વિમાની સેવા
દેશ વિદેશમાં વિમાની સેવા ઝડપી આવ-જા માટેનું સુગમ માધ્યમ છે. એક સમયે માત્ર પૈસાપાત્ર લોકો જ વિમાની સેવાનો ઉપયોગ કરતા હતા. પરંતુ હવે સરકારના કેટલાક નિર્યણનો કારણે મધ્યમવર્ગ અને નીચલા મધ્યમવર્ગના લોકો પણ વિમાની સેવાનો ઉપયોગ કરી રહ્યાં છે.
આજે વિમાની સેવાનો વ્યાપ વધતોજતો હોવાથી રાજ્ય અને કેન્દ્ર સરકાર વધુને વધુ એરપોર્ટ બને તે દિશમાં કાર્ય કરી રહ્યાં છે. જેથી વિમાની સેવાનો સૌ કોઈ સરળતાથી ઉપયોગ કરી શકે.
વિમાની સેવા બે પ્રકારની હોય છે. એક ડોમેસ્ટીક અને બીજી છે ઈન્ટરનેશનલ, ડોમેસ્ટીક વિમાની સેવા દેશની અંદર આવેલા વિવિધ શહેરને અનેક એરલાઈન્સ વિમાની સેવાથી જોડે છે. જ્યારે આતંરરાષ્ટ્રીય વિમાની સેવા દેશના સિમાડાઓની બહાર વિદેશના શહેરોને જોડે છે.
ડોમેસ્ટીક કે ઈન્ટરનેશનલ વિમાની સેવા માટે દરેક એરલાઈન્સને કેન્દ્ર સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને તેના સંબંધિત વિભાગમાંથી પ્રમાણપત્રો લેવા આવશ્યક છે. ઇન્ડિગો, એર ઇન્ડિયા, વિસ્તારા, સ્પાઇસજેટ, એર એશિયા, ગો ફર્સ્ટ, અકાસા એર સહીતને અન્ય એરલાઈન્સ ડોમેસ્ટીક સેવા આપી રહી છે.
Ahmedabad Breaking News : અમદાવાદ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, એક જ રનવે પર સામસામે આવ્યા એર ઈન્ડિયા અને ઈન્ડિગોના વિમાન
અમદાવાદ એરપોર્ટ પર મંગળવારે સાંજે મોટી દુર્ઘટના ટળી હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સાંજે આશરે 6:30 વાગ્યે એક જ રનવે પર એર ઈન્ડિયા અને ઈન્ડિગોના બે વિમાનો સામસામે આવી જતા ટક્કરની સ્થિતિ સર્જાઈ હતી. જોકે એર ટ્રાફિક કન્ટ્રોલ (ATC) દ્વારા સમયસર સતર્કતા દાખવવામાં આવતા મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. ઘટનાને પગલે એરપોર્ટ પર થોડા સમય માટે ચકચાર મચી ગઈ હતી.
- TV9 Gujarati
- Updated on: Jun 25, 2026
- 9:59 am
Breaking News : એર ઇન્ડિયાનું વિમાન ભૂલથી પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં ઘુસ્યું, DGCA એ ATC અને પાઇલટ્સ સામે કાર્યવાહી કરી
દિલ્હીથી અમૃતસર જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ભૂલથી પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં ઘુસી ગઈ. અમૃતસરમાં પક્ષી અથડાવાના કારણે ગોઅરાઉન્ડ દરમિયાન આ ઘટના બની. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ ઘટનાની તાત્કાલિક જાણ ન કરવા બદલ અમૃતસર ATC અને પાઇલટ્સ સામે કાર્યવાહી કરી છે.
- Nirupa Duva
- Updated on: Jun 25, 2026
- 8:22 am
Breaking News: હવાઈ મુસાફરીના શોખીનોના ‘ખિસ્સા’ ખાલી થશે, વિમાનની ટિકિટોના ભાવમાં તોતિંગ વધારાની આશંકા
જો તમે આગામી દિવસોમાં ક્યાંક બહાર ફરવા જવાનું કે હવાઈ મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. બદલાતી વૈશ્વિક પરિસ્થિતિઓ અને વધતા ઇંધણના ભાવને કારણે આગામી સમયમાં વિમાનની ટિકિટો મોંઘી થઈ શકે છે.
