વર્ષની સૌથી મોટી એકાદશીએ બનશે ‘નવપંચમ રાજયોગ’, આ રાશિના જાતકો પર થશે ‘ધનવર્ષા’
આ વર્ષની સૌથી મોટી એકાદશી એટલે કે નિર્જળા એકાદશી પર એક ખૂબ જ અદભુત અને શુભ સંયોગ બનવા જઈ રહ્યો છે. આ દિવસે આકાશમાં શનિ અને શુક્રની યુતિથી ‘નવપંચમ રાજયોગ’ રચાશે, જેને જ્યોતિષશાસ્ત્રમાં ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે.

25 જૂને વર્ષની સૌથી મોટી એકાદશી એટલે કે નિર્જળા એકાદશી ઉજવવામાં આવશે. હિન્દુ ધર્મમાં નિર્જળા એકાદશીનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. આ દિવસે નિર્જળા (પાણી વિનાનું) વ્રત રાખવાની સાથે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી ધન-ધાન્ય તેમજ સૌભાગ્યમાં વધારો થાય છે. આ સાથે જ નિર્જળા એકાદશીના દિવસે જ નવપંચમ રાજયોગનો પણ શુભ સંયોગ બની રહ્યો છે.

જણાવી દઈએ કે, જ્યારે શનિ અને શુક્ર એકબીજાથી 120 ડિગ્રીના અંતરે આવે છે, ત્યારે શુભ નવપંચમ રાજયોગનું નિર્માણ થાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં શુક્ર અને શનિને મિત્ર ગ્રહ જણાવવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં જ્યારે પણ તેમની વચ્ચે ત્રિકોણીય રાજયોગ બને છે, ત્યારે તેનું પરિણામ અત્યંત શુભ હોય છે. 25 જૂન 2026ના રોજ શુક્ર-શનિ નવપંચમ રાજયોગનું નિર્માણ કરશે.

વૃષભ રાશિના સ્વામી શુક્ર ગ્રહ છે. આવી સ્થિતિમાં આ શુભ રાજયોગનું મહત્તમ ફળ વૃષભ રાશિના લોકોને મળશે. આ રાશિના જાતકોને કાર્યસ્થળ પર અધિકારીઓ તરફથી પ્રશંસા અને સહયોગ મળશે. બીજું કે, જે લોકો નવો વ્યવસાય શરૂ કરવા માંગે છે, તેમના માટે સમય ઉત્તમ રહેશે. નવપંચમ રાજયોગના શુભ પ્રભાવથી વૃષભ રાશિના લોકોને ધન લાભ પણ થશે. અટકેલા અથવા ઉધાર આપેલા નાણાં પરત મળી શકે છે. આર્થિક સ્થિતિ પહેલા કરતાં વધુ મજબૂત બનશે.

નવપંચમ રાજયોગ મિથુન રાશિના લોકો માટે લાભદાયક રહેશે. ભાગ્યનો પૂરો સાથ મળશે. નોકરિયાત લોકોને નવી જવાબદારી મળી શકે છે. વેપારીઓના હાથમાં કોઈ મોટી ડીલ આવી શકે છે, જેમાં આગળ જતાં જબરદસ્ત નફો થશે અને આવકમાં વધારો થઈ શકે છે. એકંદરે નવપંચમ રાજયોગ મિથુન રાશિના લોકો માટે ફાયદાકારક રહેવાનો છે.

કન્યા રાશિના લોકોના જીવનમાં સકારાત્મક બદલાવ આવશે. તેમને રોકાણથી ફાયદો થશે. આ સિવાય જે લોકો લાંબા સમયથી નવી નોકરીની શોધમાં હતા, તેમને કોઈ સારી ઓફર મળી શકે છે. આવકમાં વધારો થવાના પ્રબળ યોગ બની રહ્યા છે અને દરેક કામમાં સફળતા મળશે. પરિવારમાં આનંદ-ઉલ્લાસનો માહોલ રહેશે.

કુંભ રાશિના સ્વામી શનિદેવ છે, તેથી નવપંચમ રાજયોગ તેમના માટે ધન લાભ લઈને આવી રહ્યો છે. કુંભ રાશિના જાતકોની સુખ-સમૃદ્ધિમાં વધારો થશે. વધુમાં, જે લોકો ઘર કે જમીન ખરીદવાનું વિચારી રહ્યા છે, તેમનું સપનું સાકાર થઈ શકે છે અને સમાજમાં માન-સન્માન વધશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક આસ્થા અને લોક માન્યતાઓ પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ નથી. TV9 Gujarati એક પણ વાતની સત્યતાનું પ્રમાણ આપતું નથી.)
શનિદેવ ખોલશે કુબેરનો ભંડાર! 138 દિવસ સુધી આ 4 રાશિના જાતકો પર થશે ‘નોટોનો વરસાદ’, એક ઉલ્ટી ચાલથી નસીબ પલટાશે
