ભૂપેન્દ્ર પટેલ
ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના 17મા મુખ્યમંત્રી છે. તેઓ ભારતીય જનતા પક્ષના નેતા છે અને ઘાટલોડિયા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતી ગુજરાત વિધાનસભાની બેઠકના ધારાસભ્ય છે. તેઓ આ બેઠક પરથી સતત બીજીવાર જંગી બહુમતીથી જીત્યા છે. ભૂપેન્દ્ર પટેલ સપ્ટેમ્બર 2021થી ગુજરાત રાજ્યના સત્તરમા મુખ્યમંત્રી તરીકે છે.
15 જુલાઇ 1962ના રોજ જન્મેલા ભૂપેન્દ્ર પટેલે સિવિલ એન્જિનિયરમાં ડિપ્લોમાનો અભ્યાસ કર્યો છે. ભૂપેન્દ્ર પટેલ પોતાના મત વિસ્તારમાં ‘દાદા’ના હુલામણા નામથી ઓળખાય છે. આ સાથે જ સરદાર ધામ અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટી પણ છે. ભૂપેન્દ્ર પટેલ 1995-96માં મેમનગર નગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચુક્યા છે. 1999-2000, 2004-06માં અમદાવાદ સ્કુલ બોર્ડના ચેરમેન રહી ચુક્યા છે. 2008-10માં થલતેજ વોર્ડના કાઉન્સિલર હતા અને 2010-15માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)માં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચુક્યા છે. તેમજ તેઓ અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ (AUDA)માં 2015-17માં ચેરમેન રહી ચુક્યા છે.
2017માં ગાંધીનગર સંસદીયક્ષેત્રમાં આવતી ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી પહેલીવાર ચૂંટણી લડીને વિધાનસભાના સભ્ય બન્યા. તેઓ તેમની પહેલી જ વિધાનસભા ચૂંટણીમાં 1,17,750 મતની જંગી સરસાઈથી જીત્યા હતા.
Breaking News : વન વિભાગની મિલીભગત કે રાજકીય ખેલ ? 51 સિંહોના કોરિડોરમાં માઇનિંગની મંજૂરી આપનાર તત્વો સામે આંદોલનનું રણશિંગું ! જુઓ Video
અમરેલીના જાફરાબાદ કોસ્ટલ બેલ્ટમાં બાબકોટ નજીક 75 હેક્ટર રિઝર્વ ફોરેસ્ટ જમીન ખાનગી કંપનીને માઇનિંગ માટે આપવાની સંભાવનાથી સિંહોના નિવાસસ્થાન પર સંકટ ઊભું થયું છે. આ વિસ્તાર 40-51 સિંહોનું ઘર અને મહત્વનો કોરિડોર છે. સ્થાનિક વન અધિકારીઓ દ્વારા સકારાત્મક અભિપ્રાયની ચર્ચા વચ્ચે વન પ્રધાને મંજૂરી ન આપવાની સ્પષ્ટતા કરી છે. સિંહ પ્રેમીઓ દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
- Hasmukh Ramani
- Updated on: May 10, 2026
- 10:49 am
‘GIFT સિટી’ બનશે ‘એવિએશન હબ’! ગુજરાતમાં જ થશે વિમાનોનું ખરીદ-વેચાણ અને લિઝિંગ – જુઓ Video
ગુજરાતના ગાંધીનગર સ્થિત GIFT સિટી ખાતે ભારતને એવિએશન સેક્ટરમાં આત્મનિર્ભર બનાવવા માટે એક ખાસ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમિટનો મુખ્ય હેતુ દેશમાં જ વિમાનોના ખરીદ-વેચાણ, ફાઇનાન્સિંગ અને લિઝિંગ માટેની મજબૂત સિસ્ટમ તૈયાર કરવાનો છે.
- TV9 Gujarati
- Updated on: May 8, 2026
- 2:48 pm
Breaking News: ખેડામાં હલકી ગુણવત્તા વાળી કેનાલ પર ચાલ્યુ દાદાનું બુલડોઝર, ધારાસભ્યની રજૂઆતના 24 કલાકમાં જ લેવાયું એક્શન, જુઓ-Video
ખેડાના વાંઠવાળી પાસે બની રહેલી માઇનોર કેનાલમાં હલકી ગુણવત્તાનું મટીરિયલ વપરાતા, ભાજપના સ્થાનિક ધારાસભ્ય અને પૂર્વ પ્રધાન અર્જુનસિંહ ચૌહાણે આકસ્મિક નિરીક્ષણ કર્યું હતુ. આ દરમિયાન કામગીરીમાં હલકી ગુણવત્તા વાળો માલ વપરાતો હોવાનું જાણ થતા, તેમણે CMને રજૂઆત કરી હતી. જે બાદ કેનાલનું ડિમોલિશન કરવામાં આવ્યું છે.
