સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાંથી પત્રકારત્વનો અભ્યાસ. ફેબ્રુઆરી 2014 હૈદરાબાદથી ઈટીવી ન્યૂઝ ગુજરાતીમાં જર્નાલિસ્ટ તરીકે કારકિર્દીની શરૂઆત. 7.5 વર્ષ ન્યૂઝ 18 ગુજરાતી અને 21 મહિના સંદેશ ન્યૂઝ ચેનલ બાદ હવે tv9 ડિજિટલમાં ચીફ સબ એડિટર તરીકે કાર્યરત. 9 વર્ષ ટીવી પત્રકારત્વમાં સેવા આપી. સતત નવુ શીખવાનો ક્રમ જારી રાખતા ડિજિટલ મીડિયામાં પ્રવેશ. દેશની તમામ રાજકીય ગતિવિધિઓ અને રાષ્ટ્રીય મુદ્દાઓ પર લખવામાં વિશેષ રૂચિ. રોજબરોજની આમ આદમીની સમસ્યાને લગતા મુદ્દાઓને મજબુતાઈથી રજૂ કરવાની પકડ.
ઍશ્વર્યા સાથે છુટાછેડાની અફવા પર અભિષેક બચ્ચને ખૂલાસો કરતા કહ્યુ મારા પરિવાર વિશે કોઈ જ બકવાસ સહન નહીં થાય
અભિષેક બચ્ચને એક ઇન્ટરવ્યુમાં ઐશ્વર્યા રાય સાથે છૂટાછેડાની અફવાઓ અને ફેલાઈ રહેલી અન્ય અફવાઓ પર મૌન તોડ્યુ છે. અભિષેકે કહ્યું કે તે અને ઐશ્વર્યા એકબીજાનું સત્ય જાણે છે અને એક સુખી પરિવાર છે. તેઓ તેમના પરિવાર વિરુદ્ધ કોઈપણ બકવાસ સહન કરશે નહીં.
- Mina Pandya
- Updated on: Dec 11, 2025
- 3:22 pm
Indigo ની ફ્લાઈટ્સમાં 10 ટકાનો ઘટાડો, ઉડ્ડયન મંત્રી સાથેની બેઠકમાં CEO એ જોડવા પડ્યા હાથ
Indigo એરલાઇન્સના CEO પીટર એલ્બર્સને નાગરિક ઉડ્ડયન મંત્રાલયના મુખ્યાલયમાં બોલાવવામાં આવ્યા હતા, જ્યાં મંત્રી રામ મોહન નાયડુ અને સચિવ સમીર સિંહાએ ફ્લાઈટ્સના સંચાલન, મુસાફરોની સંભાળ, રિફંડ અને સામાનની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. ઇન્ડિગોએ ઓપરેશનલ કટોકટી પછી બધી ફ્લાઇટ્સ ફરી શરૂ કરવાની જાણ કરી હતી, જેમાં 1,800 થી વધુ ફ્લાઇટ્સનું સંચાલન કરવામાં આવ્યું હતું.
- Mina Pandya
- Updated on: Dec 9, 2025
- 9:20 pm
આના કરતા તો પાનની દુકાન સારી…. ઈન્ડિંગો વિશે તેના જ કો-ફાઉન્ડર રાકેશ ગંગવાલે આવુ કેમ કહ્યુ હતુ?
દેશની સૌથી મોટી એરલાઇન, ઇન્ડિગો દ્વારા ફ્લાઇટ્સ રદ કરવાનો સિલસિલો આજે નવમાં દિવસે પણ ચાલુ છે. આ સમયગાળા દરમિયાન લગભગ 5,000 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે, જેના કારણે મુસાફરોને ભારે અસુવિધા થઈ રહી છે.
- Mina Pandya
- Updated on: Dec 9, 2025
- 8:26 pm
શું IndiGo Airlines એ જાતે અરાજક્તાનો માહોલ ઉભો કરી મુસાફરોને પરેશાનીમાં નાખ્યા? કંપનીનો નફો બચાવવા ખેલ્યો ગંદો ખેલ ?
ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા DGCAના નવા નિયમો લાગુ કરવામાં બેદરકારીને કારણે લાખો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. આરોપો છે કે ઇન્ડિગોએ જાણી જોઈને અરાજકતા સર્જી જેથી DGCA નિયમો પાછા ખેંચી લે અને કંપની નફો બચાવી શકે. પાઇલટ્સની સુરક્ષા માટેના આ નિયમોને કારણે ઇન્ડિગોને વધુ સ્ટાફ રાખવો પડ્યો હોત, જે ટાળવા કંપનીએ આ ‘ખેલ’ કર્યો.
- Mina Pandya
- Updated on: Dec 9, 2025
- 7:55 pm
ગુજરાતની એ ખતરનાક મહિલા ડૉન જેના પર બનેલી ફિલ્મે જીત્યા 6 નેશનલ અવોર્ડ, એકતરફી જીત બાદ બની ધારાસભ્ય
વર્ષ 1999 માં રિલીઝ થયેલી ફિલ્મ ગોડ મદરે 6 નેશનલ અવૉર્ડ જીત્યા હતા. શબાના આઝમીએ આ ફિલ્મમાં લીડ રોલમાં અભિનય કર્યો હતો.
- Mina Pandya
- Updated on: Dec 9, 2025
- 3:37 pm
વંદે માતરમ્: રાષ્ટ્રીય ચેતના જગાવનાર એ ગીત… જેનાથી થથરી ઉઠ્યા અંગ્રેજો અને બની ગયુ બ્રિટીશરોના વિરોધનું મજબૂત હથિયાર
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનો ઉલ્લેખ થાય અને ત્યારે સૌપ્રથમ આપણા મન મસ્તિષ્કમાં જે પ્રથમ પ્રેરણાદાયી શબ્દો ગુંજે છે, તે છે- “વંદે માતરમ્”. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે 1870ના દાયકામાં લખેલું આ ગીત માત્ર કાવ્ય ન હતું, પરંતુ બ્રિટિશ શાસન સામે લડતા દરેક ભારતીય માટે એ સંઘર્ષનો નાદ બની ગયું હતું. પરંતુ પ્રશ્ન એ છે કે આ એક ગીતથી બ્રિટીશ હકૂમત એટલી ડરતી કેમ હતી?
- Mina Pandya
- Updated on: Dec 8, 2025
- 7:59 pm
ઓફિસ ટાઈમ પછી બોસનો કોલ રિસીવ નહીં કરવાનો… લોકસભામાં રજૂ થયુ રાઈટ ટુ ડિસ્કનેક્ટ બિલ 2025- જુઓ Video
લોકસભામાં એનસીપી સાંસદ સુપ્રીયા સુલેએ એક પ્રાઈવેટ મેંબર બિલ રાઈટ ટુ ડિસ્કનેક્ટ બિલ 2025 રજૂ કર્યુ. આ બિલમાં પ્રસ્તાવ છે કે કર્મચારીઓને ઓફિસના સમય પછી ઓફિશિયલ કોમ્યુનિકેશન સાંભળવા માટે મજબુર ન કરવામાં આવે.
- Mina Pandya
- Updated on: Dec 8, 2025
- 4:01 pm
Dharmendra Will: 2 પત્ની, 6 બાળકો, 13 પૌત્ર દોહિત્ર….. ધર્મેન્દ્રની વસીયતમાં કોને-કોને મળશે હિસ્સો? શું કહે છે કાયદો
બોલિવુડના હી-મેન દિગ્ગજ દિવંગ અભિનેતા ધર્મેન્દ્રના મૃત્યુને લગભગ બે સપ્તાહ થવા આવ્યા છે. તેઓ તેમની પાછળ લગભગ 450 કરોડની સંપત્તિ છોડી ગયા છે. તેમની વસિયતને લઈને સમયાંતરે અનેક તર્કવિતર્ક મીડિયામાં આવતા રહે છે. ધર્મેન્દ્ર એ બે લગ્ન કર્યા હતા. પહેલી પત્ની પ્રકાશ કૌરથી તેમના ચાર બાળકો છે. જે સની, બોબી, અજિતા અને વિજેતા છે. બીજી પત્ની હેમા માલિની થી તેમને બે દીકરી છે જે ઈશા અને અહાના દેઓલ છે. આ બધાના મળીને ધર્મેન્દ્રને 13 પૌત્ર અને દૌહિત્ર પણ છે.
