IND vs AUS : મેલબોર્નમાં ટીમ ઈન્ડિયાની હાર, ભારત માટે WTC ફાઈનલનો રસ્તો મુશ્કેલ બન્યો
Australia beat India, Melbourne Test:મેલબોર્ન ટેસ્ટનું પરિણામ ઓસ્ટ્રેલિયાની તરફેણમાં આવ્યું છે. ભારતને હરાવીને તેણે 5 ટેસ્ટ મેચની સિરીઝમાં 2-1ની લીડ પણ મેળવી લીધી છે. આ હાર બાદ ભારત માટે WTC ફાઈનલનો રસ્તો પણ મુશ્કેલ બની ગયો છે.

મેલબોર્ન ટેસ્ટનું પરિણામ ટીમ ઈન્ડિયાની તરફેણમાં આવ્યું નથી. ઓસ્ટ્રેલિયાએ 184 રને આ જીત મેળવી છે. આ મોટી જીત સાથે તેણે સીરિઝમાં પણ લીડ મેળવી લીધી છે.

ઓસ્ટ્રેલિયાએ મેલબોર્ન ટેસ્ટમાં ભારતને જીતવા માટે 340 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જેનો પીછો કરતા ટીમ ઈન્ડિયાનો બીજો દાવ માત્ર 155 રન પર જ સમેટાઈ ગયો હતો. ટેસ્ટ ક્રિકેટમાં આ 49મી વખત છે જ્યારે ટીમ ઈન્ડિયાને કુલ 300 પ્લસનો પીછો કરતી વખતે હારનો સામનો કરવો પડ્યો હોય.

ચોથા દિવસે 9 વિકેટ ગુમાવીને 333 રનની લીડ લેનાર ઓસ્ટ્રેલિયાએ 5માં દિવસે તેના સ્કોરમાં વધુ 6 રન ઉમેર્યા અને ભારતને 340 રનનો ટાર્ગેટ આપ્યો. આ ટાર્ગેટને પાર કરવો એ એમસીજીમાં ટીમ ઈન્ડિયા માટે ઈતિહાસ રચવા જેવું હતુ કારણ કે અત્યાર સુધી આ મેદાન પર સૌથી સફળ રન ચેઝ 332 રન હતો. પરંતુ, આવું થઈ શક્યું નહીં.

યશસ્વી અને પંત સિવાય અન્ય કોઈ બેટ્સમેન ડબલ ફિગરને પાર કરી શક્યા નહોતા, જેનું એક મોટું કારણ હતું કે ટીમ ઈન્ડિયા મેલબોર્ન ટેસ્ટ ન તો જીતી શકી કે ન તો ડ્રો કરી શકી.

રોહિત શર્માએ 9 રન અને વિરાટ કોહલીએ 5 રન બનાવ્યા હતા. કેએલ રાહુલને સતત બીજી ઈનિંગમાં નિષ્ફળ જતા જોઈને લાગે છે કે તેને નંબર 3 પર રમવાનો ભારતીય ટીમ મેનેજમેન્ટનો નિર્ણય ખોટો હતો.

જસપ્રીત બુમરાહે મેલબોર્ન ટેસ્ટમાં ભારત માટે સૌથી વધુ 9 વિકેટ લીધી હતી. જ્યારે ઓસ્ટ્રેલિયા તરફથી પેટ કમિન્સ અને નાથન લિયોને 6-6 વિકેટ લીધી હતી.

આ હાર સાથે ટીમ ઈન્ડિયા સિરીઝમાં 1-2થી પાછળ રહી ગઈ છે. હવે બંને ટીમો વચ્ચે સિરીઝની છેલ્લી મેચ સિડનીમાં 3 જાન્યુઆરી 2025થી રમાશે.
ક્રિકેટને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહિ ક્લિક કરો
