ભૂપેન્દ્ર પટેલ
ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના 17મા મુખ્યમંત્રી છે. તેઓ ભારતીય જનતા પક્ષના નેતા છે અને ઘાટલોડિયા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતી ગુજરાત વિધાનસભાની બેઠકના ધારાસભ્ય છે. તેઓ આ બેઠક પરથી સતત બીજીવાર જંગી બહુમતીથી જીત્યા છે. ભૂપેન્દ્ર પટેલ સપ્ટેમ્બર 2021થી ગુજરાત રાજ્યના સત્તરમા મુખ્યમંત્રી તરીકે છે.
15 જુલાઇ 1962ના રોજ જન્મેલા ભૂપેન્દ્ર પટેલે સિવિલ એન્જિનિયરમાં ડિપ્લોમાનો અભ્યાસ કર્યો છે. ભૂપેન્દ્ર પટેલ પોતાના મત વિસ્તારમાં ‘દાદા’ના હુલામણા નામથી ઓળખાય છે. આ સાથે જ સરદાર ધામ અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટી પણ છે. ભૂપેન્દ્ર પટેલ 1995-96માં મેમનગર નગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચુક્યા છે. 1999-2000, 2004-06માં અમદાવાદ સ્કુલ બોર્ડના ચેરમેન રહી ચુક્યા છે. 2008-10માં થલતેજ વોર્ડના કાઉન્સિલર હતા અને 2010-15માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)માં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચુક્યા છે. તેમજ તેઓ અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ (AUDA)માં 2015-17માં ચેરમેન રહી ચુક્યા છે.
2017માં ગાંધીનગર સંસદીયક્ષેત્રમાં આવતી ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી પહેલીવાર ચૂંટણી લડીને વિધાનસભાના સભ્ય બન્યા. તેઓ તેમની પહેલી જ વિધાનસભા ચૂંટણીમાં 1,17,750 મતની જંગી સરસાઈથી જીત્યા હતા.
ગુજરાત બનશે દેશનું સૌથી મોટું ડેટા સેન્ટર હબ, CM ભૂપેન્દ્ર પટેલે નવી પોલિસી કરી જાહેર
હાલમાં દેશમાં અંદાજે 200 જેટલા ડેટા સેન્ટર કાર્યરત છે. અમેરિકા પાસે લગભગ 30 ગીગાવોટ ક્ષમતા છે, જ્યારે ભારતમાં હાલમાં માત્ર 2થી 3 ગીગાવોટ ક્ષમતા ઉપલબ્ધ છે. પાઇપલાઇનમાં રહેલા પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ દેશની કુલ ક્ષમતા આશરે 8 ગીગાવોટ સુધી પહોંચી શકે છે.
- Devankashi rana
- Updated on: Jul 10, 2026
- 12:05 pm
Breaking News : નવસારીના પૂર અંગે મુખ્યમંત્રીએ લીધી ઉચ્ચસ્તરીય બેઠક, પાળા નિર્માણ અને રસ્તાઓની ગુણવત્તા પર ભાર
નવસારીમાં પૂરની સ્થિતિની સમીક્ષા કરવા મુખ્યમંત્રીએ ઉચ્ચ અધિકારીઓ અને નેતાઓ સાથે બેઠક યોજી. પૂર્ણા, અંબિકા અને ઓરંગા નદી કિનારે પાળા બનાવવા તેમજ ધોવાયેલા રસ્તાઓની ગુણવત્તા તપાસવા આદેશ અપાયા છે.
- Sagar Solanki
- Updated on: Jul 9, 2026
- 6:42 pm
Breaking News: સુરતમાં આવેલા ઘોડાપૂરની સ્થિતિ જોઈ CM ભૂપેન્દ્ર પટેલ થયા લાલઘુમ, સમીક્ષા બેઠકમાં અધિકારીઓનો લીધો ઉધડો
સુરતમાં પ્રિમોન્સુન કામગીરીની નબળી કામગીરીને જોતા મુખ્યમંત્રીએ કોર્પોરેશનના પદાધિકારીઓને ખખડાવ્યા. અને પૂરની સ્થિતિને લઈને ચેતવ્યા હતા. નબળી કામગીરી બદલ મુખ્યમંત્રીએ અધિકારીઓ અને પદાધિકારીઓને કડક સૂચના આપી છે.
- TV9 Gujarati
- Updated on: Jul 9, 2026
- 5:11 pm
Breaking News : ભારે વરસાદ બાદ સરકાર એલર્ટ, CM કરશે દક્ષિણ ગુજરાતના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત, જુઓ Video
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પૂરગ્રસ્ત સુરત અને વલસાડની આવતીકાલે મુલાકાત લેશે. રાજ્યમાં પ્રવર્તી રહેલી વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેઓ સમીક્ષા કરશે.
