AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિમાની સેવા

વિમાની સેવા

દેશ વિદેશમાં વિમાની સેવા ઝડપી આવ-જા માટેનું સુગમ માધ્યમ છે. એક સમયે માત્ર પૈસાપાત્ર લોકો જ વિમાની સેવાનો ઉપયોગ કરતા હતા. પરંતુ હવે સરકારના કેટલાક નિર્યણનો કારણે મધ્યમવર્ગ અને નીચલા મધ્યમવર્ગના લોકો પણ વિમાની સેવાનો ઉપયોગ કરી રહ્યાં છે.

આજે વિમાની સેવાનો વ્યાપ વધતોજતો હોવાથી રાજ્ય અને કેન્દ્ર સરકાર વધુને વધુ એરપોર્ટ બને તે દિશમાં કાર્ય કરી રહ્યાં છે. જેથી વિમાની સેવાનો સૌ કોઈ સરળતાથી ઉપયોગ કરી શકે.

વિમાની સેવા બે પ્રકારની હોય છે. એક ડોમેસ્ટીક અને બીજી છે ઈન્ટરનેશનલ, ડોમેસ્ટીક વિમાની સેવા દેશની અંદર આવેલા વિવિધ શહેરને અનેક એરલાઈન્સ વિમાની સેવાથી જોડે છે. જ્યારે આતંરરાષ્ટ્રીય વિમાની સેવા દેશના સિમાડાઓની બહાર વિદેશના શહેરોને જોડે છે.

ડોમેસ્ટીક કે ઈન્ટરનેશનલ વિમાની સેવા માટે દરેક એરલાઈન્સને કેન્દ્ર સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને તેના સંબંધિત વિભાગમાંથી પ્રમાણપત્રો લેવા આવશ્યક છે. ઇન્ડિગો, એર ઇન્ડિયા, વિસ્તારા, સ્પાઇસજેટ, એર એશિયા, ગો ફર્સ્ટ, અકાસા એર સહીતને અન્ય એરલાઈન્સ ડોમેસ્ટીક સેવા આપી રહી છે.

Read More

Ahmedabad plane crash : અમદાવાદ વિમાન દુર્ઘટનાના પુરાવા જાહેર કરવામાં આવશે નહીં, જાણો કેમ?

અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાનો મામલો AAIBનું સુપ્રિમ કોર્ટમાં સોગંદનામું, AAIBએ કહ્યું વિમાન દુર્ઘટનાના પુરાવાઓને જાહેર કરી શકાય નહીં. AAIB એ સુપ્રીમ કોર્ટને એ પણ જણાવ્યું હતું કે અંતિમ ડ્રાફ્ટ રિપોર્ટ ઓક્ટોબર 2026 સુધીમાં તૈયાર થઈ જશે.

Breaking News: PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ધોલેરા એરપોર્ટને લઈને ‘મોટી જાહેરાત’, આગામી 3-4 મહિનામાં શરૂ થશે ‘ધોલેરા એરપોર્ટ’

PM નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ 'ધોલેરા એરપોર્ટ'ને લઈને ગુજરાત માટે સૌથી મોટા અને સારા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીએ ધોલેરા ગ્રીનફીલ્ડ એરપોર્ટ આગામી 3 થી 4 મહિનામાં શરૂ થવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે.

લો બોલો, કોલકત્તા એરપોર્ટમાં રન વેની નજીક છે 136 વર્ષથી મસ્જિદ, હવે આ કારણે કરાઈ બંધ

કોલકાતા એરપોર્ટના ઓપરેશનલ એરિયામાં આવેલી 136 વર્ષ જૂની બાંકરા મસ્જિદમાં પ્રવેશ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવ્યો છે. એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ મસ્જિદમાં નમાઝ પઢવા માટે ફક્ત આધાર કાર્ડના આધારે પ્રવેશ આપવામાં આવતો હતો. આથી સુરક્ષાને લગતી ચિંતાઓ વધી રહી છે.

વિયેતનામમાં બોટ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 15 ભારતીયોના પાર્થિવ દેહ લઈને વિમાન મુંબઈ પહોંચ્યું

હનોઈ સ્થિત ભારતીય દૂતાવાસે જણાવ્યું, "અકસ્માતમાં જીવ ગુમાવનારાઓના પરિવારો પ્રત્યે અમે અમારી ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ. આ મુશ્કેલ સમયમાં અમારી પ્રાર્થનાઓ તેમની સાથે છે."

Breaking News : તહેવારોમાં મોંઘી ફ્લાઈટ ટિકિટ પર સુપ્રીમ કોર્ટનું આકરુ વલણ, કેન્દ્રને 2 અઠવાડિયાનું અલ્ટીમેટમ આપ્યુ

સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે નિયમોની નકલ બે અઠવાડિયામાં તેને રજૂ કરવામાં આવે. આ કેસની આગામી સુનાવણી 3 ઓગસ્ટના રોજ થશે. આ કેસની સુનાવણી જસ્ટિસ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચ દ્વારા કરવામાં આવી હતી.

