Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નવરાત્રી

નવરાત્રી

નવરાત્રી એ હિન્દુઓનો મુખ્ય તહેવાર છે. નવરાત્રી એક સંસ્કૃત શબ્દ છે, જેનો અર્થ થાય છે ‘નવ રાત્રિનો સમય’. આ નવ રાત અને દસ દિવસ દરમિયાન માં દુર્ગાની પૂજા કરવામાં આવે છે.

નવરાત્રી વર્ષમાં ચાર વખત આવે છે. જેના નામ વસંત નવરાત્રી, અષાઢ નવરાત્રી, શરદ નવરાત્રી અને પુષ્ય નવરાત્રી છે. તે હિંદુ મહિનાઓ મુજબ ઉજવવામાં આવે છે.

ચૈત્ર માસમાં વાસંતીક અથવા વાસંતીયા અને અશ્વિન માસમાં શારદીય નવરાત્રી, માઘ અને અષાઢ માસની નવરાત્રી ગુપ્ત નવરાત્રી કહેવાય છે. શારદીય નવરાત્રીનું સમાપન દશેરાના દિવસે દુર્ગા મૂર્તિના વિસર્જન સાથે થાય છે.

જો ધ્યાનથી જોવામાં આવે હિંદુ કેલેન્ડર મુજબ ચૈત્ર મહિનાના ચૈત્ર નવરાત્રિના 9 દિવસ હોય છે. તે પછી ત્રણ મહિના પછી અષાઢમાં ગુપ્ત નવરાત્રિ આવે છે. ત્યાર બાદ ત્રણ મહિના પછી શારદીય નવરાત્રી અને છેલ્લે પુષ્ય નવરાત્રી નવરાત્રી આવે છે.

ભારતના જુદા જુદા ભાગોમાં નવરાત્રી અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે. ગુજરાતમાં આ તહેવાર મોટા પાયે ઉજવવામાં આવે છે.

ગુજરાતમાં નવરાત્રીનો તહેવાર દાંડિયા અને ગરબા રમીને ઉજવવામાં આવે છે. આ આખી રાત ચાલે છે. ગરબા, દેવીના માનમાં ભક્તિમય પ્રદર્શન તરીકે, માતાજીની ‘આરતી’ પહેલાં કરવામાં આવે છે અને તે પછી દાંડિયા રાસ, ગરબા થાય છે.

પશ્ચિમ બંગાળ રાજ્યમાં બંગાળીઓના મુખ્ય તહેવારોમાં, દુર્ગા પૂજા સૌથી વધુ મહત્વના તહેવાર તરીકે ઉભરી આવે છે.

Read More

આજથી ચૈત્ર મહિનાનો પ્રારંભ, શક્તિપીઠ સહિતના મંદિરોમાં લાગી ભક્તોની ભારે ભીડ, જુઓ Video

આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે. ત્યારે રાજ્યના તમામ શક્તિપીઠમાં ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી છે. પંચમહાલના પ્રસિદ્ધ શક્તિપીઠ પાવાગઢ મહાકાળી મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું.

Travel with tv9 : ચૈત્રી નવરાત્રીમાં ગુજરાતના આ મંદિરમાં કરો માતાજીના દર્શન

ચૈત્રી નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે તમે પણ નવરાત્રીમાં ગુજરાતમાં આવેલા શક્તી પીઠ અને પ્રસિદ્ધ માતાજીના મંદિરોમાં દર્શન કરવા જઈ શકો છો. તમે તમારા પરિવાર અને મિત્રો સાથે પણ આ મંદિરોમાં દર્શન કરવાનો પ્લાન કરી શકો છો.

Travel tips : આ છે ગુજરાતના પ્રસિદ્ધ મંદિરો, ચૈત્ર નવરાત્રિ દરમિયાન માતાજીના દર્શન કરવાનો પ્લાન બનાવો

ગુજરાતમાં ફરવા માટે અનેક સ્થળો આવેલા છે. ગુજરાતનો સાંસ્કૃતિક વારસો લોકોને અહીં આવવા માટે મજબૂર કરે છે. ગુજરાત સમૃદ્ધ ઇતિહાસ, સ્વાદિષ્ટ વાનગીઓ, અનોખી પરંપરાઓ અને કુદરતી સૌંદર્ય માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ફેમસ છે. ચૈત્ર નવરાત્રિમાં ગુજરાતના પ્રસિદ્ધ મંદિરો ક્યા ક્યા છે જાણો

Chaitra Navratri 2025 Vastu Tips : વાસ્તુ દોષોમાંથી રાહત મેળવવા માંગો છો? ચૈત્ર નવરાત્રીમાં કરો આ ઉપાય, હંમેશા રહેશે સુખ-સમૃદ્ધિ!

Vastu Tips For Chaitra Navratri 2025 :હિંદુ ધર્મમાં નવરાત્રીના નવ દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સમય દરમિયાન લોકો દેવી દુર્ગાના આશીર્વાદ મેળવવા માટે ભક્તિ સાથે પૂજા કરે છે. આ સમયગાળા દરમિયાન કેટલાક ખાસ ઉપાય કરવાથી ઘરમાં ઉદ્ભવતા વાસ્તુ દોષોથી મુક્તિ મેળવી શકાય છે.

હિન્દુ ધર્મમાં મોટાભાગના તહેવારો રાત્રે કેમ ઉજવવામાં આવે છે, જુઓ ફોટો

હિંદુ ધર્મમાં મોટાભાગના તહેવારો સૂર્યોદય પછી ઉજવવાની પરંપરા છે, પરંતુ કરવાચોથ, હોળી, દિવાળી, શરદ પૂર્ણિમા, પોષી પૂનમ, જન્માષ્ટમી અને શિવરાત્રી એવા તહેવારો છે જે રાત્રે ઉજવવામાં આવે છે. રાત્રે સેલિબ્રેટ કરવામાં આવતા તહેવારો વિશે જાણીએ.

