AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભૂપેન્દ્ર પટેલ

ભૂપેન્દ્ર પટેલ

ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના 17મા મુખ્યમંત્રી છે. તેઓ ભારતીય જનતા પક્ષના નેતા છે અને ઘાટલોડિયા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતી ગુજરાત વિધાનસભાની બેઠકના ધારાસભ્ય છે. તેઓ આ બેઠક પરથી સતત બીજીવાર જંગી બહુમતીથી જીત્યા છે. ભૂપેન્દ્ર પટેલ સપ્ટેમ્બર 2021થી ગુજરાત રાજ્યના સત્તરમા મુખ્યમંત્રી તરીકે છે.

15 જુલાઇ 1962ના રોજ જન્મેલા ભૂપેન્દ્ર પટેલે સિવિલ એન્જિનિયરમાં ડિપ્લોમાનો અભ્યાસ કર્યો છે. ભૂપેન્દ્ર પટેલ પોતાના મત વિસ્તારમાં ‘દાદા’ના હુલામણા નામથી ઓળખાય છે. આ સાથે જ સરદાર ધામ અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટી પણ છે. ભૂપેન્દ્ર પટેલ 1995-96માં મેમનગર નગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચુક્યા છે. 1999-2000, 2004-06માં અમદાવાદ સ્કુલ બોર્ડના ચેરમેન રહી ચુક્યા છે. 2008-10માં થલતેજ વોર્ડના કાઉન્સિલર હતા અને 2010-15માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)માં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચુક્યા છે. તેમજ તેઓ અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ (AUDA)માં 2015-17માં ચેરમેન રહી ચુક્યા છે.

2017માં ગાંધીનગર સંસદીયક્ષેત્રમાં આવતી ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી પહેલીવાર ચૂંટણી લડીને વિધાનસભાના સભ્ય બન્યા. તેઓ તેમની પહેલી જ વિધાનસભા ચૂંટણીમાં 1,17,750 મતની જંગી સરસાઈથી જીત્યા હતા.

Read More
Follow On:

Video : ગુરુપૂર્ણિમા નિમિત્તે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સંત સુરમલદાસજીની સમાધિએ આશીર્વાદ લીધા

ગુરુપૂર્ણિમાના પાવન અવસરે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અરવલ્લીના લુસડિયા ગામમાં સંત સુરમલદાસજીની સમાધિએ દર્શન કરી આશીર્વાદ મેળવ્યા.

અમદાવાદમાં પણ સુરતના ધારાધોરણ મુજબ વરસાદથી થયેલા નુકસાન અંગે રાહત આપવા સરકારનો નિર્ણય

તાજેતરમાં સુરતમાં આવેલા વરસાદી પૂરના કારણે થયેલા નુકસાન સામે રહાત આપવા સરકારે અપનાવવામાં આવેલા ઠરાવના આધારે હવે અમદાવાદમાં પણ વરસાદથી અસરગ્રસ્ત નાના વેપારીઓ અને લારી-ગલ્લા ધારકોને સહાય આપવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવશે.

ગુજરાતમાં ભારે વરસાદને લઈને બચાવ કામગીરી અંતિમ તબક્કામાં, હજુ 3-4 દિવસ ભારે વરસાદનું એલર્ટ

ભારે વરસાદ બાદ બંધ થયેલા માર્ગોમાંથી અત્યાર સુધીમાં 365 માર્ગો ફરી શરૂ કરવામાં આવ્યા છે. માર્ગોની મરામત અને કાટમાળ દૂર કરવા માટે 225 JCB, 1,500થી વધુ મશીનરી અને 1,500 કર્મચારીઓ સતત કાર્યરત છે.

