
ઉત્તર પ્રદેશ
ઉત્તર પ્રદેશ એ ભારતના મહત્વપૂર્ણ રાજ્યોમાંનું એક છે. તેનુ પાટનગર લખનૌ છે. ઉત્તર પ્રદેશમાં આશરે 20 કરોડની વસ્તીવાળા 75 જિલ્લાઓ છે. ઉત્તર પ્રદેશ લગભગ 2 લાખ 41 હજાર ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે.
રાજ્યમાંથી લોકસભાની કુલ 80 બેઠકો છે. જ્યારે રાજ્યમાંથી 31 રાજ્યસભા સભ્યો ચૂંટાય છે. રાજ્યના વિધાનસભા સભ્યોની સંખ્યા 404 છે. તેમાંથી 403 ચૂંટાયા છે, જ્યારે ધારાસભ્યો નામાંકિત છે. ઉત્તર પ્રદેશની સત્તાવાર ભાષા હિન્દી છે.
રાજ્ય પક્ષી સ્ટોર્ક છે. યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી છે, આનંદી બેન પટેલ રાજ્યપાલ તરીકે છે. વિશ્વની સાત અજાયબીઓમાંનો એક તાજમહેલ ઉત્તર પ્રદેશમાં છે. તે આગ્રામાં આવેલ છે.
પેટમાં દુ:ખાવો થયો, ઈન્ટરનેટ જોઈને યુવકે જાતે પોતાનું ઓપરેશન શરૂ કર્યું, 12 ટાંકા લગાવ્યા બાદ હાલત બગડી…
યુપીના મથુરામાં વારંવાર પેટના દુખાવાથી પીડિત વ્યક્તિએ ઈન્ટરનેટ પરથી માહિતી એકઠી કરી અને પોતાના પેટમાં જાતે જ ચીરો કરીને ઓપરેશન કરવાનો પ્રયાસ કર્યો. જ્યારે દુખાવો તીવ્ર બન્યો અને લોહી નીકળવાનું બંધ ન થયું ત્યારે પરિવારજનો તેને હોસ્પિટલ લઈ ગયા. તેની ગંભીર હાલતને જોતા ત્યાંના તબીબોએ પ્રાથમિક સારવાર આપી તેને રેફર કરી દીધો હતો.
- Dhinal Chavda
- Updated on: Mar 20, 2025
- 3:33 pm
‘દેવીએ તને વધ કરવા મોકલ્યો છે…’, મુસ્કાન સાહિલને શિવ અને પોતાને પાર્વતી કહીને બોલાવતી, સૌરભ હત્યા કેસની આવ્યો નવો વળાંક
Meerut Murder Case Update: યુપીના બહુચર્ચિત સૌરભ રાજપૂત હત્યા કેસમાં તંત્ર-મંત્રનો એંગલ સામે આવ્યો છે. હત્યારા સાહિલના ઘરેથી તંત્ર-મંત્ર સંબંધિત તસવીરો મળી આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, સૌરભની પત્નીએ સાહિલની અંધશ્રદ્ધાનો ફાયદો ઉઠાવ્યો હતો. તેને કહ્યું કે દેવી માતાએ તેને તને મારવા મોકલ્યો છે. સાહિલ પણ તેની વાતથી પ્રભાવિત થયો અને મુસ્કાન સાથે મળીને સૌરભની હત્યા કરી નાખી.
- Dhinal Chavda
- Updated on: Mar 20, 2025
- 2:13 pm
પત્નીએ પ્રેમી સાથે મળી કરી પતિની હત્યા, લાશ ડ્રમમાં ભરી ડ્રમ સિમેન્ટથી સીલ કરી જતી રહી શિમલા ફરવા
મેરઠમાં પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી લાશને ડ્રમમાં ભરી ડ્રમને સિમેન્ટથી બંધ કરી દીધુ. હત્યા બાદ બંને શિમલા ફરવા ગયા હતા. 14 દિવસ બાદ પત્નીએ બેંક ખાતામાંથી પૈસા ઉપાડવા માટે માતાની મદદ માંગી હતી, જેના કારણે હત્યાનો ખુલાસો થયો હતો. પોલીસે બંનેની ધરપકડ કરી લાશ કબજે કરી હતી.
- Dhinal Chavda
- Updated on: Mar 19, 2025
- 2:43 pm
રામ મંદિર ટ્રસ્ટે, સરકારને 400 કરોડનો ટેક્સ ચૂકવ્યો, શ્રદ્ધાળુઓની સંખ્યા 10 ગણી વધી
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે, છેલ્લા પાંચ વર્ષમાં રૂ. 400 કરોડનો ટેક્સ ચૂકવ્યો છે. જેમાં રૂપિયા 270 કરોડનો GSTનો સમાવેશ થાય છે. રામ મંદિરના નિર્માણથી અયોધ્યામાં ધાર્મિક પર્યટન અને રોજગારની તકોમાં વધારો થયો છે. ગયા વર્ષે 16 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ આવ્યા હતા. જેમાંથી 5 કરોડ દર્શનાર્થીઓએ રામ મંદિરના દર્શન કર્યા હતા. CAG દ્વારા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના તમામ નાણાકીય રેકોર્ડનું નિયમિત ઓડિટ કરવામાં આવે છે.