- Mina Pandya
- Updated on: Dec 7, 2025
- 7:46 pm
“પુતિનની મુલાકાતે સાબિત કર્યુ કે ભારત અમેરિકા સામે ઝુકશે નહી” – અમેરિકી એક્સપર્ટે આપ્યુ નિવેદન
Putin India Visit: અમેરિકાના ભારેખમ ટેરિફ છતા પણ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતની મુલાકાતે આવ્યા. પુતિને ભારત સાથે અનેક કરારો પર હસ્તાક્ષર કર્યા. અમેરિકન વિશ્લેષક માઈકલ કુગેલમેન માને છે કે આ દ્વારા પુતિન અને મોદીએ અમેરિકાને સ્પષ્ટ સંદેશ આપ્યો છે.
- Mina Pandya
- Updated on: Dec 6, 2025
- 8:57 pm
પાકિસ્તાનમાં જેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે, એ પુતિને ભારતમાં આ નાના કર્મચારીને આપ્યુ સન્માન- Video
વ્લાદિમીર પુતિને પોતાના સહજ અને સરળ વર્તનથી લોકોના દિલ જીતી લીધા, અને તેમણે ભારતની મુલાકાત દરમિયાન પણ તેમના આ સ્વભાવનો પરિચય આપ્યો. તેઓ જ્યારે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા તો તેમણે આ કર્મચારી સાથે એવો સહજતાથી વ્યવહાર કર્યો કે ત્યાં ઉપસ્થિત સહુ કોઈ જોતા રહી ગયા.
- Mina Pandya
- Updated on: Dec 6, 2025
- 8:36 pm
રશિયા સાથે દાયકાઓ જુની દોસ્તી- UNSC માં વીટોથી લઈને ઓઈલ ડીલ સુધી ભારત માટે રશિયા કેમ વિશેષ?- વાંચો
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન તેમની બે દિવસીય ભારતની યાત્રાએ આવ્યા હતા અને હવે તેઓ મોસ્કો રવાના થયા છે. યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ પુતિનની આ પહેલી ભારત યાત્રા હતી. જે ઘણી સફળ યાત્રા ગણવામાં આવી રહી છે. એક તરફ યુરોપના અનેક દેશો જ્યારે રશિયાથી અમેરિકાના કારણે અંતર રાખી રહ્યા છે ત્યારે ભારત ઉમળકાભેર રશિયાને આવકારી રહ્યુ છે. તેનુ કારણ છે ભારત રશિયાની દાયકાઓ જુની મિત્રતા. આ મિત્રતાને અનેકવાર કસોટીની એરણ પર ચડી છે પરંતુ છતા તે ક્યારેય નબળી નથી પડી. આખરે એવુ તો શું છે જે આ બંને દેશોને મજબુત રીતે જોડી રાખે છે. આવો જાણીએ
- Mina Pandya
- Updated on: Dec 6, 2025
- 7:27 pm
“આપણે અહીં બૂમો પાડવા નથી આવ્યા” સંસદમાં હંગામા પર શશી થરૂરે પોતાની જ પાર્ટીના સાંસદોને ટપાર્યા
સંસદમાં હંગામો કરી રહેલા સાંસદોને કોંગ્રેસના સાંસદ શશી થરૂરે તેમની જ પાર્ટીના સાંસદોને ટકોર કરી. તેમણે વિપક્ષી સાંસદોને કહ્યું કે જનતાએ આપણને અહીં તેમનું પ્રતિનિધિત્વ કરવા માટે મોકલ્યા છે, હંગામો કરવા અને બૂમો પાડવા માટે નહીં.
- Mina Pandya
- Updated on: Dec 6, 2025
- 2:42 pm