વેડિંગ
લગ્નએ એવી ઈવેન્ટ છે, જ્યાં બે લોકો એટલે કે એક કપલ વૈવાહિક સંબંધમાં જોડાય છે. જેને ભારતીય સંસ્કૃતિ મુજબ ‘વિવાહ’ પણ કહેવામાં આવે છે. લગ્ન સમયે ગીતો, કંકોતરી લખવાનો રિવાજ, પીઠી, ફટાણા વગરે પરંપરાગત રીત રિવાજો લગ્ન પ્રસંગને અલગ જ શોભા આપે છે.
અલગ-અલગ ધર્મોમાં જુદી-જુદી રીતે લગ્નો લેવાના રિવાજો હોય છે. હિન્દુ ધર્મમાં સાત ફેરા ફરે છે અને સપ્તપદી વાંચવામાં આવે છે. હિન્દુ મેરેજમાં મંગલસુત્ર અને માથામાં કુમકુમનો સેથોએ, હાથમાં બંગડી વિવાહનું પ્રતિક માનવામાં આવે છે. જ્યારે મુસ્લિમ ધર્મમાં નિકાહ પઢવામાં આવે છે. ક્રિશ્ચિયન ધર્મમાં મેરેજમાં સફેદ લહેંગા અને બ્લેક સુટમાં વર-કન્યા ચર્ચમાં ફાધરની સાક્ષીએ મેરેજ રિંગ પહેરાવે છે.
હિંદુ ધર્મમાં 8 મુખ્ય પ્રકારનાં લગ્નોનું વર્ણન કરવામાં આવ્યું છે. આ લગ્નોમાં શ્રેષ્ઠ સ્થાન બ્રહ્મ વિવાહને અને સૌથી નીચું સ્થાન પૈશાચી વિવાહને આપવામાં આવ્યું છે. આ આઠ લગ્નોમાં સમાવેશ થાય છે – બ્રહ્મ, દૈવ, અર્ષ, પ્રજાપત્ય, અસુર, ગાંધર્વ, રાક્ષસ અને પૈશાચ વિવાહ.
કાનુની સવાલ: લગ્ન પ્રસંગ કે અન્ય કોઈ પ્રસંગે કિન્નર વધારે પૈસા માંગે તો શું કાયદો છે? જાણો ભારતીય કાનુન શું કહે છે
લગ્ન પ્રસંગ કે બાળક જન્મ જેવા પ્રસંગે કિન્નર (ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ) દ્વારા વધારે પૈસા માટે દબાણ કે ધમકી આપવામાં આવે તો ભારતીય કાયદામાં તેની સામે વ્યવસ્થા ઉપલબ્ધ છે. ભારતીય કાયદો શું કહે છે, તે સરળ ભાષામાં સમજીએ.
- Meera Kansagara
- Updated on: Dec 18, 2025
- 7:00 am
શું કોઈ HIV-પોઝિટિવ વ્યક્તિ HIV-નેગેટિવ વ્યક્તિ સાથે લગ્ન કરી શકે છે ? જાણો એક્સપર્ટ શું કહે છે
જો કોઈ વ્યક્તિ HIVથી સંક્રમિત થાય છે, તો તે ખૂબ જ ચિંતાનો વિષય છે. જો કોઈ વ્યક્તિ લગ્ન પહેલાં ચેપગ્રસ્ત થાય છે, તો તે વિચારે છે કે તેણે લગ્ન કરવા જોઈએ કે નહીં. આ પ્રશ્નોના જવાબો શોધવા માટે એક્સપર્ટે જાણકારી આપી છે.
- Meera Kansagara
- Updated on: Dec 16, 2025
- 2:55 pm
Vastu tips: વાસ્તુની આ 4 ભૂલો DIVORCE તરફ દોરી જાય છે, આજે જ ઘરે આ સુધારા કરો
Vastu Tips: વાસ્તુ અનુસાર વ્યક્તિના ઘરમાં જાણી જોઈને કે અજાણતાં કરવામાં આવેલી ભૂલો પતિ-પત્ની વચ્ચેના સંબંધોમાં તિરાડ પેદા કરી શકે છે, જે ક્યારેક છૂટાછેડા તરફ પણ દોરી જાય છે. તેમને કેવી રીતે સુધારવું તે જાણો.
