AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભૂપેન્દ્ર પટેલ

ભૂપેન્દ્ર પટેલ

ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના 17મા મુખ્યમંત્રી છે. તેઓ ભારતીય જનતા પક્ષના નેતા છે અને ઘાટલોડિયા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતી ગુજરાત વિધાનસભાની બેઠકના ધારાસભ્ય છે. તેઓ આ બેઠક પરથી સતત બીજીવાર જંગી બહુમતીથી જીત્યા છે. ભૂપેન્દ્ર પટેલ સપ્ટેમ્બર 2021થી ગુજરાત રાજ્યના સત્તરમા મુખ્યમંત્રી તરીકે છે.

15 જુલાઇ 1962ના રોજ જન્મેલા ભૂપેન્દ્ર પટેલે સિવિલ એન્જિનિયરમાં ડિપ્લોમાનો અભ્યાસ કર્યો છે. ભૂપેન્દ્ર પટેલ પોતાના મત વિસ્તારમાં ‘દાદા’ના હુલામણા નામથી ઓળખાય છે. આ સાથે જ સરદાર ધામ અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટી પણ છે. ભૂપેન્દ્ર પટેલ 1995-96માં મેમનગર નગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચુક્યા છે. 1999-2000, 2004-06માં અમદાવાદ સ્કુલ બોર્ડના ચેરમેન રહી ચુક્યા છે. 2008-10માં થલતેજ વોર્ડના કાઉન્સિલર હતા અને 2010-15માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)માં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચુક્યા છે. તેમજ તેઓ અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ (AUDA)માં 2015-17માં ચેરમેન રહી ચુક્યા છે.

2017માં ગાંધીનગર સંસદીયક્ષેત્રમાં આવતી ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી પહેલીવાર ચૂંટણી લડીને વિધાનસભાના સભ્ય બન્યા. તેઓ તેમની પહેલી જ વિધાનસભા ચૂંટણીમાં 1,17,750 મતની જંગી સરસાઈથી જીત્યા હતા.

Read More
Follow On:

CM ભૂપેન્દ્ર પટેલ, કહ્યું- ટેક્સટાઈલ, કેમિકલ, સેમિકન્ડક્ટર, ડેડીકેટેડ ફ્રેઇટ કોરિડોર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે બજેટમાં જાહેરાતથી ગુજરાતને થશે ફાયદો

કેન્દ્રીય અંદાજપત્રમાં ટેક્સટાઇલ સેક્ટરને વધુ ઉત્તેજન આપવા જાહેર કરવામાં આવેલી 6 જેટલી યોજનાઓનો લાભ ગુજરાતના ટેક્સટાઇલ સેક્ટરને મળશે. ત્રણ કેમિકલ પાર્ક્સની જાહેરાત તથા બાયોફાર્મા ઇન્ડસ્ટ્રીઝ માટે 10 હજાર કરોડની જે જાહેરાત થઈ છે તેનો પણ લાભ ગુજરાતના આ ક્ષેત્રના ઉદ્યોગોને મળશે.

2017 પદ્માવત ફિલ્મ મુદ્દે રાજપૂત યુવાનો પર થયેલા પોલીસ કેસો પરત, રાજપૂત સમાજે સરકારનો આભાર માન્યો

પદ્માવત ફિલ્મ વખતે ક્ષત્રિય સમાજ પર થયેલા કેસો પરત ખેંચાયા. ઉત્તર ગુજરાતની 50 કરતા વધુ સામાજિક સંસ્થાઓએ કરી હતી રજૂઆત. પદ્માવત ફિલ્મમાં ક્ષત્રિયોનાં ચિત્રણ સામે થયો હતો ઉગ્ર વિરોધ. ગુજરાતના ક્ષત્રિય સમાજે પણ કર્યું હતું ઉગ્ર વિરોધ પ્રદર્શન. જેમાં ક્ષત્રિય સમાજના યુવાઓ ઉપર અનેક કેસ થયા હતા.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગીર સફારીમાં સિંહ દર્શન કર્યા, કહ્યું-જંગલ સફારીનો અનુભવ અવિસ્મરણીય,જુઓ ફોટો

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ હાલ સાસણ ગીરની મુલાકાતે છે.અને તેમનો એક અલગ જ અંદાજ સામે આવ્યો છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સોશિયલ મીડિયા પર કેટલાક ફોટો પોસ્ટ કર્યા છે.

ભારતીય સૈન્ય- સુરક્ષા દળ દ્વારા ઉપયોગમાં લેવાતા શસ્ત્રોનુ પ્રદર્શન નિહાળતા સીએમ ભૂપેન્દ્ર પટેલ

શસ્ત્ર પ્રદર્શન મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહીત અન્ય મહાનુભાવોએ નિહાળ્યું હતું. શસ્ત્ર પ્રદર્શન નિહાળતા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે, ભારતીય સૈન્ય અને વિવિધ સુરક્ષા દળોમાં ઉપયોગમાં લેવાતા આધુનિક શસ્ત્રોની વિગતવાર માહિતી મેળવી હતી.

