AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખેડૂત

ખેડૂત

દેશની મોટા ભાગની અર્થવ્યવસ્થા કૃષિ પર નિર્ભર છે. ખેડૂત એટલે કૃષિ સાથે સંકળાયેલી વ્યક્તિ. ખેતરના પાક, બગાયતી પાક સહિતના પાકનો ઉછેર કરતા લોકોને ખેડૂત કહેવામાં આવે છે. ખેતીની જમીન ધરાવતા કે અન્ય લોકોના ખેતરમાં કામ કરતા લોકોને પણ ખેડૂત કહી શકાય છે. આ ઉપરાંત ખેડૂતને ધરતીપુત્ર, જગતનો તાત સહિતના અનેક નામોથી બિરાદાવવામાં આવે છે.

 

Read More

નવસારીમાં કમોસમી વરસાદ, બાગાયતી પાક કેરી-ચીકુમાં નુકસાનની ભીતિ, સાંભળો ખેડૂતોએ શું કહ્યું..

નવસારી જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. મરોલી અને વેસ્મા સહિતના વિસ્તારોમાં માવઠું પડતાં કેરી અને ચીકુ જેવા બાગાયતી પાકોને ભારે નુકસાનની ભીતિ છે.

Breaking News : ગુજરાત સહીત દેશભરના ખેડૂતો માટે સારા સમાચાર, નવા વર્ષે બેંક ખાતામાં આવી શકે છે મોટી રકમ

પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓ માટે નવુ વર્ષ 2026 લાભદાયી સાબિત થઈ શકે છે. મોદી સરકાર નવા વર્ષમાં ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવા જઈ રહી છે, જેના કારણે ગુજરાત સહીત દેશના અનેક ખેડૂતોને બેંક ખાતામાં મોટી રકમ જમા થઈ શકે છે.

કેરી રસિયાઓની મજા બગાડનારા સમાચાર, આ વર્ષે કેસર મોડી ખાવા મળે તેવી આશંકા- જુઓ Video

ગીરની પ્રખ્યાત કેસર કેરીના પાક પર સંકટના વાદળો ઘેરાયા છે. સામાન્ય રીતે ડિસેમ્બરમાં મોર આવવાની જગ્યાઓએ માત્ર 10-15 ટકા બગીચામાં જ આંબામાં મોર જોવા મળ્યો છે. જેના કારણે કેરીનો ફલ મોડો આવવાની ભીતિ સેવાઈ રહી છે.

રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ, અધિકારીની દાદાગીરી કેમેરામાં થઈ કેદ

રાજકોટમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ થયો. ખેડૂતોએ ખરીદ કેન્દ્રના મજૂરો પર ગંભીર આરોપ લગાવ્યા. મજૂરો ગુણી દીઠ 5 રૂપિયા વસુલતા હોવાનો આરોપ ખેડૂતોએ લગાવ્યો.

ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, ખેતીનો ખર્ચ પણ ન નીકળે તેવી સ્થિતિ, જુઓ Video

ખેડૂતો હાલ ભારે મુશ્કેલીભરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. એક તરફ બિનમોસમી વરસાદે પાકને નુકસાન પહોંચાડ્યું છે, તો બીજી તરફ બજારમાં યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોની આર્થિક સ્થિતિ વધુ બગડી છે. રાજકોટ જિલ્લાના ધોરાજી વિસ્તારના ડુંગળી ઉગાવતા ખેડૂતો માટે હાલની સ્થિતિ સૌથી વધુ ચિંતાજનક બની છે.

સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા ઉત્પાદન ખર્ચ માથે પડ્યો, રડતા રડતા જણાવી વ્યથા- VIDEO

રાજ્યના ખેડૂતોની ચારે બાજુથી જાણે માઠી દશા બેઠી છે. પહેલા માવઠાએ વિનાશ વેર્યો અને ખેડૂતોનો પાક બરબાદ થઈ ગયો. તો હવે ખેડૂતોને ડુંગળીના પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા. તો માર્કેટ યાર્ડમાં પણ ડુંગળીની આવક પર ત્રણ દિવસ માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આથી ખેડૂતો આગામી ત્રણ દિવસ ડુંગળીનું વેચાણ કરી શકશે નહીં.

ગુજરાતમાં તુવેર MSP ખરીદી: 22 ડિસેમ્બરથી નોંધણી શરૂ, 8000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ

ગુજરાત સરકાર ટૂંક સમયમાં ટેકાના ભાવે તુવેરની ખરીદી શરૂ કરશે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે આ નિર્ણય લેવાયો છે. 22 ડિસેમ્બરથી 21 જાન્યુઆરી સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકાશે, જેના માટે 8000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો ભાવ જાહેર કરાયો છે.

