
દિવાળી
દિવાળી એ, દીવાઓ સાથે સંકળાયેલો હિન્દુઓનો મુખ્ય તહેવાર છે. હિંદુ માન્યતા અનુસાર, આ પર્વ અંધકાર પર પ્રકાશની જીત અને જીવનમાં સુખ, સૌભાગ્ય અને સંપત્તિની કામના સાથે જોડાયેલો છે. દિવાળી અથવા દીપાવલી સાથે પાંચ તહેવારો સંકળાયેલા છે, જે ધનતેરસથી શરૂ થાય છે અને કાળી ચતુર્દશી, દીપાવલી, ગુજરાતીઓનુ બેસતુ વર્ષ અને ગોવર્ધન પૂજા પછી ભાઈ બીજ સાથે સમાપ્ત થાય છે. જો કે ગુજરાતમાં લાભ પાંચમના રોજ વેપાર-ઉદ્યોગ, ધંધા રોજગાર કરનારા મૂહર્ત કરીને તેમનો વ્યવસાય શરૂ કરે છે.
હિંદુ માન્યતા અનુસાર, જ્યારે ભગવાન શ્રી રામ લંકા જીતીને, અયોધ્યા પરત ફર્યા ત્યારે લોકોએ ઘીનો દીવો પ્રગટાવીને તેમના આગમનની ઉજવણી કરી હતી. એવું પણ માનવામાં આવે છે કે, દિવાળીના એક દિવસ પહેલા એટલે કે કાળી ચૌદસના દિવસે ભગવાન કૃષ્ણએ અત્યાચારી રાક્ષસ નરકાસુરનો વધ કર્યો હતો, ત્યારબાદ અમાવસ્યાના દિવસે વ્રજના લોકોએ દીવા પ્રગટાવીને ખુશી વ્યક્ત કરી હતી.
હિંદુ માન્યતા અનુસાર, કારતક મહિનાની અમાવાસ્યાના દિવસે ઉજવાતા દિવાળીના તહેવાર પર, શુભ અને ધનલાભના દેવતા ભગવાન ગણેશ, ધનની દેવી માતા લક્ષ્મી, ધનના દેવતા કુબેર, જ્ઞાનની દેવી માતા સરસ્વતી અને કાળકા માતાની પૂજા કરવાની પરંપરા છે. વિવિધ ધર્મોમાં દીપોત્સવ વિવિધ સ્વરૂપે ઉજવવામાં આવે છે. જેમ જૈન ધર્મ સાથે સંકળાયેલા લોકો દિવાળીને મહાવીરના મોક્ષ દિવસ તરીકે ઉજવે છે. દિવાળીનો આધ્યાત્મિક સંદેશ અંધકારમાંથી પ્રકાશ તરફ જવાનો છે.
હિન્દુ ધર્મમાં મોટાભાગના તહેવારો રાત્રે કેમ ઉજવવામાં આવે છે, જુઓ ફોટો
હિંદુ ધર્મમાં મોટાભાગના તહેવારો સૂર્યોદય પછી ઉજવવાની પરંપરા છે, પરંતુ કરવાચોથ, હોળી, દિવાળી, શરદ પૂર્ણિમા, પોષી પૂનમ, જન્માષ્ટમી અને શિવરાત્રી એવા તહેવારો છે જે રાત્રે ઉજવવામાં આવે છે. રાત્રે સેલિબ્રેટ કરવામાં આવતા તહેવારો વિશે જાણીએ.
- Nirupa Duva
- Updated on: Feb 26, 2025
- 2:24 pm
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન-ડીનરનું કરાયું હતુ આયોજન, ભારતીયોએ ગરબાની રમઝટ બોલાવી, જુઓ Video
દેશભરમાં દિવાળીની ઉજવણી ધામધૂમથી કરવામાં આવતી હોય છે. પરંતુ વિદેશમાં વસતા ગુજરાતીઓ અને ભારતીયો પણ પરદેશમાં દિવાળીની ઉજવણી કરતા હોય છે. બ્રૃહદ ન્યૂયોર્ક સિનિયર્સે દિવાળી સ્નેહ મિલન - ડિનર અને મ્યુઝિકલ નાઈટ ક્વીન્સનું આયોજન કરવામાં આવ્યુ છે.
