AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘તેઓ મને મેચમાં રમાડવાના હતા જ નહીં…’ શ્રેયસ અય્યરે ટીમ ઈન્ડિયાની ખોલી પોલ

ઘણા સમયથી શ્રેયસ અય્યરના ટીમ ઈન્ડિયામાં સ્થાન અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા હતા, પરંતુ ફરી એકવાર તે ચોથા નંબરે આવ્યો અને દમદાર અડધી સદી ફટકારી ટીમ ઈન્ડિયાને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢી અને જીતના માર્ગ પર લઈ ગયો. જોકે મેચ બાદ શ્રેયસ અય્યરે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો અને ટીમ ઈન્ડિયાની પોલ ખોલી હતી.

| Updated on: Feb 06, 2025 | 11:07 PM
Share
નાગપુર વનડે મેચમાં ટીમ ઈન્ડિયાની ઈંગ્લેન્ડ સામેની જીત બાદ સ્ટાર બેટ્સમેન શ્રેયસ અય્યરે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. અય્યરે ખુલાસો કર્યો છે કે તે આ મેચમાં પ્લેઈંગ 11 માં સામેલ ન હતો, પરંતુ છેલ્લી ક્ષણે પરિસ્થિતિ બદલાઈ ગઈ અને તેને તક મળી.

નાગપુર વનડે મેચમાં ટીમ ઈન્ડિયાની ઈંગ્લેન્ડ સામેની જીત બાદ સ્ટાર બેટ્સમેન શ્રેયસ અય્યરે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. અય્યરે ખુલાસો કર્યો છે કે તે આ મેચમાં પ્લેઈંગ 11 માં સામેલ ન હતો, પરંતુ છેલ્લી ક્ષણે પરિસ્થિતિ બદલાઈ ગઈ અને તેને તક મળી.

1 / 6
નાગપુર વનડેમાં ટીમ ઈન્ડિયાની જીત બાદ શ્રેયસે ખુલાસો કર્યો કે વિરાટ કોહલીની ઈજાને કારણે તેને ટીમમાં સ્થાન મળ્યું હતું. અય્યરે કહ્યું કે તે આ પરિસ્થિતિ માટે તૈયાર હતો, કારણ કે તેણે પહેલા પણ આવી પરિસ્થિતિઓનો સામનો કર્યો હતો.

નાગપુર વનડેમાં ટીમ ઈન્ડિયાની જીત બાદ શ્રેયસે ખુલાસો કર્યો કે વિરાટ કોહલીની ઈજાને કારણે તેને ટીમમાં સ્થાન મળ્યું હતું. અય્યરે કહ્યું કે તે આ પરિસ્થિતિ માટે તૈયાર હતો, કારણ કે તેણે પહેલા પણ આવી પરિસ્થિતિઓનો સામનો કર્યો હતો.

2 / 6
ODI શ્રેણીની પહેલી મેચ ગુરુવાર, 6 ફેબ્રુઆરીના રોજ રમાઈ હતી. મેચ પહેલા વિરાટ કોહલી ઈજાને કારણે નહીં રમે તેવા સમાચારથી બધા ચોંકી ગયા હતા. કોહલીએ એક દિવસ પહેલા જ ઘૂંટણમાં તકલીફની ફરિયાદ કરી હતી, જેના કારણે તે મેચમાંથી બહાર થઈ ગયો હતો. આવી સ્થિતિમાં યુવા ઓપનર યશસ્વી જયસ્વાલને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો, જેના માટે આ તેની ODI ફોર્મેટમાં ડેબ્યૂ મેચ હતી.

