AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જમાઈઓ ધ્યાન આપો… શું તમારી સાસુમાએ તમારા લાંબા આયુષ્ય માટે આ વ્રત રાખ્યું છે? જાણો અનોખી પરંપરા પાછળનું અસલી કારણ

સનાતન ધર્મમાં એવા ઘણા વ્રત અને ઉપવાસ આવે છે કે, જે મહિલાઓ પતિ અને સંતાનની લાંબી ઉંમરની કામના માટે રાખે છે. આટલું જ નહીં, સંતાન પ્રાપ્તિની કામના માટે પણ ઘણા વ્રત રાખવામાં આવે છે. એવામાં શું તમે જાણો છો કે, એક વ્રત એવું પણ છે કે જે દીકરા કે દીકરી માટે નહીં પરંતુ જમાઈની લાંબી ઉંમર માટે રાખવામાં આવે છે?

| Updated on: Jun 08, 2026 | 7:50 PM
Share
હિન્દુ ધર્મમાં જમાઈને ખૂબ જ માન-સન્માન આપવામાં આવે છે. જો કે, દેશના એક રાજ્યમાં જમાઈની લાંબી ઉંમર માટે સાસુ પૂરી શ્રદ્ધા અને ભક્તિભાવથી ઉપવાસ રાખે છે. સરળ રીતે કહીએ તો, ભારતના આ રાજ્યમાં જમાઈની લાંબી ઉંમર માટે 'જમાઈ ષષ્ઠી' વ્રત રાખવામાં આવે છે.

હિન્દુ ધર્મમાં જમાઈને ખૂબ જ માન-સન્માન આપવામાં આવે છે. જો કે, દેશના એક રાજ્યમાં જમાઈની લાંબી ઉંમર માટે સાસુ પૂરી શ્રદ્ધા અને ભક્તિભાવથી ઉપવાસ રાખે છે. સરળ રીતે કહીએ તો, ભારતના આ રાજ્યમાં જમાઈની લાંબી ઉંમર માટે 'જમાઈ ષષ્ઠી' વ્રત રાખવામાં આવે છે.

1 / 6
સૌથી પહેલા વાત કરીએ કે, જમાઈ ષષ્ઠી વ્રત ક્યારે રાખવામાં આવે છે? જણાવી દઈએ કે, દર વર્ષે જેઠ મહિનાના શુક્લ પક્ષની ષષ્ઠી તિથિના દિવસે જમાઈ ષષ્ઠી વ્રત રાખવામાં આવે છે. આ અનોખો તહેવાર બંગાળમાં ઉજવવામાં આવે છે અને ત્યાંની સંસ્કૃતિમાં તેનું વિશેષ સ્થાન છે. પંચાંગ અનુસાર, આ વર્ષે જમાઈ ષષ્ઠી 20 જૂન 2026 ના રોજ ઉજવવામાં આવશે.

સૌથી પહેલા વાત કરીએ કે, જમાઈ ષષ્ઠી વ્રત ક્યારે રાખવામાં આવે છે? જણાવી દઈએ કે, દર વર્ષે જેઠ મહિનાના શુક્લ પક્ષની ષષ્ઠી તિથિના દિવસે જમાઈ ષષ્ઠી વ્રત રાખવામાં આવે છે. આ અનોખો તહેવાર બંગાળમાં ઉજવવામાં આવે છે અને ત્યાંની સંસ્કૃતિમાં તેનું વિશેષ સ્થાન છે. પંચાંગ અનુસાર, આ વર્ષે જમાઈ ષષ્ઠી 20 જૂન 2026 ના રોજ ઉજવવામાં આવશે.

2 / 6
'જમાઈ ષષ્ઠી' મુખ્યત્વે બંગાળી સંસ્કૃતિમાં ઉજવવામાં આવતો એક ખૂબ જ અનોખો અને સુંદર તહેવાર છે. આ તહેવાર ઘરના જમાઈને સમર્પિત છે. તેની પાછળ ઘણા સામાજિક, સાંસ્કૃતિક અને પૌરાણિક કારણો છુપાયેલા છે.