- TV9 Gujarati
- Updated on: Nov 22, 2024
- 2:41 pm
Dev Deepawali 2024: અદભૂત, કાશી દીવાઓથી ઝગમગી ઉઠ્યું, 84 ગંગા ઘાટ પર 21 લાખ દીવાઓ પ્રગટાવ્યાં, જુઓ તસવીરો
શુક્રવારે કાશીમાં દેવ દીવાળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. દેશભરમાંથી કાશી પહોંચેલા પ્રવાસીઓએ આ ઉત્સવનો ભરપૂર આનંદ માણ્યો હતો. આ દરમિયાન નમો ઘાટનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
- Sagar Solanki
- Updated on: Nov 15, 2024
- 11:49 pm
Dev Deepawali 2024 : આજે છે દેવ દિવાળી, જાણો આ દિવસે કઈ 5 જગ્યાએ દીવા પ્રગટાવવા જોઈએ
Dev Deepawali : દેવ દીવાળીનો તહેવાર 15 નવેમ્બરે છે. આ શુભ તહેવાર કારતક મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર કાર્તિક પૂર્ણિમાના દિવસે ભગવાન શિવે દેવતાઓને ત્રિપુરાસુર નામના રાક્ષસના આતંકમાંથી મુક્ત કર્યા હતા.
- Meera Kansagara
- Updated on: Nov 15, 2024
- 6:00 am
Labh Pancham 2024 Puja : કેમ ઉજવાય છે લાભ પાંચમ? જાણો તેનું મહત્વ, પૂજા વિધિ અને શુભ સમય
લાભ પંચમીના દિવસે ભગવાન શિવ, ગણેશ અને લક્ષ્મીની પૂજા કરવાથી પરિવારમાં સુખ-શાંતિ આવે છે, વેપાર, નોકરી-ધંધામાં સમૃદ્ધિ અને પ્રગતિ થાય છે. સુખ, સમૃદ્ધિ અને શુભકામનાઓ માટે સૌભાગ્ય પંચમીનું વ્રત રાખો. વેપારમાં વિસ્તરણ હોય, નવું કામ શરૂ કરવું હોય કે બજારમાં ખરીદી કરવી, આ દિવસે 24 કલાકનો શુભ સમય હોય છે.
- Devankashi rana
- Updated on: Nov 5, 2024
- 11:53 am
Porbandar : ભાઈબીજના દિવસે માધવપુરમાં માનવ મહેરામણ ઉમટ્યુ, આ દિવસે દરિયામાં સ્નાનનું અનોખુ મહત્વ, જુઓ Video
ભાઈબીજના પવિત્ર દિવસે પોરબંદરના માધવપુર દરિયામાં સ્નાનનું અનેરું મહત્વ હોય છે. ત્યારે આ વર્ષે ભાઈબીજે માધવપુર દરિયામાં સ્નાન કરવા માનવ મહેરામણ ઉમટ્યું હતુ. દૂર દૂરથી અહીં સહેલાણીઓ સ્નાન કરવા માટે આવ્યા હતા.
- TV9 Gujarati
- Updated on: Nov 4, 2024
- 10:35 am
Kheda : ભાઈબીજની રાત્રીએ કાછીયાપોળ અને ભાવસાર વચ્ચે ખેલાયુ કોઠી યુદ્ધ, જુઓ Video
ખેડાના પરા દરવાજા વિસ્તારમાં ભાઈબીજની રાત્રીએ આ અનોખી ઉજવણી કરવામાં આવે છે. કાછીયાપોળ અને ભાવસાર વાડના લોકો સામ-સામે એકબીજાને કોઠી મારી પાછળ ધકેલવાનો પ્રયાસ કરે છે. લોકો નવરાત્રીથી જ કોઠીઓ બનાવવાની શરૂ કરી દે છે.
