AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કયા વિટામિનની ઉણપને કારણે લાગે છે વધુ ઠંડી, તમે નહીં જાણતા હોવ

શું તમને પણ ઘણીવાર એવું લાગે છે કે અન્ય લોકોની તુલનામાં તમને વધુ ઠંડી લાગે છે? ઘણા લોકો જ્યાં સામાન્ય રીતે આરામથી ફરતાહોય છે, ત્યાં તમે ધ્રુજતા હોવ છો? અથવા તો ઘરની અંદર પણ તમને ગરમ કપડાં, મોજાં અને ધાબળાની જરૂર પડતી હોય છે? જો આવું હોય, તો એ સમજવું જરૂરી છે કે ઠંડી લાગવાનું કારણ માત્ર બહારનું હવામાન નથી. ઘણીવાર શરીરની અંદર થતાં કેટલાક અસંતુલન અને શારીરિક બદલાવ પણ તેનું કારણ બને છે. ખાસ કરીને શિયાળાની ઋતુમાં.

| Updated on: Dec 15, 2025 | 5:22 PM
Share
કેટલાક લોકોમાં શરીરનું સામાન્ય તાપમાન અન્ય લોકોની સરખામણીએ સ્વાભાવિક રીતે થોડું ઓછું હોય છે. આવા સંજોગોમાં, આસપાસનું હવામાન સામાન્ય હોવા છતાં પણ તેમને ઠંડી વધારે લાગતી હોય છે. શરીરનું તાપમાન ઓછું હોવાને કારણે રક્તસંચાર અને ઊર્જા ઉત્પન્ન થવાની પ્રક્રિયા પર અસર પડી શકે છે, જેના પરિણામે હાથ-પગ ઠંડા રહેવા, વારંવાર ઠંડી લાગવા જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. તેથી આવા લોકોને શિયાળામાં ખાસ કાળજી લેવાની જરૂર પડે. ( Credits: AI Generated )

કેટલાક લોકોમાં શરીરનું સામાન્ય તાપમાન અન્ય લોકોની સરખામણીએ સ્વાભાવિક રીતે થોડું ઓછું હોય છે. આવા સંજોગોમાં, આસપાસનું હવામાન સામાન્ય હોવા છતાં પણ તેમને ઠંડી વધારે લાગતી હોય છે. શરીરનું તાપમાન ઓછું હોવાને કારણે રક્તસંચાર અને ઊર્જા ઉત્પન્ન થવાની પ્રક્રિયા પર અસર પડી શકે છે, જેના પરિણામે હાથ-પગ ઠંડા રહેવા, વારંવાર ઠંડી લાગવા જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. તેથી આવા લોકોને શિયાળામાં ખાસ કાળજી લેવાની જરૂર પડે. ( Credits: AI Generated )

1 / 6
ચયાપચય એટલે શરીરમાં ખોરાકને ઊર્જામાં ફેરવવાની પ્રક્રિયાની છે,  જ્યારે કોઈ વ્યક્તિમાં ચયાપચયની ગતિ ધીમી હોય છે, ત્યારે શરીર જરૂરી તેટલી ઉષ્મા અને ઊર્જા ઉત્પન્ન કરી શકતું નથી. પરિણામે શરીર પોતાનું તાપમાન યોગ્ય રીતે જાળવી શકતું નથી અને વ્યક્તિને સામાન્ય કરતાં વધુ ઠંડી લાગવા લાગે છે. ખાસ કરીને શિયાળામાં, ધીમી ચયાપચય ધરાવતા લોકોમાં હાથ-પગ ઠંડા રહેવા, થાક અનુભવવો અને શરીરમાં ગરમીની ઉણપ લાગવાની સમસ્યા વધુ જોવા મળે છે. તેથી ચયાપચયની ગતિ સ્વસ્થ રાખવી શરીરને ગરમ અને સક્રિય રાખવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ( Credits: AI Generated )

ચયાપચય એટલે શરીરમાં ખોરાકને ઊર્જામાં ફેરવવાની પ્રક્રિયાની છે, જ્યારે કોઈ વ્યક્તિમાં ચયાપચયની ગતિ ધીમી હોય છે, ત્યારે શરીર જરૂરી તેટલી ઉષ્મા અને ઊર્જા ઉત્પન્ન કરી શકતું નથી. પરિણામે શરીર પોતાનું તાપમાન યોગ્ય રીતે જાળવી શકતું નથી અને વ્યક્તિને સામાન્ય કરતાં વધુ ઠંડી લાગવા લાગે છે. ખાસ કરીને શિયાળામાં, ધીમી ચયાપચય ધરાવતા લોકોમાં હાથ-પગ ઠંડા રહેવા, થાક અનુભવવો અને શરીરમાં ગરમીની ઉણપ લાગવાની સમસ્યા વધુ જોવા મળે છે. તેથી ચયાપચયની ગતિ સ્વસ્થ રાખવી શરીરને ગરમ અને સક્રિય રાખવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ( Credits: AI Generated )

