AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિમાની સેવા

વિમાની સેવા

દેશ વિદેશમાં વિમાની સેવા ઝડપી આવ-જા માટેનું સુગમ માધ્યમ છે. એક સમયે માત્ર પૈસાપાત્ર લોકો જ વિમાની સેવાનો ઉપયોગ કરતા હતા. પરંતુ હવે સરકારના કેટલાક નિર્યણનો કારણે મધ્યમવર્ગ અને નીચલા મધ્યમવર્ગના લોકો પણ વિમાની સેવાનો ઉપયોગ કરી રહ્યાં છે.

આજે વિમાની સેવાનો વ્યાપ વધતોજતો હોવાથી રાજ્ય અને કેન્દ્ર સરકાર વધુને વધુ એરપોર્ટ બને તે દિશમાં કાર્ય કરી રહ્યાં છે. જેથી વિમાની સેવાનો સૌ કોઈ સરળતાથી ઉપયોગ કરી શકે.

વિમાની સેવા બે પ્રકારની હોય છે. એક ડોમેસ્ટીક અને બીજી છે ઈન્ટરનેશનલ, ડોમેસ્ટીક વિમાની સેવા દેશની અંદર આવેલા વિવિધ શહેરને અનેક એરલાઈન્સ વિમાની સેવાથી જોડે છે. જ્યારે આતંરરાષ્ટ્રીય વિમાની સેવા દેશના સિમાડાઓની બહાર વિદેશના શહેરોને જોડે છે.

ડોમેસ્ટીક કે ઈન્ટરનેશનલ વિમાની સેવા માટે દરેક એરલાઈન્સને કેન્દ્ર સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને તેના સંબંધિત વિભાગમાંથી પ્રમાણપત્રો લેવા આવશ્યક છે. ઇન્ડિગો, એર ઇન્ડિયા, વિસ્તારા, સ્પાઇસજેટ, એર એશિયા, ગો ફર્સ્ટ, અકાસા એર સહીતને અન્ય એરલાઈન્સ ડોમેસ્ટીક સેવા આપી રહી છે.

Read More

Breaking News : મિડલ ઈસ્ટમાં તણાવની સ્થિતિ વચ્ચે દુબઇથી દિલ્હી પહોંચી એર ઈન્ડિયાની ફ્લાઇટ, ભારતીયોને લઇને પહેલી ફ્લાઇટ આવી

મધ્ય પૂર્વમાં તણાવ વધતા હવાઈ મુસાફરી પર ગંભીર અસર જોવા મળી રહી છે. જો કે આ વચ્ચે એક સારા સમાચાર સામે આવ્યા છે. આજે, એર ઇન્ડિયાની પહેલી ફ્લાઇટ AI 916 દુબઈથી ભારતીયોને લઇને દિલ્હી પહોંચી છે. દુબઈમાં ફસાયેલા મુસાફરોને સુરક્ષિત રીતે દિલ્હી ઉતારવામાં આવ્યા છે. યુદ્ધની સ્થિતિ વચ્ચે એર ઇન્ડિયાએ મુસાફરોની સલામતી માટે તાત્કાલિક કાર્યવાહી કરી છે.

Bolivia Plane Crash Breaking News: બોલિવિયામાં કરન્સીથી ભરેલું વિમાન ક્રેશ, 15ના મોત, નોટોના વરસાદથી મચી અફરાતફરી

બોલિવિયાની રાજધાની લા પાજ નજીક એક કાર્ગો વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે, જેમાં અંદાજે 15 લોકોના મોત થયા હોવાની માહિતી મળી છે. વિમાનમાં બેંકનોટ ભરેલા હતા, જે ક્રેશ બાદ ચારેબાજુ ફેલાઈ જતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ.

  • Nishat
  • Updated on: Feb 28, 2026
  • 7:59 am

Breaking News : Air Ticket કેન્સલેશનના નિયમો બદલાયા, હવે બૂકિંગના 48 કલાકમાં ફ્લાઇટ કેન્સલ થવા પર મળશે સંપૂર્ણ રિફંડ

નવા નિયમો અનુસાર જો ટિકિટ સીધી એરલાઇનની વેબસાઇટ પર બુક કરવામાં આવે છે, તો મુસાફરો બુકિંગના 48 કલાકની અંદર કોઈપણ વધારાના ચાર્જ વિના તેમની ટિકિટ રદ કરી શકે છે. વધુમાં, જો ટિકિટમાં નામની ભૂલ હોય અને મુસાફર 24 કલાકની અંદર તેને સુધારે છે, તો કોઈ ચાર્જ વસૂલવામાં આવશે નહીં.

