નવરાત્રી
નવરાત્રી એ હિન્દુઓનો મુખ્ય તહેવાર છે. નવરાત્રી એક સંસ્કૃત શબ્દ છે, જેનો અર્થ થાય છે ‘નવ રાત્રિનો સમય’. આ નવ રાત અને દસ દિવસ દરમિયાન માં દુર્ગાની પૂજા કરવામાં આવે છે.
નવરાત્રી વર્ષમાં ચાર વખત આવે છે. જેના નામ વસંત નવરાત્રી, અષાઢ નવરાત્રી, શરદ નવરાત્રી અને પુષ્ય નવરાત્રી છે. તે હિંદુ મહિનાઓ મુજબ ઉજવવામાં આવે છે.
ચૈત્ર માસમાં વાસંતીક અથવા વાસંતીયા અને અશ્વિન માસમાં શારદીય નવરાત્રી, માઘ અને અષાઢ માસની નવરાત્રી ગુપ્ત નવરાત્રી કહેવાય છે. શારદીય નવરાત્રીનું સમાપન દશેરાના દિવસે દુર્ગા મૂર્તિના વિસર્જન સાથે થાય છે.
જો ધ્યાનથી જોવામાં આવે હિંદુ કેલેન્ડર મુજબ ચૈત્ર મહિનાના ચૈત્ર નવરાત્રિના 9 દિવસ હોય છે. તે પછી ત્રણ મહિના પછી અષાઢમાં ગુપ્ત નવરાત્રિ આવે છે. ત્યાર બાદ ત્રણ મહિના પછી શારદીય નવરાત્રી અને છેલ્લે પુષ્ય નવરાત્રી નવરાત્રી આવે છે.
ભારતના જુદા જુદા ભાગોમાં નવરાત્રી અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે. ગુજરાતમાં આ તહેવાર મોટા પાયે ઉજવવામાં આવે છે.
ગુજરાતમાં નવરાત્રીનો તહેવાર દાંડિયા અને ગરબા રમીને ઉજવવામાં આવે છે. આ આખી રાત ચાલે છે. ગરબા, દેવીના માનમાં ભક્તિમય પ્રદર્શન તરીકે, માતાજીની ‘આરતી’ પહેલાં કરવામાં આવે છે અને તે પછી દાંડિયા રાસ, ગરબા થાય છે.
પશ્ચિમ બંગાળ રાજ્યમાં બંગાળીઓના મુખ્ય તહેવારોમાં, દુર્ગા પૂજા સૌથી વધુ મહત્વના તહેવાર તરીકે ઉભરી આવે છે.
નવરાત્રિ વ્રત દરમ્યાન થતી સામાન્ય ભૂલો! ડાઇટીશિયન પાસેથી જાણો સ્વાસ્થ્ય માટે કઈ વાતનું ધ્યાન રાખવું, શું છે હેલ્દી ઓપ્શન
નવરાત્રીનું વ્રત મેટાબોલિઝમ અને શરીર ને તાજગીપૂર્ણ રાખવાનો એક સારો મોકો આપે છે. નવ દિવસનું લાંબું વ્રત શરીરને ડિટોક્સ (Detox) કરવા માટે મદદરૂપ બને છે. પરંતુ ઘણી વખત લોકો વ્રત દરમિયાન કેટલીક સામાન્ય ભૂલો કરી બેસે છે, જેના કારણે ફાયદાને બદલે આરોગ્ય પર નકારાત્મક અસર પડી શકે છે..
