AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભૂપેન્દ્ર પટેલ

ભૂપેન્દ્ર પટેલ

ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના 17મા મુખ્યમંત્રી છે. તેઓ ભારતીય જનતા પક્ષના નેતા છે અને ઘાટલોડિયા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતી ગુજરાત વિધાનસભાની બેઠકના ધારાસભ્ય છે. તેઓ આ બેઠક પરથી સતત બીજીવાર જંગી બહુમતીથી જીત્યા છે. ભૂપેન્દ્ર પટેલ સપ્ટેમ્બર 2021થી ગુજરાત રાજ્યના સત્તરમા મુખ્યમંત્રી તરીકે છે.

15 જુલાઇ 1962ના રોજ જન્મેલા ભૂપેન્દ્ર પટેલે સિવિલ એન્જિનિયરમાં ડિપ્લોમાનો અભ્યાસ કર્યો છે. ભૂપેન્દ્ર પટેલ પોતાના મત વિસ્તારમાં ‘દાદા’ના હુલામણા નામથી ઓળખાય છે. આ સાથે જ સરદાર ધામ અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટી પણ છે. ભૂપેન્દ્ર પટેલ 1995-96માં મેમનગર નગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચુક્યા છે. 1999-2000, 2004-06માં અમદાવાદ સ્કુલ બોર્ડના ચેરમેન રહી ચુક્યા છે. 2008-10માં થલતેજ વોર્ડના કાઉન્સિલર હતા અને 2010-15માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)માં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચુક્યા છે. તેમજ તેઓ અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ (AUDA)માં 2015-17માં ચેરમેન રહી ચુક્યા છે.

2017માં ગાંધીનગર સંસદીયક્ષેત્રમાં આવતી ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી પહેલીવાર ચૂંટણી લડીને વિધાનસભાના સભ્ય બન્યા. તેઓ તેમની પહેલી જ વિધાનસભા ચૂંટણીમાં 1,17,750 મતની જંગી સરસાઈથી જીત્યા હતા.

Read More
Follow On:

Gujarat Budget 2026-27 Breaking : Viksit Gujarat@2047 તરફ મોટું પગલું, શ્રમ અને કૌશલ્ય વિકાસ માટે ₹2902 કરોડની જાહેરાત

રાજ્ય સરકારે વિકસિત ગુજરાત@2047ના લક્ષ્યાંકોને ધ્યાનમાં રાખીને શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે કુલ ₹2902 કરોડની જોગવાઈ કરી છે, જેમાં ITI મજબૂતિકરણથી લઈને શ્રમિક કલ્યાણ યોજનાઓનો સમાવેશ થાય છે.

Breaking News : Gujarat Budget 2026-27 માં ટ્રેક્ટરથી બાયો-CNG સુધી રાજ્ય સરકારની ગ્રામ સમૃદ્ધિ માટે મોટી જાહેરાતો

રાજ્ય સરકારે 2026-27 બજેટમાં ખેડૂતો, પશુપાલકો અને સાગરખેડૂતોના સર્વાંગી વિકાસ માટે કૃષિ યાંત્રિકીકરણથી લઈ સિંચાઈ અને ગૌ-સેવા સુધી હજારો કરોડ રૂપિયાની જાહેરાત

Breaking News : “નાનકડી સામ્યાનું સ્વપ્ન…CM દાદાએ પૂરું કર્યું !” જુઓ Video

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે બનાસકાંઠામાં એક વર્ષ પહેલાં આપેલો વાયદો પૂરો કર્યો છે. દાંતીવાડાની ઉત્તમપુરા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની સામ્યાને મળવા તેઓ એક વર્ષ બાદ શાળાએ પહોંચ્યા હતા. તેમણે બાળકો સાથે સમય વિતાવ્યો અને સામ્યાના ભવિષ્ય માટે આશીર્વાદ આપ્યા. સામ્યાએ મુખ્યપ્રધાનને "દાદા" કહીને સંબોધતા મુલાકાત હૃદયસ્પર્શી બની હતી.