Breaking News : વાવ-થરાદમાં રાજ્યકક્ષાના 77મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ધ્વજ વંદન, જુઓ Video

વાવ-થરાદ ખાતે દેશના 77મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી ભવ્ય અને ગૌરવભેર રીતે યોજાઈ. મલુપુર હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. ધ્વજારોહણ સાથે જ રાષ્ટ્રગાનની ગુંજ સાથે સમગ્ર મેદાન દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું.

સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલની બદલી

ગુજરાત સરકારે આજે 22મી જાન્યુઆરીના રોજ બે સનદી અધિકારીઓની બદલી કરી છે. જેમાં ધ્યાન ખેંચે તેવી એક બદલી સુરતના મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલની છે. સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલને સુરતથી ગાંધીનગર બોલાવાયા છે. શાલિની અગ્રવાલને, ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ  (GUVNL) ના MD બનાવાયા છે. 

ગુજરાતના જિલ્લા કલેક્ટરોને ફિલ્ડ વિઝીટ કરી સરકારી યોજનાનુ મોનીટરીંગ કરવા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની તાકીદ

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગુજરાતભરના જિલ્લા કલેકટરોની કોન્ફરન્સ યોજાઈ હતી. આ કોન્ફરન્સમાં, જિલ્લા કલેકટરોને ફિલ્ડમાં વિઝીટ કરીને સરકારી યોજનાનું મોનિટરિંગ કરવા તાકીદ કરી હતી. આ ઉપરાંત જિલ્લા સ્તરે જમીનના પ્રશ્નો ઉકલી જાય તે માટે સરકારે તાલુકા કક્ષાએ ઇન્સ્પેક્ટર ઓફ લેન્ડ રિફોર્મ્સની જગ્યાઓ મંજૂર કરી છે. આ દિશામાં કલેકટરો ખાસ ધ્યાન આપે તેવી પણ તાકીદ કરી હતી.

CM ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના દરિયાપુર વાડીગામમાં ઉત્તરાયણ મનાવીને તાજી કરી જૂની યાદો

ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે, આજે સવારે ગાંધીનગર ખાતે અને બપોરના સમયે અમદાવાદમાં પતંગ ચગાવીને ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી. અમદાવાદમાં દરિયાપુર વાડીગામ ખાતે મૂળજી પારેખની પોળના એક મકાનના ધાબા પરથી પતંગ ચગાવ્યો હતો.

ગુજરાતની ધરતી પરથી ભારતની સ્વાસ્થ્ય સુરક્ષા અને બાયો સેફ્ટી ક્ષેત્રના વિકાસના નવા યુગની શરૂઆત: અમિત શાહ

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે, આજે ગાંધીનગર ખાતે, રૂપિયા 362 કરોડના ખર્ચે બનનાર અદ્યતન બાયો-કન્ટેઈનમેન્ટ ફેસિલિટી “બાયો સેફ્ટી લેવલ-4” લેબનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે અમિત શાહે કહ્યું કે, આ લેબ જીવલેણ વાયરસ સામે લડવા માટે ભારતનું અભેદ સુરક્ષા કવચ અને જૈવ સુવિધાનો મજબૂત કિલ્લો પૂરવાર થશે.

ગુજરાતનો ગ્રીનકવર વિસ્તાર વધારવા મહત્વનો નિર્ણય, રાજ્યની તમામ 185 નદીના કાંઠા વિસ્તારોમાં વનવિભાગ વૃક્ષારોપણ કરશે

ગુજરાતનની નદીકાંઠાને વૃક્ષાચ્છાદિત કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આમ કરીને ગુજરાતના ગ્રીન કવરમાં વધારો પણ થશે. વર્ષ 2023માં કેન્દ્ર સરકારે જાહેર કરેલા ઇન્ડીયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ મુજબ, ગુજરાતમાં વન અને વૃક્ષ કવર રાજ્યના કુલ ક્ષેત્રફળના 11.03 ટકા છે. ગુજરાતની નદીકાઠાના વિસ્તારમાં વૃક્ષોનુ મોટાપાયે વાવેતર કરીને વન અને વૃક્ષ કવર વિસ્તાર વધારવામાં આવશે.

સીએમ ભૂપેન્દ્ર પટેલ દિલ્હી દોડી ગયા, રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યુ !

ગુજરાતના મુખ્ય પ્રધાન અને ભાજપના અન્ય પદાધિકારીઓની વારંવારની દિલ્હી મુલાકાતને લઈને વિપક્ષે અનેકવાર, ભૂપેન્દ્ર પટેલ સરકાર પર શાબ્દિક હુમલા કર્યા છે કે, ગુજરાતની સરકાર ગાંઘીનગરથી નહીં પરંતુ દિલ્હી દરબાર ચલાવે છે. નાની નાની વાતોમાં પણ દિલ્હી દરબાર પાસે મંજૂરી લેવી પડે છે.