- TV9 Gujarati
- Updated on: Mar 17, 2025
- 2:38 pm
હિંસા-તોફાનની આશંકા વચ્ચે સંભલમાં હોળીની શોભાયાત્રા-જુમ્માની નમાજ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
સંભલમાં હોળી અને શુક્રવારની નમાજ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ છે. સીઓ અનુજ ચૌધરીએ કહ્યું કે હોળીની શોભાયાત્રા, મસ્જિદની પાછળથી જ નીકળ્યું હતું, જેમાં લગભગ 3000 લોકો સામેલ થયા હતા. શોભાયાત્રા દરમિયાન સંભલમાં કોઈ અનિચ્છનીય બનાવ નોંધાયો નથી.
- TV9 Gujarati
- Updated on: Mar 14, 2025
- 3:42 pm
હોળી રમતા યોગી આદિત્યનાથે કહ્યું- આપણે એક થઈશું તો કોઈ તાકાત આપણને રોકી નહીં શકે
હોળી ઘૂળેટીના પાવન પર્વ પર ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ ગોરખપુર પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે સમાન્ય નાગરિકોની સાથે હોળીનો તહેવાર ઉજવ્યો હતો. ગોરખપુરમાં ઉપસ્થિત મેદનીને સંબોધન કરતા યોગીએ કહ્યું કે, જો આપણે સૌ એક થઈશુ તો વિશ્વની તોઈ તાકાત આપણને રોકી નહીં શકે. વિશ્વની કોઈ શક્તિ તેને વિકાસ કરતા રોકી શકશે નહીં. સીએમએ કહ્યું, હોળીનો સંદેશ સરળ છે - એકતા થકી જ આ દેશ એક થઈ શકશે.
- TV9 Gujarati
- Updated on: Mar 14, 2025
- 5:46 pm
સંભલમાં હોળીના દિવસે નીકળશે શોભાયાત્રા, માર્ગ પરની 10 મસ્જિદને ઢાંકી દેવા નિર્ણય
સંભલના એસપીએ કહ્યું કે, હોળીના દિવસે શોભાયાત્રાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. જુલુસના રૂટ પર આવતી દસ મસ્જિદ ઉપર આવરણ નાખવામાં આવશે. સંભલમાં હોળી પર્વને લઈને બે શોભાયાત્રા નીકળશે. પ્રથમ શોભાયાત્રા સવારે 8 થી 11 અને બીજી સવારે 11 થી 3 વાગ્યા સુધીની રહેશે. આ દરમિયાન જુ્મ્માની નમાઝ શોભાયાત્રા પહેલા કે પછી થશે, શોભાયાત્રા દરમિયાન નહીં.
- TV9 Gujarati
- Updated on: Mar 12, 2025
- 2:42 pm
હનુમાનનો ભક્ત છે સાઉથ આફ્રિકાનો આ ક્રિકેટર, પત્ની છે કથક ડાન્સર, આવો છે તેનો પરિવાર
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સેમિફાઇનલમાં સાઉથ આફ્રિકાની ટીમ બહાર થઈ હતી.કેશવ મહારાજે પોતાની ટેસ્ટ કારકિર્દીમાં 57 મેચોમાં 198 વિકેટ લીધી છે. તો આજે આપણે કેશવ મહારાજના પરિવાર અને તેની પર્સનલ લાઈફ વિશે જાણીએ.
- Nirupa Duva
- Updated on: Mar 12, 2025
- 8:19 am
Travel with tv9 : હોળી પર મથુરાના આ મંદિરની લો મુલાકાત, જાણો તમારો બજેટ ફ્રેન્ડલી ટ્રાવેલ પ્લાન
હવે હોળીને ગણતરીના જ દિવસ બાકી છે. હોળી ઉજવણી ભારતભરમાં અલગ અલગ પ્રકારે કરવામાં આવે છે. ત્યારે તમે તમારી હોળીને વધુ ખાસ બનાવવા માટે ભારતના ક્યાં શહેરમાં પ્રવાસ માટે જઈ શકો છો. તેની માહિતી આજે અહીં જણાવીશું.
