AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘તેઓ મને મેચમાં રમાડવાના હતા જ નહીં…’ શ્રેયસ અય્યરે ટીમ ઈન્ડિયાની ખોલી પોલ

ઘણા સમયથી શ્રેયસ અય્યરના ટીમ ઈન્ડિયામાં સ્થાન અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા હતા, પરંતુ ફરી એકવાર તે ચોથા નંબરે આવ્યો અને દમદાર અડધી સદી ફટકારી ટીમ ઈન્ડિયાને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢી અને જીતના માર્ગ પર લઈ ગયો. જોકે મેચ બાદ શ્રેયસ અય્યરે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો અને ટીમ ઈન્ડિયાની પોલ ખોલી હતી.

| Updated on: Feb 06, 2025 | 11:07 PM
Share
નાગપુર વનડે મેચમાં ટીમ ઈન્ડિયાની ઈંગ્લેન્ડ સામેની જીત બાદ સ્ટાર બેટ્સમેન શ્રેયસ અય્યરે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. અય્યરે ખુલાસો કર્યો છે કે તે આ મેચમાં પ્લેઈંગ 11 માં સામેલ ન હતો, પરંતુ છેલ્લી ક્ષણે પરિસ્થિતિ બદલાઈ ગઈ અને તેને તક મળી.

નાગપુર વનડે મેચમાં ટીમ ઈન્ડિયાની ઈંગ્લેન્ડ સામેની જીત બાદ સ્ટાર બેટ્સમેન શ્રેયસ અય્યરે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. અય્યરે ખુલાસો કર્યો છે કે તે આ મેચમાં પ્લેઈંગ 11 માં સામેલ ન હતો, પરંતુ છેલ્લી ક્ષણે પરિસ્થિતિ બદલાઈ ગઈ અને તેને તક મળી.

1 / 6
નાગપુર વનડેમાં ટીમ ઈન્ડિયાની જીત બાદ શ્રેયસે ખુલાસો કર્યો કે વિરાટ કોહલીની ઈજાને કારણે તેને ટીમમાં સ્થાન મળ્યું હતું. અય્યરે કહ્યું કે તે આ પરિસ્થિતિ માટે તૈયાર હતો, કારણ કે તેણે પહેલા પણ આવી પરિસ્થિતિઓનો સામનો કર્યો હતો.

નાગપુર વનડેમાં ટીમ ઈન્ડિયાની જીત બાદ શ્રેયસે ખુલાસો કર્યો કે વિરાટ કોહલીની ઈજાને કારણે તેને ટીમમાં સ્થાન મળ્યું હતું. અય્યરે કહ્યું કે તે આ પરિસ્થિતિ માટે તૈયાર હતો, કારણ કે તેણે પહેલા પણ આવી પરિસ્થિતિઓનો સામનો કર્યો હતો.

2 / 6
ODI શ્રેણીની પહેલી મેચ ગુરુવાર, 6 ફેબ્રુઆરીના રોજ રમાઈ હતી. મેચ પહેલા વિરાટ કોહલી ઈજાને કારણે નહીં રમે તેવા સમાચારથી બધા ચોંકી ગયા હતા. કોહલીએ એક દિવસ પહેલા જ ઘૂંટણમાં તકલીફની ફરિયાદ કરી હતી, જેના કારણે તે મેચમાંથી બહાર થઈ ગયો હતો. આવી સ્થિતિમાં યુવા ઓપનર યશસ્વી જયસ્વાલને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો, જેના માટે આ તેની ODI ફોર્મેટમાં ડેબ્યૂ મેચ હતી.

ODI શ્રેણીની પહેલી મેચ ગુરુવાર, 6 ફેબ્રુઆરીના રોજ રમાઈ હતી. મેચ પહેલા વિરાટ કોહલી ઈજાને કારણે નહીં રમે તેવા સમાચારથી બધા ચોંકી ગયા હતા. કોહલીએ એક દિવસ પહેલા જ ઘૂંટણમાં તકલીફની ફરિયાદ કરી હતી, જેના કારણે તે મેચમાંથી બહાર થઈ ગયો હતો. આવી સ્થિતિમાં યુવા ઓપનર યશસ્વી જયસ્વાલને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો, જેના માટે આ તેની ODI ફોર્મેટમાં ડેબ્યૂ મેચ હતી.

