ઉત્તર પ્રદેશ
ઉત્તર પ્રદેશ એ ભારતના મહત્વપૂર્ણ રાજ્યોમાંનું એક છે. તેનુ પાટનગર લખનૌ છે. ઉત્તર પ્રદેશમાં આશરે 20 કરોડની વસ્તીવાળા 75 જિલ્લાઓ છે. ઉત્તર પ્રદેશ લગભગ 2 લાખ 41 હજાર ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે.
રાજ્યમાંથી લોકસભાની કુલ 80 બેઠકો છે. જ્યારે રાજ્યમાંથી 31 રાજ્યસભા સભ્યો ચૂંટાય છે. રાજ્યના વિધાનસભા સભ્યોની સંખ્યા 404 છે. તેમાંથી 403 ચૂંટાયા છે, જ્યારે ધારાસભ્યો નામાંકિત છે. ઉત્તર પ્રદેશની સત્તાવાર ભાષા હિન્દી છે.
રાજ્ય પક્ષી સ્ટોર્ક છે. યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી છે, આનંદી બેન પટેલ રાજ્યપાલ તરીકે છે. વિશ્વની સાત અજાયબીઓમાંનો એક તાજમહેલ ઉત્તર પ્રદેશમાં છે. તે આગ્રામાં આવેલ છે.
Read MoreTrending Video: ક્યારેય નહીં જોયું હોય બાપ્પાનું આવું ‘દિવ્ય રૂપ’, 1 કરોડ લાલ બંગડીઓથી તૈયાર થઈ ‘વિરાટ મૂર્તિ’
ગણેશ ઉત્સવ આવતા જ દેશભરમાં ભવ્ય અને અનોખા પંડાળોની ધૂમ મચી ગઈ છે. આ વખતે એક એવા ગણપતિ બાપ્પાની મૂર્તિ સામે આવી છે કે, જેણે આખા દેશનું ધ્યાન ખેંચી લીધું છે. વાત એમ છે કે, 1 કરોડથી પણ વધુ લાલ કાચની બંગડીઓથી તૈયાર કરાયેલા 'શ્રી દિવ્ય કંકણ અલંકાર મહા ગણપતિ' નો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
- Ravi Prajapati
- Updated on: Sep 14, 2026
- 6:21 pm
કાશીના કોટવાળ બાબા કાલ ભૈરવને કેમ ચડાવાય છે દારૂનો પ્રસાદ? પરંપરા કે નકલ?- વાંચો
સામાન્ય રીતે દેશના એકપણ મંદિરની આસપાસ કે પૂજા સ્થળની આસપાસ દારુ કે મદિરાની દુકાનો જોવા મળતી નથી, જો કદાચ એકાદી જોવા મળી જાય તો પણ ભાવિકો વિરોધ દર્શાવે છે. પરંતુ ભારતના બે પ્રસિદ્ધ મંદિરો એવા છે કે જેને પ્રસાદમાં દારુ ચડાવવામાં આવે છે. કાશીના કોટવાળ કહેવાતા કાળ ભૈરવનાથ અને ઉજ્જૈનમાં આવેલા પ્રસિદ્ધ કાળ ભૈરવ મંદિરે તેમને પ્રસાદમાં દારુ ચડાવવામાં આવે છે. તો આવો જાણીએ કે આ બે મંદિરોએ ભગવાન કાળ ભૈરવનાથને દારુ ચડાવવા પાછળની શું છે કથા અને માન્યતા..-વાંચો
- Mina Pandya
- Updated on: Sep 12, 2026
- 6:21 pm
Rinku Singh Dance Video: UP T20 League 2026ની ફાઇનલમાં રિંકુ સિંહનો જોરદાર ડાન્સ થયો વાયરલ, આ ખેલાડીની સદીએ મેરઠને બનાવ્યું ચેમ્પિયન
મેરઠ મેવરિક્સે UPT20 2026ની ફાઇનલમાં લખનૌ ફાલ્કન્સને 94 રનથી હરાવીને ટ્રોફી જીતી છે. દિવ્યાંશ જોશીની 37 બોલની તોફાની સદી અને વિશાલ ચૌધરીની શાનદાર બોલિંગે મેરઠની જીતનો માર્ગ સરળ બનાવ્યો.