- Disha Thakar
- Updated on: Mar 11, 2025
- 10:28 am
એકતાનો મહાયજ્ઞ સંપન્ન, ધાર્યા કરતા પણ વધુ લોકો…, કુંભમેળાના સમાપન પર PM મોદીએ લખ્યો બ્લોગ
પ્રયાગરાજમાં ગત 13 જાન્યુઆરીથી શરૂ થયેલો મહાકુંભ ગઈકાલ 26મી ફેબ્રુઆરીને મહાશિવરાત્રિના દિવસે પૂર્ણ થઈ ગયો છે. 45 દિવસ સુધી ચાલેલા આ કુંભમેળામાં 66 કરોડથી વધુ લોકોએ સ્નાન કર્યું હતું. મહાકુંભના સમાપન પર પીએમ મોદીએ બ્લોગમાં લખ્યુ કે એકતાનો મહા યજ્ઞ પૂર્ણ થયો.
- TV9 Gujarati
- Updated on: Feb 27, 2025
- 8:42 pm
Gujarat CM vs UP CM salary : પગાર વધુ છતાં નેટવર્થ ઓછી ! જાણો ગુજરાત કે ઉત્તર પ્રદેશ.. કયા રાજ્યના CM ને મળે છે વધુ પગાર ?
ભારતના વિવિધ રાજ્યોમાં મુખ્યમંત્રીઓના પગાર રાજ્ય વિધાનસભાઓ દ્વારા નક્કી કરવામાં આવે છે, જેના કારણે દરેક રાજ્ય માટે પગાર અલગ અલગ હોય છે. બંને મુખ્ય રાજ્યો, ઉત્તર પ્રદેશ અને ગુજરાતના મુખ્યમંત્રીઓના પગારમાં પણ તફાવત છે.
- Sagar Solanki
- Updated on: Feb 27, 2025
- 5:28 pm
મહાકુંભ મેળાનો મહાશિવરાત્રીએ છેલ્લો દિવસ, ભક્તો-શ્રદ્ધાળુઓનું ઉમટ્યું ઘોડાપૂર
પ્રયાગરાજ ખાતે યોજાઈ રહેલા મહાકુંભમાં છેલ્લું સ્નાન આવતીકાલ 26 ફેબ્રુઆરીએ છે. મહાશિવરાત્રી પણ આ જ દિવસે હોવાથી મહાસ્નાનનું મહત્વ અનેરુ છે. ઉત્તરપ્રદેશનું વહીવટીતંત્ર આ અવસર પર કરોડો શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ આવવાની અપેક્ષા રાખે છે. જેને લઈને કુંભમેળા વિસ્તાર અને શહેરમાં આજે એટલે કે 25મી ફેબ્રુઆરીથી જ નો-વ્હીકલ ઝોન લાગુ કરવામાં આવ્યો છે.
- TV9 Gujarati
- Updated on: Feb 25, 2025
- 6:22 pm
જાણીતા સિંગર શંકર મહાદેવને આ વરરાજાને કેમ કહ્યુ, “મે જિંદગીમાં આવો વરરાજા નથી જોયો”- જુઓ Viral Video
આજકાલ લગ્ન પ્રસંગોમાં માહોલ બનાવવા અને રોનક વધારવા માટે લોકો કોઈ કસર બાકી રાખતા નથી. ડીજે, ઢોલ, નગારા, નાચ-ગાન કંઈ જ બાકી રાખવામાં આવતુ નથી. ક્યારેક આ ખુશીને બમણી કરવા માટે લોકો સેલેબ્રિટીને પણ આમંત્રિત કરતા હોય છે. પરંતુ ક્યારેક ક્યારેક ત્યાં એવો માહોલ બની જાય છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે.
- Mina Pandya
- Updated on: Feb 24, 2025
- 2:47 pm
હોળીનો તહેવાર ઉજવશો તો લાશોનો ઢગલો કરી દઈશુ…, બરેલીમા માર મારી ધમકી આપ્યા બાદ વાતાવરણ તંગ
ઉત્તર પ્રદેશના બરેલીમાં હિન્દુ સમુદાયના લોકો પર જીવલેણ હુમલાનો મામલો સામે આવ્યો છે. અહીં હિન્દુ સમુદાયના કેટલાક લોકો હોળીના કાર્યક્રમનું આયોજન કરી રહ્યા હતા ત્યારે આ દરમિયાન અન્ય સમુદાયના લોકોએ તેમના પર ભારે હુમલો કર્યો હતો. આ દરમિયાન તેમણે જાનથી મારી નાખવાની ધમકી પણ આપી છે.
- TV9 Gujarati
- Updated on: Feb 23, 2025
- 9:08 am
Kumbh Mela 2025 : પ્રયાગરાજ કુંભમેળાના પાણીમાં વધી રહ્યા છે બેક્ટેરિયા, આટલા રોગો થવાની છે સંભાવના, અહીં જાણો
પ્રયાગરાજના સંગમમાં દરરોજ લાખો લોકો ડૂબકી લગાવી રહ્યા છે. ગંગા અને યમુનાના પાણીમાં મળ બેક્ટેરિયાનું લેવલ વધી ગયું છે. આ બેક્ટેરિયા સ્નાન કરતા લોકોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરી શકે છે.
- Meera Kansagara
- Updated on: Feb 19, 2025
- 2:54 pm