AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ડાયાબિટીસના રોગને જડમૂળથી ભગાડવા માટેનો ‘અકસીર ઈલાજ’ તમને ખબર છે કે નહીં?

આજના સમયમાં ડાયાબિટીસ એક સામાન્ય પણ ગંભીર બીમારી બની રહી છે, જેને સમયસરના પગલાં દ્વારા નિયંત્રિત કરી શકાય છે. આ રોગને જડમૂળથી ભગાડવાનો સૌથી 'અકસીર ઈલાજ' દવાઓની સાથે-સાથે શિસ્તબદ્ધ જીવનશૈલી છે.

| Updated on: Feb 12, 2026 | 5:08 PM
Share
રોજ કસરત કરવાથી શરીરમાં 'ઇન્સ્યુલિન એબ્સોર્પ્શન' (ઇન્સ્યુલિનનું શોષણ) સુધરે છે, ગ્લુકોઝનો યોગ્ય ઉપયોગ થાય છે અને બ્લડ સુગર આપોઆપ નિયંત્રણમાં રહે છે. એવામાં હવે 'બ્લેક કોફી' પણ એ કામ કરી શકે છે, જે કામ કસરત કરે છે.

રોજ કસરત કરવાથી શરીરમાં 'ઇન્સ્યુલિન એબ્સોર્પ્શન' (ઇન્સ્યુલિનનું શોષણ) સુધરે છે, ગ્લુકોઝનો યોગ્ય ઉપયોગ થાય છે અને બ્લડ સુગર આપોઆપ નિયંત્રણમાં રહે છે. એવામાં હવે 'બ્લેક કોફી' પણ એ કામ કરી શકે છે, જે કામ કસરત કરે છે.

1 / 9
'બ્લેક કોફી' લિવર, સ્વાદુપિંડ (પેનક્રિયાસ) અને બીટા સેલ્સને મજબૂત બનાવવાનું કામ કરે છે. ખાંડ વગરની બ્લેક કોફી માત્ર એનર્જી ડ્રિંક નથી પણ એક હેલ્થ બૂસ્ટર પણ છે. તેમાં રહેલા 'પોલી-ફેનોલ્સ' અને 'ક્લોરો-જેનિક એસિડ' ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધારે છે અને ગ્લુકોઝ મેટાબોલિઝમમાં સુધારો કરે છે.

'બ્લેક કોફી' લિવર, સ્વાદુપિંડ (પેનક્રિયાસ) અને બીટા સેલ્સને મજબૂત બનાવવાનું કામ કરે છે. ખાંડ વગરની બ્લેક કોફી માત્ર એનર્જી ડ્રિંક નથી પણ એક હેલ્થ બૂસ્ટર પણ છે. તેમાં રહેલા 'પોલી-ફેનોલ્સ' અને 'ક્લોરો-જેનિક એસિડ' ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધારે છે અને ગ્લુકોઝ મેટાબોલિઝમમાં સુધારો કરે છે.

2 / 9
સંશોધન મુજબ, દરરોજ 3 થી 4 કપ બ્લેક કોફી પીવાથી ટાઈપ-2 ડાયાબિટીસનું જોખમ 30% સુધી ઘટાડી શકાય છે. સૌથી મજાની વાત એ છે કે, આ ફાયદો માત્ર કેફીનથી નહીં પણ કોફીમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સથી પણ મળે છે. જો એક તરફ ફિઝિકલ એક્ટિવિટીને રાખીએ અને બીજી તરફ કડવી પણ કમાલની કોફીને, તો શરીરમાં ઘર કરી ગયેલી ડાયાબિટીસ પણ ગભરાઈને ભાગી જશે.

