અમદાવાદથી નાથદ્વારા જવું છે સહેલું, આ રુટ પર દોડે છે ટ્રેન, આટલી છે ટિકિટ
જે લોકો રાજસ્થાન ફરવા જવાનું વિચારતા હોય છે તેના માટે આ ટ્રેન એકદમ બેસ્ટ છે. આ ટ્રેન નંબર - 19575 ઓખાથી નાથદ્વારા રુટ પર ચાલે છે. આજે અમે તમને આ ટ્રેન વિશે માહિતી આપશું.

ટ્રેન નંબર - 19575 ઓખાથી નાથદ્વારા સુધી ચાલે છે. જામનગર, રાજકોટ, અમદાવાદના લોકોને આ ટ્રેનનો લાભ મળી શકે છે.

ઓખાથી નાથદ્વારા સુધીમાં આ ટ્રેન 19 સ્ટેશન પર સ્ટોપ લે છે. ફક્ત અમદાવાદ અને રતલામ 10 મિનિટ લે છે. આ ટ્રેન નાથદ્વારા 06:25એ પહોંચાડે છે.

આ ટ્રેન ઓખાથી 08:20 એ ઉપડે છે. રાજકોટ 12:50 વાગ્યે તેમજ વાંકાનેર જંક્શન 13:35 એ પહોંચાડે છે. અમદાવાદ પહોંચવાનો ટાઈમ 17:10નો છે. તેમ છતાં પણ મુસાફરી કરતા પહેલાં ટ્રેનનો સમય એકવાર સાઈટ પર કન્ફર્મ કરીને નીકળવું જોઈએ.

આ ટ્રેમમાં 8 કોચ સ્લિપર કોચ છે, 2A ના 2 કોચ અને 1A નો એક કોચ છે. ટ્રેનની ટિકિટ નાથદ્વારા સુધીની જનરલ કોચની લગભગ- 275 રુપિયા છે. અમદાવાદથી સ્લિપર કોચની ટિકિટ રુપિયા 355ની આસપાસ છે.

આ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન અઠવાડિયામાં એક વાર સેવા આપે છે. તે દર બુધવારે ઓખાથી ઉપડે છે અને નાથદ્વારા પોતાની સફર પુરી કરે છે.