2 / 6
જ્યારે શરીરમાં રક્ત પરિભ્રમણ યોગ્ય રીતે કામ કરતું નથી, ત્યારે હાથ, પગ અને અન્ય અંગો સુધી પૂરતું રક્ત પહોંચતું નથી. રક્ત પ્રવાહ ઓછો થતાં આ ભાગોમાં ઉષ્મા પણ ઘટી જાય છે, જેના કારણે તે વિસ્તારોમાં વધુ ઠંડી લાગવાનો અનુભવ થાય છે. ખાસ કરીને લાંબા સમય સુધી બેસી રહેવું, શારીરિક પ્રવૃત્તિનો અભાવ અથવા કેટલીક શારીરિક પરિસ્થિતિઓના કારણે રક્ત પરિભ્રમણ નબળું પડી શકે છે. આવા સંજોગોમાં શરીરના અંતિમ ભાગો વારંવાર ઠંડા રહેવા લાગે છે અને અસ્વસ્થતા અનુભવાય છે. ( Credits: AI Generated )

જ્યારે શરીરમાં રક્ત પરિભ્રમણ યોગ્ય રીતે કામ કરતું નથી, ત્યારે હાથ, પગ અને અન્ય અંગો સુધી પૂરતું રક્ત પહોંચતું નથી. રક્ત પ્રવાહ ઓછો થતાં આ ભાગોમાં ઉષ્મા પણ ઘટી જાય છે, જેના કારણે તે વિસ્તારોમાં વધુ ઠંડી લાગવાનો અનુભવ થાય છે. ખાસ કરીને લાંબા સમય સુધી બેસી રહેવું, શારીરિક પ્રવૃત્તિનો અભાવ અથવા કેટલીક શારીરિક પરિસ્થિતિઓના કારણે રક્ત પરિભ્રમણ નબળું પડી શકે છે. આવા સંજોગોમાં શરીરના અંતિમ ભાગો વારંવાર ઠંડા રહેવા લાગે છે અને અસ્વસ્થતા અનુભવાય છે. ( Credits: AI Generated )

3 / 6
વિટામિન B12 શરીરમાં લાલ રક્તકણોની રચનામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ રક્તકણો શરીરના દરેક અંગ સુધી ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે. જ્યારે વિટામિન B12 ની અછત થાય છે, ત્યારે લોહીમાં પૂરતા લાલ રક્તકણો બની શકતા નથી અને એનિમિયાની સમસ્યા ઊભી થાય છે. એનિમિયા થવાથી શરીરના કોષોને જરૂરી પ્રમાણમાં ઓક્સિજન અને ઉષ્મા મળતી નથી, જેના કારણે વ્યક્તિને વારંવાર ઠંડી લાગવાનો અનુભવ થાય છે. ( Credits: AI Generated )

વિટામિન B12 શરીરમાં લાલ રક્તકણોની રચનામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ રક્તકણો શરીરના દરેક અંગ સુધી ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે. જ્યારે વિટામિન B12 ની અછત થાય છે, ત્યારે લોહીમાં પૂરતા લાલ રક્તકણો બની શકતા નથી અને એનિમિયાની સમસ્યા ઊભી થાય છે. એનિમિયા થવાથી શરીરના કોષોને જરૂરી પ્રમાણમાં ઓક્સિજન અને ઉષ્મા મળતી નથી, જેના કારણે વ્યક્તિને વારંવાર ઠંડી લાગવાનો અનુભવ થાય છે. ( Credits: AI Generated )

