ખેડૂત
દેશની મોટા ભાગની અર્થવ્યવસ્થા કૃષિ પર નિર્ભર છે. ખેડૂત એટલે કૃષિ સાથે સંકળાયેલી વ્યક્તિ. ખેતરના પાક, બગાયતી પાક સહિતના પાકનો ઉછેર કરતા લોકોને ખેડૂત કહેવામાં આવે છે. ખેતીની જમીન ધરાવતા કે અન્ય લોકોના ખેતરમાં કામ કરતા લોકોને પણ ખેડૂત કહી શકાય છે. આ ઉપરાંત ખેડૂતને ધરતીપુત્ર, જગતનો તાત સહિતના અનેક નામોથી બિરાદાવવામાં આવે છે.
Breaking News: ડુંગળીના ખેડૂતો માટે સરકારનો મોટો નિર્ણય, હવે ₹12.35 પ્રતિ કિલોના દરે ડુંગળીની ખરીદી શરૂ કરશે NAFED
મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ડુંગળી વેચનારા ખેડૂતોને મોટુ નુકસાન સહન કરવુ પડી રહ્યુ છે. એવામાં કેન્દ્ર સરકારે ખેડૂતોને મોટી રાહત આપી છે. કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહે ઘોષણા કરી છે કે નાફેડ (NAFED) દ્વારા ₹12.35 રૂપિયે પ્રતિ કિલોના દરે ડુંગળીની ખરીદી શરૂ કરવામાં આવશે.
- Mina Pandya
- Updated on: May 15, 2026
- 7:21 pm
Breaking News : મોદી સરકારે કપાસ, તુવેર, મગ, બાજરી સહીત ખરીફ પાકના ટેકાના ભાવ વધાર્યા, સરખેજથી ધોલેરા સેમી-હાઈ સ્પીડ ડબલ લાઇન રેલવે ટ્રેકને આપી મંજૂરી
કેન્દ્રીય કેબિનેટે, ખરીફ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP)માં વધારો કર્યો છે. આ હેતુ માટે રૂપિયા 260,000 કરોડની રકમ મંજૂર કરવામાં આવી છે. આજે 13મી મે બુધવારે યોજાયેલી કેબિનેટ બેઠક દરમિયાન આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ગુજરાત માટે સરખેજથી ધોલેરા સુધી સેમી-હાઈ સ્પીડ ડબલ લાઇન રેલવે ટ્રેકને મંજૂરી આપવામાં આવી છે.
- Bipin Prajapati
- Updated on: May 13, 2026
- 4:51 pm
Breaking News : ધોરાજી બન્યું ‘મિની આબુ’, ગાઢ ધુમ્મસની સફેદ ચાદર વચ્ચે હિલ સ્ટેશન જેવો નજારો! જુઓ Video
ધોરાજી પંથકમાં ગાઢ ધુમ્મસ છવાતા વાહનચાલકોને મુશ્કેલી પડી, પણ સ્થાનિકોએ હિલ સ્ટેશન જેવો નજારો માણ્યો. લોકોએ આહલાદક વાતાવરણનો આનંદ માણ્યો, પરંતુ કમોસમી વરસાદ બાદ આ ધુમ્મસ ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે. રવિ પાકોમાં જીવાત અને રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે, જે ઉત્પાદન પર નકારાત્મક અસર કરી શકે છે.
- Hasmukh Ramani
- Updated on: May 9, 2026
- 9:28 am
Breaking News : ગુજરાતમાં કાળઝાળ ગરમી બાદ ક્યારે આવશે વરસાદ ? અંબાલાલ પટેલની આગાહી, જુઓ Video
અંબાલાલ પટેલના મતે 8 મે પછી ગુજરાતમાં કાળઝાળ ગરમી પડશે, જેમાં મધ્ય ગુજરાતમાં 45 ડિગ્રી સુધી તાપમાન પહોંચી શકે છે. 15 મે બાદ વાતાવરણમાં પલટો આવશે અને પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે, જેમાં આંધી-વંટોળ સાથે વરસાદની સંભાવના છે.
