AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભૂપેન્દ્ર પટેલ

ભૂપેન્દ્ર પટેલ

ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના 17મા મુખ્યમંત્રી છે. તેઓ ભારતીય જનતા પક્ષના નેતા છે અને ઘાટલોડિયા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતી ગુજરાત વિધાનસભાની બેઠકના ધારાસભ્ય છે. તેઓ આ બેઠક પરથી સતત બીજીવાર જંગી બહુમતીથી જીત્યા છે. ભૂપેન્દ્ર પટેલ સપ્ટેમ્બર 2021થી ગુજરાત રાજ્યના સત્તરમા મુખ્યમંત્રી તરીકે છે.

15 જુલાઇ 1962ના રોજ જન્મેલા ભૂપેન્દ્ર પટેલે સિવિલ એન્જિનિયરમાં ડિપ્લોમાનો અભ્યાસ કર્યો છે. ભૂપેન્દ્ર પટેલ પોતાના મત વિસ્તારમાં ‘દાદા’ના હુલામણા નામથી ઓળખાય છે. આ સાથે જ સરદાર ધામ અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટી પણ છે. ભૂપેન્દ્ર પટેલ 1995-96માં મેમનગર નગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચુક્યા છે. 1999-2000, 2004-06માં અમદાવાદ સ્કુલ બોર્ડના ચેરમેન રહી ચુક્યા છે. 2008-10માં થલતેજ વોર્ડના કાઉન્સિલર હતા અને 2010-15માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)માં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચુક્યા છે. તેમજ તેઓ અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ (AUDA)માં 2015-17માં ચેરમેન રહી ચુક્યા છે.

2017માં ગાંધીનગર સંસદીયક્ષેત્રમાં આવતી ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી પહેલીવાર ચૂંટણી લડીને વિધાનસભાના સભ્ય બન્યા. તેઓ તેમની પહેલી જ વિધાનસભા ચૂંટણીમાં 1,17,750 મતની જંગી સરસાઈથી જીત્યા હતા.

Read More
Follow On:

CM ભૂપેન્દ્ર પટેલે કચ્છના રણોત્સવનો કરાવ્યો પ્રારંભ, 179 કરોડના વિવિધ વિકાસકાર્યોનું કર્યું લોકાર્પણ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છ રણોત્સવ 2025નો સફેદ રણ ધોરડોથી પ્રારંભ કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું કે, રણોત્સવ હવે ગ્લોબલ ઈવેન્ટ બની ગયો છે અને સમાજ, સંસ્કૃતિ અને સમૃદ્ધિના સંગમથી વડાપ્રધાનની પ્રેરણાથી રચાયેલું ધોરડો મોડલ વિશ્વભરના તજજ્ઞો માટે કેસ સ્ટડી બન્યું છે.

ગુજરાતમાં નવા 10 હજારથી વધુ નંદઘર બનાવાશે, 9000 આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને નિમણૂક પત્ર એનાયત કરાયા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની આંગણવાડીઓમાં નવી નિમણૂક મેળવી રહેલી 9,000થી વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનિષાબેન વકીલની પ્રેરક ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે નિમણૂક પત્ર એનાયત કર્યા હતા. રાજ્યભરમાં આ નિમણૂક પત્ર વિતરણના ઝોન વાઈઝ યોજાયેલા કાર્યક્રમોમાં મંત્રીઓ અને પદાધિકારીઓએ નિમણૂક પત્ર એનાયત કર્યા હતા અને સૌએ ગાંધીનગરમાં યોજાયેલા રાજ્ય કક્ષાના કાર્યક્રમનું પ્રસારણ નિહાળ્યું હતું.

CM ભૂપેન્દ્ર પટેલે હાઈ ઇમ્પેક્ટ 27 પ્રોજેક્ટ્સની કરી સમીક્ષા, ગુણવત્તામાં બાંધછોડ વિના સમય મર્યાદામાં પૂરા કરવા અધિકારીઓને તાકિદ

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે, આજે ગાંધીનગરમાં ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં 27 હાઈ ઇમ્પેક્ટ પ્રોજેક્ટ્સની કામગીરીની સમીક્ષા કરી હતી. કુલ રૂ.11,360 કરોડના હાઈ ઇમ્પેક્ટ પ્રોજેક્ટ્સની કામગીરીની પ્રગતિ અંગે જાણકારી મેળવી હતી. જેમાં રેલવેના 4 પ્રોજેક્ટ્સ, ઉદ્યોગ અને ખાણ વિભાગના 6 અને શહેરી વિકાસ વિભાગના 15 પ્રોજેક્ટની પ્રગતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી.

