શ્રેયસ ઐયર
શ્રેયસ ઐયર ભારતીય ક્રિકેટ ટીમનો તોફાની ટોપ ઓર્ડર બેટ્સમેન છે. શ્રેયસ ત્યારે ચર્ચામાં આવ્યો હતો જ્યારે આઇપીએલ 2015ના ઓક્શનમાં તેને રૂ 2.6 કરોડમાં દિલ્હીની ટીમએ ખરીદ્યો હતો. તે સીઝનમાં તેણે 439 રન કર્યા હતા અને તેને ‘આઇપીએલ ઇમરજીંગ પ્લેયર ઓફ ધ યર’નો એવોર્ડ આપવમાં આવ્યો હતો.
તેણે ડોમેસ્ટિક ક્રિકેટમાં મુંબઇ માટે ડેૂબ્યૂ કર્યુ હતુ. મુંબઇના 41મા રણજી ટ્રાફી ટાઇટલમાં તેણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, તેણે 1321 રન કર્યા હતા અને ફાઇનલમાં સદી ફટકારી હતી. 2017માં ભારત માટે તેણે ટી-20 ફોર્મેટમાં ન્યૂઝીલેન્ડ સામે અને વન ડે ફોર્મેટમાં શ્રીલંકા સામે ડેબ્યૂ કર્યુ હતુ.
2021માં ડેબ્યૂ ટેસ્ટમાં સદી કરનાર તે 16મો ભારતીય ક્રિકેટર બન્યો હતો. ડેબ્યૂ ટેસ્ટમાં તેણે ન્યૂઝીલેન્ડ સામે સદી અને ફિફટી ફટકારી હતી.
PBKS vs MI : તિલક વર્માની શાનદાર પારીથી મુંબઈએ પંજાબ સામે મેળવી રોમાંચક જીત
IPL 2026ની 58મી મેચ, (14 મે) મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ સામે રમાઈ. જેમાં મુંબઈ ઇન્ડિયન્સના ટીમે વિજય મેળવ્યો. આ સિઝનમાં મુંબઈનો આ ચોથો વિજય હતો. જ્યારે પંજાબની સતત પાંચમી હાર થઈ છે.
- Dhruval Shah
- Updated on: May 15, 2026
- 9:02 am
Breaking News: મુંબઈએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, પંજાબ પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11
IPL ની 19 મી સિઝનની 58 મી મેચમાં પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની ટક્કર થઈ રહી છે. ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં મેચ પહેલા ટોસ યોજાયો હતો, જેમાં મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી, એટલે આજની મેચમાં પંજાબ કિંગ્સ પહેલા બેટિંગ કરશે.
- Smit Chauhan
- Updated on: May 14, 2026
- 7:18 pm
PBKS vs MI : પ્લેઓફમાં આશા જીવંત રાખવા મુંબઈ સામે ઉતરશે પંજાબ !
આજે 14મી મે ના રોજ, IPL 2026ની 58મી મેચ પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાશે. આ મેચ હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં રમવામાં આવશે. પંજાબ કિંગ્સનો ઉદ્દેશ્ય IPL 2026 ના પ્લેઓફમાં પોતાનું સ્થાન મજબૂત કરવાનો રહેશે. બંને ટીમો તેમની અગાઉની મેચ હારી ચૂકી છે.
- Dhruval Shah
- Updated on: May 14, 2026
- 12:56 pm
PBKSની સતત ચોથી હાર બાદ, સરપંચ શ્રેયસ ઐયર થયો ગુસ્સે, ચહલને કેમ ઓવર ના આપી ? તે અંગે આવુ કહ્યું
IPLના ઇતિહાસમાં પ્રથમ વખત, ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ સ્ટેડિયમમાં 200 થી વધુ રનના લક્ષ્યનો સફળતાપૂર્વક પીછો કરવામાં આવ્યો હતો. અગાઉ, 2010 માં - અહીં CSK અને કિંગ્સ XI પંજાબ વચ્ચે રમાયેલી મેચ દરમિયાન - 193 રનના લક્ષ્યનો સફળતાપૂર્વક પીછો કરવામાં આવ્યો હતો. તે રેકોર્ડ હવે ગઈકાલ સોમવાર 11મી મેના રોજ આખરે તૂટી ગયો છે. દિલ્હી કેપિટલ્સની ટીમે 211 રન બનાવીને વિજય મેળવ્યો હતો.
