શ્રેયસ ઐયર

શ્રેયસ ઐયર

શ્રેયસ ઐયર ભારતીય ક્રિકેટ ટીમનો તોફાની ટોપ ઓર્ડર બેટ્સમેન છે. શ્રેયસ ત્યારે ચર્ચામાં આવ્યો હતો જ્યારે આઇપીએલ 2015ના ઓક્શનમાં તેને રૂ 2.6 કરોડમાં દિલ્હીની ટીમએ ખરીદ્યો હતો. તે સીઝનમાં તેણે 439 રન કર્યા હતા અને તેને ‘આઇપીએલ ઇમરજીંગ પ્લેયર ઓફ ધ યર’નો એવોર્ડ આપવમાં આવ્યો હતો.

તેણે ડોમેસ્ટિક ક્રિકેટમાં મુંબઇ માટે ડેૂબ્યૂ કર્યુ હતુ. મુંબઇના 41મા રણજી ટ્રાફી ટાઇટલમાં તેણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, તેણે 1321 રન કર્યા હતા અને ફાઇનલમાં સદી ફટકારી હતી. 2017માં ભારત માટે તેણે ટી-20 ફોર્મેટમાં ન્યૂઝીલેન્ડ સામે અને વન ડે ફોર્મેટમાં શ્રીલંકા સામે ડેબ્યૂ કર્યુ હતુ.

2021માં ડેબ્યૂ ટેસ્ટમાં સદી કરનાર તે 16મો ભારતીય ક્રિકેટર બન્યો હતો. ડેબ્યૂ ટેસ્ટમાં તેણે ન્યૂઝીલેન્ડ સામે સદી અને ફિફટી ફટકારી હતી.

Read More

‘મેં ઈશાન કિશન અને શ્રેયસ અય્યરનો કોન્ટ્રાક્ટ છીનવ્યો નથી’, જય શાહે કહ્યું કોનો હતો અંતિમ નિર્ણય?

શ્રેયસ અય્યર અને ઈશાન કિશનને BCCIની નવી કોન્ટ્રાક્ટ લિસ્ટમાંથી ગાઈડલાઈન્સનું પાલન ન કરવા અને ડોમેસ્ટિક ક્રિકેટથી અંતર જાળવવા બદલ બહાર કરવામાં આવ્યા હતા. હવે જય શાહ કહે છે કે આ નિર્ણય તેમનો નહોતો. તેણે આ નિર્ણય પાછળ કોઈ અન્યનું નામ લીધું હતું.

T20 વર્લ્ડ કપ 2024: ઈશાન કિશનથી લઈને શ્રેયસ અય્યર સુધી, આ 5 ખેલાડીઓની પસંદગી મુશ્કેલ

IPLની 17મી સિઝન ચાલી રહી છે પરંતુ તેની સાથે જ ભારતીય ટીમ મેનેજમેન્ટ T20 વર્લ્ડ કપ પર પણ નજર રાખી રહ્યું છે. IPL 2024માં ખેલાડીઓનું પ્રદર્શન અને વર્તમાન ફોર્મ T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયામાં તેમના સ્થાન માટે મહત્વપૂર્ણ ચાવી છે. અત્યાર સુધી રમાયેલી મેચોમાં તેમના પ્રદર્શનને કારણે પાંચ ખેલાડીઓની T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયામાં પસંદ થવાની આશાઓ ધૂંધળી થઈ ગઈ છે. જાણો કોણ છે આ પાંચ ખેલાડીઓ.

IPL 2024 KKR vs RR: શ્રેયસ અય્યરે ટોસ પહેલા કરી કિસ, જાણો પછી શું થયું?

કોલકાતા નાઈટ રાઈડર્સે આ સિઝનમાં સતત સારું પ્રદર્શન કર્યું, 5 માંથી 4 મેચ જીતી અને પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને રહી. જો કે, આ વખતે તેનો સામનો રાજસ્થાન રોયલ્સ સાથે થયો હતો જે સમાન રીતે સારું પ્રદર્શન કરી રહી હતી અને આવી સ્થિતિમાં કોલકાતાનો કેપ્ટન શ્રેયસ અય્યર જીતવા માટે કોઈપણ પદ્ધતિ અપનાવવા તૈયાર હતો.

