AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

History of city name : વૃંદાવનના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા

વૃંદાવન, મથુરામાં આવેલું એક પવિત્ર સ્થળ છે, કૃષ્ણની બાળલીલાઓ અને ભક્તિ સાથે જોડાયેલું વૃંદાવન, ઐતિહાસિક મંદિરો અને આધ્યાત્મિક વાતાવરણ માટે પ્રખ્યાત છે. હજારો ભક્તો દર વર્ષે વૃંદાવનની મુલાકાત લે છે.

| Updated on: May 05, 2025 | 6:16 PM
વૃંદાવન એટલે "તુલસીનું વન". એવું માનવામાં આવે છે કે આ સ્થળે પૂર્વકાળે  તુલસીના વૃક્ષોનું ઘનઘોર અને સુંદર જંગલ હતું, જેના કારણે તેનું નામ "વૃંદાવન" પડ્યું.  એક મંતવ્ય એવું પણ છે કે કૃષ્ણની બાલસખી વૃંદાના નામ પરથી પણ આ નામ પડ્યું હોય. વૃંદાવન એ શ્રીકૃષ્ણની બાળલીલાની ભૂમિ છે. .  (Credits: - Canva)

વૃંદાવન એટલે "તુલસીનું વન". એવું માનવામાં આવે છે કે આ સ્થળે પૂર્વકાળે તુલસીના વૃક્ષોનું ઘનઘોર અને સુંદર જંગલ હતું, જેના કારણે તેનું નામ "વૃંદાવન" પડ્યું. એક મંતવ્ય એવું પણ છે કે કૃષ્ણની બાલસખી વૃંદાના નામ પરથી પણ આ નામ પડ્યું હોય. વૃંદાવન એ શ્રીકૃષ્ણની બાળલીલાની ભૂમિ છે. . (Credits: - Canva)

1 / 8
વૃંદાવન ઉત્તર પ્રદેશ રાજ્યના મથુરા જિલ્લામાં સ્થિત છે અને તે હિંદુ ધર્મના પવિત્ર સ્થળો પૈકી એક છે. તેની સાથે ભગવાન શ્રીકૃષ્ણના બાળપણ અને યુવાન અવસ્થાના અનેક  પ્રસંગો જોડાયેલા છે. (Credits: - Canva)

વૃંદાવન ઉત્તર પ્રદેશ રાજ્યના મથુરા જિલ્લામાં સ્થિત છે અને તે હિંદુ ધર્મના પવિત્ર સ્થળો પૈકી એક છે. તેની સાથે ભગવાન શ્રીકૃષ્ણના બાળપણ અને યુવાન અવસ્થાના અનેક પ્રસંગો જોડાયેલા છે. (Credits: - Canva)

2 / 8
 ભગવાન કૃષ્ણે પોતાનું બાળપણ ગોકુલ અને નંદગાંવમાં વિતાવ્યું હતું અને પોતાના યૌવનના સુંદર દિવસો વૃંદાવનના વનમાં ગોપીઓ સાથે લીલાઓ કરતા વિતાવ્યા હતા. (Credits: - Canva)

ભગવાન કૃષ્ણે પોતાનું બાળપણ ગોકુલ અને નંદગાંવમાં વિતાવ્યું હતું અને પોતાના યૌવનના સુંદર દિવસો વૃંદાવનના વનમાં ગોપીઓ સાથે લીલાઓ કરતા વિતાવ્યા હતા. (Credits: - Canva)

3 / 8
15મી અને 16મી સદી દરમિયાન ચૈતન્ય મહાપ્રભુ અને અન્ય વૈષ્ણવ સંતો વૃંદાવન આવ્યા હતા. તેમણે અહીં ભક્તિ મય માહોલને જીવંત કર્યો અને અનેક મંદિર સ્થાપિત કર્યા. (Credits: - Canva)

15મી અને 16મી સદી દરમિયાન ચૈતન્ય મહાપ્રભુ અને અન્ય વૈષ્ણવ સંતો વૃંદાવન આવ્યા હતા. તેમણે અહીં ભક્તિ મય માહોલને જીવંત કર્યો અને અનેક મંદિર સ્થાપિત કર્યા. (Credits: - Canva)

