AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમિતાભ બચ્ચન અને રેખાના બ્રેકઅપ પાછળનું સાચું કારણ આવ્યું સામે, અભિનેત્રીની મિત્રએ કર્યો ખુલાસો!

રેખાની મિત્ર બીના રામાણીએ અમિતાભ બચ્ચન સાથેના તેમના સંબંધોના બ્રેકઅપનું સાચું કારણ જણાવ્યું છે. રેખા કઈક અલગ વાત ઇચ્છતી હતી પરંતુ પરિણીત હોવાથી અને રાજકારણમાં પ્રવેશવાને કારણે અમિતાભ માટે તે શક્ય નહોતું.

| Updated on: Dec 15, 2025 | 5:20 PM
Share
અમિતાભ બચ્ચન અને રેખા બોલિવૂડના સૌથી ચર્ચિત અને યાદગાર યુગલોમાંથી એક રહ્યા છે. એક સમય એવો હતો જ્યારે તેમના સંબંધો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ભારે ચર્ચાનો વિષય બન્યા હતા. જોકે, તે દરમિયાન અમિતાભ બચ્ચન પહેલેથી જ જયા બચ્ચન સાથે લગ્ન કરી ચૂક્યા હતા. હવે વર્ષો બાદ, રેખાની એક નજીકની મિત્રએ તેમના બ્રેકઅપ પાછળનું સાચું કારણ જાહેર કર્યું છે.

અમિતાભ બચ્ચન અને રેખા બોલિવૂડના સૌથી ચર્ચિત અને યાદગાર યુગલોમાંથી એક રહ્યા છે. એક સમય એવો હતો જ્યારે તેમના સંબંધો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ભારે ચર્ચાનો વિષય બન્યા હતા. જોકે, તે દરમિયાન અમિતાભ બચ્ચન પહેલેથી જ જયા બચ્ચન સાથે લગ્ન કરી ચૂક્યા હતા. હવે વર્ષો બાદ, રેખાની એક નજીકની મિત્રએ તેમના બ્રેકઅપ પાછળનું સાચું કારણ જાહેર કર્યું છે.

1 / 8
બોલિવૂડમાં કેટલીક પ્રેમકથાઓ એવી હોય છે જે ક્યારેય જૂની થતી નથી. ભલે તે સંબંધો અંત સુધી પહોંચી ન શક્યા હોય, પરંતુ તેમની ચર્ચા આજે પણ થાય છે. અમિતાભ બચ્ચન અને રેખાની પ્રેમકથા પણ એવી જ એક અધૂરી કહાની છે, જે આજે પણ લોકોમાં રસ જગાવે છે.

બોલિવૂડમાં કેટલીક પ્રેમકથાઓ એવી હોય છે જે ક્યારેય જૂની થતી નથી. ભલે તે સંબંધો અંત સુધી પહોંચી ન શક્યા હોય, પરંતુ તેમની ચર્ચા આજે પણ થાય છે. અમિતાભ બચ્ચન અને રેખાની પ્રેમકથા પણ એવી જ એક અધૂરી કહાની છે, જે આજે પણ લોકોમાં રસ જગાવે છે.

2 / 8
રેખાની નજીકની મિત્ર અને સોશિયલાઇટ બીના રામાણીએ આ સંબંધ અંગે ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે તે સમયે રેખા ઈચ્છતી હતી કે અમિતાભ બચ્ચન જાહેરમાં તેમના સંબંધોને સ્વીકારે. રેખાને એ ગમતું નહોતું કે તેમનો સંબંધ ગુપ્ત રાખવામાં આવે અને દુનિયાથી છુપાવવામાં આવે. પરંતુ આ શક્ય બની શક્યું નહીં, કારણ કે અમિતાભ બચ્ચન તે સમયે જયા બચ્ચન સાથે લગ્ન કરી ચૂક્યા હતા અને રાજકારણમાં પ્રવેશ કરવાની તૈયારીમાં હતા.

રેખાની નજીકની મિત્ર અને સોશિયલાઇટ બીના રામાણીએ આ સંબંધ અંગે ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે તે સમયે રેખા ઈચ્છતી હતી કે અમિતાભ બચ્ચન જાહેરમાં તેમના સંબંધોને સ્વીકારે. રેખાને એ ગમતું નહોતું કે તેમનો સંબંધ ગુપ્ત રાખવામાં આવે અને દુનિયાથી છુપાવવામાં આવે. પરંતુ આ શક્ય બની શક્યું નહીં, કારણ કે અમિતાભ બચ્ચન તે સમયે જયા બચ્ચન સાથે લગ્ન કરી ચૂક્યા હતા અને રાજકારણમાં પ્રવેશ કરવાની તૈયારીમાં હતા.

