ઉત્તર પ્રદેશ
ઉત્તર પ્રદેશ એ ભારતના મહત્વપૂર્ણ રાજ્યોમાંનું એક છે. તેનુ પાટનગર લખનૌ છે. ઉત્તર પ્રદેશમાં આશરે 20 કરોડની વસ્તીવાળા 75 જિલ્લાઓ છે. ઉત્તર પ્રદેશ લગભગ 2 લાખ 41 હજાર ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે.
રાજ્યમાંથી લોકસભાની કુલ 80 બેઠકો છે. જ્યારે રાજ્યમાંથી 31 રાજ્યસભા સભ્યો ચૂંટાય છે. રાજ્યના વિધાનસભા સભ્યોની સંખ્યા 404 છે. તેમાંથી 403 ચૂંટાયા છે, જ્યારે ધારાસભ્યો નામાંકિત છે. ઉત્તર પ્રદેશની સત્તાવાર ભાષા હિન્દી છે.
રાજ્ય પક્ષી સ્ટોર્ક છે. યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી છે, આનંદી બેન પટેલ રાજ્યપાલ તરીકે છે. વિશ્વની સાત અજાયબીઓમાંનો એક તાજમહેલ ઉત્તર પ્રદેશમાં છે. તે આગ્રામાં આવેલ છે.
Breaking News: રામ મંદિર દાન ચોરી કેસમાં પહેલી FIR દાખલ, જાણી લો કયા 8 લોકોના નામ આવ્યા સામે?
અયોધ્યા રામ મંદિરમાં દાન અને ચઢાવાની ચોરીના મામલે યોગી સરકારની ભલામણ બાદ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. એસઆઈટીના અહેવાલના આધારે 8 લોકો સામે ગુનો નોંધાયો છે.
- Sachin Agrawal
- Updated on: Jun 25, 2026
- 8:30 pm
ભારતનું એક એવુ પ્રસિદ્ધ મંદિર જ્યાં આરતી સમયે નથી વગાડવામાં આવતી ઘંટડીઓ- કારણ જાણીને ચોંકી જશો
ભારતના આ પ્રસિદ્ધ મંદિરમાં આરતીના સમયે ઘંટડીઓ વગાડવામાં નથી આવતી. સામાન્ય રીતે મંદિરમાં આરતી સમયે ઘંટારવ કરવામાં આવે છે. તેના વિના આરતી પણ જાણે સુની કે અધૂરી લાગે છે પરંતુ ભારતનું આ એક એવુ મંદિર છે જે અનેક રહસ્યોથી ભરેલુ છે અનેત્યાં આરતી સમયે ઘંટડી નથી વગાડવામાં આવતી. જેની પાછળનું કારણ પણ ઘણુ રસપ્રદ છે. આવો જાણીએ.
- Mina Pandya
- Updated on: Jun 25, 2026
- 7:09 pm
Breaking News: રામ મંદિર ચઢાવા ચોરી મામલે સૌથી મોટા સમાચાર, ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય આપી શકે છે રાજીનામુ, કોઈપણ સમયે થઈ શકે છે FIR
PMO એ રામમંદિર ટ્રસ્ટ પાસે જાણકારી માગી હતી. રામ મંદિર ટ્રસ્ટે SIT તપાસનો હવાલો આપી જાણકારી આપવાનો ઈનકાર કર્યો હતો. જે બાદ હવે રાજીનામા પડ્યા કે રાજીનામુ આપશે તે અંગે અટકળો ચાલી રહી છે.
- Mina Pandya
- Updated on: Jun 25, 2026
- 6:40 pm
Breaking News : ડિજિટલ અરેસ્ટ સ્કેમનો પર્દાફાશ, CBIના ઓપરેશન ચક્ર 6 હેઠળ 16 રાજ્યોમાં 80થી વધુ સ્થળોએ એકસાથે દરોડા ! જુઓ Video
CBI એ ઓપરેશન ચક્ર-6 હેઠળ દેશના 16 રાજ્યોમાં 80થી વધુ સ્થળોએ એકસાથે દરોડા પાડ્યા છે. આ કાર્યવાહીમાં 2 લોકોને ધરપકડ પણ કરવામાં આવી છે. CBIની લગભગ 60 વિશેષ ટીમોએ અનેક રાજ્યોમાં કાર્યવાહી કરી છે.
