Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વેડિંગ

વેડિંગ

લગ્નએ એવી ઈવેન્ટ છે, જ્યાં બે લોકો એટલે કે એક કપલ વૈવાહિક સંબંધમાં જોડાય છે. જેને ભારતીય સંસ્કૃતિ મુજબ ‘વિવાહ’ પણ કહેવામાં આવે છે. લગ્ન સમયે ગીતો, કંકોતરી લખવાનો રિવાજ, પીઠી, ફટાણા વગરે પરંપરાગત રીત રિવાજો લગ્ન પ્રસંગને અલગ જ શોભા આપે છે.

અલગ-અલગ ધર્મોમાં જુદી-જુદી રીતે લગ્નો લેવાના રિવાજો હોય છે. હિન્દુ ધર્મમાં સાત ફેરા ફરે છે અને સપ્તપદી વાંચવામાં આવે છે. હિન્દુ મેરેજમાં મંગલસુત્ર અને માથામાં કુમકુમનો સેથોએ, હાથમાં બંગડી વિવાહનું પ્રતિક માનવામાં આવે છે. જ્યારે મુસ્લિમ ધર્મમાં નિકાહ પઢવામાં આવે છે. ક્રિશ્ચિયન ધર્મમાં મેરેજમાં સફેદ લહેંગા અને બ્લેક સુટમાં વર-કન્યા ચર્ચમાં ફાધરની સાક્ષીએ મેરેજ રિંગ પહેરાવે છે.

હિંદુ ધર્મમાં 8 મુખ્ય પ્રકારનાં લગ્નોનું વર્ણન કરવામાં આવ્યું છે. આ લગ્નોમાં શ્રેષ્ઠ સ્થાન બ્રહ્મ વિવાહને અને સૌથી નીચું સ્થાન પૈશાચી વિવાહને આપવામાં આવ્યું છે. આ આઠ લગ્નોમાં સમાવેશ થાય છે – બ્રહ્મ, દૈવ, અર્ષ, પ્રજાપત્ય, અસુર, ગાંધર્વ, રાક્ષસ અને પૈશાચ વિવાહ.

Read More

Divorce in Pakistan: પાકિસ્તાનમાં કેવી રીતે થાય છે છૂટાછેડા ? જાણી ને ચોંકી જશો

પાકિસ્તાનમાં મુસ્લિમ છૂટાછેડા 1961ના મુસ્લિમ કૌટુંબિક કાયદા હેઠળ નિયંત્રિત થાય છે. પતિ "તલાક" દ્વારા છૂટાછેડા આપી શકે છે, જ્યારે પત્ની "ખુલા" માટે કોર્ટનો સંપર્ક કરી શકે છે.

કાનુની સવાલ: પુત્ર કે પુત્રી પોતાની મરજીથી લવ મેરેજ કરે તો, માતા-પિતા મિલકતનો અધિકાર દૂર કરી શકે?

કાનુની સવાલ: જો કોઈ પુત્ર કે પુત્રી તેના માતા-પિતાની ઇચ્છા વિરુદ્ધ લગ્ન કરે છે તો શું માતા-પિતા તેને તેમની મિલકતના અધિકારથી દૂર કરી શકે છે? જો હા તો કાયદામાં શું ઉકેલ આપવામાં આવ્યો છે તે કાયદાઓ મુજબ જાણો.

કાનુની સવાલ: જો દીકરી ભાગીને લગ્ન કરે તો, પિતાની મિલકત પર દાવો કરી શકે? જાણો શું કહે છે કાયદો

કાનુની સવાલ: જો દીકરી ભાગી ગઈ હોય અને પરિવારની ઇચ્છા વિરુદ્ધ લગ્ન કર્યા હોય તો પણ તે કાનૂની વારસદાર તરીકે તેના પિતાની મિલકત પર વારસાનો દાવો કરી શકે છે. આ અધિકાર ભારતીય કાયદા (ખાસ કરીને હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ, 1956) દ્વારા સંપૂર્ણપણે સુરક્ષિત છે.

દાદીમાની વાતો: પરિણીત સ્ત્રીઓએ પોતાના સેંથામાં સિંદૂર અવશ્ય લગાવવું જોઈએ, દાદીમા આવું કેમ કહે છે?

