ખેડૂત
દેશની મોટા ભાગની અર્થવ્યવસ્થા કૃષિ પર નિર્ભર છે. ખેડૂત એટલે કૃષિ સાથે સંકળાયેલી વ્યક્તિ. ખેતરના પાક, બગાયતી પાક સહિતના પાકનો ઉછેર કરતા લોકોને ખેડૂત કહેવામાં આવે છે. ખેતીની જમીન ધરાવતા કે અન્ય લોકોના ખેતરમાં કામ કરતા લોકોને પણ ખેડૂત કહી શકાય છે. આ ઉપરાંત ખેડૂતને ધરતીપુત્ર, જગતનો તાત સહિતના અનેક નામોથી બિરાદાવવામાં આવે છે.
Read More
Breaking News: રાજકોટ-ગોંડલમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ, મેઘમહેર થતાં સુકાતા પાકને મળ્યું ‘જીવનદાન’ – જુઓ Video
લાંબા વિરામ બાદ રાજકોટ શહેરમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. ગોંડલમાં પણ મેઘરાજાની એન્ટ્રીથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. આ વરસાદથી લોકોને ઉકળાટ અને ગરમીથી રાહત મળી છે, સાથે જ ખેડૂતોના ઊભા પાકને પણ જીવનદાન મળ્યું છે. જો કે, રાજકોટવાસીઓ હજુ વધુ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે.
- Ravi Prajapati
- Updated on: Sep 14, 2026
- 4:55 pm
Breaking News : તાપી જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ કરી એન્ટ્રી, ઉકાઈમાં 11 ઈંચથી વધુ વરસાદ; સુકાતા પાકને મળ્યું નવજીવન ! જુઓ Video
તાપી જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાએ એન્ટ્રી કરી છે. જિલ્લામાં રાત્રિ દરમિયાન સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને ઉકાઈમાં સૌથી વધુ 11 ઈંચથી વધુ વરસાદ ખાબકતાં જળાશય અને ખેતી આધારિત વિસ્તારોમાં વરસાદની અસર જોવા મળી હતી.
- Dhruval Shah
- Updated on: Sep 13, 2026
- 12:30 pm
વડોદરામાં વરસાદ ખેંચાતા ખરીફ પાકો નિષ્ફળ જવાની ભીતિ, પાક બચાવવા કેનાલમાંથી પાણી છોડવાની ઉઠી માગ- Video
વડોદરા જિલ્લામાં વરસાદ ખેંચાવાને કારણે કપાસ ડાંગર અને સોયાબીન જેવા ખરીફ પાકોમાં ખેડૂતોને નુકસાની જઈ શકે છે. જ્યાં કૂલ 1.72 લાખ હેક્ટરમાં વાવેતર થયુ છે ત્યાં આગામી દિવસોમાં જે વરસાદ નહીં આવે તો 5,273 હેક્ટરમાં વાવેલા પાકને ભારે નુકસાન જઈ શકે છે.
- TV9 Gujarati
- Updated on: Sep 11, 2026
- 7:56 pm
Bhavnagar Breaking News : ભાવનગરમાં મેઘમહેર, બગદાણામાં ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર! જુઓ Video
ભાવનગર જિલ્લામાં વરસાદની રાહ જોઈ રહેલા લોકો અને ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. બગદાણા વિસ્તારમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. વરસાદ થતાં લોકો અને ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે.
- Dhruval Shah
- Updated on: Sep 11, 2026
- 1:40 pm
મોરબી APMC માં ચૂંટણીને લઈને મોટો ઉલટફેર, વર્ષોથી દબદબો ધરાવતી સહકારી પેનલની કારમી હાર
મોરબી APMC ની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આ ચૂંટણીના પરિણામોમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. આ વખતે વર્ષોથી દબદબો ધરાવતી અને APMC પર મજબૂત પકડ ધરાવતી સહકારી પેનલની કારમી હાર થઈ છે અને કોંગ્રેસ પ્રેરિત પરિવર્તન પેનલે બાજી મારી છે.