મુંબઈ એરપોર્ટ પર એર ઇન્ડિયાના બે વિમાનો આવ્યા સામસામે, સમયસર કાર્યવાહીથી ટળ્યો મોટો અકસ્માત

મંગળવાર 07 જુલાઈના રોજ મુંબઈ એરપોર્ટ પર એક મોટી વિમાન દુર્ઘટના ટળી. એક જ રનવે પર બે એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસ વિમાનો સામસામે આવી ગયા. એર ટ્રાફિક કંટ્રોલ (ATC) તરફથી સમયસર સૂચનાઓને કારણે એર ઈન્ડિયાના વિમાને ટેકઓફ રદ કરી દીધું, જેના કારણે સંભવિત ટક્કર ટળી અને તમામ મુસાફરોની સલામતી સુનિશ્ચિત થઈ.

Breaking News: સપનાની નગરી પાણી-પાણી… 17 ફ્લાઇટ્સ રદ અને 365 વિમાન ‘કલાકો મોડા’, ભારે વરસાદથી હવાઈ સેવા ખોરવાઈ

સપનાની નગરીમાં છેલ્લા કેટલાક દિવસોથી થઈ રહેલા મુશળધાર વરસાદની સીધી અસર હવે હવાઈ સેવાઓ પર પણ સ્પષ્ટપણે દેખાવા લાગી છે. ખરાબ હવામાનના કારણે સ્થાનિક આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન ખરાબ રીતે ખોરવાયું છે, જેના લીધે 17 જેટલી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરવી પડી છે તેમજ સેંકડો ફ્લાઇટ્સ મોડી દોડી રહી છે.

ટેકઓફ અને લેન્ડિંગ વખતે પ્લેનમાં કેબીનની લાઈટો ડીમ કેમ કરી દેવામાં આવે છે ? 99% લોકો નહીં જાણતા હોય

મોટાભાગના લોકો ફ્લાઇટમાં લાઇટ્સ ડીમ થવાની પ્રક્રિયાને માત્ર સામાન્ય બાબત માને છે પરંતુ તેની પાછળ એક મોટું વૈજ્ઞાનિક અને સુરક્ષાનું કારણ છુપાયેલું છે. કટોકટીના સમયે મુસાફરોનો જીવ બચાવવામાં આ નાનકડો નિયમ કેવી રીતે મદદ કરે છે તે જાણો વિગતે.

Ahmedabad Breaking News : અમદાવાદ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, એક જ રનવે પર સામસામે આવ્યા એર ઈન્ડિયા અને ઈન્ડિગોના વિમાન

અમદાવાદ એરપોર્ટ પર મંગળવારે સાંજે મોટી દુર્ઘટના ટળી હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સાંજે આશરે 6:30 વાગ્યે એક જ રનવે પર એર ઈન્ડિયા અને ઈન્ડિગોના બે વિમાનો સામસામે આવી જતા ટક્કરની સ્થિતિ સર્જાઈ હતી. જોકે એર ટ્રાફિક કન્ટ્રોલ (ATC) દ્વારા સમયસર સતર્કતા દાખવવામાં આવતા મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. ઘટનાને પગલે એરપોર્ટ પર થોડા સમય માટે ચકચાર મચી ગઈ હતી.

Breaking News : એર ઇન્ડિયાનું વિમાન ભૂલથી પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં ઘુસ્યું, DGCA એ ATC અને પાઇલટ્સ સામે કાર્યવાહી કરી

દિલ્હીથી અમૃતસર જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ભૂલથી પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં ઘુસી ગઈ. અમૃતસરમાં પક્ષી અથડાવાના કારણે ગોઅરાઉન્ડ દરમિયાન આ ઘટના બની. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ ઘટનાની તાત્કાલિક જાણ ન કરવા બદલ અમૃતસર ATC અને પાઇલટ્સ સામે કાર્યવાહી કરી છે.

Breaking News: હવાઈ મુસાફરીના શોખીનોના ‘ખિસ્સા’ ખાલી થશે, વિમાનની ટિકિટોના ભાવમાં તોતિંગ વધારાની આશંકા

જો તમે આગામી દિવસોમાં ક્યાંક બહાર ફરવા જવાનું કે હવાઈ મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. બદલાતી વૈશ્વિક પરિસ્થિતિઓ અને વધતા ઇંધણના ભાવને કારણે આગામી સમયમાં વિમાનની ટિકિટો મોંઘી થઈ શકે છે.

Breaking News : નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટથી પહેલી ફ્લાઈટનું શેડ્યૂલ જાહેર, આ શહેરોથી મળશે સીધી કનેક્ટિવિટી

ડીજીસીએ 6 માર્ચ 2006ના રોજ એરપોર્ટનું એરડ્રોમ લાઈસન્સ જાહેર કર્યું હતુ. એક રનવે, આત્યાધુનિક ટર્મિનલ ભવન અને એર ટ્રાફિક કંટ્રોલ (ATC) ટાવર સહિતની તમામ જરૂરી સુવિધાઓ વિકસાવવામાં આવી છે.