દાદીમાની વાતો: પરિણીત સ્ત્રીઓ માટે સિંદૂરને વૈવાહિક જીવનનું પ્રતીક માનવામાં આવે છે. એટલા માટે દાદીમા હંમેશા કહે છે કે પરિણીત સ્ત્રીઓના વાળમાં હંમેશા સિંદૂર લગાવવું જોઈએ.

Travel tips : એ…હાલો…માધવપુરના મેળે…., માધવપુર મેળાનો ઇતિહાસ મહાભારતકાળ સાથે જોડાયેલો છે જાણો

માધવપુર ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયા કિનારે પોરબંદર જિલ્લામાં આવેલું છે. જે પોરબંદરથી 46 કિલોમીટર દૂર પૌરાણિક ઐતિહાસિક અને વિરાસત સમું ગામ છે. માધવપુરનો બીચ ખૂબ જ રમણીય અને સેલાણીઓને આકર્ષે છે.આ મેળામાં અરુણાચલ પ્રદેશ, આસામ, સિક્કિમ, મણિપુર, મિઝોરમ, મેઘાલય, નાગાલેન્ડ અને ત્રિપુરાના લોકો પણ આ મેળામાં જોડાઈને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ના સંકલ્પને ચરિતાર્થ કરી રહ્યા છે.

હમ તેરે રહેંગે…ગુજરાતની અનોખી ‘લવ સ્ટોરી’, કપલ 80 વર્ષની ઉંમરે બન્યા ફરીથી વરરાજા અને દુલ્હન

80 Years Old Gujarat Couple Marriage: ગુજરાતનું એક વૃદ્ધ દંપતી આ દિવસોમાં સમાચારમાં છે. કારણ 80 વર્ષની ઉંમરે થયેલા તેમના લગ્ન છે. આ લગ્ન વૃદ્ધ દંપતીના પરિવારે પોતે ગોઠવ્યા હતા. 64 વર્ષ પહેલાં આ કપલે ઘરેથી ભાગીને લગ્ન કર્યા હતા. હવે પરિવારે તેમના લગ્ન હિન્દુ રીતરિવાજ મુજબ ફરીથી કરાવ્યા.

પ્રદોષ વ્રત પર શિવલિંગ પર આ વસ્તુઓ અર્પણ કરો, લગ્નની શરણાઈઓ જલદી વાગશે!

હિન્દુ ધર્મમાં પ્રદોષ વ્રતનું ખૂબ મહત્વ છે. એવું કહેવાય છે કે આ દિવસ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે શુભ છે. આ દિવસે યોગ્ય વિધિઓ સાથે ભોલેનાથની પૂજા કરવાથી અને શિવલિંગ પર કેટલીક ખાસ વસ્તુઓ ચઢાવવાથી લગ્નની શક્યતા વધે છે. આ ઉપરાંત જીવનમાં સુખ અને શાંતિ રહે છે.

કાનુની સવાલ: લગ્ન પછી કેટલા વર્ષ સુધીમાં દહેજનો કેસ નોંધી શકાય છે? કઈ કઈ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવે છે

Dowry Harassment: ભારતીય કાયદા મુજબ દહેજ સંબંધિત બાબતોમાં કેસ દાખલ કરવાની સમય મર્યાદા વિવિધ કાનૂની જોગવાઈઓ પર આધારિત છે. દહેજ ઉત્પીડન અને દહેજ મૃત્યુ જેવા ગુનાઓ અલગ-અલગ કલમો હેઠળ આવે છે અને તેમની સમય મર્યાદા પણ અલગ-અલગ હોય છે.

કાનુની સવાલ: પત્નીએ દહેજનો ખોટો કેસ કર્યો છે તો કેવી રીતે બચવું? આટલા ડોક્યુમેન્ટ્સ તમને ખોટા કેસમાંથી બચાવી શકે છે

કાનુની સવાલ: ખોટા દહેજ કેસને રોકવા માટે નીચેના ડોક્યુમેન્ટ્સ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. આ ડોક્યુમેન્ટ્સ એ સાબિત કરવામાં મદદ કરી શકે છે કે લગ્નમાં કોઈ દહેજ આપવામાં આવ્યું ન હતું અને પતિ અને તેના પરિવારને ખોટા આરોપોમાં ફસાવવામાં આવી રહ્યા છે.

