કાનુની સવાલ : જો બાઇકનું ઇન્ડિકેટર તૂટી ગયું હોય, તો શું ટ્રાફિક પોલીસ દંડ ફટકારી શકે છે?
અમે તમને એ જ જણાવવા જઈ રહ્યા છીએ. જે લોકો વારંવાર ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરે છે અથવા બેદરકારીથી વાહન ચલાવે છે .તેમના વાહનો ટ્રાફિક પોલીસ દ્વારા જપ્ત કરી શકાય છે. ખાસ કરીને ઈ-ચલણ સિસ્ટમ લાગુ થયા પછી, દરેક ઉલ્લંઘનનો ડિજિટલ રેકોર્ડ રાખવામાં આવી રહ્યો છે. તો આજે આપણે જાણીશું કે, જો બાઈકનું ઈન્ડિકેટર તુટી જાય તો શું પોલીસ દંડ ફટકારી શકે.

મોટર વાહન અધિનિયમના નિયમો અનુસાર, જો બાઇકનું ઇન્ડિકેટર તૂટી ગયું હોય અથવા કામ ન કરતો હોય તો ટ્રાફિક પોલીસ તમારી સામે ચલણ કાપી શકે છે.

મોટર વ્હીકલ એક્ટ અનુસાર તમામ વાહનોમાં કડક સુરક્ષાના નિયમોનું પાલન કરવા માટે લાઈટ અને ઈન્ડિકેટર યોગ્ય સ્થિતિમાં હોવું જરુરી છે.

મોટર વાહન અધિનિયમ હેઠળ તૂટેલા અથવા ખરાબ થયેલા ઈન્ડિકેટરના કારણે 500 થી 1,500 સુધીનો દંડ અથવા (ઈ-ચલણ) કાપી શકે છે.

ઇન્ડિકેટરનો ઉપયોગ વળાંક અથવા લેન બદલવાનો સંકેત આપવા માટે થાય છે. તેમના વિના, પાછળથી આવતા વાહનો તેમની દિશા નક્કી કરી શકતા નથી, જેના કારણે અકસ્માતોનું જોખમ વધે છે.

આ નિયમો માર્ગ સલામતી વધારવા અને બેદરકારીપૂર્વક વાહન ચલાવવાને રોકવાના ઉદ્દેશ્યથી લાગુ કરવામાં આવ્યા છે.જો તમને લાગે કે ચલણ ખોટી રીતે જાહેર કરવામાં આવ્યું છે, તો તમને તેને ઓનલાઈન અથવા સંબંધિત કોર્ટમાં પડકારવાનો સંપૂર્ણ અધિકાર છે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva /PTI )
કાયદો એ નિયમોનો સમૂહ છે. જેને સમુદાય દ્વારા માન્ય તરીકે સ્વીકારવામાં આવે છે. કાયદો દેશના વહીવટ માટે નૈતિક માર્ગદર્શક તરીકે પણ કાર્ય કરે છે. કાયદો એ માનવ વર્તન અને ક્રિયાઓનું નિયમન કરવાની એક પદ્ધતિ છે. અહી ક્લિક કરો
