AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખેડૂત

ખેડૂત

દેશની મોટા ભાગની અર્થવ્યવસ્થા કૃષિ પર નિર્ભર છે. ખેડૂત એટલે કૃષિ સાથે સંકળાયેલી વ્યક્તિ. ખેતરના પાક, બગાયતી પાક સહિતના પાકનો ઉછેર કરતા લોકોને ખેડૂત કહેવામાં આવે છે. ખેતીની જમીન ધરાવતા કે અન્ય લોકોના ખેતરમાં કામ કરતા લોકોને પણ ખેડૂત કહી શકાય છે. આ ઉપરાંત ખેડૂતને ધરતીપુત્ર, જગતનો તાત સહિતના અનેક નામોથી બિરાદાવવામાં આવે છે.

 

Read More

આવતીકાલ 14 નવેમ્બરથી ખેડૂતો 10,000 કરોડના કૃષિ રાહત પેકેજનો લાભ લેવા ઓનલાઈન અરજી કરી શકશે

ગુજરાત સરકારે ગત મહિને જાહેર કરેલ કૃષિ રાહત પેકેજનો લાભ લેવા ઈચ્છતા ખેડૂતો માટે રાજ્ય સરકારે આવતીકાલ 14મી નવેમ્બરથી 15 દિવસ માટે ઓનલાઈન પોર્ટલ શરૂ કરશે. આ પોર્ટલ ઉપર અસરગ્રસ્ત વિસ્તારના ખેડૂતો તેમના ખેતરમાં માવઠાથી થયેલા નુકસાન અંગેનું વળતર મેળવવા માટે અરજી કરી શકશે.

2027માં ભાજપ સરકારનુ ફિંડલુ વળી જશે, દિલ્હીમાં ગુજરાતના પ્રધાનો નક્કી કરાય છેઃ AAP

ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારે ગત સપ્તાહે ખેડૂતો માટે જાહેર કરેલ 10,000 કરોડના રાહત પેકેજ બાદ, આજે ભાણવડ ખાતે આમ આદમી પાર્ટીનું ખેડૂત મહાસંમેલન યોજાયું હતું. આ મહાસંમેલનમાં, આમ આદમી પાર્ટીએ, ખેડૂતોના સંપૂર્ણ દેવામાફી અને પાક વીમા યોજના લાગુ કરવાની માંગણી કરી હતી.

ગુજરાતમાં આજથી ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબીનની કરાશે ખરીદી

ગુજરાતમાં ખરીફ પાકની ટેકાના ભાવે ખરીદી કરવા માટે, રાજ્યમાં કુલ વાવેતર વિસ્તાર અને કૃષિ ઉત્પાદનોને ધ્યાનમાં રાખીને મગફળી, મગ, અડદ અને સોયાબીન માટે 300થી વધુ ખરીદ કેન્દ્રો નક્કી કર્યા છે. આ ખરીદ કેન્દ્રો પરથી ખેડૂતો પાસેથી તેમના ખરીફ પાકની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.

09 નવેમ્બરના મહત્વના સમાચાર : ગુજરાત ATSએ ગાંધીનગરથી ઝડપેલા 3 આતંકીઓની પૂછપરછમાં મોટા હત્યાકાંડનો ખૂલાસો, રાઇઝિન નામનું ઝેર ખવડાવીને મોટા હત્યાકાંડને આપવાનો હતો પ્લાન, પાકિસ્તાન કનેક્શનનો પર્દાફાશ

Gujarat Live Updates આજ 09 નવેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

10,000 કરોડનું રાહત પેકેજ, બે હેકટરની મર્યાદામાં હેક્ટર દીઠ રૂ. 22,000 સહાય અપાશે, 251 તાલુકાના 16,500થી વધુ ગામોના ખેડૂતોને મળશે લાભ

ગુજરાત સરકારે ઓક્ટોબર મહિનામાં પડેલા ભારે વરસાદથી રાજ્યના હજ્જારો ખેડૂતોને પારાવાર નુકસાન થયું હતું. રાજ્યભરમાં મગફળી, કપાસ, ડાંગર સહિતના ખરીફ પાક અને બાગાયત ક્ષેત્રે થયેલા ભારે નુકસાનને ધ્યાને લઈને ગુજરાત સરકારે ખેડૂતો માટે રૂપિયા 10,000 કરોડનુ રાહત પેકેજ જાહેર કર્યું છે. જેનો લાભ 33 જિલ્લાના 251 તાલુકાના 16,500થી વઘુ ગામના ખેડૂતોને મળશે.

Breaking News : માવઠાએ ખૂવાર કરેલા ખેડૂતો માટે રાહતના સમાચાર, ભૂપેન્દ્ર પટેલ સરકારે જાહેર કર્યું 10,000 કરોડનુ રાહત પેકેજ – જુઓ Video

રાજ્ય સરકારે માવઠા અને પ્રાકૃતિક વિપત્તિના કારણે થયેલ પાક નુકસાનને ધ્યાનમાં રાખી ખેડૂતો માટે એક મોટું સહાય પેકેજ જાહેર કર્યું છે. વાત એમ છે કે, રાજ્યના ખેડૂતોને તાજેતરના કામોસમી વરસાદથી થયેલા પાક નુકસાન સામે અનુસંધાને 22 હજાર રૂપિયા પ્રતિ હેક્ટર, હેક્ટર દીઠ બે હેક્ટરની મર્યાદામાં સહાય રાજ્ય સરકાર આપશે.

