શ્રેયસ ઐયર
શ્રેયસ ઐયર ભારતીય ક્રિકેટ ટીમનો તોફાની ટોપ ઓર્ડર બેટ્સમેન છે. શ્રેયસ ત્યારે ચર્ચામાં આવ્યો હતો જ્યારે આઇપીએલ 2015ના ઓક્શનમાં તેને રૂ 2.6 કરોડમાં દિલ્હીની ટીમએ ખરીદ્યો હતો. તે સીઝનમાં તેણે 439 રન કર્યા હતા અને તેને ‘આઇપીએલ ઇમરજીંગ પ્લેયર ઓફ ધ યર’નો એવોર્ડ આપવમાં આવ્યો હતો.
તેણે ડોમેસ્ટિક ક્રિકેટમાં મુંબઇ માટે ડેૂબ્યૂ કર્યુ હતુ. મુંબઇના 41મા રણજી ટ્રાફી ટાઇટલમાં તેણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, તેણે 1321 રન કર્યા હતા અને ફાઇનલમાં સદી ફટકારી હતી. 2017માં ભારત માટે તેણે ટી-20 ફોર્મેટમાં ન્યૂઝીલેન્ડ સામે અને વન ડે ફોર્મેટમાં શ્રીલંકા સામે ડેબ્યૂ કર્યુ હતુ.
2021માં ડેબ્યૂ ટેસ્ટમાં સદી કરનાર તે 16મો ભારતીય ક્રિકેટર બન્યો હતો. ડેબ્યૂ ટેસ્ટમાં તેણે ન્યૂઝીલેન્ડ સામે સદી અને ફિફટી ફટકારી હતી.
Breaking News : T20માં ટીમ ઈન્ડિયાના આગામી કેપ્ટન બનવાની રેસમાં કોણ કોણ છે જાણો
India's Next T20 Captain : ભારતની ટી20 ટીમના નવા કેપ્ટનને લઈ સસ્પેન્સ હવે થોડા સમયમાં જ પૂર્ણ થવાનું છે.હવે માત્ર નામ જાહેર કરવાની જ વાર છે, ટુંકમાં સૂર્યકુમાર યાદવના સ્થાન પર ટીમ ઈન્ડિયાના નવા ટી20 કેપ્ટન બનવાની રેસમાં 2 નામ સૌથી આગળ ચાલી રહ્યા છે.
- Nirupa Duva
- Updated on: Jun 4, 2026
- 8:13 am
Breaking News :સૂર્યકુમાર યાદવ પાસેથી ભારતીય T20 કેપ્ટનશીપ છીનવાઈ ગઈ, કોણ લેશે સ્થાન?
સૂર્યકુમાર યાદવને મોટો ઝટકો લાગી શકે છે. રિપોર્ટ મુજબ આ ખેલાડીને ભારતની ટી20 કેપ્ટનશીપમાંથી દુર કરાશે.એટલું જ નહી ટીમ ઈન્ડિયામાં સિલેક્શન પણ થયું નથી. જાણો સમગ્ર મામલો
- Nirupa Duva
- Updated on: Jun 4, 2026
- 8:12 am
Breaking News : PBKS વાયરલ વીડિયો બાદ શ્રેયસ ઐયરની બહેને મૌન તોડ્યું, ટ્રોલ્સ પર આકરા પ્રહારો કર્યા
Shreyas Iyer On Online Abuse : આઈપીએલ 2026માં પંજાબ કિંગ્સ બહાર થયા બાદ શ્રેયસ અય્યરની બહેન શ્રેષ્ઠા અય્યરને ટ્રોલ કરવામાં આવી રહી છે. જેના જવાબમાં શ્રેષ્ઠાએ 2 વીડિયો પોસ્ટ કરી ટ્રોલ્સને જવાબ આપ્યો છે.
- Nirupa Duva
- Updated on: May 26, 2026
- 10:18 am
Breaking News: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ માત્ર 25 બોલમાં ફટકારી સદી, છતાં ના તોડી શક્યો શ્રેયસ અય્યરનો રેકોર્ડ
વૈભવ સૂર્યવંશીએ તાજેતરમાં કેવિન પીટરસનની યુટ્યુબ ચેનલ, ધ સ્વિચનો એક નવો એપિસોડ શૂટ કર્યો છે. આ એપિસોડ 25 મેના રોજ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો હતો, જેમાં વૈભવે માત્ર 25 બોલમાં 50 રનમાં સદી ફટકારી હતી. છતાં તે શ્રેયસ અય્યરનો રેકોર્ડ ના તોડી શક્યો.
