AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભૂપેન્દ્ર પટેલ

ભૂપેન્દ્ર પટેલ

ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના 17મા મુખ્યમંત્રી છે. તેઓ ભારતીય જનતા પક્ષના નેતા છે અને ઘાટલોડિયા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતી ગુજરાત વિધાનસભાની બેઠકના ધારાસભ્ય છે. તેઓ આ બેઠક પરથી સતત બીજીવાર જંગી બહુમતીથી જીત્યા છે. ભૂપેન્દ્ર પટેલ સપ્ટેમ્બર 2021થી ગુજરાત રાજ્યના સત્તરમા મુખ્યમંત્રી તરીકે છે.

15 જુલાઇ 1962ના રોજ જન્મેલા ભૂપેન્દ્ર પટેલે સિવિલ એન્જિનિયરમાં ડિપ્લોમાનો અભ્યાસ કર્યો છે. ભૂપેન્દ્ર પટેલ પોતાના મત વિસ્તારમાં ‘દાદા’ના હુલામણા નામથી ઓળખાય છે. આ સાથે જ સરદાર ધામ અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટી પણ છે. ભૂપેન્દ્ર પટેલ 1995-96માં મેમનગર નગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચુક્યા છે. 1999-2000, 2004-06માં અમદાવાદ સ્કુલ બોર્ડના ચેરમેન રહી ચુક્યા છે. 2008-10માં થલતેજ વોર્ડના કાઉન્સિલર હતા અને 2010-15માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)માં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચુક્યા છે. તેમજ તેઓ અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ (AUDA)માં 2015-17માં ચેરમેન રહી ચુક્યા છે.

2017માં ગાંધીનગર સંસદીયક્ષેત્રમાં આવતી ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી પહેલીવાર ચૂંટણી લડીને વિધાનસભાના સભ્ય બન્યા. તેઓ તેમની પહેલી જ વિધાનસભા ચૂંટણીમાં 1,17,750 મતની જંગી સરસાઈથી જીત્યા હતા.

Read More
Follow On:

Breaking News : ગુજરાતમાં AAPની લોકપ્રિયતાથી BJP ડરી, AAPના કાર્યકરો-હોદેદારોને જેલોમાં પૂરીને, ગુજરાત સરકાર જેલભરો આંદોલન ચલાવે છે

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને રૂબરૂ મળવા માટે સમય ફાળવવા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પત્ર લખ્યો છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની વધતી લોકપ્રિયતાને ડામવા માટે ગુજરાત સરકાર એક પછી એક કાર્યકરો અને હોદ્દેદારોને જેલમાં ધકેલી રહી છે. એવુ લાગે છે કે, આમ આદમી પાર્ટીના કાર્યકરોને વિવિધ જેલમાં ધકેલી દઈને, ભાજપ સરકાર જેલભરો આંદોલન ચલાવી રહી છે.

Breaking News: સરકારનો મોટો નિર્ણય….ખેડૂતોને રાહત, કોન્ટ્રાક્ટરોને આફત ! જમીન અને રસ્તાઓ મામલે મુખ્યમંત્રીનો ઐતિહાસિક નિર્ણય

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે રાજ્યના વિકાસ અને ખેડૂતોની સુવિધા માટે બે અત્યંત મહત્વના નિર્ણયો લીધા છે. એક તરફ, જમીન વેચવાના કાયદામાં મોટો ફેરફાર કરીને હવે 10 ગુંઠા જેવી નાની જમીન ધરાવતા ખેડૂતો માટે પણ ખરીદ-વેચાણના દ્વાર ખોલી દીધા છે, જેનાથી હજારો લોકોને સીધો ફાયદો થશે.

અમદાવાદને મળ્યો વધુ એક ઓવરબ્રિજ, CM ભૂપેન્દ્ર પટેલે કર્યુ લોકાર્પણ, ટ્રાફિક જામની સમસ્યાથી મળશે મુક્તિ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા સતાધાર જંક્શન પર નવા બનેલ ફોર લેન ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું હતું.

