ખેડૂત
દેશની મોટા ભાગની અર્થવ્યવસ્થા કૃષિ પર નિર્ભર છે. ખેડૂત એટલે કૃષિ સાથે સંકળાયેલી વ્યક્તિ. ખેતરના પાક, બગાયતી પાક સહિતના પાકનો ઉછેર કરતા લોકોને ખેડૂત કહેવામાં આવે છે. ખેતીની જમીન ધરાવતા કે અન્ય લોકોના ખેતરમાં કામ કરતા લોકોને પણ ખેડૂત કહી શકાય છે. આ ઉપરાંત ખેડૂતને ધરતીપુત્ર, જગતનો તાત સહિતના અનેક નામોથી બિરાદાવવામાં આવે છે.
PM કિસાન યોજનામાં સરકારે કર્યો મોટો ફેરફાર; હવે આ ‘સ્પેશિયલ કાર્ડ’ વગર 2000નો હપ્તો નહીં આવે !
શું તમારા ખાતામાં પીએમ કિસાનનો ૨૩મો હપ્તો આવશે? સરકારે રાતોરાત લીધેલા એક નિર્ણયે લાખો ખેડૂતોની ઊંઘ ઉડાવી દીધી છે! એક નાનકડી ભૂલ અને તમારા ૨૦૦૦ રૂપિયા કાયમ માટે અટકી શકે છે. શું છે એ નવો ફેરફાર જે ગુજરાત સહિત 14 રાજ્યોમાં લાગુ થયો છે?
- Dhruv Barot
- Updated on: Apr 5, 2026
- 9:03 am
Breaking News: સરકારનો મોટો નિર્ણય….ખેડૂતોને રાહત, કોન્ટ્રાક્ટરોને આફત ! જમીન અને રસ્તાઓ મામલે મુખ્યમંત્રીનો ઐતિહાસિક નિર્ણય
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે રાજ્યના વિકાસ અને ખેડૂતોની સુવિધા માટે બે અત્યંત મહત્વના નિર્ણયો લીધા છે. એક તરફ, જમીન વેચવાના કાયદામાં મોટો ફેરફાર કરીને હવે 10 ગુંઠા જેવી નાની જમીન ધરાવતા ખેડૂતો માટે પણ ખરીદ-વેચાણના દ્વાર ખોલી દીધા છે, જેનાથી હજારો લોકોને સીધો ફાયદો થશે.
- Ravi Prajapati
- Updated on: Apr 1, 2026
- 8:31 pm
Breaking News : ખેડૂતોને લોટરી લાગી ! 27 માર્ચથી ‘i-Khedut’ પોર્ટલ ખુલશે: ટ્રેક્ટરથી લઈને સ્માર્ટફોન સુધીની 148 યોજનાઓનો લાભ લેવા તૈયાર થઈ જાવ!
ગુજરાત સરકારનો મોટો ધડાકો! 27 માર્ચથી i-Khedut પોર્ટલ પર 148 યોજનાઓના દ્વાર ખુલશે. ટ્રેક્ટર, મોબાઈલ કે વાડ બનાવવા માટે સરકાર આપશે સહાય. આ તક ગુમાવવા જેવી નથી,
- Dhruv Barot
- Updated on: Mar 25, 2026
- 7:30 pm
Breaking News : ખેડૂતની કમાણી પર ફરી વળ્યું પાણી ! ડુંગળીનો પાક બગડતાં ખેડૂતો દેવામાં ડૂબ્યા, જુઓ Video
અમરેલી જિલ્લામાં ભારે પવન અને કમોસમી વરસાદે ખેડૂતોને કફોડી હાલતમાં મૂકી દીધા છે. ખાંભા, બગસરા, ધારી, ચલાલા સહિતના વિસ્તારોમાં , તલ, ચણા, બાજરી જેવા પાકોને વ્યાપક નુકસાન થયું છે. ખેડૂતો દર વર્ષે આવા માવઠાનો ભોગ બને છે, જેથી તેઓ સરકાર પાસે તાત્કાલિક સહાયની અપેક્ષા રાખી રહ્યા છે.
