
ઉત્તર પ્રદેશ
ઉત્તર પ્રદેશ એ ભારતના મહત્વપૂર્ણ રાજ્યોમાંનું એક છે. તેનુ પાટનગર લખનૌ છે. ઉત્તર પ્રદેશમાં આશરે 20 કરોડની વસ્તીવાળા 75 જિલ્લાઓ છે. ઉત્તર પ્રદેશ લગભગ 2 લાખ 41 હજાર ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે.
રાજ્યમાંથી લોકસભાની કુલ 80 બેઠકો છે. જ્યારે રાજ્યમાંથી 31 રાજ્યસભા સભ્યો ચૂંટાય છે. રાજ્યના વિધાનસભા સભ્યોની સંખ્યા 404 છે. તેમાંથી 403 ચૂંટાયા છે, જ્યારે ધારાસભ્યો નામાંકિત છે. ઉત્તર પ્રદેશની સત્તાવાર ભાષા હિન્દી છે.
રાજ્ય પક્ષી સ્ટોર્ક છે. યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી છે, આનંદી બેન પટેલ રાજ્યપાલ તરીકે છે. વિશ્વની સાત અજાયબીઓમાંનો એક તાજમહેલ ઉત્તર પ્રદેશમાં છે. તે આગ્રામાં આવેલ છે.
લો બોલો! હવે શિક્ષિકા બની ‘ઠૂમકેશ્વરી’, સોશિયલ મીડિયા પર Video થયો વાયરલ
પ્રાથમિક શાળામાં એક શિક્ષિકા ડાન્સ કરતી જોવા મળી રહી છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. મહિલા શિક્ષિકા વરસાદી ગીત પર ડાન્સ કરતી જોવા મળી.
- Ravi Prajapati
- Updated on: Apr 13, 2025
- 4:43 pm
લો બોલો ! પોતાની થનારી સાસુ સાથે ભાગી ગયેલ જમાઈની તસવીર આવી બહાર, ફોટો જોતાં જ દુલ્હન હકીબકી થઈ ગઈ અને કહી દીધી આ વાત
એક મહિલા પોતાની પુત્રીના થનારા વરરાજા સાથે ભાગી ગઈ. પરિવારને આ અંગે કોઇ જાણ હતી જ નહી. આખરે જાણ થતા જ ભાગી ગયેલ મહિલાના પતિ જીતેન્દ્રે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
- Ravi Prajapati
- Updated on: Apr 10, 2025
- 6:45 pm
અદ્ભુત, અલૌકિક દર્શન : અયોધ્યા રામલલ્લાના લલાટે થયુ સૂર્ય તિલક, જુઓ વીડિયો
અયોધ્યામાં રામ નવમીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. રામ મંદિરની ભવ્યતા જોવા જેવી છે. રામલલ્લાના લલાટે સૂર્ય કિરણનું તિલક કરવામાં આવ્યુ હતુ. વૈદિક મંત્રોના જાપ અને ભક્તોના જયઘોષથી વાતાવરણ ભક્તિમય બની ગયું.
- TV9 Gujarati
- Updated on: Apr 6, 2025
- 1:20 pm
નમાઝ પઢવા માટે ઇદગાહ અને મસ્જિદ છે, રસ્તો નહીં – હિન્દુઓ પાસેથી ધાર્મિક શિસ્ત શીખો: યોગી આદિત્યનાથ- જુઓ Video
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જાહેર સ્થળોએ નમાજ પઢવા પર પ્રતિબંધ મૂકવાની વાત કરી છે. તેમણે વકફ (સુધારા) બિલને ટેકો આપ્યો, વકફ મિલકતોના દુરુપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે, આ બિલ સુધારા અને પારદર્શિતાને લક્ષ્ય રાખે છે. યોગીએ ધાર્મિક શિસ્ત અને કાયદાનું સમાન પાલન પર ભાર મૂક્યો છે.
- TV9 Gujarati
- Updated on: Apr 1, 2025
- 2:36 pm
એક્શન કે, રોમાન્સ નહી પરંતુ ડાયલોગથી ચાહકોનું દિલ જીતનાર કોમેડિયનનો જુઓ પરિવાર
બોલિવૂડનો ફેમસ કોમેડિયન અભિનેતા રાજપાલ યાદવ 54 વર્ષનો થયો છે. ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં જન્મેલા રાજપાલ યાદવ વિશે લોકો ખુબ જાણે છે. પરંતુ લોકો તેના પરિવાર વિશે બહુ ઓછા જાણે છે. તો આજે આપણે રાજપાલ યાદવના પરિવાર વિશે વાત કરીશું.
