ભૂપેન્દ્ર પટેલ
ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના 17મા મુખ્યમંત્રી છે. તેઓ ભારતીય જનતા પક્ષના નેતા છે અને ઘાટલોડિયા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતી ગુજરાત વિધાનસભાની બેઠકના ધારાસભ્ય છે. તેઓ આ બેઠક પરથી સતત બીજીવાર જંગી બહુમતીથી જીત્યા છે. ભૂપેન્દ્ર પટેલ સપ્ટેમ્બર 2021થી ગુજરાત રાજ્યના સત્તરમા મુખ્યમંત્રી તરીકે છે.
15 જુલાઇ 1962ના રોજ જન્મેલા ભૂપેન્દ્ર પટેલે સિવિલ એન્જિનિયરમાં ડિપ્લોમાનો અભ્યાસ કર્યો છે. ભૂપેન્દ્ર પટેલ પોતાના મત વિસ્તારમાં ‘દાદા’ના હુલામણા નામથી ઓળખાય છે. આ સાથે જ સરદાર ધામ અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટી પણ છે. ભૂપેન્દ્ર પટેલ 1995-96માં મેમનગર નગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચુક્યા છે. 1999-2000, 2004-06માં અમદાવાદ સ્કુલ બોર્ડના ચેરમેન રહી ચુક્યા છે. 2008-10માં થલતેજ વોર્ડના કાઉન્સિલર હતા અને 2010-15માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)માં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચુક્યા છે. તેમજ તેઓ અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ (AUDA)માં 2015-17માં ચેરમેન રહી ચુક્યા છે.
2017માં ગાંધીનગર સંસદીયક્ષેત્રમાં આવતી ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી પહેલીવાર ચૂંટણી લડીને વિધાનસભાના સભ્ય બન્યા. તેઓ તેમની પહેલી જ વિધાનસભા ચૂંટણીમાં 1,17,750 મતની જંગી સરસાઈથી જીત્યા હતા.
Read Moreઅમેરિકામાં વસતા ગુજરાતીઓને CM ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં રોકાણ કરવા આપ્યું આમંત્રણ, જુઓ Video
અમેરિકાના ન્યુ જર્સી ખાતે કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ રાજ્યના નાણાકીય સશક્તિકરણ અને 2047ના વિકસિત ગુજરાતના રોડમેપ પર ભાર મૂક્યો, જેમાં ડાયસ્પોરાનો સહયોગ આવકાર્યો. અને અમેરિકામાં વસતા ગુજરાતીઓને ખાસ અપીલ કરી.
- Sagar Solanki
- Updated on: Aug 22, 2026
- 9:16 pm
Breaking News : અમેરિકામાં ગુંજયું ગુજરાતની Gift City નું નામ, CM ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું સાંભળો
ન્યુ જર્સીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતી ડાયસ્પોરાને સંબોધી ગુજરાતની વિકાસયાત્રા વર્ણવી. તેમણે વાયબ્રન્ટ ગુજરાત, ગિફ્ટ સિટી જેવા દ્રષ્ટિવંત પ્રોજેક્ટ્સની ચર્ચા કરી.
- Sagar Solanki
- Updated on: Aug 22, 2026
- 9:05 pm
30 વર્ષ પછી ઐતિહાસિક પળ! CM ભૂપેન્દ્ર પટેલના સન્માનમાં ઉમટી પડશે ‘જનમેદની’, 1800 થી વધુ ગુજરાતીઓ બનશે સાક્ષી
ન્યૂ જર્સીના કાર્ટરેટમાં ગુજરાતી સમુદાય દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવશે. ગુજરાતના મુખ્યમંત્રી 30 વર્ષ બાદ યુએસની મુલાકાતે આવી રહ્યા છે. આયોજકોએ જણાવ્યું કે, આ કાર્યક્રમમાં 1800 થી 2000 લોકો જોડાશે. ઉમિયાધામ, આઈબીએ, એફઆઈએ સહિત અનેક સંસ્થાઓએ આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું છે.