- TV9 Gujarati
- Updated on: May 12, 2026
- 2:30 pm
PBKS VS DC : અક્ષર પટેલની તોફાની ઇનિંગ્સથી દિલ્હીની શાનદાર જીત!
IPL 2026ના 55મી મેચમાં દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સને 3 વિકેટે હરાવ્યું. આ જીત સાથે દિલ્હી કેપિટલ્સે પ્લેઓફમાં પહોંચવાની પોતાની આશાઓને આગામી મેચ સુધી જીવંત રાખી છે. બીજી તરફ પંજાબ કિંગ્સ સતત ચોથી હાર બાદ પોઇન્ટ્સ ટેબલમાં ટોચનું સ્થાન મેળવવાની તક ગુમાવી બેઠી છે.
- Dhruval Shah
- Updated on: May 12, 2026
- 8:25 am
Breaking News: જમણા હાથના બેટ્સમેન શ્રેયસ અય્યરે ડાબા હાથે ફટકારી જોરદાર સિક્સર, એક હાથથી કર્યો કમાલ
પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યરે દિલ્હી કેપિટલ્સ સામે શાનદાર અડધી સદી ફટકારી હતી. આ ઈનિંગ દરમિયાન અય્યરે એક શાનદાર સિક્સર ફટકારી હતી જેની ખૂબ ચર્ચા થઈ રહી છે. જમણા હાથના બેટ્સમેન શ્રેયસ અય્યરે ડાબા હાથે જોરદાર સિક્સર ફટકારી હતી જેનો વીડિયો વાયરલ થયો હતો.
- Smit Chauhan
- Updated on: May 11, 2026
- 10:28 pm
Breaking News: દિલ્હીએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, પંજાબ પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11
IPL ની 19 મી સિઝનની 55 મી મેચમાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સની ટક્કર થઈ રહી છે. ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં મેચ પહેલા ટોસ યોજાયો હતો, જેમાં દિલ્હી કેપિટલ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી, એટલે આજની મેચમાં પંજાબ કિંગ્સ પહેલા બેટિંગ કરશે.
- Smit Chauhan
- Updated on: May 11, 2026
- 7:20 pm
Breaking News: સંજુ સેમસન vs શ્રેયસ અય્યર… T20 ટીમની કેપ્ટનશિપના બે મુખ્ય દાવેદાર, જાણો કોણ કોનાથી આગળ?
સૂર્યકુમાર યાદવને T20 ટીમના કેપ્ટનપદેથી દૂર કરવાની શંકા ચાલી રહી છે અને નવા કેપ્ટન તરીકે બે નામ સામે આવય છે. આ બંનેને IPL માં કપ્તાનીનો સારો અનુભવ છે અને બેટસમેન તરીકે પણ ટીમ ઈન્ડિયામાં સ્થાન મજબૂત કરી રહ્યા છે. આ બે ધુરંધર છે- સંજુ સેમસન અને શ્રેયસ અય્યર. પણ સવાલ એ છે કે આ બેમાંથી શ્રેષ્ઠ કોણ છે? આ સવાલનો જવાબ બંનેના કેપ્ટનશિપ રેકોર્ડથી મળશે.
- Smit Chauhan
- Updated on: May 9, 2026
- 5:22 pm
India Captaincy : સૂર્યા કે શ્રેયસ નહીં પણ આ ખેલાડી બની શકે છે T20 ટીમ ઈન્ડિયાનો નવો કેપ્ટન, જાણો કોનુ નામ ચર્ચામાં
સંજુ સેમસને તાજેતરમાં T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાને જીતાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ પણ જાહેર કરવામાં આવ્યો હતો. એવા સમયે તેની કેપ્ટન માટેની દાવેદારી હવે વધુ મજબૂત દેખાઈ રહી છે.
- Dhruval Shah
- Updated on: May 9, 2026
- 9:33 am
T20 Team : ટીમ ઈન્ડિયામાંથી સૂર્યકુમાર યાદવ થશે બહાર ! આ ખેલાડી બનશે નવો કેપ્ટન? સામે આવી મોટી અપડેટ
BCCI એ ભારતની T20 ટીમના કેપ્ટનને બદલવાની યોજના ઘડી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. સૂર્યકુમાર યાદવ લગભગ બે વર્ષથી T20 ટીમના કેપ્ટન છે; જો કે, એક મીડિયાના અહેવાલ મુજબ, હવે તેમને આ જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવશે. ભવિષ્ય પર નજર રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
- Devankashi rana
- Updated on: May 8, 2026
- 9:28 am
Breaking News: પંજાબે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, હૈદરાબાદ પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11
IPL ની 19 મી સિઝનની 49 મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સની ટક્કર થઈ રહી છે. હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં મેચ પહેલા ટોસ યોજાયો હતો, જેમાં પંજાબ કિંગ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી, એટલે આજની મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ પહેલા બેટિંગ કરશે.