- Meera Kansagara
- Updated on: Dec 13, 2025
- 3:31 pm
ભૂલથી પણ વરરાજા અને કન્યાને આ ભેટ ના આપો, નહીં તો તેમના સંબંધોમાં પડી શકે છે તિરાડ
Vastu Shastra: લગ્નના શુભ પ્રસંગે ભેટો આપવામાં આવે છે. વાસ્તુમાંથી આપવામાં આવ્યું છે કે કન્યા અને વરરાજાને કઈ ભેટો આપવાથી સંબંધોમાં અંતર આવી શકે છે અને વૈવાહિક જીવન બગડી શકે છે.
- Meera Kansagara
- Updated on: Dec 12, 2025
- 3:58 pm
શિક્ષણથી લઈ લગ્ન સુધી.. દીકરીના ભવિષ્ય માટે બેસ્ટ છે આ સરકારી યોજનાઓ, જાણી લો
તમારી પુત્રીના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે શિક્ષણ, કારકિર્દી અને લગ્ન માટે શ્રેષ્ઠ નાણાકીય યોજનાઓ શોધો. સુકન્યા સમૃદ્ધિ, PPF, બાળ વીમા, અને પોસ્ટ ઓફિસ યોજનાઓ જેવા સરકારી વિકલ્પો તેમના માટે ફાયદાકારક છે.
- Sagar Solanki
- Updated on: Dec 11, 2025
- 3:31 pm
Wedding Song : શું આ હિન્દી ગીતનો મૃત્યુ સાથે કોઈ સંબંધ છે ? કેમ કેટલાક લગ્નમાં દુલ્હા-દુલ્હનની એન્ટ્રી દરમિયાન આ ગીત વાગે છે ?
આજકાલ લગ્ન પ્રસંગે એક હિન્દી સોંગ ખૂબ જ વાગે છે. આ ગીત દુલ્હા-દુલ્હનની એન્ટ્રી પર વગાડવામાં આવે છે પરંતુ ગીતનો અર્થ શું? આ વાત મોટાભાગના લોકોને ખબર નથી.
- Ravi Prajapati
- Updated on: Dec 6, 2025
- 8:02 pm
Hindu Wedding Rituals : લગ્નમાં કન્યા લાલ કલરની સાડી કે લહેંગા શા માટે પહેરે છે? જાણો તેનું મહત્વ
Hindu Wedding Rituals: હિન્દુ ધર્મમાં એક ખાસ પરંપરા એ છે કે કન્યાને લાલ એટલે કે સાડી કે લાલ લહેંગા પહેરાવવો. કન્યાને તેના લગ્નના દિવસે લાલ સાડી કે લાલ લહેંગા પહેરવાનું કહેવામાં આવે છે. ચાલો સદીઓથી ચાલી આવતી આ ખાસ પરંપરા વિશે વધુ જાણીએ.
- Meera Kansagara
- Updated on: Dec 4, 2025
- 4:35 pm
કાનુની સવાલ: લવ મેરેજ માટે LC કે બર્થ સર્ટિફિકેટ બંનેમાંથી શું છે ફરજિયાત? જાણો કાયદો શું કહે છે
કાનુની સવાલ: ભારતમાં લગ્ન માટે કાયમી બનાવેલા કેટલાક દસ્તાવેજોની જરૂરિયાત હોય છે. ખાસ કરીને ત્યારે જ્યારે કપલ લવ મેરેજ કરવા માગે છે. ઘણા લોકોના મનમાં સવાલ ઊભો થાય છે કે લવ મેરેજ માટે LC ફરજિયાત છે કે બર્થ સર્ટિફિકેટ? કાયદો આ અંગે શું કહે છે અને લગ્ન માટે કયા દસ્તાવેજ સૌથી વધારે જરૂરી છે, તે જાણવું દરેક કપલ માટે જરૂરી છે.
- Meera Kansagara
- Updated on: Dec 2, 2025
- 4:39 pm
Hindu Wedding Rituals: હિન્દુ ધર્મમાં કન્યા વરરાજાની ડાબી બાજુ જ કેમ બેસે છે? જાણો કારણ
Hindu Wedding Rituals: હિન્દુ લગ્ન પરંપરાઓમાં કન્યાને વરરાજાની ડાબી બાજુ બેસવાની પરંપરા ધાર્મિક, સાંસ્કૃતિક અને જ્યોતિષીય દ્રષ્ટિકોણથી મૂળ ધરાવતી એક મહત્વપૂર્ણ વિધિ છે. આ પરંપરાને પતિ-પત્ની વચ્ચે પ્રેમ, વિશ્વાસ અને સુમેળ જાળવવાનું પ્રતીક પણ માનવામાં આવે છે.