- Kinjal Mishra
- Updated on: Jul 8, 2026
- 4:41 pm
સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક દલા તલવાડીની માફક સરકારી જમીનના પ્લોટ પાડીને વહેંચી લેનારા ઉચ્ચ અધિકારીઓના બાંધકામ પર દાદાનુ બૂલડોઝર ચાલ્યું, જુઓ વીડિયો
સરકારી જમીન, સરકારી જમીનના પ્લોટ પાડનાર સરકારી અધિકારી અને પ્લોટ ખરીદનારા પણ સરકારી બાબુઓ જ. દલા તલવાડીની માફક નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક મોકાની જગ્યાએ આવેલ સરકારી જમીનના પ્લોટ પાડીને ખરીદી લઈને બંગ્લા બાંધનારા સરકારી બાબુઓ પર સરકારની તવાઈ આવી છે. 11 અધિકારીઓ પૈકી 5 અધિકારીઓના બંગ્લા ઉપર દાદાનું બૂલડોઝર ખુબ જ ઝડપથી ચાલી રહ્યું છે.
- Bipin Prajapati
- Updated on: Jun 28, 2026
- 12:26 pm
International Yoga Day 2026 : કોલકાતામાં PM મોદીએ તો ગુજરાતમાં અમિત શાહ અને CM ભૂપેન્દ્ર પટેલે કર્યા યોગ, જુઓ ફોટો
International Yoga Day 2026 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 જૂનના રોજ કોલકાતાના રેડ રોડ પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026નું નેતૃત્વ કર્યું હતુ. 21 જૂન 2015થી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શરુઆત થઈ હતી.કોલકાતામાં PM મોદીએ તો ગુજરાતમાં અમિત શાહ અને CM ભૂપેન્દ્ર પટેલે યોગ કર્યા હતા.
- Nirupa Duva
- Updated on: Jun 21, 2026
- 8:31 am
ઉચ્ચ અભ્યાસથી વંચિત યુવતીને મુખ્ય પ્રધાને કહ્યું, તારી જવાબદારી અમારી, જુઓ વીડિયો
પરિવારની આર્થિક નબળી સ્થિતિને કારણે અભ્યાસ છોડ્યાની વિગતો સામે આવતા જ, મુખ્ય પ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલે તાત્કાલિક સંવેદનશીલતા દર્શાવી હતી. તેમણે જિલ્લા કલેક્ટરને યુવચી જ્યોતિના શિક્ષણની સંપૂર્ણ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા અને તેને ફરી અભ્યાસ સાથે જોડવા માટે જરૂરી કાર્યવાહી કરવાની સૂચના આપી હતી.
- TV9 Gujarati
- Updated on: Jun 19, 2026
- 3:55 pm
Breaking News : ગુજરાતને મળશે “વાયર ફ્રી સિટી”નું નવું રૂપ, રાજ્ય સરકારે 500 કરોડના મિશનને આપી મંજૂરી
ગુજરાત સરકારે 'વાયર ફ્રી સિટી મિશન' માટે રૂ. 500 કરોડ મંજૂર કર્યા છે. આ યોજના હેઠળ રાજ્યના શહેરી વિસ્તારોમાં ઓવરહેડ વીજ વાયરોને ભૂમિગત કેબલમાં રૂપાંતરિત કરાશે.
- Kinjal Mishra
- Updated on: Jun 4, 2026
- 4:01 pm
ગીરના સિંહોને લઈને સરકાર એલર્ટ, CMએ બોલાવી ઉચ્ચ સ્તરીય બેઠક
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગીરમાં સિંહ બાળ મૃત્યુ મુદ્દે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી. ચાર સિંહ બાળના મૃત્યુ બાદ 17 સિંહોને આઇસોલેટ કરાયા છે.
- Sagar Solanki
- Updated on: May 27, 2026
- 9:37 pm
Breaking News : ગુજરાતના ખેડૂતો માટે સરકારનો મોટો નિર્ણય, ફેન્સિંગ સહાયમાં મોટો વધારો, જાણો વિગત
ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં તાર ફેન્સિંગ યોજનાના નિયમોમાં ફેરફાર કર્યા છે. હવે પ્રતિ મીટર સહાયમાં વધારો કરવામાં અવાયો છે.