Wedding: લગ્નમાં તમારી સ્કીનના રંગ પ્રમાણે લહેંગા કે શેરવાની કરો સિલેક્ટ, આ ટિપ્સ ફોલો કરો

Wedding Outfits Tips: જો તમે તમારા લગ્ન માટે તમારી ત્વચાના રંગ અનુસાર લહેંગા અથવા શેરવાની પસંદ કરવા માંગતા હો તો ચોક્કસપણે આ રંગ ટિપ્સ ફોલો કરો.

કાનુની સવાલ: સાસરીયા સામે દહેજનો કેસ કરવા માટે કેટલા પુરાવા જોઈએ, કેવી રીતે દહેજ કેસ કરી શકાય? જાણો ભારતીય કાયદો શું કહે છે

કાનુની સવાલ: દહેજ લેવું કે આપવું એ ભારતીય કાયદા હેઠળ ગુનો છે. જો કોઈ મહિલા દહેજ ઉત્પીડન અથવા દહેજ માટે ક્રૂરતાનો કેસ દાખલ કરવા માંગતી હોય તો તેને કેટલાક નક્કર પુરાવાની જરૂર પડશે.

અંબાણીના લગ્નમાં ગાયબ થયો કિમ કાર્દાશિયનનો હીરો, મહિનાઓ પછી કર્યો ખુલાસો

અમેરિકાની લોકપ્રિય ટીવી સ્ટાર કિમ કાર્દાશિયન ગયા વર્ષે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં હાજરી આપવા ભારત આવી હતી. હવે તેણે આ ભવ્ય લગ્નને લઈને એક મોટો ખુલાસો કર્યો છે. કિમે જણાવ્યું કે અંબાણીના લગ્ન દરમિયાન તેનો હીરો ખોવાઈ ગયો હતો.

AI નો લગ્નમાં જાદૂ! સ્વર્ગસ્થ પિતાએ મેરેજના દરેક ફંક્શનમાં આપી હાજરી, બેઠેલા લોકોની આંખોમાં ગંગા-જમના છલકાઈ-જુઓ Video

Emotional Viral Video: AIની કમાલ! દક્ષિણ ભારતમાં એક લગ્ન દરમિયાન એક વીડિયો ચલાવવામાં આવ્યો હતો. જેમાં વરરાજાના સ્વર્ગસ્થ પિતા સ્વર્ગમાંથી નીચે ઉતરીને લગ્નના સમારોહમાં હાજરી આપી તેમજ બધા લોકો સાથે ભોજન લેતા અને પછી પાછા સ્વર્ગમાં ફરતા દેખાયા હતા.

Wedding Video : કુમાર વિશ્વાસની દીકરી અગ્રતાના લગ્નમાં ધામધૂમ, PM મોદીએ પણ આપ્યા આશીર્વાદ

ડૉ. કુમાર વિશ્વાસના આકર્ષક કવિ વ્યક્તિત્વનો જ મહિમા છે કે તેમની દીકરી અને જમાઈને લગ્નના આશીર્વાદ આપવા માટે રાજકારણ, મીડિયા, ધર્મ અને ખેલજગતની ઘણી મહાન હસ્તીઓએ હાજરી આપી હતી. સાથે જ સપા અને કોંગ્રેસના ઘણા દિગ્ગજો પણ ઉપસ્થિત રહ્યા.

Holika Dahan 2025: હોલિકા દહનની અગ્નિમાં આ 5 વસ્તુઓ અચૂક અર્પણ કરો, લગ્નના યોગ જલ્દી બનશે!

Holika Dahan 2025: જો તમારા લગ્નજીવનમાં સમસ્યાઓ આવી રહી છે, તો હિન્દુ ધાર્મિક શાસ્ત્રોમાં હોલિકા દહનના દિવસે કેટલાક ખાસ ઉપાયો સૂચવવામાં આવ્યા છે. માન્યતાઓ અનુસાર હોલિકા દહનના દિવસે આ ઉપાયો કરવાથી લગ્નજીવનમાં આવતી સમસ્યાઓ દૂર થાય છે અને વહેલા લગ્ન થવાની શક્યતા પણ બને છે.

g clip-path="url(#clip0_868_265)">