શું યુદ્ધને કારણે ગુજરાતમાં સર્જાશે ઈંધણની અછત ? જાણો CM અને હર્ષ સંઘવીની બેઠકમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણયો વિશે જે તમારી ચિંતા કરી દેશે દૂર!

વૈશ્વિક યુદ્ધની સ્થિતિ વચ્ચે ગુજરાતમાં જીવનજરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો જાળવી રાખવા Dy.Cm અને CM એ ગાંધીનગરમાં હાઈ-લેવલ બેઠક યોજી હતી. રાજ્યમાં PNG કનેક્શન આપવાની કામગીરી યુદ્ધના ધોરણે તેજ કરવામાં આવી છે અને ખાતર તેમજ અનાજનો પૂરતો સ્ટોક હોવાની ખાતરી આપવામાં આવી છે.

Breaking News : સાડા સાત કલાકની ચર્ચા બાદ વિધાનસભા ગૃહમાં UCC બિલ બહુમતીથી પસાર, કોંગ્રેસનો વોકઆઉટ

ગુજરાત વિધાનસભામાં લગભગ 7.30 કલાકની ચર્ચા બાદ UCC બિલ પસાર થયું. પક્ષ-વિપક્ષે મુદ્દા રજૂ કર્યા બાદ મુખ્યમંત્રીએ સર્વસંમતિથી આગળ વધવાની અપીલ કરી. અને ગૃહમાં બીલ પસાર થયું.

Breaking News : પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ, જુઓ Video

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સચિવોને કડક સૂચના આપી હતી.તેમજ વિધાનસભા ગૃહમાં સરકારનું પરફોર્મન્સ નબળું દેખાતા મુખ્યમંત્રીએ સચિવોને ખખડાવ્યા હતા.બુધવારે મળેલી કેબિનેટમાં CMએ સચિવોનો ઉધડો લીધા હતા.

ગુજરાતમાં ગેસ-ઈંધણની સ્થિતિ અંગે CMની સમીક્ષા બેઠક, લાંબા ગાળાના આયોજનનો આદેશ, જુઓ Video

ગાંધીનગરમાં CM નિવાસસ્થાને ગેસ અને ઈંધણની સ્થિતિ અંગે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ. મુખ્યમંત્રીએ લાંબા ગાળાના આયોજન અને કેન્દ્રીય માર્ગદર્શિકાના પાલન પર ભાર મૂક્યો.

અમદાવાદના એરપોર્ટ પર CM ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીનો હળવો અંદાજ કેમેરામાં કેદ થયો , જુઓ વીડિયો

વધુ એક વખત CM ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો હળવા અંદાજમાં જોવા મળ્યા હતા.દિલ્હીથી પરત ફરતી વખતે સામાન્ય નાગરિકની જેમ એરપોર્ટ પર લોકો સાથે મુલાકાત કરી હતી. કોઈ પણ જાતના પ્રોટોકોલ વગર લોકોની વચ્ચે બેસીને સહજતાથી સંવાદ કર્યો હતો.આ સાથે કાગળમાંથી બનાવેલ કૃતિઓ અંગે રસપૂર્વક માહિતી મેળવી હતી.

Breaking News: ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં, ઉદ્યોગકારોની CM સાથે તાત્કાલિક બેઠક

ગેસ સપ્લાયમાં અવરોધ અને વધતા ખર્ચને કારણે ઉત્પાદન પર ગંભીર અસર પડી રહી છે. આ સ્થિતિ લાંબા સમય સુધી રહી તો ઉદ્યોગને મોટું નુકસાન થઈ શકે છે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે ઉદ્યોગકારોને વિશ્વાસ આપ્યો કે રાજ્ય સરકાર ઉદ્યોગને બચાવવા માટે શક્ય તમામ પગલાં ભરશે.