IPL 2024: KKR vs LSG વચ્ચેની મેચમાં ફિલિપ સોલ્ટ અને શ્રેયસ ઐયરનું તોફાન, કોલકાતાએ જીતી ચોથી મેચ

Kkr vs Lsg: IPL 2024 ની 28મી મેચ આજે 14 એપ્રિલે કોલકાતા નાઈટ રાઈડર્સ અને લખનૌ સુપરજાયન્ટ્સ (KKR VS LSG) વચ્ચે રમાઈ હતી. આ મેચમાં KKRએ શાનદાર જીત નોંધાવી હતી.

Airport પર ક્રિકેટરો કેમ Headphone પહેરીને ફરે છે? ખુદ હિટમેન રોહિત શર્માએ ખોલ્યું રહસ્ય

રોહિત-શ્રેયસ અય્યર ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શોમાં આવ્યા હતા, તેઓએ એવી વાતો શેર કરી કે જેને સાંભળીને બધા હસ્યા. મોટા ભાગે એરપોર્ટ પર ક્રિકેટરો હેડફોન લગાવીને જોવા મળે છે. જોકે આ પાછળનું કારણ ભાગ્યે જ કોઈને ખબર હશે. રોહિત શર્માએ આનું કારણ જણાવ્યું હતું. 

શું KKR IPL 2024નું ટાઈટલ જીતશે? ગંભીર-અય્યરનું ખાસ કનેક્શન સંકેત આપી રહ્યું છે

કોલકાતાની ટીમે IPLમાં દિલ્હી સામે જીતની હેટ્રિક લગાવી હતી. આ રેકોર્ડ જીત સાથે ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે. KKRના શાનદાર પ્રદર્શન બાદ તેમને આ સિઝનમાં પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યું છે. આ દરમિયાન કેપ્ટન શ્રેયસ અય્યર અને કોચ ગૌતમ ગંભીર વચ્ચે ખાસ કનેક્શન જોવા મળ્યું છે. જે બાદ ટીમનો દાવો મજબૂત થતો જોવા મળી રહ્યો છે. જાણો તે કનેક્શન શું છે?

IPL 2024 DC vs KKR Score: કોલકાતાએ લગાવી જીતની હેટ્રિક, દિલ્હીને 106 રનથી હરાવ્યું

ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝનની 16મી મેચમાં દિલ્હી કેપિટ્લ્સ અને કોલકત્તા નાઈટ રાઈડર્સની ટક્કર થશે. કોલકાતાની ટીમે સતત બે મેચ જીતી ચૂકી છે. જ્યારે દિલ્હીને 3 મેચમાં માત્ર એક જ જીત મળી છે. એવામાં આજની મેચ રોમાંચક બની. જેમાં દિલ્હીની મોટી 106 રનો થી જીત થઈ છે.

IPL 2024: વિરાટ કોહલીની ટીમ પર ભારે પડ્યા ‘બે અય્યર’, જાણો શું છે બંને વચ્ચેનું ખાસ કનેક્શન?

IPL 2024ની 10મી મેચમાં બેંગલુરુ અને કોલકાતા વચ્ચેના મુકાબલામાં બે અય્યરોએ એવો કમાલ કર્યો કે વિરાટ કોહલીની ટીમ મેચ જ હારી ગઈ. આ બે અય્યરો કોણ છે? અને તેમણે એવું શું કર્યું કે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની હાર જાણો આ આર્ટીકલમાં.

IPL 2024: RCB vs KKRની મેચમાં 10 મી ઓવરના બીજા બોલે કોલકતાની ટીમના શ્વાસ કરી દીધા અધ્ધર

IPL 2024 ની 10મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે શુક્રવારે બેંગલુરુમાં રમાઈ રહી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 182 રન બનાવ્યા હતા. બાદમાં કોલકતા બેટિંગ માટે આવ્યું હતું. જોકે આ વચ્ચે કોલકતાની બેટિંગમાં 10 મી ઓવરના બીજા બોલે લોકોના શ્વાસ અધ્ધર થયા હતા.

IPL 2024: પરંપરા તુટી KKR સામે RCB ને ઘરઆંગણે મળી હાર, 7 વિકેટે કોલકત્તાની થઈ જીત

IPL 2024 માં ઘરેલું ટીમોની જીતનો સિલસિલો સમાપ્ત થઈ ગયો છે. કોલકાતા નાઈટ રાઈડર્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને ઘરઆંગણે હરાવ્યું છે. વિરાટ કોહલીની 83 રનની અણનમ ઇનિંગ છતાં RCBને શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો.

