AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઉત્તર પ્રદેશ

ઉત્તર પ્રદેશ

ઉત્તર પ્રદેશ એ ભારતના મહત્વપૂર્ણ રાજ્યોમાંનું એક છે. તેનુ પાટનગર લખનૌ છે. ઉત્તર પ્રદેશમાં આશરે 20 કરોડની વસ્તીવાળા 75 જિલ્લાઓ છે. ઉત્તર પ્રદેશ લગભગ 2 લાખ 41 હજાર ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે.

રાજ્યમાંથી લોકસભાની કુલ 80 બેઠકો છે. જ્યારે રાજ્યમાંથી 31 રાજ્યસભા સભ્યો ચૂંટાય છે. રાજ્યના વિધાનસભા સભ્યોની સંખ્યા 404 છે. તેમાંથી 403 ચૂંટાયા છે, જ્યારે ધારાસભ્યો નામાંકિત છે. ઉત્તર પ્રદેશની સત્તાવાર ભાષા હિન્દી છે.

રાજ્ય પક્ષી સ્ટોર્ક છે. યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી છે, આનંદી બેન પટેલ રાજ્યપાલ તરીકે છે. વિશ્વની સાત અજાયબીઓમાંનો એક તાજમહેલ ઉત્તર પ્રદેશમાં છે. તે આગ્રામાં આવેલ છે.

Read More

Trending Video : માસ્ટરજી બેન્ચ પર ભર ઊંઘમાં ને બાળકો મોબાઈલ ગેમિંગમાં વ્યસ્ત ! સરકારી શાળાની ઘોર બેદરકારીનો વીડિયો વાયરલ

વીડિયોમાં, એક સરકારી શાળાના શિક્ષક ફરજ પર હોય ત્યારે વર્ગમાં સૂતા જોવા મળે છે. આ દરમિયાન વર્ગમાં બાળકો અભ્યાસ કરવાને બદલે મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા જોવા મળે છે.

Trending Video: મંડપ એક, પતિ એક પણ પત્ની 3! 3 બહેનોએ એક જ યુવક સાથે લીધા સાત ફેરા

ઉત્તર પ્રદેશના અમરોહામાં બાળપણથી સાથે રહેતી ત્રણ બહેનોએ છૂટા ન પડવાના આશયથી એક જ યુવક સાથે લગ્ન કરી લીધા છે. વાયરલ વિડીયો બાદ આ લગ્નની કાનૂની અને સામાજિક માન્યતા પર ચર્ચા જાગી છે.

Viral Video: પક્ષી પ્રેમની અનોખી મિસાલ: ગુમ થયેલા પોપટ ‘માઉ’ને શોધી લાવનારને મળશે ₹50 હજારનું ઇનામ

આગ્રાના વકીલ સુનીલ કુમારનો પાલતુ પોપટ 'માઉ' ગુમ થતાં આખો પરિવાર આઘાતમાં છે. પરિવારના સભ્ય જેવા માઉને સુરક્ષિત શોધી લાવનાર માટે ₹50,000ના ઇનામની જાહેરાત કરાઈ છે.

Trending Video : કાશ આવી ટીચર આપણને મળી હોત ! ઇન્સ્ટાગ્રામ પર ધૂમ મચાવી રહી છે ગાઝિયાબાદની ‘કૂલ ટીચર’ ટીચર

ગાઝિયાબાદની શિક્ષિકા ચાંદની ભાટી તેની અનોખી ટીચિંગ સ્ટાઈલથી સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થાય છે. તે બાળકોને ડાન્સ, મ્યુઝિક અને મનોરંજક રમતો દ્વારા શીખવે છે. જેનાથી શીખવાનું સરળ અને રસપ્રદ બને છે. તેના વાયરલ વીડિયો લાખો વખત જોવામાં આવ્યા છે. લાખો લોકો તેની સ્કિલ્સની પ્રશંસા કરી રહ્યા છે.