ભારત-યુએસએ વચ્ચે થયેલ ટ્રેડ ડીલથી અંગે ગુજરાતના મેન્યુફેક્ચરિંગ સેક્ટર્સ, MSME, વેપાર-ઉદ્યોગને સીધો લાભ થશે : ભૂપેન્દ્ર પટેલ

ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું કે, જ્યારે વિશ્વની બે સૌથી મોટી લોકશાહી સાથે મળીને આગળ વધે છે, ત્યારે સાચા અર્થમાં વિશ્વ કલ્યાણની ભાવના ચરિતાર્થ થાય છે. આ ટ્રેડ ડીલ ભારત-અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોની પ્રગતિમાં નવા અધ્યાયની શરૂઆત પણ છે.

Breaking News : અમદાવાદનુ વહીવટીતંત્ર ભાજપના ધારાસભ્યોને છૂછા ગણે છે ! ફરિયાદ છતા અશાંત ધારા વિસ્તારમાં ધમધોકાર ચાલી રહ્યું છે ઈમારતનુ કામકાજ

વેજલપુર વિસ્તારના ધારાસભ્ય અમિત ઠાકરે, એવો સવાલ કર્યો છે કે, અશાંત વિસ્તારમાં મંજૂર કરાયેલ 22 માળની ઈમારત સામે વિરોધ હોવા છતા તેનુ કામકાજ તેવી રીતે શરુ થયું. આ ઈમારતને જરૂરી મંજૂરી કોણે આપી, હવે તેમણે મુસ્લિમોને અપીલ કરી છે કે, આ ઈમારતમા મકાન ના ખરીદે, કારણ કે તેમના રૂપિયા ડૂબી જવાની શક્યતા રહેલી છે.

CM ભૂપેન્દ્ર પટેલ, કહ્યું- ટેક્સટાઈલ, કેમિકલ, સેમિકન્ડક્ટર, ડેડીકેટેડ ફ્રેઇટ કોરિડોર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે બજેટમાં જાહેરાતથી ગુજરાતને થશે ફાયદો

કેન્દ્રીય અંદાજપત્રમાં ટેક્સટાઇલ સેક્ટરને વધુ ઉત્તેજન આપવા જાહેર કરવામાં આવેલી 6 જેટલી યોજનાઓનો લાભ ગુજરાતના ટેક્સટાઇલ સેક્ટરને મળશે. ત્રણ કેમિકલ પાર્ક્સની જાહેરાત તથા બાયોફાર્મા ઇન્ડસ્ટ્રીઝ માટે 10 હજાર કરોડની જે જાહેરાત થઈ છે તેનો પણ લાભ ગુજરાતના આ ક્ષેત્રના ઉદ્યોગોને મળશે.

2017 પદ્માવત ફિલ્મ મુદ્દે રાજપૂત યુવાનો પર થયેલા પોલીસ કેસો પરત, રાજપૂત સમાજે સરકારનો આભાર માન્યો

પદ્માવત ફિલ્મ વખતે ક્ષત્રિય સમાજ પર થયેલા કેસો પરત ખેંચાયા. ઉત્તર ગુજરાતની 50 કરતા વધુ સામાજિક સંસ્થાઓએ કરી હતી રજૂઆત. પદ્માવત ફિલ્મમાં ક્ષત્રિયોનાં ચિત્રણ સામે થયો હતો ઉગ્ર વિરોધ. ગુજરાતના ક્ષત્રિય સમાજે પણ કર્યું હતું ઉગ્ર વિરોધ પ્રદર્શન. જેમાં ક્ષત્રિય સમાજના યુવાઓ ઉપર અનેક કેસ થયા હતા.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગીર સફારીમાં સિંહ દર્શન કર્યા, કહ્યું-જંગલ સફારીનો અનુભવ અવિસ્મરણીય,જુઓ ફોટો

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ હાલ સાસણ ગીરની મુલાકાતે છે.અને તેમનો એક અલગ જ અંદાજ સામે આવ્યો છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સોશિયલ મીડિયા પર કેટલાક ફોટો પોસ્ટ કર્યા છે.