- Sagar Solanki
- Updated on: May 27, 2026
- 6:10 pm
Breaking News : ગુજરાત સરકારનો ખેડૂતો માટે મહત્વનો નિર્ણય, ‘સનેડો’ની ખરીદી માટેની સહાયમાં કરાયો વધારો
ગુજરાતમાં ખેડૂતોની માંગણીને ધ્યાને લઈને રાજ્ય સરકારે મોટો નિર્ણય કર્યો છે. ખેડૂતો માટે ઉપયોગી ‘સનેડો’ કૃષિ સાધનની ખરીદીમાં કરવામાં આવતી સરકારી સહાયમાં વધારો કરવામાં આવ્યો છે. આ વધારો હાલમાં મળતી આર્થિક સહાયમાં રૂપિયા 35 થી 45 હજારનો વધારો કરવામાં આવ્યો છે.
- TV9 Gujarati
- Updated on: May 19, 2026
- 6:01 pm
PM નરેન્દ્ર મોદીની અપીલને પગલે, ગુજરાત સરકારે પણ જાહેર કર્યા કરકસરના પગલાં, જુઓ Video
કેબિનેટની બેઠકમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણયો અંગેની જાણકારી આપતા, સરકારના પ્રવકત્તા પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે હવે શક્ય તેટલી બેઠકો વીડિયો કોલના માધ્યમથી યોજવામાં આવશે અને વિદેશ પ્રવાસોને ટાળવામાં આવશે. ઉપરાંત, અન્ય રાજ્યો તેમજ કેન્દ્ર સરકાર દ્વારા યોજાતી બેઠકોમાં પણ ઓનલાઈન માધ્યમને પ્રાથમિકતા આપવાનો નિર્ણય લેવાયો છે.
- TV9 Gujarati
- Updated on: May 15, 2026
- 5:24 pm
ભૂપેન્દ્ર પટેલની સરકારના એક નિર્ણયથી ગુજરાતની જનતા પર 60,00,00,00,000નો બોજો આવશેઃ શક્તિસિંહ ગોહીલ
જો ખાનગી કંપનીને માંગ્યા મુજબનો બેઝ રેટ આપવામાં આવશે તો તેની સીધી અસર વીજળીના ખર્ચ પર પડશે અને આખરે તેનો બોજ સામાન્ય લોકો પર આવશે. ગોહિલના જણાવ્યા મુજબ, સરકાર આ મામલે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજના અભિપ્રાયના આધારે નિર્ણય લેવાની તૈયારીમાં છે.
- TV9 Gujarati
- Updated on: May 15, 2026
- 3:36 pm
બિલાડી કુળની સાત પ્રજાતિમાંથી પાંચ પ્રજાતિ ભારતમાં, 1 જૂને દિલ્હીમાં યોજાશે આંતરરાષ્ટ્રીય બિગ કેટ અલાયન્સ શિખર સંમેલન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આગામી તા.1 અને 2 જૂનના દિવસોએ નવી દિલ્હીમાં ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સની પ્રથમ સમિટ યોજાશે. આ સમિટની પ્રિ-ઈવેન્ટ દેશના વિવિધ રાજ્યોમાં અલગ-અલગ થીમ સાથે યોજાવવાની છે. તદઅનુસાર, સાસણગીરમાં સિંહ, ભોપાલમાં ચિતા, ભુવનેશ્વરમાં દીપડા, ગેંગટોકમાં સ્નો લેપર્ડ અને મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં વાઘ સરક્ષણ અંગેની ઈવેન્ટ યોજાશે. સૌરાષ્ટ્ર ગુજરાતની જનતાના સન્માનનું પ્રતિક બનેલા સિંહ અને તેના સંરક્ષણના મોડલને સમગ્ર વિશ્વ સમક્ષ રજૂ કરવામાં આવશે.
- TV9 Gujarati
- Updated on: May 14, 2026
- 7:01 pm
Breaking News : વન વિભાગની મિલીભગત કે રાજકીય ખેલ ? 51 સિંહોના કોરિડોરમાં માઇનિંગની મંજૂરી આપનાર તત્વો સામે આંદોલનનું રણશિંગું ! જુઓ Video
અમરેલીના જાફરાબાદ કોસ્ટલ બેલ્ટમાં બાબકોટ નજીક 75 હેક્ટર રિઝર્વ ફોરેસ્ટ જમીન ખાનગી કંપનીને માઇનિંગ માટે આપવાની સંભાવનાથી સિંહોના નિવાસસ્થાન પર સંકટ ઊભું થયું છે. આ વિસ્તાર 40-51 સિંહોનું ઘર અને મહત્વનો કોરિડોર છે. સ્થાનિક વન અધિકારીઓ દ્વારા સકારાત્મક અભિપ્રાયની ચર્ચા વચ્ચે વન પ્રધાને મંજૂરી ન આપવાની સ્પષ્ટતા કરી છે. સિંહ પ્રેમીઓ દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
- Hasmukh Ramani
- Updated on: May 10, 2026
- 10:49 am