Jallianwala Bagh Massacre : જલિયાવાંલા બાગ હત્યાકાંડના 103 વર્ષ બાદ પણ ઘા રૂઝાયા નથી, કંઈક આવી હતી આ ક્રુરતાની કહાની

Jallianwala Bagh : 13 એપ્રિલ, 1919નો એ દિવસ હતો જેને યાદ કરીને આજે પણ લોકો કંપી ઉઠે છે. આ ઘટના ભારતીય સ્વતંત્રતા ચળવળમાં ( independence movement)એક નવો વળાંક લાવી. આ ઘટનાએ બ્રિટિશ રાજનો ક્રૂર અને દમનકારી ચહેરો સામે લાવી દીધો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 13, 2022 | 7:08 AM
જલિયાંવાલા બાગ હત્યાકાંડને અંજામ આપનાર જનરલ ડાયરની ક્રૂરતાની ઘણી કહાની ઇતિહાસમાં નોંધાયેલી છે. વર્ષ 1913માં પીપલ્સ બેંક ઓફ પંજાબના લાલા હરકિશન લાલના મોત માટે પણ જનરલ ડાયરને દોષી ઠેરવવામાં આવે છે.  જનરલ ડાયર અત્યંત ક્રૂર અને બળવાખોર અધિકારી હતા.  મૂળ આર્યલેન્ડના આ અધિકારીને ભણેલા-ગણેલા, શાહુકારો અને વેપારીઓ પ્રત્યે સહાનુભૂતિ પણ નહોતી.

જલિયાંવાલા બાગ હત્યાકાંડને અંજામ આપનાર જનરલ ડાયરની ક્રૂરતાની ઘણી કહાની ઇતિહાસમાં નોંધાયેલી છે. વર્ષ 1913માં પીપલ્સ બેંક ઓફ પંજાબના લાલા હરકિશન લાલના મોત માટે પણ જનરલ ડાયરને દોષી ઠેરવવામાં આવે છે. જનરલ ડાયર અત્યંત ક્રૂર અને બળવાખોર અધિકારી હતા. મૂળ આર્યલેન્ડના આ અધિકારીને ભણેલા-ગણેલા, શાહુકારો અને વેપારીઓ પ્રત્યે સહાનુભૂતિ પણ નહોતી.

1 / 5
ડાયરનો જન્મ ભારતમાં થયો હતો અને તેના પિતા દારૂ બનાવવાનું કામ કરતા હતા. ડાયર ઉર્દૂ અને હિન્દુસ્તાની બંને સારી રીતે જાણતા હતા. તેના લોકો ડાયરને સારી રીતે ઓળખતા હતા પરંતુ તેના ઉપરી અધિકારીઓમાં તેની બહુ સારી પ્રતિષ્ઠા નહોતી. ડાયરની ગણતરી એવા બ્રિટિશ અધિકારીઓમાં થતી હતી જેમનામાં સહાનુભૂતિ માટે કોઈ જગ્યા નહોતી. ડાયરનું નામ ઈતિહાસમાં અમૃતસરના કસાઈ તરીકે લેવાય છે.

ડાયરનો જન્મ ભારતમાં થયો હતો અને તેના પિતા દારૂ બનાવવાનું કામ કરતા હતા. ડાયર ઉર્દૂ અને હિન્દુસ્તાની બંને સારી રીતે જાણતા હતા. તેના લોકો ડાયરને સારી રીતે ઓળખતા હતા પરંતુ તેના ઉપરી અધિકારીઓમાં તેની બહુ સારી પ્રતિષ્ઠા નહોતી. ડાયરની ગણતરી એવા બ્રિટિશ અધિકારીઓમાં થતી હતી જેમનામાં સહાનુભૂતિ માટે કોઈ જગ્યા નહોતી. ડાયરનું નામ ઈતિહાસમાં અમૃતસરના કસાઈ તરીકે લેવાય છે.

