AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diwali 2024 : દિવાળી પર કેમ બનાવવામાં આવે છે રંગોળી, જાણો તેનો ઈતિહાસ અને મહત્ત્વ, Watch Photos

Diwali 2024 : ભારતમાં દિવાળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો તેમના ઘરને રોશની, ફૂલો, દીવા અને રંગોળી જેવી વસ્તુઓથી શણગારે છે, તો ચાલો તમને તેની પાછળની આખી સ્ટોરી જણાવીએ. દિવાળી પર કેમ બનાવવામાં આવે છે રંગોળી, શું છે દિવાળી પર રંગોળી બનાવવા પાછળની માન્યતા.

| Updated on: Oct 24, 2024 | 12:15 PM
Share
દિવાળીના તહેવાર પર રંગોળી બનાવવાની પરંપરા સદીઓ જૂની છે. હિન્દુ શાસ્ત્રો અનુસાર રંગોળી બનાવવાથી ઘરમાં પોઝિટિવ એનર્જી ફેલાય છે અને નેગેટિવ એનર્જીનો નાશ થાય છે. આ સિવાય તેની પાછળ બીજી ઘણી વાતો પણ છે. ચાલો આ વિશે જાણીએ.

દિવાળીના તહેવાર પર રંગોળી બનાવવાની પરંપરા સદીઓ જૂની છે. હિન્દુ શાસ્ત્રો અનુસાર રંગોળી બનાવવાથી ઘરમાં પોઝિટિવ એનર્જી ફેલાય છે અને નેગેટિવ એનર્જીનો નાશ થાય છે. આ સિવાય તેની પાછળ બીજી ઘણી વાતો પણ છે. ચાલો આ વિશે જાણીએ.

1 / 8
દેવી-દેવતાઓને ખાસ કરીને દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે રંગોળી બનાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે રંગોળી બનાવવાથી દેવી લક્ષ્મીની કૃપા જળવાઈ રહે છે અને ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. રંગોળીનું માત્ર ધાર્મિક મહત્વ નથી પરંતુ તે કલા અને સુંદરતાનું પ્રતિક પણ છે.

દેવી-દેવતાઓને ખાસ કરીને દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે રંગોળી બનાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે રંગોળી બનાવવાથી દેવી લક્ષ્મીની કૃપા જળવાઈ રહે છે અને ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. રંગોળીનું માત્ર ધાર્મિક મહત્વ નથી પરંતુ તે કલા અને સુંદરતાનું પ્રતિક પણ છે.

2 / 8
એવું માનવામાં આવે છે કે 14 વર્ષના વનવાસ પછી ભગવાન રામ સીતા અને લક્ષ્મણ સાથે અયોધ્યા નગરી પહોંચ્યા હતા. ત્યારબાદ અયોધ્યાના લોકોએ તેમના સ્વાગત માટે રંગોળી બનાવી અને દીવા પ્રગટાવ્યા હતા. આ જ કારણ છે કે દિવાળી દરમિયાન દરેક ઘરમાં રંગોળી બનાવવામાં આવે છે.

એવું માનવામાં આવે છે કે 14 વર્ષના વનવાસ પછી ભગવાન રામ સીતા અને લક્ષ્મણ સાથે અયોધ્યા નગરી પહોંચ્યા હતા. ત્યારબાદ અયોધ્યાના લોકોએ તેમના સ્વાગત માટે રંગોળી બનાવી અને દીવા પ્રગટાવ્યા હતા. આ જ કારણ છે કે દિવાળી દરમિયાન દરેક ઘરમાં રંગોળી બનાવવામાં આવે છે.

3 / 8
ભારતીય પુરાતત્વ વિભાગના જણાવ્યા અનુસાર રંગોળીના સૌથી જૂના પુરાવા પણ મોહેંજોદડો અને હડપ્પા સંસ્કૃતિ સાથે સંબંધિત છે. પુરાતત્વ વિભાગના અહેવાલ મુજબ આ સંસ્કૃતિઓમાં અલ્પના પ્રતીકો મળી આવ્યા છે, જે રંગોળી સાથે ખૂબ જ મળતા આવે છે.

ભારતીય પુરાતત્વ વિભાગના જણાવ્યા અનુસાર રંગોળીના સૌથી જૂના પુરાવા પણ મોહેંજોદડો અને હડપ્પા સંસ્કૃતિ સાથે સંબંધિત છે. પુરાતત્વ વિભાગના અહેવાલ મુજબ આ સંસ્કૃતિઓમાં અલ્પના પ્રતીકો મળી આવ્યા છે, જે રંગોળી સાથે ખૂબ જ મળતા આવે છે.

