વિમાની સેવા
દેશ વિદેશમાં વિમાની સેવા ઝડપી આવ-જા માટેનું સુગમ માધ્યમ છે. એક સમયે માત્ર પૈસાપાત્ર લોકો જ વિમાની સેવાનો ઉપયોગ કરતા હતા. પરંતુ હવે સરકારના કેટલાક નિર્યણનો કારણે મધ્યમવર્ગ અને નીચલા મધ્યમવર્ગના લોકો પણ વિમાની સેવાનો ઉપયોગ કરી રહ્યાં છે.
આજે વિમાની સેવાનો વ્યાપ વધતોજતો હોવાથી રાજ્ય અને કેન્દ્ર સરકાર વધુને વધુ એરપોર્ટ બને તે દિશમાં કાર્ય કરી રહ્યાં છે. જેથી વિમાની સેવાનો સૌ કોઈ સરળતાથી ઉપયોગ કરી શકે.
વિમાની સેવા બે પ્રકારની હોય છે. એક ડોમેસ્ટીક અને બીજી છે ઈન્ટરનેશનલ, ડોમેસ્ટીક વિમાની સેવા દેશની અંદર આવેલા વિવિધ શહેરને અનેક એરલાઈન્સ વિમાની સેવાથી જોડે છે. જ્યારે આતંરરાષ્ટ્રીય વિમાની સેવા દેશના સિમાડાઓની બહાર વિદેશના શહેરોને જોડે છે.
ડોમેસ્ટીક કે ઈન્ટરનેશનલ વિમાની સેવા માટે દરેક એરલાઈન્સને કેન્દ્ર સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને તેના સંબંધિત વિભાગમાંથી પ્રમાણપત્રો લેવા આવશ્યક છે. ઇન્ડિગો, એર ઇન્ડિયા, વિસ્તારા, સ્પાઇસજેટ, એર એશિયા, ગો ફર્સ્ટ, અકાસા એર સહીતને અન્ય એરલાઈન્સ ડોમેસ્ટીક સેવા આપી રહી છે.
Breaking News : છત્તીસગઢમાં ચાર્ટડ વિમાન પર્વત સાથે અથડાયું… પાઇલટ અને કો-પાઇલટના મોત
છત્તીસગઢના જશપુર જિલ્લામાં આજે નારાયણપુર નજીક આરા પર્વત સાથે અથડાયા બાદ એક ખાનગી ચાર્ટર્ડ જેટ ક્રેશ થયું છે. આ દુર્ઘટના અંગે એવા અહેવાલો સામે આવ્યા છે કે, આ અકસ્માતમાં પાઇલટ અને કો-પાઇલટના મોત થયા છે.
- TV9 Gujarati
- Updated on: Apr 20, 2026
- 6:16 pm
Breaking News : US-ઈરાન યુદ્ધ વચ્ચે દુબઈએ 31 મે સુધી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ કરી મર્યાદિત, ભારતીય એરલાઇન્સને સૌથી વધુ નુકસાન
આ એવા સમયે થયો છે જ્યારે ભારતીય એરલાઇન્સ પહેલાથી જ ઊંચા ઇંધણના ભાવને કારણે નાણાકીય દબાણનો સામનો કરી રહી છે. મીડિયા અહેવાલો અનુસાર, ભારતમાં એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) ના ભાવ લગભગ બમણા થઈ ગયા છે, જે દિલ્હીમાં પ્રતિ કિલોલિટર ₹2.07 લાખથી વધુ પહોંચી ગયા છે.
- Devankashi rana
- Updated on: Apr 10, 2026
- 3:24 pm
Breaking News: હવાઈ મુસાફરીમાં ‘મોંઘવારીનો ઉભરો’! એર ઈન્ડિયાએ ફ્યુઅલ સરચાર્જ વધારતા ખિસ્સા પર પડશે સીધો ભાર
જો તમે પણ ઉનાળાના વેકેશનમાં પ્લેનમાં ક્યાંક જવાનું વિચારી રહ્યા છો, તો તમારું બજેટ બગડી શકે છે. એર ઈન્ડિયાએ ફ્યુઅલ સરચાર્જમાં ધરખમ વધારો કર્યો છે, જાણો નવા દરો.
- Sachin Agrawal
- Updated on: Apr 7, 2026
- 6:08 pm
Iran War Breaking News: Air India એ 31 મે સુધી ઈઝરાયેલની ફ્લાઇટ્સ સ્થગિત કરી, નવી દિલ્હી-તેલ અવીવ રૂટની પણ ફ્લાઇટ્સ પર થઈ અસર
મિડલ ઈસ્ટમાં વધતા યુદ્ધના કારણે એર ઇન્ડિયાએ ઇઝરાયેલ માટેની પોતાની તમામ ફ્લાઇટ્સ 31 મે સુધી માટે સ્થગિત કરી છે, જેના કારણે હજારો ભારતીયો મુશ્કેલીમાં મુકાયા છે.
