AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઓગસ્ટ મહિનાથી 40 વર્ષ જૂની ટિકિટ બુકિંગ સિસ્ટમ થશે બંધ ! હવે AI સેકન્ડોમાં જણાવશે વેટિંગ ટિકિટ કન્ફર્મ થશે કે નહીં

ભારતીય રેલવે આગામી ઓગસ્ટ મહિનાથી પોતાની આધુનિક રિઝર્વેશન પ્રણાલી લાગુ કરવા જઈ રહી છે, જેનાથી 1986થી ચાલી આવતી જૂની સિસ્ટમ સંપૂર્ણપણે બદલાઈ જશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા રિવ્યૂ કરાયેલા આ મેગા પ્રોજેક્ટ હેઠળ હવે મુસાફરોને સુપરફાસ્ટ બુકિંગ સ્પીડ, તત્કાલ બુકિંગ વખતે સર્વર ક્રેશેસમાંથી મુક્તિ અને 94% સચોટતા ધરાવતું AI આધારિત વેટિંગ ટિકિટ કન્ફર્મેશન પ્રિડિક્શન મળશે.

| Updated on: Jun 08, 2026 | 7:30 PM
Share
ભારતીય રેલવે ઓગસ્ટ મહિનાથી પોતાની આધુનિક રિઝર્વેશન પ્રણાલી લાગુ કરવા જઈ રહી છે. આનાથી ટિકિટ બુકિંગની જૂની સિસ્ટમ સંપૂર્ણપણે ચેન્જ થઈ જશે. આ નવું પ્લેટફોર્મ મુસાફરો માટે બહેતર બુકિંગ ક્ષમતા, એઆઈ-સપોર્ટેડ ટિકિટ કન્ફર્મ થવાનું પૂર્વાનુમાન અને સરળ બુકિંગ પ્રક્રિયા જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવશે.

ભારતીય રેલવે ઓગસ્ટ મહિનાથી પોતાની આધુનિક રિઝર્વેશન પ્રણાલી લાગુ કરવા જઈ રહી છે. આનાથી ટિકિટ બુકિંગની જૂની સિસ્ટમ સંપૂર્ણપણે ચેન્જ થઈ જશે. આ નવું પ્લેટફોર્મ મુસાફરો માટે બહેતર બુકિંગ ક્ષમતા, એઆઈ-સપોર્ટેડ ટિકિટ કન્ફર્મ થવાનું પૂર્વાનુમાન અને સરળ બુકિંગ પ્રક્રિયા જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવશે.

1 / 8
ભારતીય રેલવે ઓગસ્ટ મહિનાથી પોતાની આશરે 40 વર્ષ જૂની રિઝર્વેશન સિસ્ટમ બદલવા જઈ રહી છે. 1986થી ઉપયોગમાં લેવાતી પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (PRS) ની જગ્યાએ હવે નવી અને આધુનિક સિસ્ટમ લાવવામાં આવશે. રેલવેનો દાવો છે કે આનાથી ટિકિટ બુકિંગ પહેલા કરતાં વધુ ઝડપી, સરળ અને ભરોસાપાત્ર બની જશે. સાથે જ મુસાફરોને ઘણી નવી સુવિધાઓ પણ મળશે.

ભારતીય રેલવે ઓગસ્ટ મહિનાથી પોતાની આશરે 40 વર્ષ જૂની રિઝર્વેશન સિસ્ટમ બદલવા જઈ રહી છે. 1986થી ઉપયોગમાં લેવાતી પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (PRS) ની જગ્યાએ હવે નવી અને આધુનિક સિસ્ટમ લાવવામાં આવશે. રેલવેનો દાવો છે કે આનાથી ટિકિટ બુકિંગ પહેલા કરતાં વધુ ઝડપી, સરળ અને ભરોસાપાત્ર બની જશે. સાથે જ મુસાફરોને ઘણી નવી સુવિધાઓ પણ મળશે.