3 / 6
મેચની શરૂઆતથી અંત સુધી એવું માનવામાં આવતું હતું કે જયસ્વાલને આ મેચમાં તક મળી કારણ કે વિરાટ ઈજાને કારણે રમી રહ્યો ન હતો. પરંતુ મેચ સમાપ્ત થયા પછી અય્યરે મોટો ખુલાસો કરીને બધાને ચોંકાવી દીધા. મેચ પછી બ્રોડકાસ્ટર સાથે વાત કરતા અય્યરે કહ્યું, "તમે બધા જાણો છો કે મારે આજની મેચમાં રમવાનું નહોતું. કમનસીબે વિરાટ કોહલી ઘાયલ થયો અને મને તક મળી. મેં મારી જાતને તૈયાર રાખી હતી."

મેચની શરૂઆતથી અંત સુધી એવું માનવામાં આવતું હતું કે જયસ્વાલને આ મેચમાં તક મળી કારણ કે વિરાટ ઈજાને કારણે રમી રહ્યો ન હતો. પરંતુ મેચ સમાપ્ત થયા પછી અય્યરે મોટો ખુલાસો કરીને બધાને ચોંકાવી દીધા. મેચ પછી બ્રોડકાસ્ટર સાથે વાત કરતા અય્યરે કહ્યું, "તમે બધા જાણો છો કે મારે આજની મેચમાં રમવાનું નહોતું. કમનસીબે વિરાટ કોહલી ઘાયલ થયો અને મને તક મળી. મેં મારી જાતને તૈયાર રાખી હતી."

4 / 6
અય્યરે એમ પણ કહ્યું કે આગળ પણ તેની સાથે આવું જ કંઈક બન્યું હતું. ભારતીય બેટ્સમેને કહ્યું, “મને ખબર હતી કે મને ગમે ત્યારે રમવાની તક મળી શકે છે. ગયા વર્ષે (2023) એશિયા કપમાં મારી સાથે પણ આવું જ કંઈક બન્યું હતું, જ્યારે હું ઘાયલ થયો અને ટીમમાં કોઈ બીજાએ આવીને સદી ફટકારી હતી."

અય્યરે એમ પણ કહ્યું કે આગળ પણ તેની સાથે આવું જ કંઈક બન્યું હતું. ભારતીય બેટ્સમેને કહ્યું, “મને ખબર હતી કે મને ગમે ત્યારે રમવાની તક મળી શકે છે. ગયા વર્ષે (2023) એશિયા કપમાં મારી સાથે પણ આવું જ કંઈક બન્યું હતું, જ્યારે હું ઘાયલ થયો અને ટીમમાં કોઈ બીજાએ આવીને સદી ફટકારી હતી."

5 / 6
હવે પ્રશ્ન એ છે કે ટીમ મેનેજમેન્ટ શ્રેયસને કેમ રમાડવા માંગતા ન હતા? કેપ્ટન અને કોચને શ્રેયસ અય્યર પર વિશ્વાસ નથી? કે પછી આ મેચમાં અય્યરને બ્રેક આપીને જયસ્વાલની કસોટી કરવા માંગતા હતા? કારણ ગમે તે હોય, અય્યરે પોતાના પ્રદર્શન દ્વારા કોચ અને કેપ્ટનને બતાવી દીધું છે કે આ શ્રેણીમાં અને કદાચ ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેને પડતો મૂકવા વિશે વિચારવું પણ યોગ્ય નહીં હોય. (All Photo Credit : PTI / X / BCCI)

હવે પ્રશ્ન એ છે કે ટીમ મેનેજમેન્ટ શ્રેયસને કેમ રમાડવા માંગતા ન હતા? કેપ્ટન અને કોચને શ્રેયસ અય્યર પર વિશ્વાસ નથી? કે પછી આ મેચમાં અય્યરને બ્રેક આપીને જયસ્વાલની કસોટી કરવા માંગતા હતા? કારણ ગમે તે હોય, અય્યરે પોતાના પ્રદર્શન દ્વારા કોચ અને કેપ્ટનને બતાવી દીધું છે કે આ શ્રેણીમાં અને કદાચ ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેને પડતો મૂકવા વિશે વિચારવું પણ યોગ્ય નહીં હોય. (All Photo Credit : PTI / X / BCCI)

6 / 6

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન શ્રેયસ અય્યર સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા કરો ક્લિક

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">