેવાયા. પરંતુ મૂળ ગુજરાતી પરિવારની હિરોઈને 1982માં એક એવા હિરો સાથે લગ્ન કર્યા કે વિધર્મી હોવા ઉપરાંત તેનાથી 13 વર્ષ મોટા હતા, સાથોસાથ છૂટાછેડા લીધેલ અને એક દિકરીના બાપ હતા. આજે 18 માર્ચે, તે હિરોઈનનો 67 મો જન્મદિવસ છે. આ પ્રસંગે, જાણો તેની લવ સ્ટોરી વિશે.

“દેશમાં લઘુમતીઓ સુરક્ષિત છે કે નહીં?” આ સવાલ પર જ્હોન અબ્રાહમે આપ્યો અનેકોની બોલતી બંધ કરી દેતો જવાબ – Photos

જૉન અબ્રાહમની નવી ફિલ્મ 'The Diplomat' તાજેતરમાં જ રિલીઝ થઈ છે. આ ફિલ્મની રિલીઝ બાદ જ્હોન તેમના લઘુમતીઓ વિશે આપેલા એક નિવેદનને લઈને ચર્ચામાં છે. જ્હોન ને દેશમાં લઘુમતીઓની સુરક્ષા અને સલામતીને લઈને સવાલ કરવામાં આવ્યો હતો, જેના પર તેમણે તુષ્ટિકરણની રાજનીતિ કરતા અનેક લોકોની બોલતી બંદ કરી દેતો જવાબ આપ્યો છે.

FASTag Rules: 1 એપ્રિલથી નિયમો બદલાશે, આ વાહનોએ ટોલ ચૂકવવો નહીં પડે

જો કોઈ મુસાફર FASTag નો ઉપયોગ કરતો નથી, તો તે રોકડ, કાર્ડ અથવા UPI દ્વારા ટોલ ફી ચૂકવી શકે છે પરંતુ તેણે બમણી રકમ ચૂકવવી પડશે. MSRDC એ આ ફેરફાર અંગે જાહેર સૂચના જાહેર કરી છે.

હવે ઔરંગઝેબની કબર તૂટશે, તારીખ નક્કી ! વિશ્વ હિન્દુ પરિષદે કરી મોટી જાહેરાત

VHP એ કહ્યું કે, અમે માગ કરીશું કે શિવાજી મહારાજની પવિત્ર ભૂમિ પરથી ઔરંગઝેબની કબર અને ઔરંગઝેબી માનસિકતાને સંપૂર્ણપણે નાશ કરવામાં આવે. ઔરંગઝેબનો મકબરો મહારાષ્ટ્રના સંભાજી નગરમાં છે અને તેમણે મહારાજ સંભાજીને ખૂબ ત્રાસ આપ્યા પછી મારી નાખ્યા હતા તેથી આવા વ્યક્તિની કબર ન હોવી જોઈએ.

Pune rape case : પુણે બળાત્કાર કેસમાં મોટો ખુલાસો, આરોપી દત્તા ગાડેની પત્નીએ કર્યો ચોંકાવનારો દાવો

પુણેના સ્વારગેટ બસ સ્ટેન્ડ પર એક ચોંકાવનારી ઘટના બની હતી. આ ઘટનાએ રાજ્યભરમાં શોકની લહેર ફેલાવી દીધી હતી. કારણ કે બસ સ્ટોપ પર પાર્ક કરેલી બસમાં એક યુવતી પર બળાત્કાર કરવામાં આવ્યો હતો.

મુંબઈની લીલાવતી હોસ્પિટલ કોની છે ? કાળા જાદુ અને 1500 કરોડની હેરાફેરીનો આરોપ

લીલાવતી કીર્તિલાલ મહેતા મેડિકલ ટ્રસ્ટે ભૂતપૂર્વ ટ્રસ્ટીઓ અને અન્યો પર ભંડોળનો દુરુપયોગ કરવાનો અને હોસ્પિટલના પરિસરમાં કાળો જાદુ કરવાનો આરોપ મૂક્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને બાંદ્રા પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. લીલાવતી હોસ્પિટલના નાણાકીય રેકોર્ડના ફોરેન્સિક ઓડિટ દરમિયાન આ બાબત પ્રકાશમાં આવી હતી.

