ભૂપેન્દ્ર પટેલ

ભૂપેન્દ્ર પટેલ

ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના 17મા મુખ્યમંત્રી છે. તેઓ ભારતીય જનતા પક્ષના નેતા છે અને ઘાટલોડિયા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતી ગુજરાત વિધાનસભાની બેઠકના ધારાસભ્ય છે. તેઓ આ બેઠક પરથી સતત બીજીવાર જંગી બહુમતીથી જીત્યા છે. ભૂપેન્દ્ર પટેલ સપ્ટેમ્બર 2021થી ગુજરાત રાજ્યના સત્તરમા મુખ્યમંત્રી તરીકે છે.

15 જુલાઇ 1962ના રોજ જન્મેલા ભૂપેન્દ્ર પટેલે સિવિલ એન્જિનિયરમાં ડિપ્લોમાનો અભ્યાસ કર્યો છે. ભૂપેન્દ્ર પટેલ પોતાના મત વિસ્તારમાં ‘દાદા’ના હુલામણા નામથી ઓળખાય છે. આ સાથે જ સરદાર ધામ અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટી પણ છે. ભૂપેન્દ્ર પટેલ 1995-96માં મેમનગર નગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચુક્યા છે. 1999-2000, 2004-06માં અમદાવાદ સ્કુલ બોર્ડના ચેરમેન રહી ચુક્યા છે. 2008-10માં થલતેજ વોર્ડના કાઉન્સિલર હતા અને 2010-15માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)માં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચુક્યા છે. તેમજ તેઓ અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ (AUDA)માં 2015-17માં ચેરમેન રહી ચુક્યા છે.

2017માં ગાંધીનગર સંસદીયક્ષેત્રમાં આવતી ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી પહેલીવાર ચૂંટણી લડીને વિધાનસભાના સભ્ય બન્યા. તેઓ તેમની પહેલી જ વિધાનસભા ચૂંટણીમાં 1,17,750 મતની જંગી સરસાઈથી જીત્યા હતા.

Read More
Follow On:

કોંગ્રેસને સાબરકાંઠામાં લાગ્યો વધુ ફટકો, CMની ઉપસ્થિતિમાં 50 આગેવાનો BJPમાં જોડાયા

સાબરકાંઠા લોકસભા બેઠક પર મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સહકાર ખેડૂત સંમેલન યોજાયું હતુ. લોકસભાની ચૂંટણીને લઈ સાબરકાંઠા બેઠક પર પ્રચાર કાર્ય અંતિમ દિવસોમાં ધમીધમી રહ્યો છે. આ દરમિયાન વધુ એકવાર સાબરકાંઠાના પ્રવાસે મુખ્યપ્રધાન પહોંચ્યા હતા.

ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણકાળ હશે, PM મોદીએ આવું કેમ કહ્યું, જુઓ Video

PM નરેન્દ્ર મોદીનો સૌથી ખાસ ઈન્ટરવ્યુ TV9 પર પ્રસારિત કરવામાં આવ્યો છે. દેશના સૌથી મોટા ન્યૂઝ નેટવર્કના 5 એડિટર્સ સાથેના આ રાઉન્ડ ટેબલ ઈન્ટરવ્યુમાં પીએમ નરેન્દ્ર મોદીએ દેશના સૌથી ચર્ચિત મુદ્દાઓ, ચૂંટણી, બંધારણ, રામ મંદિર, બંગાળ આરક્ષણ અને મોદીની ગેરંટી વિશે ખુલીને વાત કરી છે. PM મોદીએ ગુજરાતના આગામી સમય ને લઈને મહત્વની વાત કરી છે. 

‘જે હું ન કરી શકયો તે CM ભૂપેન્દ્ર પટેલે કરી બતાવ્યું’, ગુજરાતની રાજનીતિ પર બોલ્યા PM મોદી, જુઓ video

PM નરેન્દ્ર મોદીનો સૌથી ખાસ ઈન્ટરવ્યુ TV9 પર પ્રસારિત થયો છે. દેશના સૌથી મોટા ન્યૂઝ નેટવર્કના 5 એડિટર્સ સાથેના આ રાઉન્ડ ટેબલ ઈન્ટરવ્યુમાં પીએમ નરેન્દ્ર મોદીએ દેશના સૌથી ચર્ચિત મુદ્દાઓ, ચૂંટણી, બંધારણ, રામ મંદિર, બંગાળ આરક્ષણ અને મોદીની ગેરંટી વિશે ખુલીને વાત કરી છે. મહત્વનું છે કે આ વચ્ચે ગુજરાતને લઈ તેમણે મહત્વનો પ્રશ્ન કરવામાં આવ્યો હતો. જેમાં તેમણે ગુજરાતના મુખ્ય મંત્રીને લઈ મહત્વની વાત કરી હતી.