ગુજરાતમાં 300 કેન્દ્રો ઉપર ખેડૂતો પાસેથી ખરીફ પાકની રૂપિયા 15,000 કરોડથી વધુની ટેકાના ભાવે ખરીદી કરાશે

ગુજરાત સરકારે જણાવ્યું છે કે, ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે મગફળીના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ રૂ. 480, અડદના ભાવમાં રૂ. 400 અને સોયાબીનના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ રૂ. 436 નોવધારો કરવામાં આવ્યો છે. ગયા વર્ષે મગફળીનો ટેકાનો ભાવ રૂ. 7263 પ્રતિ કિવ., મગનો ટેકાનો ભાવ રૂ. 8768 પ્રતિ કિવ., અડદનો ટેકનો ભાવ રૂ. 7800 પ્રતિ કિવ. અને સોયાબીનનો ટેકાનો ભાવ રૂ. 5328 પ્રતિ કિવ. ટેકાનો ભાવ જાહેર કરાયો હતો.

કોંગ્રેસનું જય સોમનાથ ! 6 નવેમ્બરથી શરુ કરશે કિસાન આક્રોશ યાત્રા, જુઓ વીડિયો

ઓક્ટોબરમાં પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે. આ નુકસાનને લઈને કોંગ્રેસે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફિની માંગ દોહરાવી છે. આ માંગને લઈને કોંગ્રેસ આવતીકાલ 6 નવેમ્બરથી કિસાન આક્રોશ યાત્રા શરૂ કરશે.

ગુજરાત સરકાર 9 નવેમ્બરથી ટેકાના ભાવે મગફળી, સોયાબીન, મગ, અડદ ખરીદશે

ગુજરાત સરકારના પ્રવકત્તા પ્રધાન અને કૃષિ પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા ટેકાના ભાવે જે ખરીદી કરવામાં આવશે તે, ભારત સરકારના ધારાધોરણ છે તે મુજબની ખરીદી કરવામાં આવશે. ગત વર્ષે કરતાં આવર્ષે 480 પ્રતિ ક્વિન્ટલ ભાવ વધારો કરવામાં આવ્યો છે. અડદમાં 400 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે.

APMC Market Rates : અમરેલી APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 6885 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ

ગુજરાતના વિવિધ APMCમાં તારીખ : 04-11-2025 ના રોજ જુદા જુદા પાકના ભાવ શુ રહ્યા તે જાણો. ગુજરાતના વિવિધ APMCમાં અલગ અલગ પાકના ભાવ શુ રહ્યાં તે ખેડૂતો જાણી શકશે.

મંત્રીઓ ખેતરમાં ફોટા પડાવવાનું નાટક બંધ કરે, હેક્ટર દીઠ 50 હજારની સહાય આપોઃ ગોપાલ ઈટાલિયા

વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ સરકારને વેધક સવાલ કરતા કહ્યું છે કે, ગુજરાતમાં ઉદ્યોગપતિનું કરોડો રૂપિયાનું દેવું માફ કરવામાં આવે છે ત્યારે કોઈ સર્વે કરવામાં આવતો નથી અને જ્યારે કુદરતની થપાટ ખાનારા ખેડૂતોને સહાય આપવાની વાત આવે છે તો શા માટે સરવેનું નાટક કરવામાં આવે છે તે સમજાતુ નથી.

CM ભૂપેન્દ્ર પટેલે માવઠાગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ કહ્યું- રાહત પેકેજ જાહેર કરીને ખેડૂતને નુકસાનીમાંથી ઝડપભેર બેઠા કરાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે, માવઠાગ્રસ્ત વિસ્તારના ધરતી પુત્રોને સધિયારો આપતા કહ્યું કે, સમગ્ર સરકાર તેમની સાથે પુરી સંવેદનાથી ઉભી છે અને ખેડૂતોને નુકસાનીમાંથી ઝડપભેર પૂર્વવત કરવાની પ્રતિબદ્ધતા સાથે કાર્યરત છે.

કડદા વિવાદ વચ્ચે જસદણ APMCનો મોટો નિર્ણય, વેપારીઓ અને એજન્ટોને કડદો ન કરવા તાકીદ, જો કરશે તો થશે કાર્યવાહી

રાજ્યભરમાં કડદા પ્રથાના વિવાદ વચ્ચે જસદણ એપીએમસી દ્વારા મોટો નિર્ણય કરાયો છે. વેપારીઓ અને એજન્ટોને કડદો ન કરવા તાકીદ કરાઈ છે. હરાજી સમયે જ યોગ્ય ભાગ નક્કી કરવા સૂચના આપવામાં આવી છે. હરાજી બાદ કડદો કરનાર સામે APMC કડક કાર્યવાહી કરે

ખેડૂતોની સમસ્યાને લઈને કોંગ્રેસ ગામ ગજવશે, 1 થી 13 નવેમ્બર સુધી કરશે આંદોલન

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે, આજે ગુજરાતના ખેડૂતોની હાલત ખૂબ દયનીય છે. કમોસમી વરસાદથી ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું છે.

રાજ્ય સરકારને ભારતીય કિસાન સંઘની ચેતવણી, ખેડૂતો રસ્તા પર ન ઉતરે તેની ચિંતા કરે સરકાર- Video

રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસોથી માવઠાનો માર સહન કરી રહેલા ખેડૂતો પાયમાલીના ગર્તામાં ધકેલાઈ ગયા છે. ત્યારે ભારતીય કિસાન સંઘે રાજ્ય સરકારને ચેતવ્યા છે કે ખેડૂતો રસ્તા પર ન ઉતરે તેવી પરિસ્થિતિ નિર્માણ ન પામે તેના માટે સરકાર ચિંતા કરે.

g clip-path="url(#clip0_868_265)">