4 / 8
એવી પણ માન્યતા છે કે દિવાળીના દિવસે દેવી લક્ષ્મીનું સ્વાગત કરવા માટે લોકો ઘરના મુખ્ય દ્વાર પર રંગોળી બનાવે છે. તેનાથી ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થાય છે અને તેમની કૃપા હંમેશા બની રહે છે.

એવી પણ માન્યતા છે કે દિવાળીના દિવસે દેવી લક્ષ્મીનું સ્વાગત કરવા માટે લોકો ઘરના મુખ્ય દ્વાર પર રંગોળી બનાવે છે. તેનાથી ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થાય છે અને તેમની કૃપા હંમેશા બની રહે છે.

5 / 8
તમને જણાવી દઈએ કે દિવાળી દરમિયાન જ્યારે દેવી લક્ષ્મી, ગણેશ અને કુબેરજીના સ્વાગત માટે રંગોળી બનાવવામાં આવે છે, ત્યારે તેના પર દેવી-દેવતાઓની કૃપા રહે છે.

તમને જણાવી દઈએ કે દિવાળી દરમિયાન જ્યારે દેવી લક્ષ્મી, ગણેશ અને કુબેરજીના સ્વાગત માટે રંગોળી બનાવવામાં આવે છે, ત્યારે તેના પર દેવી-દેવતાઓની કૃપા રહે છે.

6 / 8
રંગોળી માત્ર ધાર્મિક પરંપરાઓનો જ એક ભાગ નથી, પરંતુ તેનું સાંસ્કૃતિક મહત્વ પણ છે. વિવિધ પ્રદેશોમાં વિવિધ પ્રકારની રંગોળી બનાવવામાં આવે છે. જે તે સ્થળની સાંસ્કૃતિક ઓળખ દર્શાવે છે. રંગોળી એ ભારતીય સંસ્કૃતિનો એક અભિન્ન અંગ છે. જેને પેઢીઓથી સાચવવામાં આવે છે અને તેનું જતન કરવામાં આવે છે.

રંગોળી માત્ર ધાર્મિક પરંપરાઓનો જ એક ભાગ નથી, પરંતુ તેનું સાંસ્કૃતિક મહત્વ પણ છે. વિવિધ પ્રદેશોમાં વિવિધ પ્રકારની રંગોળી બનાવવામાં આવે છે. જે તે સ્થળની સાંસ્કૃતિક ઓળખ દર્શાવે છે. રંગોળી એ ભારતીય સંસ્કૃતિનો એક અભિન્ન અંગ છે. જેને પેઢીઓથી સાચવવામાં આવે છે અને તેનું જતન કરવામાં આવે છે.

7 / 8
રંગોળી શબ્દ એક પ્રાચીન સંસ્કૃત શબ્દ છે, જેનો અર્થ રંગો દ્વારા લાગણીઓ વ્યક્ત કરવી. હવે રંગોળી બનાવવાની વાત કરીએ તો ફૂલો, રંગો, ગુલાલ અને લોટનો ઉપયોગ કરીને રંગોળી તૈયાર કરવામાં આવે છે અને દિવાળીની પૂજામાં તેની ડિઝાઇન તેમના ઘરના પ્રવેશદ્વાર પર દેવી લક્ષ્મી, સ્વસ્તિક, કમળના ફૂલ અને મોર જેવી ડિઝાઈન પર આધારિત હોય છે. (Disclaimer : આ લેખ લોકપ્રિય માન્યતાઓ પર આધારિત છે. અહીં આપવામાં આવેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અને સંપૂર્ણતા માટે TV 9 gujarati જવાબદાર નથી.)

રંગોળી શબ્દ એક પ્રાચીન સંસ્કૃત શબ્દ છે, જેનો અર્થ રંગો દ્વારા લાગણીઓ વ્યક્ત કરવી. હવે રંગોળી બનાવવાની વાત કરીએ તો ફૂલો, રંગો, ગુલાલ અને લોટનો ઉપયોગ કરીને રંગોળી તૈયાર કરવામાં આવે છે અને દિવાળીની પૂજામાં તેની ડિઝાઇન તેમના ઘરના પ્રવેશદ્વાર પર દેવી લક્ષ્મી, સ્વસ્તિક, કમળના ફૂલ અને મોર જેવી ડિઝાઈન પર આધારિત હોય છે. (Disclaimer : આ લેખ લોકપ્રિય માન્યતાઓ પર આધારિત છે. અહીં આપવામાં આવેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અને સંપૂર્ણતા માટે TV 9 gujarati જવાબદાર નથી.)

8 / 8
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
g clip-path="url(#clip0_868_265)">