3 / 8
બીના રામાણીએ રેખાના બાળપણ અને તેની માનસિક સ્થિતિ અંગે પણ ખુલ્લેઆમ વાત કરી. તેમણે કહ્યું કે અભિનેતા જેમિની ગણેશનની ગેરકાયદેસર સંતાન તરીકે જન્મેલી રેખા સ્થિર અને સુરક્ષિત કુટુંબિક વાતાવરણ વિના મોટી થઈ. આ બાબતનો તેના જીવન અને લાગણીઓ પર ઊંડો પ્રભાવ પડ્યો હતો.

બીના રામાણીએ રેખાના બાળપણ અને તેની માનસિક સ્થિતિ અંગે પણ ખુલ્લેઆમ વાત કરી. તેમણે કહ્યું કે અભિનેતા જેમિની ગણેશનની ગેરકાયદેસર સંતાન તરીકે જન્મેલી રેખા સ્થિર અને સુરક્ષિત કુટુંબિક વાતાવરણ વિના મોટી થઈ. આ બાબતનો તેના જીવન અને લાગણીઓ પર ઊંડો પ્રભાવ પડ્યો હતો.

4 / 8
બીનાએ જણાવ્યું, “રેખા મારી ખૂબ જ નજીકની મિત્ર હતી. તેણીમાં એક વિશેષ પ્રકારની માસૂમિયત હતી. જો તેના જીવનમાં ક્યારેય કંઈ ખોટું થયું હોય, તો તે તેની નિર્દોષતા અને ભાવુકતાને કારણે હતું. બાળપણમાં માતા-પિતાના પ્રેમનો અભાવ તેણીને ખૂબ લાગ્યો હતો. એ કારણે જ તેણીએ માત્ર 13–14 વર્ષની ઉંમરે કામ કરવાનું શરૂ કર્યું અને સાચા અર્થમાં બાળપણ માણી શકી નહીં.”

બીનાએ જણાવ્યું, “રેખા મારી ખૂબ જ નજીકની મિત્ર હતી. તેણીમાં એક વિશેષ પ્રકારની માસૂમિયત હતી. જો તેના જીવનમાં ક્યારેય કંઈ ખોટું થયું હોય, તો તે તેની નિર્દોષતા અને ભાવુકતાને કારણે હતું. બાળપણમાં માતા-પિતાના પ્રેમનો અભાવ તેણીને ખૂબ લાગ્યો હતો. એ કારણે જ તેણીએ માત્ર 13–14 વર્ષની ઉંમરે કામ કરવાનું શરૂ કર્યું અને સાચા અર્થમાં બાળપણ માણી શકી નહીં.”

5 / 8
જ્યારે અમિતાભ બચ્ચન રાજકારણમાં સક્રિય બન્યા, ત્યારબાદ પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ. બીનાનું માનવું હતું કે રેખા માટે આ સ્વીકારવું ખૂબ મુશ્કેલ હતું કે તેમનો સંબંધ ક્યારેય જાહેર રીતે માન્યતા મેળવી શકશે નહીં.

જ્યારે અમિતાભ બચ્ચન રાજકારણમાં સક્રિય બન્યા, ત્યારબાદ પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ. બીનાનું માનવું હતું કે રેખા માટે આ સ્વીકારવું ખૂબ મુશ્કેલ હતું કે તેમનો સંબંધ ક્યારેય જાહેર રીતે માન્યતા મેળવી શકશે નહીં.

6 / 8
બીનાએ આગળ જણાવ્યું, “જ્યારે અમિતાભ બચ્ચન રાજકારણમાં પ્રવેશ્યા, ત્યારે રેખા મને મળવા ન્યુ યોર્ક આવી હતી. તે સમયે તે ભાવનાત્મક રીતે ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી હતી. કદાચ તેનું કારણ એ હતું કે અમિતાભ બચ્ચને તેને સ્પષ્ટ કહી દીધું હતું કે તેમનો સંબંધ ક્યારેય જાહેર કરવામાં નહીં આવે.”