- TV9 Gujarati
- Updated on: Nov 4, 2024
- 10:06 am
અમદાવાદમાં પ્રોટોકોલ વગર જોવા મળી અમિત શાહની સાદગી, અક્ષર ક્રૂઝની લીધી મુલાકાત, જુઓ Photos
હાલમાં દિવાળીનો પર્વ છે. અને આ દિવાળીનો પર્વ લોકો એક કરતાં અનેક રીતે ઊજવતાં હોય છે. અમિત શાહ પણ દિવાળી દરમ્યાન કોઈ પણ પ્રોટોકોલ વગર પહોંચ્યા હતા.
- Ronak Varma
- Updated on: Nov 3, 2024
- 9:59 pm
અમદાવાદમાં દિવાળી બાદ રસ્તા પર ફટાકડાના કચરાના ઢગલા, સફાઇકર્મીઓને મહેનતે રસ્તાઓને ફરી બનાવ્યા સુંદર
દિવાળીમાં અમદાવાદ શહેરમાં ઠેર ઠેર ફટાકડા ફોડ્યા બાદ જે કચરાના ઢગલા થાય છે, સફાઇ કર્મીઓ તેને સાફ કરીને ફરીથી રસ્તાઓને સુંદર બનાવી દે છે, ત્યારે આ નવા વર્ષે પ્રણ લઇએ કે જાહેર રસ્તા પર કચરો નહીં કરી, દેશને અને પોતાના શહેરને સ્વચ્છ રાખીશું.
- Ashvin Patel
- Updated on: Nov 2, 2024
- 2:04 pm
Botad : સાળંગપુરમાં કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને સુવર્ણ વાઘાનો કરાયો શણગાર, જુઓ Video
બોટાદ જિલ્લામાં આવેલા સાળંગપુર ખાતે પણ ભક્તોનું ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ છે. કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને સુવર્ણ વાઘાનો શણગારમાં આવ્યું છે.
- TV9 Gujarati
- Updated on: Nov 2, 2024
- 2:01 pm
Rajkot Video : ગોંડલના BAPS સ્વામિનારાયણ મંદિરમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં અન્નકૂટ ધરાવાયો
નવા વર્ષ નિમિત્તે મંદિરમાં ભગવાનને અન્નકૂટ ધરાવવાની પરંપરા છે. ત્યારે ગોંડલમાં આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરમાં સંસ્થાના વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં અન્નકૂટ ધરાવાયો હતો.
- TV9 Gujarati
- Updated on: Nov 2, 2024
- 12:37 pm
Kheda Video : વડતાલ મંદિરમાં અનોખો શણગાર કરાયો, 200 વર્ષ પૂર્ણ થતા દ્વિશતાબ્દી મહોત્સવનું કરાયુ આયોજન
ખેડાના જિલ્લામાં આવેલા વડતાલ મંદિરમાં અનોખો શણગાર કરાયો છે. મંદિર રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું. રંગબેરંગી લાઈટના શણગારથી મંદિર પરિસરમાં ભવ્ય નજારો સર્જાયો હતો.
- TV9 Gujarati
- Updated on: Nov 2, 2024
- 12:05 pm
કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે પણ નવા વર્ષની કરી ઉજવણી, જુઓ Video
કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે પણ નવા વર્ષની ઉજવણી કરી હતી. સી આર પાટીલે કાર્યકરોને મળીને શુભેચ્છા પાઠવી હતી. તેમજ રાજ્યના નાગરિકોને પણ નૂતન વર્ષના અભિનંદન પાઠવ્યા હતા.
- TV9 Gujarati
- Updated on: Nov 2, 2024
- 12:02 pm
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે પંચદેવ મંદિરમાં પૂજા અને આરતી કરી નવા વર્ષની કરી શરુઆત
ગુજરાતભરમાં આજે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વિક્રમ સંવત 2081ના પ્રારંભ દિવસે ભગવાનની પૂજા અને આરતી કરી નવા વર્ષની શરુઆત કરી છે.
- TV9 Gujarati
- Updated on: Nov 2, 2024
- 8:46 am
02 નવેમ્બરના મહત્વના સમાચાર : 25 નવેમ્બરથી સંસદનું શિયાળુ સત્ર શરૂ, અનેક મહત્વપૂર્ણ બિલ પર થશે ચર્ચા
News Update : આજે 02 નવેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
- TV9 Gujarati
- Updated on: Nov 2, 2024
- 8:27 pm