સંશોધન મુજબ, દરરોજ 3 થી 4 કપ બ્લેક કોફી પીવાથી ટાઈપ-2 ડાયાબિટીસનું જોખમ 30% સુધી ઘટાડી શકાય છે. સૌથી મજાની વાત એ છે કે, આ ફાયદો માત્ર કેફીનથી નહીં પણ કોફીમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સથી પણ મળે છે. જો એક તરફ ફિઝિકલ એક્ટિવિટીને રાખીએ અને બીજી તરફ કડવી પણ કમાલની કોફીને, તો શરીરમાં ઘર કરી ગયેલી ડાયાબિટીસ પણ ગભરાઈને ભાગી જશે.

3 / 9
હા, આ બિલકુલ શક્ય છે, કારણ કે કોરિયન અને જાપાનીઝ રિસર્ચમાં પણ એ વાત સામે આવી છે કે, બ્લેક કોફી પીનારાઓનું બ્લડ સુગર વધુ સ્ટેબલ રહે છે. 'કોફી' ખાંડ અને દૂધ વગરની હોવી જોઈએ અને તેની માત્રા દરરોજ 3-4 કપથી વધુ બિલકુલ ન હોવી જોઈએ, નહીંતર ઊંઘ અને બીપી પર અસર પડી શકે છે.

હા, આ બિલકુલ શક્ય છે, કારણ કે કોરિયન અને જાપાનીઝ રિસર્ચમાં પણ એ વાત સામે આવી છે કે, બ્લેક કોફી પીનારાઓનું બ્લડ સુગર વધુ સ્ટેબલ રહે છે. 'કોફી' ખાંડ અને દૂધ વગરની હોવી જોઈએ અને તેની માત્રા દરરોજ 3-4 કપથી વધુ બિલકુલ ન હોવી જોઈએ, નહીંતર ઊંઘ અને બીપી પર અસર પડી શકે છે.

4 / 9
દેશની લગભગ 12% વસ્તી ડાયાબિટીસથી પીડિત છે. લગભગ 16% લોકો પ્રી-ડાયાબિટીક છે અને અડધાથી વધુ લોકોને તો ખબર પણ નથી કે, તેમને સુગર છે. આનાથી પણ મોટી વાત એ છે કે, આ બીમારી એકલી નથી આવતી સાથે હૃદય રોગ, કિડનીની સમસ્યા, નસ અને આંખોની નબળાઈ પણ લાવે છે.

દેશની લગભગ 12% વસ્તી ડાયાબિટીસથી પીડિત છે. લગભગ 16% લોકો પ્રી-ડાયાબિટીક છે અને અડધાથી વધુ લોકોને તો ખબર પણ નથી કે, તેમને સુગર છે. આનાથી પણ મોટી વાત એ છે કે, આ બીમારી એકલી નથી આવતી સાથે હૃદય રોગ, કિડનીની સમસ્યા, નસ અને આંખોની નબળાઈ પણ લાવે છે.

5 / 9
એવામાં જો ડાયાબિટીસને ખતમ કરવી હોય, તો બ્લેક કોફીની સાથે યોગ અને થોડી આયુર્વેદિક વસ્તુઓને પણ ડાયેટમાં એડ (Add) કરી લેવી જોઈએ. ડાયાબિટીસના લક્ષણોમાં વધુ પડતી તરસ લાગવી, વારંવાર પેશાબ થવો, ખૂબ ભૂખ લાગવી, અચાનક વજન ઘટવું, ચીડિયાપણું અનુભવવું, સતત થાક રહેવો, શરીરમાં નબળાઈ આવવી અને આંખોથી ધૂંધળું દેખાવું વગેરેનો સમાવેશ થાય છે.

એવામાં જો ડાયાબિટીસને ખતમ કરવી હોય, તો બ્લેક કોફીની સાથે યોગ અને થોડી આયુર્વેદિક વસ્તુઓને પણ ડાયેટમાં એડ (Add) કરી લેવી જોઈએ. ડાયાબિટીસના લક્ષણોમાં વધુ પડતી તરસ લાગવી, વારંવાર પેશાબ થવો, ખૂબ ભૂખ લાગવી, અચાનક વજન ઘટવું, ચીડિયાપણું અનુભવવું, સતત થાક રહેવો, શરીરમાં નબળાઈ આવવી અને આંખોથી ધૂંધળું દેખાવું વગેરેનો સમાવેશ થાય છે.