- Nirupa Duva
- Updated on: Mar 29, 2025
- 7:05 am
ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીની બહેન અને જીજા મનરેગા મજૂર, દૈનિક વેતન તરીકે કમાય છે 237 રૂપિયા
ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની બહેન અને જીજાના નામ મનરેગા કામદારોની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. તેમને દૈનિક વેતન પણ નિયમિત મળી રહ્યું છે.
- Smit Chauhan
- Updated on: Mar 26, 2025
- 7:13 pm
Breaking News : રાણા સાંગાને ગદ્દાર કહેનારા સપા સાંસદના ઘર પર કરણી સેનાનો હુમલો, વાહનોમાં તોડફોડ, પોલીસકર્મીઓને પણ ના છોડ્યા, જુઓ વીડિયો
Vandalizes MPs house in Agra : સમાજવાદી પાર્ટીના સાંસદ રામજી લાલ સુમન, એક નિવેદનને કારણે ચર્ચામાં છવાયેલા છે. તેમણે ગત 21 માર્ચે રાજ્યસભામાં રાણા સાંગાને દેશદ્રોહી કહ્યા હતા. આ નિવેદન બાદ તેઓ રાજપૂત સમુદાયના નિશાના ચડ્યા છે. સાંસદ રામજી લાલ સુમનની વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. આજે એટલે કે બુધવારે, કરણી સેનાના કાર્યકરોએ આગ્રામાં તેમના ઘર પર હુમલો કર્યો હતો.
- TV9 Gujarati
- Updated on: Mar 26, 2025
- 4:08 pm
સંભલમાં હિન્દુ મંદિરોની શોધ માટે CM યોગીએ લીધો સંકલ્પ, 54થી વધુ તીર્થસ્થળોની ઓળખ થઇ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સંભલમાં આવેલા હિન્દુ મંદિરોને ઓળખવાનો અને વિશ્વ સમક્ષ રજૂ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. સરકારી અધિકારીઓએ અત્યાર સુધીમાં 54થી વધુ તીર્થસ્થળોની ઓળખ કરી છે, અને બાકીના સ્થળોની તપાસ ચાલુ છે. સીએમ યોગીએ ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા આ વાત કહી.
- TV9 Gujarati
- Updated on: Mar 26, 2025
- 2:01 pm
IPL 2025: માત્ર 50 લાખમાં જ વેચાયેલા આ ખેલાડીએ, IPLની પહેલી જ મેચમાં દિલ્હી માટે કમાલ કરી બતાવી, જાણો તેનો રેકોર્ડ
IPL 2025 ટૂર્નામેન્ટની 18મી સિઝનમાં, દિલ્હી કેપિટલ્સ માટે ડેબ્યૂ કરનાર વિપ્રજ નિગમે પોતાની પહેલી જ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું. 50 લાખ રૂપિયામાં ખરીદાયેલા આ લેગ સ્પિનરે બેટ અને બોલથી ટીમને વિજય અપાવ્યો. વિપ્રાજે 15 બોલમાં 39 રન બનાવીને મેચની રૂખ બદલી નાખીને અને પોતાની ઓલરાઉન્ડર પ્રતિભા સાબિત કરી.
- TV9 Gujarati
- Updated on: Mar 25, 2025
- 2:31 pm
સૌરભ હત્યાંકાંડ : જેલમાં નશા વગર નથી આવી રહી મુસ્કાન અને સાહિલને ઊંઘ, સૌરભના રૂપિયાથી બંને કરતા હતા જલસા
હાલમાં સૌરભ હત્યા કેસમાં પોલીસ તપાસમાં નવ લોકો સામે આવ્યા છે, જેમની પૂછપરછ ચાલી રહી છે. બ્રહ્મપુરી પોલીસે સાત લોકોની પૂછપરછ કરી છે. હજુ બે લોકોની પૂછપરછ કરવાની બાકી છે.જેલમાં મુસ્કાન અને સાહિલની નશો ન મળવાને કારણે હાલત ખરાબ છે.