4 / 8
વ્રજ ભૂમિમાં આવેલ કૃષ્ણ સાથે સંકળાયેલા 5 મુખ્ય મંદિર છે, જેમાં બાંકે બિહારી મંદિર, રાધા વલ્લભ મંદિર, માધવરાય મંદિર, ગોપી નાથ મંદિર, ગોવિંદ દેવજી મંદિર, આ મંદિરો 16મી સદીના અંતિમ ભાગથી લઈ 17મી સદીની શરૂઆત દરમિયાન બંધાયેલાં છે. (Credits: - Canva)

વ્રજ ભૂમિમાં આવેલ કૃષ્ણ સાથે સંકળાયેલા 5 મુખ્ય મંદિર છે, જેમાં બાંકે બિહારી મંદિર, રાધા વલ્લભ મંદિર, માધવરાય મંદિર, ગોપી નાથ મંદિર, ગોવિંદ દેવજી મંદિર, આ મંદિરો 16મી સદીના અંતિમ ભાગથી લઈ 17મી સદીની શરૂઆત દરમિયાન બંધાયેલાં છે. (Credits: - Canva)

5 / 8
મુઘલ શાસન દરમિયાન કેટલાક મંદિરો નષ્ટ કરવામાં આવ્યા હતા. બાદમાં રાજપૂત રાજાઓ અને વૈષ્ણવ ગુરૂઓ દ્વારા તેમને પુનઃ નિર્મિત કરવામાં આવ્યા. (Credits: - Canva)

મુઘલ શાસન દરમિયાન કેટલાક મંદિરો નષ્ટ કરવામાં આવ્યા હતા. બાદમાં રાજપૂત રાજાઓ અને વૈષ્ણવ ગુરૂઓ દ્વારા તેમને પુનઃ નિર્મિત કરવામાં આવ્યા. (Credits: - Canva)

6 / 8
એવું માનવામાં આવે છે કે કૃષ્ણ ભગવાન પૂનમના દિવસે અને હોળીના પાવન અવસરે રાત્રિ દરમિયાન વૃંદાવનમાં રાસ રમવા પધારે છે. આ રાત્રી સમયે ત્યાં કોઈપણને રોકાવાની પરવાનગી આપવામાં આવતી નથી.  અહીંની રેતીને 'રમણ રેતી' તરીકે ઓળખવામાં આવે છે, જ્યાં કૃષ્ણના ભક્તો ભાવપૂર્વક આરામ અને આધ્યાત્મિક આનંદનો અનુભવ કરે છે. (Credits: - Canva)

એવું માનવામાં આવે છે કે કૃષ્ણ ભગવાન પૂનમના દિવસે અને હોળીના પાવન અવસરે રાત્રિ દરમિયાન વૃંદાવનમાં રાસ રમવા પધારે છે. આ રાત્રી સમયે ત્યાં કોઈપણને રોકાવાની પરવાનગી આપવામાં આવતી નથી. અહીંની રેતીને 'રમણ રેતી' તરીકે ઓળખવામાં આવે છે, જ્યાં કૃષ્ણના ભક્તો ભાવપૂર્વક આરામ અને આધ્યાત્મિક આનંદનો અનુભવ કરે છે. (Credits: - Canva)

7 / 8
આજના સમયમાં વૃંદાવન વિશ્વભરમાંથી હજારો ભક્તોને આકર્ષે છે. અહીં તુલસી વન, યમુના નદી, અને અનેક મંદિર દર્શન માટે આવે છે. તે તીર્થ યાત્રાનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર છે જ્યાં લોકો ભાવના અને ભક્તિથી શ્રીકૃષ્ણ અને રાધા રાણીના સ્મરણમાં લીન થાય છે. ( આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે.  વિગતવાર માહિતી માટે, ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે.)  (Credits: - Canva)

આજના સમયમાં વૃંદાવન વિશ્વભરમાંથી હજારો ભક્તોને આકર્ષે છે. અહીં તુલસી વન, યમુના નદી, અને અનેક મંદિર દર્શન માટે આવે છે. તે તીર્થ યાત્રાનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર છે જ્યાં લોકો ભાવના અને ભક્તિથી શ્રીકૃષ્ણ અને રાધા રાણીના સ્મરણમાં લીન થાય છે. ( આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે. વિગતવાર માહિતી માટે, ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે.) (Credits: - Canva)

8 / 8

Tv9 ગુજરાતી પર શહેર, નામ પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">