ભૂપેન્દ્ર પટેલ
ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના 17મા મુખ્યમંત્રી છે. તેઓ ભારતીય જનતા પક્ષના નેતા છે અને ઘાટલોડિયા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતી ગુજરાત વિધાનસભાની બેઠકના ધારાસભ્ય છે. તેઓ આ બેઠક પરથી સતત બીજીવાર જંગી બહુમતીથી જીત્યા છે. ભૂપેન્દ્ર પટેલ સપ્ટેમ્બર 2021થી ગુજરાત રાજ્યના સત્તરમા મુખ્યમંત્રી તરીકે છે.
15 જુલાઇ 1962ના રોજ જન્મેલા ભૂપેન્દ્ર પટેલે સિવિલ એન્જિનિયરમાં ડિપ્લોમાનો અભ્યાસ કર્યો છે. ભૂપેન્દ્ર પટેલ પોતાના મત વિસ્તારમાં ‘દાદા’ના હુલામણા નામથી ઓળખાય છે. આ સાથે જ સરદાર ધામ અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટી પણ છે. ભૂપેન્દ્ર પટેલ 1995-96માં મેમનગર નગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચુક્યા છે. 1999-2000, 2004-06માં અમદાવાદ સ્કુલ બોર્ડના ચેરમેન રહી ચુક્યા છે. 2008-10માં થલતેજ વોર્ડના કાઉન્સિલર હતા અને 2010-15માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)માં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચુક્યા છે. તેમજ તેઓ અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ (AUDA)માં 2015-17માં ચેરમેન રહી ચુક્યા છે.
2017માં ગાંધીનગર સંસદીયક્ષેત્રમાં આવતી ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી પહેલીવાર ચૂંટણી લડીને વિધાનસભાના સભ્ય બન્યા. તેઓ તેમની પહેલી જ વિધાનસભા ચૂંટણીમાં 1,17,750 મતની જંગી સરસાઈથી જીત્યા હતા.
ગુજરાતનો ગ્રીનકવર વિસ્તાર વધારવા મહત્વનો નિર્ણય, રાજ્યની તમામ 185 નદીના કાંઠા વિસ્તારોમાં વનવિભાગ વૃક્ષારોપણ કરશે
ગુજરાતનની નદીકાંઠાને વૃક્ષાચ્છાદિત કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આમ કરીને ગુજરાતના ગ્રીન કવરમાં વધારો પણ થશે. વર્ષ 2023માં કેન્દ્ર સરકારે જાહેર કરેલા ઇન્ડીયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ મુજબ, ગુજરાતમાં વન અને વૃક્ષ કવર રાજ્યના કુલ ક્ષેત્રફળના 11.03 ટકા છે. ગુજરાતની નદીકાઠાના વિસ્તારમાં વૃક્ષોનુ મોટાપાયે વાવેતર કરીને વન અને વૃક્ષ કવર વિસ્તાર વધારવામાં આવશે.
- TV9 Gujarati
- Updated on: Jan 2, 2026
- 6:36 pm
સીએમ ભૂપેન્દ્ર પટેલ દિલ્હી દોડી ગયા, રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યુ !
ગુજરાતના મુખ્ય પ્રધાન અને ભાજપના અન્ય પદાધિકારીઓની વારંવારની દિલ્હી મુલાકાતને લઈને વિપક્ષે અનેકવાર, ભૂપેન્દ્ર પટેલ સરકાર પર શાબ્દિક હુમલા કર્યા છે કે, ગુજરાતની સરકાર ગાંઘીનગરથી નહીં પરંતુ દિલ્હી દરબાર ચલાવે છે. નાની નાની વાતોમાં પણ દિલ્હી દરબાર પાસે મંજૂરી લેવી પડે છે.