- TV9 Gujarati
- Updated on: Aug 22, 2026
- 5:00 pm
Breaking News : અમેરિકામાં ગુજરાતના CM નો ડંકો, ભૂપેન્દ્ર પટેલના સન્માનમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન, જુઓ Video
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના સન્માનમાં ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત, ગ્લોબલ ન્યૂ જર્સી’ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. 22 ઑગસ્ટના રોજ કાર્ટરેટ પર્ફોર્મિંગ આર્ટ્સ સેન્ટરમાં આયોજિત આ મેગા ઇવેન્ટનું TV9 ગુજરાતી પર જીવંત પ્રસારણ થશે.
- Sagar Solanki
- Updated on: Aug 21, 2026
- 8:12 pm
CM ભૂપેન્દ્ર પટેલના US પ્રવાસનો પાંચમો દિવસ, ન્યૂયોર્કમાં CMની વન-ટુ-વન બેઠકોનો દૌર, જુઓ Video
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના યુએસ પ્રવાસનો પાંચમો દિવસ ગુજરાત માટે અત્યંત મહત્વપૂર્ણ રહ્યો. ન્યૂયોર્કમાં તેમણે Kyndryl, BlackRock અને Holtec International જેવી વૈશ્વિક કંપનીઓના અગ્રણીઓ સાથે વન-ટુ-વન બેઠકો યોજી.
- TV9 Gujarati
- Updated on: Aug 21, 2026
- 6:44 pm
અમેરિકાની ધરતી પર CM ભૂપેન્દ્ર પટેલનો કૂલ ‘લૂક’! વોશિંગ્ટનથી ન્યૂયોર્ક ટ્રેન સફરનો અનોખો અંદાજ વાયરલ
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ સંદર્ભે અમેરિકા અને કેનેડાના પ્રવાસે છે. મુખ્યમંત્રીએ આ દરમિયાન અમેરિકાના વોશિંગ્ટનથી ન્યૂયોર્ક સુધી ટ્રેનમાં મુસાફરી કરી અને સાથે સાથે સંવાદ પણ કર્યો છે.
- Dhruval Shah
- Updated on: Aug 20, 2026
- 10:06 am
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ માટે CM ભૂપેન્દ્ર પટેલ, પ્રતિનિધિ મંડળ સાથે અમેરિકા અને કેનેડાના પ્રવાસે
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, આજે વહેલી સવારે, અમદાવાદના આંતરરાષ્ટ્રીય હવાઈ મથકેથી, પ્રતિનિધિ મંડળ સાથે અમેરિકા કેનેડાના પ્રવાસે રવાના થયા છે. અમેરિકા અને કેનેડામાં ભૂપેન્દ્ર પટેલ, આગામી 2027માં યોજાનાર વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ માટે રોડ શો કરશે.
- Bipin Prajapati
- Updated on: Aug 16, 2026
- 10:08 am
Breaking News રૂ. 10 લાખ સુધી આવક ધરાવનાર બિન અનામતવર્ગના પરિવારના વિદ્યાર્થીને પણ હવે મળશે વિદેશ અભ્યાસ માટેની લોન
New announcement for unreserved category students : મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા ઇચ્છતા ગુજરાતના યુવાનોને પરિવારની આર્થિક સ્થિતિને કારણે મુશ્કેલી ન પડે અને તેઓ પોતાના ઉચ્ચ શિક્ષણના સપના સાકાર કરી શકે તે માટે રાજ્ય સરકાર તેમની પડખે ઉભી છે.
- Bipin Prajapati
- Updated on: Aug 15, 2026
- 12:17 pm
ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિનો વિકાસ એ જ વિકસિત ગુજરાતનો પાયો, 80મા સ્વતંત્રતા પર્વ પૂર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સંદેશ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 80મા સ્વતંત્રતા પર્વ પૂર્વે રાજ્યના વિકાસલક્ષી ભવિષ્યનો સંદેશ આપ્યો. તેમણે વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા પર ભાર મૂક્યો.
