AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શ્રેયસ ઐયર

શ્રેયસ ઐયર

શ્રેયસ ઐયર ભારતીય ક્રિકેટ ટીમનો તોફાની ટોપ ઓર્ડર બેટ્સમેન છે. શ્રેયસ ત્યારે ચર્ચામાં આવ્યો હતો જ્યારે આઇપીએલ 2015ના ઓક્શનમાં તેને રૂ 2.6 કરોડમાં દિલ્હીની ટીમએ ખરીદ્યો હતો. તે સીઝનમાં તેણે 439 રન કર્યા હતા અને તેને ‘આઇપીએલ ઇમરજીંગ પ્લેયર ઓફ ધ યર’નો એવોર્ડ આપવમાં આવ્યો હતો.

તેણે ડોમેસ્ટિક ક્રિકેટમાં મુંબઇ માટે ડેૂબ્યૂ કર્યુ હતુ. મુંબઇના 41મા રણજી ટ્રાફી ટાઇટલમાં તેણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, તેણે 1321 રન કર્યા હતા અને ફાઇનલમાં સદી ફટકારી હતી. 2017માં ભારત માટે તેણે ટી-20 ફોર્મેટમાં ન્યૂઝીલેન્ડ સામે અને વન ડે ફોર્મેટમાં શ્રીલંકા સામે ડેબ્યૂ કર્યુ હતુ.

2021માં ડેબ્યૂ ટેસ્ટમાં સદી કરનાર તે 16મો ભારતીય ક્રિકેટર બન્યો હતો. ડેબ્યૂ ટેસ્ટમાં તેણે ન્યૂઝીલેન્ડ સામે સદી અને ફિફટી ફટકારી હતી.

Read More

Breaking News: IND vs ENG ODI શ્રેણી પહેલા બર્મિંગહામમાં ફરવા નીકળ્યા ભારતીય ખેલાડીઓ, રોહિત સાથે સેલ્ફી લેવા પડાપડી

14 જુલાઈના રોજ પહેલી મેચ પહેલા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ બર્મિંગહામની શેરીઓમાં ફરવા નીકળ્યા હતા. ભારતીય ખેલાડીઓના આઉટિંગના વીડિયો સોશિયલ મીડિયા પર ફરતા થયા હતા. ફેન્સ રોહિત સહિત સ્ટાર ખેલાડીઓ સાથે ફોટા અને સેલ્ફી લેવા માટે ઉત્સુક દેખાયા હતા.

સૂર્યકુમાર યાદવને જ્યાં પહોંચતા 750 દિવસ લાગ્યા, શ્રેયસ અય્યરે માત્ર 16 દિવસમાં જ મેળવી લીધો એ શરમજનક રેકોર્ડ !

ભારતીય T20 ક્રિકેટ ટીમના નવા કેપ્ટન તરીકે શ્રેયસ અય્યરની શરૂઆત ખૂબ જ નબળી રહી છે. સૂર્યકુમાર યાદવ પછી ટીમની કમાન સંભાળનાર અય્યરે કપ્તાનીના શરૂઆતના દિવસોમાં જ એક એવો નકારાત્મક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે, જેને સૂર્યાએ લાંબા સમય સુધી ટાળી રાખ્યો હતો.

કેપ્ટન Shreyas Iyer કે પછી કોચ Gautam Gambhir? કોના લીધે વર્લ્ડ ચેમ્પિયન ભારત સતત 6 મેચ હાર્યું?

દુનિયાની નંબર-1 અને સતત બે વર્લ્ડ કપ જીતનારી ભારતીય ટીમ England પ્રવાસ પર એક પણ મેચ જીતી શકી નથી અને સતત 6 મેચ હારી ગઈ છે. આ શરમજનક પ્રદર્શન માટે માત્ર મેદાન પરના 11 ખેલાડીઓ જ નહીં પણ કેપ્ટન શ્રેયસ અય્યરની નબળી રણનીતિ અને કોચ ગૌતમ ગંભીરના કેટલાક ખોટા નિર્ણયો પણ જવાબદાર માનવામાં આવી રહ્યા છે.

