ભૂપેન્દ્ર પટેલ
ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના 17મા મુખ્યમંત્રી છે. તેઓ ભારતીય જનતા પક્ષના નેતા છે અને ઘાટલોડિયા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતી ગુજરાત વિધાનસભાની બેઠકના ધારાસભ્ય છે. તેઓ આ બેઠક પરથી સતત બીજીવાર જંગી બહુમતીથી જીત્યા છે. ભૂપેન્દ્ર પટેલ સપ્ટેમ્બર 2021થી ગુજરાત રાજ્યના સત્તરમા મુખ્યમંત્રી તરીકે છે.
15 જુલાઇ 1962ના રોજ જન્મેલા ભૂપેન્દ્ર પટેલે સિવિલ એન્જિનિયરમાં ડિપ્લોમાનો અભ્યાસ કર્યો છે. ભૂપેન્દ્ર પટેલ પોતાના મત વિસ્તારમાં ‘દાદા’ના હુલામણા નામથી ઓળખાય છે. આ સાથે જ સરદાર ધામ અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટી પણ છે. ભૂપેન્દ્ર પટેલ 1995-96માં મેમનગર નગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચુક્યા છે. 1999-2000, 2004-06માં અમદાવાદ સ્કુલ બોર્ડના ચેરમેન રહી ચુક્યા છે. 2008-10માં થલતેજ વોર્ડના કાઉન્સિલર હતા અને 2010-15માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)માં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચુક્યા છે. તેમજ તેઓ અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ (AUDA)માં 2015-17માં ચેરમેન રહી ચુક્યા છે.
2017માં ગાંધીનગર સંસદીયક્ષેત્રમાં આવતી ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી પહેલીવાર ચૂંટણી લડીને વિધાનસભાના સભ્ય બન્યા. તેઓ તેમની પહેલી જ વિધાનસભા ચૂંટણીમાં 1,17,750 મતની જંગી સરસાઈથી જીત્યા હતા.
ગુજરાતના રાજકારણમાં મોટી હલચલ: PM મોદી સાથે CM ભૂપેન્દ્ર પટેલની 3 કલાકની રાજકીય બેઠક
સંગઠનનું નવું માળખું, મંત્રીમંડળમાં ફેરફાર અને સામાજિક સમીક્ષા મુદ્દે ગુજરાતના મુખ્યમંત્રી અને ઉપ-મુખ્યમંત્રી આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં દિલ્હીમાં બેઠકમાં સામેલ થયા હતા.
- TV9 Gujarati
- Updated on: Dec 14, 2025
- 10:53 pm
Year Ender 2025 : આ વર્ષે ગુજરાતના રાજકરણમાં થયા મોટા ફેરફાર, અનેક રાજકીય ઘટનાઓ ઘટી
ગુજરાતમાં વર્ષ 2025માં રાજકીય ક્ષેત્રમાં પણ વિવિધ બદલાવ થયા છે. કેટલા રાજનેતાઓએ રાજકીય પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. તો ગુજરાતને ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બન્યા છે. તો ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રી મંડળનું પણ પુનર્ગઠન કરવામાં આવ્યું છે.
- Disha Thakar
- Updated on: Dec 12, 2025
- 2:38 pm
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સેવા, સંકલ્પ, અને સમર્પણના 3 વર્ષ પૂર્ણ, જુઓ વિકાસયાત્રાની ઝલક
આજે 12 ડિસેમ્બર, 2025ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શાસનકાળના 3 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. 156 બેઠકોના ઐતિહાસિક જનસમર્થન સાથે ગુજરાતના 18મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતની વિકાસયાત્રાને સતત આગળ ધપાવી છે, અને સુશાસન, સેવા અને વિકાસના નવા ધોરણો સ્થાપિત કર્યા છે.
- TV9 Gujarati
- Updated on: Dec 12, 2025
- 11:15 am
Year Ender 2025 : ગુજરાતીઓનું હૈયું હચમચાવી દેતી ઘટનાઓ ! ગંભીરા બ્રિજ દુર્ઘટનાથી લઈ અમદાવાદ પ્લેનક્રેશમાં અનેક પરિવારોએ ગુમાવ્યા વ્હાલસોયા
ગુજરાત માટે વર્ષ 2025માં કેટલાક ગોઝારી ઘટનાઓ બની છે. જેમાં અનેક લોકોના ઘરના ચિરાગ બુઝાઈ ગયા છે. રાજ્યમાં મોટી બનેલી કેટલીક ઘટનાઓમાં નિર્દોશ લોકોએ જીવ ગુમાવ્યા છે. જેના પડઘા દેશભરમાં પડ્યા છે. ગુજરાતમાં બનેલા અમદાવાદ પ્લેનક્રેશની ઘટના અને ગંભીરા બ્રિજ તૂટવાની ઘટનાના પડઘા રાજ્યસરકારથી લઈને કેન્દ્ર સરકાર સુધી પડ્યા હતા.