- Dhruval Shah
- Updated on: Jun 25, 2026
- 12:59 pm
Breaking News : રામ મંદિરના દાનની ગણતરી માટે નવા નિયમો લાગુ, કર્મચારીઓ હવે આ વસ્તુઓ લઈ જઈ શકશે નહીં
Ram Mandir Donation Rules : અયોધ્યાના શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં દાનરાશિની સુરક્ષા પારદર્શિતા વધારવા માટે નવી વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે. કર્મચારીઓ હવે દાન ગણતરી ખંડમાં ખિસ્સા વગરના ખાસ કપડાં પહેરીને પ્રવેશ કરશે. મોબાઇલ ફોન, બેગ, પાકીટ અને પર્સનલ સામાન લઈ જવા પર પ્રતિબંધ છે.
- Nirupa Duva
- Updated on: Jun 24, 2026
- 8:26 am
લખનઉમાં સિસ્ટમની ઘોર બેદરકારીના પાપે લાગેલી આગમાં 15 બાળકો થઈ ગયા ભડથુ… ક્યાં સુધી ભ્રષ્ટાચારની આગમાં હોમાતા રહેશે માસૂમો?
22 જૂન 2026 વધુ એક અગ્નિકાંડ. આ વખતે પણ ઘટનાક્રમ એક સરખો જ હતો માત્ર શહેર બદલાયુ. જે પ્રકારે દિલ્હીમાં થયુ, જે પ્રકારે અગાઉ સુરતના તક્ષશીલા કોચિંગ સેન્ટરમાં થયુ હતુ. તે જ પ્રકારનો અગ્નિકાંડ લખનઉમાં સર્જાયો. માત્ર કેટલાક ભ્રષ્ટ પાપીઓના કારણે 15 નવયુવાનો આગમાં ભડથુ થઈ ગયા. દરેક વખતે આવા અગ્નિકાંડો થતા રહે છે, બે દિવસ કડકાઈના નાટક થાય છે અને થોડા દિવસોમાં મૃતકો માત્ર આંકડો બનીને રહી જાય છે. લખનઉ અગ્નિકાંડની ઘટનામાં સૌથી ચોંકાવનારી બાબત જે સામે આવી તે એ છે કે એ ઈમારત ફાયર સેફ્ટી નોર્મ્સમાં આવતી જ ન હતી છતા તેનો કોમર્શિયલ યુઝ થઈ રહ્યો હતો. વિધાનસભાથી 7 કિલોમીટરના એરિયામાં આવેલી ઈમારતની આ સ્થિતિ હોય તો વિચારો અન્ય જિલ્લાઓની શું હાલત હશે
- Mina Pandya
- Updated on: Jun 23, 2026
- 8:10 pm
હાથમાં સિગારેટ, બાજુમાં બોટલ… ગ્રેટર નોઈડાના રસ્તા પર સૂઈને ટલ્લી મહિલાએ સર્જ્યો હાઇ વોલ્ટેજ ડ્રામા, Watch Viral Video
ગ્રેટર નોઈડાના રોડ પર દારૂના નશામાં અને સિગારેટ પીતી એક મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આસપાસના લોકો તેને જગાડવાનો અને તેને સમજવાનો પ્રયત્ન કરતા રહ્યા. આ વીડિયો જોયા બાદ નેટીઝન્સ વિવિધ બાબતો વિશે વાત કરી રહ્યા છે.
- Meera Kansagara
- Updated on: Jun 23, 2026
- 10:58 am
Breaking news: 4 સસ્પેન્ડ, મકાન માલિકની ધરપકડ… લખનઉ આગમાં 15 લોકો જીવતા સળગી ગયા, આવા અકસ્માતો ક્યારે બંધ થશે?