- TV9 Gujarati
- Updated on: Sep 10, 2026
- 7:39 pm
ખેડૂતો માટે મહત્વના સમાચાર : મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટે 10 સપ્ટેમ્બરથી નોંધણી
ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે. ખેડૂતો ઈ-ગ્રામ કેન્દ્રો પર વિનામૂલ્યે નોંધણી કરાવી શકશે. આ ઉપરાંત ખેડૂતો પોતાની સુવિધા મુજબ સ્માર્ટફોન અને 'ફાર્મર રજીસ્ટ્રી ગુજરાત' મોબાઈલ એપ મારફતે પણ જાતે નોંધણી કરી શકશે.
- Bipin Prajapati
- Updated on: Sep 9, 2026
- 8:42 pm
Breaking News : ગુજરાતમાં વરસાદ ખેંચાતા, ખેડૂતોને હવેથી 8ને બદલે 10 કલાક વીજળી અપાશેઃ ઊર્જા પ્રધાને કરી જાહેરાત
વરસાદની અછતના કારણે માત્ર ખેતી જ નહીં પરંતુ પશુપાલન ક્ષેત્ર પર પણ અસર પડી રહી છે. કેટલાક વિસ્તારોમાં ઘાસચારાની અછતની સ્થિતિ ઊભી થઈ છે. ઉર્જા મંત્રીએ જણાવ્યું કે, ઘાસચારાની અછતની સ્થિતિને પહોંચી વળવા માટે પણ સરકાર દ્વારા પગલાં લેવામાં આવ્યા છે.
- TV9 Gujarati
- Updated on: Sep 9, 2026
- 3:52 pm
Breaking News : મોંઘવારી, પેપર લીક, રોજગારી, દુષ્કાળ જાહેર કરવાની માંગ સાથે કોંગ્રેસના જન આક્રોશ ધરણા
ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે કોંગ્રેસના જન આક્રોશ ધરણા જોવા મળી રહ્યા છે.મોંઘવારી, પેપર લીક, રોજગારી, દુષ્કાળ જાહેર કરવાની માંગ સાથે ધરણા પર બેઠા છે.ધરણાને પગલે સત્યાગ્રહ છાવણી ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
- Nirupa Duva
- Updated on: Sep 9, 2026
- 1:12 pm
કમરતોડ મહેનત કરી વાવેલા પાકને ખેડૂતોએ કરી દીધો પશુઓના હવાલે, વરસાદ ખેંચાતા ધરતીપુત્રોની હાલત થઈ કફોડી- Video
રાજ્યમાં છેલ્લા દોઢ મહિનાથી વરસાદ ખેંચાયો છે. અમરેલી જિલ્લામાં જૂલાઈ મહિનામાં સારો વરસાદ વરસ્યા બાદ ઓગસ્ટ મહિનો કોરોકટ્ટ રહ્યો છે. જેના પરિણામે ખેડૂતોની હાલત કફોડી બની છે.
- Mina Pandya
- Updated on: Sep 6, 2026
- 9:25 pm
Breaking News : ગુજરાતમાં મેઘરાજા રિસાયા, દ્વારકા સૌથી વધુ પ્રભાવિત, પોરબંદરની સ્થિતિ પણ ગંભીર ! જુઓ Video
ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની ઘટ છે. સૌથી વધુ વરસાદની ઘટ દેવભૂમિ દ્વારકામાં 88 ટકા છે. દ્વારકામાં હજી સુધી સીઝનનો માત્ર 6.81% જ વરસાદ વરસ્યો છે. પોરબંદર જિલ્લામાં પણ વરસાદની ધટ છે 73% પર ધટ પહોંચી છે. પોરબંદરમાં હજી સુધી 18 ટકા જ વરસાદ વરસ્યો છે.