- Disha Thakar
- Updated on: Dec 11, 2025
- 2:01 pm
Breaking News : રાજ્યમાં 11 તાલુકાને વિકાસશીલ તાલુકા જાહેર કરાયા, વિકાસ કામો માટે વાર્ષિક 3 કરોડ રૂપિયા અપાશે, જુઓ Video
ગુજરાત સરકારે રાજ્યના વિકાસ કાર્યોને વધુ ગતિ આપવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તાજેતરમાં, રાજ્યના વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ ઘોષણા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય તાલુકા સ્તરે સર્વગ્રાહી વિકાસ સાધવાનો છે, જેથી રાજ્યના છેવાડાના વિસ્તારો સુધી પણ વિકાસનો લાભ પહોંચી શકે.
- TV9 Gujarati
- Updated on: Dec 11, 2025
- 11:33 am
અમદાવાદમાં રિવરફ્રન્ટ પર યોજાશે ભવ્ય ‘પ્રમુખ વરણી અમૃત મહોત્સવ, BAPS દ્વારા AMTSની બસો મુકવામાં આવી, જુઓ Video
આજે ફરી એક વખત હજારો હરિભક્તોને થશે પ્રમુખ સ્વામી મહારાજની હયાતીનો અહેસાસ BAPS દ્વારા સાબરમતીના કિનારે રિવરફ્રન્ટ પર ઇવેન્ટ સેન્ટર ખાતે ભવ્ય તેમજ અનન્ય ‘પ્રમુખ વરણી અમૃત મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે.
- Disha Thakar
- Updated on: Dec 7, 2025
- 2:22 pm
CM ભૂપેન્દ્ર પટેલે કચ્છના રણોત્સવનો કરાવ્યો પ્રારંભ, 179 કરોડના વિવિધ વિકાસકાર્યોનું કર્યું લોકાર્પણ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છ રણોત્સવ 2025નો સફેદ રણ ધોરડોથી પ્રારંભ કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું કે, રણોત્સવ હવે ગ્લોબલ ઈવેન્ટ બની ગયો છે અને સમાજ, સંસ્કૃતિ અને સમૃદ્ધિના સંગમથી વડાપ્રધાનની પ્રેરણાથી રચાયેલું ધોરડો મોડલ વિશ્વભરના તજજ્ઞો માટે કેસ સ્ટડી બન્યું છે.
- TV9 Gujarati
- Updated on: Dec 4, 2025
- 9:36 pm
ગુજરાતમાં નવા 10 હજારથી વધુ નંદઘર બનાવાશે, 9000 આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને નિમણૂક પત્ર એનાયત કરાયા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની આંગણવાડીઓમાં નવી નિમણૂક મેળવી રહેલી 9,000થી વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનિષાબેન વકીલની પ્રેરક ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે નિમણૂક પત્ર એનાયત કર્યા હતા. રાજ્યભરમાં આ નિમણૂક પત્ર વિતરણના ઝોન વાઈઝ યોજાયેલા કાર્યક્રમોમાં મંત્રીઓ અને પદાધિકારીઓએ નિમણૂક પત્ર એનાયત કર્યા હતા અને સૌએ ગાંધીનગરમાં યોજાયેલા રાજ્ય કક્ષાના કાર્યક્રમનું પ્રસારણ નિહાળ્યું હતું.
- TV9 Gujarati
- Updated on: Dec 4, 2025
- 8:06 pm
CM ભૂપેન્દ્ર પટેલે હાઈ ઇમ્પેક્ટ 27 પ્રોજેક્ટ્સની કરી સમીક્ષા, ગુણવત્તામાં બાંધછોડ વિના સમય મર્યાદામાં પૂરા કરવા અધિકારીઓને તાકિદ
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે, આજે ગાંધીનગરમાં ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં 27 હાઈ ઇમ્પેક્ટ પ્રોજેક્ટ્સની કામગીરીની સમીક્ષા કરી હતી. કુલ રૂ.11,360 કરોડના હાઈ ઇમ્પેક્ટ પ્રોજેક્ટ્સની કામગીરીની પ્રગતિ અંગે જાણકારી મેળવી હતી. જેમાં રેલવેના 4 પ્રોજેક્ટ્સ, ઉદ્યોગ અને ખાણ વિભાગના 6 અને શહેરી વિકાસ વિભાગના 15 પ્રોજેક્ટની પ્રગતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી.