- Ravi Prajapati
- Updated on: Jun 24, 2026
- 5:41 pm
Breaking News : નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટથી પહેલી ફ્લાઈટનું શેડ્યૂલ જાહેર, આ શહેરોથી મળશે સીધી કનેક્ટિવિટી
ડીજીસીએ 6 માર્ચ 2006ના રોજ એરપોર્ટનું એરડ્રોમ લાઈસન્સ જાહેર કર્યું હતુ. એક રનવે, આત્યાધુનિક ટર્મિનલ ભવન અને એર ટ્રાફિક કંટ્રોલ (ATC) ટાવર સહિતની તમામ જરૂરી સુવિધાઓ વિકસાવવામાં આવી છે.
- Nirupa Duva
- Updated on: Jun 14, 2026
- 9:06 am
Breaking News Vadodara : ‘આત્મનિર્ભર ભારત’ ની નવી ઉડાન, વડોદરામાં પ્રથમ ‘મેડ ઇન ઇન્ડિયા’ C-295 વિમાનનું સફળ પરીક્ષણ
Airbus C 295 : વડોદરામાં બનેલા પહેલા મેડ ઈન ઈન્ડિયા C-295 સૈન્ય પરિવહન વિમાને તેની પ્રથમ સફળ ઉડાન ભરી છે. ટાટા-એરબસ સુવિધાની આ સફળતા આત્મનિર્ભર ભારત અભિયાન અને ખાનગી ક્ષેત્ર માટે એક સીમાચિહ્નરૂપ છે.
- Nirupa Duva
- Updated on: Jun 11, 2026
- 10:33 am
કાશ્મીર જવાના હોવ તો ફ્લાઈટ ચેક કરી લેજો, શ્રીનગર એરપોર્ટને 1થી 15 ઓક્ટોબર સુધી બંધ રાખવા આદેશ, જાણો કેમ લેવાયો આવો નિર્ણય
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ, જમ્મુ કાશ્મીરના સૌથી વ્યસ્ત, સૈન્ય એરપોર્ટમાં સંવેદનશીલ એરપોર્ટ ગણાતા શ્રીનગર એરપોર્ટને ઓક્ટોબર મહિનામાં 15 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આ સમયગાળા દરમિયાન કાશ્મીર જવા ઈચ્છતા મુસાફરોએ, બાય રોડ કે ટ્રેન મારફતે પ્રવાસ કરવાની ફરજ પડશે.
- TV9 Gujarati
- Updated on: Jun 2, 2026
- 4:37 pm
Breaking News : અમદાવાદમાં વાતાવરણમાં પલટાને લઈને ફ્લાઈટો ડાઈવર્ટ કરાઈ
અમદાવાદ એરપોર્ટ પર ઉતરતી ફ્લાઈટ ડાયવર્ટ કરાઈ છે.નજીકના એરપોર્ટ પર ફ્લાઈટ લેન્ડિંગ કરાશે.મોટાભાગની ફ્લાઈટ અમદાવાદની જગ્યાએ સુરત લેન્ડિંગ કરવામાં આવી છે.
- Nirupa Duva
- Updated on: Jun 2, 2026
- 8:01 am
Breaking News : દેશની બે સૌથી મોટી એરલાઇન્સ, ઇન્ડિગો અને એર ઇન્ડિયાએ ફ્લાઇટ્સમાં ઘટાડો કર્યો
દેશની 2 સૌથી મોટી એરલાઈન્સ,એર ઈન્ડિયા અને ઈન્ડિગોએ જૂનથી સ્થાનિક ફ્લાઇટ્સમાં અનુક્રમે 22% અને 7% ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે.જેમાં કેટલાક રુટ પર ફ્લાઈટની સંખ્યા ઓછી કરવામાં આવી છે.
- Nirupa Duva
- Updated on: May 28, 2026
- 8:46 am
Breaking News : ફ્યુઅલે બગાડ્યું એર ઈન્ડિયાનું ગણિત, અનેક રૂટ પર ફ્લાઇટ્સ બંધ કરવાનો નિર્ણય લીધો
જેટ ઇંધણના વધતા ભાવ અને પાકિસ્તાનના હવાઈ ક્ષેત્ર બંધ થવાથી એર ઇન્ડિયા દબાણમાં છે. એરલાઇને અનેક આંતરરાષ્ટ્રીય રૂટ સ્થગિત કર્યા છે અને લગભગ 100 દૈનિક ફ્લાઇટ્સ ઘટાડી છે.