બીનાએ આગળ જણાવ્યું, “જ્યારે અમિતાભ બચ્ચન રાજકારણમાં પ્રવેશ્યા, ત્યારે રેખા મને મળવા ન્યુ યોર્ક આવી હતી. તે સમયે તે ભાવનાત્મક રીતે ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી હતી. કદાચ તેનું કારણ એ હતું કે અમિતાભ બચ્ચને તેને સ્પષ્ટ કહી દીધું હતું કે તેમનો સંબંધ ક્યારેય જાહેર કરવામાં નહીં આવે.”

7 / 8
અમિતાભ બચ્ચન અને રેખાની ઓનસ્ક્રીન કેમિસ્ટ્રી ફિલ્મ ‘સિલસિલા’માં ખાસ જોવા મળી હતી. આ ઉપરાંત બંનેએ ‘મુકદ્દર કા સિકંદર’, ‘mr નટવરલાલ’, ‘સુહાગ’, ‘દો અંજાને’ અને ‘રામ બલરામ’ જેવી અનેક સફળ ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું, જે આજે પણ દર્શકોને યાદ છે.

અમિતાભ બચ્ચન અને રેખાની ઓનસ્ક્રીન કેમિસ્ટ્રી ફિલ્મ ‘સિલસિલા’માં ખાસ જોવા મળી હતી. આ ઉપરાંત બંનેએ ‘મુકદ્દર કા સિકંદર’, ‘mr નટવરલાલ’, ‘સુહાગ’, ‘દો અંજાને’ અને ‘રામ બલરામ’ જેવી અનેક સફળ ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું, જે આજે પણ દર્શકોને યાદ છે.

8 / 8

જામનગરથી ઉડી અફેરની ચર્ચાઓ, સસરાનું બોલિવુડ કનેક્શન, ગર્લફ્રેન્ડથી 4 વર્ષ નાના રાહુલ મોદીનો જુઓ પરિવાર

Follow Us
રાજકોટના સનાળી ગામે ભારે પવનથી ચાર વીજ પોલ ધરાશાયી
રાજકોટના સનાળી ગામે ભારે પવનથી ચાર વીજ પોલ ધરાશાયી
ધોળકામાં હેવાન શિક્ષકે વિદ્યાર્થી સાથે આચર્યુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
ધોળકામાં હેવાન શિક્ષકે વિદ્યાર્થી સાથે આચર્યુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
ઈડરમાં મૈત્રી કરાર કરનાર યુવકને બની બેસેલા ઠેકેદારોએ આપી તાલિબાની સજા
ઈડરમાં મૈત્રી કરાર કરનાર યુવકને બની બેસેલા ઠેકેદારોએ આપી તાલિબાની સજા
NEET પરીક્ષાને લઈ વડોદરામાં લોખંડી બંદોબસ્ત: 17 કેન્દ્રો પર મોકડ્રીલ
NEET પરીક્ષાને લઈ વડોદરામાં લોખંડી બંદોબસ્ત: 17 કેન્દ્રો પર મોકડ્રીલ
Breaking News : રાજકોટના વિંછીયા પંથકમાં ધોધમાર વરસાદ
Breaking News : રાજકોટના વિંછીયા પંથકમાં ધોધમાર વરસાદ
અમરેલી અને બાબરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં ખુશી
અમરેલી અને બાબરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં ખુશી
અમદાવાદમા કફ સિરપથી નશાનો નવો ટ્રેન્ડ અટલ બ્રિજ પાસે ખાલી બોટલોના ઢગલા
અમદાવાદમા કફ સિરપથી નશાનો નવો ટ્રેન્ડ અટલ બ્રિજ પાસે ખાલી બોટલોના ઢગલા
ફાયર NOC વગર ચાલતી 37 હોટલ પર તૂટી પડ્યું 'તંત્ર', 4 ને લાગ્યા 'તાળાં'
ફાયર NOC વગર ચાલતી 37 હોટલ પર તૂટી પડ્યું 'તંત્ર', 4 ને લાગ્યા 'તાળાં'
હજારો લોકો દૂષિત પાણી પીવા મજબૂર, મહિલાઓએ ઉપાડ્યો મોરચો
હજારો લોકો દૂષિત પાણી પીવા મજબૂર, મહિલાઓએ ઉપાડ્યો મોરચો
ઉદ્ઘાટન નથી થયું ને રોડ બિસમાર થયો, જવાબદારો સામે કાર્યવાહી ક્યારે?
ઉદ્ઘાટન નથી થયું ને રોડ બિસમાર થયો, જવાબદારો સામે કાર્યવાહી ક્યારે?
g clip-path="url(#clip0_868_265)">