AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિમાની સેવા

વિમાની સેવા

દેશ વિદેશમાં વિમાની સેવા ઝડપી આવ-જા માટેનું સુગમ માધ્યમ છે. એક સમયે માત્ર પૈસાપાત્ર લોકો જ વિમાની સેવાનો ઉપયોગ કરતા હતા. પરંતુ હવે સરકારના કેટલાક નિર્યણનો કારણે મધ્યમવર્ગ અને નીચલા મધ્યમવર્ગના લોકો પણ વિમાની સેવાનો ઉપયોગ કરી રહ્યાં છે.

આજે વિમાની સેવાનો વ્યાપ વધતોજતો હોવાથી રાજ્ય અને કેન્દ્ર સરકાર વધુને વધુ એરપોર્ટ બને તે દિશમાં કાર્ય કરી રહ્યાં છે. જેથી વિમાની સેવાનો સૌ કોઈ સરળતાથી ઉપયોગ કરી શકે.

વિમાની સેવા બે પ્રકારની હોય છે. એક ડોમેસ્ટીક અને બીજી છે ઈન્ટરનેશનલ, ડોમેસ્ટીક વિમાની સેવા દેશની અંદર આવેલા વિવિધ શહેરને અનેક એરલાઈન્સ વિમાની સેવાથી જોડે છે. જ્યારે આતંરરાષ્ટ્રીય વિમાની સેવા દેશના સિમાડાઓની બહાર વિદેશના શહેરોને જોડે છે.

ડોમેસ્ટીક કે ઈન્ટરનેશનલ વિમાની સેવા માટે દરેક એરલાઈન્સને કેન્દ્ર સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને તેના સંબંધિત વિભાગમાંથી પ્રમાણપત્રો લેવા આવશ્યક છે. ઇન્ડિગો, એર ઇન્ડિયા, વિસ્તારા, સ્પાઇસજેટ, એર એશિયા, ગો ફર્સ્ટ, અકાસા એર સહીતને અન્ય એરલાઈન્સ ડોમેસ્ટીક સેવા આપી રહી છે.

Read More

તમે ડ્રોન ખરીદવા કે ઉડાડવા માંગતા હોવ તો આટલી વિગતો જાણી લેજો, નહીં તો કારકિર્દીમાં લાગશે કેસની કાળી ટીલી

ડ્રોન અથવા માનવરહિત હવાઈ વાહનો (UAVs) - નો ઉપયોગ લશ્કરી અથવા સુરક્ષા એજન્સીઓ સુધી જ મર્યાદિત નથી રહ્યો. આજે, ફોટોગ્રાફી, ફિલ્મ નિર્માણ, કૃષિ, જમીન સર્વેક્ષણ, દેખરેખ અને લોજિસ્ટિક્સ જેવા ક્ષેત્રોમાં ડ્રોનનો ઉપયોગ વધુને વધુ થઈ રહ્યો છે. જો કે, ભારતમાં ડ્રોન ઉડાડવા માટે કેટલાક ચોક્કસ નિયમો અને શરતો છે. તેથી, જો તમે ડ્રોન ખરીદવા અથવા ઉડાડવાની યોજના બનાવી રહ્યા હોવ તો, ડ્રોનના વજન, રજીસ્ટ્રેશન, ફ્લાઇટ ઝોન અને જરૂરી પરવાનગીઓ સંબંધિત નિયમોને સમજવા મહત્વપૂર્ણ છે.

એક જ ભૂલ ને પ્લેન ક્રેશ; પાઇલટ અને કો-પાઇલટને કેમ ક્યારેય નથી અપાતું એકસરખું ભોજન? જાણો કારણ

વિમાનમાં પાઇલટ અને કો-પાઇલટને હંમેશાં અલગ-અલગ ભોજન આપવામાં આવે છે. આ નિયમ પાછળનું કારણ માત્ર પાઇલટની સુરક્ષા નહીં, પરંતુ વિમાનમાં મુસાફરી કરતા તમામ મુસાફરોની સુરક્ષા સાથે પણ જોડાયેલું છે. પાઇલટ અને કો-પાઇલટની તંદુરસ્તીને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે.