- Nishat
- Updated on: Sep 7, 2026
- 8:45 am
દોઢ વર્ષ જૂના વિવાદનો અંત, સહારનપુરમાં કલેક્ટર કચેરી પરિસરમાં મસ્જિદ પર બુલડોઝર કાર્યવાહી, જુઓ Video
સહારનપુરમાં કલેક્ટર કચેરી પરિસરમાં આવેલી એક મસ્જિદ પર વહેલી સવારે બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. દોઢ વર્ષથી ચાલી રહેલા કાનૂની વિવાદ બાદ કોર્ટે આ મસ્જિદને ગેરકાયદેસર બાંધકામ જાહેર કરી હતી. ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે આ ડિમોલેશન કાર્યવાહી હાથ ધરવામાં આવી.
- Sagar Solanki
- Updated on: Sep 5, 2026
- 10:45 am
Janmashtami 2026 : મંદિરોમાં જયઘોષ, મધરાતે થયો કાન્હાનો જન્મ, ઠેર ઠેર ઉજવણી, જુઓ Video
જન્માષ્ટમી 2026 ના પાવન પર્વે ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાયો. મધરાતે કાન્હાના પ્રાગટ્ય સાથે મંદિરો જયઘોષથી ગુંજી ઉઠ્યા.
- Sagar Solanki
- Updated on: Sep 5, 2026
- 1:01 am
ભારતના આ મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણને એકીટશે, સતત નિહાળવાની છે મનાઈ, દર બે મિનિટે પાડી દેવાય છે પડદો
ભારતના આ મંદિરમાં સૌથી અનોખી અને સૌથી નિરાળી પડદા પ્રથા છે. અહીં તમે ભગવાન શ્રીકૃષ્ણને તમે એક મિનિટથી વધુ એકીટશે નિહાળી નથી શક્તા. દર બે મિનિટે આ મંદિરમાં ભગવાનની સન્મુખ પડદો પાડી દેવામાં આવે છે.
- Mina Pandya
- Updated on: Sep 4, 2026
- 7:07 pm
ગુજરાતના ભાલકા તીર્થથી મથુરા-વૃંદાવન સુધી, જ્યાં-જ્યાં પડ્યાં કાન્હાના ચરણ, શહેરોની બદલાઈ કિસ્મત !
મથુરાથી લઈ દ્વારકા અને ગુજરાત સુધી, જ્યાં પણ ભગવાન શ્રી કૃષ્ણના પગ સ્પર્શ્યા, તે ભૂમિ એક પવિત્ર તીર્થસ્થાન બની ગઈ. તેમણે ઘણા સામાન્ય નગરોને અમર ઓળખ આપી અને તેમનું ભાગ્ય કાયમ માટે બદલી નાખ્યું. જાણો શ્રી કૃષ્ણની જીવનયાત્રાના 7 મોટા પડાવ વિશે.
- Dhruval Shah
- Updated on: Sep 4, 2026
- 9:42 am
Breaking News : નેપાળમાં આવેલા વિનાશક પૂર પછી, બિહાર અને યુપીમાં એલર્ટ
પૂર અને ભુસ્ખલને નેપાળને હચમચાવી નાખ્યું છે. પરિસ્થિતિ એવી છે કે લોકોને બચાવવાનું પણ મુશ્કેલ બની રહ્યું છે. પરંતુ પ્રશ્ન એ ઊભો થાય છે કે નેપાળમાં આ કુદરતી આફતનું કારણ શું છે? આ સાથે યુપી-બિહારમાં પણ મોટો ખતરો છે.
- Nirupa Duva
- Updated on: Aug 27, 2026
- 9:57 am
ખાંડ પછી હવે ગોળના ભાવ વધતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું, તહેવારો પહેલાં કિંમતો આસમાને પહોંચી
ખાંડના વધતા ભાવ બાદ હવે તહેવારોની સિઝન પહેલાં ગોળના ભાવમાં 25 થી 30 ટકાનો મોટો ઉછાળો આવ્યો છે. મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં શેરડીની અછતના અંદાજ વચ્ચે મુંબઈ APMC માર્કેટમાં ગોળનો ભાવ ₹80 થી ₹100 પ્રતિ કિલોએ પહોંચ્યો છે, જેની સીધી અસર તહેવારોની મીઠાઈઓ અને વાનગીઓ પર પડશે.
- Sachin Agrawal
- Updated on: Aug 25, 2026
- 8:57 pm
Sanatan Sanskruti: મહાભારત કાળના 5 રહસ્યમી શિવ મંદિર, જે કળિયુગ આજે પણ છે જાગૃત
Sanatan Sanskruti: મહાભારત કાળના 5 એવા રહસ્યમય શિવ મંદિરો વિશે જાણો, જે પાંડવો દ્વારા સ્થાપિત કરવામાં આવ્યા હતા અને આજે પણ જાગૃત અવસ્થામાં છે. શ્રાવણ માસમાં વિશેષ મહત્વ ધરાવતા આ મંદિરો સાથે જોડાયેલા અદ્ભુત ચમત્કારો વિજ્ઞાન માટે પણ એક કોયડો છે. પાંડવોએ અજ્ઞાતવાસ અને વનવાસ દરમિયાન શિવજીની આરાધના કરી યુદ્ધવિજય માટે અને ગુમાવેલુ રાજ્ય પરત મેળવવા માટે જપ-તપ અને અનુષ્ઠાન કર્યા હતા.