'જમાઈ ષષ્ઠી' મુખ્યત્વે બંગાળી સંસ્કૃતિમાં ઉજવવામાં આવતો એક ખૂબ જ અનોખો અને સુંદર તહેવાર છે. આ તહેવાર ઘરના જમાઈને સમર્પિત છે. તેની પાછળ ઘણા સામાજિક, સાંસ્કૃતિક અને પૌરાણિક કારણો છુપાયેલા છે.

3 / 6
પરંપરાગત ભારતીય સમાજમાં જમાઈને આદરણીય સ્થાન આપવામાં આવ્યું છે અને બંગાળમાં ઉજવવામાં આવતા જમાઈ ષષ્ઠી તહેવાર પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય જમાઈનો આદર-સત્કાર કરવાનો તેમજ તેમને એવો અહેસાસ કરાવવાનો છે કે, તેઓ આ પરિવારનો એક અભિન્ન હિસ્સો છે. જમાઈ ષષ્ઠીનો તહેવાર બંને પરિવારો વચ્ચેના સંબંધોને વધુ મધુર અને મજબૂત બનાવે છે.

પરંપરાગત ભારતીય સમાજમાં જમાઈને આદરણીય સ્થાન આપવામાં આવ્યું છે અને બંગાળમાં ઉજવવામાં આવતા જમાઈ ષષ્ઠી તહેવાર પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય જમાઈનો આદર-સત્કાર કરવાનો તેમજ તેમને એવો અહેસાસ કરાવવાનો છે કે, તેઓ આ પરિવારનો એક અભિન્ન હિસ્સો છે. જમાઈ ષષ્ઠીનો તહેવાર બંને પરિવારો વચ્ચેના સંબંધોને વધુ મધુર અને મજબૂત બનાવે છે.

4 / 6
જૂના સમયમાં જ્યારે પરિવહનના સાધનો મર્યાદિત હતા અને લગ્ન પછી દીકરીઓ બહુ દૂર ચાલી જતી હતી. એવામાં દૂરથી પિયર આવવા માટે ઘણું વિચારવું પડતું હતું. કહેવાય છે કે, એટલા માટે સામાજિક નિયમો હેઠળ આ તહેવારની શરૂઆત કરવામાં આવી હતી, જેથી 'ષષ્ઠી પૂજા'ના બહાને જ દીકરી તેમજ જમાઈને આદરપૂર્વક પિયર બોલાવી શકાય અને આખો પરિવાર સાથે સમય વિતાવી શકે.

જૂના સમયમાં જ્યારે પરિવહનના સાધનો મર્યાદિત હતા અને લગ્ન પછી દીકરીઓ બહુ દૂર ચાલી જતી હતી. એવામાં દૂરથી પિયર આવવા માટે ઘણું વિચારવું પડતું હતું. કહેવાય છે કે, એટલા માટે સામાજિક નિયમો હેઠળ આ તહેવારની શરૂઆત કરવામાં આવી હતી, જેથી 'ષષ્ઠી પૂજા'ના બહાને જ દીકરી તેમજ જમાઈને આદરપૂર્વક પિયર બોલાવી શકાય અને આખો પરિવાર સાથે સમય વિતાવી શકે.

5 / 6
જમાઈ ષષ્ઠીનો આ અનોખો તહેવાર માત્ર ખાવા-પીવાનો ઉત્સવ નથી પરંતુ ધાર્મિક રીતે આ 'મા ષષ્ઠી'ને સમર્પિત છે. 'મા ષષ્ઠી'ને બાળકો અને પરિવારની રક્ષક દેવી માનવામાં આવે છે. આ દિવસે સાસુ પોતાના જમાઈની લાંબી ઉંમર, સારા સ્વાસ્થ્ય અને દીકરીના સંતાનની ખુશહાળી માટે વ્રત રાખે છે.