- TV9 Gujarati
- Updated on: Mar 20, 2026
- 1:42 pm
Chaitra Navratri 2026 : દુર્ગામાની કૃપાથી આ રાશિઓ બનશે ભાગ્યશાળી, દરેક મુશ્કેલી થશે દૂર
ચૈત્ર નવરાત્રી 19 માર્ચથી શરૂ થઈને 27 માર્ચ સુધી ઉજવાશે. માન્યતા મુજબ આ પવિત્ર દિવસોમાં શ્રદ્ધા અને ભક્તિ સાથે માતા દુર્ગાની ઉપાસના કરવાથી જીવનના કષ્ટો દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. ચાલો હવે જાણીએ કે કઈ રાશિના લોકો પર માતા દુર્ગાની ખાસ કૃપા રહેતી હોવાનું માનવામાં આવે છે.
- Ashvin Patel
- Updated on: Mar 19, 2026
- 4:19 pm
Chaitra Navratri 2026 : ભારતનું એક એવુ મંદિર જ્યાં રોજ રાત્રે એની જાતે જ વાગે છે ઘંટડીઓ, જાણો શું છે રહસ્ય
મધ્ય પ્રદેશમાં આવેલું મૈહર માતા મંદિર પોતાની આસ્થા અને રહસ્યો માટે જાણીતું છે. માન્યતા મુજબ, રાત્રે મંદિરના દરવાજા બંધ થયા પછી પણ ઘંટડીઓ જાતે જ વાગતી સંભળાય છે, જે આ પવિત્ર સ્થાનના દૈવીય રહસ્યને વધુ ગાઢ બનાવે છે.
- RajSingh Sisodiya
- Updated on: Mar 19, 2026
- 2:57 pm
Hindu New Year 2026: હિન્દુ નવા વર્ષના પહેલા દિવસે આ 5 વસ્તુઓ ઘરે લાવો, દેવી લક્ષ્મીજી કૃપા આખા વર્ષ દરમિયાન વરસાવશે!
Hindu New Year 2026: 2026માં હિન્દુ નવું વર્ષ આજથી શરૂ થાય છે, જેને ચૈત્ર શુક્લ પ્રતિપદા તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસ નવા સંવત્સરની શરૂઆત દર્શાવે છે અને નવા સંકલ્પો, નવી આશાઓ અને સકારાત્મક ઉર્જા સાથે જીવનમાં આગળ વધવાનું પ્રતીક છે. એવું માનવામાં આવે છે કે આ ખાસ દિવસે ઘરમાં અમુક વસ્તુઓ લાવવાથી આખા વર્ષ દરમિયાન દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળે છે, જેનાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.
- Meera Kansagara
- Updated on: Mar 19, 2026
- 11:06 am
Chaitra Navratri 2026: નવરાત્રી શરૂ! કળશ સ્થાપનનો સાચો સમય, પૂજા વિધિ અને નિયમો અહીં વાંચો
Chaitra Navratri 2026: એવી ધાર્મિક માન્યતા છે કે નવરાત્રિ દરમિયાન પૂજા અને ઉપવાસ કરવાથી દેવી દુર્ગા પ્રસન્ન થાય છે અને જીવન ખુશીઓથી ભરાઈ જાય છે. તે પોતાના ભક્તોના બધા દુ:ખ દૂર કરે છે, તો ચાલો ચૈત્ર નવરાત્રિ વિશે બધું જ જાણીએ, કળશ સ્થાપનથી લઈને નિયમો સુધી.
- Hasmukh Ramani
- Updated on: Mar 19, 2026
- 8:20 am
Chaitra Navratri 2026: ચૈત્ર નવરાત્રિ 2026માં વ્રત દરમિયાન બનાવો આ 5 સ્વાદિષ્ટ સાબુદાણા રેસિપી
ચૈત્ર નવરાત્રિ દરમિયાન વ્રત રાખનાર માટે સાબુદાણા એક શ્રેષ્ઠ વિકલ્પ છે. સાબુદાણાથી બનેલી આ 5 ટેસ્ટી રેસીપી તમારા વ્રતને બનાવશે સરળ અને સ્વાદિષ્ટ.
