Travel Trip : ન્યુયર પર માતા-પિતા સાથે આ ધાર્મિક સ્થળોએ દર્શન કરવાનો પ્લાન બનાવો
ગુજરાતમાં અનેક આધ્યાત્મિક સ્થળો આવેલા છે. તમે પણ નવા વર્ષની શરુઆત આ ધાર્મિક સ્થળોના દર્શન કરી શરુ કરી શકો છો. તો ચાલો આપણે જોઈએ ગુજરાતમાં તમે ક્યા ક્યા ધાર્મિક સ્થળોએ ફરવાનો પ્લાન બનાવી શકો.

હિન્દુ માન્યતાઓ અનુસાર, ઘણા મુખ્ય ધાર્મિક સ્થળો છે જેમની માત્ર મુલાકાત લેવાથી ભક્તને શુભ પરિણામો મળે છે. ધાર્મિક સ્થળોએ ફરવાનું આયોજન કરી રહ્યા છો. તો નવા વર્ષની શરુઆતમાં માતા-પિતાને લઈ કરી આવો આ ધાર્મિક સ્થળોના દર્શન. ચાલો આ સ્થળો પર એક નજર કરીએ.

ગિરનારમાં પાંચ ઉંચા શિખરો આવેલા છે. જેમાં ગોરખ શિખર 3600, અંબાજી 3300, ગૌમુખી શિખર 3120, જૈન મંદિર શિખર 3300 અને માળીપરબ 1800 ફુટની ઉંચાઈઓ ધરાવે છે. જેથી ગિરનાર પર્વત ગુજરાતનો પણ ઉંચામાં ઉંચો પર્વત છે. તો તમે માતા-પિતાને લઈ ગિરનારની મુલાકાત લઈ શકો છો. અહી તમે રોપવેમાં બેસવાનો પણ આનંદ માણી શકો છો.

અંબાજી ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલું એક યાત્રાધામ છે. અંબાજી 51 શક્તિ પીઠો પૈકીનું એક છે. અંબાજી માતા મંદિર ભારતના મુખ્ય પીઠ છે. તે પાલનપુરથી આશરે 65 કિલોમીટર દૂર માઉન્ટ આબુથી 45 કિલોમીટર અને અબુ રોડથી 20 કિલોમીટર અને અમદાવાદથી 185 કિ.મી.દુર આવેલું છે.

પાવાગઢ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લામાં આવેલા હાલોલ નજીક આવેલો એક ડુંગર છે. આ ડુંગરની ટોચ પર આવેલા મહાકાળી માતાના મંદિરને કારણે આ સ્થળ ગુજરાતનાં પવિત્ર યાત્રાધામ પૈકીનું એક તીર્થસ્થળ ગણાય છે. ચૈત્રી તેમજ આસોની નવરાત્રિના નવ દિવસોમાં અહીં સૌથી વધુ લોકો દર્શનાર્થે આવે છે. એક માન્યતા મુજબ પાવાગઢનો સમાવેશ માતાજીની શક્તિપીઠોમાં થાય છે અને અહીં સતિનાં સ્તનનો ભાગ પડ્યો હોવાનું કહેવામાં આવે છે.

સોમનાથ ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના સાગરકાંઠે આવેલું ભવ્ય મંદિર છે. ભગવાન શિવના 12 પવિત્ર જ્યોતિર્લિંગમાનું પ્રથમ જ્યોતિર્લિગ અહીં સોમનાથમાં છે. સોમનાથનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ થયો છે.

દ્વારકા પૌરાણિક સમયથી જાણીતું યાત્રાધામ છે. દેવભૂમિ દ્વારકા જઈ રહ્યા છો તો તમે દ્વારકા, બેટ દ્વારકા, નાગેશ્વર જેવા પ્રવાસન સ્થળોની પણ મુલાકાત લઈ શકો છો.4 ધામોમાંનું એક ધામ, ભગવાન શ્રી કૃષ્ણ, કાળિયા ઠાકોરનું ગામ એટલે દેવભૂમિ દ્વારકા તો એક વખત જરુર પ્લાન બનાવો. (All Photo :Gujarat tourisam )
ટ્રાવેલ એટલે કે એક જગ્યાને છોડીને બીજી જગ્યાએ ફરવા માટે જવું. ઘણી વાર લોકો મનની શાંતિ માટે ફરવા જાય છે તો કેટલીક વાર બાળકોની સાથે નાની પિકનીક પણ મનાવે છે. અહી ક્લિક કરો