- Hasmukh Ramani
- Updated on: Mar 20, 2026
- 11:43 am
દ્વારકામાં અચાનક તેજ પવન ફુંકાતા બીચ પર ઉડવા લાગી રાઈડ્સ તો ધરતીપુત્રોમાં ઘેરાયા ચિંતાના વાદળો, તૈયાર પાકને બચાવવા મુકી દોટ- Video
માવઠાએ ફરીએકવાર રાજ્યના ખેડૂતોની ચિંતા વધારી છે. ફરી એકવાર ભર ઉનાળે કમોસમી વરસાદ થતા ધરતી પુત્રો ચિંતામાં મુકાયા છે. રાજ્યના મોટાભાગમાં જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમા દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો છે.
- TV9 Gujarati
- Updated on: Mar 19, 2026
- 6:21 pm
Breaking News : માવઠાનો માર, અમરેલીના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યું પાણી! જુઓ Video
અમરેલી જિલ્લાના વડીયા અને બગસરા પંથકમાં કમોસમી વરસાદ અને કરા પડ્યા છે. હવામાન વિભાગની આગાહી બાદ ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. ઉનાળુ પાક અને ખાસ કરીને કેરીના પાકને વ્યાપક નુકસાન થવાનો ભય સેવાઈ રહ્યો છે, જેનાથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે.
- Hasmukh Ramani
- Updated on: Mar 19, 2026
- 10:05 am
વિરમગામના ખેડૂતોનો વિધાનસભા બહાર વિરોધ, બિલ્ડર સાથે મિલીભગતનો આક્ષેપ – જુઓ Video
વિરમગામ તાલુકાના ખેડૂતો આજે પોતાની ખેતીની જમીન બચાવવા માટે ન્યાયની આશા સાથે ગાંધીનગર વિધાનસભા પહોંચ્યા હતા. 60થી વધુ ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે, તેમની 35 વિઘા જેટલી વારસાઈ જમીનમાંથી બિલ્ડરો સાથે મિલીભગત કરી ગેરકાયદેસર રીતે રસ્તો કાઢવામાં આવી રહ્યો છે.
- TV9 Gujarati
- Updated on: Mar 18, 2026
- 5:26 pm
Rent A Tree: આ ગરમીની સીઝનમાં કેરીનું વૃક્ષ ભાડે લો અને ઘરે બેઠા જ મેળવો 90-100 કિલો કેરી!
કોચીમાં સ્થિત સ્ટાર્ટઅપ ‘Rent A Tree’ ગરમીમાં કેરીના પ્રેમીઓ માટે અનોખી સેવા લાવી છે, જેમાં તમે કેરીનું વૃક્ષ ભાડે લઈ તેની સંપૂર્ણ ઉપજ 90 કિ.ગ્રા. સુધી સીધી ઘરે મેળવી શકો છો.
- Nishat
- Updated on: Mar 18, 2026
- 1:28 pm
Breaking News : કેરી રસિકો માટે ખુશખબર ! ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કેસરી કેરીના 200 બોક્સની આવક, જાણો કેટલો રહેશે ભાવ
સૌરાષ્ટ્રના અગ્રીમ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનું વહેલું આગમન થયું છે. પ્રથમ દિવસે 200 બોક્સની આવક નોંધાઈ, જેના મુહૂર્તના બોક્સ રૂ. 2500 થી રૂ. 5500માં વેચાયા. કિલોદીઠ ભાવ રૂ. 251 થી રૂ. 551 રહ્યા. આ વર્ષે કેરી 8 દિવસ વહેલી આવતા સારા ઉત્પાદનની આશા છે. આગામી સમયમાં આવક વધશે.