- Mina Pandya
- Updated on: Aug 25, 2026
- 4:46 pm
ભારતમાં સૌથી વધુ ખાંડનું ઉત્પાદન ક્યાં થાય છે? ગુજરાત આમાં કેટલું આગળ? જાણો કયું રાજ્ય છે ‘નંબર-1’
તહેવારોની સીઝન પહેલા જ ખાંડના ભાવમાં આવેલો મોટો ઉછાળો સામાન્ય માણસના ખિસ્સા પર સીધો બોજ નાખી રહ્યો છે. મીઠાઈ, ચાથી લઈને કોલ્ડ ડ્રિંક્સ સુધીની દરેક વસ્તુ મોંઘી થવાની ભીતિ વચ્ચે, દેશના ખાંડ ઉત્પાદનની સ્થિતિ સમજવી જરૂરી બની છે.
- Ravi Prajapati
- Updated on: Aug 23, 2026
- 3:20 pm
ભારતમાં ક્યાં આવેલુ છે ‘તાળાવાળા મહાદેવ’ નું મંદિર? શ્રાવણમાં દર્શન માટે ઉમટે ભક્તોની ભીડ
ભારતમાં એક એવુ શિવ મંદિર આવેલુ છે, જ્યાં મંદિરની દીવાલો, જાળીઓ અને આસપાસના પરિસરમાં આપને લાખો તાળા લગાવેલા જોવા મળશે. અહીં લગાવેલુ દરેક તાળુ કોઈને કોઈ શ્રદ્ધાળુની આસ્થા અને વિશ્વાસનું પ્રતિક છે. અનેક ભાવિકો અહીં તાળા પર પોતાનું નામ, સરનામુ અને પોતાની એક વિશિષ્ટ ઓળખ હોય તો એ જરૂર લખાવે છે. જેથી કરીને મનોકામના પૂર્ણ થયા બાદ તેઓ તેના લગાવેલા તાળાને સરળતાથી શોધી શકે.
- Mina Pandya
- Updated on: Aug 16, 2026
- 9:21 pm
Trending Video: આઝાદીના પર્વે દેશભક્તિના રંગે રંગાઈ ‘પોલીસ’, જવાનોએ મન મૂકીને કર્યો ‘ડાન્સ’
પોલીસ ડ્યુટીની સતત રહેતી વ્યસ્તતા વચ્ચે ઉજવણીનો એક અદ્ભુત અંદાજ સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર પોલીસ જવાનોનો દેશભક્તિના ગીતો પર મન મૂકીને ડાન્સ કરતો એક વીડિયો હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેણે નેટિઝન્સના દિલ જીતી લીધા છે.
- Ravi Prajapati
- Updated on: Aug 15, 2026
- 3:23 pm
Trending Video : ભીષ્મ પિતામહ જેવી બાણ શય્યા અને મહાદેવની ભક્તિ ! કાવડિયાની ‘હઠ કાવડ’ જોઈને લોકો થયા આશ્ચર્યચકિત
ઉત્તર પ્રદેશના અલીગઢથી એક ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે. લોખંડની ખીલોથી ભરેલી સેજ પર સૂઈને કાવડ યાત્રા કરતો જોવા મળી રહ્યો છે. જાણો આ અનોખી ‘હઠ કાવડ’ની સંપૂર્ણ કહાની.
- Dhruval Shah
- Updated on: Aug 13, 2026
- 11:38 am
NHAI નો ઐતિહાસિક નિર્ણય, 20 દિવસમાં રસ્તો ધસી જતાં કોન્ટ્રાક્ટર સામે આકરી કાર્યવાહી, એક્સપ્રેસવે ટોલ ફ્રી કરાયો
કાનપુર-લખનૌ એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન થયાના 20 દિવસમાં જ રસ્તો ખરાબ થતાં NHAI એ ટોલ વસૂલાત રોકી દીધી છે અને કોન્ટ્રાક્ટર સામે કડક દંડાત્મક કાર્યવાહી કરી છે. જાણો ભારતમાં આ પહેલા ક્યારે ટોલ રોકવામાં આવ્યો હતો.
- Sachin Agrawal
- Updated on: Aug 5, 2026
- 8:15 pm