2 / 8
રેલ મંત્રીએ તાજેતરમાં જ રેલ ભવનમાં આ પ્રોજેક્ટનો સમીક્ષા કર્યો હતો અને અધિકારીઓને નિર્દેશ આપ્યા હતા કે નવી સિસ્ટમમાં બદલાવ દરમિયાન મુસાફરોને કોઈ પણ પ્રકારની પરેશાની ન થવી જોઈએ. રેલવે ઓગસ્ટથી તબક્કાવાર રીતે ટ્રેનોને નવી રિઝર્વેશન સિસ્ટમ પર શિફ્ટ કરવાનું શરૂ કરશે.

રેલ મંત્રીએ તાજેતરમાં જ રેલ ભવનમાં આ પ્રોજેક્ટનો સમીક્ષા કર્યો હતો અને અધિકારીઓને નિર્દેશ આપ્યા હતા કે નવી સિસ્ટમમાં બદલાવ દરમિયાન મુસાફરોને કોઈ પણ પ્રકારની પરેશાની ન થવી જોઈએ. રેલવે ઓગસ્ટથી તબક્કાવાર રીતે ટ્રેનોને નવી રિઝર્વેશન સિસ્ટમ પર શિફ્ટ કરવાનું શરૂ કરશે.

3 / 8
1986 માં શરૂ થઈ હતી હાલની સિસ્ટમ: ભારતીય રેલવેની હાલની પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ 1986માં શરૂ કરવામાં આવી હતી. છેલ્લા ચાર દાયકામાં આમાં કેટલાક નાના-મોટા ફેરફારો જરૂર થયા, પરંતુ તેનું મૂળ માળખું લગભગ એવું જ રહ્યું. આ સમયગાળા દરમિયાન મુસાફરોની સંખ્યા અને ઓનલાઈન ટિકિટ બુકિંગમાં જબરદસ્ત વધારો થયો છે. આવી સ્થિતિમાં રેલવેને એક વધુ સક્ષમ અને આધુનિક સિસ્ટમની જરૂરિયાત અનુભવાઈ રહી હતી. રેલવેએ વર્ષ 2002માં ઇન્ટરનેટ દ્વારા ટિકિટ બુકિંગની સુવિધા શરૂ કરી હતી. આજે સ્થિતિ એ છે કે લગભગ 88 ટકા ટિકિટ ઓનલાઈન બુક થાય છે. આથી, નવી સિસ્ટમને આ વધતી જતી ડિજિટલ માંગને ધ્યાનમાં રાખીને જ તૈયાર કરવામાં આવી છે.

1986 માં શરૂ થઈ હતી હાલની સિસ્ટમ: ભારતીય રેલવેની હાલની પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ 1986માં શરૂ કરવામાં આવી હતી. છેલ્લા ચાર દાયકામાં આમાં કેટલાક નાના-મોટા ફેરફારો જરૂર થયા, પરંતુ તેનું મૂળ માળખું લગભગ એવું જ રહ્યું. આ સમયગાળા દરમિયાન મુસાફરોની સંખ્યા અને ઓનલાઈન ટિકિટ બુકિંગમાં જબરદસ્ત વધારો થયો છે. આવી સ્થિતિમાં રેલવેને એક વધુ સક્ષમ અને આધુનિક સિસ્ટમની જરૂરિયાત અનુભવાઈ રહી હતી. રેલવેએ વર્ષ 2002માં ઇન્ટરનેટ દ્વારા ટિકિટ બુકિંગની સુવિધા શરૂ કરી હતી. આજે સ્થિતિ એ છે કે લગભગ 88 ટકા ટિકિટ ઓનલાઈન બુક થાય છે. આથી, નવી સિસ્ટમને આ વધતી જતી ડિજિટલ માંગને ધ્યાનમાં રાખીને જ તૈયાર કરવામાં આવી છે.