- Nishat
- Updated on: Apr 6, 2026
- 8:16 am
આ એરપોર્ટ પરથી એર ઈન્ડિયા-ઈન્ડિગોએ અમદાવાદ, મુંબઈ, પટનાની ફ્લાઈટ રદ કરી દીધી
એર ઇન્ડિયા એક્સપ્રેસે સૌ પ્રથમ તેની તમામ કામગીરી અટોપી લીધા બાદ, ઈન્ડિગોએ પણ એ જ એરપોર્ટ પરથી અમદાવાદ, મુંબઈ અને પટના સુધી આવતી અને જતી ફ્લાઈટ બંધ કરી દીધી છે. આ એરપોર્ટ સૈન્ય એરપોર્ટ હોવાથી કોમર્શિયલ ફ્લાઈટ માટે અનેક પ્રકારના પ્રતિબંધ હોવાથી વિમાની કંપનીઓએ કામગીરી ટુંકાવી અથવા તો બંધ કરી દીધી છે.
- TV9 Gujarati
- Updated on: Apr 3, 2026
- 3:03 pm
ચોંકાવનારું: એરપોર્ટ પર ઉતરતા જ વિમાનને કેમ માણસોની જેમ ‘નવડાવવામાં’ આવે છે ? જાણો આની પાછળનું કારણ
શું તમે ક્યારેય આકાશમાં ઉડતા પ્લેનને જમીન પર ઉતરતા જ 'નવડાવતા' જોયું છે? આ કોઈ ફિલ્મનું શૂટિંગ નથી, પણ એરપોર્ટનું સૌથી મોટું સસ્પેન્સ છે! આખરે કેમ વિમાન પર હજારો લિટર પાણી છાંટવામાં આવે છે? જાણો આ પાછળનું વૈજ્ઞાનિક અને ભાવુક કારણ.
- Dhruv Barot
- Updated on: Mar 28, 2026
- 12:47 pm
Jewar Airport : નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટને હાઈટેક બનાવનારી ILS સિસ્ટમ શું છે ? જાણો તે પાઈલટોને કેવી રીતે મદદ કરશે
Jewar Airport: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28 માર્ચે ગૌતમ બુદ્ધ નગરના જેવરમાં નોઈડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરશે. આ દિલ્હી-NCRનું બીજું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે, જે ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સાથે મળીને એવિએશન ક્ષમતામાં વધારો કરશે. તેમાં એક એડવાન્સ્ડ ILS સિસ્ટમ પણ છે. આ સિસ્ટમ શું છે અને તે કેવી રીતે કાર્ય કરે છે? ચાલો સમજાવીએ.
- Meera Kansagara
- Updated on: Mar 26, 2026
- 2:09 pm
Breaking News જો વજન વધ્યું તો તમારો પગાર કપાશે, એર ઈન્ડિયાના કડક ફીટનેસ નિયમો
કંમ્પલાયન્સ અસેસમેન્ટ કેબિન ક્રૂ સભ્યોના બોડી માસ ઇન્ડેક્સ (BMI) પર આધારિત હશે, જેમાં 18-24.9 ના રીડિંગને "સામાન્ય" ગણવામાં આવશે અને એરલાઇન દ્વારા "ડિઝાયર્ડ રેન્જ " તરીકે સ્વીકારવામાં આવશે. ચાલો એ પણ જાણીએ કે, એર ઇન્ડિયા કયા નવા ફિટનેસ નિયમો લાગુ કરશે.
- Nirupa Duva
- Updated on: Mar 22, 2026
- 1:36 pm
Breaking News: ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની અસર ! આવતીકાલ 23 માર્ચથી વધુ મોંધુ થઈ શકે છે હવામા ઉડવું, સરકારે હટાવી મર્યાદા
કેન્દ્ર સરકારના ઉડ્ડયન મંત્રાલય દ્વારા આ નિર્ણય એવા સમયે આવ્યો છે, જ્યારે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે એરલાઇન્સ તેમના આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ કામગીરીમાં ગંભીર અસરનો સામનો કરી રહી છે.