Lokshabha Elections 2024 પહેલા PM નરેન્દ્ર મોદીએ ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે રાજકીય અગ્રણીઓ સાથે કરી બેઠક, જુઓ તસવીર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત પ્રવાસ દરમ્યાન પ્રદેશ કાર્યાલય કમલમની આજે મુલાકાત લીધી તે સમયે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ખાસ હાજર રહ્યા હતા. ચૂંટણીની તૈયારી અંગે ખાસ વાતચીત કરવાંઆ આવી હતી. જેમાં કમલમ કાર્યાલયની વ્યવસ્થાની તમામ ટીમ સાથે રૂબરૂ મુલાકાત PM એ કરી માર્ગદર્શન આપ્યું હતું.

આજે ગુજરાતનો સ્થાપના દિવસ, PM નરેન્દ્ર મોદી, અમિત શાહ અને CM ભૂપેન્દ્ર પટેલે આપી શુભકામના

આજના દિવસને ગુજરાત દિવસ, ગુજરાત દિન, ગુજરાત ગૌરવ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુજરાતભરમાં તેની ઉજવણી કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી,કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને CM ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના નાગરિકોને તેની શુભકામના પાઠવી છે.

ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠક રહી નિષ્ફળ, રૂપાલાની ટિકિટ રદ કરવાની માગણી પર ક્ષત્રિયો મક્કમ, જુઓ Video

પરશોત્તમ રુપાલાએ ક્ષત્રિય સમાજ અંગે આપેલા નિવેદનના પગલે છેલ્લા 22-23 દિવસથી ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. ક્ષત્રિય સમાજ સતત આંદોલન કરી રહ્યુ છે.આ મામલાને શાંત કરવા માટે ગઇકાલે ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને ક્ષત્રિય આગેવાનોની મહત્વપૂર્ણ બેઠક મળી છે.

ક્ષત્રિયોના આંદોલનનો આવી શકે છે સુખદ અંત, CM નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક- Video

ક્ષત્રિય આંદોલનનો સુખદ અંત આવે તેવા એંધાણ મળી રહ્યા છે. સીએમ નિવાસસ્થાને હાલ મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી છે. જેમા ક્ષત્રિય સંકલન સમિતિના નેતાઓને પણ બેઠકમાં સામેલ થવા માટે કહેવામાં આવ્યુ છે. જો કે એ પહેલા ક્ષત્રિય સંકલન સમિતિની ખુદની અમદાવાદમાં ગોતા ખાતે અલગથી બેઠક મળી છે. આ બેઠક બાદ તેઓ ગાંધીનગરમાં સીએમની બેઠકમાં સામેલ થાય તેવી શક્યતા જોવાઈ રહી છે. 

હીટવેવના ખતરા સામે રાજ્ય સરકારે કસી કમર, ઝીરો કેજ્યુલિટી એપ્રોચ સાથે માનવજીવન અને પશુધનની રક્ષા માટે તૈયાર કર્યો એક્શન પ્લાન

રાજ્યમાં આગામી સમયમાં સંભવિત હીટવેવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યસ્તરે આગોતરું આયોજન કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા હીટવેવ સામે લડવા ‘ઝિરો કેઝ્યુઅલ્ટી એપ્રોચ’ સાથે માનવજીવન અને પશુધનની સંપૂર્ણ રક્ષા થાય તેવા અભિગમ સાથે એક્શન પ્લાન ઘડવામાં આવ્યો છે.

Ahmedabad Video : લોકસભા ચૂંટણી પહેલા મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ 5000થી વધુ કાર્યકર્તાઓને કરશે સંબોધન

લોકસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ રીતે પ્રચાર અને પ્રસાર કરવામાં આવી રહ્યા છે અનેક નેતાઓ રોજેરોજ જનતા સુધી જુદી જુદી રીતે પહોંચી રહ્યા છે. ત્યારે કાર્યકર્તાઓમાં જોશ પુરવા આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે પહોંચશે અને 4900 જેટલા બુથ પ્રમુખો સહિત હાજર કાર્યકર્તાઓને સંબોધન કરશે.