2 / 5
હન્ટર કમિશનની સામે ડાયરે સ્વીકાર્યું હતુ કે તેણે લોકો પર મશીનગનનો ઉપયોગ કર્યો હતો. ડાયરે એ પણ કબૂલ્યું હતું કે બગીચા તરફ જતો એક સાંકડો રસ્તો હતો અને તેણે ગોળીબાર કરવાનો આદેશ આપ્યો હતો. બાદમાં સરદાર ઉધમ સિંહે લંડન જઈને ડાયરની હત્યા કરી હતી.

હન્ટર કમિશનની સામે ડાયરે સ્વીકાર્યું હતુ કે તેણે લોકો પર મશીનગનનો ઉપયોગ કર્યો હતો. ડાયરે એ પણ કબૂલ્યું હતું કે બગીચા તરફ જતો એક સાંકડો રસ્તો હતો અને તેણે ગોળીબાર કરવાનો આદેશ આપ્યો હતો. બાદમાં સરદાર ઉધમ સિંહે લંડન જઈને ડાયરની હત્યા કરી હતી.

3 / 5

યુનાઈટેડ પંજાબ પાસે સૌથી વધુ સંખ્યામાં બ્રિટિશ વસાહતો હતી. અહીંના ખેડૂતો, મજૂરોએ પણ મોટા પાયે અંગ્રેજ શાસનનું દમન જોયું હતુ. અંગ્રેજો પંજાબમાં બનેલી રેલ્વે લાઈનો અને રસ્તાઓને તેમના વિકાસ કાર્યો તરીકે ઓળખતા હતા. જલિયાવાલા બાગ હત્યાકાંડે સમગ્ર દેશમાં અંગ્રેજ શાસન માટે વિદ્રોહનું વાતાવરણ ઊભું કર્યું હતું. આ પછી જ દેશભરમાં આઝાદીની ચળવળની લડત ઉગ્ર બની.

યુનાઈટેડ પંજાબ પાસે સૌથી વધુ સંખ્યામાં બ્રિટિશ વસાહતો હતી. અહીંના ખેડૂતો, મજૂરોએ પણ મોટા પાયે અંગ્રેજ શાસનનું દમન જોયું હતુ. અંગ્રેજો પંજાબમાં બનેલી રેલ્વે લાઈનો અને રસ્તાઓને તેમના વિકાસ કાર્યો તરીકે ઓળખતા હતા. જલિયાવાલા બાગ હત્યાકાંડે સમગ્ર દેશમાં અંગ્રેજ શાસન માટે વિદ્રોહનું વાતાવરણ ઊભું કર્યું હતું. આ પછી જ દેશભરમાં આઝાદીની ચળવળની લડત ઉગ્ર બની.

4 / 5

13મી એપ્રિલ 1919ના રોજ વૈશાખીના દિવસે જલિયાવાલા બાગમાં હજારો લોકો એકઠા થયા હતા. જે  બે રાષ્ટ્રીય નેતાઓ સત્યપાલ અને સૈફુદ્દીન કિચલુની ધરપકડ અને રોલેટ એક્ટનો વિરોધ કરી રહ્યા હતા. આ દરમિયાન અત્યાચારી જનરલ ડાયરે અંધાધૂધ ગોળીબાર કરવાનો આદેશ આપ્યો.આ હત્યાકાંડમાં 1,000 થી વધુ લોકો શહીદ થયા અને 1500 થીવધુ લોકો ઘાયલ થયા હોવાનું કહેવામાં આવે છે.

13મી એપ્રિલ 1919ના રોજ વૈશાખીના દિવસે જલિયાવાલા બાગમાં હજારો લોકો એકઠા થયા હતા. જે બે રાષ્ટ્રીય નેતાઓ સત્યપાલ અને સૈફુદ્દીન કિચલુની ધરપકડ અને રોલેટ એક્ટનો વિરોધ કરી રહ્યા હતા. આ દરમિયાન અત્યાચારી જનરલ ડાયરે અંધાધૂધ ગોળીબાર કરવાનો આદેશ આપ્યો.આ હત્યાકાંડમાં 1,000 થી વધુ લોકો શહીદ થયા અને 1500 થીવધુ લોકો ઘાયલ થયા હોવાનું કહેવામાં આવે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">