- TV9 Gujarati
- Updated on: Mar 22, 2026
- 9:28 am
Breaking News : અમદાવાદથી દિલ્હીની ફ્લાઇટમાં થઇ ચોરી, 17.31 લાખની ચાંદીની ચોરી
Air Indiaની ફ્લાઈટ મારફતે એર કાર્ગોમાં મોકલવામાં આવેલી ચાંદીની લગડીમાંથી એક લગડી ગુમ થતાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. માહિતી અનુસાર કુલ 17 લગડી મોકલવામાં આવી હતી, જેમાંથી એક લગડી ગુમ થઈ જતાં વેપારીઓને આશરે રૂ. 17.31 લાખનું નુકસાન થયું છે.
- TV9 Gujarati
- Updated on: Mar 20, 2026
- 2:23 pm
Iran- Israel War Breaking News: ખાડી દેશોની બગડતી પરિસ્થિતિ વચ્ચે, DGCA એ એડવાઇઝરી જાહેર કરી, 11 દેશોની ફ્લાઇટ્સ ટાળવાની અપીલ
મધ્ય પૂર્વમાં વધતા તણાવને કારણે DGCAએ ભારતીય એરલાઇન્સને 11 દેશોના એરસ્પેસ ટાળવા અને વૈકલ્પિક પ્લાન તૈયાર રાખવા સૂચના આપી છે.
- Nishat
- Updated on: Mar 20, 2026
- 8:08 am
Breaking News: ફ્લાઇટમાં મનપસંદ સીટ માટે હવે નહીં આપવો પડે વધારાનો ચાર્જ, બદલાયો નિયમ
flight rule change: નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) દ્વારા જાહેર કરાયેલ આ આદેશનો ઉદ્દેશ્ય હવાઈ મુસાફરીને વધુ સરળ અને પારદર્શક બનાવવાનો છે. ઘણી એરલાઇન્સ ટિકિટ બુકિંગ પછી અથવા વેબ ચેક-ઇન પ્રક્રિયા દરમિયાન પસંદગીની બેઠકો પસંદ કરવા માટે વધારાના ચાર્જ વસૂલતી હતી.
- Devankashi rana
- Updated on: Mar 18, 2026
- 10:48 am
Breaking News : મિડલ ઈસ્ટમાં તણાવની સ્થિતિ વચ્ચે દુબઇથી દિલ્હી પહોંચી એર ઈન્ડિયાની ફ્લાઇટ, ભારતીયોને લઇને પહેલી ફ્લાઇટ આવી
મધ્ય પૂર્વમાં તણાવ વધતા હવાઈ મુસાફરી પર ગંભીર અસર જોવા મળી રહી છે. જો કે આ વચ્ચે એક સારા સમાચાર સામે આવ્યા છે. આજે, એર ઇન્ડિયાની પહેલી ફ્લાઇટ AI 916 દુબઈથી ભારતીયોને લઇને દિલ્હી પહોંચી છે. દુબઈમાં ફસાયેલા મુસાફરોને સુરક્ષિત રીતે દિલ્હી ઉતારવામાં આવ્યા છે. યુદ્ધની સ્થિતિ વચ્ચે એર ઇન્ડિયાએ મુસાફરોની સલામતી માટે તાત્કાલિક કાર્યવાહી કરી છે.
- Tanvi Soni
- Updated on: Mar 3, 2026
- 12:04 pm
Bolivia Plane Crash Breaking News: બોલિવિયામાં કરન્સીથી ભરેલું વિમાન ક્રેશ, 15ના મોત, નોટોના વરસાદથી મચી અફરાતફરી
બોલિવિયાની રાજધાની લા પાજ નજીક એક કાર્ગો વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે, જેમાં અંદાજે 15 લોકોના મોત થયા હોવાની માહિતી મળી છે. વિમાનમાં બેંકનોટ ભરેલા હતા, જે ક્રેશ બાદ ચારેબાજુ ફેલાઈ જતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ.
- Nishat
- Updated on: Feb 28, 2026
- 7:59 am
Breaking News : Air Ticket કેન્સલેશનના નિયમો બદલાયા, હવે બૂકિંગના 48 કલાકમાં ફ્લાઇટ કેન્સલ થવા પર મળશે સંપૂર્ણ રિફંડ
નવા નિયમો અનુસાર જો ટિકિટ સીધી એરલાઇનની વેબસાઇટ પર બુક કરવામાં આવે છે, તો મુસાફરો બુકિંગના 48 કલાકની અંદર કોઈપણ વધારાના ચાર્જ વિના તેમની ટિકિટ રદ કરી શકે છે. વધુમાં, જો ટિકિટમાં નામની ભૂલ હોય અને મુસાફર 24 કલાકની અંદર તેને સુધારે છે, તો કોઈ ચાર્જ વસૂલવામાં આવશે નહીં.
- Tanvi Soni
- Updated on: Feb 27, 2026
- 9:35 am