Breaking News : મારી બેગમાં બોમ્બ છે, મુસાફરના નિવેદને મુંબઈ એરપોર્ટમાં મચાવી હડકંપ, રોકી દેવી પડી ફ્લાઈટ

એક મુસાફરે દાવો કર્યો કે તેની બેગમાં બોમ્બ છે. આ એક જ વાક્યથી એરપોર્ટ પર અરાજકતા ફેલાઈ ગઈ. દિલ્હી જતી ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઇટ, જે ટેકઓફ માટે તૈયાર હતી, તેને તાત્કાલિક રોકવી પડી.

Trending Video : 12 કલાકની શિફ્ટ અને ઓછો પગાર, હોટલની નોકરી છોડીને ફ્લાઇટ એટેન્ડન્ટ બનેલી યુવતીએ જણાવ્યા 6 ચોંકાવનારા કારણ !

સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક ફ્લાઇટ એટેન્ડન્ટે જણાવ્યું છે કે આખરે તેણે હોટલની નોકરી છોડીને કેબિન ક્રૂ બનવાનો નિર્ણય કેમ લીધો.

વિદેશ જવાનું સપનું થશે પૂરું… અમદાવાદ સહિત 5 શહેર માટે ‘ખાસ ઓફર’, માત્ર ₹11 થી શરૂ થઈ રહી છે ‘ફ્લાઇટ ટિકિટ’

જો તમે વિદેશ પ્રવાસ કરવાનું કે વિયેતનામ ફરવા જવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે એક શાનદાર તક આવી ગઈ છે. વિયેતનામની જાણીતી એરલાઇન ભારતીય મુસાફરો માટે એક ખાસ ઓફર લઈને આવી છે, જેમાં હવાઈ સફરની ટિકિટ માત્ર ₹11 (ટેક્સ અને ફી સિવાય) થી શરૂ થઈ રહી છે.

Breaking News : રાજકોટમાં ઈન્ડિગોની ફલાઈટનું ઇમરજન્સી લેન્ડિંગ, પ્રાથમિક તારણમાં આ કારણ સામે આવ્યું , જુઓ Video

રાજકોટ-દુબઇ થી મુંબઈ જતી ફલાઇટનું રાજકોટમાં ઇમરજન્સી લેન્ડીંગ કરવામાં આવ્યું હતુ. કાર્ગો સાઇડ સ્મોક જોવા મળતા લેન્ડીંગ કરાયું હતુ. હવે આ ઘટના મામલે ફલાઇટમાં ઓક્સિજન સિલિન્ડરમાંથી ગેસ લીકેજ થયાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.

સસ્તામાં કરવો છે હવાઈ પ્રવાસ ? ફ્લાઇટ ટિકિટ બુક કરતી વખતે અપનાવો આ 5 ટ્રિક્સ, બજેટમાં થશે મોટી બચત !

આજના સમયમાં ફ્લાઇટ ટિકિટના ભાવ ઝડપથી બદલાતા રહે છે. ક્યારેક ટિકિટ ખૂબ સસ્તી મળે છે તો ક્યારેક તેની કિંમત મોટાભાગે મોંઘી થઈ જાય છે. પરંતુ જો તમે સ્માર્ટ ટ્રિક્સ અપનાવો, તો મોંઘી ટિકિટથી બચી શકો છો. યોગ્ય સમય, થોડું આયોજન અને યોગ્ય ટૂલ્સનો ઉપયોગ કરીને ફ્લાઇટ ટિકિટ ઓછી કિંમતે મેળવી શકાય છે.

Ahmedabad plane crash : અમદાવાદ વિમાન દુર્ઘટનાના પુરાવા જાહેર કરવામાં આવશે નહીં, જાણો કેમ?

અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાનો મામલો AAIBનું સુપ્રિમ કોર્ટમાં સોગંદનામું, AAIBએ કહ્યું વિમાન દુર્ઘટનાના પુરાવાઓને જાહેર કરી શકાય નહીં. AAIB એ સુપ્રીમ કોર્ટને એ પણ જણાવ્યું હતું કે અંતિમ ડ્રાફ્ટ રિપોર્ટ ઓક્ટોબર 2026 સુધીમાં તૈયાર થઈ જશે.

Breaking News: PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ધોલેરા એરપોર્ટને લઈને ‘મોટી જાહેરાત’, આગામી 3-4 મહિનામાં શરૂ થશે ‘ધોલેરા એરપોર્ટ’

PM નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ 'ધોલેરા એરપોર્ટ'ને લઈને ગુજરાત માટે સૌથી મોટા અને સારા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીએ ધોલેરા ગ્રીનફીલ્ડ એરપોર્ટ આગામી 3 થી 4 મહિનામાં શરૂ થવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે.

લો બોલો, કોલકત્તા એરપોર્ટમાં રન વેની નજીક છે 136 વર્ષથી મસ્જિદ, હવે આ કારણે કરાઈ બંધ

કોલકાતા એરપોર્ટના ઓપરેશનલ એરિયામાં આવેલી 136 વર્ષ જૂની બાંકરા મસ્જિદમાં પ્રવેશ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવ્યો છે. એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ મસ્જિદમાં નમાઝ પઢવા માટે ફક્ત આધાર કાર્ડના આધારે પ્રવેશ આપવામાં આવતો હતો. આથી સુરક્ષાને લગતી ચિંતાઓ વધી રહી છે.

વિયેતનામમાં બોટ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 15 ભારતીયોના પાર્થિવ દેહ લઈને વિમાન મુંબઈ પહોંચ્યું

હનોઈ સ્થિત ભારતીય દૂતાવાસે જણાવ્યું, "અકસ્માતમાં જીવ ગુમાવનારાઓના પરિવારો પ્રત્યે અમે અમારી ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ. આ મુશ્કેલ સમયમાં અમારી પ્રાર્થનાઓ તેમની સાથે છે."

Breaking News : તહેવારોમાં મોંઘી ફ્લાઈટ ટિકિટ પર સુપ્રીમ કોર્ટનું આકરુ વલણ, કેન્દ્રને 2 અઠવાડિયાનું અલ્ટીમેટમ આપ્યુ

સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે નિયમોની નકલ બે અઠવાડિયામાં તેને રજૂ કરવામાં આવે. આ કેસની આગામી સુનાવણી 3 ઓગસ્ટના રોજ થશે. આ કેસની સુનાવણી જસ્ટિસ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચ દ્વારા કરવામાં આવી હતી.

મુંબઈ એરપોર્ટ પર એર ઇન્ડિયાના બે વિમાનો આવ્યા સામસામે, સમયસર કાર્યવાહીથી ટળ્યો મોટો અકસ્માત

મંગળવાર 07 જુલાઈના રોજ મુંબઈ એરપોર્ટ પર એક મોટી વિમાન દુર્ઘટના ટળી. એક જ રનવે પર બે એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસ વિમાનો સામસામે આવી ગયા. એર ટ્રાફિક કંટ્રોલ (ATC) તરફથી સમયસર સૂચનાઓને કારણે એર ઈન્ડિયાના વિમાને ટેકઓફ રદ કરી દીધું, જેના કારણે સંભવિત ટક્કર ટળી અને તમામ મુસાફરોની સલામતી સુનિશ્ચિત થઈ.