- Dhinal Chavda
- Updated on: Mar 24, 2025
- 12:40 pm
પેટમાં દુ:ખાવો થયો, ઈન્ટરનેટ જોઈને યુવકે જાતે પોતાનું ઓપરેશન શરૂ કર્યું, 12 ટાંકા લગાવ્યા બાદ હાલત બગડી…
યુપીના મથુરામાં વારંવાર પેટના દુખાવાથી પીડિત વ્યક્તિએ ઈન્ટરનેટ પરથી માહિતી એકઠી કરી અને પોતાના પેટમાં જાતે જ ચીરો કરીને ઓપરેશન કરવાનો પ્રયાસ કર્યો. જ્યારે દુખાવો તીવ્ર બન્યો અને લોહી નીકળવાનું બંધ ન થયું ત્યારે પરિવારજનો તેને હોસ્પિટલ લઈ ગયા. તેની ગંભીર હાલતને જોતા ત્યાંના તબીબોએ પ્રાથમિક સારવાર આપી તેને રેફર કરી દીધો હતો.
- Dhinal Chavda
- Updated on: Mar 20, 2025
- 3:33 pm
‘દેવીએ તને વધ કરવા મોકલ્યો છે…’, મુસ્કાન સાહિલને શિવ અને પોતાને પાર્વતી કહીને બોલાવતી, સૌરભ હત્યા કેસની આવ્યો નવો વળાંક
Meerut Murder Case Update: યુપીના બહુચર્ચિત સૌરભ રાજપૂત હત્યા કેસમાં તંત્ર-મંત્રનો એંગલ સામે આવ્યો છે. હત્યારા સાહિલના ઘરેથી તંત્ર-મંત્ર સંબંધિત તસવીરો મળી આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, સૌરભની પત્નીએ સાહિલની અંધશ્રદ્ધાનો ફાયદો ઉઠાવ્યો હતો. તેને કહ્યું કે દેવી માતાએ તેને તને મારવા મોકલ્યો છે. સાહિલ પણ તેની વાતથી પ્રભાવિત થયો અને મુસ્કાન સાથે મળીને સૌરભની હત્યા કરી નાખી.
- Dhinal Chavda
- Updated on: Mar 20, 2025
- 2:13 pm
પત્નીએ પ્રેમી સાથે મળી કરી પતિની હત્યા, લાશ ડ્રમમાં ભરી ડ્રમ સિમેન્ટથી સીલ કરી જતી રહી શિમલા ફરવા
મેરઠમાં પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી લાશને ડ્રમમાં ભરી ડ્રમને સિમેન્ટથી બંધ કરી દીધુ. હત્યા બાદ બંને શિમલા ફરવા ગયા હતા. 14 દિવસ બાદ પત્નીએ બેંક ખાતામાંથી પૈસા ઉપાડવા માટે માતાની મદદ માંગી હતી, જેના કારણે હત્યાનો ખુલાસો થયો હતો. પોલીસે બંનેની ધરપકડ કરી લાશ કબજે કરી હતી.
- Dhinal Chavda
- Updated on: Mar 19, 2025
- 2:43 pm
રામ મંદિર ટ્રસ્ટે, સરકારને 400 કરોડનો ટેક્સ ચૂકવ્યો, શ્રદ્ધાળુઓની સંખ્યા 10 ગણી વધી
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે, છેલ્લા પાંચ વર્ષમાં રૂ. 400 કરોડનો ટેક્સ ચૂકવ્યો છે. જેમાં રૂપિયા 270 કરોડનો GSTનો સમાવેશ થાય છે. રામ મંદિરના નિર્માણથી અયોધ્યામાં ધાર્મિક પર્યટન અને રોજગારની તકોમાં વધારો થયો છે. ગયા વર્ષે 16 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ આવ્યા હતા. જેમાંથી 5 કરોડ દર્શનાર્થીઓએ રામ મંદિરના દર્શન કર્યા હતા. CAG દ્વારા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના તમામ નાણાકીય રેકોર્ડનું નિયમિત ઓડિટ કરવામાં આવે છે.
- TV9 Gujarati
- Updated on: Mar 17, 2025
- 2:38 pm
હિંસા-તોફાનની આશંકા વચ્ચે સંભલમાં હોળીની શોભાયાત્રા-જુમ્માની નમાજ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
સંભલમાં હોળી અને શુક્રવારની નમાજ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ છે. સીઓ અનુજ ચૌધરીએ કહ્યું કે હોળીની શોભાયાત્રા, મસ્જિદની પાછળથી જ નીકળ્યું હતું, જેમાં લગભગ 3000 લોકો સામેલ થયા હતા. શોભાયાત્રા દરમિયાન સંભલમાં કોઈ અનિચ્છનીય બનાવ નોંધાયો નથી.
- TV9 Gujarati
- Updated on: Mar 14, 2025
- 3:42 pm