Big Offer : ₹1 માં ફ્લાઇટની ટિકિટ ! એરલાઇનની આ અદભૂત ઓફર વિશે તમને ખબર છે કે નહીં?

એરલાઇનની નવી ઓફરમાં ફક્ત ₹1 માં ફ્લાઇટ ટિકિટ મળી રહી છે. આ અદભૂત ઓફર વિશે જાણીને યાત્રિકો ખુશીથી ઝૂમી ઊઠ્યા છે અને ટિકિટ બુક કરવા ઉત્સુક થઈ ગયા છે.

Breaking News : યુદ્ધના ભણકારા, ઈરાને બંધ કરી એરસ્પેસ, ભારતીય એરલાઈન્સ એર ઈન્ડિયા- ઈન્ડિગોએ જાહેર કરી મુસાફરો માટે એડવાઈઝરી

ઈરાને પોતાની એર સ્પેસ બંધ કરી છે. જેના પગલે, ભારતીય એરલાઈન્સ એર ઈન્ડિયા અને ઈન્ડિગોએ મુસાફરો માટે નવી એડવાઈઝરી જાહેર કરી છે. એર ઈન્ડિયાએ પોતાની એડવાઈઝરીમાં જણાવ્યું હતું કે જે ફ્લાઇટ્સ માટે રૂટ બદલવો શક્ય નથી તે રદ કરવામાં આવી રહી છે. કંપનીએ મુસાફરોને એરપોર્ટ પર જતા પહેલા તેમની ફ્લાઇટ સ્ટેટસ ચકાસવા માટે વિનંતી કરી હતી.

મુસાફરોને શોધી શોધીને વળતર આપશે IndiGo, ₹500 કરોડથી વધુ રકમ પરત કરવામાં આવશે

એરલાઇનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "અમે અમારા તમામ એરપોર્ટ ભાગીદારોને જાણ કરી છે કે તેઓ કોઈપણ મૂંઝવણ ટાળવા માટે ટર્મિનલ સ્ક્રીન પર સુધારેલા નેટવર્કના નવા ફ્લાઇટ શેડ્યૂલ પ્રકાશિત કરે."

આ ગોવાની ઈફેક્ટ છે, ભીડુ… જ્યારે Indigoની ફ્લાઇટ મોડી પડી, ત્યારે મુસાફરો એરપોર્ટ પર કર્યા ગરબા, એરલાઇન સ્ટાફે પણ લગાવ્યા ઠુમકા

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતાં ગુસ્સે થવાને બદલે એક મુસાફરે એરપોર્ટની વચ્ચે ગરબા નાચવાનું શરૂ કરી દીધું. ઈન્ડિગોનો સ્ટાફ પણ આ ડાન્સમાં જોડાયો.

Indigo ની ફ્લાઈટ્સમાં 10 ટકાનો ઘટાડો, ઉડ્ડયન મંત્રી સાથેની બેઠકમાં CEO એ જોડવા પડ્યા હાથ

Indigo એરલાઇન્સના CEO પીટર એલ્બર્સને નાગરિક ઉડ્ડયન મંત્રાલયના મુખ્યાલયમાં બોલાવવામાં આવ્યા હતા, જ્યાં મંત્રી રામ મોહન નાયડુ અને સચિવ સમીર સિંહાએ ફ્લાઈટ્સના સંચાલન, મુસાફરોની સંભાળ, રિફંડ અને સામાનની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. ઇન્ડિગોએ ઓપરેશનલ કટોકટી પછી બધી ફ્લાઇટ્સ ફરી શરૂ કરવાની જાણ કરી હતી, જેમાં 1,800 થી વધુ ફ્લાઇટ્સનું સંચાલન કરવામાં આવ્યું હતું.

આના કરતા તો પાનની દુકાન સારી…. ઈન્ડિંગો વિશે તેના જ કો-ફાઉન્ડર રાકેશ ગંગવાલે આવુ કેમ કહ્યુ હતુ?

દેશની સૌથી મોટી એરલાઇન, ઇન્ડિગો દ્વારા ફ્લાઇટ્સ રદ કરવાનો સિલસિલો આજે નવમાં દિવસે પણ ચાલુ છે. આ સમયગાળા દરમિયાન લગભગ 5,000 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે, જેના કારણે મુસાફરોને ભારે અસુવિધા થઈ રહી છે.

શું IndiGo Airlines એ જાતે અરાજક્તાનો માહોલ ઉભો કરી મુસાફરોને પરેશાનીમાં નાખ્યા? કંપનીનો નફો બચાવવા ખેલ્યો ગંદો ખેલ ?

ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા DGCAના નવા નિયમો લાગુ કરવામાં બેદરકારીને કારણે લાખો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. આરોપો છે કે ઇન્ડિગોએ જાણી જોઈને અરાજકતા સર્જી જેથી DGCA નિયમો પાછા ખેંચી લે અને કંપની નફો બચાવી શકે. પાઇલટ્સની સુરક્ષા માટેના આ નિયમોને કારણે ઇન્ડિગોને વધુ સ્ટાફ રાખવો પડ્યો હોત, જે ટાળવા કંપનીએ આ ‘ખેલ’ કર્યો.

IndiGo ને ભારે કિંમત ચૂકવવી પડશે ! એરલાઇન પર છવાયા સંકટના વાદળો, મૂડીઝ રિપોર્ટ મુજબ કંપની પ્રેશરમાં

દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો પર સંકટના વાદળો છવાયેલા છે અને એમાંય હજુ સુધી સ્થિતી કાબૂમાં આવી નથી. સરકારે જાહેરાત કરી છે કે, તપાસ બાદ ઇન્ડિગો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

ફૂડથી લઈને હોટેલ સુવિધા સુધી… ફ્લાઇટ રદ થાય કે મોડી પડે તો મુસાફરોને કેટલું રિફંડ આપવામાં આવે છે? શું તમને DGCA ના નિયમો ખબર છે?

જો ફ્લાઇટ રદ થાય અથવા કલાકો સુધી મોડી પડે છે, તો એરલાઇન્સે કઈ સર્વિસ પૂરી પાડવી? આને લઈને DGCA (Directorate General of Civil Aviation) દ્વારા કેટલાંક નિયમો બનાવવામાં આવ્યા છે.

IndiGo Flight Crisis : ઈન્ડિગોએ BCCIનું ગણિત બગાડ્યું, મેચ પહેલા અમ્પાયર ગાયબ!

છેલ્લા એક સપ્તાહથી, ઈન્ડિગો એરલાઈન્સની વિમાની સેવા ખોરવાઈ છે, અનેક ફ્લાઈટ કેન્સલ થઈ છે. તો કેટલીક ફ્લાઈટ મોડી થઈ રહી છે. હવે ક્રિકેટ મેચ પર પણ ઈન્ડિગો એરલાઈન્સની અસર પડી છે.તો ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો,

કાનુની સવાલ : જો તમારી ફ્લાઇટ મોડી પડે કે રદ થાય, તો શું તમને સંપૂર્ણ રિફંડ મળે ? તમારા અધિકાર જાણો

ઇન્ડિગોની અસંખ્ય ફ્લાઇટ્સ રદ થવાથી લાખો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. ટિકિટના ભાવમાં વધારો થયો છે, એરપોર્ટ પર ભીડ વધી ગઈ છે અને મુસાફરી બંધ થઈ ગઈ છે. DGCA ના નવા નિયમોને કારણે આ પરિસ્થિતિ વધુ વણસી છે. તો ચાલો તમારા શું અધિકાર છે તેના વિશે જાણીએ.

ઈન્ડિગોની ખોરવાઈ ગયેલ વિમાની સેવાને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી

છેલ્લા એક સપ્તાહથી, ઈન્ડિગો એરલાઈન્સની વિમાની સેવા ખોરવાઈ જવા પામી છે. ઈન્ડિગોની અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિત અન્ય શહેરોથી આવતી અને જતી ફ્લાઈટ અસર પામી હતી. ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાના કારણે એરપોર્ટ પર મુસાફરો અને એરલાઈન્સના કર્મચારીઓ વચ્ચે બોલાચાલી, મુસાફરોનો હોબાળો મચવો જેવી ઘટના સામાન્ય બની ગઈ હતી.

મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
2 ડોક્ટર 1 એન્જિનિયર દારૂ પીઘેલી હાલતમાં પકડાયા, જુઓ વીડિયો
2 ડોક્ટર 1 એન્જિનિયર દારૂ પીઘેલી હાલતમાં પકડાયા, જુઓ વીડિયો
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની ભારતના હોસ્પિટલ અને દવાઓ પર શું પડી શકે છે અસર?
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની ભારતના હોસ્પિટલ અને દવાઓ પર શું પડી શકે છે અસર?
અમદાવાદ સહિત શહેરોમાં LPG સિલિન્ડર માટે લાંબી કતારો
અમદાવાદ સહિત શહેરોમાં LPG સિલિન્ડર માટે લાંબી કતારો
આધ્યાત્મિક વ્યક્તિ આશીર્વાદ વરસાવશે, નિયમિત કસરત પર નિયંત્રણ રાખો
આધ્યાત્મિક વ્યક્તિ આશીર્વાદ વરસાવશે, નિયમિત કસરત પર નિયંત્રણ રાખો
g clip-path="url(#clip0_868_265)">