ભારતીય સૈન્ય- સુરક્ષા દળ દ્વારા ઉપયોગમાં લેવાતા શસ્ત્રોનુ પ્રદર્શન નિહાળતા સીએમ ભૂપેન્દ્ર પટેલ

શસ્ત્ર પ્રદર્શન મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહીત અન્ય મહાનુભાવોએ નિહાળ્યું હતું. શસ્ત્ર પ્રદર્શન નિહાળતા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે, ભારતીય સૈન્ય અને વિવિધ સુરક્ષા દળોમાં ઉપયોગમાં લેવાતા આધુનિક શસ્ત્રોની વિગતવાર માહિતી મેળવી હતી.

Breaking News : વાવ-થરાદમાં રાજ્યકક્ષાના 77મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ધ્વજ વંદન, જુઓ Video

વાવ-થરાદ ખાતે દેશના 77મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી ભવ્ય અને ગૌરવભેર રીતે યોજાઈ. મલુપુર હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. ધ્વજારોહણ સાથે જ રાષ્ટ્રગાનની ગુંજ સાથે સમગ્ર મેદાન દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું.

સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલની બદલી

ગુજરાત સરકારે આજે 22મી જાન્યુઆરીના રોજ બે સનદી અધિકારીઓની બદલી કરી છે. જેમાં ધ્યાન ખેંચે તેવી એક બદલી સુરતના મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલની છે. સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલને સુરતથી ગાંધીનગર બોલાવાયા છે. શાલિની અગ્રવાલને, ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ  (GUVNL) ના MD બનાવાયા છે. 

ગુજરાતના જિલ્લા કલેક્ટરોને ફિલ્ડ વિઝીટ કરી સરકારી યોજનાનુ મોનીટરીંગ કરવા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની તાકીદ

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગુજરાતભરના જિલ્લા કલેકટરોની કોન્ફરન્સ યોજાઈ હતી. આ કોન્ફરન્સમાં, જિલ્લા કલેકટરોને ફિલ્ડમાં વિઝીટ કરીને સરકારી યોજનાનું મોનિટરિંગ કરવા તાકીદ કરી હતી. આ ઉપરાંત જિલ્લા સ્તરે જમીનના પ્રશ્નો ઉકલી જાય તે માટે સરકારે તાલુકા કક્ષાએ ઇન્સ્પેક્ટર ઓફ લેન્ડ રિફોર્મ્સની જગ્યાઓ મંજૂર કરી છે. આ દિશામાં કલેકટરો ખાસ ધ્યાન આપે તેવી પણ તાકીદ કરી હતી.

CM ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના દરિયાપુર વાડીગામમાં ઉત્તરાયણ મનાવીને તાજી કરી જૂની યાદો

ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે, આજે સવારે ગાંધીનગર ખાતે અને બપોરના સમયે અમદાવાદમાં પતંગ ચગાવીને ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી. અમદાવાદમાં દરિયાપુર વાડીગામ ખાતે મૂળજી પારેખની પોળના એક મકાનના ધાબા પરથી પતંગ ચગાવ્યો હતો.

ગુજરાતની ધરતી પરથી ભારતની સ્વાસ્થ્ય સુરક્ષા અને બાયો સેફ્ટી ક્ષેત્રના વિકાસના નવા યુગની શરૂઆત: અમિત શાહ

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે, આજે ગાંધીનગર ખાતે, રૂપિયા 362 કરોડના ખર્ચે બનનાર અદ્યતન બાયો-કન્ટેઈનમેન્ટ ફેસિલિટી “બાયો સેફ્ટી લેવલ-4” લેબનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે અમિત શાહે કહ્યું કે, આ લેબ જીવલેણ વાયરસ સામે લડવા માટે ભારતનું અભેદ સુરક્ષા કવચ અને જૈવ સુવિધાનો મજબૂત કિલ્લો પૂરવાર થશે.