Breaking News Vadodara : ‘આત્મનિર્ભર ભારત’ ની નવી ઉડાન, વડોદરામાં પ્રથમ ‘મેડ ઇન ઇન્ડિયા’ C-295 વિમાનનું સફળ પરીક્ષણ

Airbus C 295 : વડોદરામાં બનેલા પહેલા મેડ ઈન ઈન્ડિયા C-295 સૈન્ય પરિવહન વિમાને તેની પ્રથમ સફળ ઉડાન ભરી છે. ટાટા-એરબસ સુવિધાની આ સફળતા આત્મનિર્ભર ભારત અભિયાન અને ખાનગી ક્ષેત્ર માટે એક સીમાચિહ્નરૂપ છે.

કાશ્મીર જવાના હોવ તો ફ્લાઈટ ચેક કરી લેજો, શ્રીનગર એરપોર્ટને 1થી 15 ઓક્ટોબર સુધી બંધ રાખવા આદેશ, જાણો કેમ લેવાયો આવો નિર્ણય

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ, જમ્મુ કાશ્મીરના સૌથી વ્યસ્ત, સૈન્ય એરપોર્ટમાં સંવેદનશીલ એરપોર્ટ ગણાતા શ્રીનગર એરપોર્ટને ઓક્ટોબર મહિનામાં 15 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આ સમયગાળા દરમિયાન કાશ્મીર જવા ઈચ્છતા મુસાફરોએ, બાય રોડ કે ટ્રેન મારફતે પ્રવાસ કરવાની ફરજ પડશે.

Breaking News : અમદાવાદમાં વાતાવરણમાં પલટાને લઈને ફ્લાઈટો ડાઈવર્ટ કરાઈ

અમદાવાદ એરપોર્ટ પર ઉતરતી ફ્લાઈટ ડાયવર્ટ કરાઈ છે.નજીકના એરપોર્ટ પર ફ્લાઈટ લેન્ડિંગ કરાશે.મોટાભાગની ફ્લાઈટ અમદાવાદની જગ્યાએ સુરત લેન્ડિંગ કરવામાં આવી છે.

અઝરબૈજાન ફ્લાઇટના ડિસ્ટ્રેસ સિગ્નલથી દોડધામ મચી
અઝરબૈજાન ફ્લાઇટના ડિસ્ટ્રેસ સિગ્નલથી દોડધામ મચી
એશિયન સ્પાઈસીસ કંપનીમાંથી યુકે માટે મસાલાનું પ્રથમ કન્ટેનર થયુ રવાના
એશિયન સ્પાઈસીસ કંપનીમાંથી યુકે માટે મસાલાનું પ્રથમ કન્ટેનર થયુ રવાના
અષાઢી બીજે નવસારીના ઉભરાટ દરિયા કિનારે ઊંચા મોજા
અષાઢી બીજે નવસારીના ઉભરાટ દરિયા કિનારે ઊંચા મોજા
રાજકોટમાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહો
રાજકોટમાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહો
697 વિદ્યાર્થીના ડમી એડમિશન બાદ સફાળી જાગી સરકાર
697 વિદ્યાર્થીના ડમી એડમિશન બાદ સફાળી જાગી સરકાર
હોસ્પિટલના ખાટલે પડેલા પતિ સામે પત્નીની 'રીલબાજી'
હોસ્પિટલના ખાટલે પડેલા પતિ સામે પત્નીની 'રીલબાજી'
જગતના નાથની રથયાત્રામાં નાથને નિહાળી ભાવિકો ભક્તિના રંગે રંગાયા- Video
જગતના નાથની રથયાત્રામાં નાથને નિહાળી ભાવિકો ભક્તિના રંગે રંગાયા- Video
મામાને ઘરે વ્હાલા ભાણેજને આવકારવા સરસરપુરવાસીઓમાં અનેરો થનગનાટ
મામાને ઘરે વ્હાલા ભાણેજને આવકારવા સરસરપુરવાસીઓમાં અનેરો થનગનાટ
પવિત્ર દિવસે મેઘરાજાની 'ધમાકેદાર એન્ટ્રી', બફારાથી મળી લોકોને 'રાહત'
પવિત્ર દિવસે મેઘરાજાની 'ધમાકેદાર એન્ટ્રી', બફારાથી મળી લોકોને 'રાહત'
45 કરોડની ખંડણી ચૂકવતા સુરતના હીરા વેપારી 3 મહિના પછી મુક્ત થયા
45 કરોડની ખંડણી ચૂકવતા સુરતના હીરા વેપારી 3 મહિના પછી મુક્ત થયા
g clip-path="url(#clip0_868_265)">