વડોદરામાં આયોજિત વેશભૂષા ગરબામાં યુવક વ્હીસ્કીની બોટલ બની ગરબે ઘુમ્યો- Video

વડોદરામાં શરદ પૂનમના ગરબા નિમીત્તે વેશભૂષા ગરબાનું આયોજન કરાયુ હતુ. જેમા એક યુવક વ્હીસ્કીની બોટલ બનીને ગરબે ઘુમતો જોવા મળ્યો. હદ તો ત્યારે થઈ કે તેને કોઈએ રોક્યો સુદ્ધા નહીં અને લોકો મજા લેતા જોવા મળ્યા હતા.

Diwali 2024 : દીવાળીની રોનક સાથે ચેહરાની ચમક પણ આ રીતે ચમકાવી લો

ફેસ્ટિવલ સીઝનમાં જે રીતે આપણે આપણી ફિઝિકલ હેલ્થનું ધ્યાન રાખીએ છીએ. તેવી જ રીતે ત્વચાનું પણ ધ્યાન રાખવું ખુબ જરુરી છે. ગ્લોઈંગ સ્કિન મેળવવા માટે એક્સપર્ટની કેટલીક ટિપ્સ ફોલો કરવાની રહેશે. જેનાથી તમારી સ્કિન હેલ્ધી અને ગ્લો પણ કરશે.

60 ફૂટના રાવણ, કુંભકર્ણ અને મેઘનાદના પૂતળાના દહન, હરેકૃષ્ણ મંદિર ખાતે દશેરા મહોત્સવની ભવ્ય ઉજવણી

Dussehra 2024 : અનન્ય સંસ્કૃતિ અને ચૈતન્યરૂપી ભગવાનની આધ્યાત્મિકતાને ભેળવીને એકરૂપ કરવાના આ અવસરનો લાભ લઈને હરેકૃષ્ણ મંદિર,ભાડજ દ્રારા દશેરા મહાઉત્સવનું આયોજન કરવામાં આવેલું હતું.

TV9 Festival of India માં સિંદૂર ખેલા સાથે માતાને આપી વિદાય, જુઓ Photos

TV9 Festival of India : TV9 ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયાના છેલ્લા દિવસે મા દુર્ગાને ખૂબ જ ધામધૂમથી વિદાય આપવામાં આવી હતી. આ દરમિયાન મહિલાઓએ સિંદૂર ખેલા અને એકબીજાને ગુલાલ લગાવ્યા હતા.

TV 9 festival of India 2024 : પાંચમા એટલે કે છેલ્લા દિવસે પૂજા, સિંદૂર ખેલા અને અન્ય ઘણા મનોરંજક કાર્યક્રમો, જાણો શું છે આજનું શેડ્યૂલ

દિલ્હીમાં ચાલી રહેલા 5-દિવસીય TV9 ફેસ્ટિવલ ઑફ ઈન્ડિયા 2024માં ગઈ કાલે એટલે કે શનિવાર દશેરાના દિવસે જબરદસ્ત ઉજવણીનું વાતાવરણ જોવા મળ્યું હતું. ગરબા નાઇટમાં ભાગ લેનારા હસ્તીઓ અને મનમોહક લોક રજૂઆતોએ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

TV9 festival of India 2024 : દાંડિયાના તાલે ઝૂમ્યા લોકો, ગરબાનો માણ્યો આનંદ, મોટી-મોટી હસ્તીઓએ પણ લીધો ભાગ

TV9 Festival of India 2024 : દિલ્હીમાં TV9 ફેસ્ટિવલ ઑફ ઈન્ડિયા 2024ના ચોથા દિવસે એક અલગ જ ચમક જોવા મળી હતી. સેલિબ્રિટીઝ અને મનમોહક લોક પ્રદર્શન સાથે ગરબા નાઇટથી લોકો મંત્રમુગ્ધ થયા હતા. આ ફેસ્ટિવલમાં અનેક મોટી હસ્તીઓએ પણ ભાગ લીધો હતો.

12 ઓક્ટોબરના મહત્વના સમાચાર : જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, કપાસ-મગફળીના પાકને નુકસાનની ભીતિ

આજે 12 ઓક્ટોબરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

TV9 ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા: સંધી પૂજા અને ભોગ આરતી બાદ આજે દાંડિયા નાઇટ

ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયામાં ફેશન, ફૂડ, હોમ ડેકોર અને હસ્તકલા સહિત વિવિધ ઉત્પાદનોનું વેચાણ કરતા 250 થી વધુ સ્ટોલ છે. આ ઉત્સવમાં, તમને સૂફી સંગીત, બોલીવુડ સંગીત અથવા લોક સંગીત જેવા તમામ પ્રકારના સંગીત સાંભળવાની તક મળશે.

Shardiya Navratri 2024 Day 9 : મહાનવમીના દિવસે વાંચો મા સિદ્ધિદાત્રીની કથા , મા ભગવતી કરશે દરેક મનોકામના પૂર્ણ કરશે

નવરાત્રીના નવમા દિવસે મા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે દેવી સિદ્ધિદાત્રીની પૂજા કરવાથી સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. આ સિવાય માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવાથી વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.

11 ઓક્ટોબરના મહત્વના સમાચાર : ટેકઓફ બાદ એર ઈન્ડિયાના વિમાનમાં ટેકનિકલ ખામી, તમિલનાડુના ત્રિચી એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ

આજે 11 ઓક્ટોબરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

g clip-path="url(#clip0_868_265)">