6 / 9
સુગર કંટ્રોલ કરવા માટે દરરોજ 1 ચમચી મેથી પાવડરનું સેવન કરો, સવારે ખાલી પેટે લસણની 2 કળીઓ ખાઓ અને તમારા ભોજનમાં કોબીજ, કારેલા તથા દૂધી જેવી શાકભાજીઓનો સમાવેશ કરો. ડાયાબિટીસ થવાના કારણોમાં તણાવ, અકાળે ભોજન (ખોટા સમયે ખાવું), જંક ફૂડનું વધુ પડતું સેવન, ઓછું પાણી પીવું, સમયસર ઊંઘ ન લેવી, નિયમિત વર્કઆઉટ ન કરવું, મેદસ્વિતા અને આનુવંશિક કારણો (Genetic Causes) જવાબદાર છે.

સુગર કંટ્રોલ કરવા માટે દરરોજ 1 ચમચી મેથી પાવડરનું સેવન કરો, સવારે ખાલી પેટે લસણની 2 કળીઓ ખાઓ અને તમારા ભોજનમાં કોબીજ, કારેલા તથા દૂધી જેવી શાકભાજીઓનો સમાવેશ કરો. ડાયાબિટીસ થવાના કારણોમાં તણાવ, અકાળે ભોજન (ખોટા સમયે ખાવું), જંક ફૂડનું વધુ પડતું સેવન, ઓછું પાણી પીવું, સમયસર ઊંઘ ન લેવી, નિયમિત વર્કઆઉટ ન કરવું, મેદસ્વિતા અને આનુવંશિક કારણો (Genetic Causes) જવાબદાર છે.

7 / 9
શિયાળામાં સુગર કંટ્રોલ કરવા માટે ડાયેટ પર ખાસ ધ્યાન આપો. શરીરને ગરમ રાખો, હાઈ કેલરી ફૂડથી બચો, નિયમિતપણે વર્કઆઉટ કરો, રોજ અડધો કલાક તડકામાં બેસો, માત્ર નવશેકું પાણી પીવો, સવારે ખાલી પેટે લીંબુ પાણી લો, દૂધીનું સૂપ, જ્યુસ અને શાકભાજી ખાઓ તથા અનાજ અને ચોખાનું સેવન ઘટાડી દો.

શિયાળામાં સુગર કંટ્રોલ કરવા માટે ડાયેટ પર ખાસ ધ્યાન આપો. શરીરને ગરમ રાખો, હાઈ કેલરી ફૂડથી બચો, નિયમિતપણે વર્કઆઉટ કરો, રોજ અડધો કલાક તડકામાં બેસો, માત્ર નવશેકું પાણી પીવો, સવારે ખાલી પેટે લીંબુ પાણી લો, દૂધીનું સૂપ, જ્યુસ અને શાકભાજી ખાઓ તથા અનાજ અને ચોખાનું સેવન ઘટાડી દો.

8 / 9
WHO ની ગાઈડલાઈન મુજબ એક દિવસમાં 5 ગ્રામથી વધુ ખાંડ ન ખાવી જોઈએ, એટલે કે લગભગ 1 ચમચી ખાંડ પૂરતી છે પરંતુ લોકો અવારનવાર આના કરતા લગભગ 3 ગણી વધુ ખાંડનું સેવન કરી લેતા હોય છે. સુગર કંટ્રોલ કરવા માટે કાકડી, કારેલા અને ટામેટાનો જ્યુસ લો, ગિલોય (ગળો) નો ઉકાળો પીવો, મંડૂકાસન અને યોગમુદ્રાસન જેવા યોગાસનો કરો તથા રોજ લગભગ 15 મિનિટ કપાલભાતિનો અભ્યાસ કરો.