- Kinjal Mishra
- Updated on: Jan 6, 2026
- 8:28 am
અમદાવાદમાં ફ્લાવર શૉની શરૂઆત, જાણો સમય અને ટિકિટની કિંમત, જુઓ Photos
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાબરમતી રિવરફ્રન્ટ પર 14મા ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026નો શુભારંભ કર્યો. 'ભારત એક ગાથા' થીમ પર આયોજિત આ શોમાં સરદાર પટેલનું વિશ્વનું સૌથી મોટું ફૂલ ચિત્ર, સ્ત્રી સશક્તિકરણ અને દિવાળીની કૃતિઓ મુખ્ય આકર્ષણ છે.
- Sagar Solanki
- Updated on: Jan 1, 2026
- 9:21 pm
Breaking News :અમદાવાદમાં ભારત એક ગાથા થીમ પર વિશ્વનો સૌથી મોટો ફ્લાવર શો, જુઓ Video
અમદાવાદમાં ભારત એક ગાથા થીમ પર આંતરરાષ્ટ્રીય ફ્લાવર શોનો પ્રારંભ થયો છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે તેનું ઉદ્ઘાટન કર્યું. 22 જાન્યુઆરી સુધી ચાલનારા આ શોમાં હાઈ-સ્પીડ રેલ, સરદાર પટેલનું ફૂલ ચિત્ર, અંતરિક્ષ ટેકનોલોજી અને સાંસ્કૃતિક નૃત્ય જેવા અનેક આકર્ષણો છે. સોમ-શુક્ર ₹80, શનિ-રવિ ₹100 ટિકિટ રહેશે.
- Jignesh Patel
- Updated on: Jan 1, 2026
- 11:28 am
ગુજરાતની ધરતી પરથી અમિત શાહે રાહુલ ગાંધી પર સાધ્યુ નિશાન, કહ્યુ 2029માં પણ મોદી જ વડાપ્રધાન, તો IMA ના કાર્યક્રમમાં શાહે ડૉક્ટરોને કરી આ ખાસ ટકોર
અમદાવાદમાં IMAના રાષ્ટ્રીય અધિવેશન અને વિકાસ કાર્યોના લોકાર્પણ દરમિયાન ગૃહપ્રધાન અમિત શાહે આરોગ્ય ક્ષેત્ર, જનરિક દવા, આયુષ્યમાન ભારત યોજના અને વિપક્ષ પર કડક નિવેદનો આપ્યા.
- TV9 Gujarati
- Updated on: Dec 28, 2025
- 9:12 pm
અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનું ભવ્ય ઉદ્ધાટન, પહેલા જ દિવસે ઉમટી લાખોની જનમેદની, જુઓ-Photo
વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદની આગવી ઓળખ સમાન ઐતિહાસિક કાંકરિયા લેકફ્રન્ટ ખાતે ‘કાંકરિયા કાર્નિવલ-2025’ નો પ્રારંભ ગઈકાલથી થઈ ગયો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદીઓ અને પ્રવાસીઓ માટે કલા, મનોરંજન અને સંસ્કૃતિના અદભૂત સંગમ સાથે આ ઉત્સવની શરુઆત થઈ છે.
- Devankashi rana
- Updated on: Dec 26, 2025
- 12:27 pm
CM ભૂપેન્દ્ર પટેલે જાહેર કરી રિન્યુએબલ એનર્જી પોલિસી–2025, વૈશ્વિક સ્તરે ક્લીન એનર્જી હબ તરીકે ગુજરાત સ્થાપિત થશે
રિન્યુએબલ એનર્જી પોલિસી-2025 ઉભરી રહેલ નવીનતમ રિન્યુએબલ એનર્જી ટેકનોલોજીઓને સક્રિય પ્રોત્સાહન થકી ગુજરાતના સ્વચ્છ ઊર્જા પોર્ટફોલિયોને વૈવિધ્ય પૂર્ણ બનાવવા માટે અને ઇનોવેશનને વેગ મળે તે માટે પ્રોત્સાહન આપે છે. જેમાં ઓશન એનર્જી, જિયોથર્મલ એનર્જી, કન્સન્ટ્રેટેડ સોલાર થર્મલ (CST), બિલ્ડિંગ-ઇન્ટિગ્રેટેડ ફોટોવોલ્ટેઇક (BIPV) સિસ્ટમ્સ, રેલ તથા રોડ-ઇન્ટિગ્રેટેડ ફોટોવોલ્ટેઇક (RIPV) એપ્લિકેશન્સ, એગ્રીવોલ્ટેઇક્સ અને વર્ટિકલ-ઍક્સિસ વિન્ડ ટર્બાઇન્સનો સમાવેશ થાય છે, જેને પાયલોટ પ્રોજેક્ટ્સ દ્વારા આધાર આપવામાં આવશે.