ગરુડ વૃક્ષ ભગાડશે સાપ અને આ અનોખું પાન છોડાવશે દારૂની લત: જાણો પ્રકૃતિના આ જાદુઈ ખજાના વિશે-જુઓ Video

ઉત્તર પ્રદેશના સહારનપુરમાં આવેલી રાજેન્દ્ર અટલજીની પ્રકૃતિ વાટિકામાં એવા જાદુઈ છોડ છે જે આસપાસ સાપ કે ઉંદરને ફરકવા પણ નથી દેતા. અહીં એક એવું અનોખું પાન પણ છે જે દારૂડિયાની વર્ષો જૂની દારૂની લત છોડાવી શકે છે અને કેન્સર જેવા અસાધ્ય રોગ સામે પણ લડી શકે છે.

Breaking News : પત્નીએ પતિને દૂધમાં ઊંઘની 10 ગોળીઓ પીવડાવી, પ્રેમી સાથે મળી હત્યા કરી

ઈટાવામાં ભઠ્ઠા સંચાલક આનંદ રાજપુતની હત્યાનો ખુલાસો થયો છે. જેમાં તેની પત્ની અને પ્રેમીએ સાથે મળી આ સમગ્ર શ્રડયંત્ર રચ્યું હતુ. તો ચાલો જાણીએ સમગ્ર ઘટના કેવી રીતે બની હતી.

3 મોટા મંદિર-મસ્જિદ વિવાદોમાં હિન્દુ અને મુસ્લિમ પક્ષોએ સુપ્રીમ કોર્ટની મધ્યસ્થતાની દરખાસ્ત ફગાવી, હવે કોર્ટમાં જ થશે કાનૂની જંગ

વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ, મથુરાના શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઇદગાહ અને સંભલની મસ્જિદના વિવાદોને કોર્ટની બહાર પરસ્પર સમજૂતીથી ઉકેલવા માટે સુપ્રીમ કોર્ટે મધ્યસ્થતાની દરખાસ્ત મૂકી હતી. જો કે, બંને પક્ષોના અરજદારોએ આ ઓફરને સખત શબ્દોમાં નકારી કાઢીને કોર્ટમાં જ કાનૂની લડાઈ લડવાનો નિર્ણય કર્યો છે.

Breaking News: રામ મંદિરમાં ડાયરેક્ટ ‘CEO’ ની ખુરશી મેળવવાની ‘જોરદાર તક’, જાણી લો ‘લાયકાત’

અયોધ્યા રામ મંદિરના વહીવટને લઈને એક ખુબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા ઇતિહાસમાં પહેલીવાર મંદિરના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) ના પદ માટે સત્તાવાર ભરતી બહાર પાડવામાં આવી છે. મંદિરમાં ચઢાવાના કથિત ગબન અને એસઆઈટી (SIT) તપાસ વચ્ચે લેવાયેલો આ નિર્ણય ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

Breaking News: ‘રામભક્તો પર ગોળીઓ ચલાવનારા, શું જામા મસ્જિદમાં હનુમાન ચાલીસા કરી શકશે ?’ અયોધ્યામાં વિપક્ષ પર વરસ્યા ‘CM યોગી’

રામ મંદિરમાં ચઢાવાની ચોરીના વિવાદ વચ્ચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ શુક્રવારે અયોધ્યા પહોંચ્યા હતા, જ્યાં તેમણે રૂ. 432 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપી હતી. આ દરમિયાન એક જનસભાને સંબોધતા CM યોગીએ સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.

દાન ચોરીના વિવાદ વચ્ચે રામમંદિર ટ્ર્સ્ટે પહેલીવાર જાહેર કર્યો સોના-ચાંદીનો ખજાનો, જાણો

છેલ્લા કેટલાય દિવસોથી અયોધ્યા સ્થિત રામમંદિરમાંથી દાનની ચોરી થવાના મામલે, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અને રામ મંદિરના કર્તાહર્તા વિવાદમાં સપડાયા છે. દેશભરના શ્રદ્ધાળુઓની આસ્થાને ઠેસ પહોચાડે તેવા સામે આવેલ કૃત્યથી દાન-દક્ષિણા આપનાર સૌ કોઈ અંચબિત થઈ ઉઠ્યા હતા. રામ મંદિરમાં સોના-ચાંદીનુ દાન-દક્ષિણ કરનારા શ્રદ્ધાળુઓને પણ તેમના દાન-દક્ષિણા સલામત છે કે કેમ તે અંગે શંકા હતી. આવા સંજોગોમાં પહેલીવાર શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે, વિતેલા નાણાકીય વર્ષના છેલ્લા દિવસ સુધીમાં કેટલુ સોનું અને ચાંદીનો જથ્થો છે તેની વિગતો જાહેર કરી છે.