- Smit Chauhan
- Updated on: May 25, 2026
- 5:12 pm
Breaking News: પંજાબે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, લખનૌ પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11
IPL ની 19 મી સિઝનની 68 મી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સની ટક્કર થઈ રહી છે. લખનૌના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ પહેલા ટોસ યોજાયો હતો, જેમાં પંજાબ કિંગ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી, એટલે આજની મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ પહેલા બેટિંગ કરશે.
- Smit Chauhan
- Updated on: May 23, 2026
- 7:24 pm
Breaking News: જો લખનૌ સામે પંજાબ હાર્યું, તો શ્રેયસ અય્યર MS ધોનીની બરાબરી કરવાની ગોલ્ડન તક ગુમાવશે
પંજાબ કિંગ્સ લખનૌ સુપર જાયન્ટ્સ સામે IPL 2026 ની છેલ્લી મેચ રમશે. પંજાબ કિંગ્સ પાસે 13 મેચમાંથી ફક્ત 13 પોઈન્ટ છે અને આ મેચ તેમના માટે કોઈપણ કિંમતે જીતવી જરૂરી છે. જોકે, જીત પણ તેમનું પ્લેઓફમાં સ્થાન સુનિશ્ચિત કરશે નહીં. પણ જો તેઓ હારી જશે તો પ્લેઓફમાંથી તો બહાર થશે જ, પણ ટીમનો કેપ્ટન શ્રેયસ અય્યર એક મોટી સિદ્ધિ હાંસલ કરવાથી અને ધોનીની બરાબરી કરવાથી રહી જશે.
- Smit Chauhan
- Updated on: May 23, 2026
- 5:33 pm
PBKS vs MI : તિલક વર્માની શાનદાર પારીથી મુંબઈએ પંજાબ સામે મેળવી રોમાંચક જીત
IPL 2026ની 58મી મેચ, (14 મે) મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ સામે રમાઈ. જેમાં મુંબઈ ઇન્ડિયન્સના ટીમે વિજય મેળવ્યો. આ સિઝનમાં મુંબઈનો આ ચોથો વિજય હતો. જ્યારે પંજાબની સતત પાંચમી હાર થઈ છે.
- Dhruval Shah
- Updated on: May 15, 2026
- 9:02 am
Breaking News: મુંબઈએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, પંજાબ પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11
IPL ની 19 મી સિઝનની 58 મી મેચમાં પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની ટક્કર થઈ રહી છે. ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં મેચ પહેલા ટોસ યોજાયો હતો, જેમાં મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી, એટલે આજની મેચમાં પંજાબ કિંગ્સ પહેલા બેટિંગ કરશે.
- Smit Chauhan
- Updated on: May 14, 2026
- 7:18 pm
PBKS vs MI : પ્લેઓફમાં આશા જીવંત રાખવા મુંબઈ સામે ઉતરશે પંજાબ !
આજે 14મી મે ના રોજ, IPL 2026ની 58મી મેચ પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાશે. આ મેચ હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં રમવામાં આવશે. પંજાબ કિંગ્સનો ઉદ્દેશ્ય IPL 2026 ના પ્લેઓફમાં પોતાનું સ્થાન મજબૂત કરવાનો રહેશે. બંને ટીમો તેમની અગાઉની મેચ હારી ચૂકી છે.
- Dhruval Shah
- Updated on: May 14, 2026
- 12:56 pm
PBKSની સતત ચોથી હાર બાદ, સરપંચ શ્રેયસ ઐયર થયો ગુસ્સે, ચહલને કેમ ઓવર ના આપી ? તે અંગે આવુ કહ્યું
IPLના ઇતિહાસમાં પ્રથમ વખત, ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ સ્ટેડિયમમાં 200 થી વધુ રનના લક્ષ્યનો સફળતાપૂર્વક પીછો કરવામાં આવ્યો હતો. અગાઉ, 2010 માં - અહીં CSK અને કિંગ્સ XI પંજાબ વચ્ચે રમાયેલી મેચ દરમિયાન - 193 રનના લક્ષ્યનો સફળતાપૂર્વક પીછો કરવામાં આવ્યો હતો. તે રેકોર્ડ હવે ગઈકાલ સોમવાર 11મી મેના રોજ આખરે તૂટી ગયો છે. દિલ્હી કેપિટલ્સની ટીમે 211 રન બનાવીને વિજય મેળવ્યો હતો.