- TV9 Gujarati
- Updated on: Dec 3, 2025
- 9:23 pm
ગ્રીન એનર્જી સેક્ટરમાં 6 લાખ નોકરીઓનું કરાશે સર્જન, ચિંતન શિબિરની પૂર્ણાહુતિ પ્રસંગે સરકારની જાહેરાત, તો CMએ અધિકારીઓને ફિલ્ડ વિઝિટ કરવા કરી ટકોર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજયના વરિષ્ઠ અધિકારીઓને આહવાન કર્યું છે કે, વિકસિત ગુજરાત 2047 માટે 'અર્નિંગ વેલ- લિવિંગ વેલ'ના બે પિલ્લર આધારિત વિકાસયાત્રાને વધુ ગતિ આપવા સૌ થીન્કિંગ-વેલ ડૂઇંગ વેલનો ભાવ જગાવે. CM એ અધિકારીઓને ફરજો અને વિભાગોની ઓનરશીપ સાથે સંપૂર્ણ સમર્પણ, જવાબદારી અને લોકહિતની પ્રતિબદ્ધતા સાથે નિભાવવાનું જણાવતાં ઉમેર્યું કે, આપણે જ્યાં હોઇએ ત્યાં આપણું શ્રેષ્ઠ કાર્યપ્રદાન આપીને રાજ્યના વિકાસમાં અને સામાન્ય માનવીના સુખ સુવિધાના કામોમાં કાર્યરત રહીએ ત્યારે જ આત્મસંતોષ મળે.
- TV9 Gujarati
- Updated on: Nov 29, 2025
- 8:48 pm
કોઈ દેશ કરી શકે તો ભારત કેમ નહીં ? PM મોદીના આ જ વિશ્વાસથી આજે આપણે દરેક ક્ષેત્રમાં વિશ્વની સાથે સ્પર્ધા કરી રહ્યા છીએ : CM ભૂપેન્દ્ર પટેલ
ગુજરાત સરકારની ચિંતન શિબિરમાં, અમદાવાદને મળેલ કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાનીને વધાવી લેવામાં આવી હતી. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં રાજ્ય સરકારના તમામ પ્રધાનો, આઈએએસ અધિકારીઓની ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે 11મી ચિંતન શિબિર યોજાઈ રહી છે. આ શિબિરમાં ગુજરાતના વિકાસ માટે સામૂહિક ચિંતન કરવામાં આવે છે.
- TV9 Gujarati
- Updated on: Nov 28, 2025
- 11:35 am
મધ્યમવર્ગની દીકરીના લગ્નને પ્રાથમિકતા આપીને CM ભૂપેન્દ્ર પટેલે જામનગરમાં બદલ્યુ કાર્યક્રમ સ્થળ
ગુજરાત સહીત સમગ્ર દેશમાં સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકે ઓળખ પામેલા ભૂપેન્દ્ર પટેલના એક નિર્ણયે જામનગરના મધ્યમવર્ગીય પરિવારના માથેથી ચિંતાના વાદળો દૂર થઈ ગયા. જાણો એ કિસ્સો
- TV9 Gujarati
- Updated on: Nov 23, 2025
- 2:42 pm
યુવા શક્તિનો ઉત્સવ: મુખ્યમંત્રીના હસ્તે 4,473 યુવાઓને નિમણૂક પત્રો એનાયત – જુઓ Video
ગાંધીનગરમાં રાજ્યસ્તરીય કાર્યક્રમ યોજાયો; યુવાનોનો વિકાસ... દેશનો વિકાસ...મુખ્યમંત્રીશ્રીની હાજરીમાં 4,473 યુવાઓને સરકારી ક્ષેત્રમાં સેવા કરવા માટે નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
- TV9 Gujarati
- Updated on: Nov 22, 2025
- 7:29 pm
પીએમ મોદીએ કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપતો કર્યો રિલીઝ, ગુજરાતના 49 લાખથી વઘુ ખેડૂતોને રૂપિયા 986 કરોડ મળશે
દેશભરના 9 કરોડથી વધુ ખેડૂતોને, પી.એમ. કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તમિલનાડુના કોઈમ્બતુરથી રિલીઝ કર્યો છે. જેમાં ગુજરાતના 49.31 લાખથી વધુ ખેડૂતોને પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 986 કરોડ રૂપિયા ડી.બી.ટી.થી મળશે.
- TV9 Gujarati
- Updated on: Nov 19, 2025
- 9:52 pm
Gandhinagar : આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક, ટેકાના ભાવે પાકની ખરીદી અને કૃષિ રાહત પેકેજની કરાશે સમીક્ષા
ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે.કેબિનેટ બેઠકમાં આજે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.આજે કેબિનેટ બેઠકમાં રાજ્યની વર્તમાન પરિસ્થિતિઓ પર ચર્ચા કરવામાં આવશે.
- Kinjal Mishra
- Updated on: Nov 19, 2025
- 9:48 am