Ahmedabad : tv9ના અહેવાલ બાદ કુંભકર્ણની નિંદ્રામાંથી જાગ્યુ તંત્ર, શાસ્ત્રી બ્રિજના સમારકામની શરૂઆત- Photos
Ahmedabad: અમદાવાદમાં કુંભકર્ણની નિંદ્રામાંથી જાગેલા AMCના સત્તાધીશોએ વિશાલા ઉર્ફે શાસ્ત્રી બ્રિજના સમારકામની શરૂઆત કરી છે. છેલ્લા ઘણા સમયથી બ્રિજ જર્જરિત બન્યો છે. આ અંગે tv9 ગુજરાતી દ્વારા ધારદાર અહેવાલ પ્રસારીત કરવામાં આવ્યો હતો. tv9ના અહેવાલ બાદ સફાળા જાગેલા તંત્રએ હવે ઉધામા શરૂ કર્યા છે અને બ્રિજની નીચે સપોર્ટ સિસ્ટમ ગોઠવીને કામગીરી શરૂ કરી છે.

Ahmedabad: છેલ્લા ઘણા સમયથી જર્જરીત થયેલા વિશાલા ઉર્ફે શાસ્ત્રી બ્રિજનું સમારકામ કરવાનુ આખરે તંત્રને યાદ આવ્યુ છે. આ બ્રિજ જર્જરીત થવા અંગે tv9 ગુજરાતી દ્વારા ધારદાર અહેવાલ પ્રસારીત કરાયો હતો અને લોકોના જીવ અંગે ચિંતા વ્યક્તિ કરાઈ હતી

tv9ના અહેવાલ બાદ હવે કુંભકર્ણની નિંદ્રામાંથી તંત્ર જાણે આળસ મરડીને બેઠુ થયુ છે અને શાસ્ત્રીબ્રિજના સમારકામની કામગીરી શરૂ કરી છે.

શાસ્ત્રી બ્રિજમાં ઠેર ઠેર તીરાડ પડી ગઈ છે અને આવનજવન માટે જોખમી બન્યો છે, અહીંથી પસાર થતા વાહનચાલકોના માથે જીવનું જોખમ રહેલુ છે.

હાલ તંત્ર દ્વારા શાસ્ત્રી બ્રિજ પરની જર્જરીત રેલિંગ દૂર કરવાની કામગીરી હાથ ધરી છે અને બ્રિજની નીચે સપોર્ટ મુકવામાં આવ્યો છે

શાસ્ત્રી બ્રિજના સમારકામની કામગીરી શરૂ હોવાથી આગામી એક થી બે દિવસ કે એકથી બે સપ્તાહમાં બ્રિજ વાહનોની અવરજવર માટે બંધ કરવામાં આવશે

એ પહેલા સંબંધિત અધિકારી સ્થળ પર પહોંચી નિરીક્ષણ કરી બ્રિજ બંધ કરવા અંગે નિર્ણ કરશે. આ બ્રિજ બંધ થતા વિશાલાથી પીરાણા જતા વાહનચાલકો માટે રૂટ ડાયવર્ટ કરાશે.

અલગ પડી ગયેલા અને નીચે નમી ગયેલા બ્રિજ પોરસન પર લવાશે અને હાઈડ્રોલિક જેક સાથે કામ કરવામાં આવશે. સાથે જ બેરિંગ, સ્પાન બદલવા અને જર્જરીત ભાગનું સમારકામ જેવી કામગીરી કરવામાં આવશે.

મુખ્ય કામગીરી શરૂ થતા બ્રિજ 5થી6 મહિના માટે અવરજવર માટે બંધ રહી શકે છે