Breaking News: ઈંગ્લેન્ડે ટીમ ઈન્ડિયાનો કર્યો વ્હાઈટવોશ, T20 શ્રેણીમાં 5-0 થી કારમી હાર

ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચની T20 શ્રેણીમાં ટીમ ઈન્ડિયાને 5-0થી કારમી હારનો સામનો કરવો પડ્યો છે. છેલ્લી મેચમાં પણ ભારતીય ટીમ બોલિંગ અને ફિલ્ડીંગમાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી હતી. બેટ્સમેનનોએ જીત મેળવવા પ્રયાસ કર્યો, પરંતુ અંતે ટીમની હાર થઈ. આ હાર સાથે શ્રેયસ અય્યરની કેપ્ટનશીપ અને ટીમના પ્રદર્શન પર ગંભીર સવાલો ઉભા થયા છે, જ્યારે ઈંગ્લેન્ડે ટીમ ઈન્ડિયાનો વ્હાઈટવોશ કરી સંપૂર્ણ દબદબો જમાવ્યો છે.

Breaking News: શ્રેયસ અય્યરની બહેને કર્યું એવું કામ, સોશિયલ મીડિયા પર શરૂ થયો નવો વિવાદ

શ્રેયસ અય્યર પહેલાથી જ પોતાની કેપ્ટનશીપને લઈને વિવાદોમાં ફસાઈ ચૂક્યો છે. એક તરફ જ્યાં ટીમ ઈન્ડિયા હજુ સુધી તેના નેતૃત્વમાં એક પણ મેચ જીતી શકી નથી. ત્યાં બીજી તરફ તેની બહેનના નિવેદનોથી તેની મુશ્કેલીમાં વધારો કરી થઈ રહ્યો છે. શ્રેયસની બહેન શ્રેષ્ઠાની એક પ્રતિક્રિયાથી મોટો વિવાદ ઉભો થયો છે.

Breaking News: વૈભવ સૂર્યવંશી બહાર, સંજુ સેમસન કરશે ઓપનિંગ, ટોસ જીતી ભારતની બોલિંગ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની T20 શ્રેણીની અંતિમ મેચમાં ભારતે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. વૈભવ સૂર્યવંશીને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવામાં આવ્યો છે, જ્યારે સંજુ સેમસનનું ટીમમાં કમબેક થયું છે. ઈંગ્લેન્ડ સામે T20 શ્રેણી હારી ગયેલી ટીમ ઈન્ડિયાએ સાઉથમ્પ્ટનમાં પોતાની પ્રતિષ્ઠા બચાવવા છેલ્લી T20 મેચમાં બે ફેરફાર કર્યા હતા.

હિટમેન અને સ્કાઈની મહેનત પર ફરશે પાણી? વધુ એક હાર અને માથા પરથી છીનવાઈ જશે સર્વશ્રેષ્ઠ ટીમનો ખિતાબ !

ભારતીય ટીમને આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામે ટી20માં સતત હારનો સામનો કરવો પડ્યો છે. પહેલા ભારતીય ટીમે સિરીઝ ગુમાવી છે અને હવે આઈસીસી ટી20 આંતરરાષ્ટ્રીય રેન્કિંગમાં ભારતનું નંબર-1નું સ્થાન પણ જોખમમાં આવી ગયું છે.

Breaking News: ટીમ ઈન્ડિયાના ખરાબ પ્રદર્શન બાદ BCCI એક્શનમાં, ગંભીર-અય્યર પાસે માંગશે જવાબ

આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામેની સતત નિષ્ફળતા બાદ BCCI એક્શનમાં આવ્યું છે. શ્રેણી પૂર્ણ થયા પછી હેડ કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન શ્રેયસ અય્યર સાથે બેઠક યોજાશે. બોર્ડ ટીમના ખરાબ પ્રદર્શન પાછળના કારણોની સમીક્ષા કરશે અને ભવિષ્યમાં સુધારા માટે જરૂરી પગલાં અંગે ચર્ચા કરશે.

ટી20 ચેમ્પિયન ટીમ ઈન્ડિયા સતત બે સીરિઝ કેમ હારી? જાણો હારના 5 મુખ્ય કારણો

ટી20 વર્લ્ડકપ 2026ની ચેમ્પિયન ટીમ ઈન્ડિયા સતત 2 ટી20 સીરિઝ કેમ હારી છે. તેની પાછળ રહેલા 5 કારણો ચાલો જાણીએ. ચાલો જાણીએ આ 2 સીરિઝનું કારણ શું છે.

IND vs ENG: શ્રેયસ અય્યરના નામે શરમજનક રેકોર્ડ, સતત પાંચ ટી20 મેચ હારનાર પ્રથમ ભારતીય કેપ્ટન બન્યો

Shreyas Iyer, India vs England : શ્રેયસ અય્યર કેપ્ટન બન્યા બાદ ટીમ ઈન્ડિયાનો ડાઉનફોલ સતત ચાલુ છે. હવે તો ભારતીય ક્રિકેટમાં એવું થયું જે છેલ્લા 7 વર્ષથી થયું ન હતુ.