લખનઉના અલીગંજમાં લાગેલી આગમાં પંદર લોકોના મોત થયા છે અને નવ લોકો ઘાયલ થયા છે. આ ઘટના બાદ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દેશ પર ચાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, જેના કારણે ચાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. બિલ્ડિંગના માલિક વીરેન્દ્ર પ્રસાદ શુક્લા સહિત ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
- Meera Kansagara
- Updated on: Jun 23, 2026
- 7:44 am
રામ મંદિરમાં ચોરી:કરોડો દેશવાસીઓની આસ્થા સાથે વિશ્વાસઘાત કરનારા કોણ છે? શુ મોટા માથા પકડાશે કે નાની માછલીઓને આગળ કરી દેવાશે?
રામમંદિરમાં દાનની ચોરી અને ચઢાવા ચોરી એ માત્ર કોઈ ચોરીનો મુદ્દો નથી, અસલમાં આ વિષય છે કરોડો હિંદુઓ, અને રામભક્તોની આસ્થા અને વિશ્વાસ સાથે કરવામાં આવેલા વિશ્વાસઘાત નો. કારણ કે આ રામમંદિરની સુરક્ષા એટલી જડબેસલાક છે કે ભાવિકો ત્યાં નાની પીન થી લઈને પેન પણ નથી લઈ જઈ શક્તા ત્યારે કરોડો રૂપિયા અને સોના-ચાંદીના કિમતી ભેટો અને આભૂષણો કેવી રીતે ગાયબ થઈ શકે તે સવાલ થવા પણ સ્વાભાવિક છે. કારણ કે મંદિર પરિસરમાં 1000 જેટલા CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. જ્યાં દાનમાં મળેલા પૈસાની ગણતરી કરવામાં આવે છે એ રૂમ અને તેની આસપાસ 15 થી 20 CCTV કેમેરા લાગેલા છે. જે 40 દાનપેટીમાં ભક્તો પૈસા નાખે છે તેની આસપાસ પણ હાઈડેફિનેશન અને 360 ડિગ્રી પર રેકોર્ડ કરનારા કેમેરા લગાવેલા છે. આટલી સુરક્ષા છતા ચોર આસાનીથી રૂપિયા અને દાગીનાની ચોરી કરી લે તે કેવી રીતે શક્ય છે તે મોટો સવાલ છે.
- Mina Pandya
- Updated on: Jun 22, 2026
- 7:29 pm
મારી આંખો સામે 14 શબ જોયા… લખનઉ અગ્નિકાંડ પર વાત કરતી વખતે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા ડિપ્ટી CM
લખનઉ કોચિંદ ઈન્સ્ટીટ્યુટ બહગાર લાગેલી આગ પર ઉપમુખ્યમંત્રી એ મોટુ નિવેદન આપ્યુ છ. વિચલીત કરી દેનારા દૃશ્યોને જોયા બાદ ડિપ્ટી સીએમ બ્રજેશ પાઠક ધ્રુસકે ધ્રુસકે મીડિયા સમક્ષ રડી પડ્યા. આ દર્દનાક ઘટનાને જોયા બાદ તેના વિશે વાત કરતા તેઓ અત્યંત ભાવુક જોવા મળ્યા હતા.
- Mina Pandya
- Updated on: Jun 22, 2026
- 7:36 pm
Breaking News : સુરતના તક્ષશીલા જેવી ઘટના UP માં, કોચિંગ સેન્ટરમાં ભીષણ આગ, 15 લોકોના મોત
લખનઉના અલીગંજમાં એક કોચિંગ સેન્ટરમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં અનેક વિદ્યાર્થીઓ ફસાયા હતા. જીવ બચાવવા કેટલાક વિદ્યાર્થીઓએ છત પરથી કૂદવાનો પ્રયાસ કર્યો. 15 લોકોના મોત થયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી.