- Smit Chauhan
- Updated on: May 6, 2026
- 8:19 pm
Breaking News: રાહુલના 152 વ્યર્થ, પંજાબે IPL ઈતિહાસનો સૌથી મોટો રનચેઝ કરી દિલ્હીને આપી માત
IPL 2026, DC vs PBKS: પંજાબ કિંગ્સે દિલ્હી કેપિટલ્સ સામે IPL ઈતિહાસનીમાં સૌથી મોટી જીત મેળવી. આ મેચમાં પંજાબને 265 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, અને શ્રેયસ અય્યરની ટીમે આ ટાર્ગેટ ચેઝ કરી IPLમાં સૌથી વધુ મોટો એન સૌથી સફળ રન ચેઝનો રેકોર્ડ બનાવ્યો.
- Smit Chauhan
- Updated on: Apr 25, 2026
- 8:34 pm
Breaking News: IPL 2026થી ખુલશે ટીમ ઈન્ડિયાના દરવાજા ? આ પાંચ અનુભવી ખેલાડીઓનું થશે કમબેક?
IPL 2026માં યુવા પ્રતિભા સાથે અનુભવી ખેલાડીઓનું શાનદાર મિશ્રણ જોવા મળી રહ્યું છે. ટૂર્નામેન્ટની અડધી સિઝન પૂર્ણ થતા પહેલા જ કેટલાક સિનિયર અને લાંબા સમયથી ભારતીય ટીમથી બહાર રહેલા ખેલાડીઓએ પોતાના પ્રદર્શનથી ફરી પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું છે. જો તેમનું સારું ફોર્મ આખી સિઝનમાં ચાલુ રહેશે તો આ ખેલાડીઓ ટૂંક સમયમાં ભારતીય ટીમમાં વાપસી કરી શકે છે.
- Smit Chauhan
- Updated on: Apr 21, 2026
- 8:25 pm
Breaking News: IPL 2026માં પહેલી 30 મેચ પછી કેપ્ટનોના રિપોર્ટ કાર્ડ, જાણો કોણ ફેલ કોણ પાસ
IPL 2026 ની પહેલી 30 મેચ પછી બધા 10 કેપ્ટનોના રિપોર્ટ કાર્ડ સામે આવ્યા છે. આ રિપોર્ટ કાર્ડ તેમની કેપ્ટનશીપ વિશે નથી, પરંતુ બેટ અને બોલ સાથેના તેમના પ્રદર્શન વિશે છે. દસમાંથી ફક્ત ચાર કેપ્ટન પાસ થયા છે, એટલે કે તેમનું પ્રદર્શન બ્લોકબસ્ટર રહ્યું છે. બાકીના છ કેપ્ટન અત્યાર સુધી નિષ્ફળ ગયા છે, એટલે કે તેમનું પ્રદર્શન ફ્લોપ રહ્યું છે. હવે પ્રશ્ન એ છે કે કયા ચાર કેપ્ટન પાસ થયા અને કયા છ નિષ્ફળ ગયા. તો ચાલો દરેક પર એક નજર કરીએ.
- Smit Chauhan
- Updated on: Apr 21, 2026
- 6:05 pm
Breaking News : શ્રેયસ ઐયરે ઇનામ તરીકે પોતાનું બેટ રાખ્યું, PBKS ખેલાડીઓએ જીતવા માટે સ્પર્ધા કરી
પંજાબ કિંગ્સના ખેલાડીઓ વચ્ચે તેના કેપ્ટન શ્રેયસ અય્યરે એક રેસ શરુ કરી છે. જે પણ આ રેસ જીતશે. તેને કેપ્ટન શ્રેયસ અય્યરનું બેટ મળશે. આઈપીએલ 2026માં રમાયેલી 29 મેચ બાદ પંજાબ કિંગ્સ સૌથી વધારે સિક્સ ફટકાવનારી ટીમ બની છે.
- Nirupa Duva
- Updated on: Apr 20, 2026
- 11:03 am