- TV9 Gujarati
- Updated on: Dec 25, 2025
- 5:18 pm
Breaking News : સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર પદેથી રાજેન્દ્ર પટેલની હકાલપટ્ટી !
ઈડીના દરોડાના 24 કલાક પૂર્ણ થતા જ ગુજરાતમાં ઓપરેશન ગંગાજળ હાથ ધરનાર ભૂપેન્દ્ર પટેલ સરકારે, રાતોરાત સુરેન્દ્રનગરના જિલ્લા કલેકટરને ખાતા વિહોણા કરી નાખ્યા છે. સુરેન્દ્રનગરના જિલ્લા કલેકટર રાજેન્દ્ર પટેલને તાકીદે કલેકટર પદેથી હટાવીને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા છે.
- TV9 Gujarati
- Updated on: Dec 24, 2025
- 9:00 pm
ગુજરાતમાંથી ટાઈપ-1 ડાયાબિટીસ નાબૂદ માટે સરકાર મક્કમ, રાજ્યવ્યાપી અભિયાનનો આજથી પ્રારંભ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે, ટાઈપ-1 ડાયાબિટીસ- જુવેનાઈલ ડાયાબિટીસ સારવાર-નિયંત્રણ કાર્યક્રમનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે સંબોધન કરતા મુખ્યપ્રધાને કહ્યું કે, ટાઈપ-1 ડાયાબિટીસ ગ્રસ્ત એક પણ બાળક સારવાર-સુવિધાથી વંચિત ન રહી જાય તે માટેની સઘન વ્યવસ્થા કરવામાં આવી છે. આ રોગ ધરાવતા તમામ બાળકોને સારવારથી આવરી લેવાય તેવા આરોગ્ય સેવાલક્ષી અભિગમથી આ રાજ્યવ્યાપી અભિયાન શરૂ કરી રહ્યા છીએ તેમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.
- Bipin Prajapati
- Updated on: Dec 24, 2025
- 4:27 pm
પોલીસ દળની ભરતીમાં ઉત્તીર્ણ થયેલા 11607 ઉમેદવારોને પસંદગીપત્ર એનાયત કરાયા, પસંદગીના જિલ્લામાં નિમણૂક કરાશે
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ, આજે ગાંધીનગરમાં, ગુજરાત પોલીસમાં નવનિયુક્ત 11607 લોકરક્ષકોને પસંદગીપત્ર એનાયત કર્યા હતા. આ પ્રસંગે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે, નિમણૂંક પામેલા લોકરક્ષકોને જણાવ્યું કે, પસંદગીપત્ર માત્ર સરકારી નોકરીનો એપોઇન્ટમેન્ટ લેટર નથી, જવાબદારી, શિસ્ત પાલન અને રાષ્ટ્ર સેવાનો સંકલ્પ લેવાનો અવસર છે. નાગરિક દેવો ભવ:ના સૂત્રને સાર્થક કરવાનો અવસર હવે તમારી પાસે હોવાનુ જણાવ્યું હતું.