IPL 2024: RCB Vs KKR ની મેચમાં શ્રેયસ અય્યરે ટોસ સમયે કરેલી ભૂલ કેમેરામાં થઈ કેદ, જુઓ Video

કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન શ્રેયસ અય્યરે ટીમમાં કયા ફેરફારો કર્યા ? કયા ખેલાડીને બહાર કાઢવામાં આવ્યા અને કોને અંદર લેવામાં આવ્યા. એ ભૂલી ગયા. આરસીબી સામેની મેચમાં ટોસ દરમિયાન તેના માટે જે મૂંઝવણ ઊભી થઈ હતી તે કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

RCB vs KKR Live Score, IPL 2024 : IPL 2024 : ઘરઆંગણે મેચ જીતવાની પરંપરા 10મી મેચમાં તુટી, બેંગલુરુમાં 07 વિકેટે કોલકત્તા જીત્યું

Royal Challengers Bangalore vs Kolkata Knight Riders Live Score in gujarati : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર IPL 2024 માં તેની ત્રીજી મેચ શુક્રવારે બેંગલુરુમાં KKR સામે રમશે. RCB અને KKR એ 1-1 મેચ જીતી છે.

શું BCCI શ્રેયસ અય્યર પર યુ-ટર્ન લેશે? રણજી ટ્રોફી ફાઈનલ બાદ આવ્યા મોટા સમાચાર

શ્રેયસ અય્યરે મુંબઈ માટે રણજી ટ્રોફીની સેમી ફાઈનલ અને ફાઈનલ મેચોમાં ભાગ લીધો હતો. ફાઈનલની બીજી ઈનિંગમાં શ્રેયસે મુંબઈ માટે 95 રન બનાવ્યા હતા પરંતુ આ પછી તેની પીઠનો દુખાવો ફરી શરૂ થતા તે મેચના ચોથા અને પાંચમા દિવસે ફિલ્ડિંગ કરી શક્યો નહોતો. જોકે તે BCCI ની વાત માની રણજી ટ્રોફીમાં રમ્યો, તેને જોતા હવે ફરી બોર્ડ તેના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ પર ફેર વિચાર કરી શકે છે.

શ્રેયસ અય્યરના IPL 2024માં રમવા પર લટકી તલવાર, હવે KKR શું કરશે?

IPL 2024માં શ્રેયસ અય્યરના રમવા પર સસ્પેન્સના વાદળો છવાઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. આ કારણે કોલકાતા નાઈટ રાઈડર્સને બેવડા પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. શ્રેયસ અય્યરને રણજી ટ્રોફીની ફાઈનલ દરમિયાન ઈજા થઈ હતી.

વિદર્ભ સામે છે પહાડો જેવો ટાર્ગેટ, 42મી વખત રણજી ટ્રોફી ચેમ્પિયન બનવાની નજીક છે મુંબઈની ટીમ

મુંબઈની ટીમ આજે ફરીથી રણજી ટ્રોફીની ચેમ્પિયન બની શકે છે. મેચનો આજે ચોથો દિવસ છે, પરંતુ વિદર્ભની સામે વિશાળ લક્ષ્યાંક છે. તેના ખાતામાં હજુ 10 વિકેટ પણ છે.મુંબઈનો બેટ્સમેન મુશીર ખાને રણજી ટ્રોફી 2024ના ફાઈનલ મેચમાં વિદર્ભ વિરુદ્ધ સદી ફટકારી હતી.

કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
ભારજ નદી પરનો પુલ બેસી જતા તંત્રએ કરોડોના ખર્ચે બનાવ્યુ કામચલાઉ છલિયુ
ભારજ નદી પરનો પુલ બેસી જતા તંત્રએ કરોડોના ખર્ચે બનાવ્યુ કામચલાઉ છલિયુ
રાજકોટમાં પાણીનો જથ્થો પુરતો પ્રમાણમાં હોવાનો મનપા કમિશનરનો દાવો
રાજકોટમાં પાણીનો જથ્થો પુરતો પ્રમાણમાં હોવાનો મનપા કમિશનરનો દાવો
કાળજાળ ગરમી વચ્ચે માવઠુ, ભાવનગર અને બોટાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો
કાળજાળ ગરમી વચ્ચે માવઠુ, ભાવનગર અને બોટાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો
ભર ઉનાળે ગુજરાતના 50 ડેમના તળિયા ઝાટક
ભર ઉનાળે ગુજરાતના 50 ડેમના તળિયા ઝાટક
g clip-path="url(#clip0_868_265)">