- TV9 Gujarati
- Updated on: Sep 6, 2026
- 11:12 am
ખંભાળિયા તાલુકાના પશુપાલકો ઘાસચારા માટે ધક્કા ખાવા મજબુર, કલાકો સુધી કતારોમાં ઉભા રહ્યા બાદ નથી મળતો ચારો- Video
ખંભાળિયા તાલુકાના પશુપાલકોએ ઘાસચારો મેળવવા માટે ઘાસ ગોડાઉન ખાતે વહેલી સવારથી પહોંચ્યા હતા. આ પશુપાલકોને નોંમના દિવસે ઘાસચારો આપશે તેમ કહેવામાં આવ્યુ હતુ. ત્યારે 70 થી વધુ ગામોના પશુપાલકો ઘાસચારા માટે ઉમટ્યા હતા પરંતુ કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા બાદ ધક્કો ખાઈને ઘાસચારા વિના જ પરત ફરવુ પડ્યુ હતુ,
- TV9 Gujarati
- Updated on: Sep 5, 2026
- 9:20 pm
વાવ-થરાદ: છ મહિનાથી કેનાલમાં પાણી ન છોડાતા ખેડૂતોએ નાયબ કલેક્ટરને આપ્યુ આવેદનપત્ર- Video
વાવ થરાદમાં કેનાલમાં પાણી છોડવાની માગને લઈને ખેડૂતોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ છે. ખેડૂતો છેલ્લા 6 મહિનાથી પાણી છોડવાની માગ કરી રહ્યા છે. પરંતુ કેનાલનું સમારકામ લાંબા સમયથી અધૂરું હોવાથી પાણી છોડવામાં આવી રહ્યુ નથી.
- TV9 Gujarati
- Updated on: Sep 5, 2026
- 8:24 pm
ભાવનગરમાં વરસાદ ખેંચાતા જગતનો તાત ચિંતાતુર, સિંચાઈ માટે પાણી આપવા સરકાર તરફ દોડાવી નજર- Video
છેલ્લા દોઢ મહિનાથી વરસાદ ખેંચાતા ધરતીપુત્રોની ચિંતા વધી છે. ખેડૂતોએ વાવણી તો કરી દીધી પરંતુ પુરતી પિયત ન મળવાને કારણે કપાસ, મગફળી, જુવાર, બાજરી સહિતના પાકો પર પર નુકસાનીનું જોખમ તોળાઈ રહ્યુ છે. વરરસાદ હોય જે કપાસ પાંચ ફુટે પહોંચી જતો હોય છે તેની વૃદ્ધિ હાલ અડધા ફુટે જઈને અટકી ગઈ છે ત્યારે ખેડૂતો કહી રહ્યા છે કે પાણી વિના કંઈ જ વળે તેમ નથી.
- TV9 Gujarati
- Updated on: Sep 3, 2026
- 4:16 pm
દ્વારકા જિલ્લાના ખેડૂતોએ ખેતરમાં હવન કરી સરકારે જગાડવા કર્યો પ્રયાસ, જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગ
દ્વારકા જિલ્લાના ખેડૂતો પાણીની અછત, નિષ્ફળ પાક અને ઘાસચારાની તંગીથી પીડાઈ રહ્યા છે. સરકારે જગાડવા તેમણે ખેતરમાં હવન કરી દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગ કરી.
- TV9 Gujarati
- Updated on: Sep 1, 2026
- 4:51 pm
Breaking News : ગુજરાતના ખેડૂતોને રાહત, કૃષિ સાધનો ખરીદીની સમયમર્યાદામાં કરાયો વધારો
ગુજરાત સરકારે ખેડૂતોને કૃષિ સાધનો ખરીદવા માટે મુખ્યમંત્રી યાંત્રિકરણ યોજના હેઠળ 15 દિવસની વધારાની મુદત આપી છે. ખેડૂતો, ધારાસભ્યો અને સાંસદોની રજૂઆતો બાદ આ ખેડૂતલક્ષી નિર્ણય લેવાયો છે.
- Sagar Solanki
- Updated on: Aug 29, 2026
- 6:10 pm