- Hasmukh Ramani
- Updated on: May 6, 2026
- 3:44 pm
Breaking News : ગુજરાતમાં કુદરતનો અણધાર્યો ‘ખેલ’, માવઠાથી ખેડૂતોની મહેનત પર ફરી વળ્યું પાણી! જુઓ Video
ગુજરાતના 15 તાલુકાઓમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. દાહોદના ફતેપુરામાં એક ઇંચ, જ્યારે ઝાલોદ અને સુખસરમાં અડધા ઇંચ વરસાદ નોંધાયો. મહીસાગર અને કચ્છના વિસ્તારો પણ પ્રભાવિત થયા છે. આ વરસાદથી પાકને ભારે નુકસાન થવાની ભીતિથી ખેડૂતો ચિંતામાં છે, અને કેટલાક સ્થળોએ કરા પણ પડ્યા છે.
- Hasmukh Ramani
- Updated on: May 6, 2026
- 10:07 am
ગુજરાતમાં આ વર્ષે મેઘરાજા મન મૂકીને વરસશે! વર્ષા વિજ્ઞાન તજજ્ઞોએ કરી 40 થી 50 ઈંચ વરસાદની આગાહી – જુઓ Video
ગુજરાતના ખેડૂતો અને સામાન્ય જનતા માટે વરસાદને લઈને રાહતના સમાચાર સામે આવ્યા છે. આ વર્ષે ચોમાસું કેવું રહેશે અને વરસાદ કેટલો પડશે? આને લઈને વર્ષા વિજ્ઞાન તજજ્ઞોએ પોતાનો વરતારો રજૂ કર્યો છે.
- TV9 Gujarati
- Updated on: May 1, 2026
- 3:31 pm
Breaking News : રાજકોટના ધોરાજીમાં કાળઝાળ ગરમી વચ્ચે પશુઓના પાણી અને ઘાસચારા માટે વલખાં, જુઓ Video
રાજકોટના ધોરાજીમાં કાળઝાળ ગરમીને કારણે પશુપાલકોની સ્થિતિ અત્યંત કફોડી બની છે. ચેકડેમ, તળાવ અને નદીઓ સુકાઈ ગયા છે, જ્યારે ઉપલબ્ધ પાણી દૂષિત છે. ઘાસચારાના ભાવ વધતા પશુઓને ખોરાક-પાણી માટે વલખા મારવા પડે છે, જેનાથી દૂધ ઉત્પાદન ઘટ્યું છે. પશુપાલકો સરકાર પાસે ડેમમાંથી પાણી છોડવાની માંગ કરી રહ્યા છે.
- Hasmukh Ramani
- Updated on: May 1, 2026
- 12:38 pm
Vastu Tips: મુખ્ય દરવાજા પાસે આ છોડ રાખશો તો વધી શકે છે મુશ્કેલીઓ!
મુખ્ય દરવાજા પાસે ખોટા છોડ રાખવાથી ઘરમાં નકારાત્મકતા વધે છે. વાસ્તુ મુજબ યોગ્ય પસંદગી કરવી જરૂરી છે.
- Nishat
- Updated on: Apr 29, 2026
- 2:38 pm
Breaking News : કેસર કેરીની ધમાકેદાર આવક, બજારમાં ભાવ પડ્યા કે વધ્યા ? જાણો સચોટ હકીકત ! જુઓ Video
જૂનાગઢના બજારોમાં ગીર કેસર કેરીની આવક વધી છે, જેમાં 10 હજાર બોક્સ પહોંચ્યા છે. હરાજીમાં ભાવ 700-1000 રૂપિયા રહ્યા છે, પરંતુ ખેડૂતો સંતોષ અને ચિંતા અનુભવે છે. સારી ઉપજ છતાં, ગત વર્ષ કરતાં ઉત્પાદન ઓછું હોવાથી તેમને અપેક્ષિત ભાવ મળતા નથી. વેપારીઓ ગુણવત્તા પ્રમાણે ભાવ નક્કી કરે છે. આવકમાં વધારા સાથે ભવિષ્યમાં ભાવ પર અસર થવાની શક્યતા છે.
- Hasmukh Ramani
- Updated on: Apr 27, 2026
- 11:41 am
ઝાંઝરડા ગામના ખેડૂતો ટીપી સ્કીમ-5 સામે આકરા પાણીએ, વાંધા અરજી રજૂ કરવા વધુ સમય આપવા કરી ઉગ્ર રજૂઆત- Video
જુનાગઢના ઝાંઝરડા ગામના ખેડૂતો ટીપી સ્કીમ- 5 સામે રોષે ભરાયા છે. તેમને વાંધા અરજી રજૂ કરવા માટે માત્ર 7 દિવસનો સમય ફાળવાતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે અને વધુ સમય આપવાની ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. ટીપી સ્કીમ 5 હેઠળ ખેડૂતોની 40 % જમીન કપાતમાં જઈ રહી છે.