- Meera Kansagara
- Updated on: Dec 1, 2025
- 2:53 pm
આકાશમાંથી થઈ રહી હતી કન્યા-વરરાજાની એન્ટ્રી, ત્યારે જ અચાનક ઝૂલો તુટ્યો, આ Viral Video તમને ડરાવી દેશે
આ ઝડપથી વાયરલ થયેલા વીડિયોમાં કન્યા અને વરરાજા સ્ટેજ તરફ એક મોટા, શણગારેલા ઝૂલા પર ઉભેલા કરતા જોવા મળે છે. બેકગ્રાઉન્ડમાં જોરથી સંગીત વાગે છે અને સ્ટેજની નજીકથી ધુમાડો નીકળે છે.
- Meera Kansagara
- Updated on: Dec 1, 2025
- 2:29 pm
62 વર્ષની ઉંમરે વરરાજા બન્યા ઓસ્ટ્રેલિયાના PM, લાવ્યા 17 વર્ષ નાની પત્ની, જુઓ Video
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝે જોડી હેડન સાથે લગ્ન કરી ઇતિહાસ રચ્યો છે, તેઓ પદ પર રહીને લગ્ન કરનાર પ્રથમ PM બન્યા છે.
- Sagar Solanki
- Updated on: Nov 30, 2025
- 3:28 pm
સ્મૃતિ મંધાના અને પલાશ મુછલ ફરીથી લગ્ન કરશે? ચેટ લીક બાદ મોટા સમાચાર
પલાશ અને સ્મૃતિ મંધાનાના 23 નવેમ્બરના રોજ યોજાનાર લગ્ન મુલતવી રાખવામાં આવ્યા છે. દરમિયાન, પલાશની કથિત ચેટ સામે આવ્યા પછી, સ્મૃતિ અને પલાશના લગ્ન અંગે એક મોટી અપડેટ સામે આવી છે.
- Sagar Solanki
- Updated on: Nov 26, 2025
- 7:45 pm
કાનુની સવાલ: લૂંટેરી દુલ્હન એટલે શું? કેવી રીતે કરે છે ઠગાઈ, મેરેજ કરતાં છોકરાઓએ સાવચેતી રાખવી જરુરી
કાનુની સવાલ: ભારતમાં લગ્નને એક પવિત્ર બંધન માનવામાં આવે છે. બે હૃદયને જ નહીં, પણ બે પરિવારોને જોડતો આ પવિત્ર સંબંધ છે. પરંતુ છેલ્લાં થોડાં વર્ષોમાં કેટલાક ગુનેગારો આ પવિત્રતાનો પણ દુરુપયોગ કરી રહ્યાં છે. ‘લૂંટેરી દુલ્હન’ અથવા Marriage Fraud Bride એ એવો જ એક ગુનો છે. જેમાં દુલ્હન બનીને યુવકોને ઠગીને હજારો-લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવે છે.
- Meera Kansagara
- Updated on: Nov 25, 2025
- 4:09 pm
સ્મૃતિ મંધાના અને પલાશના લગ્ન કેમ મુલતવી રાખવામાં આવ્યા, સોશિયલ મીડિયા પર કર્યો ખુલાસો
ભારતીય ક્રિકેટર સ્મૃતિ મંધાના અને સંગીતકાર પલાશ મુછલના ૨૩ નવેમ્બરના લગ્ન મુલતવી રખાયા છે. સ્મૃતિના પિતાને હાર્ટ એટેક આવતા તેમની તબિયત લથડી છે.
- Sagar Solanki
- Updated on: Nov 24, 2025
- 9:06 pm
Hindu Marriage rituals: આ વિધિઓ વિના હિન્દુ લગ્ન અધૂરા છે, જાણો તેમનું ધાર્મિક મહત્વ
Hindu Marriage rituals: હિન્દુ ધર્મમાં લગ્નને 16 સંસ્કારોમાં સમાવવામાં આવ્યા છે. લગ્ન સમારોહ ફક્ત એક દિવસ ચાલતો નથી; તેના બદલે તેની વિધિઓ ઘણા દિવસો પહેલા શરૂ થાય છે. લગ્ન દરમિયાન હલ્દી અને મહેંદી જેવી ઘણી વિધિઓ કરવામાં આવે છે, જેના વિના લગ્ન અધૂરા માનવામાં આવે છે. આમાંની ઘણી વિધિઓનું વૈજ્ઞાનિક મહત્વ પણ છે.
- Meera Kansagara
- Updated on: Nov 20, 2025
- 10:39 am