Botad: બોટાદ સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે ઉજવાયો દિવ્ય રંગોત્સવ
બોટાદ જિલ્લા નું વિશ્વ અને સુપ્રસિધ્ધ સાળંગપુર ધામ. અહીં મંદિર વિભાગ દ્રારા દરેક તહેવારો ધામ ધૂમ થી ઉજવવામાં આવતા હોય છે. ત્યારે આજે ધુળેટી નો પર્વ પણ મંદિર વિભાગ દ્રારા દિવ્ય રંગોત્સવ સાથે ઉજવાવમાં આવ્યો.
બોટાદ સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે ઉજવાયો દિવ્ય રંગોત્સવ. દાદા ને પણ આજે કરવામાં આવ્યો પિચકારી સાથે રંગો નો શણગાર.2000 કિલોથી વધુ અબીલ ગુલાલ ઉડાડવા આવ્યો તો કલર ના કરવામાં આવ્યા .. 2500થી વધુ ચોકલેટ ઉડાડી સંતો ના સાનિધ્યમમાં ભક્તો એ કરી ધુળેટી પર્વ ની ઉજવણી
1 / 5
બોટાદ જિલ્લાનું સુપ્રસિધ્ધ સાળંગપુર ધામ કે જ્યાં અહીં મંદિર વિભાગ દ્રારા દરેક તહેવારો ધામ ધૂમથી ઉજવવામાં આવતા હોય છે. ત્યારે આજે ધુળેટીનું પર્વ પણ મંદિર વિભાગ દ્રારા દિવ્ય રંગોત્સવ સાથે ઉજવવામાં આવ્યુ.. હનુમાન દાદાને આજે ધુળેટી પર્વ નિમિત્તે અલગ અલગ રંગ બે રંગી કલર થી શણગાર કરવામાં આવ્યા તો દાદાની સામે ધુળેટીના અલગ અલગ રંગો અને પિચકારી મૂકી જાણે દાદા પણ ધુળેટી પર્વ ના રંગે રંગાયા હોય તેવું લાગતું હતું.
2 / 5
સાળંગપુર મંદિર વિભાગ ના કોઠારી વિવેકસાગર સ્વામી અને શાસ્ત્રી હરિ પ્રકાશ સ્વામી ના માર્ગદર્શન હેઠળ આજે હનુમાનજી દાદા ના મંદિર પટાગણમાં દિવ્ય રંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સંતો દ્રારા 2000 કિલો જેટલો અલગ અલગ કલર સાથે અબીલ,ગુલાલ અને હવામાં 70 ફૂટ જેટલા બ્લાસ્ટ કરી આકાશી કલર હરિ ભક્તો પર ઉડાડવા માં આવ્યો. તો આશરે 2500 કરતા વધુ ચોકલેટ ઉડાડી સંતોએ હરિ ભક્તો સાથે ધુળેટી પર્વ ની ઉજવણી કરી. તો હરિ ભક્તો પણ આજે સંતો ના સાનિધ્યમ માં અલગ અલગ રંગો સાથે રંગાઈ અને અનેરા આનંદ સાથે ડી.જે. ના તાલે ઝુમતા જોવા મળ્યા
3 / 5
આ હનુમાનજી મંદિર સૌથી પવિત્ર અને પવિત્ર માનવામાં આવે છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં તે વધુ જાણીતા છે. સદ્ગુરુ ગોપાલનંદ સ્વામી દ્વારા હનુમાનની છબી સ્થાપિત કરી હતી
4 / 5
આ હનુમાનજી મંદિર સૌથી પવિત્ર માનવામાં આવે છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં તે વધુ જાણીતુ છે. સદ્ગુરુ ગોપાલનંદ સ્વામીએ હનુમાનજીની તસવીર સ્થાપિત કરી હતી. સારંગપુર સરળતાથી બસ અથવા કાર દ્વારા પહોંચી શકાય છે, કારણ કે ભાવનગરથી તે ફક્ત 82 કિમી છે. ક્યારેક મંદિરના દરવાજા પર, ખાસ કરીને શનિવારે લાંબી રાહ જોવી પડે છે. ( Photos By- Urvish Soni, Edited By - Omprakash Sharma)