Breaking News: ચંપત રાયે કેમ ધારણ કર્યું ‘મૌન’ ? કહ્યું, “સમય આવશે ત્યારે એક-એક સત્ય ઉજાગર કરીશ, ત્યાં સુધી…”

અયોધ્યા રામ મંદિર ચઢાવા ચોરી મામલે ચાલી રહેલા વિવાદ વચ્ચે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પૂર્વ મહાસચિવ ચંપત રાયનું પહેલું નિવેદન સામે આવ્યું છે. તેમણે રામ ભક્તોના નામે એક પત્ર લખીને પોતાના પર લાગેલા તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.

Breaking News: દાનના પૈસા, ગર્લફ્રેન્ડ પર પ્રેમ અને મોંઘી કાર… અવિનાશે રામ મંદિરના ₹19 લાખ ક્યાં અને કેવી રીતે વાપર્યા?

અયોધ્યા રામ મંદિરના દાનની ઉચાપતના કેસમાં એસઆઈટી (SIT) ની તપાસ જેમ-જેમ આગળ વધી રહી છે, તેમ-તેમ આ મામલામાં ઘણા ચોંકાવનારા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. આ કેસના મુખ્ય આરોપી અવિનાશ શુક્લાએ પોલીસ પૂછપરછ દરમિયાન સ્વીકાર્યું છે કે, તેણે દાનમાં મળેલી રકમમાંથી લાખો રૂપિયા પોતાના મિત્રો, પરિવાર અને અંગત મોજશોખ પાછળ વાપરી નાખ્યા હતા.

Breaking News : દારૂડિયા પતિની ક્રૂરતાનો ભયાનક અંત, રોજની મારપીટથી કંટાળી પત્નીએ સૂતા પતિ પર પેટ્રોલ છાંટી જીવતો સળગાવ્યો !

પોલીસે પ્રીતિ, જેને વિનિતા તરીકે પણ ઓળખવામાં આવે છે તેની ધરપકડ કરી છે. જેણે 26 જૂને ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં પોતાના પતિ પર પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી હતી. પોલીસ અધિક્ષકના જણાવ્યા અનુસાર, રોજિંદા હિંસાથી કંટાળીને, પત્નીએ ચાલાકીપૂર્વક હત્યાને બંધ રૂમમાં અકસ્માત તરીકે બતાવવાનો પ્રયાસ કર્યો હતો.

Breaking News: રામ મંદિર ચઢાવા ચોરી કેસમાં ચંપત રાય અને અનિલ મિશ્રાએ આપ્યુ રાજીનામુ, હવે કૃષ્ણ મોહન સંભાળશે જવાબદારી

અયોધ્યામાં રામ મંદિર ટ્ર્સ્ટની મળેલી બેઠક પૂર્ણ થઈ છે, લગભગ 3 કલાક સુધી ચાલેલી આ મેરેથોન બેઠક બાદ ટ્રસ્ટે પ્રેસ કોન્ફરન્સ કરી જાણકારી આપી છે. મંદિર ટ્રસ્ટના કોષાધ્યક્ષ ગોવિંદ દેવગીરી એ જણાવ્યુ કે ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને અનિલ મિશ્રાનુ રાજીનામુ મંજૂર કરી લેવામાં આવ્યુ છે. કૃષ્ણ મોહન હવે ટ્રસ્ટના નવા મહાસચિવ બનાવવામાં આવ્યા છે.

Aayodhya Ram Mandir: રામ મંદિર ટ્રસ્ટની આજે નિર્ણાયક બેઠક, ચંપત રાયના રાજીનામા પર થશે મોટો નિર્ણય

બેઠકના એજન્ડામાં સૌપ્રથમ મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી ડૉ. અનિલ મિશ્રાના રાજીનામા પર વિચાર કરવામાં આવશે. જો આજે આ રાજીનામા સ્વીકારવામાં આવે છે, તો તે ટ્રસ્ટના સંગઠનાત્મક માળખામાં મોટા ફેરફારોનો માર્ગ મોકળો કરી શકે છે.

g clip-path="url(#clip0_868_265)">