- Nishat
- Updated on: Mar 18, 2026
- 2:59 pm
Chaitra Navratri 2026: નવરાત્રીના 9 દિવસમાં બની રહ્યા છે વિવિધ શુભ યોગ, જાણો કઇ રાશિને થશે અસર
આ ચૈત્ર નવરાત્રી દરમિયાન ગ્રહોનું ગોચર ભક્તિ અને આત્મચિંતન માટે સંપૂર્ણપણે અનુકૂળ દેખાય છે. જ્ઞાન અને વિસ્તરણનો ગ્રહ ગુરુ, મિથુન રાશિમાં સીધી ગતિમાં છે. જ્યારે ગુરુ સીધી હોય છે, ત્યારે તે આપણી બુદ્ધિને સ્પષ્ટતા પ્રદાન કરે છે અને આપણી નિર્ણય લેવાની શક્તિમાં વધારો કરે છે. આ નવું જ્ઞાન મેળવવા અને આપણી મોટી ઇચ્છાઓને પૂર્ણ કરવાની યોજના બનાવવાનો ઉત્તમ સમય છે.
- Tanvi Soni
- Updated on: Mar 18, 2026
- 12:34 pm
Chaitra Navratri 2026: ક્યારથી શરુ થાય છે ચૈત્ર નવરાત્રી? જાણો ઘટસ્થાપનાથી લઈને શુભ મૂહુર્ત
ચૈત્ર નવરાત્રી 2026 શરૂ થવા જઈ રહી છે. ઘટસ્થાપનનો શુભ સમય, નવરાત્રીની ચોક્કસ તારીખો, દેવી દુર્ગા (નવદુર્ગા) ના નવ સ્વરૂપોને સમર્પિત દિવસો, સંપૂર્ણ પૂજા વિધિઓ અને રામ નવમી સંબંધિત સંપૂર્ણ વિગતો વિશે જાણો.
- Devankashi rana
- Updated on: Mar 18, 2026
- 9:01 am
Chaitra Navratri 2026 : ચૈત્ર નવરાત્રી દરમિયાન ગુપ્ત રીતે આ વસ્તુઓનું કરો દાન, દેવી દુર્ગાના મળશે આશીર્વાદ !
Chaitra Navratri 2026: એવું માનવામાં આવે છે કે નવરાત્રી દરમિયાન યોગ્ય સમયે અને યોગ્ય વસ્તુ માટે કરવામાં આવેલું ગુપ્ત દાન ઘણી વખત પાછું મળે છે. તો ચાલો જાણીએ કે નવરાત્રી દરમિયાન ગુપ્ત રીતે કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ.
- Sagar Solanki
- Updated on: Mar 16, 2026
- 4:27 pm
Chaitra Navratri Story : ફક્ત રાવણ જ નહીં, મહાભારતના પાંડવોએ પણ કરી હતી નવરાત્રી પૂજા.
એવું માનવામાં આવે છે કે નવરાત્રીના નવ દિવસ દરમિયાન સાચા હૃદયથી દેવી દુર્ગાની પૂજા કરવાથી ભક્તોની બધી ઇચ્છાઓ પૂર્ણ થાય છે. આ પવિત્ર પ્રસંગે ઘણી પૌરાણિક કથાઓ પણ પ્રચલિત છે. સામાન્ય રીતે એવું જાણીતું છે કે લંકાનો રાજા રાવણ ભગવાન શિવ અને દેવી દુર્ગાનો મહાન ભક્ત હતો અને તેણે દેવીની સાધના પણ કરી હતી. જોકે, બહુ ઓછા લોકો જાણે છે કે મહાભારતના એક પાંડવે પણ નવરાત્રી પૂજા કરી હતી.
