Breaking News: ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, સ્ટાર ખેલાડી T20 શ્રેણીમાંથી અચાનક થયો બહાર
દક્ષિણ આફ્રિકા સામેની પાંચ મેચની T20 શ્રેણી દરમિયાન ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધી ગયું છે. સ્ટાર ખેલાડી શ્રેણીની બાકીની મેચોમાંથી બહાર થઈ ગયો છે. તે છેલ્લી મેચ પણ રમી શકશે નહીં. તેના સ્થાને અન્ય એક ખેલાડીના નામની જાહેરાત કરવામાં આવી છે.

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી પાંચ મેચની T20I શ્રેણીમાં ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલ લખનૌ અને અમદાવાદમાં રમાનારી શ્રેણીની છેલ્લી બે મેચમાંથી બહાર થઈ ગયો છે.

BCCI એ એક પ્રેસ રિલીઝ જારી કરીને અક્ષર પટેલ વિશે એક મોટી અપડેટ આપી છે, સાથે જ તેના રિપ્લેસમેન્ટની જાહેરાત પણ કરી છે. ટીમ ઈન્ડિયા હાલમાં શ્રેણીમાં 2-1થી આગળ છે.

બંને ટીમો વચ્ચેની શ્રેણીની ચોથી મેચ લખનૌમાં રમાશે. અક્ષર પટેલ લખનૌમાં ટીમ સાથે હાજર છે, જ્યાં તેની વધુ તબીબી તપાસ કરવામાં આવશે. શ્રેણીની ત્રીજી મેચ પહેલા તે બીમાર પડ્યો હતો અને હજુ સુધી સ્વસ્થ થયો નથી, જેના કારણે BCCIને ટીમમાં ફેરફાર કરવાની ફરજ પડી હતી.

બીમારીને કારણે અક્ષર પટેલ શ્રેણીની ત્રીજી મેચ પણ રમી શક્યો ન હતો. તેની ગેરહાજરીમાં પસંદગી સમિતિએ બંગાળના સ્પિનિંગ ઓલરાઉન્ડર શાહબાઝ અહેમદને તેના સ્થાને ટીમમાં સામેલ કર્યો છે. શાહબાઝ હવે લખનૌ અને અમદાવાદમાં રમાનારી મેચો માટે ઉપલબ્ધ રહેશે.

છેલ્લી 2 મેચ માટે ટીમ ઈન્ડિયા: સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, જિતેશ શર્મા (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહેમદ. (PC:PTI/X))
આફ્રિકા સામે ચોથી T20 મેચ જીતી ટીમ ઈન્ડિયા શ્રેણી કબજે કરવા પ્રયાસ કરશે. ભારતીય ક્રિકેટ ક્રિકેટ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