અમદાવાદના બિલિયોનેર સ્ટ્રીટ વિસ્તારમાં કમરસમા પાણીમાં ઉતરી મુખ્યમંત્રીએ સ્થિતિની કરી સમીક્ષા- જુઓ Video

અમદાવાદના ન્યુ ડેવલપ્ડ વિસ્તાર બિલિયોનેર સ્ટ્રીટમાં 4થી 5 ફુટ સુધી પાણી ભરાયા છે. સોસાયટીની રહીશો બહાર નીકળી શકે તેવી સ્થિતિ નથી, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અહીં ગ્રાઉન્ડ ઝીરો પર કમરસમા પાણીમાં ઉતરી સ્થિતિની સમીક્ષી કરી, સોસાયટીના રહીશો સાથે વાતચીત કરી તેમની સમસ્યા જાણી અને ઝડપી કામગીરીનું આશ્વાસન આપ્યુ હતુ.

Breaking News : ગુજરાતમાં ભારે વરસાદને પગલે CM ની હાજરીમાં ઉચ્ચ સ્તરીય બેઠક, અમદાવાદમાં આર્મી તૈનાત

ગુજરાતમાં ભારે વરસાદથી સર્જાયેલી વિકટ પરિસ્થિતિ અંગે મુખ્યમંત્રી નિવાસસ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ. દક્ષિણ ગુજરાત અને અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ છે.

રાજ્યમાં અતિ ભારે વરસાદની સ્થિતિને લઈને રાજ્ય સરકાર એલર્ટ, PM મોદીએ મુખ્યમંત્રી સાથે વાત કરી સ્થિતિનો તાગ મેળવ્યો

ગુજરાતમાં હાલ ભારે વરસાદની સ્થિતિ છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા તોફાની બેટીંગ કરી રહ્યા છે. નવસારી, વલસાડની સ્થિતિ વધુ વિકટ બની છે. આ સ્થિતિમાં વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાાથે ટેલિફોનિક વાતચીત કરી સ્થિતિની જાણકારી મેળવી હતી.

Rath Yatra 2026 : સોનાની સાવરણીથી રથ વાળવાની પરંપરા નિભાવી મુખ્ય પ્રધાને ભગવાન જગન્નાથજીનો રથ ખેંચી 149મી યાત્રાનો કરાવ્યો પ્રારંભ

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રામાં પહિંદ વિધિ કરીને, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રથયાત્રાને નગરચર્યા માટે પ્રસ્થાન કરાવી હતી. ભૂપેન્દ્ર પટેલે, સોનાની સાવરણીથી રથ વાળીને સતત પાંચમી વાર પહિંદ વિધિ સંપન્ન કરી હતી.

Ahmedabad Rath Yatra 2026 : CM ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ સાથે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો પ્રાંરભ કરાવ્યો

અમદાવાદના જગન્નાથ મંદિરે, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ પહિંદ વિધિ કરી હતી. પહિંદ વિધિ બાદ, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ રથ ખેચીને 149મી રથયાત્રાનુ પ્રસ્થાન કરાવ્યું હતું.

ગુજરાત બનશે દેશનું સૌથી મોટું ડેટા સેન્ટર હબ, CM ભૂપેન્દ્ર પટેલે નવી પોલિસી કરી જાહેર

હાલમાં દેશમાં અંદાજે 200 જેટલા ડેટા સેન્ટર કાર્યરત છે. અમેરિકા પાસે લગભગ 30 ગીગાવોટ ક્ષમતા છે, જ્યારે ભારતમાં હાલમાં માત્ર 2થી 3 ગીગાવોટ ક્ષમતા ઉપલબ્ધ છે. પાઇપલાઇનમાં રહેલા પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ દેશની કુલ ક્ષમતા આશરે 8 ગીગાવોટ સુધી પહોંચી શકે છે.

Breaking News : નવસારીના પૂર અંગે મુખ્યમંત્રીએ લીધી ઉચ્ચસ્તરીય બેઠક, પાળા નિર્માણ અને રસ્તાઓની ગુણવત્તા પર ભાર

નવસારીમાં પૂરની સ્થિતિની સમીક્ષા કરવા મુખ્યમંત્રીએ ઉચ્ચ અધિકારીઓ અને નેતાઓ સાથે બેઠક યોજી. પૂર્ણા, અંબિકા અને ઓરંગા નદી કિનારે પાળા બનાવવા તેમજ ધોવાયેલા રસ્તાઓની ગુણવત્તા તપાસવા આદેશ અપાયા છે.