4 / 8
ટિકિટ બુક કરાવતી વખતે તમારે શું ધ્યાનમાં રાખવું જોઈએ? : ટિકિટ બુક કરાવતી વખતે બાળકની સાચી ઉંમર દાખલ કરો. જો બાળક 5 વર્ષથી ઓછી ઉંમરનું હોય તો અલગ ટિકિટની જરૂર નથી. જો કે, 5 થી 12 વર્ષની વયના બાળકો માટે ટિકિટ ફરજિયાત છે. જો તમને અલગ સીટ જોઈતી હોય, તો સંપૂર્ણ ભાડું ચૂકવીને સીટ ધરાવતો વિકલ્પ પસંદ કરો. ટિકિટ બુક કરાવ્યા પછી સીટ ફાળવણીની વિગતો તપાસવાનું ભૂલશો નહીં.(ફોટો ક્રેડિટ-Google)

ટિકિટ બુક કરાવતી વખતે તમારે શું ધ્યાનમાં રાખવું જોઈએ? : ટિકિટ બુક કરાવતી વખતે બાળકની સાચી ઉંમર દાખલ કરો. જો બાળક 5 વર્ષથી ઓછી ઉંમરનું હોય તો અલગ ટિકિટની જરૂર નથી. જો કે, 5 થી 12 વર્ષની વયના બાળકો માટે ટિકિટ ફરજિયાત છે. જો તમને અલગ સીટ જોઈતી હોય, તો સંપૂર્ણ ભાડું ચૂકવીને સીટ ધરાવતો વિકલ્પ પસંદ કરો. ટિકિટ બુક કરાવ્યા પછી સીટ ફાળવણીની વિગતો તપાસવાનું ભૂલશો નહીં.(ફોટો ક્રેડિટ-Google)

5 / 8
RailOne એપની લોકપ્રિયતા વધી: રેલવેનો આ બદલાવ તેની ડિજિટલ વ્યૂહરચનાનો એક ભાગ છે. જુલાઈ 2025માં લોન્ચ કરવામાં આવેલી 'રેલવન' એપને એક વર્ષથી પણ ઓછા સમયમાં 3.5 કરોડથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી ચૂકી છે. આ એપ દ્વારા મુસાફરો ટિકિટ બુક અને કેન્સલ કરી શકે છે, ટ્રેનનું લાઈવ લોકેશન જોઈ શકે છે, પ્લેટફોર્મ અને કોચની માહિતી મેળવી શકે છે, ફરિયાદ નોંધાવી શકે છે અને અન્ય ઘણી રેલવે સેવાઓનો પણ ઉપયોગ કરી શકે છે. રેલવેના આંકડા મુજબ, આ એપ દ્વારા દરરોજ આશરે 9.29 લાખ ટિકિટ બુક થઈ રહી છે. જેમાં અંદાજે 7.2 લાખ અનરિઝર્વ્ડ અને 2.09 લાખ રિઝર્વ્ડ ટિકિટો સામેલ છે.

RailOne એપની લોકપ્રિયતા વધી: રેલવેનો આ બદલાવ તેની ડિજિટલ વ્યૂહરચનાનો એક ભાગ છે. જુલાઈ 2025માં લોન્ચ કરવામાં આવેલી 'રેલવન' એપને એક વર્ષથી પણ ઓછા સમયમાં 3.5 કરોડથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી ચૂકી છે. આ એપ દ્વારા મુસાફરો ટિકિટ બુક અને કેન્સલ કરી શકે છે, ટ્રેનનું લાઈવ લોકેશન જોઈ શકે છે, પ્લેટફોર્મ અને કોચની માહિતી મેળવી શકે છે, ફરિયાદ નોંધાવી શકે છે અને અન્ય ઘણી રેલવે સેવાઓનો પણ ઉપયોગ કરી શકે છે. રેલવેના આંકડા મુજબ, આ એપ દ્વારા દરરોજ આશરે 9.29 લાખ ટિકિટ બુક થઈ રહી છે. જેમાં અંદાજે 7.2 લાખ અનરિઝર્વ્ડ અને 2.09 લાખ રિઝર્વ્ડ ટિકિટો સામેલ છે.

6 / 8
AI જણાવશે ટિકિટ કન્ફર્મ થવાની સંભાવના: નવી સિસ્ટમની સૌથી ખાસ સુવિધાઓમાંની એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત વેટિંગ ટિકિટ પ્રિડિક્શન ફીચર છે. આ સુવિધા મુસાફરોને જણાવે છે કે તેમની વેટિંગ ટિકિટ કન્ફર્મ થવાની કેટલી સંભાવના છે. રેલવેના જણાવ્યા અનુસાર, આ ફીચરની સચોટતા પહેલા આશરે 53 ટકા હતી, જે હવે વધીને 94 ટકા સુધી પહોંચી ગઈ છે. આનાથી મુસાફરોને મુસાફરીનું બહેતર આયોજન કરવામાં મદદ મળશે અને અનિશ્ચિતતા ઘટશે.