ગુજરાતનો ગ્રીનકવર વિસ્તાર વધારવા મહત્વનો નિર્ણય, રાજ્યની તમામ 185 નદીના કાંઠા વિસ્તારોમાં વનવિભાગ વૃક્ષારોપણ કરશે

ગુજરાતનની નદીકાંઠાને વૃક્ષાચ્છાદિત કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આમ કરીને ગુજરાતના ગ્રીન કવરમાં વધારો પણ થશે. વર્ષ 2023માં કેન્દ્ર સરકારે જાહેર કરેલા ઇન્ડીયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ મુજબ, ગુજરાતમાં વન અને વૃક્ષ કવર રાજ્યના કુલ ક્ષેત્રફળના 11.03 ટકા છે. ગુજરાતની નદીકાઠાના વિસ્તારમાં વૃક્ષોનુ મોટાપાયે વાવેતર કરીને વન અને વૃક્ષ કવર વિસ્તાર વધારવામાં આવશે.

ડ્રગ્સ બાદ હવે સમુદ્રી માર્ગે વિદેશી સિગારેટ ઘુસાડવાનો પ્રયાસ
ડ્રગ્સ બાદ હવે સમુદ્રી માર્ગે વિદેશી સિગારેટ ઘુસાડવાનો પ્રયાસ
જાવેદ સિંધીએ નામ બદલી યુવતીને પ્રેમજાળમાં ફસાવી આચર્યું દુષ્કર્મ
જાવેદ સિંધીએ નામ બદલી યુવતીને પ્રેમજાળમાં ફસાવી આચર્યું દુષ્કર્મ
વિવાદાસ્પદ મહિલા કીર્તિ પટેલની આખરે પોલીસે કરી ધરપકડ !
વિવાદાસ્પદ મહિલા કીર્તિ પટેલની આખરે પોલીસે કરી ધરપકડ !
સોશિયલ મીડિયા પર વાયરલ થયો અનોખો 'વોટર ક્રિકેટ' વીડિયો
સોશિયલ મીડિયા પર વાયરલ થયો અનોખો 'વોટર ક્રિકેટ' વીડિયો
પોતાની નિષ્ફળતા ઢાંકવા, પ્રજાનું ધ્યાન ભટકાવવા પાકિસ્તાને હુમલો કર્યો!
પોતાની નિષ્ફળતા ઢાંકવા, પ્રજાનું ધ્યાન ભટકાવવા પાકિસ્તાને હુમલો કર્યો!
આજે સ્વાસ્થ્ય માટે ધ્યાન-યોગ આપશે ફાયદો, સાંજ મિત્રો સાથે બનશે યાદગાર
આજે સ્વાસ્થ્ય માટે ધ્યાન-યોગ આપશે ફાયદો, સાંજ મિત્રો સાથે બનશે યાદગાર
અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની એર સ્ટ્રાઈક
અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની એર સ્ટ્રાઈક
અમદાવાદમાં PG સંચાલકો સામે રહીશોનો આક્રોશ
અમદાવાદમાં PG સંચાલકો સામે રહીશોનો આક્રોશ
જુનાગઢ: મૃગીકુંડ સ્નાન વિવાદમાં કીર્તિ પટેલ સામે નોંધાઈ વધુ એક ફરિયાદ
જુનાગઢ: મૃગીકુંડ સ્નાન વિવાદમાં કીર્તિ પટેલ સામે નોંધાઈ વધુ એક ફરિયાદ
બનાસકાંઠાના બટાકા પકવતા ખેડૂતો બેવડા સંકટમાં
બનાસકાંઠાના બટાકા પકવતા ખેડૂતો બેવડા સંકટમાં
g clip-path="url(#clip0_868_265)">