IRCTC Tour package : નૈનીતાલની સાથે સાથે ફરી આવો ઋષિકેશ અને હરિદ્વાર માત્ર આટલા રુપિયામાં
આઈઆરસીટીસીએ નૈનીતાલની સાથે સાથે ઋષિકેશ અને હરિદ્વાર ફરવા માટે ટુર પેકેજ લોન્ચ કર્યું છે. આ પેકેજ હેઠળ તમે શાનદાર પર્યટન સ્થળોની યાત્રા કરી શકશો. જેમાં રહેવાથી લઈ ફરવાની કોઈ ચિંતા કરવાની નથી. તમે સિંગલ કે પછી પરિવાર સાથે પણ આ ટુર પેકેજનો લાભ લઈ શકો છો.

IRCTCએ પ્રવાસીઓ માટે અવનવા પેકેજ લોન્ચ કરે છે. જેમાં રેલવે ટ્રેનથી લઈ રહેવા જમવાની તમામ સુવિધાઓ પ્રવાસીઓને પુરી પાડે છે. હાલમાં IRCTCએ એક સસ્તુ ટુર પેકેજ લોન્ચ કર્યું છે. તો ચાલો તેના વિશે જાણીએ.

જો તમે નવા વર્ષ પર પરિવાર સાથે કે માતા-પિતાને લઈ કોઈ ટુર પ્લાન બનાવી રહ્યા છો. તો આ પેકેજ જરુર ચેક કરી લેજો. આ ટુર પેકેજ હેઠળ નૈનીતાલ,હરિદ્વાર અને ઋષિકેશ ફરી શકો છો.આ ટુર તમારા માટે યાદગાર બની શકે છે.

28 ડિસેમ્બરથી હાવડાથી આ ટુર પેકેજ શરુ થશે. કુંભ એક્સપ્રેસ ટ્રેન દ્વારા તમે હરિદ્વાર સ્ટેશન પહોંચશો.આઈઆરસીટીસીએ NAINITAL CASTLE WITH CONFIRMED TRAIN TICKETના નામથી આ ટુર પેકેજ લોન્ચ કર્યું છે.

આ સ્પેશિયલ ટુર પેકેજમાં તમને મનસા દેવી મંદિર, ચંડી દેવી મંદિર, હર કી પૌડીમાં ગંગા આરતી, ભીમતાલ, સાતતાલ,નૈનાદેવી મંદિર,બૈજનાથ મંદિર, ગ્વાલદમ અને કૌશાનીમાં ગાંધી આશ્રમ જેવા પર્યટન સ્થળોની યાત્રા કરાવવામાં આવશે.

જો તમે સોલો ટ્રાવેલ કરવા માંગો છો તો તમારે 72450 રુપિયાનો ચાર્જ ચુકવવાનો રહેશે. બે વ્યક્તિ માટે પેકેજ બુક કરી રહ્યા છો તો પ્રતિ વ્યક્તિ તમારે 44100 અને 3 લોકો માટે પેકેજ બુક કરી રહ્યા છો. તો તમારે 31950નો ચાર્જ ચુકવવાનો રહેશે.

IRCTCનું આ ટુર પેકેજ 12 રાત અને 13 દિવસનું છે. જો તમે આ ટુર પેકેજ બુક કરાવવા માંગો છો, તો આઈઆરસીટીસીની વેબસાઈટ પર જઈ તમે આ ટુર પેકેજ બુક કરાવી શકો છો.
ટ્રાવેલના વધુ સમાચાર વાંચવા માટે અહિ ક્લિક કરો