- TV9 Gujarati
- Updated on: Apr 24, 2026
- 7:00 pm
ભર ઉનાળે વીજળીના કડાકા અને મીની વાવાઝોડું ! ખેડા જિલ્લામાં કુદરતની બેવડી માર, નડિયાદ-માતરમાં કમોસમી વરસાદથી ફફડાટ
ખેડા જિલ્લામાં અચાનક વાતાવરણ પલટાયું અને નડિયાદ સહિતના વિસ્તારોમાં મીની વાવાઝોડા સાથે કમોસમી વરસાદ તૂટી પડ્યો. હાઈવે પર વિઝીબિલિટી ઘટતા વાહનચાલકો અટવાયા.
- TV9 Gujarati
- Updated on: Apr 7, 2026
- 4:27 pm
PM કિસાન યોજનામાં સરકારે કર્યો મોટો ફેરફાર; હવે આ ‘સ્પેશિયલ કાર્ડ’ વગર 2000નો હપ્તો નહીં આવે !
શું તમારા ખાતામાં પીએમ કિસાનનો ૨૩મો હપ્તો આવશે? સરકારે રાતોરાત લીધેલા એક નિર્ણયે લાખો ખેડૂતોની ઊંઘ ઉડાવી દીધી છે! એક નાનકડી ભૂલ અને તમારા ૨૦૦૦ રૂપિયા કાયમ માટે અટકી શકે છે. શું છે એ નવો ફેરફાર જે ગુજરાત સહિત 14 રાજ્યોમાં લાગુ થયો છે?
- Dhruv Barot
- Updated on: Apr 5, 2026
- 9:03 am
Breaking News: સરકારનો મોટો નિર્ણય….ખેડૂતોને રાહત, કોન્ટ્રાક્ટરોને આફત ! જમીન અને રસ્તાઓ મામલે મુખ્યમંત્રીનો ઐતિહાસિક નિર્ણય
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે રાજ્યના વિકાસ અને ખેડૂતોની સુવિધા માટે બે અત્યંત મહત્વના નિર્ણયો લીધા છે. એક તરફ, જમીન વેચવાના કાયદામાં મોટો ફેરફાર કરીને હવે 10 ગુંઠા જેવી નાની જમીન ધરાવતા ખેડૂતો માટે પણ ખરીદ-વેચાણના દ્વાર ખોલી દીધા છે, જેનાથી હજારો લોકોને સીધો ફાયદો થશે.
- Ravi Prajapati
- Updated on: Apr 1, 2026
- 8:31 pm
Breaking News : ખેડૂતોને લોટરી લાગી ! 27 માર્ચથી ‘i-Khedut’ પોર્ટલ ખુલશે: ટ્રેક્ટરથી લઈને સ્માર્ટફોન સુધીની 148 યોજનાઓનો લાભ લેવા તૈયાર થઈ જાવ!
ગુજરાત સરકારનો મોટો ધડાકો! 27 માર્ચથી i-Khedut પોર્ટલ પર 148 યોજનાઓના દ્વાર ખુલશે. ટ્રેક્ટર, મોબાઈલ કે વાડ બનાવવા માટે સરકાર આપશે સહાય. આ તક ગુમાવવા જેવી નથી,
- Dhruv Barot
- Updated on: Mar 25, 2026
- 7:30 pm
Breaking News : ખેડૂતની કમાણી પર ફરી વળ્યું પાણી ! ડુંગળીનો પાક બગડતાં ખેડૂતો દેવામાં ડૂબ્યા, જુઓ Video
અમરેલી જિલ્લામાં ભારે પવન અને કમોસમી વરસાદે ખેડૂતોને કફોડી હાલતમાં મૂકી દીધા છે. ખાંભા, બગસરા, ધારી, ચલાલા સહિતના વિસ્તારોમાં , તલ, ચણા, બાજરી જેવા પાકોને વ્યાપક નુકસાન થયું છે. ખેડૂતો દર વર્ષે આવા માવઠાનો ભોગ બને છે, જેથી તેઓ સરકાર પાસે તાત્કાલિક સહાયની અપેક્ષા રાખી રહ્યા છે.
- Hasmukh Ramani
- Updated on: Mar 20, 2026
- 11:43 am