- TV9 Gujarati
- Updated on: May 12, 2026
- 2:30 pm
PBKS VS DC : અક્ષર પટેલની તોફાની ઇનિંગ્સથી દિલ્હીની શાનદાર જીત!
IPL 2026ના 55મી મેચમાં દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સને 3 વિકેટે હરાવ્યું. આ જીત સાથે દિલ્હી કેપિટલ્સે પ્લેઓફમાં પહોંચવાની પોતાની આશાઓને આગામી મેચ સુધી જીવંત રાખી છે. બીજી તરફ પંજાબ કિંગ્સ સતત ચોથી હાર બાદ પોઇન્ટ્સ ટેબલમાં ટોચનું સ્થાન મેળવવાની તક ગુમાવી બેઠી છે.
- Dhruval Shah
- Updated on: May 12, 2026
- 8:25 am
Breaking News: જમણા હાથના બેટ્સમેન શ્રેયસ અય્યરે ડાબા હાથે ફટકારી જોરદાર સિક્સર, એક હાથથી કર્યો કમાલ
પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યરે દિલ્હી કેપિટલ્સ સામે શાનદાર અડધી સદી ફટકારી હતી. આ ઈનિંગ દરમિયાન અય્યરે એક શાનદાર સિક્સર ફટકારી હતી જેની ખૂબ ચર્ચા થઈ રહી છે. જમણા હાથના બેટ્સમેન શ્રેયસ અય્યરે ડાબા હાથે જોરદાર સિક્સર ફટકારી હતી જેનો વીડિયો વાયરલ થયો હતો.
- Smit Chauhan
- Updated on: May 11, 2026
- 10:28 pm
Breaking News: દિલ્હીએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, પંજાબ પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11
IPL ની 19 મી સિઝનની 55 મી મેચમાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સની ટક્કર થઈ રહી છે. ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં મેચ પહેલા ટોસ યોજાયો હતો, જેમાં દિલ્હી કેપિટલ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી, એટલે આજની મેચમાં પંજાબ કિંગ્સ પહેલા બેટિંગ કરશે.
- Smit Chauhan
- Updated on: May 11, 2026
- 7:20 pm
Breaking News: સંજુ સેમસન vs શ્રેયસ અય્યર… T20 ટીમની કેપ્ટનશિપના બે મુખ્ય દાવેદાર, જાણો કોણ કોનાથી આગળ?
સૂર્યકુમાર યાદવને T20 ટીમના કેપ્ટનપદેથી દૂર કરવાની શંકા ચાલી રહી છે અને નવા કેપ્ટન તરીકે બે નામ સામે આવય છે. આ બંનેને IPL માં કપ્તાનીનો સારો અનુભવ છે અને બેટસમેન તરીકે પણ ટીમ ઈન્ડિયામાં સ્થાન મજબૂત કરી રહ્યા છે. આ બે ધુરંધર છે- સંજુ સેમસન અને શ્રેયસ અય્યર. પણ સવાલ એ છે કે આ બેમાંથી શ્રેષ્ઠ કોણ છે? આ સવાલનો જવાબ બંનેના કેપ્ટનશિપ રેકોર્ડથી મળશે.
- Smit Chauhan
- Updated on: May 9, 2026
- 5:22 pm
India Captaincy : સૂર્યા કે શ્રેયસ નહીં પણ આ ખેલાડી બની શકે છે T20 ટીમ ઈન્ડિયાનો નવો કેપ્ટન, જાણો કોનુ નામ ચર્ચામાં
સંજુ સેમસને તાજેતરમાં T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાને જીતાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ પણ જાહેર કરવામાં આવ્યો હતો. એવા સમયે તેની કેપ્ટન માટેની દાવેદારી હવે વધુ મજબૂત દેખાઈ રહી છે.
- Dhruval Shah
- Updated on: May 9, 2026
- 9:33 am