જમાઈ ષષ્ઠીનો આ અનોખો તહેવાર માત્ર ખાવા-પીવાનો ઉત્સવ નથી પરંતુ ધાર્મિક રીતે આ 'મા ષષ્ઠી'ને સમર્પિત છે. 'મા ષષ્ઠી'ને બાળકો અને પરિવારની રક્ષક દેવી માનવામાં આવે છે. આ દિવસે સાસુ પોતાના જમાઈની લાંબી ઉંમર, સારા સ્વાસ્થ્ય અને દીકરીના સંતાનની ખુશહાળી માટે વ્રત રાખે છે.

6 / 6
ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી તમામ માહિતી સામાજિક અને ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. TV9 Gujarati આની પુષ્ટિ કરતું નથી. આના માટે કોઈ નિષ્ણાત (એક્સપર્ટ)ની સલાહ ચોક્કસ લો.

જૂનના બીજા અઠવાડિયામાં આ મૂળાંકના લોકોનું ચમકશે નસીબ ! શું તમારો નંબર પણ છે?

Follow Us
ગાંધીનગરને મળી 40 નવી ઈ-બસ, શહેરમાં ગ્રીન પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુગ
ગાંધીનગરને મળી 40 નવી ઈ-બસ, શહેરમાં ગ્રીન પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુગ
સુરત એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટ લેન્ડિંગ વખતે લેસર એટેક
સુરત એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટ લેન્ડિંગ વખતે લેસર એટેક
પાલનપુરની મહિલાઓએ વર્ષો જૂની ઢુંઢિયા બાવજી પરંપરાને ફરી કરી જીવંત
પાલનપુરની મહિલાઓએ વર્ષો જૂની ઢુંઢિયા બાવજી પરંપરાને ફરી કરી જીવંત
અનંત અંબાણીએ તિરુપતિ બાલાજી મંદિરની પરંપરાને અનુસરતા કર્યુ કેશ દાન
અનંત અંબાણીએ તિરુપતિ બાલાજી મંદિરની પરંપરાને અનુસરતા કર્યુ કેશ દાન
વાવણી બાદ વરસાદ ન થતા જમીનમાં ઘટ્યુ ભેજનું પ્રમાણ, પાણી આપવાની ઉઠી માગ
વાવણી બાદ વરસાદ ન થતા જમીનમાં ઘટ્યુ ભેજનું પ્રમાણ, પાણી આપવાની ઉઠી માગ
ભ્રષ્ટાચારના ખુલ્લેઆમ ખેલ પર ક્યાં સુધી 'આંખ આડા કાન' કરશે 'સરકાર'?
ભ્રષ્ટાચારના ખુલ્લેઆમ ખેલ પર ક્યાં સુધી 'આંખ આડા કાન' કરશે 'સરકાર'?
ચોમાસુ ખેંચાતા મહેસાણાના ખેડૂતોની ચિંતા વધી, વાવણીના આયોજન ખોરવાયા
ચોમાસુ ખેંચાતા મહેસાણાના ખેડૂતોની ચિંતા વધી, વાવણીના આયોજન ખોરવાયા
મેનેજમેન્ટ કમિટી ફરજિયાત મુદ્દે ગ્રાન્ટેડ શાળાઓનો સરકારને વિરોધ
મેનેજમેન્ટ કમિટી ફરજિયાત મુદ્દે ગ્રાન્ટેડ શાળાઓનો સરકારને વિરોધ
રોડ પર ડામર ગાયબ ને મસમોટા ખાડા! તંત્રના પેટનું પાણી કયારે હલશે?
રોડ પર ડામર ગાયબ ને મસમોટા ખાડા! તંત્રના પેટનું પાણી કયારે હલશે?
અમદાવાદના વસ્ત્રાલમાં વરુણદેવને રિઝવવા કરાયો પર્જન્ય યજ્ઞ
અમદાવાદના વસ્ત્રાલમાં વરુણદેવને રિઝવવા કરાયો પર્જન્ય યજ્ઞ
g clip-path="url(#clip0_868_265)">