Breaking News : ટીમ ઈન્ડિયાએ 12 વર્ષ પછી આટલો ખરાબ દિવસ જોયો, ઈંગ્લેન્ડે સીરિઝ પર કબ્જો કર્યો

IND vs ENG 4th T20I : ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડ વિરુદ્ધ ચોથી ટી20 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ સાથે ઈંગ્લેન્ડની ટીમે 5 મેચની આ સીરિઝમાંહારનો સામનો કરવો પડ્યો છે.ટીમ ઈન્ડિયાએ 12 વર્ષ પછી આટલો ખરાબ દિવસ જોયો હતો.

Breaking News: શ્રેયસ અય્યર નહીં… સૌથી વધુ T20 મેચ હારનાર ભારતીય કેપ્ટનનું નામ જાણીને ચોંકી જશો

શ્રેયસ અય્યરની કેપ્ટનશીપની હંમેશા પ્રશંસા કરવામાં આવી છે, પરંતુ જ્યારથી તેણે ટીમ ઈન્ડિયાની T20 ટીમની કમાન સંભાળી છે, ત્યારથી તે ચાહકોના નિશાના પર છે, કારણ કે તેમની કેપ્ટનશીપ હેઠળ ટીમ હજુ સુધી એક પણ મેચ જીતી શકી નથી. આ બધા વચ્ચે શ્રેયસની બહેનના વિરાટ અને રોહિતની કપ્તાનીમાં હાર અંગેના નિવેદનથી ખૂબ ચર્ચા થઈ રહી છે. ચાલો જાણીએ સૌથી વધુ T20 મેચ હારનાર ભારતીય કેપ્ટન કોણ છે.

શું શ્રેયસ અય્યર ખરેખર ઘમંડી છે ? ‘લોકઅપ’ શોમાંથી બહાર આવી બહેન શ્રેષ્ઠાએ ભાઈના જીવનના અનેક મોટા રહસ્યો ખોલ્યા!

ભારતીય ક્રિકેટર શ્રેયસ અય્યરની બહેન શ્રેષ્ઠા અય્યરનો લોકઅપ શોમાં સફર પૂર્ણ થઈ ગયો છે. શોમાંથી બહાર આવ્યા બાદ તેણે પોતાના વ્યક્તિગત જીવન અને ભાઈ શ્રેયસ અય્યરના સંઘર્ષ, ત્યાગ અને સફળતા વિશે ખુલ્લેઆમ વાત કરી છે.

Breaking News : IND vs ENG ચોથી T20I કેટલા વાગ્યે શરૂ થશે? શું સમયમાં કોઈ ફેરફાર થશે?

IND vs ENG ચોથી T20I આજે બ્રિસ્ટલમાં રમાશે. આ મેચ જો તમે ફ્રીમાં જોવા માંગો છો તો ડીડી સ્પોર્ટસ પર મેચ જોવાનો આનંદ માણી શકો છો. તો ચાલો જાણીએ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી ટી20 મેચ કેટલા વાગ્યે શરુ થશે.

ક્રિકેટ ઇતિહાસમાં ભારતની સૌથી શરમજનક હાર, માત્ર 76 રનમાં ટીમ ઈન્ડિયા થઈ ઓલઆઉટ !

ભારતીય ક્રિકેટ ટીમ માટે નોટિંગહામનું ટ્રેન્ટ બ્રિજ મેદાન હવે એક નિરાશાજનક યાદ બની ગયું છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની T20 સિરીઝની ત્રીજી મેચ નોટિંગહામના ઐતિહાસિક ટ્રેન્ટ બ્રિજ મેદાન પર રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયા 125 રનથી હારી ગઈ.

ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન
જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન
જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video
જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video
3 સિંહો સામે જીવ માટે જંગ! શ્વાન અને આખલાના CCTV વાયરલ
3 સિંહો સામે જીવ માટે જંગ! શ્વાન અને આખલાના CCTV વાયરલ
14 જુલાઈ: મેષ-સિંહને બમ્પર ફાયદો, જાણો તમારું રાશિફળ
14 જુલાઈ: મેષ-સિંહને બમ્પર ફાયદો, જાણો તમારું રાશિફળ
g clip-path="url(#clip0_868_265)">