ગુજરાતે, સરકારની માલિકીના પ્લેન અને હેલિકોપ્ટર પાછળ 86,33,55,531 નો કર્યો ખર્ચો

ગુજરાત સરકારની માલિકીના વિમાન અને હેલિકોપ્ટરને ઉડતુ રાખવા માટે પાયલોટ, અન્ય સ્ટાફના પગાર તેમજ વિમાન અને હેલિકોપ્ટરના મરામત માટે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે. આ વિગતો ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ પુછેલા પ્રશ્નના ઉત્તરમાં સામે આવી છે. 

What Gujarat Thinks Today : સર્વાગી વિકાસ માટે ગુજરાતને 6 ભાગમાં વહેંચી દેવાયું, 2047માં દેશને અગ્રેસર બનાવવામાં રાજ્યનો અમૂલ્ય ફાળો રહેશેઃ CM ભૂપેન્દ્ર પટેલ

ટીવી9 થિન્ક ફેસ્ટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના વિકાસના રોડમેપનું અનાવરણ કર્યું. "અર્નિંગ વેલ, લિવિંગ વેલ" ના મંત્ર સાથે ગુજરાતને 2047 સુધીમાં વિકસિત ભારતનું ગ્રોથ એન્જિન બનાવવા માટે છ આર્થિક રિજિયનમાં વિભાજીત કરાયું છે.

Gujarat Budget 2026-27 Breaking : Viksit Gujarat@2047 તરફ મોટું પગલું, શ્રમ અને કૌશલ્ય વિકાસ માટે ₹2902 કરોડની જાહેરાત

રાજ્ય સરકારે વિકસિત ગુજરાત@2047ના લક્ષ્યાંકોને ધ્યાનમાં રાખીને શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે કુલ ₹2902 કરોડની જોગવાઈ કરી છે, જેમાં ITI મજબૂતિકરણથી લઈને શ્રમિક કલ્યાણ યોજનાઓનો સમાવેશ થાય છે.

Breaking News : Gujarat Budget 2026-27 માં ટ્રેક્ટરથી બાયો-CNG સુધી રાજ્ય સરકારની ગ્રામ સમૃદ્ધિ માટે મોટી જાહેરાતો

રાજ્ય સરકારે 2026-27 બજેટમાં ખેડૂતો, પશુપાલકો અને સાગરખેડૂતોના સર્વાંગી વિકાસ માટે કૃષિ યાંત્રિકીકરણથી લઈ સિંચાઈ અને ગૌ-સેવા સુધી હજારો કરોડ રૂપિયાની જાહેરાત

Breaking News : “નાનકડી સામ્યાનું સ્વપ્ન…CM દાદાએ પૂરું કર્યું !” જુઓ Video

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે બનાસકાંઠામાં એક વર્ષ પહેલાં આપેલો વાયદો પૂરો કર્યો છે. દાંતીવાડાની ઉત્તમપુરા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની સામ્યાને મળવા તેઓ એક વર્ષ બાદ શાળાએ પહોંચ્યા હતા. તેમણે બાળકો સાથે સમય વિતાવ્યો અને સામ્યાના ભવિષ્ય માટે આશીર્વાદ આપ્યા. સામ્યાએ મુખ્યપ્રધાનને "દાદા" કહીને સંબોધતા મુલાકાત હૃદયસ્પર્શી બની હતી.

ભારત-યુએસએ વચ્ચે થયેલ ટ્રેડ ડીલથી અંગે ગુજરાતના મેન્યુફેક્ચરિંગ સેક્ટર્સ, MSME, વેપાર-ઉદ્યોગને સીધો લાભ થશે : ભૂપેન્દ્ર પટેલ

ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું કે, જ્યારે વિશ્વની બે સૌથી મોટી લોકશાહી સાથે મળીને આગળ વધે છે, ત્યારે સાચા અર્થમાં વિશ્વ કલ્યાણની ભાવના ચરિતાર્થ થાય છે. આ ટ્રેડ ડીલ ભારત-અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોની પ્રગતિમાં નવા અધ્યાયની શરૂઆત પણ છે.

g clip-path="url(#clip0_868_265)">