CM ભૂપેન્દ્ર પટેલે દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાની લીધી મુલાકાત, અસરગ્રસ્તોને મળીને સરકારી વ્યવસ્થા અંગે મેળવી જાણકારી
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે, અતિભારે વરસાદથી અસરગ્રસ્ત થયેલા જામનગર, દેવભૂમિ દ્વારકાની મુલાકાત લીધી હતી. દેવભૂમિ દ્વારકાની મુલાકાત દરમિયાન ભૂપેન્દ્ર પટેલ ખંભાળિયાના અસરગ્રસ્ત રામનગર અને કણઝાર ચેકપોસ્ટ વિસ્તારોની મુલાકાત લઈને આ વિસ્તારના લોકોને જ્યા રાખવામાં આવ્યા છે તે શેલ્ટર હાઉસની પણ મુલાકાત લઈને સ્થળાંતર પામેલા અસરગ્રસ્તોના ખબર અંતર પુછયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં પાછલા પાંચ દિવસથી વરસેલા વરસાદમાં સૌથી વધુ 944 મિલીમીટર ( 37 ઈંચથી વધુ ) વરસાદ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકામાં વરસ્યો છે.
Most Read Stories