- TV9 Gujarati
- Updated on: Mar 16, 2026
- 10:44 am
ચૈત્ર નવરાત્રી 2026 : નવરાત્રી દરમિયાન કઈ દેવીને કયું ફૂલ ચઢાવવું જોઈએ ? માં દુર્ગાના ભક્તોની લાવશે સુખાકારી
ચૈત્ર નવરાત્રીએ હિંદુઓનો ધાર્મિક તહેવાર છે, સંસ્કૃત ભાષામાં "નવરાત્રી" નો અર્થ "નવરાત્રીઓનો સમૂહ" એવો થાય છે, નવરાત્રી દરમિયાન, દેવીઓને તેમના મનપસંદ પ્રસાદ અને ફૂલો ચઢાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે દરેક દેવીને તેમના મનપસંદ ફૂલો ચઢાવવાથી તેઓ ઝડપથી પ્રસન્ન થાય છે અને ભક્તોની બધી ઇચ્છાઓ પૂર્ણ થાય છે. તો ચાલો જોઈએ કે નવ દેવીઓને કયા ફૂલો ચઢાવવા જોઈએ.
- Kaushikkumar chavda
- Updated on: Mar 15, 2026
- 1:45 pm
Breaking News : બહિયલમાં બુલડોઝર ! નવરાત્રી દરમિયાન થયેલા જૂથ અથડામણના આરોપીઓના 186 દબાણ તોડી પાડ્યા, જુઓ Video
નવરાત્રીમાં ગાંધીનગરના બહિયલમાં થયેલી હિંસક જૂથ અથડામણ બાદ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તંત્ર દ્વારા બહિયલમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. આરોપીઓના દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે.
- TV9 Gujarati
- Updated on: Oct 9, 2025
- 12:25 pm
મેગા ડાંડિયા નાઈટમાં ગરબાના તાલે ઝુમ્યા નીતા અંબાણી, ફાલ્ગુની પાઠકના સૂરોથી સજી સાંજ
નવરાત્રી પર્વને ખાસ બનાવવા માટે જિયો વર્લ્ડ સેન્ટરમાં રેડિયન્સ ડાંડિયા નાઈટનું આયોજન કરવામાં આવ્યુ. તેની આગેવાની ખુદ નીતા અંબાણી દ્વારા કરવામાં આવી. આ દરમિયાન વધુ એક પૂજા-અર્ચનાથી આદ્યાત્મિક ભાવ ઝલક્યો. તો બીજી તરફ ફાલ્ગુની પાઠકની સુરીલી અવાજ અને ગબાના તહેવારથી તહેવારોનો ઉત્સાહથી ભરેલો ભાવ સહુ કોઈના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો.
- Mina Pandya
- Updated on: Oct 6, 2025
- 4:47 pm
Sharad Purnima 2025: આજે શરદ પૂર્ણિમા છે, આજના દિવસના દૂધ પૌંઆને અમૃત કેમ કહેવામાં આવે છે?
Sharad Purnima 2025 Kab hai: શરદ પૂર્ણિમા જેને કોજાગરી પૂર્ણિમા અથવા રાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે દેવી લક્ષ્મી અને ચંદ્ર દેવની વિશેષ પૂજા માટે સૌથી શુભ દિવસ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે શરદ પૂર્ણિમાની રાત્રે, ચંદ્ર, તેના પૂર્ણ 16 કળાઓથી પૃથ્વી પર અમૃતનો વરસાદ કરે છે.
- Meera Kansagara
- Updated on: Oct 6, 2025
- 11:16 am
Gandhinagar : BSF કેમ્પમાં ગરબાનું ભવ્ય આયોજન, જવાનોએ પરિવાર સાથે ગરબાની રમઝટ બોલાવી, જુઓ Video
નવરાત્રીમાં આખો દેશ માતાજીની ભક્તિમાં રંગાઈ ગયો હતો. ત્યારે દેશના જવાનો માટે ખાસ ગાંધીનગરમાં BSFના હેડ ક્વાટરમાં ગરબાનું આયોજન કરાયું હતું.
- Jignesh Patel
- Updated on: Oct 3, 2025
- 2:31 pm