- Sagar Solanki
- Updated on: Jun 22, 2026
- 7:14 pm
Breaking News: રામ મંદિર દાન ચોરી વિવાદમાં મોટી કાર્યવાહી, 40 કર્મચારીઓને દાન ગણતરીમાંથી દૂર કરાયા
અયોધ્યાના રામ મંદિર પ્રસાદ અને દાન ગેરરીતિ મામલે તપાસ વચ્ચે મંદિર ટ્રસ્ટે મોટો નિર્ણય લીધો છે. દાનની ગણતરીમાં સામેલ આશરે 40 કર્મચારીઓને તેમની જવાબદારીમાંથી દૂર કરવામાં આવ્યા છે. તેમની જગ્યાએ નવા કર્મચારીઓ અને કાઉન્ટરોની નિમણૂક કરવામાં આવી છે. દાનપેટીઓમાં આવતી રોકડ રકમ તેમજ દાગીના અને અન્ય કિંમતી ચીજવસ્તુઓની ગણતરી પ્રક્રિયા પર હવે વિશેષ નજર રાખવામાં આવી રહી છે.
- Tanvi Soni
- Updated on: Jun 22, 2026
- 9:41 am
Breaking News : રામ મંદિર દાન ચોરી કેસમાં SITની તપાસ તેજ, બેંક કર્મચારીઓની ભૂમિકા પર ઉઠ્યા સવાલ, જાણો અત્યાર સુધીની અપડેટ
તપાસ દરમિયાન એવા સંકેતો મળ્યા છે કે બેંકિંગ સિસ્ટમમાં ગંભીર ખામીઓ રહી હોઈ શકે છે. SITને એવી શંકા છે કે કેટલીક જગ્યાએ બેદરકારી અથવા સંભવિત મિલીભગત પણ થઈ હોઈ શકે છે. દાનની ગણતરીથી લઈને જમા કરવાની પ્રક્રિયામાં બેંક અધિકારીઓની જવાબદારી હોવા છતાં યોગ્ય દેખરેખ ન રાખવામાં આવી હોવાના આરોપો સામે આવ્યા છે.
- Tanvi Soni
- Updated on: Jun 20, 2026
- 2:11 pm
અયોધ્યા રામ મંદિરની દાનપેટીમાંથી દાનની ચોરી ! જાણો દાન ચોરીનો સમગ્ર ઘટનાક્રમ-વિવાદ
અયોધ્યા સ્થિત રામ મંદિરને લઈને એવા આરોપો સામે આવ્યા છે કે, મંદિરમાં રાખવામાં આવેલ દાન પેટીઓમાંથી રોકડ ગણતરી અને જમા કરાવવાની પ્રક્રિયા દરમિયાન મોટી રકમ ગુમ થઈ ગઈ છે. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, ઉત્તર પ્રદેશ સરકારે આ મુદ્દાની તપાસ માટે ત્રણ સભ્યોની વિશેષ તપાસ ટીમ (SIT) ની રચના કરી છે. SITની ટીમ હાલમાં કથિત નાણાંની ઉચાપત અને નાણાકીય વ્યવહારોની તપાસ કરી રહી છે.
- TV9 Gujarati
- Updated on: Jun 19, 2026
- 6:38 pm
Breaking News : અયોધ્યાના રામ મંદિરમાં 11 મહિનામાં 83 કરોડનું દાન, સુરક્ષા પાછળ 10 કરોડ રૂપિયા ખર્ચાયા છતાં થઈ ચોરી
રામ મંદિરના દાનની ચોરીની તપાસમાં ટ્રસ્ટના નાંણાકીય ડોક્યુમેન્ટમાંથી અનેક તથ્ય સામે આવ્યા છે. જેમણે સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ અનેક સવાલો ઉભા કર્યા છે. 11 મહિનામાં મંદિરની સુરક્ષા વ્યવસ્થા પાછળ લગભગ 10 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા, પરંતુ તે જ સમયગાળા દરમિયાન દાનપેટીઓમાંથી ચોરી થઈ હતી.
- Nirupa Duva
- Updated on: Jun 19, 2026
- 11:26 am