ODI શ્રેણીની પહેલી મેચ ગુરુવાર, 6 ફેબ્રુઆરીના રોજ રમાઈ હતી. મેચ પહેલા વિરાટ કોહલી ઈજાને કારણે નહીં રમે તેવા સમાચારથી બધા ચોંકી ગયા હતા. કોહલીએ એક દિવસ પહેલા જ ઘૂંટણમાં તકલીફની ફરિયાદ કરી હતી, જેના કારણે તે મેચમાંથી બહાર થઈ ગયો હતો. આવી સ્થિતિમાં યુવા ઓપનર યશસ્વી જયસ્વાલને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો, જેના માટે આ તેની ODI ફોર્મેટમાં ડેબ્યૂ મેચ હતી.

3 / 6
મેચની શરૂઆતથી અંત સુધી એવું માનવામાં આવતું હતું કે જયસ્વાલને આ મેચમાં તક મળી કારણ કે વિરાટ ઈજાને કારણે રમી રહ્યો ન હતો. પરંતુ મેચ સમાપ્ત થયા પછી અય્યરે મોટો ખુલાસો કરીને બધાને ચોંકાવી દીધા. મેચ પછી બ્રોડકાસ્ટર સાથે વાત કરતા અય્યરે કહ્યું, "તમે બધા જાણો છો કે મારે આજની મેચમાં રમવાનું નહોતું. કમનસીબે વિરાટ કોહલી ઘાયલ થયો અને મને તક મળી. મેં મારી જાતને તૈયાર રાખી હતી."

મેચની શરૂઆતથી અંત સુધી એવું માનવામાં આવતું હતું કે જયસ્વાલને આ મેચમાં તક મળી કારણ કે વિરાટ ઈજાને કારણે રમી રહ્યો ન હતો. પરંતુ મેચ સમાપ્ત થયા પછી અય્યરે મોટો ખુલાસો કરીને બધાને ચોંકાવી દીધા. મેચ પછી બ્રોડકાસ્ટર સાથે વાત કરતા અય્યરે કહ્યું, "તમે બધા જાણો છો કે મારે આજની મેચમાં રમવાનું નહોતું. કમનસીબે વિરાટ કોહલી ઘાયલ થયો અને મને તક મળી. મેં મારી જાતને તૈયાર રાખી હતી."

4 / 6
અય્યરે એમ પણ કહ્યું કે આગળ પણ તેની સાથે આવું જ કંઈક બન્યું હતું. ભારતીય બેટ્સમેને કહ્યું, “મને ખબર હતી કે મને ગમે ત્યારે રમવાની તક મળી શકે છે. ગયા વર્ષે (2023) એશિયા કપમાં મારી સાથે પણ આવું જ કંઈક બન્યું હતું, જ્યારે હું ઘાયલ થયો અને ટીમમાં કોઈ બીજાએ આવીને સદી ફટકારી હતી."

અય્યરે એમ પણ કહ્યું કે આગળ પણ તેની સાથે આવું જ કંઈક બન્યું હતું. ભારતીય બેટ્સમેને કહ્યું, “મને ખબર હતી કે મને ગમે ત્યારે રમવાની તક મળી શકે છે. ગયા વર્ષે (2023) એશિયા કપમાં મારી સાથે પણ આવું જ કંઈક બન્યું હતું, જ્યારે હું ઘાયલ થયો અને ટીમમાં કોઈ બીજાએ આવીને સદી ફટકારી હતી."

5 / 6
હવે પ્રશ્ન એ છે કે ટીમ મેનેજમેન્ટ શ્રેયસને કેમ રમાડવા માંગતા ન હતા? કેપ્ટન અને કોચને શ્રેયસ અય્યર પર વિશ્વાસ નથી? કે પછી આ મેચમાં અય્યરને બ્રેક આપીને જયસ્વાલની કસોટી કરવા માંગતા હતા? કારણ ગમે તે હોય, અય્યરે પોતાના પ્રદર્શન દ્વારા કોચ અને કેપ્ટનને બતાવી દીધું છે કે આ શ્રેણીમાં અને કદાચ ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેને પડતો મૂકવા વિશે વિચારવું પણ યોગ્ય નહીં હોય. (All Photo Credit : PTI / X / BCCI)