- Devankashi rana
- Updated on: May 8, 2026
- 11:51 am
ગુજરાતમાં ઠેર ઠેર બંગાળની જીતની અનોખી ઉજવણી, CM અને DyCM સહિતના લોકોએ ખાધી ‘ઝાલમૂડી’
પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત બાદ ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલે ઝાલમૂડી આરોગી ઉત્સાહ વધાર્યો. આ માત્ર ઉજવણી નહોતી, પરંતુ સ્થાનિક સંસ્કૃતિ સાથે જોડાઈને મતદારો સાથે આત્મીયતા કેળવવાની એક રાજકીય વ્યૂહરચના હતી.
- Sagar Solanki
- Updated on: May 4, 2026
- 6:59 pm
Breaking News: અમદાવાદમાં CM ભૂપેન્દ્ર પટેલે કર્યું મતદાન, લોકોને મતદાન કરવા કરી અપીલ, જુઓ-Video
મતદાન કર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે લોકશાહીનો આ પવિત્ર ઉત્સવ દરેક નાગરિકે ઉજવવો જોઈએ. તેમણે મતદાનને અમૂલ્ય અવસર ગણાવ્યો અને કહ્યું કે ગરમી હોય કે રજાનો દિવસ કે પછી લગ્નગાળો, દરેકે પોતાના મતનો ઉપયોગ કરવો જરૂરી છે.
- Devankashi rana
- Updated on: Apr 26, 2026
- 10:59 am
Breaking News : પ્રચારનો અંતિમ દિવસ, અંતિમ ઘડીએ CM ભૂપેન્દ્રનો 48 વોર્ડમાં ઝંઝાવાતી પ્રચાર, જુઓ Video
અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે ભાજપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં 48 વોર્ડમાં બાઇક રેલી અને રોડશો યોજી જોર લગાવ્યું. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ સઘન પ્રચાર કરી રહી છે. હવાલા કાંડ અને નેતાઓના વિવાદાસ્પદ નિવેદનો ચર્ચામાં રહ્યા. આજે સાંજે 5 વાગ્યે પ્રચારનો અંત આવશે.
- Hasmukh Ramani
- Updated on: Apr 24, 2026
- 11:55 am
Breaking News : જીતશો તો ઇતિહાસ બનાવશો, હારશો તો ઇતિહાસ બની જશો : અજીત ડોભાલ
રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીના પાંચમા દીક્ષાંત સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે અજીત ડોભાલને પીએચ.ડી.ની પદવી એનાયત કરાઈ. ડોભાલે રાષ્ટ્રીય સુરક્ષાને સમગ્ર દેશની સામૂહિક જવાબદારી ગણાવી. રાષ્ટ્રપતિએ સાયબર અપરાધો સામે લડવા સક્ષમ પોલીસ અધિકારીઓ અને ફોરેન્સિક નિષ્ણાતોની જરૂરિયાત પર ભાર મૂક્યો.
- Hasmukh Ramani
- Updated on: Apr 15, 2026
- 10:37 am
અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, એકતાનગરમાં યોજાનારી CWG-2030ના સ્થળોના નિરિક્ષણ માટે કોમનવેલ્થ સ્પોર્ટ ટિમ ગુજરાતની મુલાકાતે
આગામી 2030માં અમદાવાદ ગુજરાતમાં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સ માટે ચાલી રહેલ તૈયારીઓ અને ભાવી આયોજનની ચકાસણી માટે, કોમનવેલ્થ સ્પોર્ટ ટિમ ગુજરાતની મુલાકાતે આવી છે. આ ટીમ, આગામી 11 એપ્રિલ સુધી ગુજરામાં કોમનવેલ્થ ગેમ્સ જ્યા જ્યાં યોજાવાની છે ત્યાં જઈને પૂર્વ તૈયારીઓ અને ભાવી આયોજન અંગે જાણકારી મેળવશે તેમજ અભ્યાસ કરશે. જરૂર પડ્યે કેટલાક ફેરફાર માટે સુચનો પણ કરશે.
- TV9 Gujarati
- Updated on: Apr 8, 2026
- 1:40 pm
Breaking News : ખડગેના ગુજરાત વિરોધી નિવેદન પર.. CM ભૂપેન્દ્ર પટેલ અને DyCM હર્ષ સંઘવીએ કોંગ્રેસને ઘેરી, જુઓ Video
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ગુજરાત વિરોધી નિવેદનોની સખત નિંદા કરી. તેમણે કોંગ્રેસ પર વર્ષોથી ગુજરાત અને ગુજરાતીઓ પ્રત્યે નકારાત્મક માનસિકતા રાખવાનો આરોપ લગાવ્યો.