અમદાવાદમાં ફ્લાવર શૉની શરૂઆત, જાણો સમય અને ટિકિટની કિંમત, જુઓ Photos

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાબરમતી રિવરફ્રન્ટ પર 14મા ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026નો શુભારંભ કર્યો. 'ભારત એક ગાથા' થીમ પર આયોજિત આ શોમાં સરદાર પટેલનું વિશ્વનું સૌથી મોટું ફૂલ ચિત્ર, સ્ત્રી સશક્તિકરણ અને દિવાળીની કૃતિઓ મુખ્ય આકર્ષણ છે.

Breaking News :અમદાવાદમાં ભારત એક ગાથા થીમ પર વિશ્વનો સૌથી મોટો ફ્લાવર શો, જુઓ Video

અમદાવાદમાં ભારત એક ગાથા થીમ પર આંતરરાષ્ટ્રીય ફ્લાવર શોનો પ્રારંભ થયો છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે તેનું ઉદ્ઘાટન કર્યું. 22 જાન્યુઆરી સુધી ચાલનારા આ શોમાં હાઈ-સ્પીડ રેલ, સરદાર પટેલનું ફૂલ ચિત્ર, અંતરિક્ષ ટેકનોલોજી અને સાંસ્કૃતિક નૃત્ય જેવા અનેક આકર્ષણો છે. સોમ-શુક્ર ₹80, શનિ-રવિ ₹100 ટિકિટ રહેશે.

ગુજરાતની ધરતી પરથી અમિત શાહે રાહુલ ગાંધી પર સાધ્યુ નિશાન, કહ્યુ 2029માં પણ મોદી જ વડાપ્રધાન, તો IMA ના કાર્યક્રમમાં શાહે ડૉક્ટરોને કરી આ ખાસ ટકોર

અમદાવાદમાં IMAના રાષ્ટ્રીય અધિવેશન અને વિકાસ કાર્યોના લોકાર્પણ દરમિયાન ગૃહપ્રધાન અમિત શાહે આરોગ્ય ક્ષેત્ર, જનરિક દવા, આયુષ્યમાન ભારત યોજના અને વિપક્ષ પર કડક નિવેદનો આપ્યા.

અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનું ભવ્ય ઉદ્ધાટન, પહેલા જ દિવસે ઉમટી લાખોની જનમેદની, જુઓ-Photo

વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદની આગવી ઓળખ સમાન ઐતિહાસિક કાંકરિયા લેકફ્રન્ટ ખાતે ‘કાંકરિયા કાર્નિવલ-2025’ નો પ્રારંભ ગઈકાલથી થઈ ગયો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદીઓ અને પ્રવાસીઓ માટે કલા, મનોરંજન અને સંસ્કૃતિના અદભૂત સંગમ સાથે આ ઉત્સવની શરુઆત થઈ છે.

બજેટના બીજા જ દિવસે સસ્તા થયા સોના ચાંદી
બજેટના બીજા જ દિવસે સસ્તા થયા સોના ચાંદી
વડોદરામાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતી વધુ એક ઘટના સામે આવી..
વડોદરામાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતી વધુ એક ઘટના સામે આવી..
પીએમ મોદીએ કહ્યું, એક એવું બજેટ જે વર્તમાનના સપનાઓને પૂર્ણ કરે છે
પીએમ મોદીએ કહ્યું, એક એવું બજેટ જે વર્તમાનના સપનાઓને પૂર્ણ કરે છે
કેન્દ્રીય બજેટની 6 જેટલી યોજનાઓનો લાભ ગુજરાતના ટેક્સટાઇલ સેક્ટરને મળશે
કેન્દ્રીય બજેટની 6 જેટલી યોજનાઓનો લાભ ગુજરાતના ટેક્સટાઇલ સેક્ટરને મળશે
લખપતિ દીદી પછી હવે મહિલાઓ માટે નવી SHE Mart યોજના
લખપતિ દીદી પછી હવે મહિલાઓ માટે નવી SHE Mart યોજના
હવે કોળી સમાજ સામે થયેલા કેસ પરત લેવાની પૂર્વ MLAએ કરી માગ
હવે કોળી સમાજ સામે થયેલા કેસ પરત લેવાની પૂર્વ MLAએ કરી માગ
સાબરમતીની હોસ્પિટલમાં મહિલા દર્દીની છેડતી, આરોપી પોલીસ સકંજામાં
સાબરમતીની હોસ્પિટલમાં મહિલા દર્દીની છેડતી, આરોપી પોલીસ સકંજામાં
2017 પદ્માવત ફિલ્મ મુદ્દે રાજપૂત યુવાનો પર થયેલા પોલીસ કેસો પરત
2017 પદ્માવત ફિલ્મ મુદ્દે રાજપૂત યુવાનો પર થયેલા પોલીસ કેસો પરત
જ્વેલર્સમાં આનંદનો માહોલ- સોનામાં 12% અને ચાંદીમાં 26% ના કરેક્શન
જ્વેલર્સમાં આનંદનો માહોલ- સોનામાં 12% અને ચાંદીમાં 26% ના કરેક્શન
Vadodara : સિનિયર સીટીઝનોએ કર્યો ધારાસભ્યનો ઘેરાવો
Vadodara : સિનિયર સીટીઝનોએ કર્યો ધારાસભ્યનો ઘેરાવો
g clip-path="url(#clip0_868_265)">