Tapi: નિઝર તાલુકા પંચાયત દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી, અમૃત કળશ યાત્રા કાર્યક્રમ યોજાયો- Photos
Tapi: નિઝર તાલુકા પંચાયત દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે તાલુકા કક્ષાનો અમૃત કળશ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો. જેમા દેશના વીર જવાનો, સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાન અને દેશભક્તિને યાદ કરવામાં આવી. આ તકે તાલુકા કક્ષાએ મારી માટી મારો દેશ અંતર્ગત તૈયાર કરવામાં આવેલા અમૃત વાટીકામાં મહાનુભાવો દ્વારા માટી ચોખાને અર્પણ કરવામાં આવ્યા હતા.

Tapi: તાપી જિલ્લાની નિઝર તાલુકા પંચાયત દ્નારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તાલુકા કક્ષાનો અમૃત કળશ યાત્રા કાર્યક્રમ યોજાયો. ભારત સરકાર, ગુજરાત સરકાર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શનથી આ અમૃત કળશ યાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

આ કાર્યક્રમમાં નિઝર તાલુકાના મોટાભાગના ગામોના સરપંચ, પંચાયતના સદસ્યો અને ગામલોકો દ્વારા અમૃત કળશ યાત્રા યોજવામાં આવી હતી. જેમા ગામલોકો દ્વારા મેરી મિટ્ટી મેરા દેશ અભિયાન અંતર્ગત અર્પણ કરાયેલી માટી અને ચોખા અમૃત કળશમાં એકત્રીત કરવામાં આવ્યા હતા.

આ દરમિયાન દેશના વીર સપૂતો અને સ્વાતંત્ર્ય સેનાનીઓની દેશભક્તિ અને બલિદાનને યાદ કરવામાં આવ્યા હતા. તેમજ તાલુકા કક્ષાએથી તૈયાર કરવામાં આવેલા અમૃત વાટીકામાં મહાનુભાવો દ્વારા માટી ચોખાને અર્પણ કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં પ્રાંત અધિકારી જયકુમાર રાવલ, તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયત સદસ્ય, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ, તાલુકા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના તમામ સરપંચ, ગામલોકો, પૂર્વ સંરક્ષણ ક્ષેત્રના અધિકારીઓ, વિવિધ સંગઠનના પદાધિકારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા

બારડોલીથી સાંસદ પ્રભુભાઈ વસાવા, ધારાસભ્ય ડૉ જયરામ ગામીત, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના દ્વારા વીર જવાનો અને સંરક્ષણ ક્ષેત્રે ફરજ બજાવતા જવાનો તેમજ અધિકારીઓને વંદન તેમજ શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવ્યો હતો. Input Credit- Nirav Kansara- Tapi