કાનુની સવાલ : શું લગ્ન પછી પતિનું નામ અને તેની સરનેમ લગાવવી ફરજિયાત છે, જાણો Indian Law શું કહે છે?
કાનુની સવાલ: ભારતીય સમાજમાં લાંબા સમયથી એવી માન્યતા ચાલી આવી છે કે સ્ત્રીએ લગ્ન પછી પોતાના નામ સાથે પતિનું નામ કે તેનો સરનેમ ઉમેરવી જરૂરી છે. પરંતુ કાયદાકીય રીતે તે સાચું છે કે ખોટું તે આપણે જાણવું જરુરી છે. અમુક લડાઈ-ઝગડાનું કારણ આ મુદો પણ હોય શકે છે. ઘણા પ્રશ્નો આપણા મનમાં હોય છે કે પતિનું નામ ઉમેરવું ફરજિયાત છે કે નહી? તો ચાલો આજે આપણે કાયદા મુજબ જોઈએ કે પતિ નામ બદલાવવા માટે ફોર્સ કરી શકે કે નહીં?

સ્ત્રીએ લગ્ન પછી પોતાના નામ સાથે પતિનું નામ કે તેનો સરનેમ ઉમેરવી જરૂરી છે. પરંતુ કાયદાકીય રીતે જોવામાં આવે તો આ એક મોટો ભ્રમ છે. કાયદો મહિલાને લગ્ન પછી પોતાની ઓળખ બદલવા માટે મજબૂર કરતો નથી. આ સંપૂર્ણપણે મહિલાની વ્યક્તિગત પસંદગી પર આધારિત છે.

સ્ત્રીએ લગ્ન પછી પોતાના નામ સાથે પતિનું નામ કે તેનો સરનેમ ઉમેરવી જરૂરી છે. પરંતુ કાયદાકીય રીતે જોવામાં આવે તો આ એક મોટો ભ્રમ છે. કાયદો મહિલાને લગ્ન પછી પોતાની ઓળખ બદલવા માટે મજબૂર કરતો નથી. આ સંપૂર્ણપણે મહિલાની વ્યક્તિગત પસંદગી પર આધારિત છે.

કાયદો શું કહે છે?: ભારતના સંવિધાન મુજબ દરેક નાગરિકને પોતાની ઓળખ રાખવાનો અધિકાર છે. સ્ત્રીએ લગ્ન કર્યા પછી પતિનું નામ લખવું કે ન લખવું એ તેના પોતાના અધિકારમાં આવે છે. કોઈપણ સરકારી કચેરી કે કાનૂની એજન્સી મહિલાને પતિનું નામ ઉમેરવા માટે મજબૂર કરી શકે નહીં.

સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના અનેક ચુકાદાઓમાં પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે લગ્ન પછી સ્ત્રી પોતાનું મૂળ નામ જાળવી રાખી શકે છે. તે પોતાના પિતાનું નામ કે પોતાનો મૂળ સરનેમ પણ જાળવી શકે છે.

સામાજિક દબાણ સામે કાનૂની હક: સામાજિક રીતે ઘણીવાર મહિલાઓ પર દબાણ બનાવવામાં આવે છે કે તેઓ પતિનું નામ લખે. પરંતુ કાયદાની દ્રષ્ટિએ આ જરૂરી નથી. જો કોઈ સ્ત્રી ઇચ્છે તો તે પોતાનો મૂળ સરનેમ જાળવીને તમામ ડોક્યુમેન્ટ્સ એ જ નામે ચલાવી શકે છે.

દસ્તાવેજોમાં ફેરફાર કેવી રીતે?: જો મહિલા પતિનું નામ કે સરનેમ ઉમેરવા માંગે તો તે માટે તેને ગેઝેટ નોટિફિકેશન, એફિડેવિટ અને નોટરીની પ્રક્રિયા કરવી પડે છે. આ એક વૈકલ્પિક પ્રક્રિયા છે, ફરજિયાત નહીં.

લગ્ન પછી પતિનું નામ લખવું કે ન લખવું – એ સંપૂર્ણપણે મહિલાની પોતાની પસંદગી છે. કાયદો મહિલાને તેના પોતાના નામથી જ જીવન જીવવાનો અધિકાર આપે છે. સમાજની પરંપરા એક અલગ બાબત છે, પરંતુ કાનૂની દ્રષ્ટિએ પતિનું નામ જોડવું ફરજિયાત નથી. (Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)
કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.