- Nirupa Duva
- Updated on: May 13, 2026
- 12:43 pm
‘GIFT સિટી’ બનશે ‘એવિએશન હબ’! ગુજરાતમાં જ થશે વિમાનોનું ખરીદ-વેચાણ અને લિઝિંગ – જુઓ Video
ગુજરાતના ગાંધીનગર સ્થિત GIFT સિટી ખાતે ભારતને એવિએશન સેક્ટરમાં આત્મનિર્ભર બનાવવા માટે એક ખાસ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમિટનો મુખ્ય હેતુ દેશમાં જ વિમાનોના ખરીદ-વેચાણ, ફાઇનાન્સિંગ અને લિઝિંગ માટેની મજબૂત સિસ્ટમ તૈયાર કરવાનો છે.
- TV9 Gujarati
- Updated on: May 8, 2026
- 2:48 pm
Breaking News : છત્તીસગઢમાં ચાર્ટડ વિમાન પર્વત સાથે અથડાયું… પાઇલટ અને કો-પાઇલટના મોત
છત્તીસગઢના જશપુર જિલ્લામાં આજે નારાયણપુર નજીક આરા પર્વત સાથે અથડાયા બાદ એક ખાનગી ચાર્ટર્ડ જેટ ક્રેશ થયું છે. આ દુર્ઘટના અંગે એવા અહેવાલો સામે આવ્યા છે કે, આ અકસ્માતમાં પાઇલટ અને કો-પાઇલટના મોત થયા છે.
- TV9 Gujarati
- Updated on: Apr 20, 2026
- 6:16 pm
Breaking News : US-ઈરાન યુદ્ધ વચ્ચે દુબઈએ 31 મે સુધી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ કરી મર્યાદિત, ભારતીય એરલાઇન્સને સૌથી વધુ નુકસાન
આ એવા સમયે થયો છે જ્યારે ભારતીય એરલાઇન્સ પહેલાથી જ ઊંચા ઇંધણના ભાવને કારણે નાણાકીય દબાણનો સામનો કરી રહી છે. મીડિયા અહેવાલો અનુસાર, ભારતમાં એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) ના ભાવ લગભગ બમણા થઈ ગયા છે, જે દિલ્હીમાં પ્રતિ કિલોલિટર ₹2.07 લાખથી વધુ પહોંચી ગયા છે.
- Devankashi rana
- Updated on: Apr 10, 2026
- 3:24 pm
Breaking News: હવાઈ મુસાફરીમાં ‘મોંઘવારીનો ઉભરો’! એર ઈન્ડિયાએ ફ્યુઅલ સરચાર્જ વધારતા ખિસ્સા પર પડશે સીધો ભાર
જો તમે પણ ઉનાળાના વેકેશનમાં પ્લેનમાં ક્યાંક જવાનું વિચારી રહ્યા છો, તો તમારું બજેટ બગડી શકે છે. એર ઈન્ડિયાએ ફ્યુઅલ સરચાર્જમાં ધરખમ વધારો કર્યો છે, જાણો નવા દરો.
- Sachin Agrawal
- Updated on: Apr 7, 2026
- 6:08 pm
Iran War Breaking News: Air India એ 31 મે સુધી ઈઝરાયેલની ફ્લાઇટ્સ સ્થગિત કરી, નવી દિલ્હી-તેલ અવીવ રૂટની પણ ફ્લાઇટ્સ પર થઈ અસર
મિડલ ઈસ્ટમાં વધતા યુદ્ધના કારણે એર ઇન્ડિયાએ ઇઝરાયેલ માટેની પોતાની તમામ ફ્લાઇટ્સ 31 મે સુધી માટે સ્થગિત કરી છે, જેના કારણે હજારો ભારતીયો મુશ્કેલીમાં મુકાયા છે.
- Nishat
- Updated on: Apr 6, 2026
- 8:16 am
આ એરપોર્ટ પરથી એર ઈન્ડિયા-ઈન્ડિગોએ અમદાવાદ, મુંબઈ, પટનાની ફ્લાઈટ રદ કરી દીધી
એર ઇન્ડિયા એક્સપ્રેસે સૌ પ્રથમ તેની તમામ કામગીરી અટોપી લીધા બાદ, ઈન્ડિગોએ પણ એ જ એરપોર્ટ પરથી અમદાવાદ, મુંબઈ અને પટના સુધી આવતી અને જતી ફ્લાઈટ બંધ કરી દીધી છે. આ એરપોર્ટ સૈન્ય એરપોર્ટ હોવાથી કોમર્શિયલ ફ્લાઈટ માટે અનેક પ્રકારના પ્રતિબંધ હોવાથી વિમાની કંપનીઓએ કામગીરી ટુંકાવી અથવા તો બંધ કરી દીધી છે.
- TV9 Gujarati
- Updated on: Apr 3, 2026
- 3:03 pm