ગ્રીન એનર્જી સેક્ટરમાં 6 લાખ નોકરીઓનું કરાશે સર્જન, ચિંતન શિબિરની પૂર્ણાહુતિ પ્રસંગે સરકારની જાહેરાત, તો CMએ અધિકારીઓને ફિલ્ડ વિઝિટ કરવા કરી ટકોર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજયના વરિષ્ઠ અધિકારીઓને આહવાન કર્યું છે કે, વિકસિત ગુજરાત 2047 માટે 'અર્નિંગ વેલ- લિવિંગ વેલ'ના બે પિલ્લર આધારિત વિકાસયાત્રાને વધુ ગતિ આપવા સૌ થીન્કિંગ-વેલ ડૂઇંગ વેલનો ભાવ જગાવે. CM એ અધિકારીઓને ફરજો અને વિભાગોની ઓનરશીપ સાથે સંપૂર્ણ સમર્પણ, જવાબદારી અને લોકહિતની પ્રતિબદ્ધતા સાથે નિભાવવાનું જણાવતાં ઉમેર્યું કે, આપણે જ્યાં હોઇએ ત્યાં આપણું શ્રેષ્ઠ કાર્યપ્રદાન આપીને રાજ્યના વિકાસમાં અને સામાન્ય માનવીના સુખ સુવિધાના કામોમાં કાર્યરત રહીએ ત્યારે જ આત્મસંતોષ મળે. 

કોઈ દેશ કરી શકે તો ભારત કેમ નહીં ? PM મોદીના આ જ વિશ્વાસથી આજે આપણે દરેક ક્ષેત્રમાં વિશ્વની સાથે સ્પર્ધા કરી રહ્યા છીએ : CM ભૂપેન્દ્ર પટેલ

ગુજરાત સરકારની ચિંતન શિબિરમાં, અમદાવાદને મળેલ કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાનીને વધાવી લેવામાં આવી હતી. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં રાજ્ય સરકારના તમામ પ્રધાનો, આઈએએસ અધિકારીઓની ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે 11મી ચિંતન શિબિર યોજાઈ રહી છે. આ શિબિરમાં ગુજરાતના વિકાસ માટે સામૂહિક ચિંતન કરવામાં આવે છે.

મધ્યમવર્ગની દીકરીના લગ્નને પ્રાથમિકતા આપીને CM ભૂપેન્દ્ર પટેલે જામનગરમાં બદલ્યુ કાર્યક્રમ સ્થળ

ગુજરાત સહીત સમગ્ર દેશમાં સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકે ઓળખ પામેલા ભૂપેન્દ્ર પટેલના એક નિર્ણયે જામનગરના મધ્યમવર્ગીય પરિવારના માથેથી ચિંતાના વાદળો દૂર થઈ ગયા. જાણો એ કિસ્સો

યુવા શક્તિનો ઉત્સવ: મુખ્યમંત્રીના હસ્તે 4,473 યુવાઓને નિમણૂક પત્રો એનાયત – જુઓ Video

ગાંધીનગરમાં રાજ્યસ્તરીય કાર્યક્રમ યોજાયો; યુવાનોનો વિકાસ... દેશનો વિકાસ...મુખ્યમંત્રીશ્રીની હાજરીમાં 4,473 યુવાઓને સરકારી ક્ષેત્રમાં સેવા કરવા માટે નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

પીએમ મોદીએ કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપતો કર્યો રિલીઝ, ગુજરાતના 49 લાખથી વઘુ ખેડૂતોને રૂપિયા 986 કરોડ મળશે

દેશભરના 9 કરોડથી વધુ ખેડૂતોને, પી.એમ. કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તમિલનાડુના કોઈમ્બતુરથી રિલીઝ કર્યો છે. જેમાં ગુજરાતના 49.31 લાખથી વધુ ખેડૂતોને પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 986 કરોડ રૂપિયા ડી.બી.ટી.થી મળશે.

Gandhinagar : આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક, ટેકાના ભાવે પાકની ખરીદી અને કૃષિ રાહત પેકેજની કરાશે સમીક્ષા

ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે.કેબિનેટ બેઠકમાં આજે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.આજે કેબિનેટ બેઠકમાં રાજ્યની વર્તમાન પરિસ્થિતિઓ પર ચર્ચા કરવામાં આવશે.