- Sagar Solanki
- Updated on: Aug 14, 2026
- 7:56 pm
Breaking News : સાગબારાના ખેડૂતોના વન જમીન મુદ્દે મનસુખ વસાવાએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક કરી
નર્મદા જિલ્લાના સાગબારાના ખેડૂતોના વન જમીન મુદ્દે સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી. મુખ્યમંત્રીએ રજૂઆત સાંભળી છે અને હવે વસાવા વનમંત્રી સાથે પણ બેઠક કરશે. આ બેઠકો બાદ ખેડૂતોને તેમના હક્કની જમીન મળે તેવી આશા સેવાઈ રહી છે.
- Sagar Solanki
- Updated on: Aug 9, 2026
- 10:51 pm
Breaking News : 2020થી $73.9 બિલિયન FDI સાથે ગુજરાત દેશનું નંબર 1 રાજ્ય બન્યું !
નીતિ આયોગ દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા Investment Friendliness Index 2026 અનુસાર, ગુજરાત દેશમાં સીધા વિદેશી રોકાણ FDI માટેનું અગ્રણી કેન્દ્ર બનીને ઉભરી આવ્યું છે. રાજ્ય સરકારે શુક્રવાર 07 ઓગસ્ટના રોજ જણાવ્યું કે એપ્રિલ 2020થી 2025 દરમિયાન ગુજરાતમાં કુલ $73.9 બિલિયનનું FDI આવ્યું છે.
- Dhruval Shah
- Updated on: Aug 8, 2026
- 11:37 am
Breaking News: Vibrant Gujarat 2027: CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી જશે વિદેશ પ્રવાસે, 26 સભ્યોની ખાસ કોર કમિટીની રચના
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના આયોજનને અનુલક્ષીને રાજ્ય સરકાર દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. CM ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી સહિતના નેતાઓ રોડ શો માટે વિદેશ પ્રવાસે જશે.
- Kinjal Mishra
- Updated on: Aug 5, 2026
- 2:15 pm
Video : ગુરુપૂર્ણિમા નિમિત્તે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સંત સુરમલદાસજીની સમાધિએ આશીર્વાદ લીધા
ગુરુપૂર્ણિમાના પાવન અવસરે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અરવલ્લીના લુસડિયા ગામમાં સંત સુરમલદાસજીની સમાધિએ દર્શન કરી આશીર્વાદ મેળવ્યા.
- Sagar Solanki
- Updated on: Jul 29, 2026
- 6:32 pm
અમદાવાદમાં પણ સુરતના ધારાધોરણ મુજબ વરસાદથી થયેલા નુકસાન અંગે રાહત આપવા સરકારનો નિર્ણય
તાજેતરમાં સુરતમાં આવેલા વરસાદી પૂરના કારણે થયેલા નુકસાન સામે રહાત આપવા સરકારે અપનાવવામાં આવેલા ઠરાવના આધારે હવે અમદાવાદમાં પણ વરસાદથી અસરગ્રસ્ત નાના વેપારીઓ અને લારી-ગલ્લા ધારકોને સહાય આપવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવશે.
- TV9 Gujarati
- Updated on: Jul 28, 2026
- 4:37 pm
ગુજરાતમાં ભારે વરસાદને લઈને બચાવ કામગીરી અંતિમ તબક્કામાં, હજુ 3-4 દિવસ ભારે વરસાદનું એલર્ટ
ભારે વરસાદ બાદ બંધ થયેલા માર્ગોમાંથી અત્યાર સુધીમાં 365 માર્ગો ફરી શરૂ કરવામાં આવ્યા છે. માર્ગોની મરામત અને કાટમાળ દૂર કરવા માટે 225 JCB, 1,500થી વધુ મશીનરી અને 1,500 કર્મચારીઓ સતત કાર્યરત છે.
- Bipin Prajapati
- Updated on: Jul 24, 2026
- 8:11 pm