અમરેલીમાં CM ભૂપેન્દ્ર પટેલે મતદારો સાથે કર્યો સંવાદ, ભાજપના કાર્યકરોને આપ્યો જીતનો મંત્ર

વિવાદનો પર્યાય બનેલી અમરેલી બેઠક પર આજે મુખ્યમંત્રીએ મતદારો સાથે સંવાદ સાધ્યો હતો અને ભાજપના કાર્યકરોને ચૂંટણી લક્ષી માર્ગદર્શન આપી જીતનો મંત્ર આપ્યો હતો. મુખ્યમંત્રીએ ભાજપના કાર્યકરો, પાંચેય બેઠકના ધારાસભ્યો અને સાંસદ સાથે બેઠક પણ યોજી હતી.

ક્ષત્રિય સમાજની નારાજગી દૂર કરવા ખુદ મુખ્યમંત્રી મેદાનમાં, ગાંધીનગરમાં યોજી બેઠક, જુઓ Video

છેલ્લા એક સપ્તાહ કરતા વધુ સમયથી પરષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગેના નિવેદન બાદ વિવાદ વકરી રહ્યો છે.ગોંડલમાં આ વાતને થાળે પાડવા ક્ષત્રિય સમાજનું સંમેલન મળ્યુ હતુ. જો કે તે પછી મામલો બીચક્યો હતો.હવે આ વિવાદને શાંત કરવા ખુદ મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ મેદાનમાં ઉતર્યા છે. ગાંધીનગરમાં આ મામલે બેઠક યોજાઇ છે.

Lok Sabha Election: ભાજપે લોકસભા ચૂંટણી માટે રાજનાથ સિંહના નેતૃત્વમાં બનાવી ચૂંટણી ઢંઢેરા સમિતિ, ગુજરાતના આ નેતાને મળ્યું સ્થાન

ભાજપે લોકસભા ચૂંટણી માટે પાર્ટીની મેનિફેસ્ટો કમિટીની જાહેરાત કરી છે. આ સમિતિનું નેતૃત્વ ભાજપના પૂર્વ અધ્યક્ષ રાજનાથ સિંહ કરશે. સમિતિમાં ચાર રાજ્યોના મુખ્યમંત્રીઓ સહિત 27 નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર મેનિફેસ્ટો કમિટીની પહેલી બેઠક એપ્રિલના પહેલા સપ્તાહમાં બોલાવવામાં આવશે.

Gandhinagar: લોકસભા ચૂંટણીને લઇને કમલમમાં મળશે ભાજપની મહત્વપૂર્ણ બેઠક, CM ભૂપેન્દ્ર પટેલ રહેશે હાજર, જુઓ Video

લોકસભા ચૂંટણીને લઇને વિવિધ પક્ષો પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે. ભાજપ દ્વારા ગુજરાતની તમામ 26 બેઠકો પર ઉમેદવારના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. ભાજપ દ્વારા લોકસભાની 26 બેઠક કબ્જે કરવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યુ છે. ચૂંટણીને લઇને મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર કમલમ ખાતે બેઠક પણ યોજાવાની છે.

અરવલ્લીઃ CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં SMVSના ‘અનાદિમુક્ત વિશ્વમ’ નો શિલાન્યાસ કરાયો

રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ધ્યાન કેન્દ્રનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ દેશ વિદેશથી હરીભક્તો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. એક સાથે 50 હજાર લોકો ધ્યાન કરી શકે એવી સુવિધા સાથે રાજ્યનું સૌથી મોટું ધ્યાન કેન્દ્ર નિર્માણ કરવામાં આવનાર છે.

Ahmedabad Video: લોકોસભાની ચૂંટણી માટે ભાજપનો પ્રચંડ પ્રચાર, CM ભૂપેન્દ્ર પટેલે લાભાર્થી સંપર્ક અભિયાનની કરી શરૂઆત

CM ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં લાભાર્થી સંપર્ક અભિયાનની શરૂઆત કરી છે. અમદાવાદના વસ્ત્રાપુરથી લાભાર્થી અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. તેમજ ઈન્ટરનેટના મહત્તમ ઉપયોગથી ગાંધીનગર લોકસભામાં વિશેષ આયોજન કરવામાં આવ્યુ છે.

g clip-path="url(#clip0_868_265)">