AI જણાવશે ટિકિટ કન્ફર્મ થવાની સંભાવના: નવી સિસ્ટમની સૌથી ખાસ સુવિધાઓમાંની એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત વેટિંગ ટિકિટ પ્રિડિક્શન ફીચર છે. આ સુવિધા મુસાફરોને જણાવે છે કે તેમની વેટિંગ ટિકિટ કન્ફર્મ થવાની કેટલી સંભાવના છે. રેલવેના જણાવ્યા અનુસાર, આ ફીચરની સચોટતા પહેલા આશરે 53 ટકા હતી, જે હવે વધીને 94 ટકા સુધી પહોંચી ગઈ છે. આનાથી મુસાફરોને મુસાફરીનું બહેતર આયોજન કરવામાં મદદ મળશે અને અનિશ્ચિતતા ઘટશે.

7 / 8
ઓગસ્ટ મહિનાથી 40 વર્ષ જૂની ટિકિટ બુકિંગ સિસ્ટમ થશે બંધ ! હવે AI સેકન્ડોમાં જણાવશે વેટિંગ ટિકિટ કન્ફર્મ થશે કે નહીં

8 / 8

હવે Lower Berth માટે કોઈની સામે હાથ ફેલાવવો નહીં પડે, IRCTC ની આ ઓનલાઇન સેટિંગ્સથી મળશે મનપસંદ સીટ

Follow Us
Breaking News : રાણીપ હત્યા કેસમાં 8 આરોપીઓ ઝડપાયા
Breaking News : રાણીપ હત્યા કેસમાં 8 આરોપીઓ ઝડપાયા
ગંભીરા બાદ ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી
ગંભીરા બાદ ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી
ઉના નજીક ખેતરોમાં વનરાજાના આંટાફેરાથી ખેડૂતોમાં ફફડાટ- Video વાયરલ
ઉના નજીક ખેતરોમાં વનરાજાના આંટાફેરાથી ખેડૂતોમાં ફફડાટ- Video વાયરલ
ગુજરાતમાં એક ફોન કરો ને દારૂ, ડ્રગ્સની હોમ ડિલિવરી થઈ જાય- ગેનીબેન
ગુજરાતમાં એક ફોન કરો ને દારૂ, ડ્રગ્સની હોમ ડિલિવરી થઈ જાય- ગેનીબેન
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ સામે ખેડૂતોની દિલ્હી કૂચ, જુઓ Video
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ સામે ખેડૂતોની દિલ્હી કૂચ, જુઓ Video
સુરત એમ્બ્રોઈડરી ઉદ્યોગના કારીગરોએ ઉગામ્યુ હડતાળનું શસ્ત્ર - Video
સુરત એમ્બ્રોઈડરી ઉદ્યોગના કારીગરોએ ઉગામ્યુ હડતાળનું શસ્ત્ર - Video
AMCનું જેકેટ પહેરી, ક્રેન લાવીને રોડ પર જ કરી 7 લાખના કોપર વાયરની ચોરી
AMCનું જેકેટ પહેરી, ક્રેન લાવીને રોડ પર જ કરી 7 લાખના કોપર વાયરની ચોરી
જામનગરના હડમતીયા ગામની વાડી વિસ્તારમાં સિંહ દેખાતા ફફડાટ, જુઓ-Video
જામનગરના હડમતીયા ગામની વાડી વિસ્તારમાં સિંહ દેખાતા ફફડાટ, જુઓ-Video
સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો
સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો
આજનું રાશિફળ : રવિવારે કઈ રાશિઓ માટે રહેશે નાણાકીય રોકાણ ઉત્તમ? જુઓ
આજનું રાશિફળ : રવિવારે કઈ રાશિઓ માટે રહેશે નાણાકીય રોકાણ ઉત્તમ? જુઓ
g clip-path="url(#clip0_868_265)">