- TV9 Gujarati
- Updated on: Dec 23, 2025
- 8:33 pm
ગુજરાતના રાજકારણમાં મોટી હલચલ: PM મોદી સાથે CM ભૂપેન્દ્ર પટેલની 3 કલાકની રાજકીય બેઠક
સંગઠનનું નવું માળખું, મંત્રીમંડળમાં ફેરફાર અને સામાજિક સમીક્ષા મુદ્દે ગુજરાતના મુખ્યમંત્રી અને ઉપ-મુખ્યમંત્રી આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં દિલ્હીમાં બેઠકમાં સામેલ થયા હતા.
- TV9 Gujarati
- Updated on: Dec 14, 2025
- 10:53 pm
Year Ender 2025 : આ વર્ષે ગુજરાતના રાજકરણમાં થયા મોટા ફેરફાર, અનેક રાજકીય ઘટનાઓ ઘટી
ગુજરાતમાં વર્ષ 2025માં રાજકીય ક્ષેત્રમાં પણ વિવિધ બદલાવ થયા છે. કેટલા રાજનેતાઓએ રાજકીય પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. તો ગુજરાતને ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બન્યા છે. તો ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રી મંડળનું પણ પુનર્ગઠન કરવામાં આવ્યું છે.
- Disha Thakar
- Updated on: Dec 12, 2025
- 2:38 pm
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સેવા, સંકલ્પ, અને સમર્પણના 3 વર્ષ પૂર્ણ, જુઓ વિકાસયાત્રાની ઝલક
આજે 12 ડિસેમ્બર, 2025ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શાસનકાળના 3 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. 156 બેઠકોના ઐતિહાસિક જનસમર્થન સાથે ગુજરાતના 18મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતની વિકાસયાત્રાને સતત આગળ ધપાવી છે, અને સુશાસન, સેવા અને વિકાસના નવા ધોરણો સ્થાપિત કર્યા છે.
- TV9 Gujarati
- Updated on: Dec 12, 2025
- 11:15 am
Year Ender 2025 : ગુજરાતીઓનું હૈયું હચમચાવી દેતી ઘટનાઓ ! ગંભીરા બ્રિજ દુર્ઘટનાથી લઈ અમદાવાદ પ્લેનક્રેશમાં અનેક પરિવારોએ ગુમાવ્યા વ્હાલસોયા
ગુજરાત માટે વર્ષ 2025માં કેટલાક ગોઝારી ઘટનાઓ બની છે. જેમાં અનેક લોકોના ઘરના ચિરાગ બુઝાઈ ગયા છે. રાજ્યમાં મોટી બનેલી કેટલીક ઘટનાઓમાં નિર્દોશ લોકોએ જીવ ગુમાવ્યા છે. જેના પડઘા દેશભરમાં પડ્યા છે. ગુજરાતમાં બનેલા અમદાવાદ પ્લેનક્રેશની ઘટના અને ગંભીરા બ્રિજ તૂટવાની ઘટનાના પડઘા રાજ્યસરકારથી લઈને કેન્દ્ર સરકાર સુધી પડ્યા હતા.
- Disha Thakar
- Updated on: Dec 11, 2025
- 2:01 pm
Breaking News : રાજ્યમાં 11 તાલુકાને વિકાસશીલ તાલુકા જાહેર કરાયા, વિકાસ કામો માટે વાર્ષિક 3 કરોડ રૂપિયા અપાશે, જુઓ Video
ગુજરાત સરકારે રાજ્યના વિકાસ કાર્યોને વધુ ગતિ આપવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તાજેતરમાં, રાજ્યના વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ ઘોષણા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય તાલુકા સ્તરે સર્વગ્રાહી વિકાસ સાધવાનો છે, જેથી રાજ્યના છેવાડાના વિસ્તારો સુધી પણ વિકાસનો લાભ પહોંચી શકે.
- TV9 Gujarati
- Updated on: Dec 11, 2025
- 11:33 am