WTC Final 2023 : ટોપ ઓર્ડર પર ભડક્યા રવિ શાસ્ત્રી! પૂછ્યું – તમારી પ્રાથમિક્તા ભારત કે IPL?
ભારતના ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ તાજેતરની આઈપીએલની 16મી સિઝનને લઈને ભારતીય બેટ્સમેન તેમજ ભારતીય બોર્ડ પર પ્રહારો કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગિલ અને કોહલી બંને IPLમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓમાં હતા, જ્યારે પૂજારાએ કાઉન્ટી ચેમ્પિયનશિપમાં શાનદાર દેખાવ કર્યો હતો. પણ તેણો ફાઈનલ મેચમાં કોઈ કમાલ કરી શક્યા ન હતા.

ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 469 રન બનાવ્યા બાદ માત્ર 19મી ઓવરમાં ભારત 71/4ના સ્કોર પર રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા અને વિરાટ કોહલી સહિતનો ટોપ ઓર્ડર ધરાશાયી થયો હતો. ભારત તેની પ્રથમ ઇનિંગમાં માત્ર 296 રન બનાવી શક્યું હતું.

ભારતના ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ તાજેતરની આઈપીએલની 16મી સિઝનને લઈને ભારતીય બેટ્સમેન તેમજ ભારતીય બોર્ડ પર પ્રહારો કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગિલ અને કોહલી બંને IPLમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓમાં હતા, જ્યારે પૂજારાએ કાઉન્ટી ચેમ્પિયનશિપમાં શાનદાર દેખાવ કર્યો હતો. પણ તેણો ફાઈનલ મેચમાં કોઈ કમાલ કરી શક્યા ન હતા.

રવિ શાસ્ત્રી એ એક ઈન્ટવ્યૂ દરિમયાન ભારતીય ક્રિકેટરો પર કટાક્ષ કરતા પૂછ્યુ હતું કે, “તમારે તમારી પ્રાથમિકતાઓ નક્કી કરવી જ જોઈએ, ખરું ને? પ્રાથમિકતા શું છે? ભારત કે ફ્રેન્ચાઈઝી ક્રિકેટ? એ તમારે નક્કી કરવાનું છે. જો તમે ફ્રેન્ચાઇઝી ક્રિકેટ કહો છો, તો આને ભૂલી જાઓ (WTC ફાઇનલ). જો આ મહત્વપૂર્ણ છે, તો રમતના રક્ષક તરીકે, BCCI બોસ છે. આઈપીએલ કોન્ટ્રાક્ટમાં એવી કલમ હોવી જોઈએ કે જો તેમને ભારતના હિતમાં આઈપીએલમાંથી કોઈ ખેલાડીની જરૂર હોય તો તેમને તે કરવાનો અધિકાર છે.

શાસ્ત્રીએ ઉમેર્યું, કે “પ્રથમ, કલમ મૂકો અને પછી ફ્રેન્ચાઇઝીઓને તે નક્કી કરવા માટે કહો કે તેઓ કેટલું રોકાણ કરવા માગે છે. તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમે રમતના રક્ષક છો. તમે દેશમાં ક્રિકેટને નિયંત્રિત કરો છો.

ભારતના ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રી એ વારંવાર કહ્યું છે કે IPLમાં સામેલ ભારતીય ખેલાડીઓએ ખાસ કરીને બે મહિનાના સતત T20 ક્રિકેટ પછી વર્કલોડ મેનેજમેન્ટમાં સાવચેત રહેવું જોઈએ.