હવે પ્રશ્ન એ છે કે ટીમ મેનેજમેન્ટ શ્રેયસને કેમ રમાડવા માંગતા ન હતા? કેપ્ટન અને કોચને શ્રેયસ અય્યર પર વિશ્વાસ નથી? કે પછી આ મેચમાં અય્યરને બ્રેક આપીને જયસ્વાલની કસોટી કરવા માંગતા હતા? કારણ ગમે તે હોય, અય્યરે પોતાના પ્રદર્શન દ્વારા કોચ અને કેપ્ટનને બતાવી દીધું છે કે આ શ્રેણીમાં અને કદાચ ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેને પડતો મૂકવા વિશે વિચારવું પણ યોગ્ય નહીં હોય. (All Photo Credit : PTI / X / BCCI)

6 / 6

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન શ્રેયસ અય્યર સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા કરો ક્લિક

Follow Us
ગાંધીનગરને મળી 40 નવી ઈ-બસ, શહેરમાં ગ્રીન પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુગ
ગાંધીનગરને મળી 40 નવી ઈ-બસ, શહેરમાં ગ્રીન પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુગ
સુરત એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટ લેન્ડિંગ વખતે લેસર એટેક
સુરત એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટ લેન્ડિંગ વખતે લેસર એટેક
પાલનપુરની મહિલાઓએ વર્ષો જૂની ઢુંઢિયા બાવજી પરંપરાને ફરી કરી જીવંત
પાલનપુરની મહિલાઓએ વર્ષો જૂની ઢુંઢિયા બાવજી પરંપરાને ફરી કરી જીવંત
અનંત અંબાણીએ તિરુપતિ બાલાજી મંદિરની પરંપરાને અનુસરતા કર્યુ કેશ દાન
અનંત અંબાણીએ તિરુપતિ બાલાજી મંદિરની પરંપરાને અનુસરતા કર્યુ કેશ દાન
વાવણી બાદ વરસાદ ન થતા જમીનમાં ઘટ્યુ ભેજનું પ્રમાણ, પાણી આપવાની ઉઠી માગ
વાવણી બાદ વરસાદ ન થતા જમીનમાં ઘટ્યુ ભેજનું પ્રમાણ, પાણી આપવાની ઉઠી માગ
ભ્રષ્ટાચારના ખુલ્લેઆમ ખેલ પર ક્યાં સુધી 'આંખ આડા કાન' કરશે 'સરકાર'?
ભ્રષ્ટાચારના ખુલ્લેઆમ ખેલ પર ક્યાં સુધી 'આંખ આડા કાન' કરશે 'સરકાર'?
ચોમાસુ ખેંચાતા મહેસાણાના ખેડૂતોની ચિંતા વધી, વાવણીના આયોજન ખોરવાયા
ચોમાસુ ખેંચાતા મહેસાણાના ખેડૂતોની ચિંતા વધી, વાવણીના આયોજન ખોરવાયા
મેનેજમેન્ટ કમિટી ફરજિયાત મુદ્દે ગ્રાન્ટેડ શાળાઓનો સરકારને વિરોધ
મેનેજમેન્ટ કમિટી ફરજિયાત મુદ્દે ગ્રાન્ટેડ શાળાઓનો સરકારને વિરોધ
રોડ પર ડામર ગાયબ ને મસમોટા ખાડા! તંત્રના પેટનું પાણી કયારે હલશે?
રોડ પર ડામર ગાયબ ને મસમોટા ખાડા! તંત્રના પેટનું પાણી કયારે હલશે?
અમદાવાદના વસ્ત્રાલમાં વરુણદેવને રિઝવવા કરાયો પર્જન્ય યજ્ઞ
અમદાવાદના વસ્ત્રાલમાં વરુણદેવને રિઝવવા કરાયો પર્જન્ય યજ્ઞ
g clip-path="url(#clip0_868_265)">