Breaking News: સપનાની નગરી પાણી-પાણી… 17 ફ્લાઇટ્સ રદ અને 365 વિમાન ‘કલાકો મોડા’, ભારે વરસાદથી હવાઈ સેવા ખોરવાઈ

સપનાની નગરીમાં છેલ્લા કેટલાક દિવસોથી થઈ રહેલા મુશળધાર વરસાદની સીધી અસર હવે હવાઈ સેવાઓ પર પણ સ્પષ્ટપણે દેખાવા લાગી છે. ખરાબ હવામાનના કારણે સ્થાનિક આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન ખરાબ રીતે ખોરવાયું છે, જેના લીધે 17 જેટલી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરવી પડી છે તેમજ સેંકડો ફ્લાઇટ્સ મોડી દોડી રહી છે.

ટેકઓફ અને લેન્ડિંગ વખતે પ્લેનમાં કેબીનની લાઈટો ડીમ કેમ કરી દેવામાં આવે છે ? 99% લોકો નહીં જાણતા હોય

મોટાભાગના લોકો ફ્લાઇટમાં લાઇટ્સ ડીમ થવાની પ્રક્રિયાને માત્ર સામાન્ય બાબત માને છે પરંતુ તેની પાછળ એક મોટું વૈજ્ઞાનિક અને સુરક્ષાનું કારણ છુપાયેલું છે. કટોકટીના સમયે મુસાફરોનો જીવ બચાવવામાં આ નાનકડો નિયમ કેવી રીતે મદદ કરે છે તે જાણો વિગતે.

બુટલેગર પાસે હપ્તો માગનાર અમદાવાદ પોલીસકર્મી સસ્પેન્ડ - જુઓ Video
બુટલેગર પાસે હપ્તો માગનાર અમદાવાદ પોલીસકર્મી સસ્પેન્ડ - જુઓ Video
દોઢ વર્ષના બાળકની અન્નળીમાં પીન ફસાય , જુઓ Video
દોઢ વર્ષના બાળકની અન્નળીમાં પીન ફસાય , જુઓ Video
સુરતમાં હચમચાવતી ઘટના! 13 વર્ષના કિશોરની ગરદનમાંથી આરપાર થયો સળિયો
સુરતમાં હચમચાવતી ઘટના! 13 વર્ષના કિશોરની ગરદનમાંથી આરપાર થયો સળિયો
અમદાવાદમાં વરસાદે વિરામ લેતા જ રોગચાળાએ માથું ઉચક્યું
અમદાવાદમાં વરસાદે વિરામ લેતા જ રોગચાળાએ માથું ઉચક્યું
આજનું રાશિફળ : કારકિર્દી, પૈસા અને અભ્યાસમાં મળશે સફળતા
આજનું રાશિફળ : કારકિર્દી, પૈસા અને અભ્યાસમાં મળશે સફળતા
સંજય સોલંકી અપહરણ અને મારામારી કેસમાં ગણેશ ગોંડલ નિર્દોષ જાહેર
સંજય સોલંકી અપહરણ અને મારામારી કેસમાં ગણેશ ગોંડલ નિર્દોષ જાહેર
વાવ થરાદમાં પાણી માટે ખેડૂતો આકરા પાણીએ, ઢોલ વગાડી નોંધાવ્યો વિરોધ
વાવ થરાદમાં પાણી માટે ખેડૂતો આકરા પાણીએ, ઢોલ વગાડી નોંધાવ્યો વિરોધ
ખેડા: રઢુ PHC સેન્ટરમાં બાળકોની દવામાં જીવડા નીકળતા આરોગ્યવિભાગ જાગ્યુ
ખેડા: રઢુ PHC સેન્ટરમાં બાળકોની દવામાં જીવડા નીકળતા આરોગ્યવિભાગ જાગ્યુ
બાળકોને વાસી ભોજન પીરસનાર સંચાલક ફસાયો - જુઓ Video
બાળકોને વાસી ભોજન પીરસનાર સંચાલક ફસાયો - જુઓ Video
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જળસંકટના એંધાણ, હજુ 70% વરસાદની અછત
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જળસંકટના એંધાણ, હજુ 70% વરસાદની અછત
g clip-path="url(#clip0_868_265)">