4 / 6
વિટામિન Dને સામાન્ય રીતે “સૂર્યપ્રકાશનું વિટામિન” તરીકે ઓળખવામાં આવે છે. આ વિટામિન રોગપ્રતિકારક શક્તિને સક્રિય બનાવવામાં અને શરીરમાં થતી આંતરિક ગરમીનું સંતુલન જાળવવામાં મદદરૂપ બને છે. વિવિધ અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે જેમને વિટામિન Dની કમી હોય છે, તેઓમાં શરદી અથવા ફ્લૂ જેવી ઋતુજન્ય બીમારીઓ થવાની શક્યતા વધુ રહે છે. એટલું જ નહીં, વિટામિન D થાઇરોઇડ ગ્રંથિના કાર્ય પર પણ અસર કરે છે, જે શરીરના તાપમાનનું સંતુલન જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો થાઇરોઇડ યોગ્ય રીતે કાર્ય ન કરે, તો શરીરમાં ગરમી ઓછી બનતી હોવાથી વધારે ઠંડી લાગવાની સમસ્યા ઊભી થઈ શકે છે. ( Credits: AI Generated )

વિટામિન Dને સામાન્ય રીતે “સૂર્યપ્રકાશનું વિટામિન” તરીકે ઓળખવામાં આવે છે. આ વિટામિન રોગપ્રતિકારક શક્તિને સક્રિય બનાવવામાં અને શરીરમાં થતી આંતરિક ગરમીનું સંતુલન જાળવવામાં મદદરૂપ બને છે. વિવિધ અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે જેમને વિટામિન Dની કમી હોય છે, તેઓમાં શરદી અથવા ફ્લૂ જેવી ઋતુજન્ય બીમારીઓ થવાની શક્યતા વધુ રહે છે. એટલું જ નહીં, વિટામિન D થાઇરોઇડ ગ્રંથિના કાર્ય પર પણ અસર કરે છે, જે શરીરના તાપમાનનું સંતુલન જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો થાઇરોઇડ યોગ્ય રીતે કાર્ય ન કરે, તો શરીરમાં ગરમી ઓછી બનતી હોવાથી વધારે ઠંડી લાગવાની સમસ્યા ઊભી થઈ શકે છે. ( Credits: AI Generated )

5 / 6
ઠંડીથી બચવા માટે તમારા આહારમાં ગરમી આપતા ખોરાકનો સમાવેશ કરો. પાલક, બીટ, ઈંડા, માછલી, ચિકન તેમજ દૂધ-દહીં જેવા આયર્ન અને B12 ભરપૂર પદાર્થો ઉપયોગી છે. સૂપ અથવા ચામાં આદુ-લસણ ઉમેરવાથી ચયાપચય વધે છે અને શરીરમાં ગરમી રહે છે. બદામ, અખરોટ અને ખજૂર જેવા સૂકા ફળો ઉર્જા આપે છે, જ્યારે તજ, હળદર અને કાળા મરી જેવા મસાલા અંદરથી ગરમ રાખવામાં મદદ કરે છે. (Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે. યોગ કરવા માટે પહેલા શરીર ફ્લેક્સિબલ હોવું જરુરી છે તેમજ કોઈ નિષ્ણાંતની સલાહ લઈને યોગ કરી શકાય.) ( Credits: AI Generated )

ઠંડીથી બચવા માટે તમારા આહારમાં ગરમી આપતા ખોરાકનો સમાવેશ કરો. પાલક, બીટ, ઈંડા, માછલી, ચિકન તેમજ દૂધ-દહીં જેવા આયર્ન અને B12 ભરપૂર પદાર્થો ઉપયોગી છે. સૂપ અથવા ચામાં આદુ-લસણ ઉમેરવાથી ચયાપચય વધે છે અને શરીરમાં ગરમી રહે છે. બદામ, અખરોટ અને ખજૂર જેવા સૂકા ફળો ઉર્જા આપે છે, જ્યારે તજ, હળદર અને કાળા મરી જેવા મસાલા અંદરથી ગરમ રાખવામાં મદદ કરે છે. (Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે. યોગ કરવા માટે પહેલા શરીર ફ્લેક્સિબલ હોવું જરુરી છે તેમજ કોઈ નિષ્ણાંતની સલાહ લઈને યોગ કરી શકાય.) ( Credits: AI Generated )

6 / 6

નિયમિત રીતે યોગ કરવાથી ઘણા લાભ થાય છે. જેમ કે મનને શાંતિ મળે છે, તણાવ મુક્ત જીવન, શરીરનો થાક દૂર થાય છે, શરીર રોગ મુક્ત બને છે, વજન પર કંટ્રોલ કરી શકાય છે. યોગના વધારે ન્યૂઝ વાંચવા માટે આ પેજ સાથે જોડાયેલા રહો.

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
g clip-path="url(#clip0_868_265)">