WHO ની ગાઈડલાઈન મુજબ એક દિવસમાં 5 ગ્રામથી વધુ ખાંડ ન ખાવી જોઈએ, એટલે કે લગભગ 1 ચમચી ખાંડ પૂરતી છે પરંતુ લોકો અવારનવાર આના કરતા લગભગ 3 ગણી વધુ ખાંડનું સેવન કરી લેતા હોય છે. સુગર કંટ્રોલ કરવા માટે કાકડી, કારેલા અને ટામેટાનો જ્યુસ લો, ગિલોય (ગળો) નો ઉકાળો પીવો, મંડૂકાસન અને યોગમુદ્રાસન જેવા યોગાસનો કરો તથા રોજ લગભગ 15 મિનિટ કપાલભાતિનો અભ્યાસ કરો.

9 / 9

Disclaimer: આ સમાચાર સામાન્ય માહિતી પર આધારિત છે. વધુ માહિતી માટે તમારા ડૉક્ટરની સલાહ લો.

આ પણ વાંચો: રાત્રે સૂતા પહેલા લગાવો આ ‘3 વસ્તુ’, સવારે જોવા મળશે સાફ અને ચમકદાર ચહેરો

Marriage Registration Rules નવા નિયમો: માતા-પિતાની સંમતિ ફરજિયાત?
Marriage Registration Rules નવા નિયમો: માતા-પિતાની સંમતિ ફરજિયાત?
Breaking News : કીર્તિ પટેલના સ્નાન પછી ભવનાથમાં સાધુ સંતો આમને સામને
Breaking News : કીર્તિ પટેલના સ્નાન પછી ભવનાથમાં સાધુ સંતો આમને સામને
વરિષ્ઠ અધિકારીઓના સહયોગથી અટકેલા કામો ઝડપ પકડશે, પરિણામ આજે જોવા મળશે
વરિષ્ઠ અધિકારીઓના સહયોગથી અટકેલા કામો ઝડપ પકડશે, પરિણામ આજે જોવા મળશે
મનપા સંચાલિત શાળામાં કેટલા કોર્પોરેટર્સના બાળકો અભ્યાસ કરે છે?
મનપા સંચાલિત શાળામાં કેટલા કોર્પોરેટર્સના બાળકો અભ્યાસ કરે છે?
ભાવેણાવાસીઓને ક્યારે મળશે 'વંદે ભારત'?, વિપક્ષે સત્તાધિશોને કર્યો સવાલ
ભાવેણાવાસીઓને ક્યારે મળશે 'વંદે ભારત'?, વિપક્ષે સત્તાધિશોને કર્યો સવાલ
સાબરકાંઠાના હરસોઈમાં ખોદકામ દરમિયાન જમીનમાં ધરબાયેલી કલાત્મક વાવ મળી
સાબરકાંઠાના હરસોઈમાં ખોદકામ દરમિયાન જમીનમાં ધરબાયેલી કલાત્મક વાવ મળી
કડીમાં યોજાયેલ વિરાટ હિંદુ સંમેલનમાં અપૂર્વ મુનિએ કર્યુ સૂચક નિવેદન
કડીમાં યોજાયેલ વિરાટ હિંદુ સંમેલનમાં અપૂર્વ મુનિએ કર્યુ સૂચક નિવેદન
આનંદીબહેને કહ્યું-હું પણ પટેલ છુ પરંતુ પટેલવાદમાં નથી માનતી-જુઓ વીડિયો
આનંદીબહેને કહ્યું-હું પણ પટેલ છુ પરંતુ પટેલવાદમાં નથી માનતી-જુઓ વીડિયો
જામનગર મનપામાં સ્ટેન્ડિગ નહીં સેટીગ કમિટી છે-કોંગ્રેસ
જામનગર મનપામાં સ્ટેન્ડિગ નહીં સેટીગ કમિટી છે-કોંગ્રેસ
Breaking News: અમદાવાદમાં ફરી બોગસ કોલ સેન્ટર પકડાયું!
Breaking News: અમદાવાદમાં ફરી બોગસ કોલ સેન્ટર પકડાયું!
g clip-path="url(#clip0_868_265)">