- Hasmukh Ramani
- Updated on: Mar 18, 2026
- 8:04 am
રાજ્યમાં ભરઉનાળે વાતાવરણમાં આવશે પલટો, 18 થી 20 માર્ચ દરમિયાન વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી- Video
છેલ્લા કેટલાક વર્ષોથી કમોસમી ઋતુઓની પેટર્ન બદલાઈ છે. જેના કારણે કોઈપણ ઋતુ દરમિયાન અચાનક પલટો આવી જાય છે. આ વર્ષે પણ ભર ઉનાળે વાતાવરણમાં પલટો આવી શકે છે. આગામી બે દિવસ રાજ્યમાં વાદળ છાયુ વાતાવરણ સાથે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
- TV9 Gujarati
- Updated on: Mar 16, 2026
- 5:52 pm
ગુજરાતના ખેડૂતો પર યુદ્ધની માઠી અસરો દેખાવાનું શરૂ, ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા તૂટ્યા ભાવ
ખાડી દેશોમાં ચાલી રહેલી યુદ્ધની અસરો હવે ગુજરાતના ખેડૂતો પર પણ દેખાવાની શરૂ થઈ ગઈ છે. બનાસકાંઠાથી મોટા પાયે બટાટાની ખાડી દેશોમાં નિકાસ કરવામાં આવે છે. હાલની તણાવપૂર્ણ સ્થિતિને કારણે આ નિકાસ અટકી ગઈ છે, જેના કારણે બટાટાના ભાવ સાવ તળિયે ગયા છે અને ખેડૂતોને મજૂરીનો ખર્ચ પણ નથી નીકળી રહ્યો.
- TV9 Gujarati
- Updated on: Mar 10, 2026
- 4:48 pm
PM-Kisan 22nd Installment: હવે રાહ જોવાનો સમય થયો પૂરો ! ખેડૂત ભાઈઓ નવો હપ્તો મેળવવા માટે પતાવી લેજો આ કામ
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજના સમગ્ર ભારતમાં નાના અને સીમાંત ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડે છે. આ યોજના હેઠળ, લાયક ખેડૂતોને કેન્દ્ર સરકાર તરફથી વાર્ષિક ₹6,000 મળે છે. આ રકમ ₹2,000 ના ત્રણ સમાન હપ્તામાં આપવામાં આવે છે.
- Devankashi rana
- Updated on: Mar 10, 2026
- 8:42 am
Iran-Israel War Impact : યુદ્ધની આગમાં હોમાશે ભારતની ખેતી ? ઈરાન સંકટને કારણે ખાતરના ભાવમાં જબરદસ્ત ઉછાળો
પશ્ચિમ એશિયામાં વધી રહેલા સૈન્ય તણાવ અને ઈરાન યુદ્ધની સીધી અસર હવે ખેતીવાડી પર જોવા મળી રહી છે. ખાતરના ઉત્પાદન માટે જરૂરી ગેસ અને સપ્લાય રૂટ પ્રભાવિત થતા યુરિયા સહિતના ખાતરો મોંઘા થયા છે.
- Sachin Agrawal
- Updated on: Mar 8, 2026
- 7:12 pm
1 એપ્રિલથી નહીં, આજથી જ યુવા સાથીયોના ખાતામાં આવશે પૈસા, ચૂંટણી પહેલા મમતા બેનર્જી નું એલાન
પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીની ઘોષણા પહેલા મમતા બેનર્જીએ મોટું એલાન કર્યું. મમતા બેનર્જીએ આજેથી બે યોજનાઓને શરૂ કરી દીધી છે. મમતા બેનર્જીએ કહ્યું કે કેન્દ્ર સરકાર બંગાળને બદનામ કરવાની કોશિશ કરી રહી છે. કારણ કે અમારું રાજ્ય સ્કીમ આપવામાં નંબર 1 છે.
- TV9 Gujarati
- Updated on: Mar 7, 2026
- 4:51 pm
Breaking News : ખેડૂતોને ડુંગળીએ રાતા પાણીએ રોવડાવ્યા! જુઓ Video
ભાવનગર સહિત રાજ્યભરના ડુંગળી પકવતા ખેડૂતો કમોસમી વરસાદ અને ભાવ તળિયે બેસી જવાના કારણે મોટા નુકસાનનો સામનો કરી રહ્યા છે. ખેડૂતોને એક મણના 75 થી 150 રૂપિયા જ મળતા હોવાથી ખેતીનો ખર્ચ પણ માંડ નીકળે છે. તેઓ સરકાર પાસેથી ટેકાના ભાવ અને નિકાસ ડ્યુટીમાં ઘટાડાની માંગ કરી રહ્યા છે. વેપારીઓ પણ ઓછી માંગ અને ખરાબ ગુણવત્તાને ભાવ ઘટાડાનું કારણ ગણાવે છે.
- Hasmukh Ramani
- Updated on: Mar 2, 2026
- 1:08 pm