ધાર્મિક સ્થળોએ લાઉડ સ્પીકર લગાવવા પોલીસ પરવાનગી જરૂરી, જો કાયદાનું પાલન નહીં તો પોલીસ સામે પણ પગલાં : દેવેન્દ્ર ફડણવીસ

ગેરકાયદે લાઉડસ્પીકર અંગે મહારાષ્ટ્રના સીએમ ફડણવીસે કહ્યું કે, માત્ર કાર્યવાહી જ નહીં પરંતુ લાઉડસ્પીકર સહિતના તમામ દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવશે. લાઉડ સ્પીકર માટે નક્કી કરાયેલા નિયમોનું પાલન થાય છે કે નહીં તે જોવાની જવાબદારી સંબંધિત પોલીસ સ્ટેશનના પીઆઈ, પીએસઆઈની રહેશે, જો નિયમોનું પાલન થતું જોવા નહીં મળે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. તેમ ફડણવીસે જણાવ્યું હતું.

અમદાવાદથી ઉપડતી અને ફરવા જવા માટેની આ સૌથી બેસ્ટ ટ્રેન, ગુજરાતને જોડે છે સુંદર 4 રાજ્યો સાથે

Super Fast Express Train : તમારે વેકેશન દરમિયાન કે બિઝનેસ ટ્રિપ દરમિયાન સાઉથના તેલંગણા કે આંધ્રપ્રદેશમાં જવાનું થાય તો તમારા માટે આ ટ્રેન સૌથી ઉત્તમ છે.

નાગપુરમાં પતંજલિ ફૂડ એન્ડ હર્બલ પાર્કના ઉદ્દઘાટન પ્રસંગે બોલ્યા CM ફડણવીસ, સંતરા ઉત્પાદન માટે પેકેજિંગ- પ્રોસેસિંગની હશે સુવિધા

મહારાષ્ટ્રના નાગપુરમાં પતંજલિ ફૂડ અને હર્બલ પાર્કના ઉદ્દઘાટન દરમિયાન સીએમ ફડણવીસે કહ્યુ કે આ પાર્કને બનવામાં 9 વર્ષ થયા. બાબાા રામદેવએ તેમને મફતમાં મળતી જમીન પર ફુડ પાર્ક બનાવવાના બદલે નાગપુરને પસંદ કર્યુ અને તેને પુરુ કરીને બતાવ્યુ. તેમણે કહ્યુ અહીં સંતરાના ઉત્પાદનને પ્રોત્સાહન આપવામાં આવશે. તેના માટે નર્સરીથી લઈ પ્રોસેસિંગ અને પેકેજિંગની પણ સુવિધા આપવામાં આવશે.

‘દેશી ગર્લ’ પ્રિયંકા ચોપરાએ પોતાના ચાર ઘર એકસાથે વેચી દીધા, આટલા કરોડમાં થયો સોદો

લગભગ સાત વર્ષ પહેલાં ભારત છોડીને અમેરિકા શિફ્ટ થયેલી પ્રિયંકા ચોપરાએ એક સાથે પોતાના ચાર ઘર વેચી દીધા છે. મુંબઈમાં તેમના ઓબેરોય સ્કાય ગાર્ડન્સમાં એક કે બે નહીં પણ ચાર લક્ઝરી એપાર્ટમેન્ટ હતા.

મહારાષ્ટ્રમાં ફરી ધૂળ્યું ભાષાનું ભૂત, RSS ના ભૈય્યાજી જોશીના નિવેદને હોબાળો મચાવ્યા બાદ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું- મુંબઈની ભાષા મરાઠી

મુંબઈમાં મરાઠી ભાષા પર ભૈય્યાજી જોશીના વિવાદાસ્પદ નિવેદન બાદ મહારાષ્ટ્રમાં ભાષાને લઈને ફરી હોબાળો મચ્યો છે. જોશીના નિવેદનને રદિયો આપતાં પૂર્વ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મરાઠીને મહારાષ્ટ્રની સત્તાવાર ભાષા ગણાવી છે. વિધાનસભામાં ભૈય્યાજી જોશીના વિવાદાસ્પદ નિવેદન મુદ્દે જોરદાર ચર્ચા થઈ હતી, જેમાં વિપક્ષે સરકાર પર નિશાન સાધ્યું હતું. સરકારનું કહેવું છે કે મહારાષ્ટ્રમાં રહેતા દરેક વ્યક્તિએ મરાઠી ભાષા શીખવી જોઈએ.

હત્યા કેસમાં નામ આવતા, મહારાષ્ટ્રના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ઘનંજય મુંડેનું રાજીનામું લેવાયું

સરપંચની હત્યા કેસમાં નામ આવતા મહારાષ્ટ્રના પ્રધાન ધનંજય મુંડેએ તેમના હોદ્દા પરથી રાજીનામુ આપી દિધુ છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ધનંજય મુંડેનુ રાજીનામું મંજૂર કરી દીધુ છે. મુંડેના રાજીનામાને પગલે, મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. વિપક્ષને સરકારને ભીસમાં લેવાનો વધુ એક મોકો મળ્યો છે.

g clip-path="url(#clip0_868_265)">