આવતીકાલ 14 નવેમ્બરથી ખેડૂતો 10,000 કરોડના કૃષિ રાહત પેકેજનો લાભ લેવા ઓનલાઈન અરજી કરી શકશે

ગુજરાત સરકારે ગત મહિને જાહેર કરેલ કૃષિ રાહત પેકેજનો લાભ લેવા ઈચ્છતા ખેડૂતો માટે રાજ્ય સરકારે આવતીકાલ 14મી નવેમ્બરથી 15 દિવસ માટે ઓનલાઈન પોર્ટલ શરૂ કરશે. આ પોર્ટલ ઉપર અસરગ્રસ્ત વિસ્તારના ખેડૂતો તેમના ખેતરમાં માવઠાથી થયેલા નુકસાન અંગેનું વળતર મેળવવા માટે અરજી કરી શકશે.

Womens World Cup 2025: વર્લ્ડ કપ વિજેતા વડોદરાની રાધા યાદવનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું સન્માન

મહિલા વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનેલી ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઓલરાઉન્ડર વડોદરાની રાધા યાદવે તાજેતરમાં ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ રાધા યાદવને સાલ ઓઢાડી સન્માનિત કર્યા અને ટીમના ઉત્તમ પ્રદર્શન બદલ અભિનંદન આપી ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી.

10,000 કરોડનું રાહત પેકેજ, બે હેકટરની મર્યાદામાં હેક્ટર દીઠ રૂ. 22,000 સહાય અપાશે, 251 તાલુકાના 16,500થી વધુ ગામોના ખેડૂતોને મળશે લાભ

ગુજરાત સરકારે ઓક્ટોબર મહિનામાં પડેલા ભારે વરસાદથી રાજ્યના હજ્જારો ખેડૂતોને પારાવાર નુકસાન થયું હતું. રાજ્યભરમાં મગફળી, કપાસ, ડાંગર સહિતના ખરીફ પાક અને બાગાયત ક્ષેત્રે થયેલા ભારે નુકસાનને ધ્યાને લઈને ગુજરાત સરકારે ખેડૂતો માટે રૂપિયા 10,000 કરોડનુ રાહત પેકેજ જાહેર કર્યું છે. જેનો લાભ 33 જિલ્લાના 251 તાલુકાના 16,500થી વઘુ ગામના ખેડૂતોને મળશે.

Breaking News : માવઠાએ ખૂવાર કરેલા ખેડૂતો માટે રાહતના સમાચાર, ભૂપેન્દ્ર પટેલ સરકારે જાહેર કર્યું 10,000 કરોડનુ રાહત પેકેજ – જુઓ Video

રાજ્ય સરકારે માવઠા અને પ્રાકૃતિક વિપત્તિના કારણે થયેલ પાક નુકસાનને ધ્યાનમાં રાખી ખેડૂતો માટે એક મોટું સહાય પેકેજ જાહેર કર્યું છે. વાત એમ છે કે, રાજ્યના ખેડૂતોને તાજેતરના કામોસમી વરસાદથી થયેલા પાક નુકસાન સામે અનુસંધાને 22 હજાર રૂપિયા પ્રતિ હેક્ટર, હેક્ટર દીઠ બે હેક્ટરની મર્યાદામાં સહાય રાજ્ય સરકાર આપશે.

ગુજરાત સરકાર 9 નવેમ્બરથી ટેકાના ભાવે મગફળી, સોયાબીન, મગ, અડદ ખરીદશે

ગુજરાત સરકારના પ્રવકત્તા પ્રધાન અને કૃષિ પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા ટેકાના ભાવે જે ખરીદી કરવામાં આવશે તે, ભારત સરકારના ધારાધોરણ છે તે મુજબની ખરીદી કરવામાં આવશે. ગત વર્ષે કરતાં આવર્ષે 480 પ્રતિ ક્વિન્ટલ ભાવ વધારો કરવામાં આવ્યો છે. અડદમાં 400 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે.

CM ભૂપેન્દ્ર પટેલે માવઠાગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ કહ્યું- રાહત પેકેજ જાહેર કરીને ખેડૂતને નુકસાનીમાંથી ઝડપભેર બેઠા કરાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે, માવઠાગ્રસ્ત વિસ્તારના ધરતી પુત્રોને સધિયારો આપતા કહ્યું કે, સમગ્ર સરકાર તેમની સાથે પુરી સંવેદનાથી ઉભી છે અને ખેડૂતોને નુકસાનીમાંથી ઝડપભેર પૂર્વવત કરવાની પ્રતિબદ્ધતા સાથે કાર્યરત છે.

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">