રશ્મિકા મંદાનાએ વિજય દેવરકોંડા સાથેના સંબંધો પર મૌન તોડ્યું ! કહી આ મોટી વાત
હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન 'પુષ્પા 2' એક્ટ્રેસ રશ્મિકા મંદન્નાએ સાચા પ્રેમ વિશે વાત કરી હતી. આ દરમિયાન તેણે જીવનસાથીની વિશેષતા સમજાવતા મોટી વાત કહી દીધી હતી.

અભિનેત્રી રશ્મિકા મંદાનાની ફિલ્મ 'પુષ્પા 2' બોક્સ ઓફિસ પર સતત જીત મેળવી રહી છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં વિશ્વભરમાં 1500 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. હવે આ બધાની વચ્ચે અભિનેત્રીએ એક ઈન્ટરવ્યુ દરમિયાન પોતાના પાર્ટનર વિશે વાત કરી. તેણે કહ્યું કે પ્રેમમાં રહેવું તેના માટે કેવું છે? આ સિવાય રશ્મિકા મંદાનાએ પણ પોતાના ઈન્ટરવ્યુમાં શ્રેષ્ઠ જીવનસાથીના ગુણોની ગણતરી કરી હતી.

રશ્મિકાએ આ દરમ્યાન કહ્યું કે 'આ સન્માનની વાત છે.' હું દક્ષિણથી આવી છું અને મેં રાણી યેસુબાઈની ભૂમિકા ભજવી છે. આ મારા જીવનકાળમાં થયેલું એક ખાસ કાર્ય છે. રશ્મિકાએ કહ્યું, "મેં દિગ્દર્શક લક્ષ્મણ સરને કહ્યું હતું કે હું આ ફિલ્મ પછી ખુશીથી નિવૃત થઈ શકું છું."

આ નિવેદન સાથે રશ્મિકાએ વિજય દેવેરાકોંડા સાથેના પોતાના સંબંધોને ઓફિશિયલ કરી દીધા છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ વિજયે એક ઈન્ટરવ્યુમાં પણ કહ્યું હતું કે તે તેના એક કો-સ્ટારને ડેટ કરી રહ્યો છે.

અભિનેત્રીએ ઈન્ટરવ્યુમાં આગળ કહ્યું, 'સંબંધમાં મારા માટે સૌથી મહત્વની બાબત ચોક્કસપણે દયા છે પરંતુ તેની સાથે સન્માન પણ છે. જ્યારે તમે એકબીજાનો આદર કરો છો, ખરેખર કાળજી રાખો છો અને એકબીજા માટે જવાબદાર છો, ત્યારે તે બધું સરળ અને શક્ય થઈ જાય છે.

પ્રેમાળ, સહાનુભૂતિ ધરાવનાર, સંભાળ રાખનાર, સારું હૃદય ધરાવવું અને ખરેખર સત્યવાદી હોવું એ પણ સંબંધના ગુણો છે. હું એવી વ્યક્તિ સાથે રહેવા માંગુ છું જેમાં આ બધા ગુણો હોય અને જો મારા પાર્ટનર પાસે આ બધા ન હોય તો મને નથી લાગતું કે આપણે સાથે રહી શકીશું. રશ્મિકા મંદન્નાએ આગળ કહ્યું, 'પ્રેમમાં હોવું એટલે મારા માટે પાર્ટનરશીપ અને ભાગીદારી છે. તમારે તમારા જીવનમાં જીવનસાથીની જરૂર છે, પરંતુ જો તમારી પાસે તે ન હોય તો કોઈ અર્થ નથી.