- TV9 Gujarati
- Updated on: Apr 6, 2026
- 4:46 pm
Breaking News: ગુજરાતીઓને ‘અભણ’ કહેવાના ખડગેના નિવેદન પર રાજકારણ ગરમાયું, CM અને ડેપ્યુટી CMએ આપી પ્રતિક્રિયા
કોંગ્રેસ અધ્યક્ષના વિવાદિત નિવેદન બાદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે આ માત્ર 6 કરોડ ગુજરાતીઓનું નહીં પણ મહાત્મા ગાંધી અને સરદાર પટેલનું પણ અપમાન છે. ગુજરાતે હંમેશા રાષ્ટ્ર નિર્માણ માટે અગત્યની ભૂમિકા ભજવી ત્યારે તેમના માટે વપરાયેલ શબ્દો અપમાન જનક છે.
- Devankashi rana
- Updated on: Apr 6, 2026
- 12:02 pm
Breaking News : ગુજરાતમાં AAPની લોકપ્રિયતાથી BJP ડરી, AAPના કાર્યકરો-હોદેદારોને જેલોમાં પૂરીને, ગુજરાત સરકાર જેલભરો આંદોલન ચલાવે છે
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને રૂબરૂ મળવા માટે સમય ફાળવવા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પત્ર લખ્યો છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની વધતી લોકપ્રિયતાને ડામવા માટે ગુજરાત સરકાર એક પછી એક કાર્યકરો અને હોદ્દેદારોને જેલમાં ધકેલી રહી છે. એવુ લાગે છે કે, આમ આદમી પાર્ટીના કાર્યકરોને વિવિધ જેલમાં ધકેલી દઈને, ભાજપ સરકાર જેલભરો આંદોલન ચલાવી રહી છે.
- TV9 Gujarati
- Updated on: Apr 2, 2026
- 6:59 pm
Breaking News: સરકારનો મોટો નિર્ણય….ખેડૂતોને રાહત, કોન્ટ્રાક્ટરોને આફત ! જમીન અને રસ્તાઓ મામલે મુખ્યમંત્રીનો ઐતિહાસિક નિર્ણય
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે રાજ્યના વિકાસ અને ખેડૂતોની સુવિધા માટે બે અત્યંત મહત્વના નિર્ણયો લીધા છે. એક તરફ, જમીન વેચવાના કાયદામાં મોટો ફેરફાર કરીને હવે 10 ગુંઠા જેવી નાની જમીન ધરાવતા ખેડૂતો માટે પણ ખરીદ-વેચાણના દ્વાર ખોલી દીધા છે, જેનાથી હજારો લોકોને સીધો ફાયદો થશે.
- Ravi Prajapati
- Updated on: Apr 1, 2026
- 8:31 pm
અમદાવાદને મળ્યો વધુ એક ઓવરબ્રિજ, CM ભૂપેન્દ્ર પટેલે કર્યુ લોકાર્પણ, ટ્રાફિક જામની સમસ્યાથી મળશે મુક્તિ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા સતાધાર જંક્શન પર નવા બનેલ ફોર લેન ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું હતું.
- TV9 Gujarati
- Updated on: Mar 29, 2026
- 12:18 pm
શું યુદ્ધને કારણે ગુજરાતમાં સર્જાશે ઈંધણની અછત ? જાણો CM અને હર્ષ સંઘવીની બેઠકમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણયો વિશે જે તમારી ચિંતા કરી દેશે દૂર!
વૈશ્વિક યુદ્ધની સ્થિતિ વચ્ચે ગુજરાતમાં જીવનજરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો જાળવી રાખવા Dy.Cm અને CM એ ગાંધીનગરમાં હાઈ-લેવલ બેઠક યોજી હતી. રાજ્યમાં PNG કનેક્શન આપવાની કામગીરી યુદ્ધના ધોરણે તેજ કરવામાં આવી છે અને ખાતર તેમજ અનાજનો પૂરતો સ્ટોક હોવાની ખાતરી આપવામાં આવી છે.
- TV9 Gujarati
- Updated on: Mar 28, 2026
- 4:39 pm
Breaking News : સાડા સાત કલાકની ચર્ચા બાદ વિધાનસભા ગૃહમાં UCC બિલ બહુમતીથી પસાર, કોંગ્રેસનો વોકઆઉટ
ગુજરાત વિધાનસભામાં લગભગ 7.30 કલાકની ચર્ચા બાદ UCC બિલ પસાર થયું. પક્ષ-વિપક્ષે મુદ્દા રજૂ કર્યા બાદ મુખ્યમંત્રીએ સર્વસંમતિથી આગળ વધવાની અપીલ કરી. અને ગૃહમાં બીલ પસાર થયું.
- Kinjal Mishra
- Updated on: Mar 24, 2026
- 11:11 pm