PM કિસાન યોજનાનો લાભ ડબલ થશે? સરકાર દ્વારા સંસદમાં અપાયો સત્તાવાર જવાબ

ફેબ્રુઆરી 2019થી અમલમાં આવેલી PM કિસાન સન્માન નિધિ યોજના ખેડૂતોને સીધી નાણાકીય મદદ પહોંચાડવાનો મહત્વપૂર્ણ પ્રયાસ માનવામાં આવે છે. ખેતીલાયક જમીન ધરાવતા ખેડૂતોને વાર્ષિક ₹6,000ની સહાય આપતી આ યોજના હાલમાં દેશભરના લાખો ખેડૂતો માટે આધારસ્તંભ બની રહી છે.

ટ્રેડ ડીલ પર ભારતની મોટી ચાલ ! India-USA સોદો બની શકે છે ‘ગેમચેન્જર’, કૃષિ ક્ષેત્રને મળશે ‘મજબૂત ટેકો’

ભારત-અમેરિકા વેપાર વાટાઘાટોમાં મોટી સફળતાની આશા છે. આનાથી ખેડૂતોને રાહત મળવાની અપેક્ષા છે અને ભારતને પણ અમેરિકન બજારમાં સારી પહોંચનો ફાયદો થશે.

પહેલા માવઠાનો માર, હવે અપૂરતા ખાતરે કારણે જગતનો તાત પરેશાન, કેવી રીતે લેવો રવિ પાક?- Video

ખાતરની અછતથી ખેડૂતો છે ખુબ જ પરેશાન ગીરસોમનાથમાં વહેલી સવારથી જ ખેડૂતો લાઇનમાં લાગી જાય છે. છતા જોઇએ તેટલું ખાતર નથી મળી રહ્યું. ના કારણે ખેડૂતની ચિંતા વધી ગઇ છે. હાલ ઘઉં સહિતના પાક માટે ખાતર ખુબ જ જરૂરી છે. ત્યારે ખાતર ના મળતા ધરતીપુત્રોની મુશ્કેલી વધી ગઇ છે.

સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી, 5 હજાર ખેડૂતોને ચુકવાયા 11 કરોડ 27 લાખ- Video

સુરત જિલ્લામાં ઓક્ટોબરમાં થયેલા માવઠાને કારણે પાકને થયેલા નુકસાન બદલ સરકારે ઝડપી સહાય ચૂકવી છે. માત્ર 10 દિવસમાં 5,589 ખેડૂતોને ₹11.27 કરોડની સહાય સીધી ખાતામાં જમા કરવામાં આવી છે.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો, પોરબંદર, દ્વારકાના ખેડૂત મુદ્દે શક્તિસિંહે સરકારને ઘેરી- જુઓ Video

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો રાજ્યસભામાં ગુંજ્યો હતો. કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે શૂન્યકાળમાં આ મુદ્દો ઉઠાવતા જણાવ્યું  કે દિવાળી પછીના વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે.

માવઠાથી નુકસાન સામે 3.39 લાખથી વધુ ખેડૂતોને 1098 કરોડથી વધુની સહાય ચૂકવાઈ

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામા આજે યોજાયેલ કેબેનિટની બેઠકમાં ખેડૂતોને માટે જાહેર કરાયેલ રાહત પેકેજની કાર્યવાહીની સમિક્ષા હાથ ધરાઈ હતી. આ પેકેજ હેઠળ સહાય મેળવવા માટે ગામના VCE અને  VLE મારફત હજુ પણ અરજી પ્રક્રિયા ચાલી રહી છે, જે આગામી તા. 5 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે.

PM Kisan Yojana: ખેડૂતો માટે મોટી ખુશખબર ! 6,000 થી વધીને 9,000 રૂપિયા થઈ શકે છે સન્માન નિધિ..

કેન્દ્ર સરકાર આગામી બજેટમાં પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોની નાણાકીય સહાય ₹6,000 થી વધારીને ₹9,000 કરવાની તૈયારીમાં છે. વધતા કૃષિ ખર્ચ અને મોંઘવારી સામે લડવા માટે આ પગલું નાના અને સીમાંત ખેડૂતો માટે મોટી રાહત સાબિત થશે.

આ જિલ્લાઓમાં બગીચામાંથી એકાએક વધ્યા ફળોની ચોરીના કિસ્સા, ખેડૂતોની મહેનતને ચોરી જતા તસ્કરો

રાજ્યમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે, જ્યાં લૂંટારાઓનું નવું લક્ષ્ય છે. સોના કે ચાંદી નહીં, પ્રિય ફળફળાદીની ચોરીના રવાડે ચડ્યા છે અનેક જિલ્લાઓમાં ખેડૂતોએ તેમના બગીચાઓમાંથી હજારો કિલોગ્રામ કિંમતી ઉત્પાદન ચોરાઈ જતા ખેડૂતો હતાશ થઈ ગયા છે.

g clip-path="url(#clip0_868_265)">