Breaking News: સુરતમાં આવેલા ઘોડાપૂરની સ્થિતિ જોઈ CM ભૂપેન્દ્ર પટેલ થયા લાલઘુમ, સમીક્ષા બેઠકમાં અધિકારીઓનો લીધો ઉધડો

સુરતમાં પ્રિમોન્સુન કામગીરીની નબળી કામગીરીને જોતા મુખ્યમંત્રીએ કોર્પોરેશનના પદાધિકારીઓને ખખડાવ્યા. અને પૂરની સ્થિતિને લઈને ચેતવ્યા હતા. નબળી કામગીરી બદલ મુખ્યમંત્રીએ અધિકારીઓ અને પદાધિકારીઓને કડક સૂચના આપી છે.

Breaking News : ભારે વરસાદ બાદ સરકાર એલર્ટ, CM કરશે દક્ષિણ ગુજરાતના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત, જુઓ Video

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પૂરગ્રસ્ત સુરત અને વલસાડની આવતીકાલે મુલાકાત લેશે. રાજ્યમાં પ્રવર્તી રહેલી વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેઓ સમીક્ષા કરશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક દલા તલવાડીની માફક સરકારી જમીનના પ્લોટ પાડીને વહેંચી લેનારા ઉચ્ચ અધિકારીઓના બાંધકામ પર દાદાનુ બૂલડોઝર ચાલ્યું, જુઓ વીડિયો

સરકારી જમીન, સરકારી જમીનના પ્લોટ પાડનાર સરકારી અધિકારી અને પ્લોટ ખરીદનારા પણ સરકારી બાબુઓ જ. દલા તલવાડીની માફક નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક મોકાની જગ્યાએ આવેલ સરકારી જમીનના પ્લોટ પાડીને ખરીદી લઈને બંગ્લા બાંધનારા સરકારી બાબુઓ પર સરકારની તવાઈ આવી છે. 11 અધિકારીઓ પૈકી 5 અધિકારીઓના બંગ્લા ઉપર દાદાનું બૂલડોઝર ખુબ જ ઝડપથી ચાલી રહ્યું છે.

International Yoga Day 2026 : કોલકાતામાં PM મોદીએ તો ગુજરાતમાં અમિત શાહ અને CM ભૂપેન્દ્ર પટેલે કર્યા યોગ, જુઓ ફોટો

International Yoga Day 2026 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 જૂનના રોજ કોલકાતાના રેડ રોડ પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026નું નેતૃત્વ કર્યું હતુ. 21 જૂન 2015થી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શરુઆત થઈ હતી.કોલકાતામાં PM મોદીએ તો ગુજરાતમાં અમિત શાહ અને CM ભૂપેન્દ્ર પટેલે યોગ કર્યા હતા.

ઉચ્ચ અભ્યાસથી વંચિત યુવતીને મુખ્ય પ્રધાને કહ્યું, તારી જવાબદારી અમારી, જુઓ વીડિયો

પરિવારની આર્થિક નબળી સ્થિતિને કારણે અભ્યાસ છોડ્યાની વિગતો સામે આવતા જ, મુખ્ય પ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલે તાત્કાલિક સંવેદનશીલતા દર્શાવી હતી. તેમણે જિલ્લા કલેક્ટરને યુવચી જ્યોતિના શિક્ષણની સંપૂર્ણ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા અને તેને ફરી અભ્યાસ સાથે જોડવા માટે જરૂરી કાર્યવાહી કરવાની સૂચના આપી હતી.

પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
ગીરમાં રસ્તા પર ઉતર્યું 12 સિંહોનું ટોળું! અદ્ભુત દૃશ્યો કેમેરામાં કેદ
ગીરમાં રસ્તા પર ઉતર્યું 12 સિંહોનું ટોળું! અદ્ભુત દૃશ્યો કેમેરામાં કેદ
g clip-path="url(#clip0_868_265)">